Book Title: Jain Shasanna Chamakta Hira
Author(s): Varjivandas Vadilal Shah
Publisher: Varjivandas Vadilal Shah
Catalog link: https://jainqq.org/explore/032071/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Gળ શાસીના ચમકવા હરણ ૧૦૮ જૈન ચરીત્ર કથાઓ સંપાદકવ૨જીવનદાસ વાડીલાલ શાહ * Page #2 -------------------------------------------------------------------------- ________________ ரரரரராEEரரரரரரரரரரரரரம் பேரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரர் ரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரரர ரரரரரரரரரரரரரரரரரரரரர 81 qI43:47 911 el€13403 EIEI (શેઠ બાબુ અમીચંદજી પનાલાલજી આદીશ્વરજી દેરાસર ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ-૬ ) Page #3 -------------------------------------------------------------------------- ________________ જન્મ : તા. ૧૭-૫-૧૮૫૦ સ્વર્ગવાસ : તા. ૪-૩-૧૯૨૮ જેઓએ સંવત ૧૯૬૦ મુંબઈ વાલકેશ્વર ઉપર તીથ ધામ સમું ભવ્ય જિનાલય બધાવીને નીચેના પ્રથમ ભાગે તીર્થાધિપતિ આદીશ્વર ભગવંતને મૂળ નાયકજી તરીકે અને પ્રથમ મજલે શ્રી પાર્શ્વનાથ વગેરેને બિરાજમાન કર્યા. આજે હુજારા જૈનજૈનેતા પ્રતિદિન દનપૂજનનો લાભ લઈ રહ્યા છે. બાબુ શેઠશ્રી અમીચંદજી પનાલાલજી જન્મ : સવત ૧૯૨૨, શ્રાવણ સુદ પુ સ્વર્ગવાસ : સવત ૧૯૬૭, શ્રાવણ સુદ ૯ જેમની ખાસ પ્રેરણાથી વાલકેશ્વરનું જિનમંદિર બંધાયું. બાબુ શેઠશ્રી અમીચંદજી પનાલાલજીન ધર્મપત્ની ધર્મશ્રદ્ધાળુ શેઠાણી શ્રી કુંવરબાઈ Page #4 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરા સંપાદક વરજીવનદાસ વાડીલાલ શાહ નિરીક્ષણ અને ભૂલ સુધાર પન્યાસ શ્રી જ્યસુંદર વિજય મહારાજ Page #5 -------------------------------------------------------------------------- ________________ JAIN SHASAN NA CHAMAKATA HIRAO By Varajivandas V. Shah પ્રકાશક વરજીવનદાસ વાડીલાલ શાહ મશીન ટૂલ્સ ટ્રેડર્સ (બેંગલોર) ૪૧, નરસિંમહા રાજા રોડ બેંગલોર ૫૬૦ ૦૦૨ ભારત પ્રથમ આવૃત્તિ : માર્ચ ૧૯૯૩ કિંમત : રૂ. ૬૦-૦૦ મુદ્રક હરેશ જ્યંતીલાલ પટેલ દર્શન પ્રિન્ટર્સ ૧૩૫૭/૩, ગાંધીહાટ બિલ્ડિંગ સલાપસ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ અર્પણ નાની ઉંમરમાં માબાપ મરી જવાથી બેહાલ થતાં જેને બચાવ્યાં, આર્થિક મુસીબતોમાં ઘણાં દુ:ખો વેઠી અમને સાત ભાઈ-બહેનોને મોટાં કર્યાં. તે માતૃતુલ્ય ફઈબાને, (મણિફઈ) છોરુ વરજીવનદાસ ... Page #7 -------------------------------------------------------------------------- ________________ નિરીક્ષણ સુશ્રાવક વરજીવનદાસભાઈને કોઈ શુભ ઘડીએ વિચાર પ્રગટ્યો કે વિશ્વમાનવના જીવનવૃક્ષને સારામાં સારું સંસ્કારોનું સિંચન કરવા માટે લોકભોગ્ય પ્રાચીન કથાસાહિત્યની ખૂબ આવશ્યકતા છે. શુભસ્ય શીઘમ એ રીતે તેઓ તરત જ જૈન કથાસાહિત્યની શોધમાં બેસી ગયા. ઉપદેશ પ્રાસાદ-ઉપદેશમાલા તથા અનેક પ્રાચીન નાની-મોટી સજઝાયો વગેરેનું વિસ્તારથી પરિશીલન કરીને તેઓએ ૧૦૮ કથાઓનું ચયન કર્યું. એ જ પૂર્વકાલીન મહાપુરુષોના કથા ગ્રન્યોના આધારે તેઓએ કથાઓનું સુંદર આલેખન કરવા માંડ્યું. પરિણામ આજે બધાની સામે શોભી રહ્યું છે. કથાઓના આલેખનમાં ભવભીર હરજીવનદાસભાઈએ ખાસ એક ઈષ્ટિ અ૫નાવી છે કે ક્યાંય પોતાના તરફથી કલ્પના દ્વારા કશું ઉમેરવું નહીં કે ક્યાંય કોઈ દ્વિધામાં પડે એવા સંશયો ઊભા થાય એવું કરવું નહીં. તેથી પ્રાચીન મહાપુરુષોના અનેક ગ્રન્થોમાંથી જ તેઓએ નવનીતની જેમ આ કથાઓની વિગતોનો સંચય કરીને આલેખન કર્યું છે. એ રીતે આ એક સારા સંસ્કારી રસથાળનું નજરાણું ભદ્રસમાજને ભેટ મળશે. વરજીવનદાસભાઈએ પોતાના આ કથાસંગ્રહને વધુ ને વધુ પ્રામાણિક બનાવવા માટે પૂજ્ય પાદ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી ભુવનભાનુસૂરિ મહારાજનાં ચરણોમાં તપાસી આપવા માટે અરજ કરેલી. અને પૂજ્ય શ્રીના આદેશથી તે કામ મારા ફાળે આવ્યું. એટલે જ્યાં કંઈક જૈન શાસનને અનુરૂપ સુધારા-વધારા કરવા જેવું લાગ્યું તેનો સરળ સ્વભાવી લેખકે સ્વીકાર કર્યો છે તે આનંદની વાત છે. ખાસ ધ્યાનમાં રહે કે બાળકોને નજર સમક્ષ રાખીને આ કથાઓનું આલેખન થયું હોવાથી કથામાં આવતી અવાનાર ઘટનાઓના વિસ્તારને અને ગ્રહણ કરી શકાયો નથી. જે જે મુમુક્ષુ જીવો આ કથાઓનું રસપાન કરીને સર્બોધ ગ્રહણ કરશે તેમને લાભ થવા સાથે લેખકની પણ મહેનત સાર્થક થશે એવી અંતરની મંગલ કામના. ભાદરવા સુદિ ૧૫, ર૦૪૮. લિ. જ્યસુંદર વિજ્ય સુરત Page #8 -------------------------------------------------------------------------- ________________ આ લખાણોમાં મારું કશું નથી આ દ્વારા એક વાત સ્પષ્ટપણે કહેવા માગું છું કે આ કથાઓ મેં ફક્ત મળી શકેલાં ગુજરાતી ધર્મ ગ્રંથોમાંથી ઉતારી છે. હું લેખક નથી - ફક્ત કથાઓનું સંપાદન કર્યું છે. મેં મારા મનથી કંઈ નવું ઉમેર્યું નથી. ધર્મગ્રંથોના આધારને સ્પષ્ટપણે વળગી રહ્યો છું. દુઃખની વાત છે કે હું સંસ્કૃત, પ્રાકૃત, માગધી, પાલી કે અર્ધમાગધી ભાષા જાણતો નથી. આપણા જૈન ધર્મોના મુખ્ય ગ્રંથો સંસ્કૃત યા પ્રાકૃત ભાષામાં છે. એટલે એ ઉપરથી ગુજરાતીમાં અનુવાદ થયેલ ગ્રંથો વાંચી આ ચરિત્રો લખ્યા છે. એટલે અસલ લખાણમાં જે મઝા છે તે મઝા આ અનુવાદિત ગ્રંથોમાં ન આવે, તેથી થોડી રસક્ષતિ છે જ. જોકે ઘણાં લખાણો શ્રી હેમચંદ્રાચાર્યના શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચારત્રમાંથી લીધેલ છે, જે અસલ ગુજરાતીમાં છે. ઉપરાંત ઉપદેશ પ્રાસાદ ભાષાંતરમાંથી ઘણા પ્રસંગો લીધા છે. સાત આઠ વર્ષની ઉમરે શ્રી ધર્મવિજ્ય મહારાજે (ડહેલાવાળા) અમારા મહોલ્લામાં (પાટણમાં) ચોમાસું બદલ્યું અને વ્યાખ્યાનમાં ષ્ટાંતરૂપે શ્રી ધના શાલીભદ્રની વાર્તા કરી. એ વાર્તાએ ચિત્તને ઘેલું કર્યું. અને વારંવાર મુનિમહારાજાઓનું વ્યાખ્યાન સાંભળતાં વાર્તાઓમાં રસ પડવા લાગ્યો અને વ્યાખ્યાન ફક્ત વાર્તાઓ જ સાંભળવા જતો, એમ કહું તો ખોટું નથી. અને ઉમર વધતાં મગજમાં ઘણી વાર્તાઓ ભેગી થઈ. એક વખત વિલેપાર્લામાં પંન્યાસ પ્રવર શ્રી ભદ્રગમ વિજયજી હાલ આચાર્ય શ્રી વિજય ભદ્રગુપ્તસૂરિશ્વરજી પધાર્યા. તેમણે વ્યાખ્યાનમાં શ્રી અવંતીસુકુમાલની કથા સંભળાવી. વાર્તામાં તો રસ ખરો પણ વ્યાખ્યાનની શૈલીએ ઘણો પ્રભાવિત થયો. એ જ દિવસે મનથી નક્કી કર્યું કે આવી ધાર્મિક ચરિત્રકથાઓ એકઠી કરવી જોઈએ. અને એક પુખ્તક રૂપે છપાવી સમાજને આપવી જોઈએ. એક દિવસ સવારમાં છાપા - મુંબઈ સમાચારમાં મેતારક મુનિની કથા આવી. અને એ જ દિવસે આ ગ્રંથની પહેલી કથા મેતારક મુનિની લખી. પણ લખાણ ઘણું ધીમું લખાતું હતું. મહિને પંદર દિવસે એકાદ કથા લખાતી હતી. પણ કુટુંબીજનો દીકરા, દીકરી, પુત્રવધૂ આદિએ જે કંઈ લખાયું છે તે જલદી છપાવી નાખવા આગ્રહ કર્યા કર્યો. પણ મનથી નિશ્ચય કરેલ કે ૧૦૮ કથાઓ લખવી છે અને એકસાથે એક જ પુસ્તકમાં છપાવવી છે, એટલે લખાણમાં ઝડપ આવી. અને અઠવાડિયામાં ૧-૨ વાર્તાઓ લખાવા માંડી. પહેલેથી છેલ્લી કથાઓ લખતાં લગભગ અઢી વર્ષ થયાં. Page #9 -------------------------------------------------------------------------- ________________ હું માનું છું કે આવી કોઈ જ્ઞાનવાર્તાઓ લખવાની મારી કોઈ શક્તિ નથી. મા સરસ્વતીની કૃપાથી આ લખાયું છે. કહું કે તેણે જ આ કથાઓ લખાવી છે. દરરોજ એક માળા ગણતાં તેની કૃપા માગું છું અને તેની કૃપા થાય તો બીજી શાન વાર્તાઓ કદાચ લખાય પણ ખરી. એક વાનનો અફસોસ છે. ઘણી જાણીતી ચરિત્રકથાઓ આમાં નથી. દૃષ્ટિ સમક્ષ એક ખ્યાલ હતો કે દરેક કથા ટૂંકમાં જ લખવી. બે કે ત્રણ પાનાંમાં એક વાર્તા સમાવવી. એટલે જે ચરિત્રો લખવા ૨૦ કે ૨૫ પાનાં જોઈએ તે ચરિત્રો આમાં નથી. મુખે શ્રીપાલ મયણા સુંદરી, ચંદરાજા, વસ્તુપાલ તેજપાલ, વિમળશાહ, શ્રીચંદ ચરિત્ર, અંબડ ચરિત્ર વગેરે નથી લખી શક્યો. ચોવીસે અરિહંત ભગવંતનાં ચરિત્રો પણ નથી લખ્યાં. શ્રી આદિશ્વર ભગવાન, મહાવીર સ્વામીજી વગેરેની કેટલીક વાતો બીજી વાર્તાઓ વાંચતાં આવે છે. પ્રભુ મહાવીરના સત્યાવીસ ભવોમાંથી મરીચી-નયસાર અને શ્રી નંદનમુનિનાં ચરિત્રો લીધાં છે. આવાં એકેક ચરિત્રો માટે એકેક ચોપડી લખાય એટલી સામગ્રી આપણા ભંડારમાં છે. જિજ્ઞાસુ વાંચશે તો રસતરબોળ જરૂર થશે. આ પુસ્તક છાપતાં પહેલાં ધાર્મિક દૃષ્ટિએ કંઈ ખોટું નથી લખાણું તે જોઈ જવા અને ભૂલો હોય તે સુધારવા પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજયભુવનભાનુસૂરીશ્વરજીને વિનંતી કરી. તેઓએ આ કામ કી જ્યસુંદર વિજયજીને સોંપ્યું, જે તેઓએ ઘણી જહેમત લઈ ઘણી ભૂલો સુધારી મારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. તેઓનો ખૂબ જ આભારી છું. આ આભાર માટે મારો શબ્દભંડોળ ઘણો જ નાનો છે. મિત્ર શ્રી ચીનુભાઈ ગી. શાહ (સ્વસ્થ માનવ) આ કથાઓના વ્યાકરણદોષો સુધારી મારો ઘણો બોજ ઓછો ર્યો છે. તેમનો ખાસ આભાર માનું છું. ઉપરાંત શ્રી જયંતીભાઈ દર્શન પ્રિન્ટર્સે ઘણી કાળજી લઈ આ પુસ્તક જલદીથી છાપી આપ્યું છે તેમનો પણ આભાર માનું છું. ટૂંકમાં આ લખાણોમાં મારું કશું નથી. કારણ કે જ્ઞાનભંડારોમાંથી જ આ કથાઓ માટે ઉપયોગી સામગ્રી શોધી તેમાંથી થોડો સ્વાદ વાચકોને કરાવ્યો છે. છેવટે વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાણું હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુકકડમ. આ ચરિત્રો લખવામાં કંઈ પણ ક્ષતિ-ગુટી રહી ગઈ હોય તો વાચકો મારું ધ્યાન દોરજો તો બીજી આવૃત્તિમાં તે સુધારી શકાય. પંચશીલ એપાર્ટમેન્ટ અજ્ઞાની ત્રીજો પ્રેસ - ગાંધીનગર, બેંગલોર - ૫૬૦ ૦૦૯ વરજીવનદાસ શાહ તા. ૧૬ નવેમ્બર, ૧૯૯૨ Page #10 -------------------------------------------------------------------------- ________________ આભાર ♦ મુંબઈના શ્રી બાબુ અમીચંદ પનાલાલ આદિશ્વર જૈન દેરાસર ટ્રસ્ટે (મુંબઈ ૪૦૦ ૦૦૬) અમારા આ પ્રકાશકમાં પ્રોત્સાહન તથા સુંદર આર્થિક સહકાર આપેલ છે. • ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. ૮. શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક મંદિર - ગાંધીનગર, બેંગલોર ૫૬૦ ૦૦૯ - તેમના જ્ઞાન ખાતામાંથી પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોને અભ્યાસ અર્થે આ પુસ્તકની ૫૦૦ કૉપીના આગોતરા ગ્રાહક થઈ લાભ લીધેલ છે. બન્ને સંસ્થાઓના ટ્રસ્ટીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિસ્થાન સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ ૪૦૦ ૦૦૨ મેઘરાજ જૈન પુસ્તક ભંડાર ૨૧૯-એ, કીકા સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨ ગુર્જર સાહિત્ય ભવન રતનપોળના નાકે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ સોમચંદ ડી. શાહ જીવનનિવાસ સામે, તલેટી રોડ, પાલીતાણા શ્રી સરસ્વતી પુસ્તક ભંડાર હાથીખાના, અમદાવાદ ૩૮૦ ૦૦૧ અમરશી લક્ષ્મીચંદ કોઠારી એસ. ટી. બુક સ્ટોલ, શંખેશ્વર તીર્થ, વાયા હારીજ, પીન ૩૮૪ ૨૪૬ પાર્શ્વનાથ જૈન પુસ્તક ભંડાર ફાઉન્ટનની સામે, તલેટી રોડ, પાલીતાણા ૩૬૪ ૨૭૦ સંસ્કૃતિ ભવન સુભાષ રોડ, ગોપીપુરા, સુરત ૩૯૫ ૦૦૧ Page #11 -------------------------------------------------------------------------- ________________ ક્રમ લેખ ૧. ર. 3. ૪. ૫. ૬. ૭. .. ૯. ૧૦. મરૂદેવા માતા ૧૧. નંદીષેણ મુનિ ૧૨. મેતારજ મુનિ અરણિક મુનિ અનાથી મુનિ અઈમુત્તા મુનિ શ્રી અવંતિ કુમાલ કપિલ ઋષિ ગજસુકુમાલ ભરતેશ્વર અને બાહુબિલ - ૧ ભરતેશ્વર અને બાહુબલિ - ૨ શ્રી અમરકુમાર ૧૩. સનતકુમાર ચક્રવર્તી ૧૪. મેઘકુમાર ૧૫. રોહિણીયો ચોર ૧૬. ચંડકૌશિક સર્પ ૧૭. શ્રી મેઘરથ રાજા ૧૮. શ્રી દશાર્ણભદ્ર ૧૯, વિજ્ય શેઠ - વિજ્યા શેઠાણી ૨૦. ઢંઢણકુમાર ૨૧. શ્રી રહનેમિ રર. શ્રી સુકોશલ મુનિ ૨૩. અનુક્રમ શ્રી પ્રસન્નચંદ્ર રાજઋષિ શ્રી ત્રિપુષ્ટ વાસુદેવ ર૪. ૨૫. શ્રી નયસાર ૨૬. શ્રી સિંહ અણગાર ૨૭. શ્રી આર્દ્રકુમાર ૨૮. શ્રી બંધક મુનિ ર૯. ધનો અણગાર ૩૦. શ્રી સ્કંદકાચાર્ય પાન નં. ૧ ૫ ૬ ૭ 2 ૧૧ ૧૩ ૧૫ ૧૬ ૧૭ ૧૯ ૨૧ ૨૩ પ २८ 30 ૬૬ = * * * * * ૪૭ ૫૦ Page #12 -------------------------------------------------------------------------- ________________ ક્રમ લેખ ૩૧. શ્રી વજ્રબાહુ ૩ર. રેવતી સતી ૩૩. મદનરેખા ૩૪. શ્રી નમિરાજા ૩૫. અંબિકાદેવી ૩૬. રાજા મુનિચંદ્ર ૩૭. શ્રી દઢપ્રહારી ૩૮.શ્રી ઈલાચીકુમાર ૩૯. શ્રી ઝાંઝરિયા મુનિ ૪૦. ક્લાવતી ૪૧. અષાઢાભૂતિ ૪૨. શ્રી સતી સુભદ્રા ૪૩. વંકચૂલ ૪૪. કુબેરદત્તા ૪૫. નંદન મુનિ ૪૬. સેવામૂર્તિ નંદિષણ ૪૭. ચંદનબાળા ૪૮. શ્રી ચિલાતી પુત્ર ૪૯. શ્રી ભદ્રસેન ૫૦. શ્રી અષાઢાચાર્ય ૫૧. પ્રિયંકર નૃપતિ પર. કંડરિક - પુંડરીક ૫૩. મમ્મણ શેઠ ૫૪. પુણીયો શ્રાવક ૫૫. સુદર્શન શેઠ ૫૬. શ્રી હરિભદ્રસૂરિ ૫૭. શ્રી નાગિલ ૫૮. જિનદાસ અને સૌભાગ્યદેવી ૫૯. શ્રી વજસ્વામી ૬૦. ભદેવ - નાગિલા ૬૧. સતી સુલસા શીલવતી ૬૩. સિંહ શ્રેષ્ઠી ૬ર. 9 પાન નં. ૧ ૬૪ ૬૫ ૭૦ ૭૨ ૭૫ ૭૬ ૭૮ ૮૧ 23 ૮૫ 62 ૯૦ ૯૩ ૯૫ ૯૮ ૧૦૦ ૧૦૪ ૧૦૭ ૧૧૧ ૧૧૩ ૧૧૬ ૧૧૯ ૧૨૧ ૧૨૩ ૧૨૯ ૧૩૩ ૧૩૬ ૧૩૮ ૧૪૦ ૧૪૨ ૧૪૭ ૧૫૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ 1o. પાન નં. ૧૫ર ૧૫૫ ૧૫૯ ૧૬૫ ૧૬૮ ૧૭૦ ૧૭૪ ૧૭ ૧૭૮ ૧૮૩ ૧૮૫ ૧૮૭ ૧૯૫ ૧૯૭ २०० ૨૦૪ કમ લેખ ૬૪. પુષ્પચૂલા ૬૫. જમાલી ૬૬. ધના/શાલિભદ્ર ૬૭. છવાનંદ વૈદ્ય ૬૮. હંસરાજ ૬૯. શ્રી કાલિકાચાર્ય અને સાગરાચાર્ય ૭૦. શ્રી માનતુંગસૂરિ ૭૧. શ્રી ધર્મરુચિ ૭ર. સતી અંજના ૭૩. જિનશત્રુ અને સુકુમાલિકા ૭૪. પેથડ શાહ ૭૫. મૃગાવતી ૭૬. શ્રી શુભંકર ૭૭. શિયલવની ૭૮. શ્રી ભોગસાર ૭૯. નિર્મલા ૮૦. સુબુદ્ધિ મંત્રી ૮૧. મરીચિકમાર ૮૨. શ્રી મોહવિજેતા સ્થૂળભદ્ર ૮૩. શ્રી સુલકકુમાર ૮૪. ચારૂદત્ત ૮૫. શ્રી મૃગાપુત્ર (લોડિયા) ૮૬. શ્રી કાન્ત શ્રેષ્ઠ ૮૭. વૃદ્ધવાદસૂરિ અને સિદ્ધસેન દિવાકરસૂરી ૮૮. મદિરાવતી ૮૯. શ્રી દામક ૯૦. શ્રી હેમચંદ્રાચાર્ય ૯૧. શ્રી કુમારપાળ ૯૨. શ્રી પાદલિતાચાર્ય ૯૩. પહ્મશેખરરાય ૯૪. શ્રી જંબુસ્વામી ૯૫. દ્રોપદી ૯૬. શ્રી નાગકેતુ २०८ ૨૧૧ ૨૧૪ ૨૨૨ ર૫ રર૭ રર૯ ૨૩ર ૨૩૮ ૨૪૧ ૨૪૪ ૨૫૭ २७० ૨૭૪ ૨૭૭, ૨૮ર Page #14 -------------------------------------------------------------------------- ________________ ક્રમ લેખ ૯૭. મંખલીપુત્ર ગોશાળો ૯૮. સમ્રાટ સંપ્રતિ ૯૯. વિશ્વભૂતિ અને વિશાખાનંદી ૧૦૦. શ્રી કામ દેવ શ્રાવક ૧૦૧. શ્રી ઉદયન મંત્રી ૧૦૨, શૈલક રાજર્ષિ અને પંથક મુનિ ૧૦૩. ક્ષુલ્લક શિષ્ય ૧૦૪. શ્રી કુરગડુ મુનિ ૧૦૫. જીરણ શેઠ ૧૦૬. મહારાજા શ્રેણીક ૧૦૭. શ્રી કૂર્ણિ ૧૦૮, ગુરુ ગૌતમ સ્વામી 11 પાન નં. ૨૯૧ ૨૯૫ ૨૯૮ ૩૦૦ ૩૦૩ ૩૦૫ ૩૦૭ ૩૦૯ ૩૧૧ ૩૧૩ ૩૧૬ ૩૧૮ Page #15 -------------------------------------------------------------------------- ________________ શ્રી મંગળાચરણ આદિમ પૃથિવીનાથમાદિમ નિપરિગ્રહમ્ | આદિમ તીર્થનાથં ચ ષભ સ્વામિન ખુમ// કમઠે ધરણે ચ, સ્વોચિત કર્મ કુર્વિતિ | પ્રભોસ્તુત્ય મનોવૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુવ: II મંગલં ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ: | મંગલ સ્થૂલિભદ્રાઘા જન ધમતુ મંગલમ્ II લબ્ધિ વંત ગૌતમ ગણધાર, બુદ્ધિ માંહિ શ્રી અભયકુમાર, પ્રહર ઊઠીને કરી પ્રણામ, શીતલવંતનાં લીજે નામ. પહેલા નેમિ જિનેશ્વરાય બાળ બ્રહ્મચારી લાગું પાય. બીજા જંબૂકુમાર મહાભાગ, રમણી આઠનો કીધો ત્યાગ. ત્રીજા સ્થલિભદ્ર સુજાણ, કોશ્યા પ્રતિબોધિ ગુણખાણ, ચોથા સુદર્શન શેઠ ગુણવંત જેણે કીધો ભવનો અંત. પાંચમા વિજ્યશેઠ નર નાર, શિયલ પાળી ઊતર્યા ભવપાર એ પાંચને વિનંતિ કરે ભવસાયર તે હેલા તરે. યસ્કૂપારસમાસ્વાઘ, મૂખોપિ વિષાય; દેવી સરસ્વતી વંદે, જિનેંદ્ર મુખ વાસિનીમ. Page #16 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧ મેતારજ મુનિ ભગવાન મહાવીરનું ચોમાસું રાજગૃહી નગરીમાં, રાજા શ્રેણિક, તેમની રાણીઓ પુત્રો-નગરજનો વગેરે દેશના સાંભળે છે - શ્રેષ્ઠી શ્રી મેતાર્યને દેશના સાંભળી વૈરાગ્ય ભાવ જાગ્યો. ભગવાનને ચારિત્ર આપવા વિનંતી કરી સંસારી સગાઓએ અને ખુદ શ્રેણિક રાજા મેતાર્યને સમજાવે છે : આ વૈભવ. નવ નવ નારીઓ છોડી આ દુષ્કર પંથે ક્યાં જાઓ છો. વિચારો ? મેતાર્ય - ભગવાને દેશનામાં કીધલ ઘેટાનો દાખલો એ આપી સમજાવે છે. ઘેટાને સારું સારું ખવરાવી કસાઈ છેવટે કાપવાનો જ છે. એ ઘેટું સમજતું નથી એમ જીવ ખાઈ-પી મોજ માણે છે પણ એક દિવસ યમરાજ જીવ લઈ જવાના છે તે જીવ સમજે તો ચારિત્ર એ જ એક માત્ર ઉપાય આત્મા માટે ભવ ભ્રમણમાંથી છૂટવાનો છે. ભગવાન મેતાર્ય શ્રેષ્ઠીને દીક્ષા આપી મેતારક મુનિ બનાવે છે. મુનિ મેતારજે આકરાં ત૫ શરૂ કર્યો - ઘણા વખત બાદ પાછા રાજગૃહ આવ્યા. એક મહિનાના ઉપવાસ બાદ મેતારજ મુનિ પારણા માટે ગોચરી લેવા એક સોનીને ઘેર પધાર્યા. સોની રાજા શ્રેણિક માટે સોનાના જવલા ઘડતો હતો. વહોરાવવા માટે ગોચરી લેવા અંદરના ભાગમાં ગયો. સોની અંદર ગયો એટલે એક ચકલો ત્યાં આવી સાચા જવ સમજી જવ ચરી ગયો અને સોની બહાર આવે ત્યાર પહેલાં ઊડી બાજુના ખડ ઉપર જતો રહ્યો. સોનીએ બહાર આવી મુનિને ભાવથી ગોચરી વોહરાવી અને મુનિ વિદાય થયા. સોની પાછો કામે બેઠો અને જોયું તો જવલા ન મળે - ક્યાં જાય જવલા, ચોક્કસ મુનિ લઈ ગયા - ઘડ્યો, મુનિને પકડ્યા, ઘરે પાછા લાવી ધમકાવ્યા - જવલા લાવો. મુનિ તો સાચા વૈરાગી - સાચું બોલે તો ચકલાને મારી જવલા મેળવે જેથી હિંસાનું પાપ લાગે - જૂઠું બોલે તો મૃષાવાદનો દોષ લાગે. મુનિ મૌન જ રહ્યા. Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ રે સોની તો લેધ કરતો જ ગયો. સાચી વાત તે જાણતો નથી જવલા રાજાજીને ન પહોંચાડે તો રાજાજી ભારે દંડ કરશે - એમ વિચારી સાધુ મુનિને ભારે શિક્ષા કરવા મનથી નક્કી કરી, પાસે પડેલ ચામડાનું વાધરું પાણીમાં પલાળી મુનિના મસ્તકે તાણી તાણીને બાંધી દીધું. વાધરું મસ્તકની ગરમીથી સુકાશે તેમ તેમ મસ્તકની નશો ખેંચાશે અને મુનિ માની જશે, જવલા આપી દેશે ... એમ સોની માનતો હતો. મુનિ તો સમતા ધારી ઊભા છે. કેવા કેવા ઉપસર્ગો સહન કરી ભૂતકાળમાં મહાનુભાવો મોક્ષે ગયા છે, તે વિચારતાં વિચારતાં મસ્તકની અસહ્ય વેદના સહન કર્યો જાય છે. ચામડું ખેંચાતું જાય છે. મસ્તકની નશો તૂટતી જાય છે અને મુનિ અંતરથી સર્વે જીવોને ખમાવતા જાય છે. પોતાનાં જ કર્મો ખપતાં જાય છે. સોનીનો કોઈ દોષ નથી - ચક્લાનો પણ કંઈ દોષ નથી. એમ વિચારતાં સમતાના સર્વોત્તમ શિખરે પહોંચી મુનિ કેવળજ્ઞાની થાય છે. થોડીક વારમાં દેહ ઢળી પડે છે. મુનિનો આત્મા મોક્ષે જાય છે. થોડા વખત પછી એક બાઈ લાકડાનો ભારો ઝાડ નીચે નાખે છે. તે અવાજથી ચોકી જઈ બેંચ પક્ષી ચરકી જાય છે અને તેના ચરકમાં જવલા દેખતાં જ સોની કંપી ઊઠે છે. અરરર ! સાચું જાણ્યા વિના કેવો અનર્થ કર્યો. મુનિના પ્રાણની જવાબદારી કોની? આ ગુના માટે રાજાજી ભારે શિક્ષા કરશે જ. ગભરાયેલા સોનીએ મુનિનો ઓઘો લઈ તેમનાં વસ્ત્રો પહેરી તેઓ અણગાર (સાધુ) બની ગયા, કાળે કરી પોતાના આત્માને તાર્યો માટી કહે કુંભારસે, તું જ્યાં રૌદે મોય; એક દિન ઐસા હોયગા, મેં રોદંગા તોય. આપે છે સો જાયેંગે, રાજા ફકીર, - એક સિહાસન યઢ ચલે, એક બંધ જેજર, કબીર ખાપ ઠગાઈએ, ઔર ન મીય કોય; આપ ઠગે સુખ ઊપજે, ઔર ઠગે દુખ હોય. કિ Page #18 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩ અરણિક મુનિ અરણિક ભદ્રા માતા અને દત્ત પિતાનો એકનો એક દીકરો. માતા અને પિતા ઘણા વખતથી દીક્ષાના ભાવ સેવે છે. પણ નાના અરણિકને કોણ સંભાળે. પણ એક દિવસ ભગવાનની વાણી સાંભળી, ત્વરીત નિર્ણય લીધો. માતા-પિતા બન્નેએ દીક્ષા લીધી અને બાપા મુનિએ અરણિકને પણ દીક્ષા આપી. બાળ મુનિ વિદ્યાભ્યાસ કરે છે, પણ તેમનું વ્યાવહારિક બધું કામ બાપા મુનિ જ કરે છે. સંથારો પાથરવાનું કે ગોચરી વ્હોરી લાવી વહાલથી જમાડવાનું વગેરે બાપા મુનિ બાળ મુનિનું મોહવશ બધું કામ કર્યું જાય છે. સાથેના મુનિઓ મહારાજને ઘણું સમજાવે છે કે આસ્તે આસ્તે બાળ મુનિને તેનાં કામ કરવા દો. પણ મોહવશ મુનિ જીવ્યા ત્યાં સુધી અરણિક મુનિને કોઈ વ્યાવહારિક કામ ન કરવા દીધું. કાળે કરી બાપા મુનિનો સ્વર્ગવાસ થયો. હવે તો અરણિક મુનિને ભિક્ષા વગેરે લાવવાં, બીજા મુનિઓએ સાથે લેવા નક્કી કર્યું અને એક દિવસ ગોચરી વ્હોરી લાવવા ભર બપોરે બીજા મુનિ સાથે તેઓ નીકળ્યા. - ઉનાળાનો દિવસ. તડકો ધોમ ધખે. ઉઘાડા પગે ચાલતાં અરણિક મુનિના પગ બળવા લાગ્યા. જરાક વિસામા માટે એક ગોખ નીચે છાંયો જોઈ ઊભા રહ્યા. ત્યાં સામે એક ગોખમાં ઊભેલી શ્રીમંત માનુનીએ આ મુનિને જોયા. સોહામણી અને મસ્ત કાયા જોઈ માનુની તો મોહી ગઈ. ઘસીને બોલાવી સામે ઊભેલા મુનિને ઉપર લઈ આવવા કહ્યું. મુનિ આવ્યા - થાકેલ હતા. ધોમ તડકે તપેલા હતા અને આવો સંયમ ભાર નહિ ખેંચી શકાય એમ મનથી વિચારતા હતા ત્યાં આવી રાહત મળી. સ્ત્રીએ સુંદર મોદકનું ભોજન કરાવ્યું અને આ આવાસમાં જ રહી જવા, બધા ભોગો ભોગવવા મુનિને લલચાવ્યા. મુનિ પીગળી ગયા. મોહમાં ફસાઈ ગયા અને દીક્ષાનું મહાવત ત્યાગી સંસારી બની ગયા. . સુંદર ખાણી - પીણી અને સુંદરી સાથેનો સંસાર ભોગવતાં ભોગવતાં ઘણા દિવસ પસાર થયા. Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૪ દીક્ષા લીધેલ સાધ્વી માતાને સમાચાર મળ્યા કે અરણિક મુનિ ચારિત્ર છોડી ક્યાંક ચાલ્યા ગયા છે. આ આઘાત માતાજીથી સહન ન થયો. અરણિકને શોધવા જ્યાં ત્યાં જવા લાગી. રસ્તા વચ્ચે બૂમો પાડે. મારો અરણિક ક્યાં ગયો ? ઓ અરણિક તું વ્યાં છે? ઓ અરણિજ્યિા તને કોણે દીક્ષા પર્યાયમાંથી ઝૂંટવી લીધો ? ક્યાં છે? ક્યાં છે ? વૃદ્ધ સાધ્વી બૂમો માર્યા કરે છે અને પાછળ ગાંડી સાધી છે એમ સમજી લોકોનું ટોળું હોહા હોહા કરતું દોડે છે. એક દિવસ આ તમાસો અરણિક ગોખમાંથી જુએ છે. માતાજીની ચીસો સાંભળી મન પાછું પીગળે છે. મારી માતાજીની આ દશા? મારા માટે? - નીચે ઊતરી માને પગે પડે છે અને માતા વિનવે છે : તેં શું કર્યું. મારી કૂખ લજવી ? દીક્ષા છોડી ? કોણે તેને લોભાવ્યો? માતાજી - અરણિક કહે છે. દુષ્કર, દુષ્કર. હું સંયમ પાળી શકું એમ નથી. માતાજી સમજાવે છે કે, સંયમ વિના આ ભવ ભ્રમણામાંથી કોઈ છોડવી શકે એમ નથી. આ એક જ તરી જવાનો ઉપાય છે. ગમે તે થાય ફરી સંયમ લેવો જે પડશે. અરણિક એક શરતે ફરીથી સંયમ લેવા હા કહે છે. સંયમ લઈ તરત જ અનસન કરી પ્રાણ ત્યાગીશ - આ શરત મા માન્ય રાખે છે. ગમે તેમ થાય, તું પ્રાણ ત્યાગેએ માન્ય છે પણ આ રીતે સંસાર ભોગવી ભવોભવ તારો આત્મા નીચ ગતિમાં જાય તે નથી સહી શકાતું. માતા, પુત્રની આ શરત પર સહમત થઈ. અરણિક ફરીથી દીક્ષા લઈ એ જ દિવસે ધગધગતી શીલા ઉપર સૂઈ જઈ અનશન લઈ શરીર ગાળી નાખે છે અને કાળક્રમે કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. માતા આ જાણી આનંદ પામે છે. બચાવ્યો - એક જીવ જે દુર્ગતિ જાત તેને કેવળજ્ઞાની બનાવવા બોધ આપ્યો. ધન્ય માતા - ધન્ય મુનિ અરણિક. સુખ દુખ જે દ્રવ્ય, કાળ, ભાવે ઉદય આવવાનું હોય તેમાં ઇન્દ્રાદિ પણ ફેરફાર કરવાને શક્તિમાન નથી. Page #20 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૫ અનાથી મુનિ એક મુનિ, અનાથી જેમનું નામ. વનમાં એક પ્રડ નીચે ધ્યાનસ્થ ઊભા છે. ત્યાં મગધરાજ શ્રેણિક પોતાના રસાલા સાથે ક્રિીડા કરવા આવે છે અને આ મુનિને જોતાં અચંબો પામે છે. મુનિની કંચન વર્ણી કાયા, રૂપાળું મુખ અને ગુણવંતી તરુણ અવસ્થા જોઈ મુનિને પૂછે છે, "અરે મુનિ, કેમ આ વેશ લીધો છે! આ યૌવન વયને કેમ વૈરાગ્યમય બનાવ્યો. આ વયે ધન ને યૌવનને કેમ ભોગવતા નથી - અવસર આવે ભલે વૈરાગી પણ આ વયે કુટુંબ, ધન, યૌવન કેમ છોડ્યું?" | મુનિ કહે છે : રાજન ! હું અનાથ છું. અનાથ હોવાથી સંસાર છોડ્યો છે. એટલે શ્રેણિક રાજા કહે છે. હું તમારો નાથ થાઉં. જે જોઈએ તે આપીશ - ચાલો મારી સાથે મારા રાજ્યમાં. | મુનિ કહે છે, અરે ભાઈ, તું પણ અનાથ છે. તું ક્યાંથી મારો નાથ થઈશ. જો સાંભળ, મારા ઘરે ઈંદ્રાણી જેવી સુશીલ ગુણની ભરેલી મારી સ્ત્રી હતી - મારે મા, બાપ, કાકા, કાકી, મામા, માસી, બેન, ભાણેજ હતા, - બધી સાહ્યબી મારે હતી - બધી જાતના ભોગ હું ભોગવતો હતો. પણ એક દિવસ મને રોગે ઘેરો ઘાલ્યો. ન સહન થાય એવું દુ:ખ અને વેદના થતી હતી. વૈદ્યોએ દવા આપી, મંત્ર-યંત્ર કીધા, પણ કોઈ રીતે દુ:ખ ઓછું ન થયું, મારા સગાં – મા-બાપ, મારી સ્ત્રી કોઈ મારું દુ:ખ લેવા તૈયાર ન થયું. દુઃખ હું જ ભોગવતો રહ્યો. કોઈ સહાય કામ ન આવી. આવા અતિ દુઃખના સમયમાં વિચાર્યું કે, મારું કોઈ નથી હું એકલો જ છું. આ દુ:ખમાંથી છૂટી જાઉં તો તરત સંયમ લઈ લઉં. આવો નિશ્ચય મનમાં કર્યો. ધીરે ધીરે વેદના ઘટતી ગઈ. સવાર સુધીમાં તો બધી વેદના ભાગી ગઈ અને હું મારા નિશ્ચય પ્રમાણે ઘરેથી નીકળી, સંયમ લઈ લીધો. હે રાજન ! મને પાકું સમજાયું કે હું અનાથ જ હતો. હવે હું સનાથ છું. શ્રેણિક મહારાજા આ સાંભળી બોધ પામ્યા અને કબૂલ કર્યું કે, ખરેખર તમારું કહેવું સારું છે. હું પણ અનાથ જ છું. ક્યાંથી તમારો નાથ થાઉં? મુનિની પ્રશંસા કરી, તેમને શીશ નમાવી, વિંદના કરી, પોતાના મહેલે આવ્યા - મુનિ ચારિત્ર પાળી શિવપુરી પહોંચ્યા. Page #21 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ C ૬ અઈમુત્તા મુનિ ૪. રાજગૃહી નગરીમાં ગૌતમ સ્વામી ગોચરીએ નીકળ્યા છે. ત્યાં રમત રમતા અઈમુત્તા બાળકે આ મુનિને જોયા અને બાળ ભાવે મુનિને પૂછે છે, કે આવા ભર બપોરે ઉઘાડા પગે કેમ ભમો છો ? ગૌતમ સ્વામી રાજકુમાર અઈમુત્તાને સમજાવે છે, કે અમો શુદ્ધ દૂષણ વગરની ભિક્ષા ઘરેઘરેથી લઈએ છીએ. અમારા આચાર પ્રમાણે - પગે જોડા પહેરતા નથી અને ગાડી વગેરેમાં બેસી ક્યાંય જતા આવતા નથી આ સાંભળી અઈમુત્તાએ પોતાના મહેલે મુનિને ભિક્ષા માટે આવવા વિનંતી કરી. બાળકની ભાવના જોઈ ગૌતમ સ્વામી બાળકના મહેલે ગયા અને બાળકની માતાએ ગુરુને વાંદીને ભાવથી મોદક વહોરાવ્યા અને અઈમુત્તાને સમજાવ્યું કે, આપણે ઘણાં ભાગ્યશાળી છીએ કે શ્રી મહાવીર પ્રભુના પહેલા ગણધર ગૌતમ સ્વામી પોતે પધાર્યા છે. વહોરીને ગૌતમ સ્વામી મહેલ બહાર નીકળ્યા ત્યારે અઈમુત્તા વળાવવા સાથે આવ્યો અને સહજ બાળ ભાવે ગુરુજીને કહે કે, લાવો, આ ભોજનનો ઘણો ભાર છે,લાવો હું ઉપાડું. શ્રી ગૌતમ સ્વામી કહે કે, ના ના, એ બીજા કોઈને ન અપાય. એ તો અમારા જેવા ચારિત્ર પાળતા સાધુ જ ઉપાડી શકે. આ સાંભળી અઈમુત્તાએ સાધુ થવાની હઠ લીધી. ગૌતમ સ્વામીએ કહ્યું કે, અમો તારાં માબાપની રજા સિવાય સાધુ ન બનાવીએ. એટલે અઇમુત્તાએ ઘરે જઈ માતાજીને સમજાવી. માતાજીએ સાધુ થાય તો શું શું કરવું પડે એ સમજાવ્યું, પણ અઈમુત્તાએ એ બધું હું કરીશ. એમ સમજાવી માતા પાસે યેનકેન પ્રકારે રજા લીધી અને ગૌતમ સ્વામી સાથે સમવસરણ આવી પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધી. ગૌતમ સ્વામીએ અઈમુત્તા મુનિને એક વૃદ્ધ સાધુને સોંપ્યા. વૃદ્ધ મુનિ સ્થંડીલ માટે વનમાં જતા હતા, તેમની સાથે અઈમુત્તા ગયા. રસ્તામાં એક નાનું શું સરોવર હતું ત્યાં બાળ ભાવે અઈમુત્તાજીએ નાનું પાવું (પાતરી)ની હોડી બનાવી, તરવા મૂકી. આ જોઈ વૃદ્ધ મુનિએ અઈમુત્તાને સમજાવ્યું કે, આપણે મુનિગણ આવો અધર્મ ન કરી શકીએ. આ પાણીની અંદર આવી રમતો કરીએ તો છકાય જીવની વિરાધના થાય અને એના ફળ રૂપી આપણો જીવ દુર્ગતિમાં જાય. બાળક મુનિ અઈમુત્તાને આથી ઘણી લાજ આવી, ઘણો પસ્તાવો થયો. સમોસરણમાં આવી, ઇરિયા વહી, પડિક્કમતા શુક્લધ્યાનમાં ચડી ગયા. શુદ્ધ ભાવથી કરેલ પાપનો પસ્તાવો કરતાં કરતાં કેળળ જ્ઞાન પામ્યા. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. 3. ૪. ૫. ૬. સમાધિ-મરણ વડે નલિનીગુલ્મ વિમાનમાં ગયા. એમની માતા અને પત્નીઓએ અત્યંત રુદન-વિલાપ કર્યો. અગ્નિસંસ્કાર કરીને ગુરુમહારાજ પાસે આવી અને વૈરાગ્યોપદેશ સાંભળીને દીક્ષા લીધી. એક સગર્ભા પત્ની ઘરે રહી, તેને પુત્ર થયો. ૯. તેણે અવંતિ પિતાના સ્થાન પર ઉજ્જૈનમાં અવંતિ પાર્શ્વનાથનું મંદિર બનાવડાવ્યું. ૭. અતિ સુકુમાલ (ભાગ) જ્યારે અવંતિસુકુમાલ ૩૨ પત્નીઓની સાથે વૈભવવિલાસમાં મગ્ન છે, ૮. ત્યારે આર્યસુહસ્તિજી ૫૦૦ મુનિઓની સાથે અશ્વશાળામાં રાત્રીના સમયે નલિનીગુલ્મ વિમાન નામના અધ્યયનનું પરાવર્તન કરાવી રહ્યા હતા. તે અવંતિએ સાંભળ્યું. તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેમણે દીક્ષા લીધી, રાત્રે અનશન કરીને સ્મશાનમાં ધ્યાનસ્થ રહ્યા. ત્યાં પૂર્વજન્મની પત્ની લોમડી એમના પગથી પેટ સુધીનો ભાગ ખાઈ ગઈ. Page #23 -------------------------------------------------------------------------- ________________ MARME ՍՍՍ ՍԱՄ` अवात्त सुकुमाल յրը։ Page #24 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૭ શ્રી અવંતિ સુકુમાલ માલવ દેશની ઉજેણી નગરીમાં પિતા ધન શેઠ અને માતા ભદ્રા શેઠાણીની કુખે અવંતિ સુકુમાલનો જન્મ થયો. તેઓ આગલા ભવમાં નલિની ગુલ્મ વિમાનનાં સ્વર્ગીય સુખ ભોગવી અહીં જન્મ્યા હતા. અતિ સુખ અને સાહ્યબી તેઓ ભોગવતા હતા. રંભા જેવી બીશ નારીઓને પરણ્યા હતા. ૫. એ ઉજેણી નગરીમાં મુનિ શ્રી આર્ય સુહસ્તિજી મોટા પરિવાર સાથે અશ્વશાલામાં ઊતર્યા હતા. તેમાંથી બે સાધુઓએ આ ભદ્રા શેઠાણી પાસે આવી રહેવા સ્થાનકની માગણી કરી. રાજી થઈ ભદ્રા શેઠાણીએ યોગ્ય જગ્યાએ આ બન્ને સાધુઓને ઉતારો આપ્યો. આમાંના એક સાધુ નલિની ગુલ્મનું અધ્યયન કરે છે, જે અતિ સુકુમાલના કાને પડે છે અને ધ્યાનથી એકાગ્રતાથી સાંભળે છે. સાંભળતાં સાંભળતાં તેમને જાતિ-સ્મરણ જ્ઞાન થાય છે અને નલિની ગુલ્મની સુખ સાહ્યબી બધી ભોગવેલી યાદ આવે છે; એ સુખ આગળ અત્યારનાં સંસારનાં સુખ તુચ્છ લાગે છે અને ગુરુજીને પૂછે છે કે, આ નલિની ગુલ્મનાં સુખ મેં ગયા ભવે ભોગવ્યાં છે. ત્યાં કેવી રીતે જવાય ? મારે હવે આ સંસારમાં રહેવું નથી. તરત જેમ બને તેમ જલદી નલિની ગુલ્મ જવું છે. ગુરુજી સમજાવે છે કે, સંયમ લેવાથી આવાં સુખ પામી શકાય. અવંતિ સુકુમાલ તેમની પાસે ચારિત્રની માગણી કરે છે. ગુરુજી સમજાવે છે કે, તમે આ ચારિત્ર કેમ પાળી શકશો ? આ તો ઘણું દુષ્કર કામ છે. પંચમહાવ્રત પાળવાં પડે. આ દુ:ખો તમે સાહ્યબીમાં ઊછરેલા કેમ પાળશો ? અને ચારિત્ર લેવું હોય તો માતાંપિતાની રજા જોઈએ. આ સાંભળી અવંતિ સુકુમાલ માતાજી પાસે ચારિત્ર લેવા માટે રજાની માગણી કરે છે. માતાજી કેમે કરી રજા નથી આપતાં અને કહે છે કે, તને આ કોણે ભૂરકી નાખી ? કોણે તને ભોળવ્યો ? અવંતિ સુકુમાલ હવે ક્ષણ પણ સંસારમાં રહેવા નથી માગતા. માતાએ રજા ન આપી - સાધુ મહારાજે દીક્ષા આપવા ના પાડી; એટલે કેશનો લોચ કરી પોતાને યોગ્ય લાગ્યું તેમ જાતે જ દીક્ષા લીધી. Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૮ આ જોઈ પોતાનો કોઈ ઉપાય હવે કામનો નથી - એમ સમજી માતાજીએ ભારે મને સંયમ માટે રજા આપી. બત્રીસ નારી અને માતાજી વગેરે મુનિરાજ પાસે આવ્યા. અવંતિ સુકુમાલને પાંચ વ્રત ઉચરાવવા વિનંતી કરી - મુનિરાજે પ્રેમથી વ્રત ઉચરાવ્યાં. હવે અતિ સુકુમાલ ગુરુજીને હાથ જોડી કહે છે કે, હું આ તપક્થિા આ આચાર નહિ પાળી શકું. તમે અનુમતી આપો તો અણસણ કરું અને જલદીથી મુક્તિ મેળવું. મુનિ મહારાજે - જેમ તમને સુખ ઊપજે એમ કરો એમ કહી રજા આપી અને અવંતિ સુકુમાલે ખમત ખામણા ગુરુ પાસે કરી, સ્મશાનમાં જઈ અણસણ આદર્યું. સ્મશાને આવતાં પગમાં કાંટા વાગ્યા અને લોહી પગમાંથી પડવા લાગ્યું. આની વાસ આવવાથી એક શિયાલણ તેનાં બચ્ચાં સાથે આવી, પગે બટકાં ભરવા લાગી અને ધીરે ધીરે આખું શરીર ફાડી નાખી રૂધિર-માંસની ઉજાણી કરી. કાળ કરી અવંતિ સુકુમાલ પોતાના નિશ્ચય પ્રમાણે નલિની ગુલ્મ વિમાનમાં જન્મ પામ્યા, દ્રઢ મનોબળે ઇચ્છીત સુખ પામ્યા. બીજે દિવસે માતાજી અને સ્ત્રીઓ અવંતિ સુકુમાલને વાંદવા ગુરુજી પાસે આવ્યાં અને પૂછ્યું, ક્યાં અમારો અવંતિ ? ગુરુજી કહે છે, એણે તો અણસણ લીધું છે. જ્યાંથી જીવ આવ્યો હતો ત્યાં તે ગયો. સહુ કુટુંબીઓ સ્મશાને આવી અવંતિ સુકુમાલનું ચીરાઈ ગયેલું શરીર, શરીરના ટુકડા જોયા ! મોહવશ બહુ રોયા. અંતે એક નારીને ઘરે રાખી બધાંએ ચારિત્ર લીધું અને સદ્ગતિ પામ્યાં. હારાથી ન સમર્થ અન્ય, દીનનો ઉÇરનારો પ્રભુ, મ્હારાથી નહિ અન્ય પાત્ર જગતમાં જોતા જડે હે વિભુ ! મુક્તિ મંગલ સ્થાન તોય મુજને ઇચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગ્-રત્ન શ્યામ જીવને, તો તૃમિ થાયે ઘણી. Page #26 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૯ કપિલ ઋષિ કૌશાંબી નગરીના રાજ્ય દરબારમાં કાશ્યપ નામનો એક શાસ્ત્રી હતો. એની સ્ત્રીનું નામ શ્રીદેવી હતું. તેમનો પુત્ર તે કપિલ, આપણી વાર્તાનો નાયક. કપિલ લાડકોડમાં ઊછર્યો એટલે કંઈ ભણ્યો નહીં. તે પંદર વર્ષનો થયો ત્યારે તેના શાસ્ત્રી પિતા અવસાન પામ્યા. આથી રાજ્યશાસ્ત્રીની પદવી એક બીજા વિદ્વાનને મળી. ધીરે ધીરે બાપે મૂકેલી પુંજી ખલાસ થઈ ગઈ. ખાવાના સાંસા પડે એવી સ્થિતિ થઈ ગઈ. એક દિવસ રાજ્યશાસ્ત્રીની પાલખી પોતાના ઘર પાસેથી પસાર થતી હતી તે શ્રીદેવીએ જોઈ. પોતાના જૂના દિવસો યાદ આવ્યા અને વિચારવા લાગી. એક દિવસ મારા પતિ પણ આ મોભાવાળી પદવી ભોગવતા હતા. કેટલા સુખી એ દિવસો હતા. હાલ કપિલ કંઈ ન ભણ્યો એટલે આવા દુ:ખના દિવસો આવ્યા. આવા વિચારવમળમાં ઘેરાવાથી તેની આંખમાંથી આંસું પડવા લાગ્યાં - કપિલે આ જોયું અને માને દુ:ખી હોવાનું કારણ પૂછ્યું. ઘણી આનાકાની બાદ માએ વાત કરી કે, જો તું ભણ્યો હોત તો શાસ્ત્રીની પદવી તારા બાપાની માફક તું ભોગવતો હોત અને આપણે કેટલાં બધાં સુખી હોત. આ સાંભળી કપિલે કહ્યું, મા, હું બુદ્ધિશાળી તો છું પણ ભણ્યો નથી. પણ હવેથી યોગ્ય ગુરુ પાસે વિદ્યાભ્યાસ જરૂર કરીશ. માએ તેને શ્રીવસ્તી નગરમાં તેના પિતાના મિત્ર ઈંદ્રદત્ત રહે છે ત્યાં જઈ તેમની પાસે અભ્યાસ કરવા જણાવ્યું. આથી થોડા વખતમાં કપિલ શ્રીવાસ્તી આવી ઈંદ્રદત્તને મળ્યા. પોતાના મિત્રના પુત્રને આવેલો જાણી અભ્યાસ કરાવવા ઇંદ્રદત્ત તૈયાર થયા. પણ ઈંદ્રદત્ત પોતાના ઘરે કપિલને રાખી શકે એમ ન હતા. આથી પંડિત એક ગૃહસ્થ પાસે કપિલને લઈ ગયા. એ ગૃહસ્થ એક વિધવા બ્રાહ્મણીને ઘેર રહેવા-જમવાની ગોઠવણ કરી આપી, આથી આજીવિકાની ચિંતા તો પૂરી થઈ પણ બીજી એક મોટી જંજાળ ઊભી થઈ. કપિલ યુવાન હતો અને બ્રાહ્મણી બાઈ પણ યુવાન હતી. બન્ને યુવાનો અને એકાંતમાં મિલન - આથી એકબીજા પ્રેમમાં પડ્યાં. પ્રીતિ બંધાઈ અને કપિલે સંસાર બ્રાહ્મણી સાથે ભોગવવા માંડ્યો અને વિદ્યા પ્રાપ્ત કરવાનું ભુલાઈ ગયું. હવે ગૃહસ્થાશ્રમની આર્થિક જવાબદારી કપડાં-અનાજ વગેરે જવાબદારી કપિલને માથે આવી. પૈસા કેમ કમાવા તે તો તે જાણતો ન હતો. મૂંઝવણ વધતી ગઈ. એક દિવસ Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ C ૧૦ તેની આ ચંચળ સ્ત્રીએ તેને એક રસ્તો બતાવ્યો કે, ગામનો રાજા સવારના પહોરમાં વહેલો જઈ જે તેને આશીર્વાદ આપે તેને બે માસા સોનું આપે છે; તો સવારના વહેલા જઈ પહેલવહેલા આશીર્વાદ રાજાને આપો - તો બે માસા સોનામાંથી થોડો વખત ગુજરાન ચાલી જશે. આથી કપિલે વહેલા ઊઠી રાજા પાસે સૌથી પહેલાં પહોંચવા પ્રયત્નો કર્યા પણ આઠ દિવસ એ રીતે જતાં પણ તેની પહેલાં કોઈ પહોંચી જતું એટલે રાજાના પહેલા આશીર્વાદ ન મળતા, સોનું ના મળ્યું, આથી વિચાર કરી રાજમહેલની બાજુના મેદાનમાં જ સૂઈ જઈ સવારના વહેલા રાજા પાસે પહોંચવા એક રાત્રે તે મેદાનમાં સૂઈ રહ્યા. અડધી રાત્રે ચંદ્રમાનો પ્રકાશ જોતાં વહેલી સવાર થઈ છે એમ સમજતા રાજમહેલ તરફ દોડવા લાગ્યા. એમને દોડતા જોઈ રક્ષપાલે તેમને ચોર સમજી પકડી લીધા અને સવારમાં રાજા સમક્ષ હાજર કર્યો. કપિલે જે વાત હતી તે બધી રજૂ કરી અને રાજાજી આનો ભોળો ભાવ જાણી આ ચોર ન હોય એમ સમજી તેની ઉપર પ્રસન્ન થઈ કંઈ માગવા કહ્યું. શું માગવું તે કપિલ નક્કી ન કરી શક્યા એટલે રાજાજીએ તેમને સામા મેદાનમાં જઈ ત્યાં બેસી વિચાર કરી માગવા ટાઈમ આપ્યો. ન કપિલ મેદાનમાં બેસી વિચારવા લાગ્યો - શું માગું કેટલું માગું. બે માસા સોનું તો કેટલા દિવસ ચાલે એના બદલે પાંચ મહોર માગવી - અરે પાંચ મહોરથી કંઈ પૂરું નહીં થાય માટે પચ્ચીસ મહોર માગવી, એમ તૃષ્ણામાં ઘસડાતો ગયો, સો મહોર - હજાર મહોર - દશ હજાર મહોર, એમ ઇચ્છા વધતી ગઈ. કરોડ મહોર માગવા વિચાર્યું પણ એથી શું ? એના કરતાં રાજાનું અર્ધ રાજ્ય જ માગી લેવું. આ વિચારતાં વિચાર્યું કે અડધું રાજ માગું તો પણ રાજા પાસે અડધું તો રહે જ માટે આખું રાજ માગી લેવું. પણ હલુકર્મી જીવ હોવાથી વિચાર બદલાયા. જે રાજા કંઈ આપવા માગે છે તેનું રાજ્ય લઈ લેવું તે કેમ શોભે - અરરર, આ મેં શો વિચાર કર્યો - મારે અડધા રાજયની પણ શી જરૂર. અરે કરોડ સોનૈયા મારે શું કરવાના. મારે હજારની પણ કર્યાં જરૂર છે. એમ વિચારી છેવટે ૨ માસા જ લેવા એવા વિચારે આવી ગયો. હું શું કરવા બે માસા પણ લઉં. હું કેમ સંતોષ નથી માનતો. કેમ આવી તૃષ્ણા કરું છું. હે જીવ ! તું વિદ્યાભ્યાસ માટે આવ્યો હતો. વિદ્યા લેતાં વિષયવાસનામાં પડી ગયો. હું ઘણું ભૂલ્યો સંતોષ માની નિરુપાધિક સુખ જેવું કંઈ નથી - એમ વિચારતાં વિચારતાં તેનાં અનેક આવરણ ક્ષય થયાં અને વિવેકપૂર્વક વિચારસમાધિએ પહોંચતાં અપૂર્વ શ્રેણીએ ચડી, તે કેવળ જ્ઞાનને પામ્યા એમ કહેવાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. 3. ૪. ૫. ક્ષમામૂર્તિ ગજસુકુમાલ પિતા વાસુદેવજી, માતા દેવકીજી, ભાઈ કૃષ્ણજી તથા અનેક સામંત રાજાઓ વગેરે પરિવાર પ્રેમભરી નજરે ગજસુકુમાલની પ્રતીક્ષા કરતાં બેઠાં છે. એટલામાં મૃગયાથી પાછા ફરતા એમને જોઈને સૌ હર્ષિત થઈ ઊઠ્યાં. કેટલું સન્માન ! કેટલો વૈભવ ! છે ક્યાંય દુ:ખનું નામનિશાન પણ ? ગજસુકુમાલનાં લગ્ન થઈ ચૂક્યાં છે. છતાં ભગવાન શ્રી નેમિનાથના ઉપદેશથી વૈરાગી બનીને દીક્ષા લે છે. કેટલો ભારે ત્યાગ ! દીક્ષા બાદ નેમિનાથ પ્રભુની આજ્ઞા મેળવીને સ્મશાનમાં ધ્યાનસ્થ રહે છે. ગજસુકુમાલના સસરા સૌમિલ ક્રેધિત થઈને જમાઈના મસ્તક પર માટીની તાવડીમાં બળતા અંગારા મૂકીને "હે મુનિ, સમતાથી જે મારો છે તે બળે નહીં અને જે બળે છે તે મારો નહીં.” એવું કહીને ઊભા રહ્યા...જેથી અંગારા નીચે પડતાં ક્યાંય કોઈ વસ્તુ બળી ના જાય. સકલ કર્મોનો ક્ષય કરીને મુક્ત થયા. પ્રાત:કાળે કૃષ્ણજી ભગવાનની પાસે આવીને ભાઈને ન જોતાં, પૂછે છે, “ભાઈ ક્યાં છે ?” ભગવાને કહ્યું, "વળતાં તમને જે દ્વાર પર મળશે, તેની સહાયથી ગજસુકુમાલ મોક્ષ પામ્યા છે. કૃષ્ણજી મુનિઘાતકને શિક્ષા કરવા માટે તરત પાછા ફરે છે. નગરના દરવાજામાં જ કૃષ્ણજીને આવતા જોઈને સૌમિલનું હૃદયગતિ બંધ પડવાથી મૃત્યુ થયું. ધન્ય ગજસુકુમાલ Page #29 -------------------------------------------------------------------------- ________________ H ALLAS क्षमामात गजमुकुमाल Page #30 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ C ૧૧ ગજસુકુમાલ સોરઠ દેશની દ્વારિકા નગરીના રાજા વસુદેવની રાણી દેવકીજીના નાના પુત્ર ગજ-સુકુમાલ. એક દિવસ નેમી જિણંદ દ્વારિકા પધાર્યા. રાજ્ય પરિવાર સહિત બધા ભગવંત વાણી સાંભળે છે અને ગજસુકુમાલને વાણી સ્પર્શી જાય છે. ચારિત્ર લઈ વૈરાગી થવા મનથી નક્કી કરે છે. બન્ને હાથ જોડી માતાને વિનંતી કરે છે કે, ચારિત્ર લેવા રજા આપ ! માતાજી આ સાંભળી મોહવશ હોવાથી બેહોશ થઈ જાય છે. ભાનમાં આવતાં ગજસુકુમાલને ચારિત્ર કેટલું દોહ્યલું છે તે સમજાવે છે. ૭. “દીકરા, આ સમુદ્ર તરવો મુશ્કેલ છે. મીણના દાંતે લોઢાના ચણા ના ચાવી શકાય. ઘરે ઘરે ફરી ભિક્ષા લાવવી પડે. ઉધાડા પગે વિહાર કરવો પડે. વાળનો હાથે લોચ કરવો પડે. આ બધું તું હજુ નાનો છે માટે નહિ સહી શકે.” ગજસુકુમાલ જવાબ આપે છે કે, કાયરો ચારિત્ર ન પણ પાળે. હું સિંહ જેવો છું. ગમે તેવો તારો અને વસુદેવનો દીકરો છું. મોહ છોડી મને ચારિત્ર માટે રજા આપ. મા સમજાવે છે કે, તેં સોમલની બેટીનું પાણીગ્રહણ કરેલ છે. તેની સાથે તારે લગ્ન કરી સંસારસુખ ભોગવવાનાં છે. તારી ઉપર અપાર પ્રેમ છે. આ બધું સુખ છોડી ના જા દીકરા, ના જા. - જ્યારે માતાની કોઈ કારી ફાવતી નથી ત્યારે જા, સિંહની માફક ચારિત્ર પાળજે. દુષ્કર પંચ મહાવ્રત બરાબર પાળજે.' એવી આશિષ સાથે રજા. આપે છે. ગજસુકુમાલ નેમિ જીનેશ્વર પાસે સંયમ ગ્રહણ કરે છે અને આગમનો અભ્યાસ કરે છે. એક દિવસ ભગવાનનો આદેશ લઈ કાઉસગ ધ્યાને સ્મશાને જઈ ઊભા રહે છે. ત્યાં પોતાની બેટીને ન પરણતા તેનું વેર વાળવા સોમલ, (તેના સસરા) સ્મશાને આવે છે અને ગજસુકુમાલના માથા ઉપર માટીની પાળ બાંધી વચ્ચે સળગતા અંગારા મૂકે છે. સળગતી સગડીમાં અંગારા સળગે તેમ ગજસુકુમાલના માથા ઉપર અંગારા સળગે છે. ગજસુકુમાલ અસહ્ય દુ:ખમાં હોવા છતાં વિચારે છે કે, મારું કંઈ બળતું નથી. મારા સસરા ખરેખરા મારા સગા થયા. જન્મ જન્માંતરોમાં આ જીવે ઘણા Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૨ અપરાધ કર્યા છે, તે બધા ખમાવી લઈએ, એમ શુકલ ધાને ચડી ગયા. સસરાએ મુક્તિની પાઘડી મને પહેરાવી. એમ વિચારતાં વિચારતાં કર્મ ખપી ગયાં. માથું અગ્નિ જવાળાએ ફાટી ગયું પણ મરણ થતાં પહેલાં ગજકુસુમાલ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. ઉદ્યમથી લક્ષ્મી મળે, મળે દ્રવ્યથી માન; દુર્લભ પારસ જગતમાં, મળવો મિત્ર સુજાન. મેરુ તો ડગે પણ મેરુ તો ડગે પણ જેનાં મન નવ ડગે ને ભાંગી છે પડે બ્રહ્માંડજી વિપત્તિ પડે તો યે, વણસે નાહીં ને, સોઈ હરિજનનાં પરમાણજી... મેરૂ ૦ ચિત્તની તો વૃત્તિ જેની સદાય જ નિર્મળ ને કોઈની કરે નહિ આશજી દાન દેવે પણ, હેવે અજાચીને, રાખે વચનમાં વિશ્વાસ રે.. મેરૂ ૦ હરખ ને શોકની જેને નવ આવે હેડી, ને આઠે પહોર રેવે આનંદજી નિત્ય ઝીલે રે સત્સંગમાં ને રે તોડે મોહમાયા કેરા ફંદ રે.... મેરૂ ૦ તન-મન-ધન જેણે ગુરૂજીને અખ, તે નામ-નિજારી નર ને નારજી, એકાંતે બેસીને આરાધ માંડે, તો અલખ પધારે એને દ્વારજી રે.... મેરૂ ૦ સંગત કરો, તો તમે એવાની કરજો, જે ભજનમાં રહેવે ભરપૂર રે, ગંગાસતી એમ બોલિયા, જેને નેણે તે વરસે ઝાઝા નૂર રેમેરૂ ૦ . કિ Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૧૩ ભરતેશ્વર અને બાહુબલિ ભગવાન આદિનાથને બે પત્ની : સુમંગલા અને સુનંદા. સુમંગલા અને ઋષભ યુગલીયા તરીકે સાથે જન્મેલા. સુનંદાનો સાથી યુગલીઓ એક તાડના વૃક્ષ નીચે માથા ઉપર ફળ પડવાથી મરણ પામેલો. યુગલીઆમાં બેમાંથી એક મરણ પામે એવો આ પહેલો બનાવ હતો. ૮. સૌધર્મેન્દ્ર ઇન્દ્ર ઋષભદેવ પાસે આવી કહ્યું તમે સુમંગલાને તથા સુનંદાને પરણવા યોગ્ય છો, જો કે તમો ગર્ભાવસ્થાથી જ વીતરાગ છો પણ મોક્ષમાર્ગની પેઠે વ્યવહાર માર્ગ પણ આપનાથી જ પ્રગટ થવાનો છે. આ સાંભળી અવધિજ્ઞાન વડે ૠષભદેવે પોતાને ૮૩ લાખ પૂર્વ સુધી ભોગકર્મ ભોગવવાનું છે જાણી, મસ્તક ધુણાવી ઇન્દ્રને અનુમતી આપી અને સુનંદા તથા સુમંગલા સાથે ઋષભદેવનાં લગ્ન થયાં. સમય જતાં ઋષભદેવને સુમંગલાથી ભરત અને બ્રાહ્મી નામે પુત્ર-પુત્રી જન્મ્યાં, અને સુનંદાથી બાહુબલિ અને સુંદરી જન્મ્યા. ઉપરાંત સુમંગલાથી બીજાં ૪૯ જોડલાં જન્મ્યાં. વખત વીતતાં ઋષભદેવે પ્રવજ્યા અંગીકાર કરવાનો નિશ્ચય કર્યો અને ભરતને તે સૌથી મોટો હોવાથી બોલાવી રાજ્ય અંગીકાર કરવા જણાવ્યું અને યોગ્યતા પ્રમાણે બાહુબલિ વગેરેને થોડા દેશ વહેંચી આપ્યા અને ચારિત્ર ગ્રહણ કર્યું. ભરત મહારાજાએ જુદા જુદા દેશો ઉપર પોતાની આણ પ્રસરાવી, ચક્રેશ્વરી બનવા બધા પ્રયત્નો કર્યા. આ અંગે અઠાણું બીજા ભાઈઓએ ભરતની આણ સ્વીકારવી કે નહિ તે અંગે પોતે નિર્ણય ન કરી શકવાથી ભગવાન શ્રી આદિનાથની સલાહ લેવા ગયા. ભગવાને તેમને બોધ આપ્યો કે, સાચા દુશ્મનો મોહ-માન, માયા, દ્વેધ વગેરે સામે લડો એટલે કે ચારિત્ર અંગીકાર કરો. આથી તેઓ અઠાણું ભાઈઓએ ભગવાન પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચક્રરત્ન જુદા જુદા દેશોમાં ફરી બધી જગ્યાએ જીત મેળવી પાછું આવ્યું. પણ ચક્રને આયુ ધર્મશાળામાં પ્રવેશ ન કર્યો. ભરત રાજાએ કારણ પૂછતાં મંત્રીશ્વરે કહ્યું કે, તમારા ભાઈ બાહુબલ ઉપર તમારી આણ નથી. તેઓ તમારા Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૪ નેજા તળે આવે તો તમો ચમ્ભરી કહેવાવ અને ચરત્ન આયુ ધર્મશાળામાં ચોક્કસ પ્રવેશ કરે. આથી ભરતેશ્વરે પોતાનો દૂત બાહુબલિજી પાસે તક્ષશીલા મોકલ્યો. તક્ષશીલાનું રાજય બાહુબલિજી ભોગવતા હતા. દૂતે આવી બાહુબલિજીને ભરતેશ્વરની આણ નીચે આવી જવા સમજાવ્યું જેથી ભરત મહારાજા સાચા અર્થમાં ચક્રેશ્વરી થાય. પણ બાહુબલિએ ભરતજીનું સ્વામીત્વ સ્વીકારવાની સાફ ના પાડી અને આથી ભરત અને બાહુબલિજી બન્ને યુદ્ધમાં ઊતર્યા. યુદ્ધ લાંબું ચાલ્યું, લોહીની નદીઓ વહેવા લાગી. પણ બન્નેમાંથી કોઈ હાર્યા કે જીત્યા નહીં. આ હિંસક લડાઈ વધુ ન ચાલે તે માટે સુધર્મેન્દ્ર દેવે બન્ને ભાઈઓને ફક્ત સામાસામી લડી લેવા સમજાવ્યા. બન્ને ભાઈ મેદાનમાં સામસામા ઊભા અને હુંકાર કરી લડવા તત્પર થયા. પહેલાં ભરતેશ્વરે જોરથી બાહુબલિજીને માથામાં મુષ્ઠી પ્રહાર કર્યો જેથી બાહુબલિજી ઢીંચણ સુધી જમીનમાં ઊતરી ગયા પછી બાહુબલિજીનો વારો આવ્યો અને હુંકાર કરી મુષ્ઠી ઉગામી, પણ વિચાર કર્યો કે જો મૂઠી ભરતને મારીશ તો ભરત મરી જશે અને ભાતૃહત્યાનું પાપ લાગશે. હવે ઉગામેલ મૂઠી, નકામી તો ન જવી જોઈએ - એમ વિચારી બાહુબલિજીએ તે મૂઠીથી તે જ વખતે પોતાના માથાના વાળનો લોચ કર્યો અને ત્યાં જ ચારિત્ર ગ્રહણ કર્યું. ભરતેશ્વરને દુ:ખ ઘણું થયું. સંયમ ન લેવા તેમને સમજાવ્યા પણ બાહુબલિજી ચારિત્ર માટે મક્કમ રહ્યા, અને ભગવાનના કહેલ પાંચ મહાવ્રત ધારણ કર્યાં. આ વખતે તેમણે ભગવાનને વંદન કરવા જવાનો વિચાર કર્યો, પણ અત્યારે ભગવાન પાસે જઈશ તો મારી પહેલાં અઠાણું (૯૮) નાના ભાઈઓને વંદન કરવાં પડશે. તેઓ ઉમરમાં નાના છે, તેઓને શું કરવા નમન કરું ? એમ વિચારી ત્યાં જ તેમણે કાયોત્સર્ગ કર્યો અને તપ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પછી જ ભગવાન પાસે જવા મનથી નક્કી કર્યું. હું કાંઈ જ જાણતો નથી” એમ કહેવાની જેની કિંમત છે તે જ ખો જાણકાર બની શકે છે. “હું બધું જ જાણું છું” એમ બોલનાર અજ્ઞાની અને મિથ્યાચારી હોય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૫ | ભરતેશ્વર અને બાહુબલિ - ૨ | ૯. બાહુબલિજીએ એક વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. શરીર ઉપર સેંકડે શાખાઓ વાળી લતાઓ વટાઈ હતી અને પક્ષીઓએ શરીરમાં માળા બાંધ્યા. તે સમયે ભગવાન શ્રી ષભદેવે બ્રાહ્મી અને સુંદરીને બોલાવી બાહુબલિજી પાસે જવા કહ્યું અને મોહની કર્મના અંશરૂપ માન (અભિમાન)ને લીધે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આથી બ્રાહ્મી અને સુંદરી બાહુબલિજી જ્યાં તપ કરતા હતા ત્યાં આવી ઉપદેશ આપવા લાગ્યાં અને કહ્યું, હે વીર ! ભગવાન એવા આપણા પિતાજીએ કહેવરાવ્યું છે કે હાથી ઉપર બેઠેલાને કેવળજ્ઞાન થતું નથી. આ સાંભળી બાહુબલિજી વિચારવા લાગ્યા કે, હું ક્યાં હાથી ઉપર બેઠો છું પણ આ બન્ને ભગિનીઓ ભગવાનની શિષ્યા છે તે અસત્ય ન બોલે અને સમજાયું કે, હું વયે મારાથી નાના પણ વ્રતથી મોટા મારા ભાઈને હું કેમ નમસ્કાર કરું? - એવું જે અભિમાન માને છે તે રૂપી હાથી ઉપર હું બેઠો છું. આ વિનય મને નથી લાળો. એઓ કનિષ્ટ છે એમ ધારી એમને વાંદવાની ઇચ્છા મને ન થઈ. હવે હમણાં જ ત્યાં જઈ એ મહાત્માઓને વંદન કરું. આમ વિચારી બાહુબલિએ પોતાનો પગ ઉપાડ્યો. અને બધાં દેહાનિકર્મ તૂટી ગયાં અને તે જ પગલે આ મહાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. ભરત મહારાજા એક દિવસ સ્નાન કરી, શરીરને ચંદન વડે વિલેપન કરી, સર્વ અંગે દિવ્ય રત્નનાં આભૂષણો ધારણ કરી, અંત:પુરના આદર્શગૃહમાં ગયા. ત્યાં સામે જડેલા દર્પણમાં પોતાનું સ્વરૂપ જોતા હતા ત્યાં પોતાની એક આંગળીમાંથી મુદ્રિકા પડી ગઈ. એ આંગળી ઉપર નજર પડતાં તે કાંતિ વિનાની લાગી, એથી વિચાર્યું કે, આ આંગળી શોભારહિત કેમ છે ? જો બીજાં આભૂષણ ન હોય તો તે પણ શોભારહિત લાગે ? એમ વિચારતાં વિચારતાં એકેક આભૂષણ ઉતારવા લાગ્યા. બધાં આભૂષણ ઊતરી ગયાં ત્યારે પોતાનું શરીર પાંદવું વગરના મડ જેવું લાગ્યું. શરીર મળ અને મૂત્રાદિકથી મલિન છે. તેના ઉપર કપૂર અને કસ્તુરી વગેરેના વિલેપનને પણ તે દૂષિત કરે છે એમ સમ્યક પ્રકારે વિચારતાં વિચારતાં ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ શુક્લધ્યાન પામતા અને સર્વે ઘાતિ કર્મના ક્ષય થવાથી કેવળજ્ઞાન પામ્યા. Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૬ | મરૂદેવા માતા ૧૦. પહેલાં કેવળજ્ઞાન ઋષભદેવને થયું છે અને મોક્ષે પહેલાં મારૂ દેવી માતા ગયાં છે. અષભદેવ અથવા આદિનાથ દાદાની માતાજી મરૂદેવા. શાસ્ત્ર કહે છે કે અઢાર બેડ વેડી સાગરોપમ વર્ષમાં કોઈ મોક્ષ નતું જઈ શક્યું. માતા મરૂદેવા સૌથી પહેલાં કાળ કરી બોલે ગયાં. તેમની પછી અસંખ્યાતા જીવ કેવળી થયા અને મોક્ષે ગયા છે એટલે મોક્ષનું બારણું મારૂદેવા એ ખોલ્યું એમ કહેવાય છે. પોતાનો દીકરો aષભ જે ઘણા લાડપાલમાં ઊછરેલ, તે હસ્તી વગેરે વાહનોમાં ફરતો હતો, તે હવે ઉઘાડા પગે વિહાર કરે છે. જે દિવ્ય આહારનું ભોજન કરતો હતો તે ભિક્ષા માગી હાલ ભોજન કરે છે. ક્યાં તેની પૂર્વ સ્થિતિ અને ક્યાં હાલની સ્થિતિ. આવાં ઃખ તે કેમ સહન કરતો હશે ? આવા વિચારોથી માતૃ હૃદય રડ્યા કરતું હતું અને પુત્રના વિરહથી સખત કલ્પાંત કરતાં આંખમાં પડળ આવી ગયાં હતાં. એક દિવસ પ્રાત:કાળે વિનયી પૌત્ર ભરત ચક્વર્તી દાદીને નમસ્કાર કરવા આવ્યા અને નમસ્કાર કરી માતાને સમાચાર પૂછ્યા. માતાએ પુત્રવિરહની વાત કરી, તેથી ભરતજીએ દદીને આશ્વાસન આપી જણાવ્યું કે, તમારા દીકરાના પ્રભાવે અત્યારે શિકારી પ્રાણીઓ પણ ઉપદ્રવ કરતાં નથી. તેઓએ કર્મરૂપી શત્રુઓનો નાશ કરવા દુ:સહ પરીષહો સહન કર્યા છે પણ હવે તેઓ ત્રણ જગતના નાથ થયા છે. કેવળજ્ઞાન પામ્યા છે. તમારે તેમને આજની રિદ્ધિ-સિદ્ધિ જોવી હોય તો ચાલો - એમ સમજાવી દદીમાને હાથી ઉપર બેસાડી, પ્રભુ જેઓ હાલમાં જ અયોધ્યા પધાર્યા હતા તેમને બતાવવા લઈ ગયા. પ્રભુના સમવસરણને દૂરથી દેખી ભરતજીએ મરૂદેવા માતાને કહ્યું, આ સમવસરણ તમારા દીકરા માટે દેવોએ રહ્યું છે. આ જય જ્ય શબ્દ બોલાય છે તે તમારા દીકરા માટે દેવો બોલે છે. તેમનાં દર્શનથી હર્ષ પામેલા દેવતાઓ મેઘની ગર્જના જેવા સિંહનાદો કરે છે. - ભરત મહારાજાનું આવું કથન સાંભળી, મરૂદેવી અતિશય આનંદમાં આવી ગયાં અને આનંદ વડે તેમની દૃષ્ટિમાં પડેલાં પડલ ધોવાઈ ગયાં. ઋષભદેવનીતીર્થંકરપણાની લક્ષ્મી પોતાનાં નેત્રો વડે જોઈ તેમાં તે તન્મય થઈ ગયાં અને તત્કાળ લપક શ્રેણીમાં ચડતાં આઠે કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પામી તે જ વખતે આયુષ્ય પૂર્ણ થવાથી મોક્ષે ગયાં. Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૭ નંદીષેણ મુનિ રાજગૃહી નગરીના શ્રેણિક મહારાજાનો પુત્ર નંદીષેણ, એક દિવસ મહાવીરની દેશના સાંભળી વૈરાગ્યની ભાવના થઈ દીક્ષા લેવા પ્રભુને વિનંતી કરી. ભગવાન મહાવીરે તેમને થોભી જવા કહ્યું - હજુ તારે સંસારના ભોગ ભોગવવા બાકી છે. પણ તીવ્ર વૈરાગ્યનો રંગ લાગવાથી તેમણે સંસાર છોડી દીક્ષા લીધી. ભગવાને ભાવિ ભાવ જાણી તેમને દીક્ષા આપી. દીક્ષા વખતે શાસન દેવતાએ પણ દિવ્ય ધ્વનિ દ્વારા ચીમકી આપી કે સંસારી કર્મ ભોગવવાં બાકી છે, કર્મ કોઈને છોડતું નથી. પણ નંદીષેણે દીક્ષા લીધી અને તપ અને સંયમી જીવન ગાળતાં ઘણી વિદ્યાઓ પ્રાપ્ત કરી. ભગવાને ભાખેલું ભવિષ્ય ખોટું પાડવા ઠીક ઠીક મથામણ કરી, છઠને પારણે આયંબિલ અને પાછો છઠ એમ તપ આરંભ્યાં. વિકાર છોડવા જંગલમાં રહેવા માંડ્યું, પણ માંકડા જેવું મન વિકારી વિચારો ન છોડી શક્યું. મન મનાવવા ખૂબ મથામણ કરી અને તે આવા વિકારી મનથી હારી આપધાત કરવાના વિચારે એક ટેકરી ઉપર ચડી ભૂસકો મારી આપઘાતની તૈયારી કરી. પણ ભૂસકો મારતાં પહેલાં આત્માનો ધક્કો લાગ્યો - કે આવું આપઘાતનું પાપ કર્મ કેમ થાય પ્રભુ મહાવીરનું નામ લજવાશે. આપઘાત ન જ થાય. મનને વારી દીક્ષાના દિવસો પસાર કરતા રહ્યા. ૧૧. તેઓ એક દિવસ ગોચરી માટે નીકળ્યા અને એક અજાણ્યા આવાસમાં જઈ ચડ્યા. ધર્મલાભ બોલી ગોચરીની જિજ્ઞાસા બતાવી. કર્મ સંજોગે એ આવાસ કોઈ ગૃહસ્થીનો ન હતો, એ તો વેશ્યાનો આવાસ હતો. વેશ્યાએ ધર્મલાભની સામે જવાબ આપ્યો, અહીં ધર્મલાભનું કોઈ કામ નથી, અહીં તો અર્થલાભ જોઈએ. નંદીબેણને પણ આ મહેણું લાગ્યું. લે તારે અર્થલાભ જોઈએ છે ને કહી એક તરણું હાથથી હલાવી સાડી બાર કોડીની વર્ષા ઘરમાં કરી દીધી. - એમ આવી વિદ્યાવાળો જુવાન આંગણે આવેલો જાણી વેશ્યાએ પોતાના હાવ-ભાવ, ચંચળતા દેખાડી મુનિને લોભાવી દીધા-મુનિ સાધુતા છોડી ગ્રહસ્થ બની ગયા મનને મનાવ્યું ભાવિ ભાવ સંસારી ભોગ ભોગવવા બાકી છે. એ વીરવાણી ખરેખર સાચી જ હોય. ભોગ ભોગવી લેવા રહ્યા. ૨ · Page #37 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮ શાસન દેવે સંભળાવેલ ભોગ કર્મ ઉદયે આવ્યાં તેથી બાર વર્ષ સુધી આ આવાસે રહ્યા. દરરોજ ૧૦ જણને પ્રતિબોધવાનો નિયમ રાખ્યો. જ્યાં સુધી ૧૦ જણને પ્રતિબોધી ન શકાય ત્યાં સુધી ભોજન ન લેવાનો પાકો નિયમ. એક દિવસ ૯ જણ પ્રતિબોધ્યા પણ દશમો જણ કોઈ ન મળ્યો. જમવાનું મોડું થયે જતું હતું. એક મુરખને પ્રતિબોધવા ઘણી મહેનત કરી પણ તે ન બન્યો. આથી વેશ્યા - વનિતાએ હસતાં હસતાં કહ્યું, નવ તો થયા, દશમા તમે, અને નંદીષણનો આત્મા પ્રજવલિત થઈ ગયો. હા દશમો હું બધું છોડી ભગવાન પાસે ચાલી ફરી દીક્ષા ગ્રહણ કરી, ચોખ્ખું ચારિત્ર પાળી, તપ, જપ-સંયમ યિા બધું સાધી, ઘણા જીવોને પ્રતિબોધી દેવલોક ગયા. મરનાર અગ્નિમાં બળે, જીવનાર અગ્નિ વિણ જલે, - રોયા કરેથી શું વળે, મરનાર પાછા ના મલે. સુખદુઃખ મનમાં સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે કે ઘડિયાં, ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં.સુખદુ:ખ નળરાજા સરખો નર નહિ, જેની દમયંતી રાણી, અર્ધવચ્ચે વનમાં ભમાં, નયણે નિદ્રા ન આણી...સુખદુ:ખ હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, તારાલોચની રાણી, તેને વિપ-ત્તિ બહુ પડી, ન મળે અન ને પાણી...સુખદુઃખ પાંડવ સરખા બંધવા, જેની દ્રૌપદી રાણી, બાર વરસ વન ભોગવ્યાં, ભર્યા નીચ ઘેર પાણી-સુખદુ:ખ સીતા સરખી સતી નહિ, જેના રામજી સ્વામી, રાવણ તેને હરી ગયો, સતી મહા દુ:ખ પામી...સુખદુ:ખ રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી, દસમસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લુટાણી...સુખદુ:ખ - નરસિંહ મહેતા Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. 3. ૪. ૬. અમરકુમાર અમરકુમાર એક બ્રાહ્મણ પુત્ર હતો. અત્યંત ગરીબ હતો. સાથોસાથ અત્યંત સરળ હતો. તો પણ બિચારો માતાપિતાને અપ્રિય હતો. માતા એમના પ્રત્યે ભારે દ્વેષ રાખતી હતી, ક્યારેય એને સારું ભોજન પણ નહોતી આપતી. 9. એક દિવસ તેઓ જંગલમાં લાકડાં કાપવા માટે ગયા હતા. ત્યારે જૈન ગુરુ ભગવંતની પાસે નવકારમંત્ર ભણ્યા. એક દિવસ ત્યાંના રાજા મહેલ બનાવડાવી રહ્યા હતા, પરંતુ દરવાજો પડી જતો હતો. ૫. અમર ઘણું રડ્યા... સૌને ધણું કરગર્યા. બોલ્યા કે, "હું તમારી સેવા કરીશ. મારા પર કૃપા કરીને મને બચાવો. મૃત્યુથી છોડાવો." પરંતુ કોઈ બચાવી ના શક્યું. અંતમાં રાજ્યના સિપાઈઓ પકડીને લઈ ગયા. ત્યારે કોઈ જ્યોતિષીનું કહેવું થયું કે, તમે એક બત્રીસ લક્ષણવાળા બાળકનો બલિ આપો, તો જ દરવાજો ઊભો રહેશે. જયારે રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે કોઈ ઉત્તમ બાળક બિલ માટે આવશે, તેને સવા લાખ સુવર્ણમહોર આપવામાં આવશે. ત્યારે આ માતા-પિતા અમરકુમારને ધનની લાલચમાં વેચવા માટે તૈયાર થઈ ગયાં. જ્યારે હોમની તૈયારી થઈ, કોઈ શરણ ન રહેતાં, જૈનમુનિએ આપેલા સો "નવકારમંત્ર" ગણવા લાગ્યા. એક માત્ર એમના સ્મરણથી એક દૈવી ચમત્કાર થયો. અગ્નિ શાંત થઈ ગયો, સિંહાસન પર બેસાડી અમરકુમારને લઈ ગયા. રાજા-પ્રજા સૌ મરી ગયા. બાળકે છાંટા નાખતાં સૌ જીવિત થયા. પછી અમરકુમારે દીક્ષા લીધી, તો પણ એમની માતાએ એમને મારી નાખ્યા. અંતમાં સમાધિભાવથી મૃત્યુ થતાં સ્વર્ગમાં ગયા... ધન્ય અમરકુમાર Page #39 -------------------------------------------------------------------------- ________________ ******* 1000 JUL 1000) CRA अमर कुमार CARI Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૯ | શ્રી અમરકુમાર ૧૨. E રાજગૃહી નગરીના શ્રેણિક રાજા ત્યારે ધર્મ ન હતા. તેઓ ચિત્રશાળા માટે એક સુંદર મકાન બંધાવતા હતા. કોઈક કારણસર તેનો દરવાજો બનાવે ને તૂટી પડે. વારંવાર આમ બનવાથી મહારાજાએ ત્યાંના પંડિતો અને જોશીને બોલાવી આ અંગે શું કરવું જોઈએ તેની સલાહ માગી. , બ્રાહ્મણ પંડિતોએ કોઈ બત્રીસ લક્ષણા બાળકને બલિ બનાવી હોમવાની સલાહ આપી આથી બત્રીસ લક્ષણા બાળકની શોધ ચાલી. આવો બાળક ક્યાંથી લાવવો ? રાજાએ એ અંગે ગામમાં ઢંઢેરો પીટાવ્યો કે, જે કોઈ તેનું બાળક હોમવા આપશે તેને તે બાળકના વજન જેટલા સોનૈયા આપવામાં આવશે. આ જ રાજગૃહી નગરીમાં એક ઋષભદાસ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની ભદ્રા નામે સ્ત્રી હતી. તેમને ચાર પુત્ર હતા. કોઈ ખાસ આમદાની કે આવક ન હોવાથી કંગાળિયત ભોગવતાં હતાં તેમણે ચારમાંથી એક દીકરો રાજાને બલિ તરીકે આપી દેવા વિચાર કર્યો, જેથી સોનૈયા આવવાથી ઘરની કંગાળિયત ટળી જાય. આ ચાર પુત્રમાં એક અમરકુમાર માને અળખામણો, એક વાર જંગલમાં લાકડાં કાપવા ગયેલ ત્યારે ત્યાં એક જૈન મુનિએ નવકાર મંત્ર તેને શીખવેલ. તેણે માબાપને ઘણી વિનંતી કરી - “પૈસાને માટે મને મારી ન નખાવો." આવા જ આઠંદ સાથે તેને વિનંતી કાકાને. મામાને, ઇત્યાદિ સગાંવહાલાંને કરી. કોઈએ એની વાત ન માની બચાવવા કોઈ તૈયાર ન થયું. આથી રાજાએ તેના વજન જેટલા સોનૈયા આપી અમરકુમારનો કબજો લીધો. અમરકુમારે રાજાને બહુ આજીજી કરી બચાવવા કહ્યું. રાજાજીને દયા તો આવી પણ તેમાં તે કંઈ ખોટું કરતો નથી. એમ મન મનાવ્યું. સોનૈયા લઈ બાળક ખરીદ્યો છે. વાંક હોય તો તેનાં માતાપિતાનો છે. તેમણે પૈસા ખાતર બાળકને વેચ્યો છે. હું બાળક હોયું તો તેમાં મારો ગુનો નથી - એમ વિચારી છેવટે ભટ્ટજી જેઓ સામે આસન ઉપર બેઠેલા તેમની સામે જોયું. Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૦ ભટ્ટજી કહે, હવે બાળક સામે ન જુઓ. જે કામ કરવાનું છે તે જલદી કરો. બાળકને હોમની અગ્નિજવાળામાં હોમી દો" અમરકુમારને ચોખ્ખા પાણીથી નવરાવી, કેસર-ચંદન તેના શરીરે લગાવી, કુલમાળા પહેરાવી અગ્નિજવાળામાં હોમી દીધો. આ વખતે અમરકુમારે જે નવકાર મંત્ર શીખેલો તે એક જ આધાર છે એમ સમજી તેનું ધ્યાન ધરવા માંડ્યું હતું. નવપદનું ધ્યાન ધરતાં ધરતાં અગ્નિજવાળા શમી ગઈ અને સિંહાસન ઉપર દેવોએ આવી તેમને બેસાડ્યા અને દેવોએ રાજાને ઊંધો નાખી દીધો આથી રાજાના મોંએથી લોહી વહેવા લાગ્યું. આવું અચરજ થવાથી ત્યાંની રાજસભા અને બ્રાહ્મણ પંડિતો વગેરેએ અમરકુમારને મહાત્મા સમજી તેના પગની પૂજા કરવા લાગ્યા અને રાજાજીને શુદ્ધિમાં લાવવા કુમારને વિનંતી કરી. અમરકુમારે નવકારથી પાણી મંત્રી રાજાજી ઉપર છાંટયું અને શ્રેણિક રાજા આળસ મરડી બેઠા થયા. ગામ લોકો કહેવા માંડ્યા કે બાળહત્યાના પાપે રાજાજીને આ સજા મળી. - શ્રેણિક મહારાજા ઊભા થઈ કુમારની આ સિદ્ધિ જોઈ પોતાનું રાજ્ય આપવા કહ્યું, અમરકુમારે કહ્યું. રાજ્યનું મારે કોઈ કામ નથી. મારે તો સંયમ લઈ સાધુ થવું છે. લોકોએ અમરકુમારનો જ્યકાર કર્યો. ધર્મધ્યાનમાં લીન થતાં ત્યાં જ - અમરકુમારને જાતિસ્મરણજ્ઞાન ઊપજ્યું અને પંચ મુષ્ટિથી લોચ કરી, સંયમ ગ્રહણ કર્યું, અને ગામ બહાર સ્મશાનમાં જઈ કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. માતાપિતાએ આ વાત સાંભળી ને મનથી વિચાર્યું કે, રાજાજી આવીને આ આપેલ સોનૈયા પાછા લઈ લેશે એથી કેટલુંક ધન માંહો માંહે વહેંચી લીધું અને કેટલુંક ધન ધરતીમાં દાટી દીધું. પૂર્વભવના વેરને લીધે અમરની મા રાત્રે ઊંઘ ન આવવાથી શસ્ત્ર લઈ અમરકુમાર ધ્યાનમાં ઊભા હતા ત્યાં આવી શસ્ત્રથી અમરકુમારની હત્યા કરી નાખી શુકલધ્યાનમાં રહી અમરકુમાર કાળ કરી બારમા સ્વર્ગલોકમાં અવતર્યા, ત્યાંથી બાવીશ સાગરોપમ આયુષ્ય ભોગવી મહાવિદેહમાં જન્મ લઈ કેવળજ્ઞાન પામશે. માતા અમરની હત્યા કરી હરખાતી હરખાતી જતી હતી ત્યાં રસ્તામાં વાઘણ મળી. વાઘણે ભદ્રા માતાને ફાડી ખાધી તે મરીને છઠ્ઠી નરકે ગઈ, ત્યાં તેણે બાવીશ સાગરોપમ આયુષ્ય ભોગવવાનું છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ! ર૧ સનતકુમાર ચક્રવતી કુરૂ-દેશના ગજપુર નગરમાં સનતકુમાર રાજ્ય ચલાવતા હતા. તેઓએ બધા રાજા રજવાડાને વશ કરી ચક્વર્તી પદ પ્રાપ્ત કર્યું હતું. તેઓ અતિશય રૂપવાન હતા. એટલું સુંદર રૂપ પૃથ્વી ઉપર કોઈનું ન હતું. એટલે ઈંદ્ર મહારાજાએ દેવોની સભામાં સનતકુમારના રૂપની પ્રસંશા કરી. ઇંદ્ર મહારાજની આવી વાણી સાંભળી બે દેવોને શંકા ઉત્પન્ન થઈ. ખેદ પામીને બન્ને દેવો રૂપની પરીક્ષા કરવા બ્રાહ્મણનું રૂપ લઈ સનતકુમાર પાસે આવ્યા. એ વખતે સનતકુમાર નાહવા બેઠેલા હતા, તે રૂ૫ જોઈ બન્ને દેવો હર્ષ પામ્યા અને ખરેખર આવું રૂપ ત્રણ જગતમાં કોઈનું ન હોય એમ સમજી સનતકુમારને તમારું રૂપ જોવા ઘણા દૂરથી આવ્યા છીએ અને ખરેખર વિધાતાએ તમારું રૂપ બેનમૂન ઘડ્યું છે એમ કહી રૂપનાં ઘણાં વખાણ કર્યા, ત્યારે સનતકુમારે જવાબ આપ્યો, અત્યારે તો આ મારી કાયા નહાવાના વખતે પીઠીથી ભરેલી છે અને કાયા ખેરથી ભરેલી હોવાથી બરાબર નથી. ખરેખર હું નાહી, મારા પોષાક-અલંકાર વગેરે સજી રાજ્યસભામાં બેસું ત્યારે તમે મારું રૂપ જોજો. ખરેખર તો રૂપ જોવું હોય તો રાજ્યસભામાં આવજો. રાજ્યસભાની તૈયારી થઈ. સનતકુમાર પૂરાં આભૂષણો સજી આવ્યા અને બન્ને દેવો પણ બ્રાહ્મણના વેશમાં ત્યાં સનતકુમારનું રૂપ જોવા આવ્યા. રૂપ જે નહાવા બેઠેલા ત્યારે હતું તેવું તેમને ન દેખાયું અને કાયા રોગોથી ભરેલી દેખાઈ. અને સનતકુમારને કીધું, ના, તમારી કાયા તો રોગથી ભરેલી છે. સનતકુમારને એક વિચાર ધક્કો તો લાગ્યો પણ કહે, અરે, મારા રૂપમાં ક્યાં હોઈ ખામી છે. હું ક્યાં રોગી છું. દેવે કહ્યું કે, એક નહીં સોળ રોગથી તમારી કાયા ભરેલી છે. સનતકુમારે અભિમાનથી કીધું કે, તમો બ્રાહ્મણો પછાત બુદ્ધિના છો. આથી બ્રાહ્મણોએ કીધું, જુઓ એક વાર થંકી જુઓ. તરત સનતકુમાર જેમનું મોં તંબોળથી ભરેલું હતું તેમણે ઘૂંકીની જોયું તો તેમાં કીડા ખદબદતા હતા. આ જોઈ તેઓ વિચારવા લાગ્યા. અરે રે ! આવી મારી કાયા - આ કાયાનો શો ભરોસો - એમ વિચારી છ ખંડનું રાજ્ય - કુટુંબકબીલા બધું ત્યાં જ વોસિરાવી ચારિત્ર ગ્રહણ કરી લીધું. Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | રર તેમના સેનાપતિ, તેમની સ્ત્રીઓ વગેરેએ હાથ જોડી ઘણી વિનંતીઓ રાજ્યમાં રહેવાની, રાજ્ય ચલાવવાની કરી પણ તેઓ કશું સાંભળ્યા વિના ચારિત્રમાં મક્કમ રહ્યા. કોઈને જવાબ સરખો પણ ન આપ્યો અને વિહાર કરી ગયા. ફરી પાછા ઇન્દ્ર તેના સંયમ અને નિ:સ્પૃહતાની અને તેમની લબ્ધિની પ્રશંસા કરી. એટલે વળી એક દેવને સનતઋષિની પરીક્ષા કરવાનું મન થયું અને વૈઘનું રૂપ લઈ સનતમુનિની પાસે આવી તેમની દવા કરવા કહ્યું. સનતકુમારે કહ્યું, મારે કોઈ પાસે દવા નથી કરાવવી. મારાં કર્મ બધાં ખપાવવાં જ છે. એટલે ભલે રોગનો હુમલો હોય, દવા કરી દુઃખ નથી મટાડવું. દવા તો તેમની પાસે ક્યાં નથી? ઘણી વિદ્યાઓ પ્રાપ્ત થઈ છે. જુઓ આ ઘૂંક મારું જ્યાં જ્યાં લગાડું ત્યાં બધું મટી જાય, કાયા કંચન વરણી થઈ જાય. એમ કહી પોતાનું ઘૂંક શરીરની એક આંગળી પર ચોપડ્યું. તે ભાગ ચોખ્ખો કંચન જેવો થઈ ગયો - આવી ઋષિની લબ્ધિ જોઈ રાજી થઈ દેવ તેમના સ્થાનકે ગયા. સનતકુમારે આ રોગનો પરિષહ સાતસો વરસ સુધી સહ્યો. પણ કદી તેનો ઉપચાર ન કર્યો, સમતા રાખી કાળ કરી, ત્રીજા દેવ લોકે ગયા. આ પછી બીજો એક ભવ કરી મોક્ષે જશે. - - * * * * | ધૂપસળી જગતની અપવિત્રતા ને દુગધ દૂર કરવા એણે સ્વાર્પણનું વ્રત લીધું..ને એ નાનકડી સુગંધરાણી, કશાય અવાજ વિના, ધીમે ધીમે જલતી રહીને, મૂંગા સ્વાર્પણયજ્ઞની સુવાસભરી આહુતિ બની ગઈ. તે આગ સ્વીકારની ગઈ એમ એમ તો તેની સુગંધ વધુ ને વધુ પ્રસરતી રહી. ધીમે ધીમે એનો દેહ ખાખ થવા લાગ્યો ને એનો જીવનધૂપ વાતાવરણને સુવાસિત તેમ જ શુદ્ધ બનાવતો, સર્વત્ર સ્નેહ અને સદભાવનો પવિત્ર પમરાટ પ્રસારતો, સમર્પણ ભાવનાનું મૂક સંગીત રેલાવતો રહ્યો. ધૂપસળીની જેમ પવિત્રતા પ્રસરાવીએ. , - , Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૩ મેધકુમાર મહાવીર પ્રભુ રાજગૃહી નગરીએ પધાર્યા. મહારાજા શ્રેણિક, અભયકુમાર, ધારણી દેવી વગેરેએ ભગવાનની દેશના સાંભળી શ્રેણિક રાજાએ સમતિનો આશ્રય કર્યો અને અભયકુમારે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. દેશનાના અંતે પ્રભુને પ્રણામ કરી પરિવાર સાથે રાજભવન પધાર્યા. ત્યારે તેમના એક પુત્ર મેઘકુમારે ભક્તિથી અંજિલ જોડી, પ્રશ્નના કરી કે, શ્રી વીરપ્રભુ જે ભવ્ય લોકોના સંસારને તારનારા છે અને સ્વયં અત્રે પધારેલ છે, તેમનાં ચરણમાં જઈ દીક્ષા લઉં કારણ કે હું અનંત દુ:ખદાયી સંસારથી થાકી ગયો છું. ૧૪ પુત્રનાં આવાં વચન સાંભળી શ્રેણિક અને ધારણી બોલ્યાં કે, આ વ્રત કંઈ સહેલું નથી. મેઘકુમારે જવાબ આપ્યો કે, સુકુમાર છું છતા સંસારથી ભય પામેલો હોવાથી દુષ્કર વ્રતને આદરીશ. શ્રેણિક રાજાએ એક વાર રાજ્યનો ભાર ગ્રહણ કરી તેમના જીવને શાંતિ આપવા વિનંતિ કરી. મેધકુમારે તેમ કરવા હા પાડી એટલે મોટો મહોત્સવ કરી મેઘકુમારને રાજ્યગાદી પર બેસાર્યો અને હર્ષિત થઈ શ્રેણિક મહારાજાએ મેઘકુમારને કહ્યું, હવે તને શું કરી આપું - ત્યારે મેઘકુમારે કહ્યું કે, તમો ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને રજોહરણ અને પાત્રા મંગાવી દો. મહારાજા વચનથી બંધાયેલા હોવાથી કચવાતે મને પણ તેમ કરવું પડ્યું અને મેઘકુમારે પ્રભુ પાસે જઈ દીક્ષા લીધી. દીક્ષાની પહેલી જ રાત્રે નાનામોટા સાધુના ક્રમ પ્રમાણે મેધકુમાર છેવટના સંથારા ઉપર સૂતા હતા તેથી બહાર જતા-આવતા મુનિઓનાં ચરણ વારંવાર તેમના શરીર સાથે અથડાતાં હતાં. આથી રાત્રે તેઓ ઊંઘી ન શક્યા અને વિચારવા લાગ્યા કે, હવે હું વૈભવ વગરનો થઈ ગયો એટલે બીજા મુનિઓ તેમના પગથી સંઘટ્ટ કરતા જાય છે. વૈભવ જ સર્વે જગ્યાએ પુજાય છે. મારે વ્રતને છોડી દેવું જોઈએ. વ્રત છોડી દેવાનું મનથી નક્કી કરી સવારે તેઓ પ્રભુ પાસે ગયા. પ્રભુ કેવળજ્ઞાની હોવાથી મેઘકુમારનો ભાવ જાણી તેમને સમજાવવા લાગ્યા કે, તારા આગલા ભવો સાંભળ. ગયા ભવમાં તું વિંધ્યાચળમાં હાથી હતો. એક વખત Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ) ૨૪ વનમાં દાવાનળ જાગ્યો. એક ઘાસ વગરના મંડલમાં બીજાં પણ નાનાં-મોટાં હજારો પ્રાણીઓથી એ મંડલ ખીચોખીચ ભરાઈ ગયું. તું ત્યાં ઊભો રહ્યો. તને પગે ખૂજલી ઊપડતાં એક પગ ખણવા માટે ઉપાડ્યો, ત્યારે એક સસલું દાવાનળથી બચવા બીજી કોઈ સુરક્ષિત જગ્યા ન મળવાથી પગ નીચે આવી બેસી ગયું. તેં નીચે જોયું, પગ નીચે મૂકે તો સસલું મરી જાય, હત્યા લાગે એવા વિચારે તેં એક પગ અધ્ધર જ રાખ્યો. અઢી દિવસે દાવાનળ શાંત થયો ત્યારે બધાં જાનવરો પોતાના સ્થાનકે જવા લાગ્યાં. પગ નીચેનું સસલું પણ પોતાના સ્થાને જવા દોડી ગયું. ક્ષુધા અને તૃષાથી પીડિત એવો તું પાણી પીવા માટે દોડવા ગયો, પણ ઘણો વખત પગ અધ્ધર રાખેલો હોવાથી એ પગ અક્કડ થઈ ગયો હોવાથી દોડી ન શક્યો અને પૃથ્વી પર પડી ગયો. આ રીતે ભૂખ તરસથી પીડાતો તું ત્રીજે દિવસે મૃત્યુ પામ્યો. ભગવાને યાદ કરાવતાં કહ્યું, સસલા પર કરેલ દયાના પુણ્યે તું રાજપુત્ર થયો. તને માંડમાંડ આ મનુષ્ય ભવ મળ્યો છે. હાથીના ભવે તેં આટલી વેદના સહન કરી તો મનુષ્ય ભવમાં તું કેમ આવી નાની શી વેદનાઓ સહન નથી કરતો. એક જીવને અભયદાન દેવાથી તને આટલું મોટું ફળ મળ્યું તો સર્વ જીવોને અભયદાન આપનાર મુનિપણાને પ્રાપ્ત થનારા ફળની તો વાત જ શી કરવી ! ભવસાગર તરવા માટે આ ઉત્તમ મોકો મળ્યો છે અને તેં જે વ્રત સ્વીકાર્યું છે તેનું સારી રીતે પાલન કર અને ભવસાગર તરી જા. આવી પ્રભુવાણીથી મેઘકુમાર વ્રતમાં સ્થિર થયા અને રાત્રે કરેલ માઠા વિચારનું મિથ્યા દુષ્કૃત કર્યું અને વિવિધ તપ આચરવા માંડ્યું. એવી રીતે ઉત્તમ રીતે વ્રત પાળી મૃત્યુ પામી વિજ્ય વિમાનમાં દેવતા થયા ત્યાંથી અળી મહાવિદેહમાં ઉત્પન્ન થઈને મોક્ષ પામશે. અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા; મહા મૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો, તુજ દરશનાં દાન દઈ જા. Page #46 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ર૫ | રોહિણીયો ચોર રાજગૃહી નગરીની પાસેના વૈભારગિરિની ગુફામાં એક ભયંકર લોહખુર નામે ચોર રહેતો હતો. તે પિશાચની જેમ લોકો ઉપર ઉપદ્રવ કરતો, નગરના ધનભંડારો અને મહેલો લૂંટનો અને પરસ્ત્રી લંપટ હોવાથી ઘણી સ્ત્રીઓને ભોગવતો. તેને રોહિણી નામની સ્ત્રીથી રોહિણેય નામે પુત્ર થયો. તે પુત્ર પણ તેના પિતા જેવો જ ભયંકર હતો. લોહખુર પોતાનો પ્રત્ય-સમય નજીક જાણી રોહિણેયને પાસે બોલાવી કહ્યું, તું મારો આ એક ઉપદેશ સાંભળી લે અને તે પ્રમાણે જરૂર વર્તજે. આથી રોહિણેયે કહ્યું મારે જરૂર તમારા વચન પ્રમાણે વર્તવું જ જોઈએ. પુત્રનું આવું વચન સાંભળી લોહ ખુર હર્ષ પામી કહેવા લાગ્યો કે, જે આ દેવતાના રચેલા સમવસરણમાં બેસીને મહાવીર નામના યોગી દેશના આપે છે તેના ભાષણને તું કોઈ વાર સાંભળીશ નહીં.” આવો ઉપદેશ આપીને લોહખુર મૃત્યુ પામ્યો. કેટલીય વખત રોહિણીયો આ સમવસરણ પાસેથી પસાર થયો કારણ કે તેની ગુફાથી રાજગૃહી જવાનો બીજો કોઈ રસ્તો ન હતો, પણ ત્યાંથી પસાર થતી વખતે બન્ને કાનમાં આંગળી નાખી પસાર થઈ જતો, કારણ કે જો મહાવીરની વાણી સંભળાઈ જાય તો પિતાની આજ્ઞાનો ભંગ થાય. પણ એક વખત સમવસરણની બાજુમાંથી પસાર થતાં તેના પગમાં એક કાંટો વાગ્યો. કાંટો કાઢ્યા વગર આગળ જઈ શકાય એવું ન હતું એટલે ન છૂટકે કાનમાંથી આંગળીઓ કાઢી કાંટો પગમાંથી બહાર ખેંચી કાઢ્યો, પણ આ વખતે દરમ્યાન ભગવાનની નીચે પ્રમાણેની વાણી તેનાથી સંભળાઈ ગઈ : “જેનાં ચરણ પૃથ્વીને અડતાં નથી, નેત્ર નિમેષ રહિત હોય છે, પુષ્પમાળા સુકાતી નથી અને શરીર રજ તથા પ્રસ્વેદથી રહિત હોય છે તે દેવતા કહેવાય છે.” આટલું સાંભળતાં તે વિચારવા લાગ્યો, મારાથી ઘણું બધું સંભળાઈ ગયું. ધિક્કાર છે મને. મારા પિતાની મરણ વખતે આપેલી આજ્ઞા હું ન પાળી શક્યો. ઉતાવળે પાછા કાન પર હાથ રાખી રોહિણેય ત્યાંથી પસાર થઈ ગયો. દિવસે દિવસે તેની રંજાડ વધતી ગઈ, આથી ગામના નાગરીકો શ્રેણિક રાજાને આ ચોરના ત્રાસથી બચાવવા ખાસ વિનંતી કરી શ્રેણિક રાજાએ કોટવાળને બોલાવી ચોરને પકડવા ખાસ હુકમ કર્યો, પણ કોટવાળ ઘણી મહેનત કરવા છતાં રોહિણેયને Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૬ ન પકડી શક્યો. આથી રાજાએ તેમના પુત્ર અભયકુમારને આ ચોરને પકડવાનું કામ સોંપ્યું. અભયકુમારે કોટવાળને જણાવ્યું કે, બધી સેના ગામ બહાર રાખી જ્યારે ચોર ગામમાં પેસે ત્યારે ચારે કોર સેનાને ફરતી કરી નાખવી. આમ છટકું ગોઠવવાથી એક રાત્રે માછલી જેમ જાળમાં સપડાઈ જાય તેમ રોહિણીયો ફસાઈ જઈ પકડાઈ ગયો. પણ મહાઉસ્તાદ ચોર કોઈ રીતે પોતે ચોર છે તેમ કબૂલ ન થયો અને બાજુના શાલિગ્રામમાં રહેનારો દુર્ગચંડ નામનો પટેલ છું એમ જણાવ્યું. તેની પાસે કંઈ ચોરીનો માલ તો તે વખતે હતો નહીં. હવે સાબિતી વિના ગુનો કેમ ગણાય અને સજા કેમ થાય ? શાલિગ્રામમાં તપાસ કરતાં દુર્ગચંડ નામનો પટેલ તો હતો પણ કેટલાક વખતથી તે ક્યાંક જતો રહ્યો છે, એવા સમાચાર મળ્યા. હવે અભયકુમારે ચોર પાસે કબૂલાત કરાવવા એક કીમિયો કર્યો. તેણે દેવતાના વિમાન જેવા એક મહેલમાં સ્વર્ગ જેવો દેખાવ ઊભો કર્યો. તેમાં ચોરને મઘ પાઈ બેભાન કરી, મહામૂલા કપડા પહેરાવી એક રત્નજડિત પલંગ ઉપર સુવાડ્યો અને ગંધર્વો જેવાં વસ્ત્ર પહેરાવી સંગીતનૃત્ય કરતાં દાસ-દાસીઓને બધું શીખવાડી તહેનાતમાં રાખ્યા. ચોરનો નશો ઊતર્યો અને જાગ્યો ત્યારે આ ઇંદ્રપુરી જેવો દેખાય જોઈ આશ્ચર્ય પામ્યો. નર નારીઓએ અભયકુમારની સૂચના મુજબ જય થાઓ, આનંદ કરો. એમ જયઘોષ કરી કહ્યું કે, હે ભદ્ર, તમે આ વિમાનમાં દેવતા થયા છો. તમે અમારા સ્વામી છો, તેથી અપ્સરાઓ સાથે ઈંદ્રની જેમ ધવ કરો. આવી ચતુરાઈયુક્ત ઘણી ખુશામત કરી. ચોરે વિચાર કર્યો કે ખરેખર હું દેવતા થયો છું? ગંધર્વો જેવા બીજા સેવકો સંગીત ગાતા હતા તેવામાં એક સુવર્ણની છડી લઈ કોઈ પુરુષ અંદર આવી કહેવા લાગ્યો : સબૂર દેવલોકના ભોગ ભોગવતાં પહેલાં નવા દેવતા પોતે કરેલ સુકૃત્ય અને દુષ્કૃત્ય જણાવે - આવો આચાર છે. તો બોલો તમારા પૂર્વ ભવનાં સુકૃત્ય વગેરે છે. રોહિણીયાએ આ વખતે વિચાર્યું કે ખરેખર આ દેવલોક છે? આ બધા દેવ-દેવીઓ છે કે અભયકુમારનું આ મારી પાસે કબૂલાત કરાવવાનું એક કાવનું છે ? વિચારતાં વિચારતાં તેને પ્રભુ મહાવીરની વાણી યાદ આવી. આ લોકોના પગ જમીન ઉપર છે. ફૂલની માળા કરમાયેલી છે અને પરસેવો પણ તેમને થાય છે. ઉપરાંત આંખ ખૂલે છે અને સિંચાય છે. નિમેષ નથી, તેથી આ બધી માયા છે. આ દેવતાઓ હોય જ નહીં. એમ મનથી નક્કી કરી ખોટા જવાબો આપ્યા કે, મેં ગયા ભવમાં જૈન ચૈત્ય કરાવ્યાં છે. પ્રભુપૂજા અષ્ટ પ્રકારે કરી છે. તીર્થયાત્રાઓ કરી છે. સદ્ગરની ભક્તિ Page #48 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૭ વગેરે કર્યા છે. એટલે દંડધારીએ પૂછ્યું, હવે તમારાં દુષ્કૃત્યનું પણ વર્ણન કરો. એટલે તેણે કહ્યું કે, મેં કોઈ દુષ્કૃત્ય કર્યું જ નથી મેં દુકૃત્ય કર્યા હોય તો દેવ લોકમાં શી રીતે આવું - એવા યુક્તિપૂર્વકના જવાબો આપ્યા. આ રીતે અભયકુમારે કરેલ યુક્તિ કોઈ રીતે કામ ન આવી અને રોહિણીયાને છોડી દેવો પડ્યો. આ રીતે તેનો છુટકારો થતાં તે વિચારવા લાગ્યો, અરે ! પ્રભુની પળ બે પળ વાણી સાંભળી તે આટલી કામમાં આવી. જો તેમની વાણી વધુ સાંભળીએ તો કેટલાં સુખ પામીએ. મારા પિતાએ મને ખોટો ઉપદેશ આપી સંસારમાં રઝળતો કર્યો. આમ પશ્ચાત્તાપ કરતો પ્રભુ પાસે આવ્યો અને તેમનાં ચરણમાં પડી વંદન કરી કહેવા લાગ્યો : તમારાં વચન સાંભળવાનો નિષેધ કરી મારા પિતાએ મને ઠગ્યો છે. હવે કૃપા કરી મને સંસારસાગરથી ઉગારો. તમારાં થોડા વખત સાંભળેલાં વચનોથી રાજાના મૃત્યુદંડથી બચી ગયો. હવે ઉપકાર કરી મને યોગ્ય હોઉં તો ચારિત્ર ગ્રહણ કરાવો. પ્રભુએ વ્રત આપવા હા પાડી. એટલે કરેલાં પાપ ખમાવવા ચોરે શ્રેણિક મહારાજા પાસે જઈ બધી ચોરી વગેરેની કબૂલાત કરી અને અભયકુમારને સાથે લઈ બધી ચોરીનો માલ સંઘર્યો હતો તે જગ્યાઓ બતાવી તે લઈ લેવા જણાવ્યું. અને પ્રભુ પાસે દીક્ષા લીધી. અને અનુક્રમે એક ઉપવાસથી માંડી છ માસી ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા ર્યા બાદ વૈભાર પર્વત પર જઈ અનશન કર્યું અને શુભ ધ્યાનપૂર્વક પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં દેહ તજી સ્વર્ગે ગયા. છે અવસર બેહેર બેહેર નહીં આવે બેહેર બેહેર નહીં આવે અવસર, બેહેર બેહેર નહીં આવે. કર્યું જાણે હું કર લે ભલાઈ, જનમ જનમ સુખ પાવે. અવ.૨૧ તન ધન જોબન સબ હી જૂઠા, પ્રાણ પલકમેં જાવે. અવ. તન છૂટે ધન કોન કામકો, કાયક કૃપણ કહાવે. અવ.૦૩ જાકે દિલમેં સાચ બસત હૈ, તમાકુ જૂઠ ન ભાવે. અવ.૦૪ આનંદધન પ્રભુ ચલત પંથમેં, સમરી સમરી ગુણ ગાવે. અવ.૦૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૮ ચંડકૌશિક સર્પ સાધુ ઘણો તપિયો હતો ધરતો મન વૈરાગ્ય શિષ્યના વેધ થકી થયો ચંડ કોશિયો નાગ. વાંચકોને પ્રશ્ન થાય કે મહાનુભાવોની કથામાં આ સર્પની કથા કેવી રીતે આવી? મૂળમાં કથા એક વૃદ્ધ સાધુની છે પણ તેમનું નામ તે સાધુના ત્રીજા ભવે તે મરીને સર્પ થાય છે. એટલે કથાનું નામા ચંડકૌશિક સર્પ આપ્યું છે. એક વૃદ્ધ તપસ્વી ધર્મઘોષ મુનિ. તેમના એક બાળ શિષ્ય - દમદંત મુનિ. ચેલા સાથે ઉપવાસના પારણાને માટે ગોચરીએ નીકળ્યા. તેમના પગ નીચે એક નાની દેડકી કચરાઈને મરી ગઈ. તેની આલોચના કરવા સાથેના બાળમુનિએ વૃદ્ધ સાધુને કહ્યું. સાધુએ બાળમુનિને કહ્યું. અહીં બીજી પણ દેકડી મરીને પડેલી છે, શું એ બધી મેં મારી? પણ બાળમુનિએ પાછું સંસ્થાના પ્રતિક્રમણ બાદ યાદ દેવરાવ્યું કે, દેડકીની આલોચના કરી ? આવી રીતે ફરી ફરી યાદ દેવરાવતા બાળમુનિ ઉપર તેમને ઘણો બંધ થયો અને ઊભો રહે એમ કહી તેને મારવા દોડ્યા. બેધાંત થઈને દોડતા અંધારું હોવાને લીધે વચ્ચે એક થાંભલો આવ્યો તેની સાથે વૃદ્ધ સાધુનું માથું ભટકાયું અને સજજડ માર લાગ્યો, આથી સાધુનું મૃત્યુ થયું. બીજા ભવમાં તે એક તાપસોના ઉપરી અને મોટા વનખંડનો સ્વામી થયો. બીજા તાપસોને તે આ વનખંડમાંથી ફળ કે કુલ તોડી લેવા દેતો ન હતો. કોઈ ફળ-ફૂલ લે તો તેને મારવા જતો. એક દિવસ હાથમાં કુહાડો લઈ એવા એક ફળ તોડી નાસતા રાજપુત્રની પાછળ ઘેડ્યો પણ કર્મ સંજોગે ખાડામાં પગ પડતાં તે પડી ગયો અને હાથમાંનો કુહાડે માથામાં જોરથી વાગવાથી તત્કાળ મૃત્યુ પામ્યો. ત્યાંથી મરીને તે ચંડકૌશિક ષ્ટિવિષ સર્પ થયો. એક વખત પ્રભુ મહાવીર વિહાર કરતાં શ્વેતાંબી નગરી તરફ જતા હતા ત્યાં રસ્તામાં આ સર્પ રહેતો હતો. તેના હૂંફાડા માત્રથી પ્રાણીઓ વગેરે મરી જતાં એટલે એ રસ્તો જવા આવવા માટે લોકો વાપરતા Page #50 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૯ ન હતા. એ રસ્તે મહાવીર પ્રભુ વિહાર કરવા જતા હતા એટલે ત્યાં વસતા ગોવાળોએ પ્રભુને એ રસ્તે ન જવા સમજાવ્યું કે ત્યાં ફક્ત માણસો જ નહીં પણ પક્ષીઓ પણ ત્યાં ફરકતાં નથી. તમો બીજા પણ એક લાંબા રસ્તે થઈને શ્વેતાંબી નગરી જાઓ. પણ અનંત કરુણાના સાગર જેવા પ્રભુએ જ્ઞાનથી આ ચંડકૌશિકના ભવો જાણી તેને પ્રતિબોધવો જોઈએ એમ સમજી તે જ ભયંકર રસ્તે વિચર્યા અને અરણ્યમાં નાસિકા પર નેત્રને સ્થિર કરીને કાયોત્સર્ગે રહ્યા. થોડી વારે પેલા સર્વે પ્રભુને આમ ઊભેલા જોયા અને મારી અવજ્ઞા કરી કોણ અહીં પેસી ગયું છે ? તેણે ભયંકર ફૂંફાડા માર્યા, પણ પ્રભુની ઉપર તેણી કાંઈ અસર થઈ નહીં. આથી ોધે ભરાઈ પ્રભુનાં ચરણકમળ પર ડસ્યો ત્યારે રુધિરને બદલે દૂધ જેવી ધારા તે ડંસમાંથી નીકળતી જોઈ તે વિસ્મય પામ્યો અને પ્રભુના અતુલ રૂપને નીરખતાં તેનાં નેત્રો સ્તબ્ધ થઈ ગયાં અને થોડોક શાંત થયો. ત્યારે પ્રભુ બોલ્યા કે, અરે ચંડકૌશિક બૂજ ! બૂજ ! મોહ પામ નહીં. ભગવાનનાં આવાં વચન સાંભળી સર્પને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પ્રભુની ત્રણ પ્રદક્ષિણા કરીને પોતાના મનથી અનશન કરવાનો નિશ્ચય કર્યો. પ્રભુએ સર્પના ભાવ જાણીને પોતાની કરુણા દ્રષ્ટિ વડે તેનું સિંચન કર્યું. હવે વધુ પાપથી બચવા પોતાની દ્રષ્ટિ કોઈ ઉપર ન પડે તે રીતે રાફડામાં મો રાખી હાલ્યાચાલ્યા વિના અનશન વ્રતધારી પડ્યો રહ્યો. તેના ઉપસર્ગો બંધ થતાં લોકો એ રસ્તે જવા-આવવા લાગ્યા. કેટલીક ગોવાલણો ત્યાંથી પસાર થતાં આ સર્પ દેવતા હવે તો શાંત થયા છે તેથી તેની પૂજાના હિસાબે તેના શરીર ઉપર ધી છાંટવા લાગી. પણ આ ધીની સુગંધથી અસંખ્ય કીડીઓ તેના શરીર ઉપર આવી ધી ખાતાં શરીરને કરડવા લાગી. આથી ધીરે ધીરે સર્પનું શરીર ચારણી જેવું થઈ ગયું. પણ આ સર્પરાજ દુ:સહ વેદના સહન કરતો રહ્યો અને આ બિચારી અલ્પ બળવાળી કીડીઓ મારા શરીરના દબાણથી પીલાઓ નહીં, એવું ધારી પોતાનું શરીર જરા પણ હલાવ્યું નહીં અને આ પ્રમાણેના કરુણા પરિણામવાળો અને ભગવંતની દયામૃત દ્રષ્ટિથી સિંચન થયેલો સર્પ એક પખવાડીએ મૃત્યુ પામી સહસ્રાર દેવલોકમાં દેવતા થયો. નિંદા કરે ખોટા જનો, તેથી કદી ડરવું નહિ. ધારેલ સત્ય વિચારથી, પાછા કદી ફરવું નહિ. Page #51 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦ શ્રી મેઘરથ રાજા જબરીપના પૂર્વ મહાવિદેહમાં પુંડરીકિણી નગરીમાં ધનરથ રાજા હતા. તેમને પ્રિયમતી નામની પત્ની હતી તેમને ત્યાં મેઘરથકુમારનો જન્મ થયો. સમય થતાં પિતાએ મેઘરથને રાજ્ય સોપ્યું. મેઘરથ રૂડી રીતે જૈન ધર્મ પાળતા. એક દિવસ મેઘરથ પૌષધશાળામાં પૌષધ અંગીકાર કરી ભગવંત ભાષિત ધર્મનું વ્યાખ્યાન કરવા માંડ્યું. તે વખતે ભયથી કંપતું અને મરણોન્મુખ હોય તેમ દીન ઈષ્ટિ ફેરવતું એક પારેવડું તેમના ખોળામાં આવી પડ્યું અને તેણે મનુષ્ય જેવી ભાષાથી અભયની માગણી કરી. એટલે કરુણાના સાગર જેવા રાજાએ ભય પામીશ નહીં, ભય પામીશ નહીં એવું આશ્વાસન આપ્યું. થોડી વારે 'હે રાજન, એ મારું ભક્ય છે માટે સત્વર તે મને સોંપી દે. એ પ્રમાણે કહેતું એક બાજ પક્ષી ત્યાં આવ્યું. એટલે રાજાએ કહ્યું, તને આ પારેવડું હું આપીશ નહીં. કારણ કે તે મારા શરણે આવ્યું છે અને શરણાર્થીનો જીવ બચાવવો એ ક્ષત્રિય ધર્મ છે અને આવા પ્રાણીને મારી ખાવું એ તારા જેવા બુદ્ધિમાનને શોભતું નથી. તારા શરીર ઉપરથી એક પીછું ઉખેડીએ તો તને કેવી પીડા થાય, તેવી પીડા બીજાને પણ થાય. પણ કોઈને મારી નાખવાથી તો તેને કેટલી પીડા થાય એ તું કેમ વિચારતો નથી ? વળી આવી જીવની હિંસા કરી તારું પેટ ભરે તેથી નરકે જવાનું તું પાપ કરે છે એ તો વિચાર. ત્યારે બાજ પક્ષીએ કહ્યું, તમે આ પારેવડનું રક્ષણ કરો છો તો મારો વિચાર કેમ કરતા નથી. હું પણ ભૂખથી પીડાઉ છું. આથી મારા પ્રાણ ચાલ્યા જશે. માંસ એ જ મારો ખોરાક છે. મને તાજું માંસ તમે આપશો ! રાજા પોતાના દેહનું માંસ કાઢી આપવા તૈયાર થયા અને પારેવાના વજન જેટલું માંસ આપવા ત્રાજવું મંગાવી એક તરફ પારેવડાને બેસાડી પોતાના શરીરમાંથી માંસ કાપી કાપીને મૂકવા લાગ્યા. માંસ કાપતા જ જાય પણ પારેવડાના તોલ કરતાં ઓછું જ તોલમાં થાય. છેવટે પોતાનું આખું શરીર ત્રાજવાના બીજા પલ્લામાં મૂકી પારેવડા બરાબર વજન કર્યું. જ્યારે રાજા પોતે તુલા ઉપર બેઠો તે જોઈ સર્વ પરિવારે હાહાકાર કરી. સામંત, અમાત્ય બીજા મિત્રોએ રાજાને કહ્યું કે, “અરે પ્રભુ, અમારા અભાગ્યે તમે આ શું કરો છો. આ શરીર વડે તો તમારે બધી પૃથ્વીનું રક્ષણ કરવું જોઈએ. તમે ફક્ત એક પક્ષીના રક્ષણ માટે શરીરનો કેમ ત્યાગ કરો છો ? આ તો કોઈ માયાવી Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧ પંખી લાગે છે કારણ કે પંખીનો આટલો બધો ભાર સંભવે નહીં આમ પરિવાર અને નગરજનો વગેરે કહેતા હતા ત્યારે મુગટ, ફંડળ તથા માળા ધારણ કરેલ કોઈ દેવતા જાણે તેજનો કોઈ રાશિ હોય તેવો પ્રગટ થયો અને બોલ્યો, હે નૃપતિ!. તમો ખરેખર મેરુ પર્વત જેવા છો. સ્વસ્થાનથી જરાયે ચલિત થયા નહીં. ઇશાને પોતાની સભામાં તમારી પ્રશંસા કરી તે મારાથી સહન ન થતાં તમારી પરીક્ષા કરવા આવ્યા હતા. અમારો આ અપરાધ ક્ષમા કરો. એ પ્રમાણે કહી, રાજાને સાજામાજા કરી તે દેવ સ્વર્ગમાં ગયા. ત્યાર બાદ મેઘરથ રાજાએ સંયમ લીધો અને વિશસ્થાનકનું વિધિપૂર્વક તપ કરી તીર્થંકર ગોત્ર બાંધી એક લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી તેમના બારમા ભવે અચિરાજીની કુખે અવતરી શ્રી શાંતિનાથ નામે સોળમા તીર્થંકર થયા. છે. દર - :-:-::-* : : : : : અતિ પણે ન તાણીએ, તાણે તૂટી જાય; ય: - તૂટયા પછી જો સાંધીયે, ગાંઠ પડે વચમાંય, | આટલું તો આપજે ભગવંત આટલું તો આપજે ભગવાન ! મને છેલ્લી ઘડી; ના રહે માયા તણાં બંધન, મને છેલ્લી ઘડી. (ટક) આ જિંદગી મોંધી મળી, પણ જીવનમાં જાગ્યો નહિ, અંત સમયે મને રહે, સાચી સમજ છેલ્લી ઘડી. આટલું જ્યારે મરણશયા પરે, મિચાય છેલ્લી આંખડી: તું આપજે ભારે પ્રભુમય મન, મને છેલ્લી ઘડી. આટલું હાથ પગ નિર્બળ બને ને, શ્વાસ છે સંચરે; ઓ દયાળુ ! આપજે દર્શન, મને છેલ્લી ઘડી. આટલુંટ હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં; તું આપજે શાંતિભરી, નિદ્રા અને છેલ્લી ઘડી. આટલું અગણિત અધમોં મેં કર્યા, તન-મન-વચન યોગે કરી: હે સમાસાગર ! સમા, મને આપજે છેલ્લી ઘડી. આટલું અંત સમયે આવી મુજને, ના દમે પટ મનોજ જાગ્રતપણે મનમાં રહે, તારું સ્મરણ છેલ્લી ઘડી. આટલું Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ B ૩ર. | શ્રી દશાર્ણભદ્ર ચંપાનગરીથી વિહાર કરી, મહાવીર પ્રભુ દશાર્ણ નગરે આવે છે. ત્યાંના રાજા દશાર્ણભદ્રને સાંજના સમયે સમાચાર મળ્યા કે, આવતી કાલે સવારે વીરપ્રભુ અત્રે મારા નગરમાં પધારવાના છે! રાજા આ જાણી અતિ હર્ષ પામ્યો અને મારી સમૃદ્ધિથી ભગવાનનું અપૂર્વ સ્વાગત કરી વંદના કરીશ, તેથી મંત્રી વગેરેને આજ્ઞા કરી કે મારા મહેલથી પ્રભુના સમવસરણ સુધી મોટી સમૃદ્ધિથી માર્ગને શણગારો. રાજાની આજ્ઞા પ્રમાણે નગરપતિ અને મંત્રીઓએ કદી ન શણગાર્યો હોય તેવો રસ્તો શણગાર્યો. રસ્તે કુંકુમ જળનો છંટકાવ કર્યો ભૂમિ ઉપર સુંદર પુષ્પો પાથર્યાં. સ્થાને સ્થાને સુવર્ણસ્તંભ ઉભા કરી તોરણો બાંધ્યાં. રત્નમય દર્પણોથી શોભતી માળાઓ વડે સ્તંભને શણગાર્યા અને રાજા સ્નાન કરી દિવ્ય વસ્ત્રો અને આભૂષણો સાથે પુષ્પની માળા પહેરી, ઉત્તમ હાથી ઉપર બેસી પ્રભુને વાંદવા ચાલ્યા. મસ્તકે શ્વેતછત્ર અને બન્ને બાજુ ચામરો ધરાતા હતા. અને તેમની પાછળ બધા સામંતો અને તેમની પાછળ ઈંદ્રાણીના રૂપ જેવી અંત:પુરની સ્ત્રીઓ વગેરે ચાલતાં હતાં. પ્રભુના સમવસરણે પહોંચી ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુને વંદના કરી પોતાની સમૃદ્ધિથી ગવિત થયેલો રાજા પોતાના યોગ્ય આસને બેઠો. દશાર્ણપતિને પોતાની સમૃદ્ધિનો ગર્વ થયેલો જાણી તેને પ્રતિબોધ કરવા ઈંદ્ર મહારાજા એક અતિ રમણીય વિમાન કે જે જળમય હતું તે વિસ્તાર્યું. જેમાં સ્ફટિક મણિ જેવા નિર્મળ જળના પ્રતિભાને સુંદર કમળો ખીલેલાં દેખાતાં હતાં. હંસ અને આરસ પક્ષીઓના મધુર પ્રતિનાદ થઈ રહ્યા હતા. દેવ વૃક્ષો અને દેવ લતાઓથી ખરતાં પુષ્પથી તે વિમાન શોભતું હતું. વિમાન ઉતારી ઈંદ્ર મહારાજા આઠ દંકૂશળથી શોભતા ઐરાવત ઉપર બેસવા ગયો. તે વખતે તે હાથી ઉપર પહેલેથી બેઠેલી દેવાંગનાઓએ તેમને હાથનો ટેકો આપી ઉપર બેસાડ્યા. આવી ઇંદ્રની પારવાર સમૃદ્ધિ જોઈ ક્ષણ વાર તે રાજા ખંભિત થઈ ગયો અને વિસ્મયથી વિકસિત નેત્ર કરી તેણે વિચાર્યું કે, અહો, આ ઈંદ્રનો કેવો વૈભવ છે? શું સુંદર એનો ઐરાવત હાથી છે ! ક્યાં મારો ખાબોચિયા જેવો વૈભવ અને ક્યાં આ ઈંદ્રનો સમુદ્ર જેવો વૈભવ! મેં મારી સમૃદ્ધિનો નાહકનો ગર્વ કર્યો. ધિક્કાર છે મને, મેં આવો ખોટો ગર્વ કરી મારા આત્માને Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૩૩ મલિન કર્યો. આવી ભાવના ભાવમાં ભાવતાં દશાર્ણભદ્ર રાજાને હળવે હવળે વૈરાગ્ય આવવાથી ત્યાં જ મુગટ વગેરે આભૂષણો કાઢી અને કર્મરૂપ વૃક્ષોનાં મૂળિયાં ખેંચી કાઢતા હોય તેમ પોતાની મુષ્ટિ વડે મસ્તક ઉપરના વાળને ખેંચી કાઢ્યા અને ગણધરની પાસે આવીને ચારિત્ર ગ્રહણ કરી પ્રભુને પ્રદક્ષિણા કરી વંદન કર્યું. ત્યારે ઇદ્ર દશાર્ણભદ્ર પાસે આવીને કહ્યું કે, અહો મહાત્મન, તમારા આ મહાન પરાક્રમથી તમે મને જીતી લીધો છે. આ પ્રમાણે કહી તેમને નમસ્કાર કરી ઈંદ્ર પોતાના સ્થાનકે ગયા અને દશાર્ણભદ્ર મુનિ સારી રીતે વ્રતનું પાલન કરી પોતાની જાતને ધન્ય બનાવી. ::: ' " : છે. અમે મહેમાન દુનિયાના અમે મહેમાન દુનિયાના, તમે મહેમાન દુનિયાના: સહુ મહેમાન દુનિયાના, છએ મહેમાન દુનિયાના. ૧. અહીં ઘડી પહોર કે દિન માસ, કે બહુ વર્ષ રહેવાના: છતાં ક્યારે શું નકકી, નહીં એ સાફ કહેવાના. . બરાબર બાજરી ખૂટે, ઊઠીને તૂર્ત જવાના: સંબંધી રોકશે તોયે, પછી ના પલક રહેવાના. ૩, પ્રભુની મહેર ત્યાં સુધી, અમો આ ખેલ જોવાના: નિહાળી વ્યોમ તો એની, બઢો આનંદ લેવાના. ૪. જમા કીધું જશું મેલી, નથી કાંઈ સાથ. લેવાના નથી માલેક તો અંતે, અમ ફેટી બદામોના. ૫. નથી તો કાંઈ લાવેલા, ને કાંઈ લઈ જ્હાના: પ્રભુજીના પરોણાને, કશી વાતે કમીના ના. ૬, ભલે હાલા ઊડી જાએ, અમે ન લેશ રોવાના:: અમો પણ એ જ મારગમાં, છીએ આખર જવાના. ૭ - - - - - - Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૩૪ વિજય શેઠ - વિજ્યા શેઠાણી ભરત ક્ષેત્રના કચ્છ દેશમાં એક વિજ્ય નામનો શ્રાવક વસતો હતો. નાનપણમાં ધાર્મિક સંસ્કારોને લીધે મહિનાના અંધારા પક્ષમાં એટલે વદના પખવાડિયે ચોથું વ્રત પાળવું એવો નિશ્ચય કર્યો હતો. કર્મ સંજોગે વિજ્યા નામે એક સુંદર કન્યા સાથે તેમનાં લગ્ન થયાં. વિજ્યાએ સુગુરુનો જોગ મળવાથી શુકલ પક્ષમાં ચોથું વ્રત પાળવાનો નિયમ લીધેલ હતો. શુભ દિવસે તેમના વિવાહ થયા. પરણ્યા બાદ રાત્રે પિયુને મળવા સારા શણગાર સજી શયન કક્ષમાં પહોંચી. અંધાર પક્ષના ત્રણ દિવસ બાકી હતા એટલે વિજયે કહ્યું, આપણે ત્રણ દિવસ પછી સંસારસુખ માણશું. મેં અંધારા પક્ષમાં બ્રહ્મચારી રહેવાનો નિયમ લીધેલ છે. આ સાંભળી વિજ્યા ચિંતાતુર થઈ ગઈ. તેને દિગ્મૂઢ થયેલી જોઈ વિષે પૂછ્યું, કાં મારું આટલું વ્રત પાળવામાં તું સહકાર નહીં આપે ? ત્યારે વિજ્યાએ કહ્યું કે, તમે અંધારા પક્ષમાં બ્રહ્મચારી રહેવાનું વ્રત લીધું છે તેમ મેં શુક્લ પક્ષમાં બ્રહ્મચારી રહેવાનું ચોથું વ્રત અંગીકાર કર્યું છે. વધારામાં વિજ્યાએ કહ્યું, તમે સુખેથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરી તમારૢ વ્રત પ્રમાણે અંધારા પક્ષમાં બ્રહ્મચારી રહેજો અને નવી સ્ત્રી સાથે શુક્લ પક્ષમાં સંસારસુખ ભોગવજો. ત્યારે વળતો ભરથારે જવાબ આપ્યો, અરે ! આપણે લીધેલ વ્રત જિંદગી સુધી બરાબર પાળીશું અને તેની ખબર કોઈને નહીં પડવા દઈએ. માત-પિતા જ્યારે આપણા આ વ્રતની વાત જાણશે ત્યારે આપણે દીક્ષા લઈ લેશું. આવી રીતે બન્નેએ વિચારી, જિંદગી પર્યંત વ્રત બરાબર પાળવા નિશ્ચય કર્યો. ૧૯. એક જ રૂમમાં એક જ પલંગમાં બન્ને સાથે સૂતાં હતાં પણ એકબીજાંનું અંગ એક બીજાંને ન અડે તે માટે બન્ને વચ્ચે એક તલવાર રાખતાં. આ રીતે પર્વત જેવાં અડગ રહી તેઓ દુનિયાની આંખે સંસારી પણ ખરેખરાં વૈરાગી તરીકે રહ્યાં. ઘણાં વર્ષો આ રીતે વહ્યાં. એક વાર ચંપાનગરીમાં વિમળ નામના કેવળી સમોસર્યા. ત્યાંના એક શ્રાવક જીનદાસે કહ્યું કે, જિંદગીનો એક મનોરથ છે કે ચોરાશી હજાર સાધુ મારા ઘરે પારણું કરે. ત્યારે વિમળ કેવળીએ કહ્યું, એ વાત બનવી સંભવિત લાગતી નથી, કારણ એટલા તપસ્વી સાધુઓ ક્યાંથી આવે ? તેમને સુજતો આહાર ક્યારે વોહરાવાય ? પણ એટલું જ ફળ મળે એવો એક રસ્તો છે ખરો - જો તમો Page #56 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૫ કચ્છ દેશમાં જઈ વિજ્ય શેઠ ને વિજ્યા શેઠાણી વસે છે તેઓ ભાવિમાં દીક્ષા ગ્રહણ કરવાના છે તેમને ભોજન કરાવો તો ચોરાસી હજાર સાધુને પારણું કરાવ્યાનું ફળ તમને મળી શકે. એથી જીનદાસે કેવળીને પૂછ્યું : અહો, એવા તે તેમનામાં ક્યા ગુણ છે? કેવળીએ કહ્યું, અનંત ગુણોથી ભરેલા તેઓ છે. એક બીજાને શુક્લ પક્ષ અને અંધારા પક્ષમાં ચોથું વ્રત પાળવાનો નિયમ લીધેલો હોવાથી શુદ્ધ રીતે તેઓ શિયળ વ્રતનું પાલન કરે છે. કેવળીની મુખે આ વાત સાંભળી જીનદાસ શ્રાવક કચ્છ દેશમાં આવી, આ શ્રાવક-શ્રાવિકાને શોધી તેમને વંદન કરી, તેમના કેવળી મુખે સાંભળેલી વાત જાહેર કરી અને માતાપિતાએ આ વ્રતની વાત જાણી એટલે વિજ્ય શેઠે અને વિજયા શેઠાણીએ દીક્ષા લીધી. તેમને પારણું કરાવી જીનદાસ શેઠ ધન્ય બન્યા અને કેવળીએ કહેલ ચોરાશી હજાર સાધુને પારણાં કરાવતાં જે ફળ મળે તે ફળ આ દંપતીને વહોરાવાથી પામ્યા. વિજ્ય શેઠ અને વિજયા શેઠાણીએ કેવળી પાસે જઈ ચારિત્ર અંગીકાર કર્યું અને અષ્ટ કર્મ ખપાવી કેવળજ્ઞાન પામ્યા. .. * .. .* - ' | સાવરણી ખજૂરીની ટોચે ઝુલી રહી હતી ત્યારે જ એના મનમાં એક જીવનવ્રત જાગી ઊઠયું : "જીવું ત્યાં સુધી નૂતની સ્વચ્છતા માટે જ જીવું." ને સાવરણી બનીને સૌનાં ઘરમાં એ પહોંચી ગઈ. ગૃહિણીની મદદથી ઘરનો ખૂણેખૂણો વાળી-ઝૂડીને સાફ કર્યો...ને સફાઈ કામદરની મદદથી શેરીઓને સ્વચ્છ બનાવી. પોતાનાં અંગેઅંગ ઘસાઈ ગયાં ને તૂટી-છૂટી ગયાં ત્યાં સુધી એણે આ રીતનું સ્વચ્છતા માટેનું આ સમર્પણ - વ્રત જીવતું જ રાખ્યું. | સાવરણીની જેમ સ્વચ્છતા જાળવીએ. Page #57 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૬ - - - - - શ્રી ઢંઢણકુમાર ૨૦. શ્રીકૃષ્ણ વાસુદેવને ઢંઢણા સ્ત્રીથી ઢંઢણકુમાર નામનો પુત્ર હતો. ઉંમરલાયક થતાં શ્રી નેમિનાથ પાસેથી ધર્મ સાંભળી સંસારથી વિરક્ત થઈ તેમણે દીક્ષા લીધી દીક્ષા લીધા બાદ તેઓ ગોચરીએ જવા લાગ્યા પણ પૂર્વ ભવના અંતરાય કર્મનો ઉદય થતાં જ્યાં જ્યાં ગોચરી માટે જાય ત્યાં ત્યાં કંઈ આહારધિક ન મળે એટલું જ નહીં પણ તેમની સાથે જો કોઈ સાધુ હોય તો તેમને પણ ગોચરી ન મળે એવું બનવા લાગ્યું. આથી સર્વ સાધુઓએ મળી શ્રી નેમિનાથ ભગવાનને પૂછ્યું કે, હે પરમાત્મા! તમારા જેવાના શિષ્ય અને શ્રીકૃષ્ણ વાસુદેવ જેવાના પુત્ર અને ધાર્મિક, ધનાઢ્ય અને ઉદાર ગૃહસ્થવાળી આ નગરીમાં શ્રી ઢંઢણમુનિને ગોચરી કેમ મળતી નથી? તેથી ભગવાને કહ્યું કે, તેમના પૂર્વ ભવનાં કર્મો ઉદયે આવવાથી આમ થાય છે. સાધુઓએ તેમના પૂર્વ ભવ જાણવાની ઇચ્છા બતાવી તેથી શ્રી નેમિનાથ ભગવાને તેમનો પૂર્વભવનો વૃત્તાંત કહેતાં કહ્યું કે, પૂર્વ મગધ દેશમાં પરાશર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ગામના લોકો પાસે રાજ્યનાં ખેતરો વવરાવતો હતો. દરરોજ ભોજન વેળા થાય અને બધાની ભોજન સામગ્રી આવી જાય તો પણ તે ભોજન કરવાની બધાને રજા આપતો ન હતો અને ભૂખ્યા લોકો પાસે પણ ભૂખ્યા બળદોથી ચાલતાં હળ ખેડાવીને અસહ્ય મજૂરી કરાવતો હતો. એ કાર્યથી તેણે અંતરાય કર્મ બાંધ્યું છે અને તે અંતરાય કર્મ હાલ તે ઉદયે આવવાથી ભોગવી રહ્યા છે. આ પ્રમાણેનાં વચનો બધા સાધુઓની સાથે ઢંઢણ મુનિએ પણ ભગવાન દ્વારા સાંભળ્યાં. આ સાંભળી તેમને અત્યંત સંવેગ થયો અને તરત જ પ્રભુ પાસે અભિગ્રહ લીધે કે, આજથી હું પરલબ્ધિ નહીં કરું. કોઈએ લાવેલી ગોચરી હું વાપરીશ નહીં. મને પોતાને જ જો મારી લબ્ધિ દ્વારા જ ભોજન મળશે તો તે વાપરીશ. આ રીતે તેમણે કેટલોક કાળ આહાર નિર્ગમન કર્યો. એક વખત સભામાં બેઠેલામાંથી શ્રીકૃષ્ણ વાસુદેવે ભગવાન નેમિનાથને પૂછ્યું કે, આ સર્વ સાધુમાં દુષ્કર કાર્ય કરનાર કોણ છે? પ્રભુએ કહ્યું, બધા જ મુનિ દુષ્કર કાર્ય કરે છે પણ ઢઢણમુનિ સર્વથી અધિક છે. કારણ કે તેઓ આવો સખ અભિગ્રહ ઘણા કાળથી પાળે છે. ત્યાર બાદ શ્રીકૃષ્ણ વાસુદેવ પ્રભુને વાંદી પોતાના મહેલે જતા હતા તેવામાં માર્ગમાં ઢંઢણમુનિને ગોચરીએ જતા જોયા. એટલે હાથી ઉપરથી ઊતરી તેમણે ભક્તિપૂર્વક ઢઢણમુનિને નમસ્કાર કર્યા. આ રીતે શ્રીકૃષ્ણ વાસુદેવને વંદન કરતા Page #58 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૩૭ જોઈને એક ગૃહસ્થને મુનિ, માટે માન થયું કે, અહો ખુદ કૃષ્ણ વાસુદેવ જેમને નમસ્કાર કરે છે તે મુનિ કેવા મહાન ચારિત્રશીલ હશે. તેમ વિચારી તેઓ ઢંઢણ મુનિને પોતાના આવાસે લઈ જઈ બહુમાનપૂર્વક મોદક વહોરાવ્યા. મુનિ રાજી થતા થતા સ્વસ્થાનકે આવી પ્રભુને પૂછ્યું કે, આજે મને ગોચરી મળી છે. શું મારું અંતરાય કર્મ ક્ષીણ થઈ ગયું? શ્રી સર્વજ્ઞ પ્રભુએ જવાબ આપ્યો કે, ના, હજુ અંતરાય કર્મ બાકી છે. આજે ગોચરી મળી તે તો કૃષ્ણ વાસુદેવની લબ્ધિને લીધે મળી છે. શ્રી કૃષ્ણ તને નમસ્કાર કરતા હતા તે જોઈને શેઠે તને આ આહાર પ્રતિલાભિત ર્યો છે. આ સાંભળી શ્રી ઢઢણમુનિ કે જેઓ રાગ આદિથી રહિત થયેલા છે તેમને - આ પર - લબ્ધિનો આહાર છે, એ મને ન જ ખપે. આથી ભોજન વાપર્યા વિના યોગ્ય ભૂમિ એ જઈ મોદક આદિ આહાર પરઠવા ગયા તે વખતે અહો જીવોને પૂર્વોપાર્જિત કર્મનો ક્ષય થવો બહુ મુશ્કેલ છે. આવાં કર્મ કરતાં મારા આત્માએ કેમ વિચાર ન કર્યો આત્માએ એમ વિચારતા અને ધ્યાનમાં મગ્ન થઈ જતા તે ઢંઢણ મુનિને કેવળ જ્ઞાન થયું. ::::: આ દુનિયાની રંગભૂમિ આ દુનિયાની રંગભૂમિ પર, કોઈ બને મોર તો કોઈ બને તેલ, આવ્યા છે સહુએ કરવાને ખેલ. આવ્યા છે....૧ કોઈ થાય રાજા તો કોઈ થાય ભિખારી, કોઈ ખાય ખાજા તો કોઈનું પેટ ખાલી, કોઈને મહેલ તો કોઈને જેલ. આવ્યા છે....૨ કોઈ થાય સાધુ તો કોઈ રંગરાગી, માયા ને મોહમાં કોઈ રંગરાગી કે ભોગી કોઈને જડે ના, જીવન મરણનો સાચો ઉકેલ....આવ્યા છે....૩ કોઈ જાય આજે તો કોઈ જશે કાલે, કોઈને તિલક તો કોઈને કલંક ભાલે, કોઈનો અંત સુખમાં તો કોઈનો અંત દુખમાં, પૂરો થઈ જશે આ ખેલ.. આવ્યા છે.....૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૮ શ્રી રહનેમિ એક વાર ભગવાન નેમનાથ તેમના સાધુ સમુદાય સાથે વિહાર કરતાં કરતાં ગિરનાર પર્વત ઉપર રહ્યા હતા. રહનેમિ કે જે સંસારીપણાના ભગવાન નેમનાથના નાના ભાઈ હતા. તેઓ ગોચરી વહોરી પ્રભુ પાસે આવતા હતા. તેવામાં અચાનક વૃષ્ટિ થઈ. તે વરસાદથી બચવા મુનિ રહનેમિ એક બાજુની ગુફામાં પેઠા. એ અવસરે રાજીમતી સાધ્વી પણ પ્રભુને વાંદીને પાછાં ફરતાં હતાં. તેઓએ પણ અજાણતાં આ ગુફામાં જ પ્રવેશ કર્યો. તેમનાં વસ્ત્રો વરસાદથી ભીંજાયાં હતાં એટલે ગુફામાં થોડાં દૂર જઈ ભીંજાયેલાં વસ્ત્રો સૂકવવા માટે તેણે કાઢી નાખ્યાં. અપકાયજીવોની વિરાધનાની વ્યાકુળતાથી આછા અંધકારમાં પોતાની સમીપમાં જ રહેલા રહનેમિ મુનિને તેમણે જોયા નહીં, પણ ઝાંખા અજવાળામાં મુનિ વસ્ત્રવિહીન દશામાં રાજીમતીને જોઈ કામાતુર થયા. તેમણે રાજમતીને કહ્યું, હે ભદ્રે ! મેં પૂર્વે પણ તમારી આશા રાખી હતી અને હજુ કહું છું કે હમણાં ભોગનો અવસર છે. સ્વર ઉપરથી રહનેમિને ઓળખી, રાજીમતીએ વસ્ત્રથી પોતાનું શરીર ઢાંકી દીધું અને કહ્યું, કુલીન જનને આમ બોલવું કદી ઘટે નહીં. વળી તમો નેમજીના લઘુ બંધુ છો અને તેમના જ શિષ્ય થયા છો. છતાં તમને આવી દુર્બુદ્ધિ ક્યાંથી આવી? હું સર્વજ્ઞની શિષ્યા થઈને તમારી આ ઇચ્છા પૂરી કરીશ નહીં. આવી વાંછના માત્ર કરવાથી તમો ભવસાગરમાં પડશો. હું ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી પુત્રી છું. તમે પણ ઉત્તમ કુળના પુરુષ છો. આપણે કોઈનીચ કુળમાં ઉત્પન્ન થયેલાં નથી કે જેથી અંગીકાર કરેલા સંયમનો ભંગ કરીએ. અનંધનકુળના સર્પ પણ વમન કરેલું પાછું ખાવા ઇચ્છતા નથી તે કરતાં અગ્નિમાં પેસવાનું પસંદ કરે છે. રહનેમિએ જુવાની ભોગવી લેવા અને ધર્મ તો બુઢાપામાં પણ થશે - એમ કહી પોતાની ઇચ્છા દોહરાવી પણ રાજીમતીજે એક ચારિત્રવાન સાધ્વીહતી તેણે રહનેમિને, ઉત્તમ મનુષ્ય ભવ મળ્યો છે અને આ ચારિત્ર લીધું છે, તો ભવસાગર તરી જવાના બદલે આ નર્કે જવા કેમ તૈયાર થયા છો? એમ પ્રતિબોધી રહનેમિને સમજાવ્યા. રહનેમિને સખ્ત પશ્ચાત્તાપ થયો અને સર્વ પ્રકારે ભોગની ઇચ્છા તજી દીધી. તેમણે રાજીમતીને વિનંતી કરી કે, મારું આ પાપ કોઈને જણાવશો નહીં. પણ રાજીમતીએ કહ્યું પ્રભુ સર્વજ્ઞ છે તે તો બધું જાણે જ છે. તેથી રહનેમિએ પ્રભુ નેમનાથ પાસે જઈ પોતાના દુશારિત્રની આલોચના કરી એક વર્ષ સુંદર તપશ્ચર્યા અને ચારિત્ર પાળી, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે ગયા. Page #60 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમક્યા હીરાઓ [ ૩૯ શ્રી સુકોશલ મુનિ એક સમયે અયોધ્યાનગરીમાં કીર્તિધર નામના રાજા હતા. તેમને સહદેવી નામની પત્ની હતી. તેઓ ભર યુવાનીમાં હોવાથી ઇંદ્રની જેમ વિષયસુખ ભોગવતાં હતાં. એકદા તેમને દીક્ષા લેવાની ઇચ્છા થઈ. પણ મંત્રીઓએ તેમને સમજાવ્યા કે, "જ્યાં સુધી તમારે ઘરે પુત્ર ઉત્પન્ન થયો નથી, ત્યાં સુધી તમારે વ્રત લેવું યોગ્ય નથી. તમો અપુત્રપણામાં વ્રત લેશો તો પૃથ્વી અનાથ થઈ જશે. માટે સ્વામી ! પુત્ર ઉત્પન્ન થાય ત્યાં સુધી રાહ જુઓ." આ પ્રમાણે મંત્રીઓના કહેવાથી કીર્તિધર રાજા શરમના માર્યા દીક્ષા ન લેતાં ગૃહવાસમાં રહ્યા. કેટલોક કાળ ગયા પછી તેમને સહદેવી રાણીથી સુકોશલ નામે પુત્ર થયો. તેનો જન્મ થતાં જ આ બાળપુત્ર જન્મેલો જાણી મારા પતિ દીક્ષા લેશે એમ ધારી સહદેવીએ તેને સંતાડી દીધો. બાળકને ગુપ્ત રાખવા છતાં કીર્તિધરને બાળકની બરાબર ભાળ મળી જવાથી, તે બાળકને રાજ્યગાદી ઉપર બેસાડી વિજ્યસેન નામના મુનિની પાસે દીક્ષા લીધી. તીવ્ર તપસ્યા કરતા અને અનેક પરીષહોને સહન કરતા તે રાજર્ષિ ગુરની આજ્ઞાથી એકાકી વિહાર કરવા લાગ્યા અને વિહાર કરતાં કરતાં એક વખત અયોધ્યાનગરીમાં આવ્યા. તેઓ એક માસના ઉપવાસી હોવાથી પારણાને માટે ભિક્ષા લેવા મધ્યાહન વખતે શહેરમાં ભમતા હતા. તે મુનિ પોતાના સંસારીપણાના પતિ છે અને ગામમાં હોવાથી સુકોશલ તેમને મળશે, તો સુકોશલ પણ દીક્ષા લઈ લેશે - એટલે પોતે પતિવિહોણી તો છે જ, વળી પુત્રવિહીન પણ થઈ જશે. એટલે આ કીર્તિધર મુનિને રાજ્યની કુશળતા માટે નગરીમાંથી કાઢી મૂકવા જોઈએ. આવો વિચાર કરીને રાણીએ પોતાના માણસો દ્વારા કીર્તિધર મુનિને નગર બહાર કાઢી મુકાવ્યા. આ વાત સુકોશલની ધાવમાતાએ જાણી તેથી તે છૂટે મુખે રોવા લાગી. રાજા સુકોશલે તેને રોવાનું કારણ પૂછ્યું ત્યારે તેને તમારા પિતા, જેમણે તમોને રાજ્ય ઉપર બેસાડી દીક્ષા લીધી છે તેઓ ભિક્ષા માટે ગામમાં આવેલા. તમારી માતાએ તમને એ મુનિ મળશે તો તમે પણ દીક્ષા લેશો એમ જાણી તેમને ગામ બહાર કઢાવી મૂક્યા છે. આથી હું રુદન કરું છું. આ દુ:ખ હું સહન કરી શકતી નથી. આ જાણી સુકોશલ વિરક્ત થઈ પિતાની પાસે આવ્યા અને અંજલિ જોડી વતની યાચના કરી. તે વખતે તેની પત્ની ચિત્રમાળા ગર્ભિણી હતી તે Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૪૦ મંત્રીઓ સાથે આવી અને સુકોશલને દીક્ષા ન લેવા સમજાવવા લાગી. પણ સુકોશલે તેને કહ્યું કે, “તારા ગર્ભમાં જે પુત્ર છે તેનો મેં રાજ્ય ઉપર અભિષેક કરેલો છે.” એમ સમજાવી સુકોશલે પિતાની પાસે દીક્ષા લીધી અને મહા આકરી તપસ્યા કરવા લાગ્યા. મમતા રહિત અને કષાય વર્જિત એ પિતા - પુત્ર મહામુનિ થઈ પૃથ્વી તળને પવિત્ર કરતા સાથે જ વિહાર કરતા હતા. પુત્ર અને પતિના વિયોગે સહદેવીને ઘણો ખેદ થયો તેથી આર્તધ્યાનમાં મૃત્યુ પામીને કોઈ ગિરિની ગુફામાં વાઘણ થઈ. કીર્તિધર અને સુકોશલ મુનિ ચાતુર્માસ નિર્ગમન કરવાને માટે પર્વતની ગુફામાં સ્થિર ધ્યાનસ્થ અવસ્થામાં રહ્યા અને કાર્તિક માસ આવ્યો ત્યારે તે બન્ને મુનિ પારણાને માટે શહેર તરફ ચાલ્યા. ત્યાં માર્ગમાં યમદૂતી જેવી પેલી દુષ્ટ વાઘણે તેઓને દીઠા. વઘણ નજીક આવીને તરાપ મારવા તૈયાર થઈ તે વખતે બન્ને સાધુ ધર્મધ્યાનમાં તત્પર થઈને ત્યાં જ કાયોત્સર્ગે રહ્યા. તે વાઘણે આગળ પહેલાં સુકોશલ મુનિ હોવાથી તેમના ઉપર પ્રહાર કર્યો. તેમને પૃથ્વી ઉપર પાડી નાખ્યા અને નખરૂપ પોતાના અંકુશથી તેમના શરીરને ફાડી નાખ્યું અને તેમાંથી વહેતા રુધિરનું પાન કરવા લાગી અને દાંતથી તડતડ તોડીને માંસ ખાવા લાગી. આવા વખતે સુકોશલ મુનિ આ વાઘણ મને કર્મક્ષયમાં સહકારી છે . એમ મુનિ જરા પણ ગ્લાનિ ન પામતાં શુકલ ધ્યાનમાં પહોંચતાં તત્કાળ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તેવી જ રીતે કીર્તિધર મુનિ પણ અનુક્રમે કેવળજ્ઞાન પામી અદ્વૈત્ય સુખના સ્થાન રૂપ પરમપદને પ્રાપ્ત થયા. અરિહા શરણ અરિહા શરણં, સિદ્ધા શરણે, સાહુ શરણે વરીએ: ધમ્યો શરણે પામી વિનયે જિનઆણાં શિર ધરીએ. અરિહા શરણે મુજને હોજો, આતમ શુદ્ધિ કરવા, સિદ્ધા શરણં મુજને હોજો, રાગદ્વેષને હણવા. સાહુ શરણં મુજને હોજો, સંયમ શૂરા બનવા, ધમો શરણં મુજને હોજો, ભવોદધિથી કરવા. મંગલમય ચારેનું શરણું, સઘળી આપા ટાળે, - ચિધ્ધન કેરી બની નૈયા, શાશ્વત નગરે વાળે. :::::: :: ::::::: :::::::::: * * * * * * * * * Page #62 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૪૧ શ્રી પ્રસન્નચંદ્ર રાજઋષિ પોતનપુર નગરના રાજા પ્રસન્નચંદ્ર. પ્રભુ મહાવીર પોતનપુર આવ્યા છે અને મનોરમ નામના ઉદ્યાનમાં સમવસર્યા છે એ જાણી રાજા પ્રભુને વાંદવા આવ્યા અને મોહને નાશ કરનારી પ્રભુની દેશના સાંભળી. તેઓ સંસારથી ઉદ્વેગ પામ્યા અને પોતાના બાળકુમારને રાજ્ય સિંહાસન ઉપર બેસાડી, તેમણે પ્રભુ પાસે દીક્ષા વ્રત ગ્રહણ કર્યું. પ્રસન્નચંદ્ર રાજર્ષિ અનુક્રમે સૂત્રાર્થના પરગામી થયા. પ્રભુ વિહાર કરતા કરતા રાજગૃહનગરે પધાર્યા. પ્રભુનાં દર્શન કરવા શ્રેણિક રાજા પુત્રોના પરિવાર સાથે હાથીની સવારી તથા ઘોડા વગેરેની શ્રેણી સાથે આવવા નીકળ્યા. તેની સેનામાં સૌથી આગળ સુમુખ અને દુર્મુખ નામે બે મિથ્યા ષ્ટિ સેનાનીઓ ચાલતા હતા. તેઓ પરસ્પર વિવિધ વાર્તાઓ કરતા ચાલ્યા આવતા હતા. રસ્તામાં ચાલતાં તેઓએ પ્રસન્નચંદ્રમુનિને એક પગે ઊભા રહી, ઊંચા હાથ કરીને તપ કરતા જોયા. તેઓને જોઈ સુમુખ બોલ્યા કે, "અહો, આવી આતાપના કરનાર આ મુનિને સ્વર્ગ કે મોક્ષ પણ દુર્લભ નથી.' એ સાંભળી દુર્મુખ બોલ્યો કે, "અહો ! આ તો પોતનપુરનો રાજા પ્રસન્નચંદ્ર છે. મોટી ગાડીમાં જેમ વાછરડાને જોડે તેમ આ રાજાએ રાજ્યનો બધો ભાર પોતાના બાળકુમાર ઉપર મૂક્યો છે. એ તે કંઈ ધર્મી કહેવાય ? એના મંત્રીઓ ચંપાનગરીના રાજા દીવાહનની સાથે મળી, તેના રાજકુમારને રાજ્ય ઉપરથી ભ્રષ્ટ કરશે. એટલે આ રાજાએ તો ઊલટો અધર્મ કર્યો છે." આ પ્રમાણેનું વચન ધ્યાનસ્થ મુનિ પ્રસન્નચંદ્રે સાંભળી મનથી ચિંતવવા લાગ્યા કે, "અહો ! મારા અકૃતજ્ઞ મંત્રીઓને ધિક્કાર છે. તેઓ મારા પુત્ર સાથે આવો ભેદ કરે છે ? જો હું આ વખતે રાજ્ય સંભાળતો હોત તો તેઓને બહુ આકરી શિક્ષા કરત.” આવા સંકલ્પ-વિકલ્પોથી અપ્રસન્ન થયેલા રાજ પોતાના ગ્રહણ કરેલા વ્રતને ભૂલી જઈ મનથી જ મંત્રીઓ સાથે યુદ્ધ કરવા લાગ્યા. આગળ ચાલતાં શ્રેણિક મહારાજા પોતાના રસાલા સાથે પ્રભુ પાસે આવ્યા અને વંદના કરીને પૂછ્યું કે, “રસ્તામાં પ્રસન્ન ચંદ્ર રાજષિને ધ્યાનાવસ્થામાં મેં વાંઘા છે. તે સ્થિતિમાં કદાપિ તે મૃત્યુ પામે તો કઈ ગતિમાં જાય ?” પ્રભુ બોલ્યા કે, “સાતમી નરકે જાય. તે સાંભળી શ્રેણિક રાજા વિચારમાં પડ્યા કે, 'સાધુને નરગમન હોય નહીં પ્રભુનું કહેવું મારાથી બરાબર સંભળાયું નહીં હોય. ૨૩. Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૪૨ થોડી વાર રહીને શ્રેણિકે ફરીથી પૂછ્યું કે, હે ભગવાન ! પ્રસન્નચંદ્રમુનિ જો આ સમયે કાળ કરે તો ક્યાં જાય ?" ભગવંતે કહ્યું કે, "સર્વાર્થ સિદ્ધ વિમાને જાય શ્રેણિકે પૂછ્યું કે, "ભગવંત ! આપે ક્ષણના અંતરમાં બે જુદી વાત કેમ કહી !" પ્રભુ બોલ્યા કે, 'ધ્યાનના ભેદથી તે મુનિની સ્થિતિ બે પ્રકારની થઈ તેથી મેં તેમ કહેલ. પ્રથમ દુખની વાણી સાંભળીને પ્રસન્નચંદ્રમુનિ બ્રેધી થયા હતા અને પોતાના મંત્રી વગેરેની સામે મનમાં કોપિત થઈ યુદ્ધ કરતા હતા. તે વખતે તમે એને વંદના કરી હતી, તેથી તે વખતે તે નરકને યોગ્ય હતા. ત્યાંથી તમારા અહીં આવવા દરમ્યાન તેણે મનમાં વિચાર્યું કે, હવે મારી પાસેનાં બધાં આયુધો ખલાસ થઈ ગયાં માટે હવે તો મારા મસ્તક ઉપરના શિરસ્ત્રાણથી શત્રુને મા. - એવું ધારી પોતાનો હાથ માથા પર મૂક્યો. ત્યાં તો માથે લોચ કરેલો જાણી પોતે વ્રતમાં છે એ જાણી, ઓહો ! આ મેં શું ચિંતવ્યું ? એમ તે પોતાના આત્માને નિંદવા લાગ્યા અને તેની આલોચના પ્રતિક્રમણ કરીને પાછા પ્રશસ્ત ધ્યાનમાં સ્થિર થયા, તેથી તમારા બીજા પ્રબ સમયે તે સર્વાર્થ સિદ્ધિને યોગ્ય થઈ ગયા. આ પ્રમાણે વાત ચાલે છે ત્યાં પ્રસન્નચંદ્રમુનિની સમીપે દેવ દુંદુભિ વગેરે વાગતાં સંભળાયાં તે સાંભળી શ્રેણિકે પ્રભુને પૂછ્યું, "સ્વામી ! આ શું થયું ?" પ્રભુ બોલ્યા કે, "ધ્યાનમાં સ્થિર થયેલા પ્રસન્નચંદ્રમુનિને હમણાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે અને દેવતાઓ તેમના કેવળજ્ઞાનનો મહિમા ઊજવે છે. છેલ્લી ઘડીએ લપક શ્રેણીએ ચડી જતાં પ્રસન્નચંદ્ર રાજઋષિ કેવળજ્ઞાન પામ્યા.” વધાઈ દિનાનાથની વધાઈ બાજે છે, મારા નાથની વધાઈ બાજે છે. શરણાઈ સુર નોબત બાજે, મોર ધનન ઘન ગાજે છે...મારા નાથની. ઇન્દ્રાણી મિલ મંગલ ગાવે, મોતીયના ચૌક પૂરાવે છે......મારા નાથની. સેવક પ્રભુજી શું અરજ કરે છે, ચરણોં કી સેવા ખારી લાગે છે.... મારા નાથની. Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૪૩ શ્રી ત્રિપુષ્ટ વાસુદેવ ત્રિપૃષ્ટ વાસુદેવ અંત:પુરની સ્ત્રીઓ સાથે સુખે વિલાસ કરતા હતા. એક દિવસ કેટલાક ગવૈયાઓ આવ્યા. તેઓએ વિવિધ રાગોથી મધુર ગાયન કરી, ત્રિપૃષ્ટ વાસુદેવનું હૃદય હરી લીધું. રાત્રીના સમયે આ ગવૈયાઓ પોતાનું મધુર ગાન ગાતા હતા. શ્રી ત્રિપૃષ્ટ વાસુદેવે વાચ પ્રમાણે આવેલા પોતાના શય્યાપાલકને આજ્ઞા કરી કે, “જ્યારે મને નિદ્રા આવે ત્યારે ગવૈયાઓને ગાયન કરતાં બંધ કરીને તેમને વિદાય કરી દેજે." થોડી વારે ત્રિપૃષ્ટ વાસુદેવના નેત્રમાં નિદ્રા આવી, પણ શય્યાપાલકે સંગીત સાંભળવાના લોભથી તે ગવૈયાનું સંગીત બંધ કરાવ્યું નહીં. આ પ્રમાણે ગાયનમાં જ રાત્રિનો કેટલોક સમય પસાર થઈ ગયો એટલે ત્રિપૃષ્ટ વાસુદેવની નિદ્રા તૂટી ગઈ. તે વખતે ગાયકોનું ગાન ચાલુ હતું, તે સાંભળી તે વિસ્મય પામ્યા. તત્કાળ તેમણે શય્યાપાલકને પૂછ્યું "આ ગવૈયાઓને તેં હજુ સુધી કેમ વિદાય કર્યા નહીં ?” શય્યાપાલકે કહ્યું, "હે પ્રભુ ! તેઓના ગાયનથી મારું હૃદય આક્ષિપ્ત થઈ ગયું, જેથી હું આ ગાયકોને વિદાય ન કરી શક્યો, અને આપના હુકમનું પણ વિસ્મરણ થઈ ગયું.” આ સાંભળતાં જ વાસુદેવને કોપ ઉત્પન્ન થયો, પણ તે વખતે તો તેને ગોપવી રાખ્યો. પરંતુ પ્રાત:કાળ થતાં તેઓ પોતાના સિંહાસન પર આરૂઢ થયા તે વખતે રાત્રિનું વૃત્તાંત સંભારી, તે શય્યાપાલકને બોલાવી, વાસુદેવે સેવક પુરુષોને આજ્ઞા કરી કે, “આ ગાયનની પ્રીતિવાળા પુરુષના કાનમાં તપેલું સીસું અને ત્રાંબુ રેડો, કારણ કે એ કાનનો જ દોષ છે." તેઓએ શય્યાપાલકને એકાંતમાં લઈ જઈ તેના કાનમાં અતિશય ગરમ કરેલ સીસું રેડ્યું. આ ભયંકર વેદનાથી શય્યાપાલક તરત જ મરણ પામ્યો અને વાસુદેવે મહામાઠા વિપાકવાળું અશાતા વેદનીય કર્મ બાંધ્યું. આવાં ઘણાં પાપ કર્મો અને ક્રૂર અધ્યવસાયથી સમકિત રૂપ આભૂષણને નાશ પમાડનાર એવો ત્રિપૃષ્ટ વાસુદેવ નારકીનું પાપ બાંધી પોતાનું આયુષ્ય પૂરું થર્તા સાતમી નરક ભૂમિમાં ગયો. ૨૪. આ ત્રિપુષ્ટ વાસુદેવનો આત્મા કાળે કરી ત્રિશલા કુખે જન્મ્યા અને ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી થયા અને શય્યાપાલકનો જીવ આ કાળમાં ગોવાળ થયો. એકદા પ્રભુ મહાવીર કાઉસગ્ગ ધ્યાને ઊભા હતા ત્યાં આ ગોવાળે પોતાના બળદોને ત્યાં મૂકીને ગાયો દોવા ગયો. બળદો ચરતા ચરતા કોઈ અટવીમાં દૂર ચાલ્યા ગયા. Page #65 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૪૪ થોડી વારે ગોવાળ પાછો આવ્યો ત્યારે પોતાના બળદોને જોયા નહીં એટલે તેણે પ્રભુને પૂછ્યું કે, "અરે દેવાર્ય ! મારા બળદો ક્યાં ગયા ? તું કેમ બોલતો નથી ? તું કેમ મારાં વચન સાંભળતો નથી ? આ તારા કાનનાં છિદ્ર શું ફોગટનાં જ છે ?" આ પ્રમાણે કહેવા છતાં પણ પ્રભુ કંઈ બોલ્યા નહીં ત્યારે તેણે અતિ ક્ષેધ કરી, પ્રભુના બન્ને કાનમાં બાવળની શૂળો (કાશડાની સળીઓ) નાખી. બન્ને બાજુથી આ નાખેલ શળીઓ પરસ્પર એવી રીતે મળી ગઈ કે, જાણે તે અખંડ એક જ શળી હોય એમ દેખાવા લાગી. પછી આ બે ખીલાઓ કોઈ કાઢી શકે નહીં - એવું ધારીને તે દુષ્ટ ગોવાળ તેનો બહાર દેખાતો ભાગ કાપીને ચાલ્યો ગયો. પ્રભુ આ વખતે કાનમાં શલ્ય દ્વારા થતી પીડાથી જરા પણ કંપિત થયા નહીં અને શુભધાનમાં લીન રહ્યા અને પ્રભુ ત્યાંથી વિહાર કરી, અપાપાનગરીએ પધાર્યા અને સિદ્ધાર્થ વણિકને ઘેર ગયા. ત્યાં ખરક નામના વૈધે કાનનું આ શલ્ય પારખ્યું અને પ્રભુના કાનમાંથી બે સાણસી વડે બન્ને કાનમાંથી ખીલા એકસાથે ખેંચ્યા એટલે રુધિર સહિત બન્ને ખીલા, જાણે પ્રત્યક્ષ અવશેષ વેદનીય કર્મ નીકળી જતું હોય તેમ નીકળી પડ્યા. એ ખીલા ખેંચતી વખતે પ્રભુને એવી ભયંકર વેદના થઈ કે તે વખતે તેઓથી ભયંકર ચીસ પડી ગઈ. પછી ખરલ વૈદ્ય અને સિદ્ધાર્થ વણિકે અંરોહિણી ઔષધિથી પ્રભુના કાનને તત્કાળ રૂઝવી પોતાના ઘરે ગયા. આમ ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં કાનમાં ગરમ સીસું રેડેલ તે કર્મ પ્રભુના ભવમાં ભગવાનને આ રીતે કાનમાં ખીલા ઠોકાયા એ રીતે ભોગવવું પડ્યું. જૂનું થયું રે દેવળ જૂનું રે થયું જૂનું થયું રે દેવળ જૂનું રે થયું, મારો હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું. ટિક) આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે; પડી ગયા દાંત, માંયલી રેખું તો રહ્યું. મારો૦ તારે ને મારે હંસા પ્રીસું બંધાણી રે; ઉડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું. મારો બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરના ગુણ; પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીવું. મારે Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૪૫ | શ્રી નયસાર, ૨ પ. જંબુદ્વીપમાં યંતી નામે નગરી હતી. ત્યાં શત્રુમર્દન નામે રાજા રાજ્ય કરતા હતા. તેના પૃથ્વી પ્રતિષ્ઠાન નામના ગામમાં નયસાર નામે એક સ્વામી ભક્ત ગામેતી હતો. તેને કોઈ સાધુ-મહાત્માઓ સાથે સંપર્ક ન હતો પણ અપકૃત્યથી પરાડુ મુખ-બીજાના દોષને જોવામાં વિમુખ અને ગુણગ્રહણમાં તત્પર રહેતો. એક વખત રાજાની આજ્ઞાથી તે મોટાં લાકડાં લેવા માટે ભાતું લઈ કેટલાંક ગાડાં સાથે એક જંગલમાં ગયો. ત્યાં વૃક્ષો કાપતાં મધ્યાહૂન સમય થયો અને ખૂબ ભૂખ લાગી. તે વખતે નયસાર સાથે આવેલા બીજા સેવકોએ ઉત્તમ ભોજનસામગ્રી પીરસી. નયસારને જમવા બોલાવ્યો. પોતે સુધા-તૃષા માટે આતુર હતો છતાં પણ કોઈ અતિથિ આવે તો હું તેને ભોજન કરાવીને પછી જમું." - એમ ધારી પોતે આમ તેમ જોવા લાગ્યો. તેવામાં સુધાતુર, તૃષાતુર અને પસીનાથી જેમનાં અંગો રેબઝેબ થઈ ગયાં છે એવા કેટલાક મુનિઓ એ તરફ આવી ચડ્યા. “ઓહો ! આ મુનિઓ મારા અતિથિ થયા તે બહુ સારું થયું એમ ચિંતવતા નયસારે તેમને નમસ્કાર કરીને પૂછ્યું કે, “હે ભગવંત ! આવી મોટી અટવીમાં તમો ક્યાંથી આવી ચડ્યા ! કેમ કે શસ્ત્રધારી પણ આ અટવીમાં એકાકીપણે ફરી શકે તેમ નથી. તેથી તેઓ બોલ્યા કે, અમો શરૂઆતમાં અમારા સ્થાનથી સાર્થની સાથે અમે ચાલ્યા હતા, પણ માર્ગમાં કોઈ ગામમાં ભિક્ષા લેવાને પેઠા, તેવામાં સાર્થ ચાલ્યો ગયો. અમને ભિક્ષા કંઈ મળી નહીં, તેથી અમો સાર્થને શોધતા આગળ ને આગળ ચાલ્યા પણ અમોને સાર્થ તો મળ્યો નહીં અને આ અટવીમાં આવી ચડ્યા. નયસાર બોલ્યો, “અહો ! એ સાર્થ કેવો નિર્દય ! કેવો વિશ્વાસઘાતી ! કે તેની આશાએ ચાલેલા સાધુઓને સાથે લીધા વગર તે પોતાના સ્વાર્થમાં નિષ્ફર બનીને ચાલ્યો ગયો. પણ મારા પુણ્ય તમો અતિથિ રૂપે પધાર્યા તે બહુ સારું થયું." આ પ્રમાણે કહીને નયસાર તે મહામુનિઓને જ્યાં પોતાનું ભોજનસ્થાન હતું ત્યાં લઈ ગયો અને પોતાને માટે તૈયાર કરી લાવેલા અનપાનથી તેણે તે મુનિઓને પ્રતિલાભિત ક્ય, એટલે મુનિઓએ ત્યાંથી બીજે જઈને વિધિ વડે તેનો આહાર કર્યો. ભોજન કરીને નયસાર મુનિઓની પાસે આવ્યો અને પ્રમાણ કરીને કહ્યું કે, “હે ભગવંત ! ચાલો, હું તમને નગરનો માર્ગ બતાવું. એટલે Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૪૬ મુનિઓ નયસારની સાથે ચાલ્યા અને નગરીના માર્ગે આવી પહોંચ્યા. ત્યાં મુનિઓએ એક વૃક્ષની નીચે બેસીને નયસારને ધર્મ સંભળાવ્યો. તે સાંભળી, પોતાના આત્માને ધન્ય માનતા નયસારે તે જ વખતે સમકિત પ્રાપ્ત કર્યું અને મુનિઓને વાંદીને તે પાછો વળ્યો અને કાપેલ બધાં કાષ્ઠો રાજાને પહોંચાડી પોતાના ગામમાં આવ્યો. પછી આ મોટા મનવાળો નયસાર ધર્મનો અભ્યાસ કરતો તત્ત્વને ચિંતવતો અને સમકિત પાળતો પોતાનો કાળ નિર્ગમન કરવા લાગ્યો. એ પ્રમાણે આરાધના કરતો નયસાર અંત સમયે પંચ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી, મૃત્યુ પામી, સૌધર્મ દેવલોકમાં પલ્યોપમ આયુષ્યવાળો દેવતા થયો. આ જ આત્મા સત્યાવીશમા ભવે ત્રિશળા રાણીની કુખે જન્મી વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી થયા. વ્હાલા મારા હૈયામાં રહેજે... વ્હાલા મારા હૈયામાં રહેજે, ભૂલું ત્યાં નું ટોકતો રહેજે. માયાનો છે કાદવ એવો, પગ તો ખૂપી જાય; હિંમત મારી કામ ન આવે, તું પકડજે બાંહ્ય, વ્હાલા મારા... મરકટ જેવું મન આ મારું જ્યાં ત્યાં કૂદકા ખાય; મોહ મદિરા ઉપર પીધો, ને પાપે પ્રવૃત્ત થાય. વ્હાલા મારા... દેવું પતાવવા આવ્યા જગમાં, દેવું વધતું જાય; છૂટવાનો એક આરો હવે તો, તું છોડે છુટાય. વ્હાલા મારા.. પુનિતનું આ દર્દ હવે તો, મુખે કહ્યું નવ જાય; સોંપી મેં તો તારા ચરણમાં, થાવાની હોય તે થાય. વ્હાલા મારા.. Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૪૭ શ્રી સિંહ અણગાર મહાવીર પ્રભુના એક દ્રઢ અનુરાગી શિષ્ય સિંહ અણગાર. એકાંત નિર્જન અરણ્યમાં એક ઘટાદાર વટ વૃક્ષની નીચે ધ્યાન ધરી રહ્યા હતા. ત્યાં બે પુરુષો ભગવાન મહાવીર ઉપર ગોશાળાએ તેજોલેશ્યા મૂકી તેની વાત કરી રહ્યા હતા. – ૨૬. એક પુરુષ કહેતો હતો - ગોશાળાએ તેજોલેશ્યા ભગવાન ઉપર મૂકી ત્યારે ત્યાં હતા તે સમર્થ શિષ્યો કેમ ગોશાળાને રોકી ન શક્યા ? બીજાએ જવાબ આપ્યો, ભગવાનની આજ્ઞા હતી કે બધાએ ગોશાળાથી અળગા રહેવું છતાં તેજોલેશ્યા મૂકી તે સમયે પરમાત્મા ઉપર પરમ પ્રીતિવાળા બે અણગાર સુનક્ષત્ર તથા સર્વાનુભૂતિ ઝાલ્યા ન રહ્યા અને ગોશાળાને અટકાવવા વચ્ચે કૂદી પડ્યા પણ ગોશાળાએ છોડેલી તેજોલેશ્યાથી બન્ને જીવતા સળગી મોતને ભેટ્યા. અરરર.... ઘોર હત્યા... એ પાપી દિવસે આ બન્ને પુરુષો શ્રીવસ્તિ નગરીમાં હતા કે જ્યારે મિશ્રાદ્વેષી ગોશાળાએ મહાવીર પ્રભુ ઉપર તેજોલેશ્યા મૂકી હતી. પણ તેજોલેશ્મા પરમાત્માના દેહમાં પ્રવેશ કરવા સમર્થ ન હતી. ભગવાનને પ્રદક્ષિણા દઈને સીધી જ ગોશાળાના દેહમાં વ્યાપી ગઈ. પણ આ તેજોલેશ્યાની ગરમીથી ભગવાનના અંગેઅંગમાં બળતરા થતી હતી. ભગવાનની રૂપ સંપત્તિ સહેજ ઝંખવાઈ ગઈ હતી. બધા ભક્તગણ આ આફતથી બેબાકળા બની ગયા હતા. આ વાર્તાલાપ સિંહ અણગાર વટવૃક્ષની પાછળ ધ્યાન ધરતા હતા તે સાંભળે છે. તેમને આ ભયંકર વાતની ખબર ન હતી. પણ આ વાત સાંભળી તેમના હૈયામાં અપાર વેદના જાગી. તેમની કલ્પનાશક્તિથી પરમાત્માના રોગગ્રસ્ત દેહને જોયો. તે કંપી ઊઠ્યા - મારા નાથ .. ! તમારા દેહમાં આટલી બધી પીડા ? સિંહ અણગારની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી. થોડી વાર વળી બીજા બે વટેમાર્ગુઓ એ જ વટવૃક્ષ નીચે આવી બેઠા. બેમાંથી એક વૃદ્ધ અને એક બાળક હતા. બન્ને કદાચ પિતા-પુત્ર હોય. Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૪૮ બાળક વૃદ્ધને પૂછતો હતો, હે બાપુજી, ભગવાન ઉપર પેલા ગોશાળાએ તેજોલેક્ષા મૂકી. એ તેજોલેશ્યાથી શું થાય ? વૃદ્ધ કહે છે કે, "જો આ તેજલેશ્યા બીજા કોઈ ઉપર મૂકી હોય તો તરત બળીને મૃત્યુ પામે - પણ આ તો તીર્થંકર એટલે મૃત્યુ ન થયું પરંતુ...” આટલું કહેતાં તે વૃદ્ધની છાતી ભરાઈ ગઈ. વધુ ન બોલી શક્યા. એટલે બાળકે કહ્યું, કેમ બાપુજી" અટકી ગયા? પછી શું થયું.?" * “બેટા. ભગવાનને લોહીના ઝાડા થયા કરે છે. આમ કહેતાં તો એ વૃદ્ધ એક ધૂસકું ખાઈને મોટા અવાજે રડી પડ્યો. બાજુમાં જ ઊભેલા સિંહ અણગાર દોડી આવ્યા. આ વાર્તા સાંભળી તેમના હૈયે કારમી વેદના ઊઠી આવી અને આંસું નીતરતી આંખે પૂછે છે : ભાઈ, પછી શું થયું ? ભગવાનનું નિર્મળ ચંદ્રમા જેવું મોટું તેજોલેસ્થાના તાપથી શ્યામ થઈ ગયું. આખા શરીરે ભગવાને વેદના છે. આ તાપથી પ્રભુ છ માસથી વધુ નહીં જીવી શકે. વૃદ્ધ વધુ બોલી શક્તો નથી સિંહ અણગારની વેદના વધતી ગઈ. કેવી રીતે પ્રભુ આ સહન કરતા હશે? વધુ ને વધુ શોકના સાગરમાં તેઓ ડૂબતા ગયા. એક ખૂણામાં બેસી કરુણ સ્વરે રુદન કરવા માંડ્યું. ધુસકે ધ્રુસકે રોયા. . * આ વખતે બધા જ રડતા હતા - ગૌતમ સ્વામીથી માંડી પ્રત્યેક સાધુની આંખો આંસુથી છલકાઈ. ચંદનબાળા અને બીજાં સ્ત્રી-પુરુષો - દેવ અને દાનવો પણ શોકની છાયામાં ઘેરાયાં હતાં. પણ સિંહ અણગાર તો એવું રડ્યા કે છાના જ ન રહે. ભગવાન મહાવીર શ્રીવસ્તિથી વિહાર કરી મિંઢિક ગામ પધાર્યા ત્યાં કેવળજ્ઞાનના પ્રકાશમાં તેમને સિંહ અણગારના અપાર આકંદમાં તરફડતા જીવને જોઈ લીધો. તરત ભગવાને ગૌતમ સ્વામીને બોલાવી સિંહ અણગારને અહીં બોલાવી લાવવા આજ્ઞા કરી અને થોડા વખતમાં જ બે અણગારોએ સિંહ અણગારને ભગવાનનાં ચરણોમાં ઉપસ્થિત ક્ય. ભગવાનની પીડાતો દેહ નજરે પડતાં જ તેમની વેદના વધી પડી. તેઓ નીચે બેસી ગયા. કંઠ રૂંધાઈ ગયો. આંખો સૂઝી ગઈ હતી. સિંહ !!! મધુર વાણીથી ભગવાને અણગારને નજીક બોલાવ્યા. શા માટે સંતાપ કરે છે? પ્રભુ આપને આટલી બધી પીડ. ધ્રુસકે રડતાં રડતાં બોલ્યા. પ્રભુ બોલ્યા, સિંહ, તેં લોકોને મોઢે સાંભળ્યું ને કે મારું છ મહિને મૃત્યુ થશે? હા પ્રભુ Page #70 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૪૯ પણ તેવું બની શકે ખરું? તીર્થકરો હંમેશાં તેમનું આયુષ્ય પૂર્ણ કરીને જ નિર્વાણ પામે. તેમના આયુષ્યને કોઈ ઘટાડી ન શકે, કોઈ વધારી ન શકે. પણ પ્રભુ ! અણગાર રોતાં રોતાં કરગર્યા, સકળ સંઘ આપની આ સ્થિતિ જોતાં વ્યથા અનુભવી રહ્યો છે. પ્રભુ આપના માટે નહીં પણ મારા જેવાના મનની શાંતિ માટે તમે ઔષધનું સેવન કરો. આપની આ પીડા જોવા હું પળ વાર પણ સમર્થ નથી સિંહમુનિના આવા આગ્રહથી પ્રભુ બોલ્યા, આ ગામમાં રેવતી નામે એક શ્રાવિકાએ મારા માટે કોળાનો કટાહ પકાવ્યો છે. તે તું ન લેતો. પોતાના ઘર માટે તેણે બીજોરાનો કટાહ પકાવ્યો છે તે લઈ આવ. તારા આગ્રહથી એ કટાહ હું દવા તરીકે ગ્રહણ કરીશ, કે જેથી તને ઘર્ય પ્રાપ્ત થાય. સિંહ અણગાર નાચી ઊઠ્યા. તેમના અંગે અંગે હર્ષનો રોમાંચ થયો. રેવતીનું ઠેકાણુ શોધી સિંહ અણગાર તેના આંગણે આવ્યા. વિનયપૂર્વક રેવતીએ વંદના કરી હાથ જોડીને પૂછ્યું, કહો ભગવાન પધારવાનું કારણ? હે શ્રાવિકા, તેં ભગવાન માટે જે ઔષધ બનાવ્યું છે તે નહિ પણ જે તે તારા માટે ઔષધ બનાવ્યું છે તેની અમોને જરૂર છે. રેવતી આશ્ચર્ય સહ બોલી, હે ભગવાન! કોણ આવા દિવ્ય જ્ઞાની છે જે આવી ગુમ વાતને જાણી ગયા છે ! સર્વજ્ઞ ભગવાન સિવાય બીજું કોણ હોઈ શકે? રેવતી ! રેવતીએ આનંદપૂર્વક એ ઔષધ સિંહ અણગારને વહોરવું. અને જેવું પાત્રમાં ઔષધ પડ્યું કે દેવોએ મહાદાનમ્ મહાદાનમ્ નો દિવ્યધ્વનિ ર્યો. સિંહ અણગાર ત્વરિત ગતિએ ભગવાનની પાસે આવી ભગવાનને ઔષધનો આહાર કરાવ્યો અને અલ્પકાળમાં ભગવાનનો દેહ રોગથી મુક્ત બની ગયો. ચતુર્વિધ સંઘે આનંદ ઉત્સવ કર્યો, પણ સિંહ અણગારની આંખમાં હર્ષનાં આંસુની ધારા વહી રહી હતી અને મુખ ભગવાનની સામે મલકી રહ્યું હતું. Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૫૦ શ્રી આદ્રકુમાર ૨૭. સમુદ્રના મધ્યમાં આટૂંક નામે દેશ છે. તેનું આર્ટુક મુખ્ય નગર છે. ત્યાં આટૂંક નામે રાજા હતો.તેની આટૂંક રાણીથી આર્દ્રકુમાર નામે પુત્ર થયો. તે યૌવન વયને પ્રાપ્ત થતાં યથા રૂચિ સંસારીક ભોગ ભોગવવા લાગ્યો. આર્ટક રાજાને અને શ્રેણિક રાજાને પરંપરાથી પ્રીતિ બંધાયેલી હતી. એક વખત શ્રેણિક રાજાએ પોતાના મંત્રીને આટૂંકરાજાની પાસે ઘણી ભેટો લઈને મોકલ્યો. તે ભેટો સ્વીકારી આટૂંક રાજાએ બંધુ શ્રેણિકની કુશળતા પૂછી. આ જોઈ આર્ટુકુમારે પૂછ્યું, હે પિતાજી, આ મગધેશ્વર કોણ છે કે જેની સાથે તમારે આટલી બધી પ્રીતિ છે? ત્યારે રાજાએ કહ્યું કે, શ્રેણિક નામે મગધના રાજા છે અને તેમને અને આપણા કુળને પરંપરાથી પ્રીતિ ચાલી આવે છે. આ સાંભળી આર્દ્રકુમારે આવેલ મંત્રીશ્વરને પૂછ્યું કે, આ મગધશ્વરને કોઈ ગુણવાન પુત્ર છે? હોય તો તેને હું મારો મિત્ર કરવા ઇચ્છું છું. ત્યારે મંત્રીશ્વરે જવાબ આપ્યો કે, હા. બુદ્ધિનું ધામ એવા અભયકુમાર તેમના પુત્ર છે. આ સાંભળી વિદાય થતા મંત્રીશ્વરને આર્દ્રકુમારે પરવાળા અને મુક્તાફળ વગેરે અભયકુમાર માટે મૈત્રીના પ્રતીક તરીકે આપ્યાં. આ આકુમારના મૈત્રીભર્યા વર્તાવથી ખુશ થઈ અભયકુમારે વિચાર્યું કે, કોઈ શ્રમણપણાની વિરાધના કરવાથી એક અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છે. તેને મિત્ર તરીકે મારે ધર્મો બનાવવો જોઈએ - એમ ચિંતવી પ્રભુ આદિનાથની એક અહંત પ્રતિમા એક પેટીમાં મૂકી એક દૂત દ્વારા આર્દ્રકુમારને મોકલી આપી અને સંદેશો મોકલ્યો કે, આ પેટી આર્દ્રકુમારે એકાંતે ખોલવી. - પેટી ખોલતાં આકુમારને અપ્રતિમ શ્રી આદિનાથની મનોહર પ્રતિમા નજરે પડી. થોડો વખત તો, આ શું છે? તે તેમને સમજાયું નહીં પણ વિચાર કરતાં કરતાં આવું મેં પૂર્વે ક્યાંક જોયું છે - એમ ચિંતન કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેમાં પોતે જોયું કે આ ભવથી ત્રીજે ભવે તે મગધ દેશના વસંતપુર નગરમાં એક સામાપિકનામે કરવી હતો અને હવે કર્માધીન હું અહીં ધર્મવતિ એવા અનાર્ય દેશમાં ઉત્પન્ન થયો છું. મને પ્રતિબોધ પમાડનાર અભયકુમાર ખરેખર મારો બંધુ અને ગુરુ છે. તેથી હવે પિતાની આજ્ઞા લઈ હું આર્યદેશમાં જઈશ કે જયાં મારા આ મિત્ર અને ગુરુ છે. પણ પિતાજીએ આર્દ્રકુમારને Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૫૧ મગધ જવાની રજા આપી અને તેના સામંતોને આર્દ્રકુમાર કોઈ સંજોગોમાં નાસી ન જાય તે માટે સખ્ત બંદોબસ્ત રાખવા હુકમ કર્યો. આર્ટુકુમારે પોતાના માણસો પાસે એક વહાણ તૈયાર કરાવ્યું અને તેમાં રત્નો ભય અને એક દિવસ ભગવાન આદિનાથની મૂર્તિવાળી પેટી લઈને બધાને થાપ આપી વહાણ ઉપર ચડી આર્યદેશમાં આવી ગયા. અહીં આવી પ્રભુની પ્રતિમા અભયકુમારને પાછી મોકલી આપી અને સાથે રહેલ ધન સાત્ર ક્ષેત્રમાં વાપરી, પોતાની મેળે જ યતિલિંગ ગ્રહણ કર્યું. તે વખતે દેવતાઓએ ઊંચે સ્વરે કહ્યું કે, હે મહાસત્વ!તું હાલ દીક્ષા ગ્રહણ કરીશ નહીં. કારણ કે હજુ ત્યારે ઘણાં ભોગ્ય કર્મ બાકી છે. તે ભોગવ્યા પછી જ દીક્ષા લેજે. આવાં દેવોનાં વચનો - અનાદર કરીને આર્દ્રકુમારે પોતાની મેળે જ દીક્ષા ગ્રહણ કરી અને તીવ્રપણે વ્રત તો પાળતાં વિહાર કરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં તેઓ વસંતપુરનગરે આવ્યા, ત્યાં નગરની બહાર એક દેવાલયમાં સમાધિ અવસ્થામાં કાયોત્સર્ગમાં ઊભા હતા. એ નગરમાં દેવદત્ત નામે એક મોટો શેઠ હતો. તેને શ્રીમતી નામે એક ઘણી જ સ્વરૂપવાન પુત્રી હતી. તે એકદા નગરની બીજી બાળાઓ સાથે પરિમણની દોડ કરવા એ દેવાલયમાં આવી કે જ્યાં આર્દ્રકુમાર સમાધિ અવસ્થામાં ઊભા હતા. રમતાં રમતાં બધી બાલિકાઓ બોલી કે, સખીઓ! સર્વ પોતપોતાને ગમતા એવા વરને વરી લો. એટલે સર્વ કન્યા પરસ્પર રુચિ પ્રમાણે ઝાડના થડો સાથે વરી ગઈ. જયારે શ્રીમતીએ કહ્યું કે, સખીઓ, હું તો આ ઊભેલા ભટ્ટારક મુનિને વરી' એ વખતે દેવતાઓએ આકાશમાં રહીને કહ્યું કે, શાબાશ છે, તું ઠીકવરી છું. આ પ્રમાણે કહી ગર્જના કરીને તે દેવે ત્યાં રત્નોની વૃષ્ટિ કરી. તે ગર્જનાથી ગભરાઈ જઈ શ્રીમતી તે મુનિનાં ચરણને વળગી પડી. આથી મુનિએ વિચાર્યું કે, અહીં થોડી વાર રહેવાથી પણ મને વ્રતરૂપી વૃક્ષને માટે ઝંઝાવાતી વાયુ જેવો મનને ગમે એવો ઉપસર્ગ થયો, માટે અહીં વધારે વાર રહેવું યોગ્ય નથી એવું વિચારતાં તે આર્તમુનિ તરત જ ત્યાંથી વિહાર કરી બીજે ચાલ્યા ગયા. -. અહીં જે રત્નની વૃષ્ટિ થઈ હતી તે રત્નો લેવા ત્યાંના રાજા રાજપુરુષો સાથે આવ્યો પણ રત્નો લેવા દેવાલયે આવ્યા ત્યારે અનેક સર્પો ત્યાં રત્નોની આસપાસ પડ્યા હતા. તે વખતે તત્કાળ દેવતાએ આકાશમાં રહીને કહ્યું કે, 'મે આ દ્રવ્ય આ શ્રીમતીના વરને નિમિત્તે આપેલું છે, માટે તે બીજા કોઈએ લેવું નહીં તે સાંભળી રાજા વિલખો થઈ પાછો ફર્યો એટલે શ્રીમતીના પિતાએ તે દ્રવ્ય લઈને અલાયદું રાખ્યું. શ્રીમતીને વરવા યોગ્ય ઉમર થતાં ઘણા મુરતિયાનેને વરવા વસંતપુર આવ્યા. એટલે તેના પિતાએ તેને યોગ્ય વર અંગીકાર કરવા કહ્યું. તે સાંભળી શ્રીમતી બોલી કે પિતાજી, હું Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] પર તો તે વખતે જે મુનિને વરી છું તે જ મારો વર છે અને દેવતાએ તેને વરવા માટે જ દ્રવ્ય પણ આપેલ છે. તે દ્રવ્ય તમોએ લીધેલ છે, એટલે તમો પણ તેમાં સંમત થયા છો. માટે તે મુનિવર સિવાય અન્ય કોઈ વર મને માન્ય નથી. તમે નથી જાણતા કે, રાજાઓ એક જ વાર બોલે, મુનિઓ એક જ વાર વદે. અને કન્યા પણ એક જ વાર અપાય. શેઠે કહ્યું કે, "હે પુત્રી, હવે તે મુનિ શી રીતે મળે ? કેમ કે તે તો વિહાર કરી ગયા. તેઓ એક સ્થાનકે તો રહેતા નથી. તે મુનિ પાછા અહીં આવશે કે નહીં ? કદી આવશે તો તે શી રીતે ઓળખાશે ? શ્રીમતીએ જવાબ આપ્યો કે, તે વખતે દેવતાઓની ગર્જનાથી હું બહુ ભય પામી હતી, તેથી હું વાનરીની જેમ તેમનાં ચરણને પકડી રહી હતી. તે વખતે તેમનાં ચરણમાં મેં એક ચિહ્ન જોયું હતું. તે ચિહ્ન ઉપરથી હું તેમને જરૂર ઓળખી શકું. માટે હે પિતા ! તમો એવી ગોઠવણ કરો કે જેથી અત્રે આવતા - જતા બધા સાધુઓને હું પ્રતિદિન જોઈ શકું. આથી શેઠે પુત્રી માટે દરેક સાધુ રોજ આવે તેને સ્વયં દરરોજ ભિક્ષા આપે એવી વ્યવસ્થા કરી. ભિક્ષા આપતાં શ્રીમતી તેઓને વંદન કરતાં. તેમનાં ચરણ પરનાં ચિહ્ન જોતી. આમ કરતાં બાર વર્ષે આર્દ્રમુનિ ત્યાં આવી ચડયા. શ્રીમતીએ વંદના કરી, પગ ઉપરનું ચિહ્ન જોઈ તરત ઓળખી લીધા. અને તેમને વળગી પડી અને બોલી, “હે નાથ ! તે દેવાલયમાં હું તમને વરી હતી. તમે જ મારા પતિ છો. તે દિવસે તો મને તજીને ચાલ્યા ગયા પણ આજે નહીં જઈ શકો. અને જો ક્રૂરતાથી મારી અવજ્ઞા કરી જતા રહેશો તો હું અગ્નિમાં પડીશ ને તમને સ્ત્રીહત્યાનું પાપ આપીશ." મુનિને વ્રત લેવાને વખતે જે તેના નિષેધરૂપ દિવ્યવાણી થઈ હતી તે યાદ આવી : “કદી ભાવિ મિથ્યા થુતં નથી." એમ માની શ્રીમતીને પરણ્યા. આર્દ્રકુમારને શ્રીમતીની સાથે ભોગ ભોગવવાથી એક પુત્ર થયો. તે થોડો મોટો થતાં કાલુધેલું બોલવા લાગ્યો. હવે પુત્ર મોટો થયો છે તેથી આર્દ્રકુમારે દીક્ષા લેવાની ભાવના શ્રીમતી આગળ કરી. બુદ્ધિમાન શ્રીમતી તે વાત પુત્રને જણાવવા માટે રૂની પૂણી સાથે રેંટિયો કાંતવા લાગી. જયારે તે કાંતવા લાગી ત્યારે પુત્રે તે જોઈને પૂછ્યું કે, 'હે મા ! સાધારણ માણસો કરે એવું કામ તું કેમ કરે છે ? તે બોલી, 'હે વત્સ, તારા પિતા દીક્ષા લેવા જવાના છે. તેમના ગયા પછી પતિરહિત એવી મારે આ ત્રાકનું જ શરણ છે. પુત્ર બાલ્યપણાને લીધે તોતડી પણ મધુરવાણીએ બોલ્યો કે, 'માતા ! હું મારા પિતાને બાંધીને પકડી રાખીશ પછી તે શી રીતે જઈ શકશે ?' આ પ્રમાણે કહીં બાળક પિતાનાં ચરણને ત્રાકના સૂતરથી વીંટવા લાગ્યો, અને બોલ્યો કે, 'મા, હવે ભય રાખો નહીં. સ્વસ્થ થાઓ, જુઓ મારા પિતાના પગ મેં બાંધી લીધા છે, તેથી બંધાયેલા હાથીની જેમ તે શી રીતે જઈ શકશે ?' બાળકની આ ચેષ્ટા જોઈ આર્દ્રકુમારે વિચાર્યું કે, 'અહો, આ બાળકના સ્નેહનું બંધન કેવું છે કે જે મને બાંધી Page #74 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ C ૫૩ રાખે છે. તેના સ્નેહને વશ હું તરત દીક્ષા નહીં લઉં. બાળકે સૂતરથી જેટલા આંટા લીધા છે તેટલાં વર્ષો હું ગૃહસ્થપણે રહીશ.' પછી તેણે પગના તંતુબંધ ગણ્યા જે બાર હતા. તેથી તેમણે બાર વર્ષ ગૃહસ્થપણામાં નિર્ગમન કર્યું અને એક સવારે શ્રીમતીને સમજાવી યતિલિંગ ધારણ કરીને તે નિર્મમ મુનિ થઈ ઘરમાંથી ચાલી નીકળ્યા. રસ્તામાં આર્દ્રકપુરથી તેઓને શોધવા આવેલા પાંચસો સામંતો મળ્યા. તેઓ આર્દ્રકુમારને શોધી ન શક્યા જેથી રાજાને મોટું બતાવી શકતા ન હતા. અને આજીવિકા માટે ચોરીનો ધંધો કરતા હતા.તેમને ધર્મદેશના આપી, તે પાંચસો સામંતોને દીક્ષા આપી. આગળ વિહાર કરતા, એક તાપસોના ટોળાએ માંસ ભક્ષણ માટે એક હાથીને બાંધ્યો હતો ત્યાં આવ્યા. ત્યાં આ આર્દ્રમુનિને ઘણા લોકો મસ્તક નમાવીને નમતા જોયા. આ જોઈ લઘુકર્મી હાથીએ વિચાર્યું કે, હું પણ જો છૂટો હોઉં તો આ મુનિને વંદના કરું. એમ વિચારતાં તે મહર્ષિનાં દર્શન થતાં લોખંડનાં બંધનો તૂટી ગયાં અને ગજેન્દ્ર છૂટો થઈ મહામુનિને વાંદવા આગળ વધ્યો. આ જોઈ આ હાથી મુનિને જરૂર હણી નાખશે - તેનાથી બચવા લોકો દૂર ભાગી ગયા; પણ મુનિ તો ત્યાં જ ઊભા રહ્યા. હાથીએ મુનિ પાસે આવી કુંભસ્થળ નમાવીને પ્રણામ કર્યા અને સૂંઢથી ચરણસ્પર્શ કર્યો તેથી તે ગજેન્દ્ર પરમ શાંતિને પામ્યો અને દૂર ચાલ્યો ગયો. જે તાપસોએ એ હાથીને ભોજન માટે બાંધેલો તેઓ આર્દ્રમુનિ ઉપર ગુસ્સે થયા. તેમને બોધ આપી પ્રભુ મહાવીરના સમોવસરણ પાસે મોકલ્યા, ત્યાં જઈ તે બધાએ સંવેગી દીક્ષા લીધી. રાજગૃહીમાં શ્રેણિક રાજા અને અભયકુમારે આ ગજેન્દ્ર મોક્ષની વાત સાંભળી, આર્દ્રમુનિ પાસે આવ્યા અને ભક્તિથી વંદના કરી કે, મુનિ તમે કરેલા ગજેન્દ્રમોક્ષથી અમને આશ્ચર્ય થાય છે. મુનિએ કહ્યું કે, 'હે રાજેન્દ્ર ! ગજેન્દ્રનો મોક્ષ કરવો તે મને દુષ્કર લાગતો નથી પણ ત્રાકના સૂતરના પાશમાંથી છૂટી મોક્ષ પામવો દુષ્કર લાગે છે.' રાજાએ પૂછ્યું કે, તે શી રીતે ! એટલે મુનિએ બાળકે બાંધેલ ત્રાક - સૂતરની બધી કથા કહી. જે સાંભળી. રાજા અને સર્વ લોકો વિસ્મય પામ્યા. પછી આર્દ્રકુમારમુનિએ અભયકુમારને કહ્યું કે, 'હે બંધુ, તમે મારા ઉપકારી ધર્મબંધુ છો, તમોએ મોકલેલ અર્હતની પ્રતિમાના દર્શનથી મને જાતિ સ્મરણજ્ઞાન થયું અને તેથી જ હું આર્હત થયો. હે ભદ્ર, તમે મારો ઉદ્ધાર કર્યો છે. તમારી બુદ્ધિના પ્રતાપે હું આ આર્યદેશમાં આવ્યો અને તમારાથી જ પ્રતિબોધ પામી, હું દીક્ષાને પામ્યો. હે બંધુ, તમારું કલ્યાણ થાઓ.” આર્દ્રમુનિ રાજગૃહમાં સમવસરેલા શ્રી વીરપ્રભુને વંદના કરી, તેમનાં ચરણકમળની સેવા કરતાં પ્રાયે મોક્ષ પ્રાપ્ત કર્યું. ογ Page #75 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૫૪ | શ્રી ખંધક મુનિ જીતશત્રુ રાજા અને ધારણીદેવીના પુત્ર ધર્મઘોષ મુનિની દેશનાથી પ્રતિબોધ પામ્યા. ખંધક મુનિ છઠ્ઠ અને અઠ્ઠમનું તપ કરતા, કઠણ પરીષહ સહન કરતા હતા. તપ કરતાં કરતાં કાયા ઘણી સુકાઈ ગઈ. હાકડાં ગણી શકાય એવું શરીર થઈ ગયું. સંસાર અસ્થિર છે તેમ સમજી આકરાં તપ કરતા ગયા. વિહાર કરતાં એક દિવસ તેમની સંસારી બહેન જે રાજાને પરણાવેલી હતી તે રાજાના શહેરમાં આવ્યા. બહેને રાજ્યભવનમાંથી ભાઈને ઓળખ્યા. ભાઈનો પ્રેમ યાદ આવ્યો અને આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. રાજાજીએ આ જોયું અને મનમાં વિચાર કરવા લાગ્યા કે, આ કોઈ રાણીનો જૂનો યાર છે. આ કાંટો શહેરમાં રહેવો ન જોઈએ. રાજાએ પોતાના સેવકો બોલાવી એ સાધુની ચામડી ઉતારી લાવવા આજ્ઞા આપી. રાણીને આ આજ્ઞાની ખબર ન પડી સેવકો બાનાવસ્થામાં ઊભા રહેલા ખંધક મુનિ પાસે આવ્યા અને બોલ્યા : અમારા રાયની એવી આશા છે કે તમારી જીવતાં ચામડી ઉતારી તેમને સોંપવી. બંધક મુનિ જેઓ સમતાના દરિયા જેવા હતા તેઓ ધ્યાનથી ચલિત ન થયા અને મનથી આનંદ પામી ચિંતવવા લાગ્યા કે કર્મ ખપાવવાનો ખરેખર અવસર આવ્યો છે. આવા વખતે કાયર થવું ન પરવડે. અને સેવકને કહ્યું કે, આ ચામડી રુક્ષ થઈ ગઈ છે, તમને ઉતારવી મુશ્કેલ પડશે, એટલે તમો કહો એવી રીતે શરીર રાખું જેથી તમોને ચામડી ઉતારતાં તકલીફ ન પડે. એમ કહી કાયાને (મનથી ત્યજી દીધી) વોસિરાવી દીધી અને ચાર શરણાનું ધ્યાન ધરતાં સ્થિર રહ્યા. ચડચડ ચામડી ઊતરવા લાગી. મુનિએ વેદનાને હર્ષથી વધાવી. શુકલ ધ્યાને ચડી ગયા. શપક શ્રેણીએ ચડતાં ચડતાં કેવળજ્ઞાન પામ્યા. અજર અમર પદ પામી ગયા. ત્યાં લોહીથી ખરડાયેલાં વસ્ત્રો પડ્યાં હતાં તેમાંથી મુહપત્તિી એક પંખીએ ચાંચમાં લઈ ઊડી ગયું પણ એ લોહીથી ખરડાયેલી મુહપત્તી રાણીના ઝરૂખામાં પડી. આ મુહપતી તો મારા ભાઈની જ છે એમ ઓળખી, ભાઈની હત્યા કરવામાં આવી છે એમ સમજી, રાણી ભાઈના વિરહ રોવા લાગી. સાચી વાતની ખબર પડતાં રાજા Page #76 -------------------------------------------------------------------------- ________________ सधकमान 12-18 N Jeegleioner votere Qqola छोट AD Page #77 -------------------------------------------------------------------------- ________________ ૧. ખંધકમુનિ ખંધકકુમાર જિતશત્રુ રાજાના પુત્ર હતા. બાળપણથી જ ધર્મપરાયણ હતા. એક દિવસ વીસમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામી ભગવાનની અમૃતમય દેશના સાંભળીને વૈરાગ્ય પેદા થયો, અને પાંચસો રાજકુમારોની સાથે દીક્ષા લીધી. એક દિવસ ભગવંતને પૂછીને વહનના દેશ ભણી વિચરણ કર્યું. પ્રભુએ કહ્યું, "તમને પૂરા પરિવારને મરણાંત કષ્ટ થશે”. ત્યારે ખંધકસૂરી ભગવંતને કહે, "અમે આરાધક થઈશું, કે વિરાધક ? ભગવંત કહે, "તમારા સિવાય બધા આરાધક બનશે." ત્યારે વિચાર કરીને વહનના દેશ ભણી ચાલી નીકળ્યા. ત્યાંના મંત્રીને એમના પર દ્વેષ હતો. ગામમાં પહોંચ્યા. મંત્રીને ખબર પડી ગઈ. એમને મારી નાખવાના પ્રયાસો શરૂ કર્યા. રાજાને ભંભેર્યો કે આ મુનિ ૫૦૦ મુનિના વેશમાં સૈનિક બનીને તમને મારી નાખીને રાજ્ય છીનવી લેશે. ત્યારે રાજાએ બ્રેધિત થઈને પાપી મંત્રીને હુકમ આપ્યો, "તને જેમ દીક લાગે તે રીતે ૫૦૦ જણાને માર.” ત્યારે દુષ્ટ .અધમ...ઘાણી બનાવવીને તમામ મુનિઓને પીલવા લાગ્યો. લોહીની નદીઓ વહી એમ ૪૯૮ મુનિઓ સમતા રસમાં પીલાઈને કર્મક્ષય કરીને મોક્ષ પામ્યા, ત્યારે બાલ મુનિને મારતાં પહેલાં મને મારો" એવો અવાજ પણ ના સાંભળ્યો. ત્યારે મરતાં પહેલાં પ્રતિજ્ઞા કરતાં હું આવતા ભવમાં મંત્રીની સાથે આખી નગરીના લોકોને મારી નાખીશ” એમ કહ્યું, પછી પ્રતિજ્ઞાના પ્રભાવથી અગ્નિકુમાર દેવ બન્યા. નગરી બાળી નાખી, એવો વેધ કરવાથી મોક્ષમાં નહીં જઈ શક્યા. વેધથી કલ્યાણ નથી, ક્ષમાથી સિદ્ધિ મળે છે. ધન્ય ૪૯૯ શિષ્યો. Page #78 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ C ૫૫ પણ ક્રેધાવસ્થામાં ભયંકર પાપ થઈ ગયું છે અને નિર્દોષ માણસની હત્યા કરાવી છે તે જાણી અતિશય પશ્ચાત્તાપ કરવા લાગ્યો અને સાધુની સમતાની વાત સેવકો પાસે સાંભળી. મનોમન તેમની સમતાની અનુમોદના કરતાં કરતાં આ સંસાર અસ્થિર છે, અસાર છે - એમ વિચારી રાજા-રાણી બંનેએ સંયમ અંગીકાર કરી કરેલાં પાપોની આલોયણા કરી, દુષ્કર તપો કરી કાયાને ગાળી નાખી શિવસુખને પામ્યા. જ્યાં લગી આતમા જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી; માનુષા દેહ તારો એમ એળે ગયો. માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી. જ્યાં શું થયું સ્નાન, પૂજા ને સેવા થકી, શું થયું ઘેર રહી દાન દીધે ? શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યું, શું થયું વાળ લોચન કીધે ? જ્યાં૦ શું થયું તપ ને તીરથ કીધા થકી ? શું થયું માળ ચહી નામ લીધે શું થયું તિલક ને તુલસી ધાર્યો થકી, શું થયું ગંગાજળ પાન કીધે ? જ્યાં શું થયું વેદ વ્યાકરણ વાણી વધે, શું થયું રાગ ને રંગ જાણે ? શું થયું ખટ.દરશન સેથા થકી, શું થયું વરણના ભેદ આણ્યે ? જ્યાંo એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, આત્મારામ પરિબ્રહ્મ ન જોયો, ભણે નરસયો કે તત્ત્વદર્શન વિના ચિંતામણિ જન્મ ખોયો. જ્યાં Page #79 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૫૬ ધનો અણગાર ૨૯. કાકંદી નગરમાં ઘણા ધનાઢ્યો હતા તેમાં ભદ્રા માતાનો દીકરો ધન્નો સર્વશ્રેષ્ઠ ગણાતો. તેની સંપત્તિ અપાર હતી. તેને રૂપવાન બત્રીશ સ્ત્રીઓ હતી. દેવતા જેવાં સુખો અને ભોગ ભોગવતાં આનંદમાં તેનો કાળ પસાર થતો હતો. એક વખત ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામી પોતાના વિશાળ સાધુ પરિવાર સાથે કાકંદીના એક મનોહર ઉદ્યાનમાં પધાર્યા. કાકંદીના રાજા જિતશત્રુ પોતાની સેના તથા નગરજનો સાથે પ્રભુનાં દર્શન માટે આવ્યા અને ખૂબ જ ભાવપૂર્વક ભક્તિ કરી. દેવોએ ત્યાં સૂવર્ણ અને શૈખમય રત્નોથી જડેલું સમવસરણ રચ્યું. પ્રભુ મહાવીરે સમવસરણમાં બેસી દેશના દેવા માંડી. ભદ્રાનો જાયો ધન્નો પણ ત્રિલોકનાથનાં દર્શને આવ્યો. દર્શન - વંદન કરી તે પણ પ્રભુની દેશના સાંભળવા લાગ્યો. દેશના સાંભળતાં સાંભળતાં ભોગીભ્રમર ધન્નાનું હૃદય વૈરાગ્યરસમાં તરબોળ બન્યું અને ક્ષણ પહેલાંનો ભોગમાં મસ્ત ધન્નો ત્યાગના રંગમાં રંગાઈ ગયો. સંસારનાં સુખોની અનિત્યતા અને પરાધીનતા તેને સમજાઈ અને મનોમન સંસારનાં સુખોને ત્યજી, દેવાધિદેવ ભગવાન શ્રી ભગવાન મહાવીર દેવના શરણે દીક્ષા લેવા નિશ્ચય કર્યો. અમોઘ શક્તિના સ્વામી ભગવાનની એક જ દેશના અનેકોના રાગદ્વેષની આગને સા માટે ઠારી શકે છે. એ જ પ્રભાવે શ્રી ધન્નાજીના આત્માને સન્માર્ગે દોરી જવા એ દેશના સમર્થ બની. ધન્નાજી ભોગી હતા, પણ ભોગના ગુલામ ન હતા. તેઓએ તેમની બત્રીશ સ્ત્રીઓની વિનવણી, પ્રાર્થના સંસારમાં રહેવાની સાંભળી પણ ધન્નાજીના મનોબળ આગળ એ કામમાં ન આવ્યું. પત્નીઓ પણ વીર હતી ત્યાગના માર્ગે જતા ધન્નાજીને ક્ષણિક સંસારનાં સુખોને લાત મારી, પુનિત માર્ગે સિધાવવા હ્રદયના સદ્ભાવથી અનુમતિ આપી. ભદ્રા માતાએ પોતાના એકના એક પુત્રને સંસારનાં સુખો ન છોડવા ઘણું સમજાવ્યું પણ ધન્નાજી મક્કમ રહ્યા, પોતાનો નક્કી કરેલ માર્ગ છોડવા તે ન લલાચાયા. છેવટે માતાજીએ પણ પુત્રને દીક્ષા માટે અનુમતી આપી. Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૫૭ ભદ્રા માતાના આંગણે દીક્ષાનો મહોત્સવ મંડાયો. કાકંદીનો નાથ જિતશત્રુ રાજા ધન્નાજીના ત્યાગની આ વાત સાંભળી ભદ્રા માતાને ઘરે આવ્યા. ધન્ના જેવા વીરની જનેતા તરીકે તેમને ધન્યવાદ આપ્યા અને આ ઉત્સવ ઊજવવાનો લાભ પોતાને મળે તેવી માગણી કરી. રાજવીએ ધન્નાજીને આશીર્વાદ આપ્યા, પોતે ધન્નાજીને સ્નાન કરાવ્યું. મનોહર વસ્ત્રો અને મહામૂલાં આભૂષણો પહેરાવ્યાં. ખાસ તૈયાર કરેલ પાલખીમાં ફેરવ્યા. ખૂબ જ આડંબરથી નીકળેલ વરઘોડો દુંદુભિ આદિ વાઘોથી વાજતે ગાજતે નગરના માર્ગો કાપી બહાર ઉઘાને થંભ્યો. આ વરઘોડામાં ધન્નાજીના મુખ્ય ધોડેસ્વાર બનવાનો લહાવો જિતશત્રુ રાજાએ લીધો. ધન્નાજીએ ઇશાન ખૂણામાં જઈ વસ્ત્રો - આભૂષણો ઉતાર્યાં ને બધું માતાજીને સોંપ્યું. ભદ્રા માતાનો હર્ષ સમાતો ન હતો. તેઓએ વીર પ્રભુ પાસે આવી તેમને વિનંતી કરતાં કહ્યું : પ્રભુ આ મારા લાડકાની ભિક્ષા આપને પ્રતિલાલ્યું છું. આપ એને વહોરો ! આજથી એ મારો મટી સમસ્ત સંસારનો અને ચૌદ રાજલોકના જીવોનો સાચો રખેવાળ બને છે, એને આપ સાચવજો. પ્રભુશ્રીએ મહારથી ધન્નાને દીક્ષા આપી. તે જ દિવસે ધન્નાજીએ ભગવાન શ્રી મહાવીરદેવને વિનંતી કરી : 'હે કરુણાસાગર ! આજથી મારે છઠ્ઠને પારણે છઠ્ઠું અને પારણે આયંબિલ યાવજીવ સુધી કરવાં. ભગવાને ધન્નાજીને તેમની ઇચ્છાનુસાર આ ધોર પ્રતિજ્ઞા આપી. ધન્નાજીએ આ પ્રતિજ્ઞાનું પાલન અડગપણે કર્યું. ગહન અટવીમાં એકાંત સ્થાને કાઉસગ્ગ ધ્યાને સ્થિર રહેતા. છઠ્ઠના પારણે છઠ્ઠનાં તપ ચાલુ રહ્યાં. આત્મા સંયમી જીવનના સુખરસમાં મહાલતો રહ્યો. એક સવારે પ્રભુ મહાવીર પોતાના ચૌદ હજાર મુનિવરો સાથે રાજગૃહીના ગુણશીલ નામના ઉદ્યાનમાં પધાર્યા. દેવોએ રચેલ સમોવસરણમાં બેસી, ભગવાને દેશના આપી. આ દેશના સાંભળવા રાજગૃહીના રાજા શ્રેણિક પણ પધારેલ હતા. દેશના પૂરી થયે મહારાજા શ્રેણિકે પરમાત્માને પ્રશ્ન કર્યો : 'ભગવંત ! આપશ્રીનો સાધુસમુદાય ત્યાગ, તપ અને સંયમના ગુણથી ઉત્કૃષ્ટ છે, છતાં આપના આ ચૌદ Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૫૮ - હજાર મુનિવરોમાં સૌથી ઉત્કૃષ્ટ પરિણામમાં હાલ કોણ મહર્ષિ છે? કૃપા કરીને ભગવન ! તે મહામુનિનું પુણ્ય નામ ફરમાવો ! ભગવાન શ્રી મહાવીર દેવે સ્વમુખે જણાવ્યું : “રાજન ! ચૌદ હજાર અણગારમાં કાકંદીનો અણગાર ધનો ઋષિ. ધન્ય છે કે, જે મુનિ ચારિત્રમાં ચઢતો છે, તપમાં બળી ગયો છે. જે હંમેશાં છઠ્ઠના પારણે છઠ્ઠ કરે છે અને પારણે માખી પણ ન બેસે તેવો કુલ આહાર લે છે અને તે ઋષિ જંગલોમાં એકાંત સ્થાને કાયોત્સર્ગમાં રહે છે. પ્રભુ મુખે આ વાત સાંભળી મગધનો નાથ શ્રેણિક અજાયબ થયો અને મનોમન બોલી ઊઠ્યો. અહા ધન્ય તે મહામુનિ ! જેના અનુપમ તપબળને સ્વયં પ્રભુ મહાવીર પ્રશંસે છે. વંદન તે મહર્ષિનાં ચરણોમાં. - આમ વિચારી શ્રેણિક ત્યાંથી ઊઠી તપોવનમાં આવ્યો, જ્યાં ધન્ના અણગાર ધ્યાનસ્થ અવસ્થામાં ઊભા હતા. તરત તો ધનાજી દેખાયા નહીં પણ બરાબર ધારી ધારીને જોતાં એક હાડપિંજર જેવું તેમને કંઈક દેખાયું. તે જ મહર્ષિ ધન્ના અણગાર હતા. - છઠ્ઠના પારણે આયંબિલનો રસકસ વિનાનો આહાર; એમાં તપસ્વીનો દેહ શ્યામ કોલસા જેવો થઈ ગયો હતો. આંખ ઊંડી ઊતરી ગઈ હતી, હાથ-પગ સાવ સુકાઈ ગયા હતા. કાયા લોહી-માંસ વિહોણી હાડપીંજર જેવી થઈ ગઈ હતી. શરીર ક્ષીણ જરૂર હતું પણ આત્મા પુષ્ટ હતો. આત્માનું અનંત બળ ફોરવીને તેઓએ મોહ, માન, માયા, ઘેધ ઉપર વિજય મેળવ્યો હતો. શ્રેણિક મહારાજા વંદન કરીને પાછા ફર્યા. અનુક્રમે મહર્ષિ ધન્નાજીએ પ્રભુની આજ્ઞા લઈ વૈભાર ગિરિવર પર એક માસનું અનશન કર્યું. મહિનો પૂર્ણ થતાં સમાધિપૂર્વક મૃત્યુ પામી, તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અનુત્તરવાસી દેવ થયા ત્યાંથી મહા વિદેહમાં જઈ, અંતે મોક્ષને પામશે. ધન્નાજીને આજે પણ આપણે સંભારીએ છીએ. મુનિવર ચૌદ હજારમાં, શ્રેણિક સભામોઝાર; વીરે જેને પ્રશંસિયો, ધન ધનો અણગાર. Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ B ૫૯ શ્રી સ્કંદ કાચાયે ૩૦, . વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે સ્કંદડે પાંચસો મનુષ્યો સાથે દીક્ષા લીધી. એક વખત ભગવાન મુનિસુવ્રત સ્વામી પાસે આવી અનુજ્ઞા માગી કે, અમારી બહેનના દેશમાં બહેન બનેવીને પ્રતિબોધ કરવા જાઉં? પ્રભુએ કહ્યું, "તને અને તારા સર્વ શિષ્યોને મરણાનિક ઉપસર્ગથશે." ઓહો!મોક્ષાભિલાષીતપસ્વીઓને ઉપસર્ગ આરાધનાનું સાધક થાય છે, માટે કૃપા કરી કહો કે અમે ઉપસર્ગના કારણે આરાધક થઈશું કે વિરાધક? પ્રભુએ કહ્યું કે, “તારા સિવાય સર્વે આરાધક થશે." ઢંદક આચાર્યે વિચાર્યું, જો આટલા સાધુઓ આરાધક થતા હોય તો મારે આ સુંદર લાભ લેવો જ જોઈએ. આમ સમજી તેમણે કુંભકાર નગરી તરફ ૫૦૦ મુનિઓની સાથે વિહાર કર્યો. અને કુંભકાર નગરીની બહાર એક ઉદ્યાનમાં સમોસર્યા. આ મુનિ મહારાજાઓ આવ્યા છે - તે વાતની ત્યાંના પાલક મંત્રીને ખબર પડી. પહેલાંના વૈરની ખાતર છાનામાના તે જ ઉદ્યાનના એક ભાગમાં જુદા જુદા પ્રકારનાં હથિયારો દટાવ્યાં. અને રાજાને એકાંતમાં બોલાવી કહ્યું: પરિષહ ઉપસર્ગથી કંટાળી, અંદાચાર્ય અહીં આવ્યા છે. આ સાધુ મહા પરાક્રમી છે. તેણે સાધુવેશમાં પ૦ સુભટોને સાથે રાખ્યા છે અને ઉદ્યાનમાં શસ્ત્રો તથા તીક્ષ્ણ હથિયારો જમીનમાં દાટી છુપાવ્યાં છે. તમે જ્યારે વંદન કરવા જશો ત્યારે તમને હણીને તમારું રાજ્ય પડાવી લેશે. આ વાતની ખાતરી કરવી હોય તો ઉઘાનમાં જઈ છુપાવેલાં હથિયારોની તપાસ કરો. આમ પાલક મંત્રીએ રાજાને ભરમાવી ઉદ્યાનમાં લઈ જઈ પોતે દાટેલાં હથિયારો બતાવ્યાં. એ જોઈ રાજા શ્રેધિત થઈ સર્વે મુનિઓને બાંધી પાલકને સોંપ્યા અને કહ્યું, તને ઠીક લાગે તેવી શિક્ષા આ સાધુઓને કર. બિલાડીને ઉંદરનો ન્યાય તોલવાનું મળે અને જેમ રાજી થાય તેમ આ સાધુ માટે શિક્ષા કરવાનો રાજા પાસે હુકમ મેળવી પાપી પાલક ખૂબ રાજી થયો. પાલક મંત્રીએ નગર બહાર પીલવાનાં યંત્રોની ઘાણી તૈયાર કરાવી.ત્યાં સર્વસાધુઓને લઈ જઈ કહે, તમો દરેક તમારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લો.તમને સર્વેને આ ઘાણીમાં નાખી પીલી નાખીશ. ધીર સાધુઓએ મૃત્યુથી ડર્યા વગર શરીર પરનો મમત્વ ભાવ ખંખેરી કાઢ્યો. અંદક સૂરીએ ઉત્સાહ જગાડ્યો અને દરેક સાધુએ સમ્યક પ્રકારે આલોચના લઈને મૈત્રીની ભાવના દરેક પ્રત્યે ભાવી લીધી. મન, વચન અને કાયાના યોગે દરેક જીવને ખમાવી લીધા. Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૬૦ કુકર્મી, પાપી, પાલક મંત્રી એક એક સાધુને ઘાણીમાં નાખી પીલવા લાગ્યો. પીલાતા એવા પોતાના શિષ્યોને દેખીને મનમાં વધારે પીડ પામે એમ ધારી દુષ્ટ બુદ્ધિવાળા મંત્રીએ સ્કંદકમુનિને ઘાણીનજીક બાંધીને ઊભા રાખ્યા. પીલાતા સાધુઓનાં અંગછેદ થતાં હોવાથી લોહીની ધારાથી તરબોળ થતા સ્કંદ મુનિ સમયોચિત અમૃત છાંટણાં જેવાં ઉપદેશ વાક્યો વડે મહાનુભાવોને આરાધના કરાવતા ગયા. આમ નિર્મળ મનવાળા મહાત્માઓ જેઓ શત્રુ અને મિત્ર પ્રત્યે સમષ્ટિવાળા છે તેઓ મંત્રથી પીલાતી કાયાને થતી અસહ્ય પીડા સહન કરતા કેવળજ્ઞાન પામી સિદ્ધ થયા. અનુક્રમે ૪૯૯ મહર્ષિઓ ઘાણીમાં પલાઈ ગયા. હવે એક બાળમુનિ બાકી હતા. સ્કંદકાચા પાલક મંત્રીને કહ્યું, આ બાળમુનિની પીલાવાની વેદના હું નહીં દેખી શકું માટે પહેલાં મને પીલી લો. પણ ક્રૂર બુદ્ધિવાળા પાલકે સ્કંદકાચાર્યને વધારે દુઃખી કરવા તેમના દેખતાં જ બાળમુનિને ઘાણીમાં પીલવા નાખી દીધા. તે બાળમુનિને પણ શાંતિથી એવી આરાધના કરાવી જેથી શુક્લધ્યાન રૂપી અમૃત ઝરણાથી કર્મ ખપાવી, કેવળજ્ઞાન પામી, મોક્ષ સુખ પામ્યા. હવે ૫૦૦ મુનિઓને આરાધના કરાવનાર સ્તંદકાચાર્યનો વારો આવ્યો. પણ કર્મના ઉદયથી એ સમયે મનમાં ધી બની વિચાર્યું કે, આ રાજા અને મંત્રી શિક્ષા પાત્ર છે. માટે મેં આ જિંદગીમાં કરેલાં દુષ્કર તપ અને ચારિત્રનું ફળ મળનાર હોય તો તેના પ્રભાવથી આ દરેકને હું ભાવિ જન્મમાં બાળનાર બનું - આવું નિયાણું કરી, સ્કંદકાચાર્ય કાળ કરી દેવતા થયા. અંદાચાર્યનાં બહેન જે તે નગરીના રાજાની રાણી પુરંદરયશા એક ગોખમાં બેઠેલ હતી ત્યાં એક પક્ષીએ લોહી ભીનું રજોહરણ ચાંચમાં ઉપાડી લીધું હતું તે ભવિતવ્યતા યોગે ચાંચમાંથી સરી પડ્યું અને પુરંદરયશા પાસે પડ્યું. તે ઉપાડી જોતાં તે રજોહરણ તેણે પોતે જ ભાઈની દીક્ષા વખતે તૈયાર કરેલ હતું તે જ હતું, તે ઓળખું અને ભાઈની હત્યા થયેલ જાણી રાજાજીને ઘણો ઠપકો આપ્યો અને કહ્યું, તે સાધુ વૈરી! પાપિન્ટ! તું હમણાં જ નાશ પામીશ. પુરંદરયશા બધી રીતે વિચારતાં હવે સંસારમાં ન રહેતાં દીક્ષા લઈ પરલોકનું ભાતું ભરવા શ્રી મુનિસુવ્રતસ્વામી પાસે દીક્ષા લીધી. સ્કંદકાચાર્ય દેવતાના ભવમાં અવધિજ્ઞાનથી પૂર્વ ભવનું વૃતાંત જાણી, વેધથી આખા તે નગરને બાળી નાખ્યું. આજે પણ એ જગ્યા દંડકારણ્ય નામથી પ્રસિદ્ધ છે. આમ ૫૦૦ સાથી સાધુઓ સમતાના અને આરાધનાના પ્રતાપે મોક્ષ પામ્યા. પણ અંદાચાર્યવિરાધના કરવાથી મોક્ષસુખ ન પામ્યા. ભગવાને ભાખેલ વાણી ખોટી કેમ પડે? Page #84 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૬૧ શ્રી વજબાહુ ૩૧ અયોધ્યામાં ઇક્વાકુ વંશનો વિજ્ય રાજા અને હિમાચૂલા પટરાણીનો વજબાહુ નામે પુત્ર હતો. તે સરલ સ્વભાવી અને બુદ્ધિમાન હતો. ધર્મ પ્રત્યે અને મહાપુરુષો પ્રત્યે તેના હૃદયમાં ઉત્તમ કોટીનો અનુરાગ ભર્યો પડ્યો હતો. તેનું વેવિશાળ નાગપુરના ઇબ્રુવાહન રાજાને ત્યાં થયું હતું. માતા ચૂડામણિની તે લાડકી દીકરી મનોરમાનો સ્નેહ વજબાહુમાં બંધાયો હતો. તે પણ સુશીલ, સંસ્કારી અને ધાર્મિક સ્વભાવની હતી. યોગ્ય કાળે તેમનાં લગ્ન ખૂબ ધામધૂમથી નાગપુરમાં થયાં. વસ્ત્રો, અલંકારો, હાથી, ઘોડ આદિની પહેરામણીઓ થઈ અને વજબાહુને વિદાય અપાઈ. મનેરમાનો મોટો ભાઈ ઉદયસુંદર મનોરમાને મૂક્વા તેમના રથનો સારથિ થઈ સાથે જ નીકળ્યો છે. વરબાહુના મિત્રો તથા બીજો રાજપરિવાર ધીમે ધીમે માર્ગ કાપી રહ્યા છે. રથમાં વજબાહુ તથા મનોરમા નવપરણીત દંપતી બેઠાં છે. અને સારથિ તરીકે ઉદયસુંદર ધીમે ધીમે રથ હાંકી રહ્યા છે. કેટલાક ગાઉનો માર્ગ કાપ્યા પછી ચોમેર વૃક્ષોની ઘટાઓથી છવાયેલી એક અટવીમાં બધા આવી પહોંચ્યા. અટવીમાં કોયલોના મીઠા સ્વરો સંભળાતા હતા. બાજુમાં પાણીનાં ઝરણાંનો કલકલ કરતો મધુર નાદ કર્ણોને આનંદિત કરતો હતો. એકાંતમાં આત્મકલ્યાણ સાધનારા મુનિવરો માટે આ સ્થાન ખૂબ જ અનુકૂળ હતું. આ અટવીનો આનંદ માણવા રથમાં બેઠેલા વજુબાહુએ પોતાની ડોક બહાર કાઢી ત્યાં તેની દ્રષ્ટિ સામે એક ટેકરી પર પડી ત્યાં એક મુનિરાજ કાયોત્સર્ગ ધ્યાને ઊભા હતા. તેજસ્વી શરીરકંતિ તેમ જ ધ્યાનમાં સુસ્થિરતા જોતાં સહેજે વાજબાહુનો ગુણાનુરાગી આત્મા ને મહર્ષિનાં પુણ્ય દર્શન માટ ઉત્કંઠિત બન્યો. સારથિ બનેલા પોતાના સાળા ઉદયસુંદરને વજબાહુએ રથ ઊભો રાખવા કહ્યું અને જણાવ્યું, “સામે ટેકરી ઉપર ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા મુનિવરનાં પુણ્ય દર્શન કરતા જઈએ." Page #85 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૬ર ઉદયસુંદર આ સાંભળી આશ્ચર્ય પામ્યો. એને થયું. આ તે કેવી ધર્મઘેલછા ! હજુ ગઈ કાલે તો પરણીને નીકળ્યા છે. રથમાં એકાંત છે. બને વરવધૂ વચ્ચે પ્રેમની કે આનંદ કુતૂહલની વાતો કરવાનો આ સુંદર અવસર છે. એ મૂકીને સાધુનાં દર્શન કરવાની આ બનેવી કેવી વાત કરે છે? ખરેખર આ માનવી કોઈ અજબ છે!" વિચારોના વમળમાં ચઢેલા ઉદયસુંદરથી રહેવાયું નહીં અને હસતાં હસતાં બનેવીને કહ્યું કે, “સાધુ તો નથી થઈ જવું ને ? દીક્ષા લેવી છે કે શું? ઉદયસુંદરે ટોનમાં કહ્યું તો ખરું પણ વાજબાહુનો આત્મા સામાન્ય ન હતો. એના જીવનમાં સાધુઓ પ્રત્યે અનુરાગ બાલ્યકાળથી હતો. કુળના સંસ્કારે મા,બાપ આદિ વડીલોની ધર્મભાવના વજબાહુમાં ભરી પડી હતી તેથી જવાબમાં વજબાહુએ કહ્યું, હા, શ્રી જિનેશ્વરના પવિત્રત્યાગમાર્ગ પ્રત્યે કોનું મન ન હોય? દીક્ષાની ભાવના તો છે પણ..." પણ બણ શું કરો છો બનેવી ? ભાવના છે તો થઈ જાવ તૈયાર. હું તમને સહાય કરીશ." ઉદયસુંદર હજુયે મશ્કરી માની વાતને લંબાવ્યે જાય છે. પણ સાળાની હાંસી બનેવી શુકનની ગાંઠ માનીને જવાબ આપે છે, હું તૈયાર છું. તમે સહાય કરનાર બેઠા છો. પછી બીજું જોઈએ શું? માટે બોલ્યા છો તે પાળજો" એમ કહી વજબાહુ તરત જ રથ ઉપરથી નીચે ઊતરી ગયા. વજબાહુની હિંમતભરી વાણી સાંભળી, ઉદયસુંદર ચમક્યો. તેને થયું - આ તો હસવામાંથી ખસવા જેવું થાય છે. વજબાહુ આમ એકદમ છેલ્લે પાટલે બેસી જશે એ ઉદયસુંદરની કલ્પનામાં ન હતું. તેણે વાત ફેરવવા માંડી, “ભાઈ તમે એમ ચાલ્યા જાઓ તે કેમ બને? મેં તો સાળા તરીકે બનેવીની કેવળ મશ્કરી કરી. આવી નાની વાતને આટલું બધું મોટું રૂપ આપવું એ તમારા જેવા માટે બરાબર નથી” પણ વજબાહુનો આત્મા સંસાર પરથી ઊઠી ગયો હતો. નિમિત્તની જરૂર હતી, જે આમ સહજમાં મળી ગયું. એમણે ઉદયસુંદરને કહ્યું : હવે આપણે કોઈ બીજો વિચાર કરવાનો જ નથી ક્ષત્રિય પુરુષો બોલેલાં વચનને ઉથાપતા નથી. પ્રવજ્યાના પુણ્યપંથે આપણા પૂર્વજો ચાલ્યા છે અને એ માર્ગે જવામાં જીવનની સાચી સફળતા છે." ઉદયસુંદરને પોતાની નાની બહેન મનોરમા કે જેને હજુ વિવાહના ચિહ્ન રૂપ મીંઢળ બાંધેલું છે તેના સંસારનું શું? આ ચિંતા તેને સળગાવી રહી હતી કેટકેટલી Page #86 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૬૩ આશાઓ, મનોરથો તથા સ્વપ્ના સાથે સંસારમાં પગ મૂક્યો છે. એનું સૌભાગ્ય આમ અકાળે કરમાઈ જતું ભાઈના સ્નેહાળ હૃદયથી કેમ સહેવાય ? તેણે ખૂબ જ આગ્રહપૂર્વક વજબાહુને કહ્યું, "તમો એકદમ સાહસ કરવા તૈયાર થયા છો પણ મારી નાની બહેનના મનોરથો, અરમાનોનો તો વિચાર કરો ! તે તમારા વગર કેવી રીતે જીવશે ?” ખૂબ જ સ્વસ્થતાથી વજબાહુએ જવાબ આપ્યો કે, સતી સ્ત્રી, કુળવાન ઘરમાં જન્મેલી સુશીલ બાળાઓ પતિના આત્મકલ્યાણના માર્ગે, પતિની પાછળ જનારી હોય છે. એટલે એને પણ મારી પાછળ દીક્ષાના પુણ્યમાર્ગે આવવાનું છે. કુલીન તથા સતી સ્ત્રી તરીકે પતિની છાયા બનીને રહેવું એ એનો ધર્મ છે. અને જો મનોરમા કુલીન નથી તો એવી અકુલીન સ્ત્રી સાથે સંસારમાં શું કામ રહેવું જોઈએ ? માટે હવે આ ત્યાગ - માર્ગમાં નિષેધ તમારા જેવાએ કરવાનો હોય જ નહીં. મારી પાછળ તમારા જેવાએ પણ આ જ માર્ગે આવવાનું છે." વજબાહુના આવા મેરુ જેવા દઢ મનોબળની તરત જ સહુ કોઈના આત્મા પર અજબ અસર પડી. મનોરમા પણ વજબાહુની વાતોથી મનોમન દીક્ષા લેવા વિચારી, રથમાંથી ઊતરી પડી. ઉદયસુંદરનો આત્મા પણ લઘુકર્મી હતો. વરબાહુની સાથે બીજા ર૫ રાજકુમારો હતા તે પણ સંસારથી વિરક્ત બની પ્રવજ્યા અંગીકાર કરવા તત્પર બન્યા. આ બધાયે તે ટેકરી ઉપર આવ્યા. ગુણરત્નના સાગર સમા શ્રી ગુણસાગર મુનિની પાસે બધાએ સંયમ લીધું. તપ, ધ્યાન, જ્ઞાન તથા સંયમી જીવનની આરાધનામાં નિરંતર અપ્રમત્ત આ બધા મહાપુરુષો રત્નત્રયીની સાધના દ્વારા, આ રીતે આત્મકલ્યાણ સાધી જીવનને સફળ બનાવી. ગયા. કોટી કોટી વંદન આ ધન્ય આત્માઓને. - સંગત કરી સંતો તણી, સદ્ વસ્તુને વિચારજો: રગડા અને ઝગડા તજી, બગડયો જનમ સુધારજો. Page #87 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૬૪ રેવતી સતી પ્રભુ મહાવીર ઉપર ગોશાળાએ તેજોલેશ્યા મૂકી તેથી પ્રભુને અસહ્ય વેદના થતી હતી. પ્રભુની આ વેદના જોતાં શ્રી ગૌતમ સ્વામી, ચંદનબાળા અને અન્ય મુનિગણો પણ ઘણા જ વ્યથિત હતા. પણ સિંહ અણગાર તો પ્રભુની વેદનાની વાત સાંભળી અત્યંત દુ:ખી થયા. પ્રભુએ સિંહ અણગારની વેદનાને ટાળવા તેમને પાસે બોલાવ્યા. ૩ર. સિંહ અણગારે કહ્યું પ્રભુ, તમારી વેદના હું સહી શકતો નથી. કંઈક રસ્તો બતાવો કે જેથી આપને થતી વેદના ઓછી થાય. કોઈ પણ ઔષધ કહો તે લાવી આપીએ પણ અમારા ઉપર કૃપા કરી પ્રભુ ઔષધનો ઉપયોગ કરો. પ્રભુએ કરુણાને લીધે પોતાની શાંતિ માટે નહીં પણ સિંહ અણગારની મન:શાંતિ માટે કહ્યું, આ શ્રાવસ્તી નગરીમાં રેવતી નામે સતી છે. તેણે મારા માટે નહીં પણ તેના પોતાના માટે જ ઔષધ બનાવ્યું છે તે લઈ આવો. સિંહ અણગાર તો શોધતા પહોંચ્ય રેવતીને ઘરે. રેવતીએ સિંહ અણગારને આવકાર આપી, આવવાનું કારણ પૂછ્યું. સિંહ અણગારે કહ્યું, તમે જે તમારા માટે ઔષધ બનાવ્યું છે તેની જરૂર છે, તે આપો. રેવતીએ આશ્ચર્ય સહ કહ્યું, આવી ગૂઢ વાત કોણે જાણી ? સિંહ અણગારે કહ્યું પ્રભુ મહાવરે - તેમની તેજોલેશ્યાને લીધે થતી વેદના દૂર કરવાની ભક્તિનો લાભ લેવા માટે તમે બનાવેલ બીજોરા પાક વહોરાવો જેથી પ્રભુને થયેલ દાહ તથા અતિસારનો રોગ મટે. રેવતીએ અત્યંત ભાવપૂર્વક એ પાક વહોરાવ્યો અને પોતાને ધન્ય માનવા લાગી. હું કેવી ભાગ્યશાળી ! ખુદ પરમાત્માના રોગની શાંતિ માટે મારી દવા કામમાં આવી. આવી શુભ ભાવના ભાવતાં અને પ્રભુ ઉપરની ભક્તિને લીધે તેણીએ તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. પ્રભુ મહાવીરને એ ઔષધથી આરોગ્ય પ્રાપ્ત થયું અને રેવતીના દાનને લીધે રેવતીનો જીવ આવતી ચોવીસીમાં સત્તરમા સમાધિ નામના તીર્થંકર થશે. Page #88 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૬૫. મદનરેખા 33. સુદર્શનપુર નામના નગરે મણિરથ નામનો રાજા રાજ્ય કરતો હતો. યુગબાહુ નામનો તેનો નાનો ભાઈ હતો, તેને મદનરેખા નામની અતિરૂપવતી પત્ની હતી મણિરથ મદનરેખાનું રૂપ જોઈને તેની ઉપર મોહિત થયો હતો. આ મદનરેખાને પોતાની બનાવવા તે ગમે તે કરવા તૈયાર હતો. મદનરેખાને લોભાવવા તેણે અનેક યુક્તિઓ કરી, સારાં વસ્ત્રો-અલંકારો વગેરે એક દાસી સાથે મદનરેખા માટે મોકલાવ્યાં. ઘસીએ આવી મદનરેખાને રાજા મણિરથની ઇચ્છા કહી અને જણાવ્યું, હે ભદ્ર! મણિરથ રાજા તારા રૂપ અને ગુણથી મોહિત થઈ તને રીઝવવા ઇચ્છે છે." મદનરેખાએ આ વઘઘાત જેવાં વચનો સાંભળી અતિ લોભ પામી દાસીને કહ્યું, રાજાને ઉત્તમ પ્રકારનું અંતઃપુર છે છતાં તે મૂઢ શા સારુ નરક પામવા જેવું પરસ્ત્રી ગમનનું પાપ ઇચ્છે છે? કોઈ પણ રીતે તે મને નહિ મેળવી શકે. જો મારા ઉપર બલાત્કાર કરશે તો હું મારા પ્રાણ ત્યજી દઈશ પણ શીલભંગ નહીં થવા દઉં. જો કે મારા ઉપર મુવિટ ચાલુ રાખશે તો તે જરૂર મૃત્યુ પામશે." દાસીએ આવી રાજા મણિરથને મદનરેખાએ કહેલ સર્વ કહી સંભળાવ્યું. પણ મણિરથની કામવાસના ઓછી ન થઈ. એ મૂઢ વિશેષ કામાતુર થયો. તેણે વિચાર્યું કે જ્યાં સુધી યુગબાહુ જીવતો છે ત્યાં સુધી મદનરેખાને નહીં મેળવી શકું. એથી યુગબાહુને મારી નાખવા નિશ્ચય કર્યો. આ માટે તે તક શોધતો રહ્યો - ક્યારે યુગબાહુ એકાકી હોય અને તેને હણી નખાય. યુગબાહુ અને મદનરેખાને એક પુત્ર ચંદ્રયશા હતો. તે ઉંમરલાયક થયો હતો. એક રાત્રે મદનરેખાએ સ્વપ્નમાં પૂર્ણ ચંદ્ર જોયો. આ સ્વપ્ન તેણે પોતાના ભરભારને કહ્યું. યુગબાહુએ સ્વપ્નના ફળ વિષે તેને કહ્યું, "તને ચંદ્રમા તુલ્ય સૌમ્ય ગુણ યુક્ત પુત્ર થશે. આ પછી તેને ત્રીજે માસે દેહદ થયો કે હું જીરેંદ્રની પૂજા કરું, ગુરુને પ્રતિલાલું અને ધર્મકથાઓ શ્રવણ કરું. આવા દોહદ પૂર્ણ કરવા તેણે ધર્મધ્યાનમાં વિશેષ ધ્યાન આપવા માંડ્યું. Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૬૬ એક વાર વસંત ઋતુના સમયે યુગબાહુ પ્રિયાને સાથે લઈ ઉઘાનમાં ધડ કરવા ગયો. ઉઘાનમાં જલાદિ કવિ કરીને રાત્રે ત્યાંના કદલી ગૃહને વિષે નવકાર મંત્રનું સ્મરણ કરતો સૂતો. મણિરથ રાજાને યુગબાહુ મદનરેખા એકલાં છે અને સાથે ઉદ્યાનમાં અલ્પ માણસો જ છે તે તક જોઈ વિકારવશ ખગ લઈ યુગબાહુને મારવા ઉદ્યાનમાં આવ્યો. ઉદ્યાનના માળી દરબારને કહ્યું, મારો નાનો ભાઈ એકલો ઉપવનમાં રહે તે ઠીક નહીં એમ સમજાવી કદલી ગૃહમાં પ્રવેશ્યો. રાત્રે એકાએક મોટા ભાઈ આવ્યા છે તે જોતાં યુગબાહુ ઊભો થઈ મણિરથને નમસ્કાર કરવા નીચે નમ્યો. ત્યારે તરત જ મણિરથે જોરથી ખડ્ઝ વતી પ્રહાર કર્યો તે જોઈ મદનરેખાએ કોલાહલ કરી મૂક્યો. એટલે આજુબાજુથી સુભટો વગરે દોડી આવ્યા. મણિરથને પકડી તેનો ઘાત કરવા કેટલાક સુભટો તૈયાર થયા. તેમને વારતાં યુગબાહુએ કહ્યું, આમાં મોટાભાઈ મણિરથનો કોઈ દોષ નથી મારા કર્મો જ આ થયું છે. આથી મણિરથને તો પોતાનું ધાર્યું થયું છે એમ સમજી હર્ષ પામનો પોતાના મહેલે જવા પાછો ફર્યો પણ કર્મના ફળ રૂપે રસ્તામાં તે જ રાત્રે સર્પ ડયો અને મૃત્યુ પામીને ચોથી નારકીએ ગયો. યુગબાહુનો પુત્ર ચંદ્રયશા પોતાના પિતાના ઘાની ચિકિત્સાને અર્થે ત્યાં આવ્યો. મદનરેખા આ વખતે પોતાના પતિને છેલ્લા શ્વાસ લેતી વખતે ધર્મ સંભળાવી રહી હતી : હે સ્વામી, આપે હવે કિંચિત પણ ખેદ ન કરવો. જે મિત્ર હોય કે શત્રુ સ્વજન હોય કે પરિજન તે બધાને ખમાવી દો. પ્રગટપણે ક્ષમા માગો." આ રીતે સમ્યક પ્રકારે આરાધના સંભળાવી. આવાં પ્રિયાનાં હિતવચનો સાંભળી યુગબાહુ શુભ ધાન સહિત મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકને વિષે દેવતા થયા. ચંદ્રયશા પોતાના પિતાને મૃત્યુ પામેલા જોઈ અત્યંત વિલાપ કરવા લાગ્યો. મદનરેખા પણ ઘણા વખત સુધી રૂદન કરતાં કરતાં વિચારવા લાગી : મને ધિક્કાર થાઓ. મારું રૂ૫ મારા પતિના મોતનું કારણ બન્યું. મને પતિ વિનાની જોઈ મણિરથ મને પકડી પોતાનું ધાર્યું કરશે. હવે મારો કોઈ રક્ષક નથી. મારા શીલપણાની રક્ષા માટે મારે. અહીંથી ગુપ્ત રીતે નાશી જવું જોઈએ એવો નિશ્ચય કરી એકલી ચાલી નીકળી. બીજે દિવસે તે એક મહા અટવીમાં પહોંચી, ત્યાં જળાશયમાં જળપાન તથા ફળ વગેરેનું ભક્ષણ કરતાં એક કદલીગૃહમાં રહેવા લાગી, ત્યાં સાતમે દિવસે તેણીએ એક પુત્રને જન્મ આપ્યો. તે બાળકના હાથને વિષે યુગબાહુના નામથી અંકિત થયેલી મુદ્રિકા Page #90 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૬૭ પહેરાવી. કંબળમાં વીંટાળી બાળકને તરુની છાયામાં સુવાડી બાજુના સરોવરમાં પોતાનાં વસ્ત્રો ધોવા ગઈ ત્યાં જળમાં પ્રવેશ કર્યો કે તરત જ તેણીને જળહસ્તીએ સુંઠમાં પકડીને આકાશમાં ઉછાળી તે વખતે નંદીશ્વર દ્વીપની યાત્રાએ જતા એક વિદ્યાધરે તેણીને નીચે પડતાં ઝીલી લીધી. વિદ્યાધર પણ મદનરેખાના રૂપ ઉપર મોહિત થયો અને મદનરેખાને વૈતાઢ્ય પર્વત ઉપર લઈ ગયો. ત્યાં તેણીને તેના રુદનનું કારણ પૂછ્યું. મદનરેખાએ બધી હકીક્ત જણાવી કહ્યું, જે ઉપરથી તેં મને અહીં આણી છે. ત્યાં મેં પુત્રને જન્મ આપ્યો છે તે પુત્રને એક તરુની છાયામાં મૂકી જળાશયે ગઈ હતી, ત્યાંથી મને હસ્તીએ ઉછાળી. તે મને ઝીલી તારા વિમાનમાં બેસાડી પુત્ર મારા વિના મૃત્યુ પામશે. તો કાં તો મારા બાળકને અહીં લાવી દે અથવા મને ત્યાં પહોંચાડે. વિદ્યાધરે કહ્યું : “જો તું મને તારા ભરભાર તરીકે અંગીકાર કરે તો હું તારો કિંકર થઈને રહું. એટલે મદનરેખા વખત વિચારી બોલી, તું મારા પુત્રને અહીં લઈ આવ" વિદ્યાધરે કહ્યું, હું વૈતાઢ્ય પર્વત ઉપર રત્નાવહ નગરમાં મણિચૂડ વિદ્યાધરનો પુત્ર છું. મારું નામ મણિપ્રભ છે. મારા પિતાએ મને રાજ્ય સોંપી સંયમ ગ્રહણ કરેલ છે. મારા પિતા ગઈ કાલે નંદીશ્વર દ્વીપના ચૈત્યોને વંદન કરવા ગયા છે. તેમને મળવા હું નંદીશ્વર જતો હતો ત્યાં તું મને મળી, તો હવે તું સર્વ વિદ્યાધરીઓની સ્વામિની થા. મેં તારા પુત્રનું સ્વરૂપ પ્રજ્ઞમિ વિઘાથી જાણું છે. તેં મૂકેલ તારા પુત્રને મિથિલા નગરીના પમરથ રાજા અશ્વ ખેલાવતા ત્યાં આવેલ, તેણે પોતાના નગરમાં આણી પોતાની પ્રિયા પુષ્પમાળાને સોંપ્યો છે. તેને પોતાના પુત્રની માફક ઉછેરે છે એટલે હવે એની ફિકર ન કરતાં મારી વાત સ્વીકારી, મારી પત્ની બની મારા રાજ્યની સ્વામીની થા. રાણી મદનરેખાએ વિચાર્યું, આહ! મારાં કર્મ નડે છે. દુઃખ ઉપર દુઃખ આવે છે. શિયળ રક્ષણ માટે ઉપાય શોધવો અગત્યનો છે માટે કોઈક બાનું શોધી ઢીલ કરી ટાઈમ પસાર કરવો જોઈએ." એવા વિચારથી તેણે વિદ્યાધરને કહ્યું કે, પહેલાં નંદીશ્વર દ્રીપનાં દર્શન કરાવ. ત્યાં સર્વ દેવોને નમસ્કાર વંદન કરીશ. પછી તું કહીશ તેમ કરીશ. આમ સાંભળી વિદ્યાધર ખુશ થઈ તરત જ નંદીશ્વર તીર્થ વિઘાબળે લઈ ગયો. ત્યાં મદનરેખા તથા મણિપ્રભ વિદ્યાધરે શાશ્વત ચૈત્યોને જુહાર્યા અને વિદ્યાધરના પિતા મણિર્ડ મુનિશ્વર પાસે આવી, તેમને નમસ્કાર કરી, યથોચિત ધર્મ સાંભળવા બેઠા. મુનિ પુત્ર અકાર્ય કરવા ધારે છે, એમ જાણીને બોલ્યા કે, તમારે સર્વથા કુમાર્ગ છોડવો જોઈએ. કારણ કે પરસ્ત્રી ગમન જેવા કુમાર્ગે જવાથી નરકમાં જ જવું પડે છે. તેમ જ સ્ત્રીને પણ પર-પુરુષ સેવવાથી અવશ્ય ન જવું પડે છે.” Page #91 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૬૮ પોતાના પિતા મુનિનાં આવાં ધર્મવચનો સાંભળી મણિપ્રભની સાન ઠેકાણે આવી ગઈ અને અહો, મેં કેવા હલકા વિચારો કર્યા. તેણે ઊભા થઈ મદનરેખાની ક્ષમા માગી કહેવા લાગ્યો, હવેથી તું મારી બહેન છે. હવે હું તારો શો ઉપકાર કરું." મદન રેખાએ કહ્યું, "તે મને આવા શાશતાતીર્થનું વંદન કરાવી મહા ઉપકાર કર્યો છે તેથી તું મારો પરમ બાંધવ છે. મદનરેખાએ મુનિને પોતાના પુત્રનો વૃત્તાંત પૂક્યો એટલે મુનિએ જણાવ્યું, તે પરથ રાજા અટવીમાંથી તારા પુત્રને લઈ જઈ પોતાની રાણીને સોંપ્યો અને પૂર્વભવના સ્નેહને લીધે તેનો જન્મ મહોત્સવ ઉજવ્યો હતો અને તારો પુત્ર અત્યારે સર્વ રીતે સુખી છે. આ વખતે આકાશમાર્ગથી એક વિમાન આવીને ત્યાં ઊતર્યું. તે રત્નોના સમૂહથી બનાવેલ હતું. તેનું તેજ સૂર્ય અને ચંદ્રથી પણ ચઢતું હતું. તેમાંથી એક મહા તેજસ્વી દેવ ઊતર્યો. તેણે મદનરેખાને ત્રણ પ્રદક્ષિણા દઈ તેણીના ચરણે નમ્યો. આ જોઈ મણિપ્રભ બોલ્યો, “અહો, દેવ કેવું અકૃત્ય કરે છે. મુનિનો વાંદવા પહેલાં એક સ્ત્રીને નમે છે? મુનિએ સઘળો ખુલાસો કરતાં કહ્યું, ગયા ભવમાં આ દેવ આ મદનરેખાનો પતિ યુગબાહુ હતો. મરતી વખતે મદનરેખાએ ધર્મ પમાડેલ માટે તે તેની ધર્માચાર્યા થઈ. તેનું ત્રણ તે અદા કરે છે. સર્વ રીતે મદનરેખા તેના વંદનને યોગ્ય છે. મુનિનું આવું વચન સાંભળીને, વિદ્યાધરે દેવતાની ક્ષમા માગી અને દેવતાએ રાણીને સંબોધીને કહ્યું, હું તારું શું ભલું કરું તે કહે." ત્યારે તે બોલી, "મારે જન્મ અને મૃત્યુ નિવારી શકે એવું અવિચલ મોક્ષ સુખ જોઈએ છે, પણ તે આપવા આપ સમર્થ નથી. એટલે તમે મને જેમ બને તેમ જલદી મિથિલા નગરીએ પહોંચાડો જેથી હું મારા પુત્રનું મુખ જોઈને યતિ ધર્મ અંગીકાર કરું. આથી દેવતા મદનરેખાને મિથિલા લઈ ગયો, કે જ્યાં ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથનો જન્મ તથા દીક્ષા થયાં હતાં. ત્યાં શ્રી જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર વંદના વગેરે કરી તેઓ સાધ્વી પાસે ગયાં ત્યારે સાધ્વીએ ધર્મોપદેશ આપ્યો. ધર્મોપદેશ સાંભળ્યા બાદ દેવતાએ મદનરેખાને રાજપુત્ર પાસે લઈ જવા કહ્યું, પણ ધર્મદેશના સાંભળ્યા પછી બીજું કશું કરવું નથી. સાધ્વીજીનાં ચરણનું જ શરણ સ્વીકારવું છે. મદનરેખાની આ વાત સાંભળી દેવતા પોતાના સ્થાનકે ગયા. મદનરેખાના બાળપુત્રને લઈ જનાર પદ્ધરથ રાજાને તે બાળકના પ્રભાવને લીધે સર્વ શત્રુઓ નમવા લાગ્યા. બાળકનું નામ નમિ પાડ્યું. યોગ્ય સમય થતાં નમિકુમારને યોગ્ય કન્યાઓ સાથે પાણી ગ્રહણ કરાવ્યું અને રાજ્ય સોંપી જ્ઞાનસાગર Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૬૯ સૂરી પાસે દીક્ષા લીધી અને તીવ્ર તપશ્ચર્યા કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે ગયાં. નમિ રાજાએ રાજ્ય કરતાં અનેક રાજાઓને નમાવી શકેન્દ્રની કીર્તિ સંપાદન કહી. યુગબાહુ અને મણિરથના મૃત્યુ પછી યુગબાહુના પુત્ર ચંદ્રયશાને રાજ્ય ગાદી ઉપર બેસાડ્યો. એક વખત નમિરાજાનો મુખ્ય હાથી જે ખંભે બાંધેલ હતો તે સ્તંભને મૂળમાંથી ઉખેડીને નાઠો. તે અટવીમાં ઘૂમતો હતો તે ચંદ્રયશા રાજાના હાથમાં આવ્યો. નમિરાજાના માણસોએ આવી આ હાથીની ચંયશા પાસે માગણી કરી પણ આ માગણી ચંદ્રયશાએ ધુત્કારી કાઢી, આથી બન્ને રાજાઓ એકબીજા સાથે લઢવા તૈયાર થયા. નમિરાજા પોતાના સૈન્ય સાથે સુદર્શનપુર જવા રવાના થયા અને સુદર્શન આવી નગરીને ચોતરફથી ઘેરી લીધું. મદનરેખા જેમણે યતિધર્મ અંગીકાર કર્યો હતો, જેમનું સાધ્વી તરીકે સુવ્રતા નામ હતું, તેમણે આ બન્ને ભાઈઓના કલહની વાત જાણી. બન્ને સગા સહોદરા ભાઈઓ હોવા છતાં લડશે અને હજારો જીવોનો ઘાત થશે. આ પાપના ભાગીદાર બન્ને ભાઈઓ થશે અને નરકે જશે એમ વિચારી પોતાની ગુણીની આજ્ઞા લઈ તે બને યુદ્ધકર્તાઓની પાસે આવી, નમિરાજાને મળતાં નમિરાજાએ વંદના કરી. સાધ્વીજી પાસે ધર્મોપદેશ સાંભળ્યો અને ચંદ્રયશા તેનો જેષ્ઠ ભ્રાતા છે તે વાત કરી અને પૂર્વ સંબંધ કહી સંભળાવ્યો અને સુવ્રતા સાધ્વી એ તેની માતા છે પણ નમિરાજાએ યુદ્ધ કરવાનું જ વલણ ચાલુ રાખ્યું, આથી સુવ્રતાશ્રીજી બીજા ભાઈ ચંદ્રયશા પાસે જઈન બન્ને જણ લડો છો તે સગા સહોદર છો અને લડવાથી કોઈને ફાયદો નથી અને બને નરક ગતિના પાપ બાંધશો, એ વાત સમજાવી, જેથી ચંદ્રયશા પોતાના ભાઈને મળવા ચાલ્યો. મોટાભાઈ પોતાને મળવા આવે છે તે જાણી નમિરાજા પણ સંગ્રામ તજી જ્યેષ્ઠ ભ્રાતાના પગમાં પડયો. મોટાભાઈએ તેને ઊભો કરી, હૃદયથી ભેટ્યો અને ઉત્સાહ પૂર્વક પોતાના ભાઈને નગર પ્રવેશ કરાવ્યો અને ચંદ્રયશાને નમિરાજાએ રાજ્ય ગ્રહણ કરવા જણાવ્યું, કારણ કે માતાજીએ બન્નેનો સંબંધ સમજાવ્યો અને હવે મને રાજ્યનો ખપ નથી, હું સંયમ માર્ગે જઈશ એમ જણાવ્યું. નમિરાજાએ પણ પોતે સંયમ લેવા કહ્યું પણ મોટાભાઈએ નાનાભાઈને રાજ્ય સોંપી દીક્ષા લેવી તે યોગ્ય છે તેમ સમજાવી રાજ્યપૂરા નમિરાજાને સોંપી દીક્ષા ગ્રહણ કરી. સાધ્વી મદનરેખા ઉર્ફે સુવ્રતાશ્રીજી સર્વ કર્મનો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી મોક્ષે ગયાં. Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૭૦ શ્રી નમિરાજા ૩%. નમિરાજા અને ચંદ્રયશા બને સહોદરને લડતાં બચાવ્યા અને ચંદ્રયશાએ રાજ્ય નમિરાજાને સોંપી દીક્ષા લીધી તે વાત આપણે મદનરેખાના ચરિત્રમાં જોઈ. નમિરાજા ન્યાયમાર્ગે રાજ્ય ચલાવતા હતા. ચંદ્રયાનું રાજ્ય લીધા પછી લગભગ ૬ મહિને તેમને દાહ જવર ઉત્પન્ન થયો. વૈદ્યો તેમની દવા કરતા હતા. પણ દાહ જવરમાં કિંચિત માત્ર ફેર પડતો ન હતો. દાહ જુવરને શાંત કરવા તેમની રાણીઓ ચંદન ઘસતી હતી. તેમના ચૂડલાનો અવાજ નમિરાજાને અત્યંત વેદના કરતો હતો. તેમણે કહ્યું, મને આ દારણ અવાજ શેનો સંભળાય છે? તેના જવાબમાં સેવકોએ ચંદન ઘસાતું હતું તેમ જણાવ્યું અને કહ્યું કે, ચંદન ઘસતી રાણીઓના હાથ ઉપરનાં કંકણોનો આ અવાજ છે ત્યારે બધી રાણીઓએ એકેક કંકણ રાખી બાકીનાં કંકણ કાઢી નાખ્યાં જેથી થતો અવાજ બંધ થઈ જાય. વધારાનાં કંકણો ઉતારી નાખવાથી અવાજ બંધ થયો. આમ થવાથી નમિરાજાએ પૂછ્યું કે, હવે કેમ અવાજ બંધ છઈ ગયો ? ત્યારે સેવકોએ જણાવ્યું કે, એક સૌભાગ્યનું કંકણ રાખીને બાકીનાં બધાં ઉતારી નાખ્યાં છે. ત્યારે રાજા વિચારવા લાગ્યો, ઘણાં કંકણો હતાં તેનો અવાજ દુ:ખકારક હતો પણ ફક્ત એક જ કંકણ રહેવાથી એકદમ શાંતિ થઈ. એમ એકલાપણામાં જ મહા સુખ છે. જંજાળ વધવાથી દુ:ખ વધે છે, સુખ વધતું નથી. માટે આત્મહિત માટે જંજાળનો ત્યાગ કરવો એમ વિચારતાં મનથી નક્કી કર્યું કે, જો આ મારો દાહ જવર બિલકુલ શાંત થશે તો હું ચારિત્ર અંગીકાર કરીશ.” આમ વિચારી તેઓ સૂઈ ગયા. પ્રભાતે ઊઠ્યા ત્યારે દાહ જવર શાંત થઈ ગયો હતો. તે રાત્રે સ્વપ્નમાં તેમણે ઐરાવત હસ્તી અને મેરુ પર્વતને જોયેલ. આવા સુંદર સ્વપ્નના કારણે પણ રોગ દૂર થયો એમ નમિરાજા સમજ્યા. આ સ્વપ્નને ફરી ફરી વિચાર કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. મેં પૂર્વ ભવે સાધુપણું પાળ્યું હતું, ત્યાંથી મૃત્યુ પામીને હું પ્રણત દેવ લોકે દેવતા થયો હતો, આમ જાતિસ્મરણ જ્ઞાન થવાથી પોતાના પુત્રને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી નમિરાજાએ ચારિત્ર લીધું એટલે ઈંદ્રરાજા બ્રાહ્મણનું રૂપ લઈને તેમની પરીક્ષા કરવા આવ્યા અને કહે, “હે રાજન ! તેં રાજ્યનો તૃણવત્ ત્યાગ કર્યો તે બહુ Page #94 -------------------------------------------------------------------------- ________________ જન શાસનના ચમકતા હીરાઓ | ૭૧ સારું કર્યું પણ તારે જીવદયા પાળવી જોઈએ, તારી સ્ત્રીઓ તું વ્રત ગ્રહણ કરે છે તેથી રુદન કરે છે માટે જીવદયા ખાતર તારે વ્રત ગ્રહણ ન કરવું જોઈએ.” નમિ મુનિએ ઉત્તર આપ્યો કે, “મારું વ્રત એ દુ:ખનું કારણ નથી પણ તેઓના સ્વાર્થમાં હાનિ પહોંચે છે, ને તેમને દુઃખકર્તા છે. માટે હું તો મારું કાર્ય કરું છું.” ઈંદ્રે કહ્યું હે રાજન ! તારા મહેલ, અંત:પુર આદિ સળગે છે તેની તું કેમ ઉપેક્ષા કરે છે ?" નમિરાજર્ષિએ કહ્યું, “આ મહેલ મારા નથી, અંત:પુર પણ મારું નથી" ઇંદ્ર કહ્યું “રાજન ! જ્યારે તું રાજ્ય છોડીને જાય જ છે, તો આ નગરીના કોટને મજબૂત કરીને જાં. રાજર્ષિએ કહ્યું, "મારે તો સંયમ એ જ નગર છે, તેમાં શમ નામે કોટ છે, ને નય નામે યંત્ર છે." ઇંદ્ર કહ્યું, હે ક્ષત્રિય ! લોકોને રહેવા માટે મનોહર પ્રાસાદ કરાવીને પછી વ્રત લેજે.” મુનિએ ઉત્તર આપ્યો, એ તો દુર્બુદ્ધિજન કરે, મારે તો જ્યાં મારો દેહ છે ત્યાં જ મંદિર છે." વળી ઇદ્ર કહ્યું. તું ચોર લોકોનો નિગ્રહ કરી પછી વ્રત લે". યતિ બોલ્યા “મેં રાગ, દ્વેષ આદિ ચોરોનો નિગ્રહ કર્યો છે.” ઇંદ્ર કહ્યું, કેટલાક ઉદ્ધત રાજાઓ હજી તને નમતા નથી, તેમનો પરાજ્ય કરી પછી તું પ્રવજ્યા લે.” રાજાએ કહ્યું, યુદ્ધમાં લાખ સુભટોને જીત્યાથી શો ય ગણાય ? ખરો જ્ય તો એક આત્માને જીત્યાથી થાય છે અને એને જીતીને મેં પરમ જ્ય મેળવ્યો છે." (ઇત્યાદિ બોધદાયક નમિરાજર્ષિ અને ઈંદ્રરાજાનો સંવાદ ઉત્તરાધ્યયન સૂત્રથી જાણવો.) આ સંવાદ પૂરો થતાં નમિરાજ આગળ ચાલવા જાય છે ત્યાં ઈંદ્ર પોતાનું અસલ સ્વરૂપે પ્રગટ કરી ને બોલ્યા, “હે યતિશ્વર ! તમને ધન્ય છે. તમે સર્વે ભાવ વૈરીનો પરાભવ કરી તમારો ઉત્કૃષ્ટ સ્વભાવ જણાવ્યો છે." એમ સ્તુતિ કરી ઈંદ્ર સ્વર્ગમાં ગયા અને નમિરાજા કાળે કરી મુક્તિએ ગયા. Page #95 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૭ર અંબિકાદેવી ૩૫. | ગિરનાર પર્વત પાસે એક નાનકડું ગામ. તેમાં એક બ્રાહ્મણ કુટુંબ વસે. દેવભટ્ટ નામના વડીલ મૃત્યુ પામ્યા હતા. તેમની વિધવા પત્ની દેવીલા પોતાના પુત્ર સોમભટ્ટ સાથે રહેતી હતી સોમભટ્ટના વિવાહ અંબિકા નામની એક જૈન કન્યા સાથે થયાં હતાં. અંબિકાને જન્મથી જૈન ધર્મ મળ્યો હતો. જૈન સંસ્કાર હોવાથી દાન-ધર્મ બહુ વહાલો હતો. ઉપરાંત પરણ્યા બાદ સોમભટ્ટ સિવાય કોઈ પુરુષને રાગ ઈષ્ટિથી જોયો ન હતો, એવી સત્ત્વશીલ સતી સ્ત્રી હતી. સોમભટ્ટને શ્રાદ્ધના દિવસો ઉપર શ્રદ્ધા હતા. પોતાના પિતાના શ્રાદ્ધનો દિવસ હતો. એ દિવસે એક મહાન તપસ્વી મુનિરાજ આવીને ઊભા. એક મહિનાના ઉપવાસના પારણે એ તપસ્વી ભિક્ષા માટે આવ્યા હતા. અંબિકાએ ખૂબ હર્ષથી આદરપૂર્વક ભિક્ષા આપી. મુનિરાજ ધર્મલાભ કહી ચાલ્યા ગયા. બારણા પાસે ઊભેલી એક પાડોશણે આ જોયું અને કર્કશ અવાજે અંબિકાને કહ્યું, “અરે ! આ તેં શું કર્યું ? શ્રાદ્ધના દિવસે તેં પહેલું દાન મલિન કપડાંવાળા સાધુને આપ્યું ? શ્રાદ્ધનું અન્ન અને ઘર બન્ને અપવિત્ર કર્યો." અંબિકા, તો સાંભળ્યું ન સાંભળ્યું કરી ઘરમાં ચાલી ગઈ પણ પેલી પાડોશણ પોતાની વાત છોડે ખરી? એણે તો અંબિકાની સાસુ દેવીલાને જે બહાર ગયેલ તે આવી ત્યારે આ વાત વધારીને કરી અને દેવીલાનો ધ ભભૂકી ઊઠ્યો. અંબિકાને સંભળાવાય એટલું સંભળાવ્યું અને સોમભટ્ટ બહારથી આવ્યો તેને અંબિકાની આ રીતે ઘર અભડાવવાની વાત કરી. તે પણ ધિત થઈ ગયો અને અંબિકા તરફ ધસી જઈ બૂમો પાડી કહેવા લાગ્યો. “ઓ પાપિણી ! તેં આ શું કર્યું? હજ કુળદેવતાની પૂજા નથી કરી, પિતૃઓને પિંડ નથી આપ્યા ને તે મેલાઘેલા સાધુને દાન કેમ આપ્યું? નીકળી જા મારા ઘરમાંથી, ચાલી જા અહીંથી." વેધ ચંડાળ છે ! એ ઘેધ જેને ચડે તે ચંડાળ જેવો ક્રૂર બની જાય છે. સોમભટ્ટ સતી સ્ત્રી પર અતિ વેધ કરી ઘર બહાર કાઢી મૂકી Page #96 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૭૩ અંબિકાને બે પુત્રો હતા. એકનું નામ સિદ્ધ અને બીજાનું નામ બુદ્ધ. અંબિકા બંનેને લઈ ઘરના પાછળના બારણેથી નીકળી નગરની બહાર પહોંચી. પોતાના દુર્ભાગ્ય ઉપર વિચાર કરતી અને મનમાં શ્રી નવકાર ગણતી તે જંગલના માર્ગે ચાલતી હતી. સિદ્ધ અને બુદ્ધ બંનેને તરસ લાગી. તેથી સિદ્ધે માને કહ્યું, 'મા, ખૂબ તરસ લાગી છે, મા પાણી આપ.' બુદ્ધે પણ માનો હાથ ખેંચી પાણીની માગણી કરી. અંબિકા ચારે બાજુ જુએ છે. ક્યાંયે પાણી દેખાતું નથી. ત્યાં એક સૂકું સરોવર દેખાયું. અંબિકાએ વિચાર્યું : 'આ સરોવર પાણીથી ભરેલું હોત તો ! ત્યાં તો ચમત્કાર થયો. સરોવર પાણીથી ભરાઈ ગયું. કિનારે ઊભેલા આંબા પર પાકેલી કેરીઓ દેખઈ. અંબિકાના સતીત્વનો આ પ્રભાવ હતો. તેણીની ધર્મ દઢતાનો આ ચમત્કાર હતો. અંબિકાએ બન્ને બાળકોને પાણી પાયું અને ઝાડ ઉપરથી કેરીઓ તોડી બાળકોને ખવરાવી. સિદ્ધ અને બુદ્ધ ખુશ ખુશ થઈ ઝાડ નીચે રમવા લાગ્યા. અંબિકા ઘરથી નીકળી પછી ઘરે પણ આવો જ ચમત્કાર થયો. સાસુ દેવીલા બબડતી બબડતી રસોડામાં ગઈ. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. જે વાસણોમાં અંબિકાએ મુનિરાજને દાન આપ્યું હતું, તે વાસણો સોનાનાં થઈ ગયાં હતાં. રાંધેલા ભાતના દાણા મોતીના દાણા બની ગયા હતા. રસોઈનાં બીજાં વાસણો રસોઈથી ભરચક થઈ ગયાં હતાં. દેવીલા હર્ષથી ઘેલી થઈ ગઈ. તેણે દીકરા સોમભટ્ટને બોલાવી આ બધું બતાવ્યું અને કહ્યું, "જો અંબિકા તો સતી છે સતી, જો એનો પ્રભાવ.” સોમભટ્ટે સોનાનાં વાસણો જોયાં, ભાતનું તપેલું મોતીના દાણાથી ભરેલું જોયું અને સોમભટ્ટનો રોષ ઊતરી ગયો ને તરત જ અંબિકાને શોધવા નીકળી પડ્યો. અંબિકાને શોધતાં શોધતાં સોમભટ્ટ જંગલમાં આવી પહોંચ્યા. દૂરથી બન્ને બાળકોને રમતા જોયા, એટલે તેણે બૂમ પાડી : અંબિકા ... ઓ અંબિકા ! પતિનો અવાજ સાંભળી અંબિકા ધ્રૂજી ઊઠી. તેને લાગ્યું કે એ જરૂર એને મારવા આવ્યો છે. તે બન્ને બાળકોને લઈ દોડી. બાજુના એક કૂવામાં છલાંગ મારી, બન્ને બાળકો સાથે કૂદી પડી અને ત્રણેના પ્રાણપંખેરું ઊડી ગયાં. સોમભટ્ટ આવ્યો, પણ મોડો પડ્યો. તેણે કૂવામાં પોતાની પત્ની અને બન્ને બાળકો જોયાં. તે પણ કૂદી પડ્યો કૂવામાં. તરત જ સમજી ગયો કે ત્રણેના પ્રાણપંખેરુ ઊડી ગયાં છે. થોડી વારમાં તેનું પણ મૃત્યુ થયું. Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૭૪ અંબિકા મરીને દેવલોકમાં દેવી થઈ છે. અંબિકાના ભાવ મરતી વખતે શુદ્ધ હતા એટલે તે મરીને દેવી થઈ પણ સોમભટ્ટના ભાવ એટલા શુદ્ધ ન હતા તેથી મરણ કષ્ટથી દેવપણામાં અંબિકાનું સિંહનું વાહન થનાર દેવ થયો. આ રીતે તેઓ દેવ અને દેવી થયાં. અંબિકાને ભગવાન તેમનાથ ઉપર અથાગ પ્રીતિ હતી, એટલે તે દેવી થઈ અને ભગવાન નેમનાથની અધિષ્ઠાયિકા દેવી બની. જે કોઈ ભગવાન નેમનાથની સેવા, ભક્તિ - શ્રદ્ધાથી કરે છે, અંબિકા દેવી તેઓના મનોરથ પૂર્ણ કરે છે. સોમભટ્ટ દેવ થયા, પણ એમને ત્યાં સિંહનું રૂપ ધારણ કરવું પડે છે ને અંબિકા દેવીના વાહન બનવું પડે છે. જ્ય બોલો દેવી અંબિકાનો. - - " : ' ક' છે. - ગધેડું કશાય બદલાની અપેક્ષા વિના માનવીને ત્યાં નિષ્કામભાવે મજૂરી કરવાનું એણે સમર્પણવ્રત લીધું...ને પીઠ પર ઊંચકાય એટલો - એથીય વધુ - માલ ભરી ભરીને એણે માનવીનો ભાર વહ્યા કર્યો. | આટઆટલી સેવા કરવા છતાંય એણે કદી અહંકાર ન કર્યો. માનવીએ ડફણાં માર્યા તોય સહી લીધાં. અપમાન કર્યું તોય વેઠી લીધું. ખાવા માટે ઘાસ પણ ન માગ્યું. રહેવા કાજે છાપરું પણ ન ઇછ્યું. ઉકરડે અથડાઈને જ પેટ ભર્યું. છતાંય રૂદિયામાં કશોય જ રાખ્યો નહિ. એટલું જ નહિ, આટઆટલાં અપમાન, માર ને ઢસરડા વચ્ચે પણ એણે તો ઉકરડની ધૂળમાં આળોટીને જ પોતાનો આનંદ માણી લીધો. | વાહ રે નિષ્કામ સમર્પણવ્રતી ! | ગધવ જેવું સમર્પણવ્રત અપનાવીએ. '' ': Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૭૫ રાજા મુનિચંદ્ર (આ કથાનક ચન્દ્રાવતુંસક રાજાના નામે પણ પ્રસિધ્ધ છે.) સંધ્યાકાળનો સમય છે. રાજ્યના કામથી પરવારી રાજા મુનિચંદ્ર સાંજના ચૌવિહાર કરી અંત:પુરમાં આવ્યા. એકલા જ હતા, ચિંતવન કરવા લાગ્યા. મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહેલું, એક ક્ષણ પણ નકામી વેડફીશ નહીં. અત્યારે કુરસદ છે - રાણી અંતઃપુરમાં નથી આવી. એ આવે ત્યાં સુધી ધ્યાનસ્થ થાઉં. કાઉસગ્ન કરું એમ વિચારી સામે દીવો છે, મનથી નક્કી કરે છે, “દીવો બળે છે ત્યાં સુધી કાઉસગ્ગ કરું એમ મનથી પ્રતિજ્ઞા કરી. | મીણના પૂતળાની માફક કાઉસગ્ગ ધાને ઊભા રહ્યા. થોડો વખત થયો એટલે એક દાસી અંત:પુરમાં બધું ઠીક ઠાક કરવા આવી એણે રાજાજીને ધ્યાનમાં ઊભેલા જોયા. પણ દીવામાં ઘી ઘટતું જતું હતું. ધી ખલાસ થઈ જશે તો દીવો ઓલવાઈ જશે અને દીવો ઓલવાઈ જશે તો રાજાજીને અંધારામાં રહેવું પડશે એમ વિચારી દીવામાં તેલ પર્યું. દીવો ઓલવાતો બચ્યો એટલે કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા જ રહ્યા. વળી તેલ પૂરું થવા આવ્યું એટલે દાસીએ પાછું તેલ દીવામાં ઉમેર્યું. રાજા પ્રતિજ્ઞાવશ છે - દીવો હજી સળગે છે - કાઉસગ્ગ પૂરો ન થાય - પ્રતિજ્ઞા કેમ તોડાય ? વખત વહેતો જાય છે. શરીરમાં કળતર થવા માંડે છે - પગ થાક્યા છે. પણ રાજા દઢપણે કાઉસગ્નમાં ઊભા જ રહ્યા. વિચારે છે, આ વેદના તો કંઈ જ નથી. આ જીવે નારકીની વેદનાઓ ભોગવી છે, ત્યાં અનંત વખત શરીર છેદાયું - ભેદાયું છે, એનાથી તો આ વેદના અનંતમા ભાગની જ છે. આ વેદના સહન કરવાથી અનંત ગુણી નિર્જરા જ થનાર છે. આમ કાઉસગ્ગ ધ્યાનમાં જ દિવસ ઊગ્યો. અજવાળું થવાથી દાસીએ તેલ પૂરવું બંધ કર્યું અને દીપક બુઝાયો. રાજાની પ્રતિજ્ઞા પૂરી થઈ. કાઉસગ્ગ પારી, રાજાજી પગ ઉપાડી પલંગ તરફ જવા જાય છે, પણ અંગો ઝલાઈ ગયાં હોવાથી નીચે પડી જાય છે. પણ પંચ પરમેષ્ટિના ધ્યાનમાં લીન થઈ જાય છે. આયુષ્ય પૂરું થતાં કાળ કરે છે અને ત્યાંથી સીધો તેમનો જીવ દેવલોકમાં જાય છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૭૬ શ્રી પ્રહારી એક નગરમાં જીર્ણદત્ત નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને યજ્ઞદત્ત નામનો ઉદ્ધૃત પુત્ર હતો. કાળે કરી યજ્ઞદત્તનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં. નાનપણથી તે મૃગયા રમવા જતો તેથી તે મૃગના શિકારમાં કુશળ હતો. પણ ગરીબીને લીધે જીવવું મુશ્કેલ લાગ્યું તેથી તે નગરીની બહાર ચોર લોકોની પલ્લીમાં ગયો. ત્યાં પલ્લીપતિ ભીમને તે મળ્યો. પલ્લીપતિને પુત્ર ન હતો તેથી તેણે યજ્ઞદત્તને પોતાનો પુત્ર કરીને રાખ્યો. # ૩૭. તે કોઈ પણ પ્રાણી ઉપર અચૂક પ્રહાર કરી મારી શકતો આથી તેનું નામ ઢ પ્રહારી પડી ગયું. પલ્લીપતિએ પોતાનો અંતકાળ સમીપ જાણી પ્રહારીને પોતાની પાટે સ્થાપ્યો એટલે પ્રહારી પલ્લીપતિ બની ગયો. તે રાત્રીએ ભીલ સેવકો સાથે ચોરી, ધાડ આદિ કુકર્મ કરવા લાગ્યો. એક દિવસ તે કુશસ્થળ નામનું ગામ લૂંટવા ગયો. તે ગામમાં દેવશર્મા નામે બ્રહ્મણ રહેતો હતો. તે ઘર ઉપર ભીલ સેવકોએ ધાડ પાડી. દેવશર્મા બહાર જંગલમાં ગયો હતો. આથી તેના પુત્રે દોડતા જંગલમાં જઈ પિતાને આ વાત કહી, તેથી દ્વેષે ભરાઈ દેવશર્મા લાકડી લઈ દોડતો ઘરે ચોરોને મારવા આવ્યો. પ્રહારીએ લાકડીથી મારવા આવતા દેવશર્માને જોયો તેથી, તેના ઉપર પ્રહાર કરી તેના મસ્તકના નાળિયેરની પેઠે છેદીને કટકા કરી નાખ્યા. એ દરમ્યાન એક ગાય, તેનાં શીંગડાં ઊભાં કરી ચોરોને મારવા આવી. તેને પણ પ્રહારીએ મારી નાખી. દેવશર્માના મૃત્યુના ખબર સાંભળી તેની ગર્ભવતી સ્ત્રી હાહાકાર કરી ઘર બહાર આવી, તેને પણ પ્રહારીએ ગર્ભ સહિત મારી નાખી. આમ એક સામટી બ્રાહ્મણ, ગાય, સ્ત્રી તથા ગર્ભની હત્યાઓ કરવાથી ઢપ્રહારી થથરી ઊઠ્યો અને વિચારવા લાગ્યો - અહો, આ મેં શું કર્યું ! આ બ્રાહ્મણ અને તેની સ્ત્રીની હત્યા કરવાથી હવે તેનાં બાળકોનું શું થશે. હું જ એઓનાં દુ:ખનું કારણ બન્યો. આવા દુષ્કૃત્યનો ભાર હું કેવી રીતે સહન કરીશ ? ભવરૂપમાં પડતાં મારે અવલંબન કોણ બનશે ? એમ ચિંતવન કરતો હતો, એવામાં શાંત મનવાળા, ધર્મધ્યાનમાં લીન અને સર્વ જીવની રક્ષા ચાહનાર એવા સાધુઓને જોયા. તેમને જોતાં તે મનમાં વિચારવા લાગ્યો, "અહો ! આ લોકને વિષે આ સાધુઓ પૂજવા યોગ્ય છે. તેમ જ ક્ષમાવંત છે." Page #100 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૭૭ તેઓને વંદન કરીને પ્રહારી કહેવા લાગ્યો કે, "મેં સ્ત્રી, બ્રાહ્મણ, ગાય તથા બાળગર્ભની હત્યા કરી છે. તો હે કૃપાનિધિ ! નરક ગતિથી મને બચાવો - એક જ પ્રાણીના વધથી નરક ગતિ થાય છે તો મારું શું થશે ? શી ગતિ થશે ? મહાત્મા - મને બચાવો. મને આપની દીક્ષા આપો” ગુરુએ તેને સંસારથી વિરક્ત જાણી સંયમ આપ્યું. પ્રહારીએ દીક્ષા લઈ તપ કરતાં કરતાં એવો અભિગ્રહ લીધો કે “જે જે દિવસે મને આ મારું પાપ સાંભરશે, તે તે દિવસે હું આહાર નહિ લઉં અને કોઈ વૈરી મને હણશે તો તેને પણ હું ક્ષમા કરીશ.” આવા અભિગ્રહ સાથે પોતે ઘણી વખત જે ગામ ઉપર ધાડ પાડી હતી તે કુશસ્થળ નગરમાં ભિક્ષાર્થે જાય. ત્યાં તેમને જોઈ નગરના લોક "ગો-બ્રાહ્મણ- સ્ત્રી-બાળ હત્યારો" એમ કહી લાકડી તથા પથ્થર આદિથી મારવા લાગ્યા. પણ આ મહાત્મા શાંત ચિત્તે બધું સહન કરતા ચિંતવવા લાગ્યા, "હે જીવ, તેં આ પ્રમાણે અનેક જીવોને નિર્દયપણે હણ્યા છે. ઘણાની લક્ષ્મી તથા સ્ત્રીઓનું હરણ કર્યું છે. બહુ બહુ અસત્યો ઉચ્ચાર્યાં છે અનેક કુટુંબમાં સ્ત્રીઓથી બાળકોના વિયોગ કરાવ્યા છે તો હવે આ બધું સહન કરવાનો તારો વારો આવ્યો છે, તો આ બધાના ઉપસર્ગ તારે સહન કરવા. એમના અપરાધની ક્ષમા કરવી. કોઈ સંજોગમાં બ્રેધ ન જ કરવો. અત્યારે આ લોકો મારાં કર્મોને ક્ષય કરવામાં મિત્રની માફક મદદ કરી રહ્યા છે. મુક્તિરૂપી સુખ આપવા ન ક૨ેલી એવી સહાયતા કરી રહ્યા છે. ક્રેધ એઓ ઉપર ન થાય. દોષ દેવો જ હોય તો પોતાના કર્મને દોષ દેવો. મારા તો આ પરમ બાંધવો છે. અહો ! હું તો મારા કર્મોને હણું છું પણ આ લોકોનું શું થશે ? આ ઉપસર્ગો કરવાથી તેઓ નરકે જવા જેવાં કર્મ બાંધશે. તેવી રીતે તેઓ પ્રત્યે કરુણા ભાવ ભાવવા લાગ્યા. γ આવી ઉત્તમ ભાવના ભાવતાં ભાવતાં તેમના અધ્યવસાય ક્ષણે ક્ષણે શુદ્ધિ પામવા લાગ્યા. અનુક્રમે તેમણે ચૌદમું ગુણસ્થાનક પ્રાપ્ત કરી કેવળજ્ઞાન મેળવ્યું. માણસ કેવો હોવો જોઈએ ? વાણીમાં સુમધુર, શાણો, ભવ્ય દેખાવવાળો, છતાં નમ્ર સ્વભાવનો અને નિર્ભય છતાં વિનયશીલ, અદબવાળો અને મૃદુ હૃદયનો. એડવીન આરનોલ્ડ Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૭૮ | શ્રી ઈલાચીકુમાર ઈલાવર્ધન નામે નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તે ગામમાં ઇભ્ય નામનો શેઠ અને ધારિણી નામની તેની સદ્ગણી સ્ત્રી રહેતાં હતાં. તેઓ સર્વ પ્રકારે સુખી હતાં પણ સંતાન ન હોવાનું એક જ દુ:ખ હતું. આથી દંપતીએ અધિષ્ઠાયિકા ઈલાદેવીને આરાધીને કહ્યું, "જો અમને પુત્ર થશે તો તેનું નામ તારા નામે સ્થાપશું, અનુક્રમે તેમને પુત્ર થયો અને તેમની માન્યતા મુજબ તેનું નામ ઇલાચીકુમાર પાડ્યું. આઠ વર્ષનો થતા ઇલાચીકુમારને ભણવા માટે અધ્યાપક પાસે મૂક્યો. તે શાસ્ત્રો સૂત્રાર્થ સહિત ભણ્યો. તે યૌવન અવસ્થામાં આવ્યો પણ યુવાન સ્ત્રીઓથી જરા પણ મોહિત થયો નહીં. પરંતુ સાધુની પેઠે ઘરમાં વર્તન કરતો રહ્યો. આથી પિતાએ વિચાર્યું કે, આ પુત્ર ધર્મ, અર્થ અને કામ એ ત્રણેમાં પ્રવીણતા નહિ મેળવે તો એનું શું થશે? એટલે તેને વ્યસની લોકોની ટોળીમાં મૂક્યો. આથી તે જૈનકુળના આચારવિચાર ન પાળતાં, આસ્તે આસ્તે દુરાચારી થતો ગયો. એવામાં વસંત ઋતુ આવી એટલે ઇલાચી પુત્ર તેના કેટલાક સાથીદારો સાથે ફળ અને ફૂલથી શોભી રહેલા એવા વનમાં ગયો જ્યાં આમ, જાંબુ વગેરે ફળ તથા સુગંધમય ફૂલોનાં વૃક્ષો હતાં. ત્યાં લંખીકાર નામના નટની પુત્રીને તેણે નૃત્ય કરતાં જોઈ, તેણીને અંગીકાર કરવાની ઇચ્છા થઈ. આ ઇચ્છા ફરી ફરી થવા લાગી અને તે દિગમૂઢ થઈ પૂતળાની માફક ઊભો રહી ગયો. મિત્રો ઈલાચીકુમારના મનોવિકારને સમજી ગયા અને તેને સમજાવી ઘરે લઈ ગયા. ઘરે ગયા બાદ તે રાત્રીએ સૂતો પણ લેશમાત્ર નિદ્રા આવી નહીં. કારણ કે તે નટપુત્રીને ભૂલી શક્યો નહીં આવી સ્થિતિ જોઈ તેના પિતાએ તેને પૂછ્યું. હે પુત્ર, તારું મન કેમ લગ્ન છે. તારો કોઈએ અપરાધ કર્યો છે?" પણ ઇલાચીકુમાર મૌન રહ્યો, જવાબ આપી શક્યો નહીં. તેથી તેના પિતાએ તેના મિત્રો દ્વારા જાણ્યું કે તે નટ પુત્રી ઉપર મોહિત થયો છે અને તેની સાથે પરણવાની ઇચ્છા છે ! પુત્રે જવાબ આપ્યો, “પિતાજી, હું સન્માર્ગ પ્રવર્તનાદિ સર્વ સમજું છું. પણ લાચાર છું. મારું મન તેણીને વિષે જ લાગેલું છે." પિતાજી સમજી ગયા કે મેં જ ભૂલ કરી હતી. તેને કુસંગતિમાં મૂક્યો તેનાં ફળ Page #102 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૭૯ ભોગવવાનો વારો આવ્યો. હવે હું નિષેધ કરી તેને રોકીશ તો તે મૃત્યુ પામશે તો મારી શી ગતિ થશે ! માટે સારાસારનો વિચાર કરીને પેલા નટને મળ્યા અને પોતાના પુત્ર સાથે તેની પુત્રીની માગણી કરી નટે કહ્યું, “ભલે જો તમારા પુત્રની એવી જ ઇચ્છા હોય તો તેને અમારી પાસે મોકલો.” પિતાએ ઘરે આવી ઇલાચી પુત્રને નટ પુત્રી સાથે પરણવા ન છૂટકે હા પાડી અને પુત્રને નટ પાસે મોકલ્યો. નટે ઇલાચી પુત્રને કહ્યું, “જો, નટ પુત્રીને પરણવું હોય તો અમારી નૃત્ય કળા શીખ. બરાબર તેમાં પારંગત થઈશ તો તને એ કન્યા આપશું." કામાર્થી ઇલાચીકુમારે નૃત્યકળા શીખવા માંડી. અલ્પ સમયમાં તે નૃત્યકળાને વિષે પ્રવીણ બની ગયો. લેખીકાર ઇલાચીકુમાર અને પોતાની પુત્રીને નચાવતાં દ્રવ્ય ઉપાર્જન કરવા લાગ્યો. સારું એવું દ્રવ્ય ઉપાર્જન થયા પછી મહોત્સવ પૂર્વક પુત્રી પરણાવવાની લેખીકારે હા કહી મોટા પ્રમાણમાં દ્રવ્ય ઉપાર્જન કરવું હોય તો કોઈ મોટા રાજ્યમાં જઈ ત્યાંના રાજા-મહારાજાને મૃત્યુથી ખુશ કરવા જોઈએ. આવા ખ્યાલથી લખીકાર ઇલાચીકુમાર તથા તેની આખી મંડળીને લઈને બેનાત નગરે ગયાં. ત્યાં તેણે ત્યાંના રાજા મહી પાળને કહ્યું : “અમારે આપને એક નાટક બતાવવું છે.” ભૂપાળે હા કહી એટલે તેણે વિનય સહિત નાટય અને નૃત્યના પ્રયોગો શરૂ કર્યા. બે વાંસની બે ઘોડી બનાવી. તેમાં વચ્ચે દોરડું બાંધી તે દોરા ઉપર નૃત્ય કરવા લાગ્યો. આ વખતે રાજાની નજર લિંખીકારની પુત્રી ઉપર પડી અને તે તેના ઉપર મોહિત થયો. પણ તેને કેમ મેળવી શકાય ? તેથી તેણે વિચાર કર્યો કે નટ જો દોરડા ઉપરથી નીચે પડી જાય અને મરી જાય તો આ નટડી ને પામી શકે. એથી તેણે નટકારને ફરીથી અધ્ધર ઘરડી ઉપર નાચ કરવા કહ્યું. ઈલાચીકુમારે બીજી વાર દોરડા ઉપર સૂઈ જઈ ઉત્કૃષ્ટ નૃત્ય કર્યું. આથી પણ રાજા ખુશ ન થયો અને ફરીથી નિરાધાર દોરડ ઉપર રહી નૃત્ય કરવા કહ્યું. આ વખતે રાજાના ભાવ એવા જ હતા કે નટકાર કેમ દોરડા ઉપરથી બેલેંસ ગુમાવી પડી જાય અને મરી જાય અને નટડી મેળવી શકાય. ત્યારે ઇલાચીકુમારના ભાવ એવા છે કે રાજા કેમ ખુશ થઈ મોટું ઇનામ આપે અને નટડી સાથે લગ્ન કરે. બન્નેના ભાવ તદ્દન જુઘ હતા. વારંવાર આમ નૃત્ય કરવાનું રાજા કહેતા હતા, તે વાતને ઈલાચીકુમાર સમજી ગયો કે રાજાની દાનત બૂરી છે. તે મારું મૃત્યુ ઇચ્છે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૮૦ આ વખતે ઇલાચીકુમારે દૂર એક ય જોયું. એક સુંદર સ્ત્રી સાધુ મહારાજને વહોરાવતી હતી, પણ સાધુ રંભા જેવી સ્ત્રીની સામે પણ જોતા નથી. ધન્ય છે આવા સાધુને અને હું ક્યાં ? માતાપિતાની વાત ન માની એક નટડી ઉપર મોહિત થઈ મારા કુળને કલંકિત કર્યું. આમ વિચારતાં વિચારતાં ચિત્ત વૈરાગ્ય વાસિત થયું. આ રીતે દોરડા ઉપર નાચતા ઇલાચીકુમાર અનિત્ય ભાવના ભાવવા લાગ્યો અને તેના કર્મસમૂહ ભેદાયાથી તે કેવળજ્ઞાન પામ્યો એટલે દેવતાઓએ આવી સુવર્ણકમળની રચના કરી. તે ઉપર બિરાજી ઈલાચીકુમારે ત્યાં રાજા સહિત બધાને ધર્મદેશના આપી અને રાજાના પૂછવાથી પોતાના પૂર્વ ભવની વાત જણાવી જાતિમદના કારણે પૂર્વ ભવની તેની સ્ત્રી મોહિની લંખીકારની પુત્રી થઈ અને પૂર્વ ભવના સ્નેહના કારણે પોતે આ નટ પુત્રી ઉપર મોહિત થયો હતો. મૂળિયાં વૃક્ષ તો વવાયું, પણ એના ઉછેર માટેનું પોષણ કોણ પુરું પાડે એને - એ જવાબદારી મૂળિયાંએ સ્વીકારી. એટલે જ વૃક્ષનો ઘડેધૂર ઘટાટોપ, એનાં પાંદડાં, પુષ્પો ને ડાળો, એનું સૌંદર્ય ને સૌષ્ઠવ પ્રાદુર્ભાવ પામ્યાં. | છતાંય મૂળિયાંને તો છાને ખૂણે જમીનમાં દટાયેલા રહેવાનું ને કદી ન દેખાવાનું વ્રત પાળવાનું જ ગમ્યું. - એના આ સમર્પણને લીધે જ વૃક્ષોનાં તમામ અંગો પોતપોતાને જરૂરી હોય એવું પોષણ પામ્યાં. એને લીધે જ ગુલાબ સુગંધ પામ્યાં. એને લીધે જ કમળ સૌંદર્ય પામ્યાં ને એને લીધે જ આંબા રસકસ પામ્યાં. વાહ રે ! પ્રકૃતિરાજ્યના પુરવઠા • પ્રધાન, તમારું અને સમર્પણ ! મૂળિયાંની જેમ છાનું પોષણ આખા કરીએ. Page #104 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ C ૮૧ શ્રી ઝાંઝરિયા મુનિ ૩૯. મદનબ્રહ્મ એક રાજકુમાર હતા. તેઓ ભર યુવાનીમાં હતા. બત્રીસ સુંદર રાજકન્યાઓ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. અને સ્વર્ગ સમો આનંદ માણતા કાળ વ્યતીત કરતા હતા. એકદા ઇન્દ્રોત્સવ ઊજવવા નગરીની પ્રજા સુંદર વસ્ત્ર પરિધાન કરી ઉદ્યાનમાં ગઈ. રાજકુમાર મદનબ્રહ્મ પણ બત્રીસ નવવધૂઓની સાથે ઉદ્યાનમાં ક્રીડા કરી રહ્યા હતા. તેવામાં તેમની ષ્ટિ એક ત્યાગી મુનિવર ઉપર પડી. એટલે તેમને વંદન કરવાની ઇચ્છાથી મુનિરાજ પાસે પહોંચ્યા. વિધિપૂર્વક વંદન કરી તેઓ નવવધૂઓ સાથે તેમની વૈરાગ્ય ઝરતી અમોધ દેશના સાંભળવા બેઠા. મુનિશ્રીની અમીરસ ભરી દેશના સાંભળતાં મદનબ્રહ્મ રાજકુમારનો આત્મા જાગી ઊઠ્યો. તેમને આત્મા શું છે તે સમજાયું અને તે જ ક્ષણે બત્રીશ નવવધૂઓને ત્યજી તેમણે સંયમ અંગીકાર કર્યો. તેઓએ જ્ઞાનની આરાધના કરી. વિદ્વાન અને ગીતાર્થ બન્યા. વિહાર કરતાં કરતાં મદનબ્રહ્મ મુનિ ખંભાત (તે વખતની ત્રંબાવટી) નગરીમાં પધાર્યા. મધ્યાહ્ન સમયે ગોચરીએ નીકળતાં એક શેઠાણીએ ગોખમાંથી તેમને જોયા. શેઠાણીને ઘણાં વર્ષોથી પતિનો વિયોગ હતો. કામ વરી પીડીત શેઠાણીની ભાવના બગડી હતી. અને કોઈ તક શોધી રહીહતી. ત્યાં આ ભરયુવાન મુનિને જોયા. મનમાં હરખાઈ અને પોતાની વાસના પોષવા પોતાની નોકરાણીને મોકલી કે, જા, પેલા મુનિને તેડી લાવ. દાસી દોડી ગઈ અને મુનિને વિનંતી કરી કે, પધારો ગુરુદેવ ! સરળ સ્વભાવે મુનિશ્રી ત્યાં પધાર્યા. મકાનનો દરવાજો શેઠાણીએ બંધ કરી દીધો અને હાવભાવ અને લટકાં મટકાં કરવા માંડ્યાં. મુનિશ્રીને મોહવશ કરવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ મુનિશ્રી વ્રતમાં અડગ હતા, અને મીઠી વાણીથી શેઠાણીને ધર્મનો ઉપદેશ આપવા લાગ્યા. પણ મોહાંધ અને તીવ્ર વાસનાથી પીડીત શેઠાણી ધર્મ દેશના ઉપર ધ્યાન ન દેતાં મુનિશ્રીને વળગી પડી. મુનિશ્રીએ વિચાર્યું, હવે અહીંથી તરત નીકળી જવું જોઈએ. વધુ ત્યાં રહેવાથી દુષ્ટ સ્ત્રી મારા વ્રતનો ભંગ કરશે. એમ વિચારતાં જોરથી હાથ છોડાવી મુનિશ્રી દ્વાર ખોલી નાસવા લાગ્યા. પણ કામી સ્ત્રીએ નાસતા મુનિને પોતાના પગની આંટી મુનિના પગમાં મારી નીચે પાડી નાખ્યા. આ પગની આંટી મારતાં સ્ત્રીનું ઝાંઝર મુનિના પગમાં ભરાઈ ગયું અને શેઠાણી જોરથી બૂમો મારવા લાગી કે, પકડો, પકડો આ દુષ્ટ અણગારને. તે મારું શિયળ ખંડન કરી નાસે છે. પકડો-પકડો. ૬ Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ C ૮૨ લોકોએ સાધુને પકડ્યા. સ્ત્રીના પોકાર સાંભળી લોકો મુનિને મારવા લાગ્યા. પણ મુનિશ્રીના કોઈ પુણ્યોદયના કારણે તેઓ નાસતા હતા અને શેઠાણીએ પગની આંટી મારી મુનિને હેઠા પાડ્યા હતા. એ ખેલ આ નગરના રાજાએ પોતાના ઝરૂખામાં ઊભા ઊભા જોયો હતો. તે તરત જ નીચે ઊતર્યા અને લોકોને સત્ય હકીકત સમજાવી કે “આ સ્ત્રી પોતાની ફજેતી ઢાંકવા આ પવિત્ર સાધુને કલંક આપે છે. મુનિશ્રી તો સાચા અને પવિત્ર સંત છે. આ તોફાન તો પેલી દુષ્ટ શેઠાણીનું છે." લોકોએ પગમાં પડી મુનિશ્રીની ક્ષમા માગી. મુનિશ્રીનો જયજયકાર થયો. રાજાએ શેઠાણીને પોતાના ઉગ્ર પાપનું ફળ ભોગવવા દેશનિકાલની સજા કરી. મુનિશ્રીનું નામ તો હતું મદનબ્રહ્મ મુનિ, પણ પગમાં ઝાંઝર આવી જવાથી તે ઝાંઝરિયા મુનિ તરીકે ઓળખાવા લાગ્યા. આવી કપરી કસોટીમાંથી પસાર થયા બાદ મુનિ શ્રી ઉજેણીનગરી પધાર્યા. ઘરે ઘરે ગોચરી વહોરતા. એક દિવસ રાજા-રાણી ઝરૂખે બેસી સોગઠાં રમતાં હતાં. રાણી મુનિને જોઈ મનમાં મલકાઈ અને તરત રોવા લાગી. દડદડ આંસું પડવા લાગ્યાં. આ જોઈ રાજા વહેમાયા. જરૂર આ મુનિ ભૂતકાળનો મારી રાણીનો યાર હશે. આથી રાજાએ ખાનગીમાં સેવકોને બોલાવી આ મુનિને પકડી એક ઊંડો ખાડો ખોદાવી તેમાં ઊભા રાખ્યા અને સેવકોને મુનિની ગર્દન કાપી નાખવા હુકમ કર્યો. સેવકો ગર્દન કાપવા તૈયાર થયા અને મુનિ શ્રી સમતારસમાં મહાલવા લાગ્યા. શત્રુને પણ મિત્ર સમજી તેઓને ઉપકારી ગણી ઊંચી ભાવનાએ ચડતા ગયા. સેવકોએ રાજાની આજ્ઞા મુજબ મુનિનો શિરચ્છેદ કરી નાખ્યો. અંત પહેલાં મુનિ ઉચ્ચ ભાવનાના પ્રતાપે કેવળજ્ઞાન પામ્યા અને તે મોક્ષમાં ગયા. રાજા રાજી થતો થતો રાજમહેલે આવ્યો - આ તરફ સમડી માંસનો પિંડ સમજી લોહીવાળો ઓઘો ચાંચમાં લઈ આકાશમાં ઊડી. ભવિતવ્યતાના યોગે ઓધો રાજમહેલના ચોકમાં પડ્યો. સેવકો દ્વારા રાણીએ વાત જાણી. ઓધો જોઈ રાણીએ આ ઓધો પોતાના ભાઈ મદનબ્રહ્મનો જ છે, તેમને જરૂર કોઈએ મારી નાખ્યા છે. રાણીને ચોધાર આંસુએ રોતી જોઈ રાજા દોડતો આવ્યો. અને વાત સમજાઈ કે ઠાર કરેલ મુનિ તો રાણીનો સગો ભાઈ હતો. રાજાએ કબૂલ કર્યું કે શંકાના કારણે તેણે જ મુનિને મારી નંખાવ્યા છે. હવે રાજા અને રાણી ધ્રુસકે ધ્રુસકે રડે છે. રાણીએ આહાર પાણીનો ત્યાગ કરી અનસન કર્યું. રાજાજી મુનિશ્રીના ક્લેવર આગળ જઈ ખમાવે છે અને પ્રબળ પશ્ચાત્તાપ કરતાં અને અનિત્ય ભાવના ભાવતાં ભાવતાં રાજાને પણ કેવળજ્ઞાન થાય છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૮૩ કલાવતી. કલાવતીનાં લગ્ન શંખરાજ સાથે થયાં હતાં. કલાવતી ગર્ભવતી થતાં તેના પિયરથી તેના ભાઈ જ્યસેન સુવાવડ માટે તેના ઘેર લઈ જવા આવ્યો પણ રાજાજીએ એનો વિરહ હું નહિ વેઠી શકું એમ કહી મોકલવાની ના પાડી જ્યસેને પોતાની બહેનને ભેટ માટે લાવેલી એક પેટી આપી વિદાય લીધી. કલાવતીએ એકાંતમાં પેટી ઉધાડી. પેટીમાં સુંદર ઝગારા મારતા બે બરખા જોયા અને ઘણું જ હરખાઈ. તે વખતે એક દાસી આવી પહોંચી તેણે પૂછ્યું : રાણી સાહેબ ! ક્યાંથી લાવ્યા !' કલાવતીએ કહ્યું : મારા વહાલાની આ ભેટ છે ખલાસ બારણા પાછળ ઊભેલા રાજાજીએ આ શબ્દો સાંભળ્યા અને એના મનમાં વહેમનું ઝેર ચડ્યું. એનો વહાલો મારા સિવાય બીજો પણ કોઈ છે. કલાવતી શરેરે રૂપાળી છે પણ મનથી કાળી છે, કુલટા છે. તે રોષે ભરાયો. તેણે સેવકોને આજ્ઞા કરી કે, કલાવતીને કાળા રથમાં, કાળાં વસ્ત્રો પહેરાવી, કાળો ચાંલ્લો કરી જંગલમાં લઈ જાઓ. ત્યાં તેના બને હાથ બેરખા સાથે કાપી મારી સામે હાજર કરો.” સેવકો રથમાં બેસાડી લાવતીને ઘોર અટવીમાં લઈ ગયા અને કલાવતીને નીચે ઊતરી રાજાજીનો હુકમ સંભળાવ્યો. કલાવતીએ આંખમાં આંસુ સાથે જવાબ આખો કે, "મારા સ્વામીને કહેજો, તમારી આજ્ઞા મુજબ કલાવતીએ બેરખા સાથે બને હાથ કાપી આપ્યા છે. કાપી લો અને હાથ અને જલદી જઈ સોંપો મારા બને બેરખા સાથેના હાથ રાજાજીને.” સુભટે બન્ને કાંડાં બેરખા સાથેના કાપી વિદાય લીધી. કલાવતીના હાથ કપાયાથી અસહ્ય વેદના થતી હતી તેને મુરછા આવી ગઈ. પાસે સારવાર માટે કોઈ નથી. આ દુઃખમાં તેને પુત્રનો પ્રસવ થયો. કલાવતી સતી હતી. તેનો કોઈ દોષ ન હતો. પૂર્વ જન્મનાં કર્મ ઉદય આવ્યાં હતાં. આવી અસહાય સ્થિતિમાં તે કલ્પાંત કરતી હતી. એ વખતે આકાશમાં દેવ સિંહાસન કંપાયમાન થયું અને દેવે આ દુ:ખી ઘટના જોઈ. બીજાં બે દેવદેવીને સતીને સહાય કરવા જવા કહ્યું. Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૮૪ દેવદેવીએ રોતી કકળતી કલાવતી પાસે નમન કરી બાળક પોતાના હાથમાં લીધું અને બાજુમાં જ સાવ નાનો મહેલ બનાવી તેમાં સોનાની માંચી બનાવી તેમાં બાળક સાથે બેસાડી હીંચોળવા માંડ્યા. કલાવતી નવકાર મંત્રનો જાપ કર્યે જતાં હતાં અને બન્ને બાકી રહેલા હાથ સાફસૂફ કરવા પાણીમાં બોળ્યા. સતીત્વના અને નવકાર મંત્રના પ્રતાપે બન્ને હાથ બેરખાં સહિત પાછા હતા તેવા થઈ ગયા. પણે રાજાજી પાસે બન્ને કાપેલાં કાંડાં બેરખા સાથે પહોંચી ગયાં. તેવામાં દેવ નિમિત્તિયાનો વેશ લઈ રાજાજી પાસે આવ્યા. રાજાજીને પ્રમાણ કરી તેમની સામે બેઠા. ઉદાસ રાજાજીને જોઈ ઉદાસીનતાનું કારણ પૂછતાં રાજાજીએ બનેલી હકીકત જણાવી. નિમિત્તિયાએ બન્ને કાંડાં જોઈ કહ્યું. આ બેરખાં તો કલાવતીના બે ભાઈઓ, યસેન અને વિજ્યે મોકલેલ છે. તેમનાં નામ પણ બેરખા ઉપર છે. આ જાણી રાજા સખ્ત આધાત પામ્યો. સેવકોને કલાવતીની ભાળ કાઢવા દોડાવ્યા અને જંગલમાં જે સેવકો કલાવતીને મૂકી આવ્યા હતા. તેમની સાથે જઈ કલાવતી પાસે પહોંચી ગયા. કલાવતીને સોનાના હિંચકે બાળક સાથે હિંચતી જોઈ હર્ષ પામ્યા. કલાવતી પણ પતિને આવતા જોઈ અતિ હર્ષ પામી, સામે દોડતી આવી પતિના હાથમાં પુત્રને મૂકી દીધો. શ્રી મહાવીર સ્વામી વિચરતા હતા, તેમની પાસે જઈ રાજા-રાણીએ ક્યા કર્મના કારણે હાથ કપાયા તેનું કારણ પૂછ્યું. ભગવાને પૂર્વભવ જણાવ્યો કે, "તું કલાવતી એક રાજાની કુંવરી હતી અને આ રાજાનો જીવ એક પોપટ હતો. તે પાંજરામાંથી ઊડી ન જાય તે માટે તેની પાંખો તેં કાપી હતી તેથી તે પોપટના જીવ રાજાજીએ તારાં કાંડાં કાપ્યાં હતાં." કલાવતીએ હવે સંસારમાં રહેવું યોગ્ય ન લાગ્યું. “તમે તમારી વસ્તુ સંભાળો એમ કહી રાજાજીને પુત્ર સોંપી દીધો અને પ્રભુ પાસે સંયમ લીધો અને શીયળના પ્રભાવે ઉત્તમ સંયમ પાળી મુક્તિ પામ્યાં. દીન દુ:ખી તથા અશક્ત વગેરે જીવો પ્રત્યે દયાપૂર્વક દુ:ખ દૂર કરવાની વૃત્તિ તે કરુણા. Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૮૫ અષાઢાભૂતિ ૪૧. કમળ સુવિભૂતિ તથા જશોદાના પુત્ર અષાઢાભૂતિ તેમને ૧૧ મે વર્ષે ધર્મરુચિ ગુરુ પાસે દીક્ષા લીધી હતી. અષાઢાભૂતિ મહા વિદ્રન અણગાર હતા. વિદ્યાના બળે તેમને કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. એક લબ્ધિના બળે તેઓ જુદાં જુદાં રૂપ કરી શકતા હતા. એક વખત તેઓ એક નટને ત્યાં વહોરવા પધાર્યા. નટે ઘરે મોદક બનાવ્યા હતા તે વહોરાવ્યા. ઉપાશ્રયે જઈ ગોચરી વાપરતાં મોદક અત્યંત સ્વાદિષ્ટ અને સુગંધથી મહેક્યો હતો તેથી અષાઢભૂતિ ફરીથી તે નટને ત્યાં જુદું રૂપ લઈ મોદક વહોરી લાવ્યા. મોદક વાપરતાં જીભમાં સ્વાદ રહી ગયો તેથી ફરી પાછું જુદું રૂપ કરી એ જ નટને ત્યાં મોદક વહોરવા ગયા. નટ હોશિયાર હતો એટલે વાતને સમજી ગયો કે એક જ સાધુ જુદાં જુદાં રૂપ લઈ મોદક વહોરી જાય છે . પણ સાધુ ઘણો હોશિયાર છે. તેની રૂપ બદલવાની કળા ખરેખર દાદ માગી લે એવી છે. જો આ સાધુ આપણા થઈ જાય તો એના દ્વારા ઘણું ધન કમાવી શકાય. આમ વિચારી નટે પોતાની બે દીકરી કે, જેમના નામ ભુવનસુંદરી તથા સુંદરી હતાં તેઓને સમજાવ્યું કે ગમે તેમ કરી આ મુનિને ભોળવી લો. આવી પોતાના પિતા તરફથી છૂટ મળવાથી નવજવાન બન્ને દીકરીઓ એ સાધુ પાછા બીજી વખત આવ્યા ત્યારે હાવભાવ લટકાં-મટકાં અને નખરાં કરી મુનિને મોહાંધ ર્યા અને કહ્યું, અરે નવજવાન, ઘરેઘરે શું કરવા ભિક્ષા માટે જાઓ છો? અહીં જ રહી જાઓ. આ જુવાન કાયા તમને સોંપી દેશું. મુનિ ચિત્તથી તો ભ્રષ્ટ થયા જ હતા અને વિષયવિલાસ ભોગવવા તૈયાર થયા. પણ અષાઢાભૂતિએ ગુરુ પાસે જઈ ગુરુ આજ્ઞા લઈ જલદી પાછો આવીશ એમ કહી, ઉપાશ્રયે પહોંચી ગુરુને બધી વાત કરી કહ્યું, ધરે ઘરે ભિક્ષા માગવાનું મારાથી નહીં બને. આ ચારિત્ર પાળવું હવે મારા માટે મુશ્કેલ છે. બે નાટકણી જોઈ છે, તેની સાથે સંસારના ભોગ ભોગવવા છે માટે મને રજા આપો. ફક્ત આપની રજા લેવા આવ્યો છું.” ગુરુજીએ ઘણું સમજાવ્યું, “નારીના મોહમાં આવું અપયશ આપતું કામ તું શું કરવા કરે છે? આ નારીઓ તને દુર્ગતિમાં નાખશે. તેઓ કુડ-કપટની ખાણ છે." વગેરે બોધ આપ્યો પણ મોહાંધ થયેલા અષાઢાભૂતિએ ગુરુજીની વાત ન માની તેમને Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૮૬ ઓધો સુપ્રત કર્યો અને નટને ઘરે આવી બન્ને નટ પુત્રીઓ સાથે લગ્ન કર્યાં અને સંસારી બન્યા અને સુંદર નાટકો ભજવવા લાગ્યા. એકદા રાજસભામાં રાષ્ટ્રપાલ અને ભરતેશ્વરનો વૈભવ' નાટક ભજવવા ગયા. કોઈ કારણસર રાજાને ખાસ બીજું કામ હોવાથી નાટક બંધ રાખ્યું અને અષાઢાભૂતિ પણ ઘેર પાછા આવ્યા. અષાઢભૂતિ જલદી પાછા આવવાના નથી એમ જાણવાથી બન્ને સ્ત્રીઓ માંસમિંદરાનું સેવન કરી ભાન ભૂલીને બિભત્સપણે પલંગમાં સૂતી હતી. મોઢે માખીઓ બણબણ કરતી હતી, કારણ કે અયોગ્ય ભક્ષણને લીધે બન્નેને ઊલટીઓ થઈ ગઈ હતી. આવી દશામાં બન્ને સ્ત્રીઓને જોતાં અષાઢભૂતિનો આત્મા સળગી ઊઠ્યો અને વિચારવા લાગ્યા : ‘અરે રે ! આવી સ્ત્રીઓના મોહમાં મેં દીક્ષા છોડી ? ધિક્કાર છે મને. મારે આ સંસાર તજી દેવો જોઈએ.” ફરીથી ગુરુજી પાસે જઈ દીક્ષા અંગીકાર કરવી જ જોઈએ. બન્ને સ્ત્રીઓને પોતાની દીક્ષાની ઇચ્છા કહી જવા પગ ઉપાડ્યા પણ બન્ને સ્ત્રીઓએ છેડો પકડી તેમની ભરણપોષણની જવાબદારી પૂરી કરી પછી જાવ એમ આગ્રહ કર્યો. આથી તેમની વાત સ્વીકારી તેઓ યોગ્ય વખતે રાજસભામાં નાટક કરવા ગયા. ૫૦૦ રાજકુમારો સાથે તેમણે ભરતેશ્વરનું નાટક આબેહૂબ ભજવવા માંડ્યું, નાટકમાં એકાકાર થઈ ગયા અને ભરત મહારાજાની જેમ અરીસા ભવનમાં વીંટી સરી પડતાં અનિત્ય ભાવનામાં ચઢ્યા અને નટરૂપે જ અષાઢભૂતિ ૫૦૦ રાજુકુમારો સાથે જાણે કે કેવળજ્ઞાન થઈ ગયું હોય તેમ અભિનય કરી ગુરુ પાસે આવ્યા. સસરાને રાજા પાસેથી ધન અપાવ્યું અને અષાઢભૂતિ પાછા ગુરુ પાસે આવી ચારિત્ર લઈ આકરાં વ્રત પાળી પાપ આલોઈ, અણસણ કરી કાળક્રમે મોક્ષમાં સિધાવ્યા. થાઓ મારા નમન તમને, દુ:ખને કાપનારા, થાઓ મારા નમન તમને, ભૂમિ શોભાવનારા, થઓ મારા નમન તમને, આપ દેવાધિદેવા, થાઓ મારા નમન તમને, સંસ્કૃતિ કાળ જેવા. Page #110 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૮૭ શ્રી સતી સુભદ્રા વસંતપુર નગરમાં જિનદાસ નામે એક મંત્રી હતા. તેને તવ માલિની નામની ધર્મિષ્ઠ પત્ની હતી, તેની કુખે સુભદ્રાનો જન્મ થયો હતો. સુભદ્રાએ ઉચ્ચ કેળવણી મેળવી જૈન ધર્મના તત્ત્વજ્ઞાનનો સારો અભ્યાસ કર્યો, તેથી તે જૈન ધર્માનુરાગી તો હતી જ ૫ણ ૪ શ્રદ્ધાળુ પણ બની. | વયસ્ક થતાં, પિતાએ યોગ્ય વર શોધવા મહેનત કરી. જેવી પુત્રી ધર્મની જ્ઞાતા છે તેવો જ ધર્મી વર પણ મળે તેવી તેની ઇચ્છા હતી. ચંપાનગરીથી આવેલા એક બુદ્ધઘસે સુભદ્રાના રૂપગુણનાં વખાણ સાંભળ્યા અને નક્કી કર્યું કે પરણવું તો સુભદ્રાને જ. પણ તે જૈન ધર્મ ન હતો. સુભદ્રા જૈન ધર્મીને જ પરણવા માગતી હતી. એટલે બુદ્ધદાસે જૈન ધર્મના આચારવિચાર અને ક્રિયાકાંડ ઉપર ઉપરથી જાણી લીધા અને કપટી શ્રાવક બની ગયો. જીનદાસે આ બુદ્ધદાસને જૈન ક્રિયાકાંડ કરતો જોયો અને સુભદ્રા માટે યોગ્ય વર છે એમ સમજી બુદ્ધદાસ સાથે સુભદ્રાનાં લગ્ન કર્યા. સુભદ્રા બુદ્ધદાસ સાથે સાસરે આવી. થોડા વખતમાં સુભદ્રાને સમજ પડી ગઈ કે બુદ્ધદાસ કે આ કુટુંબ જૈન ધર્મી નથી. પણ લાચાર. લગ્ન થઈ ગયાં એટલે સંસાર નિભાવવો જ રહ્યો અને કૌટુંબિક ફરજો બધી સારી રીતે બજાવતી અને સમય મળતાં ધર્મધ્યાન કરતી પણ તેની સાસુને આ ગમતું નહીં એટલે તે સુભદ્રાનાં દૂષણો શોધ્યા કરતી. એકા એક તપસ્વી સાધુ મહારાજ સુભદ્રાને આંગણે વહોરવા પધાર્યા. ઋષિમુનિનું મુખ જોતાં સુભદ્રાને ખ્યાલ આવ્યો કે મુનિની આંખમાં તણખલું પડેલ હતું અને આંખમાંથી લોહી વહી રહ્યું હતું. સુભદ્રાને કરુણા ઊપજી. ગમે તેમ કરી મુનિની આંખમાંથી તણખલું કાઢવું જોઈએ - એવા સદભાવથી પોતાની જીભવતી મુનિની આંખમાંથી તણખલું કાઢવા પ્રયત્ન ર્યો. આમ કરતાં પોતાના કપાળમાં કરેલા ચાંદલો સાધુના કપાળને લાગી ગયો અને સાધુ ધર્મલાભ આપી પાછા ફર્યા પણ પાછા ફરતાં મુનિના કપાળમાં ચાંદલો જોતાં સાસુજી વિઠ્ય. વહુને ન કહેવાય એવા Page #111 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૮૮ શબ્દો કહ્યા અને તેના દીકરા બુદ્ધુદાસને ચઢાવ્યો કે, 'તારી વહુ તો કુલટા છે. તેને પેલા સાધુ સાથે કાળું કામ કર્યું છે. સુભદ્રાને માથે કલંક આવ્યું. એનો ધણી પણ પોતાનો પક્ષ લઈ કંઈ બોલતો નથી. નિર્દોષ સાધુ અને પોતાનું કલંક દૂર કરવા સુભદ્રાએ અન્નજળનો ત્યાગ કર્યો. સતી ઉપર આવી પડેલ આ અપાર દુ:ખ દેખી શાસન સેવક દેવતાએ સતી ને સહાય કરવા નક્કી કર્યું અને ચંપાનગરીના ચારે દરવાજા બંધ કરી દીધા. આથી ચંપાનગરીમાં હાહાકાર મચ્યો. દરવાજા ઉઘાડવા નગરજનો તથા રાજાના સુભટોએ ઘણી મહેનત કરી. દરવાજા ઊઘડતા ન હતા તેથી તેનાં દ્વાર તોડી નાખવા સુભટોને રાજાએ હુકમ આપ્યો પણ તેઓ દરવાજા ન તોડી શક્યા. રાજા તથા પ્રજા ચિંતામાં પડી ગયાં. થોડા વખત બાદ આકાશવાણી થઈ કે, "જે સતી હશે તે કાચા સૂતરના તાંતણે આટો ચાળવાની ચાલણીમાં કૂવામાંથી પાણી કાઢી દરવાજાને છાંટશે તો દરવાજા ઊઘડશે." આવી આકાશવાણી સાંભળી, ચંપાનગરીની શેઠાણીઓ તથા રાજાની રાણીઓ હું સતી, હું સતી' એમ માનતી કૂવામાંથી પાણી કાઢવા વારાફરતી ચારણી કાચા સૂતરથી બાંધી મહેનત કરવા લાગી, પણ કોઈ આ રીતે પાણી કાઢી ન શક્યું. તેઓ નીચું મોં કરી પાછી ફરી. રાજાએ નગરીમાં ઢંઢેરો પિટાવ્યો કે જે આ રીતે દરવાજા ઉઘાડશે તેને ઘણું ધન આપવામાં આવશે. સુભદ્રાએ આ ઢંઢેરો સાંભળ્યો અને દ્વાર ઉધાડવા જવા સાસુ માની આજ્ઞા માગી. સાસુએ બ્રેધથી કીધું, બેસ બેસ. છાની માની. તારાં ચરિત્ર ક્યાં અજાણ્યાં છે ! હવે ગામ આખામાં ફજેત થયું છે ? પણ મક્કમ મને સાસુનું કહેવું ન ગણકારતાં નવકાર ગણતાં ગણતાં કૂવા પાસે ગઈ, કાચા સૂતરના તાંતણે ચારણી બાંધી. કૂવામાં નાખી અને ગામ લોકોની અજાયબી વચ્ચે તેણે ચારણી ભરી પાણી કાઢ્યું. આ વખતે દેવતાઓએ ફૂલની આકાશમાંથી વૃષ્ટિ કરી. સુભદ્રાએ વારાફરતી એકેક દ્વાર ઉપર પાણી છાંટી ત્રણ દરવાજા ઉઘાડ્યા અને ગામમાં બીજી કોઈ સતી હોય તો આવે અને ચોથું દ્વાર ઉઘાડવા આવાહન આપ્યું પણ કોઈ તે રીતે ઉધાડવા આગળ ન આવ્યું. (બીજા કથાગ્રન્થોમાં એવી વાત આવે છે કે), મારા જેવી કોઈ બીજી સતી હશે તે આ દરવાજો ખોલશે - એમ કરીને Page #112 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૮૯ એ દરવાજો બંધનો બંધ જ રાખ્યો અને તે કથા લખનારના સમયે પણ બંધ જ હતો. તે દૂર પણ સુભદ્રાએ, હે પરમાત્મા લાજ રાખજે, પરણ્યા વિના બીજો કોઈ ન આભડ્યો હોય કે મનથી વિચાર્યું ન હોય તો વર આ પાણીના છાંટણાથી ઊઘડી જજો એવા ભાવથી પાણી છાંટી તે ચોથો દરવાજો પણ ઉધાડ્યો) સુભદ્રાનાં સાસરિયાં, સાસુ સસરા, તેનો ભરથાર વગેરેએ સુભદ્રા સતીને ખમાવી. બોલ્યા, ધન્ય સતી, ધન્ય ! તારા જેવી સતી ખરેખર ગામમાં કોઈ નથી. સુભદ્રાએ સાધુની આંખમાંથી કરુણા ભાવે તરણું કેવી રીતે કાઢ્યું હતું તે સમજાવ્યું અને બધાને સમકિતી બનાવવાના એક માત્ર આશયથી જૈન ધર્મ સમજાવ્યો. છેવટે સતી સુભદ્રાએ દીક્ષા લીધી કર્મો ક્ષય કરી, કેવળજ્ઞાન પામી મુક્તિપુરીમાં ગયાં. કોઈ કોઈનું નથી કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે, નાહક રહ્યા છે બધા મથી મથી રે... કોઈ...૧ મનડે માન્યાતા આ બધા મારા, જાણી લે જીવડા નથી કોઈ તારા, જ્ઞાની ગયા છે સહુ કહી કહી રે...કોઈર આ પુત્ર ને, આ મારો તાત છે, આ મારી નારી ને આ મારી માત છે, નાહક રહ્યા છે બધા મથી મથી રે..કોઈ..૩ કોઈક ગયા ને કોઈક જવાના, કોઈ નથી અહીંયા રહેવાના, શાને રહ્યા સો લચી લચી રે..કોઈ....૪ માટે સ્વીકારો શરણું સાચું, દુનિયાનું મેલો શરણું કાચું, ભજો વીતરાગને મથી મથી રે...કોઈ...૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૯૦ | વંકચૂલ ૪૩. વિરાટ દેશમાં પેઢાલપુર નામે નગર છે, ત્યાં શ્રીગૂલ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુમંગળા પટરાણી હતી. તેમને પુષ્પચૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર અને પુત્રી હતા. પુષ્પચૂલ યૌવનાવસ્થામાં આવ્યો ત્યારે જુગારનો વ્યસની થયો. જુગારી હોવાને લીધે પૈસાની જરૂર પડવાથી નાની મોટી ચોરી કરવા લાગ્યો. કર્મ સંજોગે પગમાં ખોડ હોવાથી જરાક વાંકો ચાલતો હતો. તેથી લોકો તેને વંકચૂલ કહેતા હતા. માતાપિતા તેની આવી વર્તણુકથી કંટાળી ગયાં. સુધરવાનાં કોઈ લક્ષણ ન દેખાતાં તેમણે વંકચૂલને દેશપાર કર્યો. વંકચૂલ પોતાની સ્ત્રી તથા બહેનને લઈને નગર બહાર નીકળી જંગલમાં એક પલ્લીમાં ગયો જ્યાં ભીલ-ભીલડીઓ રહેતાં હતાં અને ગામેગામ ચોરી અને ધાડ પાડવાનો ધંધો કરતાં હતાં. થોડા વખત બાદ પલ્લી પતિનું મૃત્યુ થવાથી વંકચૂલ યોગ્યતાના હિસાબે પલ્લીપનિ થયો એકદા જ્ઞાનતુંગ નામના આચાર્ય મહારાજા તેમના કેટલાક સાધૂ સાથે ત્યાં આવી પહોંચ્યા. ચોમાસાનો કાળ પણ આવી પહોંચ્યો અને મેઘ વરસવા માંડ્યો એટલે આચાર્ય ભગવંતે ત્યાં જ ચોમાસું વ્યતીત કરવાનું વિચાર્યું અને વંકચૂલને ત્યાં ચોમાસામાં રહેવા માટે પૂછ્યું. વંકચૂલે જો તેઓ કોઈ જાતનો કોઈને પણ ઉપદેશ ન આપે તો ત્યાં રહેવા હા પાડી. તે પલ્લીમાં આચાર્ય મહારાજે ચોમાસું વ્યતીત કર્યું. ચોમાસા દરમ્યાન તેઓએ સ્વાધ્યાય, અધ્યયન અને તીવ્ર તપશ્ચર્યા કરતા રહ્યા અને નક્કી કર્યા મુજબ કોઈ જાતનો ઉપદેશ કોઈ પણ ત્યાં રહેતાને આપ્યો નહીં. ચોમાસું પૂરું થતાં આચાર્ય મહારાજ વંકચૂલને કહેવા લાગ્યા, હે પલ્લીપનિ વંકચૂલ, ચોમાસું ગયું. હવે અમે વિહાર કરીશું." તે સાંભળીને વિંકચૂલ કેટલાક પરિવાર સહિત તેમને વળાવવા તેમની પાછળ ચાલ્યો. ચાલતાં ચાલતાં વંકચૂલની હદ પૂરી થઈ એટલે આચાર્યશ્રીએ તેને પૂછ્યું આ કોની સીમા છે? વંકચૂલે જણાવ્યું કે, આ મારી સીમા નથી એટલે આચાર્ય મહારાજે કહ્યું, હે મહાભાગ! અમે તારા સમાજમાં આખું ચોમાસું રહ્યા. અમો નિરંતર સ્વાધ્યાય - અધ્યયન આદિ કરતા રહ્યા. પણ તારી સમાજના કોઈને પણ કદી ઉપદેશ આપ્યો નથી. પણ હવે જતી વખતે તેને ઉપદેશ આપવો છે કે તું કંઈ અભિગ્રહ લે; વ્રત પાલનથી પ્રાણી સુખ પ્રાપ્ત કરે છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૯૧ ચોમાસા દરમ્યાન સાધુઓના આચારવિચાર જોતાં તે કંઈક કૂણો બન્યો હતો તેથી નિયમ લેવા, વગર આનાકાનીએ તૈયાર થઈ ગયો, “હે ભગવાન, કંઈક નિયમ (વ્રત VOW) આપો" એટલે ગુરુએ તેને ચાર નિયમો આપ્યા. ૧. અજાણ્યું ફળ ખાવું નહીં. ૨. કાગડાના માંસનું ભક્ષણ કરવું નહીં. ૩. રાજાની રાણી તારી ઉપર પ્રીતિવાળી થાય તો પણ તેનો સંગ કરવો નહીં અને ૪. કોઈની પણ ઉપર પ્રહાર કરવો હોય તો સાત પગલાં પાછું હઠી પછી પ્રહાર કરવો." આ ચાર નિયમો ગ્રહણ કરી, ગુરુને પ્રણામ કરી વંકચૂલ પાછો પોતાના સમાજમાં આવ્યો. એકદા એક દૂરના ગામ ઉપર ધાડ પાડી પાછા ફરતાં માર્ગમાં ભૂલા પડ્યા - ત્રણ દિવસો સુધી અટવીમાં રખડવું પડયું. ભૂખ તરસે સખ્ત બધા પીડાતા હતા, ત્યાં એક ઝાડ ઉપર સુંદર ફળો જોયાં. બધાએ ભૂખ્યા હોવાથી ફળ આરોગ્યાં. પણ વંકચૂલે ફળનું નામ જાણવાનો આગ્રહ રાખ્યો. કોઈ તે ફળનું નામ ન કહી શકવાથી ખાધું નહીં. અજાણ્યાં ફળ ન ખાવાનો તેને નિયમ હતો. ખાનાર દરેક જણ મરણ પામ્યા. વંકચૂલ ફળ ન ખાવાથી બચી ગયો અને રાત્રે પલ્લીમાં આવી વિચારવા લાગ્યો કે નિયમ પાલને મને બચાવી લીધો. એક દિવસ વંકચૂલ કોઈ કામે પરગામ ગયો હતો, તે વખતે તેના બૈરીનાટકવાળાઓએ તેના મહેલ પાસે આવી નાટક કરવા માંડ્યું અને લલકારી લલકારી વંકચૂલને મહેલની બહાર આવવા કહ્યું,. વંકચૂલની બહેન પુષ્પચૂલા મહેલમાં હતી. તેણે વિચાર્યું કે અત્રે વંકચૂલ નથી તેવું આ વૈરીઓ જાણશે તો સમાજના ઘણા લોકોને મારી નાખશે, એટલે તેણે વંકચૂલનો વેષ પહેરી અસલ વંકચૂલ જેવો દેખાવ કરી, વંકચૂલની પત્ની સહિત બહાર આવી નાટક જોયું અને નાટક પૂર્ણ થયે, નાટકિયાઓને દાન આપ્યું. નાટકિયા વિદાય થઈ ગયા. પુષ્પચૂલા મોડી રાત્રે મહેલમાં આવી. નિદ્રાના ધેનના કારણે વંકચૂલના પુરુષ વેષમાં જ પુષ્પચૂલા અને વંકચૂલની પત્ની સાથે સુઈ ગયાં. પરોઢિયાના ટાઈમે વંકચૂલ પોતાના મહેલમાં આવ્યો અને પોતાની સ્ત્રીને પરપુરુષ સાથે સૂતેલી જોઈ ોધાતુર થઈ બન્નેને મારવા ખડ્ગ ઉગામ્યું પણ તરત તેને નિયમ યાદ આવ્યો, એટલે સાત ડગલાં પાછો હટ્યો. પાછા હટતાં ભીંતની સાથે ખડ્ગ અથડાણું એટલે બહેન પુષ્પચૂલા જાગી ઊઠી. “ભાઈ વંકચૂલ ચિરકાળ પર્યંત આયુષ્ય ભોગવો” એમ કહી પલંગમાંથી ઊભી થઈ એટલે વંકચૂલ આશ્ચર્ય પામ્યો અને પુરુષ વેષ પહેરવાનું બહેનને કારણ પૂછ્યું. બહેને નાટકથી બનેલી હકીક્ત કહી. વંકચૂલ પરિસ્થિતિ સમજી વિચારવા લાગ્યો. અરે ક્ષણમાં પોતાની સ્ત્રી અને સગી બહેનનો પોતાના હાથે ઘાત થઈ જાત પણ નિયમને લીધે અસાધારણ રીતે બન્ને બચી ગયાં. પોતે પણ બે સ્ત્રીની હત્યાના ગુનામાંથી બચી ગયો. વાહ મુનિરાજ વાહ... ગુરુએ આપેલ નિયમની પ્રશંસા કરવા લાગ્યો અને મુનિ નિ:સંશય મહાજ્ઞાની હતા એવા વિચારે મનોમન ગુરુને વંદના કરવા લાગ્યો. Page #115 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૯૨ એક રાત્રીને સમયે વંકચૂલ કોઈ વણિકને ઘરે ગયો, ત્યાં બાપ-દીકરો નામા સબંધી વાતચીત કરી રહ્યા હતા. ત્યાંથી તે કોઈ વેશ્યાને ત્યાં ગયો અને એ વેશ્યા કોઈ કોઢિયાની સાથે ભોગ ભોગવતી હતી. ત્યાંથી તે ત્યાંના રાજાના મહેલની ભીંત ફોડીને રાજાના અંત:પુરમાં પહોંચી ગયો. અંધારામાં રાણીના શરીરને તેનો હાથ લાગી ગયો. રાણી આ વંકચૂલને જોઈને જાગી ગઈ અને તેની સાથે ભોગ ભોગવવાની ઇચ્છા કરી, વંકચૂલને કહેવા લાગી, "પ્રિય ! મારી સાથે ભોગ ભોગવ. હું તને બહુ રત્નો તથા સંપત્તિ આપીશ." પણ વંકચૂલે રાણીને કહ્યું, તમો તો મારી માતા સમાન છો. આ સાંભળી વિરહની આગમાં જલી રહેલી રાણીએ અસત્ય આળ વંકચૂલ ઉપર મૂકી બૂમાબૂમ કરવા લાગી. આ સાંભળી રાજાના સેવકોએ આવી વંકચૂલને પકડી લીધો અને સવાર થતાં તેને રાજાજી સમક્ષ હાજર કર્યો. રાજાના પૂછવાથી વંકચૂલે રાત્રે બનેલી હકીક્ત કહી અને રાજાજીએ પણ રાત્રીને વિષે ભીંત પાછળ લપાઈને રાણી અને વંકચૂલ વચ્ચેનો વાર્તાલાપ સાંભળ્યો હતો. તેથી તેણે છોડી મૂકવા હુકમ કર્યો અને વંકચૂલના સદગુણથી રંજીત થઈ તેને પોતાનો સામંત બનાવ્યો. રાજા પોતાની સ્ત્રીનાં કરતૂત જાણતો હતો પણ તે જાહેર ન ક્ય, કારણ કે તેથી પોતાની જ આબરૂ જવાનો સવાલ હતો. સુજ્ઞ મનુષ્ય પોતાના ઘરનું સ્વરૂપ કોઈને કહેતા નથી. રાજાનો સામંત થયો તેથી અને રાજાના ઉપદેશથી વંકચૂલ પોતાનો ચોરીનો ધંધો છોડી સન્માર્ગે પ્રવર્તવા લાગ્યો. એક વખત રાજ્યના આદેશથી કોઈ જબરા શત્રુ સાથે વંકચૂલ લડવા જતાં પોતાના ઉપર થયેલા પ્રહારોથી જખી થયેલા શરીરે પોતાના મહેલે આવ્યો. વૈદ્યો તેને ઔષધ વગેરે આપી શુશ્રુષા કરતા હતા, પણ પ્રહારની પીડા અસહ્ય થતી જતી હતી. રાજાને આ વંકચૂલની ઘણી ગરજ હતી, તેથી તેણે ગામમાં પડહ વજાવ્યો, કે જે કોઈ આ વંકચૂલને જીવાડશે તેને રાજા યથેચ્છ દાન આપશે." તે સાંભળી એક વૈધે આવી કાગડાનું માંસ ઔષધ તરીકે આપવા કહ્યું. વંકચૂલે કાગડાનું માંસ ન ખાવાનો અભિગ્રહ લીધેલ હતો એટલે તે કોઈ રીતે તે માંસ ખાવા સંમત ન થયો, તેથી રાજાએ ધર્મી જીવ જિનદાસ નામના એક શ્રાવકને બોલાવી વંકચૂલને સમજાવવા પ્રયત્ન કર્યો. જીનદાસે આવી વંકચૂલની ઇચ્છા જાણી. કોઈ રીતે પોતાનો અભિગ્રહ છોડે તેમ નથી તે જાણી જીનદાસે પણ તેની પ્રશંસા કરી કહ્યું, હે મિત્ર, તું એકલો જ છે, સર્વ પદારથો અનિત્ય છે, દેહ, કુટુંબ, યૌવન, સંસાર બધું અસાર છે." વગેરે ધાર્મિક વચનો સંભળાવ્યાં. તેથી વંકચૂલ પોતાનું મૃત્યુ નજીકમાં છે તેમ જાણી, ચાર શરણ આદરી, નવકાર મંત્રનું ધ્યાન ધરતો મૃત્યુ પામ્યો અને બારમા દેવલોકમાં ગયો અને કાળે કરી મોક્ષમાં જશે. Page #116 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૯૩ કુબેરદત્તા મથુરાનગરી. નગરીમાં એક પ્રસિદ્ધ વેશ્યા રહે. રૂપવાન અને વૈભવશાળી. નામ એનું કુબેરસેના. કર્મ યોગે એક વાર એને ગર્ભ રહ્યો. વેશ્યાગૃહની માલકણ બાઈએ ગર્ભ પાડી નાખવા કહ્યું,. કુબેરસેના સંમત ન થઈ. બાળકનો જન્મ થતાં શું કરવું એ જોઈશું એમ જણાવી ગર્ભ ન પડાવ્યો. ૪૪. નવ મહિના પૂરા થતાં કુબેરસેનાને જોડકું જન્મ્યું. એક પુત્ર અને એક પુત્રી. માલકણ બાઈ તો પાછળ પડી હતી. તેને આ કુટણખાનામાં નાનાં બાળક હોય તે ન પોસાય. એવી સમજથી બન્ને બાળકોને એક કપડું વીંટી, તેમના નામની વીંટી પહેરાવી પેટીમાં પૂરી, પેટી યમુના નદીમાં વહેતી મૂકી દીધી. પેટી તણાતી તણાતી શૌરીપુરી નગરીના કાંઠે આવી. કોક બે જણે પેટી જોઈ નદીમાંથી બહાર કાઢી. પેટી ઉઘાડી અને બે બાળકો એમાં જોયાં. બન્ને રાજી થયા. જરૂર પ્રમાણે એક ભાઈએ બાળક અને બીજાએ બાળકી રાખી લીધી. બાળકની આંગળીએ વીંટી હતી, તેનું નામ કુબેરદત્ત લખેલ. બાળકીની આંગળીએ વીંટીમાં નામ કુબેરદત્તા લખેલ. તે પ્રમાણે તેનું નામ રાખ્યું. બન્ને વયસ્ક થયાં. એક બીજાને ઓળખતાં નથી. માબાપે લગ્ન લીધાં અને કર્મસંજોગે ભાઈ-બેન પતિ-પત્ની બન્યાં. γ એક વાર બન્ને સોગઠાંબાજી રમતાં હતાં, ત્યાં કુબેરદત્તની વીંટી ઊછળીને કુબેરદત્તાના ખોળામાં પડી. કુબેરદત્તા વીંટી જોઈ વિચારમાં પડી. બન્નેની વીંટી એક જેવી જ છે. એક જ કારીગરે ઘડી લાગે છે. બન્ને એકસાથે જ બની હોય તેવું દેખાય છે. બરાબર ધારીને જોઈએ તો અમારાં બન્નેનાં રૂપ અને આકૃતિ બધું જ સરખું લાગે છે. શું અમે બન્ને ભાઈ-બહેન તો નહિ હોઈએ ! બન્નેએ પોતાનાં માબાપને પૂછ્યું, ત્યારે ખુલાસો થયો, તેમણે કહ્યું, તમે બન્ને એક પેટીમાંથી નીકળ્યાં હતાં. કુબેરદત્તા સમજી ગઈ કે આ મારો સગો ભાઈ છે. ભાઈ સાથે લગ્ન કર્યાં એ ઠીક ન કર્યું. ખૂબ પશ્ચાત્તાપ થયો અને વૈરાગ્ય થયો. પરિણામે પાપો ધોવા માટે કુબેરદત્તા દીક્ષા લઈ સાધ્વી બની. તપ, જપ કરીને આત્મ સાધના કરવા લાગી. કુબેરદત્તને પણ ખબર પડી કે મેં બહેન સાથે લગ્ન કર્યાં છે. હવે આ નગરીમાં મારે શું મોઢું બતાવવું ! તેથી માબાપની આજ્ઞા લઈ તે પરદેશ ગયો. ભાગ્યયોગે ફરતાં ફરતાં તે Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૯૪ મથુરાનગરીમાં જ આવી ચઢ્યો અને કુબેરસેના વેશ્યાને ત્યાં રહ્યો. કુબેરસેના તેની સગી મા હતી, તે તે જાણતો ન હતો. અજાણતાં પણ સગી મા સાથે ભોગ ભોગવ્યા.વિલાસમાં કેટલોક કાળ વ્યતીત થયો અને કુબેરસેનાએ એક બાળકને જન્મ આપ્યો. આ બાળકનો પિતા કુબેરદત્ત જ હતો. બીજી બાજુ કુબેરદત્તા જેણે દીક્ષા લીધી હતી, તેને અવધિજ્ઞાન થયું. તેણે જ્ઞાન દ્વારા જોયું કે ભાઈ ક્યાં છે? જોતાં જ તેને ભયંકર દુ:ખ થયું. અરેરે ! મારો ભાઈ તેની સગી મા સાથે ભોગવિલાસ કરે છે. કર્મની ગતિ ન્યારી છે. મારો આત્મા સાદ પાડે છે. સમજાવ માતાને, ભાઈને. કુબેરદત્તા સાધ્વીજી આકરો વિહાર કરતાં કરતાં મથુરા પધાર્યા. ભાઈને અને માતાને પ્રતિબોધ કરવા માટે સંમતિ લઈને બાળકને પારણે ઝુલાવતાં. ૧૮ પ્રકારની સગાઈ ગાઈ સંભળાવી. ત્યારે જ કુબેરદત્તને-સંસારીપણાના ભાઈને તથા કુબેરસેના-સંસારીપણાની કુબેરદત્તાની માતાને ભાન થયું કે સગા મા-દીકરાએ ભોગવિલાસ કર્યો છે. પાપનો ભયંકર પશ્ચાત્તાપ બન્નેને થયો. બન્નેએ દીક્ષા લીધી જ્ઞાનની ઉપાસનામાં તથા તપ-જપ કરતાં રહ્યાં અને ત્રણે જણે પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો. માનની સજઝાય રે જીવ ! માન ન કીજીએ, માને વિજ્ય ન આવે રે; વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. રે જીવન સમકિત વિર ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે. રે જીવત્ર વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી છે જે વિચારી રે. રે જીવ૦૩ માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે; દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાર્યો રે. રે જીવ૦૪ સૂકાં લાકડાં સારીખો, દુ:ખદાયી એ ખોટો રે; ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે. રે જીવ૦૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ C ૯૫ નંદન મુનિ ૪૫. પ્રભુ મહાવીરનો પચીસમો ભવ શ્રી નંદન મુનિ. કેવું ઉત્કૃષ્ટ ચારિત્ર અને અંત વખતે કેવી સુંદર આરાધના કરી દેવલોક ગયા ! શાશ્વત - મોક્ષ સુખ પામવા કેવું ચારિત્ર પાળવું જોઈએ તેનો સુંદર દાખલો આ વાર્તા પૂરી પાડે છે. પ્રભુ મહાવીર ચોવીસમા ભવે મહાશુક્ર દેવલોકમાં હતા. ત્યાંથી વી ભરતખંડને વિષે છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીની કુખે નંદન નામે પુત્ર થયા. તે યૌવનવાન થતાં રાજ્યગાદી પર બેસાડીને જિતશત્રુ રાજાએ સંસારથી નિર્વેદ પામી દીક્ષા લીધી. લોકોને આનંદ ઉત્પન્ન કરનાર તે નંદન રાજા સમૃદ્ધિથી ઇંદ્રના જેવો થઈ યથા વિધિ પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યો. અનુક્રમે જન્મથી ચોવીશ લાખ વર્ષ વ્યતિ ક્રમાવી વિરક્ત થઈને તે નંદન રાજાએ પોટ્ટિલાચાર્ય પાસે દીક્ષા લીધી. નિરંતર માસો-પવાસ કરવા વડે પોતાના શ્રામણ્યને ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચાડતા નંદન મુનિ ગુરુની સાથે ગ્રામ, નગર અને પુર વગેરેમાં વિહાર કરવા લાગ્યા. તે બંને પ્રકારનાં અપધ્યાન (આર્ટ, રૌદ્ર)થી અને દ્વિવિધ બંધન (રાગ-દ્વેષ)થી વિજત હતા, ત્રણ પ્રકારના દંડ (મન, વચન, કાયા), ત્રણ પ્રકારના ગારવ (ઋષિ, રસ, શાતા) અને ત્રણ જાતિના શલ્ય (માયા, નિદાન, મિથ્યા દર્શન)થી રહિત હતા. ચાર કષાયને તેમણે ક્ષીણ કર્યા હતા, ચાર સંજ્ઞાથી વર્જિત હતા, ચાર પ્રકારની વિકથાથી રહિત હતા, ચતુર્વિધ ધર્મમાં પરાયણ હતા અને ચાર પ્રકારના ઉપસર્ગોમાં પણ તેમનો ધર્મમાં ઉદ્યમ અસ્ખલિત હતો; પંચવિધ મહાવ્રતમાં સદા ઉઘોગી હતા અને પંચવિધ કામ (પાંચ ઇંદ્રિયોના વિષય)ના સદા દ્વેષી હતા, પ્રતિદિન પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં આસક્ત હતા, પાંચ પ્રકારની સમિતિને ધારણ કરતા હતા અને પાંચ ઇંદ્રિયોને જીતનાર હતા; ષડ્ જીવ - નિકાયના રક્ષક હતા, સાત ભયના સ્થાનથી વર્જિત હતા, આઠ મદના સ્થાનથી વિમુક્ત હતા, નવ વિધ બ્રહ્મચર્યની ગુપ્તિને પાળતા હતા અને દશ પ્રકારના યતિધર્મને ધારણ કરતા હતા, સમ્યક્ પ્રકારે એકાદશ અંગનું અધ્યયન કરતા હતા, બાર પ્રકારની રુચિવાળા હતા, દુ:ખહ એવી પરીષહની પરંપરાને તે સહન કરતા હતા અને તેઓને કોઈ પ્રકારની સ્પૃહા નહોતી. આવા તે નંદન મુનિએ એક લાખ વર્ષ સુધી માસખમણના પારણે માસખમણનું તપ કર્યું. એ મહાતપસ્વી મુનિએ અદ્વૈત ભક્તિ વગેરે વીસ સ્થાનકોના આરાધનથી, મુશ્કેલથી મેળવી શકાય તેવું તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. એવી રીતે મૂળથી જ નિષ્કલંક એવા સાધુપણાને આચરીને આયુષ્યને અંતે તેમણે આ પ્રમાણે આરાધના કરી. Page #119 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૯૬ “કાળ અને વિનય વગેરે જે આઠ પ્રકારનો જ્ઞાનાચાર કહેલો છે, તેમાં મને જો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તેને મન, વચન, કાયાથી હું નિદં છું. નિઃશંકિત વગેરે જે આઠ પ્રકારનો દર્શનાચાર કહ્યો છે, તેમાં જો કોઈ પણ અતિચાર થયો હોય તો તેને હું મન, વચન, કાયાએ કરી વોસરાવું છું. લોભથી કે મોહથી મેં પ્રાણીઓની સૂક્ષ્મ કે બાદર જે હિંસા કરી હોય તેને મન, વચન, કાયાથી વોસરાવું છું. હાસ્ય, ભય, ક્ષેધ અને લોભ વગેરેથી મેં જે મૃષા ભાષણ કર્યું હોય તે સર્વ નિંદું છું અને તેનું પ્રાયશ્ચિત આચરું છું. રાગદ્વેષથી થોડું કે ઘણું જે કિંઈ અદત્ત પરદ્રવ્ય લીધું હોય તે સર્વને વોસિરાવું છું. પૂર્વે મેં નિયંચ સંબંધી, મનુષ્ય સંબંધી કે દેવ સંબંધી મૈથુન મનથી, વચનથી કે કાયાથી સેવ્યું હોય તે ત્રિવિધ ત્રિવિધ વોસિરાવું છું. લોભના દોષથી ધન ધાન્ય. અને પશુ વગેરે બહુ પ્રકારનો પરિગ્રહ મેં પૂર્વે ધારણ કર્યો હોય તેને મન, વચન, કાયાથી વીસરાવું છું. પુત્ર, સ્ત્રી, મિત્ર, ધન, ધાન્ય ગૃહ અને બીજા જે કોઈ પદાર્થમાં મને મમતા રહેલી હોય તે સર્વને હું વીસરાવું છું. ઇંદ્રિયોથી પરાભવ પામીને મેં રાત્રે ચતુર્વિધ આહાર કર્યો હોય તેને પણ હું મન, વચન અને કાયાથી નિંદુ છું. લેધ, લોભ, રાગ, દ્વેષ, કલહ, પિશુનતા (ચાડી ખાવી), પરનિંદા, અભ્યાખ્યાન (અછતું આળ દેવું) અને બીજું જે કાળ ચારિત્રાચાર વિષે દુષ્ટ આચરણ કર્યું હોય તેને હું મન, વચન, કાયાથી વોસરાવું છું. બાહ્ય કે અત્યંતર તપસ્યા કરતાં મને મન, વચન, કાયાથી જે અતિચાર લાગ્યો હોય તેને હું મન વચન કાયાએનિંદું છું. ધર્મના અનુદાનમાં મેં જે કાંઈ વીર્યગોપવ્યું હોય તે વીર્યાચારના અતિચારને પણ હું મન, વચન, કાયાએ કરી નિંદું છું. મેં કોઈને માર્યા હોય, દુષ્ટ વચન કહ્યાં હોય, કોઈનું કાંઈ હરી લીધું હોય અથવા કાંઈ અપકાર ક્ય હોય તો તે સર્વે મારા મિત્ર કે શત્રુ સ્વજન કે પરજન હોય તે સર્વે મને ક્ષમા કરજો. હું હવે સર્વમાં સમાન બુદ્ધિવાળો છું. તિર્યંચપરામાં જે તિર્યંચો, નારકી પણામાં જે નારકીઓ, દેવપણામાં જે દેવતા અને મનુષ્યપણામાં જે મનુષ્યોને મેં દુ:ખી ક્ય હોય તેઓ સર્વ મને ક્ષમા કરજો, હું તમને ખાવું છું અને હવે મારે તે સર્વની સાથે મૈત્રી છે. જીવિત, યૌવન, લક્ષ્મી, રૂપ અને પ્રિય સમાગમ - એ સર્વે વાયુએ નચાવેલા સમુદ્રના તરંગ જેવા ચપલ છે. વ્યાધિ, જન્મ, જરા અને મૃત્યુથી ગ્રસ્ત થયેલાં પ્રાણીઓને શ્રી જિનોદિત ધર્મ વિના આ સંસારમાં બીજું કોઈ શરણ નથી. સર્વજીવો સ્વજન પણ થયેલા છે અને પરજન પણ થયેલા છે તો તેમાં કોણ કિંચિત પાર મમત્વનો પ્રતિબંધ કરે? પ્રાણી એકલો જ જન્મે છે, એક્લો જ મૃત્યુ પામે છે, એકલો જ સુખને અનુભવે છે અને એકલો જ દુઃખને અનુભવે છે. પ્રથમ તો આત્માથી આ શરીર અન્ય છે, ધન ધાન્યાદિક પણ અન્ય છે, બંધુઓ પણ અન્ય છે, અને તે દેહ, ધન, ધાન્ય તથા બંધુઓથી આ જીવ અન્ય (જો) છે, છતાં તેમાં મૂર્ખ જન વૃથા મોહ રાખે છે. ચરબી, માંસ, રૂધિર, અસ્થિ, ગ્રંથિ, વિષ્ટા અને મૂત્રથી પુરાયેલા આ અશુચિના સ્થાન રૂ૫ શરીરમાં ક્યો Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૯૭ બુદ્ધિમાન પુરુષ મોહ રાખે? આ શરીર ભાડે રાખેલા ઘરની જેમ છેવટે અવશ્ય છોડી દેવાનું છે. અર્થાત તેને ગમે તેટલું લાલન કર્યું હોય તો પણ તે નાશવંત છે. ધીર કે કાયર સર્વ પ્રાણીએ અવશ્ય કરવાનું તો છે જ, પરંતુ બુદ્ધિમાન પુરુષે એવી રીતે કરવું કે જેથી પુનઃમરવું પડે નહીં. મારે અરિહંત પ્રભુનું શરણ હજો, સિદ્ધ ભગવંતનું શરણ હજો, સાધુઓનું શરણ હજો અને કેવળી ભગવંતે કહેલા ધર્મનું શરણ હજો. મારે માતા શ્રી જિનધર્મ, પિતા ગુરુ, સહોદર સાધુઓ અને સાધર્મી મારા બંધુઓ છે, તે સિવાય આ જગતમાં સર્વ માયા જાળવન છે. શ્રી ઋષભદેવ વગેરે આ ચોવીશીમાં થઈ ગયેલા તીર્થંકરોને અને બીજા ભરત, ઐરાવત તથા મહાવિદેહ ક્ષેત્રના અહંતોને હું નમું છું. તીર્થકરોને કરેલા નમસ્કાર પ્રાણીઓને સંસારના છેદને અર્થે અને બોધિના લાભને માટે થાય છે. હું સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું, કે જેઓએ ધ્યાનરૂપ અગ્નિથી હજાર ભવના કર્મરૂપ કાષ્ટોને બાળી નાખ્યાં છે. પંચવિધ આચારને પાળનારા આચાર્યોને હું નમસ્કાર કરું છું, જેઓ સદા ભવચ્છેદમાં ઉઘત થઈ પ્રવચનને (જૈન શાસન) ધારણ કરે છે. જેઓ સર્વશ્રુતને ધારણ કરે છે અને શિષ્યોને ભણાવે છે, તે મહાત્મા ઉપાધ્યાયોને હું નમસ્કાર કરું છું. જે લાખો ભવમાં બાંધેલાં પાપનો ક્ષણવારમાં નાશ કરે છે, એવા શીલ વ્રતધારી સાધુઓને હું નમસ્કાર કરું છું, સાવઘ યોગ તથા બાહ્ય અને અત્યંતર ઉપાધિને (બાહ્ય ઉપાધિ વસ્ત્ર પાત્રાદિ ઉપકરણો અને અભ્યતર ઉપાધિ વિષય કશાય આદિ) હું યાવન મન, વચન કાયાથી વોસરાવું છું. હું માવજજીવ ચતુર્વિધ આહારનો ત્યાગ કરું છું અને ચરમ ઉચ્છવાસ સમયે દેહને પણ વોસિરાવું છું.” દુષ્કર્મની ગઈણા, પ્રાણીઓની લમણા, શુભ ભાવના, ચતુદશરણ, નમસ્કાર સ્મરણ અને અનશન પ્રમાણે છ પ્રકારની આરાધના કરીને તે નંદન મુનિ પોતાના ધર્માચાર્યને, સાધુઓને અને સાધ્વીઓને ખમાવવા લાગ્યા. અનુક્રમે એ મહામુનિ સાઠ દિવસ સુધી અનશન વ્રત પાળી પચ્ચીશ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીમૃત્યુ પામીને પ્રાણી નામના દશમા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપાત શયામાં ઉત્પન્ન થયા. આ દેવલોકમાં તેમણે વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી ભરતક્ષેત્રમાં દેવાનંદની કુક્ષીમાં આવ્યા, ત્યાંથી સૌધર્મ દેવલોકના ઈંદ્રસિદ્ઘર્થ રાજાની ત્રિશલા પટરાણી જે એ વખતે ગર્ભિણી પણ હતી, તેના ગર્ભની દેવાનંદાના ગર્ભની સાથે અદલાબદલી કરી અને ગર્ભસ્થિતિ પૂર્ણ થયેત્રિશલા દેવીએ સુંદર પુત્રને જન્મ આપ્યો.આ પુત્રગર્ભમાં આવતાં ઘરમાં, નગરમાં અને માંગલ્યમાં ધનાદિકની વૃદ્ધિ થયેલ તેથી તેનું વર્તુમાન નામ આપ્યું. પણ પ્રભુ મોટા ઉપસર્ગોથી પણ કંપાયમાન થશે નહીં એવું ધારી ઇદ્ર તે જગત્પતિનું મહાવીર એવું નામ પાડ્યું. Page #121 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૯૮ સેવામૂર્તિ નંદિણ જs. મગધ દેશના નંદી ગામમાં સોમીલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને સોમીલા નામે સ્ત્રી હતી.તેમને નંદિણ ના પુત્ર હતો. દુર્ભાગ્યે તે કુરૂપ હતો.નાનપણમાં તેનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં, એટલે તે મામાને ત્યાં જઈને રહ્યો. ત્યાં તે ચાર-પાણી વગરે લાવવાનું કામ કરતો હતો. મામાને સાત પુત્રીઓ હતી; સાતમાંથી એક તને પરણાવીશ એમ મામાએ નંદિવેણને કહ્યું, આથી તે ઘરનું ઘણું કામ કરવા લાગ્યો. પણ એક પછી એક સાતે દીકરીઓએ કુરૂપ નંદિવેણને પરણવા ના પાડી અને જોરજુલમથી નંદિપેણ સાથે પરણાવશો તો હું આપઘાત કરી મરી જઈશ એમ દરેક પુત્રીએ કહ્યું, આથી ખેદ પામી નંદિએણે અહીં રહેવું બરાબર નથી એમ માની, મારા દુર્ભાગ્ય કર્મ ઉદય આવ્યાં છે તો આવા જીવતર કરતાં મરી જવું ઉત્તમ છે, આવા વિચારથી તે મામાનું ઘર છોડી રત્નપુર નામના નગરમાં ગયો. ત્યાં સ્ત્રી-પુરુષને ભોગ ભોગવતાં જોઈ તે પોતાને નિંદતો છતો કહેવા લાગ્યો, અહો, હું ક્યારે આવો ભાગ્યવાન થઈશ? પછી તે વનમાં જઈને ઝંઝાપાત કરવાનો વિચાર કરવા લાગ્યો ત્યાં તેને એક કાયોત્સર્ગ રહેલા મુનિએ વાર્યો. તેથી તેમને પ્રણામ કરી નંદિલેણે પોતાના દુઃખની સઘળી કથની મુનિને કીધી મુનિએ જ્ઞાનથી તેનો ભાવ જાણીને કહ્યું, હે મુગ્ધ ! આવો ખોટો વૈરાગ્ય લાવ નહીં; મૃત્યુથી કોઈ પણ માણસ કરેલા કર્મથી છૂટતો નથી. શુભ અથવા અશુભ જે કંઈ કર્મ કર્યા હોય તે અવશ્ય ભોગવવાં જ પડે છે. શ્રી વીતરાગ પરમાત્મા પણ ધર્મે કરીને જ પોતાના પૂર્વનાં પાપ કર્મથી છૂટે છે માટે તું માવજીવ શુદ્ધ ધર્મ અંગીકાર કરી અને તેથી જ અન્ય ભવમાં સુખી થઈશ.” એવા ઉપદેશથી વૈરાગ્ય પામી, નંદિવેણે ગુરુ પાસે દીક્ષા વ્રત અંગીકાર કર્યું અને વિનયપૂર્વક અધ્યયન કરવા લાગ્યા અને ધર્મશાસ્ત્રમાં ગીતાર્થ થયા. વળી તેમણે આજીવન છઠ્ઠને પારણે આયંબીલ અને લઘુ, વૃદ્ધ કે રોગવાળા સાધુઓની વૈયાવચ્ચ કર્યા પછી જ જમવું એવો અભિગ્રહ કર્યો. અને આ પ્રમાણે તે નિત્ય વૈયાવચ્ચ કરવા લાગ્યા. નંદિષણની આ ઉત્તમ વૈયાવચ્ચને અવધિજ્ઞાનથી જાણીને પોતાની સભામાં ઇન્દ્ર કહ્યું કે, નંદિષણ જેવો વૈયાવચ્ચમાં નિશ્ચળ બીજો કોઈ માણસ નથી, એક દેવે આ વાત ન માની, નંદિષણનું પારખું કરવાને વિચાર કર્યો અને એક રોગી સાધુનું રૂપ લીધું અને અતિસાર યુક્ત દેહ ર્યો અને બીજા સાધુનું રૂપ લઈ તે જ્યાં નંદિણ હતા તે ઉપાશ્રયે ગયા. ત્યાં Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૯૯ નંદિષણ આહાર વહોરી લાવીને ઈર્યાપથિકી પ્રતિક્રમી, પચ્ચખાણ પાળી ગોચરી (આહાર) લેવા બેઠા, એટલે તે સાધુના રૂપવાળા દેવે કહ્યું, “તમે સાધુની વૈયાવચ્ચ કરવાનો નિયમ ર્યો છે, છતાં તમે તેમ કર્યા વિના કેમ અન્ન લો છો?" મંદિરના પૂછવા ઉપરથી તેણે કહ્યું. “નગરની બહાર એક રોગી સાધુ છે. તેને શુદ્ધ જળનો ખપ છે” તે સાંભળીને શુદ્ધ જળ લેવાને નંદિણ શ્રાવકના ઘેર ગયા. જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પેલો દેવ-સાધુ જળને અશુદ્ધ કરી નાખે, બહુ બહુ ઘેર ભટક્યા, પછી પોતાની લબ્ધિના પ્રતાપે, માંડ શુદ્ધ જળ મેળવી પેલા દેવ-સાધુની સંગાથે નંદિણ નગરની બહાર રોગી સાધુ પાસે ગયા. તેમને અતિસારથી પીડાતા જોઈ, તેમની વૈયાવચ્ચથી હું કૃતાર્થ થઈશ એમ માની તેમને જળથી સાફ કર્યા પણ જેમ જેમ સાફ કરતા જાય તેમ તેમ બહુ જ દુર્ગધ નીકળવા લાગી. આથી તે વિચારવા લાગ્યા, અહો આવા ભાગ્યવાન સાધુ છતાં પણ આવા રોગવાળા છે; માટે રાજા કે રંક, યતિ કે ઇંદ્ર કોઈ કર્મથી છૂટતું નથી" પછી તે સાધુને ખભા ઉપર બેસાડી પૌષધશાળામાં લઈ જવાને ચાલવા લાગ્યા. રસ્તે આ દેવ સાધુ નંદિવેણ ઉપર મળ મૂત્ર કરે છે પણ આવી બહુ દુર્ગંધ આવવા છતાં તેમની દુર્ગછા કરી નહીં અને તે ધીમા ચાલે તો કહે, 'તું મને ક્યારે પહોંચાડીશ? રસ્તામાં જ મારું મૃત્યુ થઈ જશે તો મારી દુર્ગતિ થશે. હું આરાધના પણ નહીં કરી શકું વળી તે ઉતાવળા ચાલે ત્યારે કહે કે, “આ પ્રમાણે ચાલીશ તો મારા પ્રાણ જ નીકળી જશે; આ તે કેવો અભિગ્રહ લીધો છે?" આવું સાંભળતાં સાંભળતાં પણ મનમાં સાધુ પ્રત્યે જરા પણ વેધ કે દ્વેષ ન કરતાં તેઓને ઉપાશ્રયે લાવ્યા. અહીં ઉપાશ્રયે લાવીને હવે આ રોગી સાધુને કેવી રીતે નીરોગી કરાય!એવું વિચારતાં પોતે યોગ્ય સારવાર નથી કરી શક્તા એમ સમજી તેઓ પોતાની જાતને નિંદે છે. પણ દેવસાધુએ જાણી લીધું કે, નંદિવેણ વૈયાવચ્ચ કરવામાં મેરુ સમાન નિશ્ચળ છે આથી પ્રત્યક્ષ થઈને સર્વ દુર્ગધ સંહરી લીધી ને નંદિપેણ ઉપર પુષ્પ વૃષ્ટિ કરીને કહ્યું કે, “હે મુનિ ! આપને ધન્ય છે ! ઇદ્ર વર્ણન કર્યું હતું તેના કરતાં પણ આપ અધિક છો. એમ ખમાવીને તે દેવ સ્વર્ગે ગયા. ત્યાર પછી નંદિણ મુનિએ બાર હજાર વર્ષ પર્યત તપ કર્યું અને તપને અંતે તેમણે અણસણ આદર્યું. તે તપસ્વીને વંદન કરવા પોતાની સ્ત્રી સહિત ચક્રવર્તી ત્યાં આવ્યા. આ સ્ત્રીની કાયા તથા અતિ સુકુમાર અને કોમળ કેશ જોઈને તેણે નિયાણું બાંધ્યું કે, હું પણ આ તપના પ્રભાવે બહુ સ્ત્રીનોવલ્લભ થાઉં." પછી ત્યાંથી મૃત્યુ પામીને તે મહાશુકદેવલોકમાં દેવતા થયા. ત્યાંથી એવી સૂર્યપુરીને વિષે અંધક વૃષ્ણિની સુભદ્રા નામની સ્ત્રીને દશમો વાસુદેવ નામે પુત્ર થયો ત્યાં તે નંદિણના ભવના નિયાણાના લીધે ન્હોતેર હજાર સ્ત્રીઓને પરણ્યા. તે જ શ્રી કૃષ્ણના પિતા વાસુદેવ. Page #123 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૦૦ ચંદનબાળા ચંપાપુરીનો રાજા દિધવાહન ચેટક રાજાની પુત્રી પદ્માવતી કે જેનું બીજું નામ ધારિણી હતું તેને પરણ્યો હતો. તેમને વસુમતી નામની પુત્રી હતી. આ દધિવાહન રાજાને શતાનિક રાજા સાથે વૈર હતું. તેથી શતાનિક રાજાએ પોતાના સૈન્યને લઈને ચંપાપુરીને ઘેરો ઘાલ્યો, તેથી ઘોર યુદ્ધ થયું. હજારો મનુષ્યો તેમાં મરાયા અને દધિવાહન રાજા રાજય મૂકીને નાસી ગયો અને શતાનિક રાજાએ ચંપાપુરી લૂંટી, તેમાં એક સુભટે દધિવાહન રાજાની રાણી ધારિણીને તથા પુત્રી વસુમતિને પકડ્યાં. સુભટે ધારિણીને પોતાની સ્ત્રી થવા કહ્યું પણ ધારિણીએ સુભટને ધૂતકારી કહ્યું, "અરે અધમ અને પાપીષ્ટ ! તું આ શું બોલે છે. હું પરસ્ત્રી છું; અને પરસ્ત્રી લંપટ તો મરી નર્સે જાય છે.” પણ સુભટે ધર્મવચનોને ન ગણકારતાં ધારિણીનું શિયળ ખંડન કરવા તેના ઉપર બળાત્કાર કરવા માંડ્યો એટલે ધારિણીએ પ્રાણત્યાગ કર્યો. માતાનો વિયોગ થવાથી વસુમતી વિલાપ કરવા લાગી. કરુણ આક્રંદ કરતી કહેવા લાગી કે, "હે માતા ! તું મારા ઉપરથી સ્નેહ તજીને જતી રહી ! મારે હવે પરહસ્તે પડવું પડશે તો તે કરતાં મારું મૃત્યુ થયું હોત તો સારું હતું." આમ રોતાં કકળતાં તેણે મૃત માતાના પગ પકડી લીધા અને તને હવે હું નહીં જવા દઉં, મને છોડીને નહીં જવા દઉં.” ૪૭. આવાં આવાં વસુમતીનાં રુદન-વચન સાંભળી સુભટે કહ્યું, "હે મૃગાક્ષી, મેં તને કાં કુવચન કહ્યાં નથી. હું તને પરણવાનો છું એમ તું લેશ માત્ર ધારીશ નહીં.” એમ વસુમતીને સમજાવી ધારિણીના શરીર ઉપરથી હાર વગેરે પ્રમુખ અલંકાર ઉતારી લીધા અને વસુમતિને પોતાના ઘરે લઈ ગયો. પણ ઘરે તેની સ્ત્રીએ તેને સખ્ત શબ્દોમાં સંભળાવી દીધું કે, આ પારકી સ્ત્રીને તમે ઘરે લાવ્યા છો તે હું સહન નહીં કરું. તેને ઘર બહાર કાઢી મૂકો. ઘરેથી આવાં વચનો સાંભળી વસુમતિને લઈ સુભટ બજારમાં વેચવા નીકળ્યો. બજારમાં વસુમતિનું રૂપ જોઈ તેને ખરીદવા ઘણા તૈયાર થયા. ગામની વેશ્યાઓ ' તેને ખરીદવા માગતી હતી, પણ એક ખરીદવા માગતી વેશ્યાએ વસુમતિનો હાથ પકડ્યો એટલે રાજકુમારીએ તેને પૂછ્યું, તમારું શું કુળ છે અને તમે શું કરો છો. વેશ્યાએ ઉત્તર આપ્યો, તારે કુળનું શું કામ છે ? તને ઉત્તમ વસ્ત્રો અને ઉત્તમ ભોજન અમારા ત્યાં મળી રહેશે. પણ વસુમતિ સમજી ગઈ કે આ તો વેશ્યાઓ છે તેથી તેણે તેઓની સાથે જવાની Page #124 -------------------------------------------------------------------------- ________________ चंदनबाला ચંદનબીલા Page #125 -------------------------------------------------------------------------- ________________ ચંદનબાલા ચંદનબાલા (વસુમતિ) એક રાજકુમારી હતી. કર્મ પ્રમાણે રાજ્યમાં લૂંટ ચાલી. રાજવી પિતા મૃત્યુ પામ્યા. માતા ધારિણી અને ચંદનાને કોઈ દુષ્ટ સૈનિકો ઉપાડી ગયા. કર્મની ગતિ વિષમ છે. પળમાં રંક, પળમાં રાજા બનાવવાની તાકાત કર્મમાં જ છે. ચંદનાને ભરબજારમાં વેચી દેવામાં આવી. ખરીદનાર પુણ્યશાળી ધર્મિષ્ઠ શેઠ મળ્યા. આટલાં કષ્ટમાં પણ એને શેઠ મળતાં ચંદનાને પ્રસન્નતા પ્રાપ્ત થઈ. પરંતુ ચંદનાને જોઈને મૂલા શેઠાણી ભારે બળતી રહેતી હતી. એક દિવસની વાત છે. શેઠ ઘર પર આવ્યા તો શેઠાણી ઘર પર નહોતી. ચંદના પગ ધોવા લાગી. શેઠે એના પાણીમાં પડેલા વાળ ઊંચા કર્યા. તે શ્ય જોઈને મૂલા શેઠાણી શંકિત થઈ. શંકાનું કોઈ કારણ નહોતું. શેઠ તેને પુત્રી સમાન ગણતા હતા. ૩. તો પણ માતા સમાન મૂલા તેને કષ્ટમાં નાખવાના પ્રયત્નો કરવા લાગી. નિર્દોષ બાળાનું માથું મુંડાવીને તેના હાથ-પગમાં બેડી નાખીને નીચે ભોંયરામાં નખાવી દીધી. ત્રણ દિવસ સુધી શેઠને પણ ખબર ના પડી. ૪. ત્રીજા દિવસે શેઠને જાણ થઈ તો તેઓ ભારે દુઃખી થયા. એને બહાર બોલાવવા ગયા. પહેલાં એને ખાવા માટે સૂપડના ખૂણા જેટલા અડદના બાકળા આપ્યા. ૫. ત્યારે ચંદના વિચારી રહી હતી કે કોઈ ભિક્ષુક મળે તો તેને ભોજન કરાવું. ચંદનાનાં અહોભાગ્ય કે પાંચ મહિના અને પચ્ચીસ દિવસના ઉપવાસી પરમાત્મા મહાવીર દેવ ભોજનના સમયે ચંદનાની પાસે આવ્યા, પરંતુ એની આંખોમાં આંસુ નહીં જોતાં પાછા ફર્યા. પછી ચંદનાની આંખોમાં આંસુ જોતાં જ પ્રભુ પધાર્યા અને અડદના બાકળા પ્રભુને વહોરાવ્યા. સાવ બાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ. ધન્ય સની ચંદનબાલા Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૦૧ ના પાડી. વેશ્યાઓએ તેને લઈ જવા માટે બળનો આશરો લીધો. ત્યારે શ્વસુમતિ ચિત્તને વિષે બહુ ખેદ ધરવા લાગી. તેણીના શિયળની રક્ષા માટે એક દેવે આકાશમાંથી આવી તે વેશ્યાનું નાક કાપી નાખ્યું અને તેની કાયા કાળી તુંબડી જેવી કરી નાખી. આથી વેશ્યાઓ ગભરાઈ અને તેઓના ઘરે જતી રહી. આથી સુભટ વસુમતિને વેચવા બીજી બજારમાં જઈ ઊભો રહ્યો, ત્યાં ધનાવહ શ્રેષ્ઠી તેણીને લેવા આવ્યો. તેને રાજકુમારીએ પૂછ્યું, તમારા ઘરમાં મારે શું કામ કરવાનું છે ? શેઠે ક્યું, "અમારા કુળમાં જિનદેવની પૂજા, સાધુઓની સેવા, ધર્મ શ્રવણ, જીવદયા પાલન આદિ કરીએ છીએ.” ધનાવહ શેઠની આવી વાત સાંભળી હર્ષ પામીને વસુમતિ કહેવા લાગી, “હે સુભટ ! જો તું મને વેચવાનો હોય તો, આ શેઠને ત્યાં વેચજે.” સુભટે તેને ત્યાં જ વેચી. શેઠ વસુમતિને ઘરે લઈ ગયો. આમ આ રાજપુત્રી શુભ કર્મશે સારે ઘેર પહોંચી. શેઠની સ્ત્રી મૂળા આને જોઈ વિચારવા લાગી. મારો પતિ આને સ્ત્રી કરી રાખવાને માટે લાવ્યો લાગે છે. હમણાં તો તેને દીકરી કહે છે, પણ પુરુષનું મન કોણ સમજી શકે છે ? ધનાવહ શેઠે વસુમતિનું નામ ચંદનબાળા રાખ્યું, એટલે હવેથી વસુમતિ ચંદન બાળાના નામે ઓળખાવા લાગી. એકદા મૂળા શેઠાણી પાડોશણને ઘરે ગઈ હશે એવામાં ધનાવહ શેઠ ધરે આવ્યા. તે વખતે ચંદનબાળાએ શેઠને પિતાના આસને બેસાડીને વિનયપૂર્વક તેમનાં ચરણ ધોવા લાગી. આ વખતે મૂળા શેઠાણી ઘરે આવી. ચંદનબાળાની ભૂમિ ઉપર પડતી વેણીને શેઠે પોતાની પાસે લીધી અને ચંદનબાળાને શેઠનાં ચરણ ધોતી જોઈ વિચારવા લાગી કે, આ શેઠ ગમે ત્યારે આને પોતાની સ્ત્રી બનાવી મને કાઢી મૂકશે યા તો વિષ આપી મને મારી નાખશે. માટે વિષવેલીને ઊગતાં જ છેદી નાખવી જોઈએ. ધનાવહ શેઠ એક વેળા બહારગામ ગયા હતા. તે વખતે મૂળા શેઠાણીએ ચંદન બાળાનું મસ્તક મુંડાવી નાખ્યું અને પગમાં બેડી નાખી તેને ભોંયરામાં પૂરીને તાળું મારી દીધું. પોતાના મનથી સંતોષ માનવા લાગી અને વિચારતી રહી કે શોક્યને મારવાનો વળી દોષ શાનો ? ογ ચંદનબાળા ભોંયરામાં વિચાર કરે છે કે મારાં કર્મ જ આવાં છે. નગરમાંથી સુભટે પકડી. માર્ગમાં માતાનું અવસાન થયું. વળી ઢોરની માફક બજારમાં વેચાવું પડ્યું. પણ કંઈક સારા નસીબે વેશ્યાને ત્યાં વેચાતાં બચી. હવે અંધારા ઓરડામાં ભૂખે-તરસે પડી રહેવાનું છે.” હે વીતરાગ ! તારું શરણ છે; અહીં એકાંત છે, ધર્મધ્યાન કરીશ - એમ ' Page #127 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ / ૧૦૨ વિચારતી નવકાર મંત્રનો જાપ કર્યા કરે છે. એમ કરતાં ત્રણ દિવસ થયા. આથી તેનાં ઘણાં કર્મો ક્ષય પામ્યાં. બહારગામ ગયેલા ધનાવહ શ્રેષ્ઠી ઘેર આવ્યા તો તેણે ચંદનબાળાને જોઈ નહીં તેથી પત્નીને પૂછયું, “ચંદનબાળા ક્યાં ગઈ છે?" ત્યારે શેઠાણીએ જવાબ આપ્યો, "એ તો છોકરાની સાથે ફર્યા કરે છે. આમ તેણે સાચી વાત છુપાવી. પણ એક વૃદ્ધ દાસીએ શેઠને ખાનગી રીતે મૂળા તથા ચંદનબાળાની બધી હકીક્ત શેઠને જણાવી અને ચંદનબાળાને ક્યાં પૂરી છે તે બતાવ્યું. ધનાવહ શેઠે પોતાની મેળે તેનું દ્વાર ખોલ્યું. ધનાવહે ચંદનબાળાને બેડીથી બાંધેલી, માથે મુંડિત અને અશ્રુભીની આંખવાળી જોઈ અને સાંત્વન આપી તેને સ્વસ્થ થવા કહ્યું અને ભૂખ તૃપ્ત કરવા રસોડમાં પડેલા અડદના બાકુળ લાવી તેને આખા અને તેઓ બેડી તોડી શકે એવા લુહારને લેવા ગયા. ચંદનબાળા વિચારે છે કે કેવાં કેવાં નાટક મારા જીવનમાં ભજવાયાં. ક્યાં હું રાજકુમારી - કેવા સંજોગોમાં બજારમાં વેચાઈ- કર્મયોગે કુળવાન શેઠે ખરીદી કેદીની માફક બેડીઓ સાથે ભોંયરે પુરાઈ - ત્રણ દિવસના ઉપવાસ થયા. હવે પારણું થઈ શકે છે. પણ કોઈ તપસ્વી આવે અને અમને પારણે તેને ભોજન આપી પછી પારણું થાય તો આત્માને આનંદ થાય. કોઈ અતિથિ આવે તેને આપીને પછી જ હું જમું, અન્યથા જમીશ નહીં" એમ તે વિચાર કરે છે, તેવામાં ભિક્ષા અર્થે ફરતા ફરતા શ્રી વીર ભગવાન ત્યાં આવી ચડ્યા. તેમને એવો અભિગ્રહ હતો કે, જો કોઈ સ્ત્રી ઉંબરા ઉપર બેઠી હોય; તેનો એક પગ ઘરની અંદર અને એક પગ ઘરની બહાર હોય, ભાવે કરીને તે રાજપુત્રી હોય, પણ દાસપણું પામી હોય, પગમાં બેડી હોય, મસ્તક મુંડાવેલું હોય ને રુદન કરતી હોય, એવી સ્ત્રી અમને પારણે સૂપડાના ખૂણામાંથી જો મને, ભિક્ષાકાળ વ્યતીત થયા પછી અડદના બાકળા વહોરાવે તો મારે તે લઈને પારણું કરવું આવા અભિગ્રહવાળા વીર પ્રભુને અકસ્માત આવ્યા જોઈને હર્ષ પામી તે કહેવા લાગી, હે ત્રણ જગતના વંદનિક પ્રભુ ! મારા ઉપર પ્રસન્ન થઈ આ શુદ્ધ અન્ન વહોરીને મને કૃતાર્થ કરો." ભગવાન પોતાના અભિગ્રહના ૧૩ બોલમાં ૧ બોલ ઓછો એટલે કે બધી રીતે અભિગ્રહના બોલ પૂરા થતા હતા, પણ એક રૂદનની અપૂર્ણતા જોઈ પાછા ફરવા લાગ્યા. તે જોઈ ચંદનબાળા પોતાને હીણભાગી ગણી, મોટેથી રુદન કરવા લાગી. વીર ભગવાન રુદન ધ્વનિ સાંભળી પોતાનો અભિગ્રહ પૂર્ણ થયો જાણી પાછા ફર્યા અને અડદના બાકળા વહોર્યા, કે તરત જ દેવતાઓએ આવીને સાડા બાર કોટિ સુવર્ણની Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૦૩ વૃષ્ટિ કરી. તે વખતે ચંદનબાળાની લોહની બેડી તૂટી ગઈ ને તેનાં આભૂષણ થઈ ગયા. અને આકાશમાં દેવદુંદુભી વાગી દેવદુંદુભી સાંભળી નગરજનો એકત્રિત થયા. ત્યાંનો રાજા શતાનિક પણ ત્યાં આવ્યો. તે દેવકૃત્ય સુવર્ણવૃષ્ટિ જોઈ આશ્ચર્ય પામ્યો અને બોલ્યો કે,"આ સર્વસુવર્ણ આચંદનબાળાનું થાઓ." આવી રીતે વીર ભગવંતે પાંચ માસ અને પચીસ દિવસે પારણું કર્યું. ચંદનબાળા અતિ હર્ષ પામીને બોલી, “આજે મારાં મહાભાગ્ય કે મેં પ્રભુને પારણું કરાવ્યું તેમાં મૂળા શેઠાણી પણ ધન્ય છે. તે મારી માતા સમાન છે. મારી માતા ધારિણીથી જે કાજ નથી સર્યા, તે સર્વે મારી આ મૂળાદેવી માતાથી સિદ્ધ થયાં છે. તેણે ધનાવહ શેઠને પણ સમજાવ્યા કે, "મૂળાદેવીને કંઈ કહેવું નહીં આથી મૂળા શ્રાવિકા બની અને ચંદનબાળાને યોગ્ય માન આપવા લાગી મહાવીર પ્રભુ અહીંથી વિહાર કરી ગયા. અનુક્રમે તેમનાં સર્વ કર્મ થયે યે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પ્રભુ પાસે આવીને ચંદનબાળાએ પ્રભુને પ્રણામ કરીને ચારિત્રની યાચના કરી. દેવતાએ આપેલું સર્વ દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપરી તેણીએ દીક્ષા લીધી એકદા ભગવાનની વાણી સાંભળી મૃગાવતી કે જેમણે ચંદનબાળા આગળ દીક્ષા • લીધેલ તે ભગવાનની વાણી સાંભળવા સૂર્ય-ચંદ્ર આવેલ. તેમના અજવાળાના લીધે ઉપાશ્રયે ઘણી મોડી આવી રાત થઈ જવાને લીધે ચંદનબાળાએ તેને ઠપકો આપ્યો. - મૃગાવતી પોતાને લાગેલ અતિચાર માટે આત્માની નિંદા કરતી હવે પછી હું એવું નહીં કરું એ પ્રમાણે મિથ્યા દુષ્કૃત્ય દેવા લાગી. આત્મનિંદાના ઉત્કૃષ્ટ પરિણામ રૂપે તેને કેવળજ્ઞાન થયું. તે જ રાત્રે મૃગાવતી જે ચંદનબાળાની પાસે હાજર હતી, તેણે ચંદનબાળા પાસે પસાર થતો એક સાપ જોયો, તેથી ચંદનબાળાનો હાથ ઉપાડી બીજી બાજુએ મૂક્યો. ત્યારે ચંદનબાળા બોલી, “તેં મારો હાથ કેમ ઉપાડ્યો?" મૃગાવતીએ ઉત્તર આપ્યો, અહીંથી સર્પ પસાર થતો હતો તેથી મેં મારો હાથ ઉપાડીને બીજે મૂક્યો. ચંદનબાળાએ પૂછ્યું, “રાત્રીના ઘોર અંધકારમાં તેં સર્પ કેવી રીતે જોયો?" - મૃગાવતીએ કહ્યું, “જ્ઞાનથી". ઓહો ! પ્રતિપાનિ કે અપ્રતિપાતિ જ્ઞાન? એમ ચંદનબાળાએ પૂછ્યું. જવાબમાં મૃગાવતીએ, અપ્રતિપાતિ જ્ઞાન એમ જણાવ્યું. ચંદનબાળા સમજી ગયા કે મૃગાવતીને કેવળજ્ઞાન થયું છે તેથી તેણે મૃગાવતીને ખમાવી મિથ્યા દુષ્કૃત્ય દીધું. આથી ચંદનબાળા પણ કેવળજ્ઞાન પામી અને બંને મુક્તિએ ગયાં. Page #129 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૦૪ શ્રી ચિલાતી પુત્ર એક યજ્ઞદેવ નામનો બ્રાહ્મણ, ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરને વિષે રહેતો હતો. તે હંમેશા જિનમતની નિંદા કરતો, અને પોતાને પંડિત માનતો અને જાહેર કરતો કે જે મને વાદ કરવામાં જીતશે તેનો હું શિષ્ય થઈશ. વખત જતાં એક બાળસાધુએ તેને વાદ કરવા પેતાના ગુરુ પાસે આવવા નિમંત્યો. રાજી થઈ યજ્ઞદેવ તે બાળસાધુ સાથે તેમના ગુરુ પાસે ગયો. વાદ કરતાં થોડીક વારમાં જ તે હારી ગયો અને પોતે નક્કી કરેલ નિયમ મુજબ તે ગુરુની પાસે દીક્ષા લીધી. એકા સાશનદેવીએ તેને કહ્યું, જેમ ચક્ષુવાળો માણસ પણ તેજ વિના જોઈ શકતો નથી તેમ જીવ પણ જ્ઞાની હોવા છતા. શુદ્ધ ચારિત્ર વિના મુક્તિ પામતો નથી" આવી વાણી સાંભળી ને યજ્ઞદેવ મુનિ અન્ય સર્વ યતિઓની પેઠે શુદ્ધ ચારિત્ર પાળવા લાગ્યો. યજ્ઞદેવ સાધુ થવાથી તેની સ્ત્રી વિરહવેદના ન સહન કરી શકી, એટલે યજ્ઞદેવને વશ કરવા તેના તપના પારણે યજ્ઞદેવ ઉપર કામણ કર્યું. તેથી યજ્ઞદેવનું શરીર દુર્બળ થતું ગયું અને મૃત્યુ પામીને તે સ્વર્ગે ગયા. તેની સ્ત્રી પણ દુ:ખ સહન ન કરી શકી અને જ્ઞાન થતાં તે પણ દીક્ષા ગ્રહણ કરીને સ્વર્ગે ગઈ. પણ પોતે પોતાના સંસારીપણાના પતિ પણ સાધુતા ગ્રહણ કરેલ, તેના ઉપર કામણ કરેલ તેની ગુરુ પાસે આલોયણા ન કરી. યજ્ઞદેવનો જીવ સ્વગેથી ઢવી રાજગૃહ નગરમાં ધનસાર્થવાહની ચિલાતી નામની દાસીને ઉદરે પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું ચિલાતી પુત્ર નામ પાડયું. યજ્ઞદેવની સ્ત્રીનો જીવ પણ સ્વર્ગથી એવી ચિલાતી ઘસીની શેઠાણી ધનસાર્થવાહની સ્ત્રી સુભદ્રાની કુક્ષિએ પાંચ પુત્ર ઉપર છઠ્ઠી સુસુમા નામે પુત્રીપણે ઉત્પન્ન થયો. ધનસાર્થવાહે પોતાની પુત્રીની રક્ષા માટે પેલા ચિલાતી પુત્રને રાખ્યો. સુસુમા અને ચિલાતી પુત્ર સાથે રમતાં પણ જ્યારે કોઈ કારણસર સુસમા રોવા માંડે ત્યારે Page #130 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ C ૧૦૫ ચિલાતી પુત્ર તેના ગુપ્તાંગ ઉપર પોતાનો હાથ મૂકે આથી સુખ પામતી બાળા સુસુમા રડતી બંધ થતી. કેટલાક વખતે ધન શ્રેષ્ઠીને આ વાતની ખબર પડી, એટલે તેણે આ દાસી પુત્ર ચિલાતી પુત્રને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો. અહીંથી રજા મળતાં તે જંગલમાં ગયો, ત્યાં સિંહગુહા નામની ભીલ લોકની પલ્લીએ પહોંચ્યો. ત્યાં પલ્લીપતિ મૃત્યુ પામતાં તેનો શ્રેષ્ઠ શરીર વૈભવ હોવાથી ભીલ લોકોએ તેને પોતાનો સ્વામી બનાવ્યો. . ચિલાતી પુત્રને સુસુમાની યાદ સતાવ્યા કરતી હતી. વિષય રૂપી શસ્ત્રની પીડા વધતી ચાલી, એટલે તે પોતાના સર્વ સેવકોને ધનસાર્થવાહને ત્યાં ચોરી કરવા લઈ ગયો. અને સેવકોને કીધું કે, “જે માલસામાન હસ્તગત થાય તે સર્વ તે સેવકોનો અને સુસુમા ઉપાડી લાવવાની તે ચિલાતી પુત્રની.” રાત્રીને વિષે આ સર્વ ચોરો ધનશેઠને ત્યાં આવી પહોંચ્યા. ઘણા ચોરોને જોઈ ધનશેઠ પોતાના પાંચે પુત્રોને લઈ એકાંતમાં જીવ બચાવવા સંતાઈ ગયા. સામનો કરનાર કોઈ ન હોવાથી ચોરોએ સારી રીતે ધન એકઠું કર્યું અને ચિલાતી પુત્ર સુસુમાને ઉપાડી વિદાય થઈ ગયા. પણ ચોરો ઘરની બહાર નીકળ્યા કે શેઠે કોલાહલ કરી મૂક્યો; આથી નગરરક્ષકો ત્યાં આવ્યા. તેમને લઈ શેઠ પોતાના પાંચ પુત્રો સાથે ચોરોની પાછળ પડ્યા. ચોરોએ નગરરક્ષકો અને શેઠને પોતાની પાછળ આવતા જોઈ ચોરેલો માલસામાન રસ્તા વચ્ચે મૂકી દઈ પોતાને રસ્તે દોડવા લાગ્યા. ચિલાતી પુત્રે પોતાની પાછળ શેઠ તથા તેમના પાંચ પુત્રોને આવતા જોયા એટલે તેણે સુસુમાનો વધ કરી નાખ્યો. પોતાની પાસેના તીવ્ર હથિયાર વતી તેનું મસ્તક કાપી મસ્તક હાથમાં લઈ ધડ ત્યાં જ રહેવા દઈ નાસી ગયો. શેઠે અને તેના પુત્રોએ સુસુમાનું ધડ જોયું. શેઠ પોતાની પુત્રીનું અને પાંચે ભાઈઓએ પોતાની બહેનનું આવું કમકમાટીભર્યું મૃત્યુ જોઈ ઘણો વિલાપ કર્યો અને ઘર તરફ પાછા વળતાં શ્રી વીરપ્રભુનો ઉપદેશ સાંભળ્યો, આ દેશના સાંભળી પાંચે પુત્રોએ શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અને શેઠે પોતે તો સંયમ ગ્રહણ કર્યો હતો. ઉત્તમપણે સંયમ પાળતાં તથા ઉગ્ર તપશ્ચર્યા કરી શેઠ સ્વર્ગે ગયા. ચિલાતી પુત્ર હાથમાં સુસુમાનું માથું લઈ ત્વરીત ગતિએ માર્ગ કાપતો હતો. તેનું આખું શરીર લોહીથી ખરડાયેલું હતું. પણ સુસુમાની હત્યાના કારણે મનથી તે Page #131 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૦૬ હવે ભાંગી પડ્યો હતો. પોતાની જાત ઉપર તે ઘણો ખિજાયો હતો. રસ્તામાં તેણે એક મુનિરાજને કાયોત્સર્ગ દશામાં ઊભેલા જોયા. મુનિને જોતાં જ તે બોલ્યો : હે મુનિશ્વર ! જલદી મને ધર્મ કહો. નહિ તો હું આ સ્ત્રીના મસ્તકની પેઠે તમારું મસ્તક પણ છેદી નાખીશ.” મુનિને કંઈક પાત્રતા લાગી તેથી તેમને 'ઉપશમ-વિવેક-સંવર એ ત્રણ પદનું ઉચ્ચારણ કરીને આકાશમાર્ગે ચાલ્યા ગયા. ચિલાતી પુત્રે વિચાર્યું, “મુનિએ આકાશગામિની વિદ્યાનું ઉચ્ચારણ કર્યું કે, કંઈ મંત્રાક્ષર કહ્યા? કે કંઈ ધર્મ મંત્ર કહ્યો?" એમ ચિંતવન કરી મુનિની જગ્યાએ ઊભો રહ્યો અને તે ઉપશમ, વિવેક અને સંવર એ ત્રણ પદનું ધ્યાન ધરવા લાગ્યો. તે ધ્યાન સાથે વિચારતો ગયો કે આ ત્રણ શબ્દનો અર્થ શો ? વિચારતાં વિચારતાં તેણે પોતે જ ઉપશમ શબ્દનો અર્થ બેસાર્યો કે, “ઉપશમ એટલે પ્રેધની ઉપશાંતિ, ધનો ત્યાગ." એમ વિચારી તેણે ઉપશમ આદર્યો. વળી તેણે વિવેક શબ્દનો અર્થ વિચારતાં તે પણ સમજાયું કે, “કરવા યોગ્ય હોય, તેનો અંગીકાર અને ન કરવા યોગ્ય હોય તેનો ત્યાગ કરવો એ વિવેક. એમ સમજી તેણે વિવેકનો અંગીકાર કર્યો. છેવટે સંવર શબ્દનો અર્થ પણ તે સમજ્યો કે, "પાંચ ઈન્દ્રિયોનાં જે તોફાનો છે તેનો નિરોધ અર્થાત પાંચ ઇન્દ્રિયોને તે તે વિષયમાં જતી રોકવી, એનું નામ સંવર.” એ અર્થ સમજીને તેણે સંવર પણ આદર્યો. આમ તે ચિલાતી પુત્ર તે ત્રિપદીનું ધ્યાન ધરતો ત્યાં જ કાયોત્સર્ગો રહ્યો. તેનું સર્વ શરીર લોહીથી ખરડાયેલું હતું. તેની ગંધથી ત્યાં સોયના જેવા મુખવાળી (શુચિમુખિ) કડીઓ આવીને કરડવા લાગી. કરડતાં રડતાં અસંખ્ય કીડીઓએ તેનું શરીર ચારણી જેવું કરી નાખ્યું. તે સર્વવેદના તેણે ધીરજથી સહન કરી અને અઢી દિવસે તેનું મૃત્યુ થતાં સ્વર્ગમાં ગયો. આમ ફક્ત અઢી દિવસના ઉપશમ, વિવેક અને સંવર શબ્દોને સમજી ગ્રહણ કરી લીધા અને કીડીઓના ચટકાની અસહ્ય પીડ શાંત ચિત્તે સહન કરી ચિલાની પુત્ર સ્વર્ગે સીધાવ્યા. એવા શિલાતી પુત્રને અમારાં લાખ લાખ વંદન. સુયા હશે પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કો ક્ષણે, | હે જગતબંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ પણે જમ્યો પ્રભુ ને કારણે દુ:ખપાત્ર હું સંસારમાં, હા ભક્તિ તે ફળતી નથી, જે ભાવ શૂન્યાચારમાં. Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૦૭ શ્રી ભદ્રસેન ૪૯ ઉજજયની નગરીમાં એકદા સાધુસમુદાય સાથે પૂ. આચાર્ય શ્રી ચંડરુદ્રસૂરીજી પધાર્યા છે. કર્મયોગે આચાર્યશ્રી શિષ્યોની સ્કૂલના સહન કરી શકતા ન હતા. આથી તેમને ઘણો સંતાપ થતો અને કોળી થઈ જતા. આ ક્ષેધ એ પોતાનો મહાન દોષ છે, તે એ બરાબર સમજતા અને અન્યોનું હિત કરવા જતાં પોતે પોતાનું ચૂકી જવાય છે તે પણ સમજતા. આવા દોષના પ્રસંગો વારંવાર ન બને તે માટે સમુદાયથી થોડે દૂર પોતાનો નિવાસ રાખતા. એ જ રીતે પોતાના સમુદાયથી થોડે દૂરના એકાંત ભાગમાં પોતાનાં જપ-તપ તથા ધ્યાન આદિ ધાર્મિક પ્રવૃત્તિમાં બેઠા હતા. તે દિવસે ગામના પાંચ - સાત તોફાની યુવાનો મજાક-ઠેકડી કરતા ત્યાં આવી પહોંચ્યા. એક બીજાની મશ્કરી કરતાં કરતાં એક યુવકે બીજા એક યુવક ભદ્રસેનને દીક્ષા લેવાની વાત કરી. બીજા યુવાનો હા હા મઝાની વાત ભદ્રસેન તો આમે ભદ્રિક છે. વ્રત-ત૫ કરે છે. સાધુસંતોની ભક્તિ કરે છે. માટે તે સાધુ થઈ જાય તો સરસ. એમ એકબીજાની મશ્કરી - મજાક કરતા આ સાધુ સમુદાય પાસે આવી ગયા અને કહ્યું, સાહેબ, આ ભદ્રસેન દીક્ષાનો ભાવિક છે તેનું માથું મુંડી નાખો. આ સાંભળી બીજા યુવકો હા હા ખીખી કરવા લાગ્યા. એટલે સાધુઓ સમજી ગયા કે આ યુવકો ફક્ત ટીખળ - મશ્કરી કરવા આવ્યા છે. આમ વિચારી સાધુ સમુદાયે આંગળી ચીંધી કહ્યું, 'ભાઈઓ ! પણે અમારા ગુરુદેવ આચાર્યશ્રી બેઠા છે ત્યાં જાઓ અને તેમને તમારી વાત જણાવો." એટલે એ ટોળકી આચાર્યશ્રી ચંદ્રસૂરિજી પાસે આવી અને કહ્યું, “મહારાજ, આ અમારો દોસ્ત ભદ્રસેન; એણે હમણાં જ લગ્ન કર્યા છે. પણ સંસાર ઉપર મોહ નથી અને ભદ્રિક છે. તેને દીક્ષા આપો." બીજા મિત્રોએ આ સાંભળી હા હા કરતાં તાળીઓ પાડી સૂર પુરાવ્યો. આચાર્યશ્રી સમજી ગયા કે, આ યુવકોની યુવાનીની આ મસ્તી - મજાક છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ) ૧૦૮ તેમણે ભદ્રસેનને પૂછ્યું, 'બોલ ભાઈ, તારી શી ઇચ્છા છે ? ભદ્રસેને મજાકમાં કહ્યું, “હા, મહારાજ ! વાત સાચી છે. સંસારમાં કંઈ સાર નથી, મને દીક્ષા આપી દો તો મારું કલ્યાણ થશે. ને સૂખપૂર્વક રહેવાશે. આચાર્યશ્રી આ લોકોની ટીખળ સમજી ગયા, પણ હવે આ યુવકોને પાઠ શીખવવો જ જોઈએ એમ જાણી ભદ્રસેનને કહ્યું, “અલ્યા ભાઈ, તારે દીક્ષા લેવી જ છે ? બરાબર સમજીને કહે છે ને ? ફરી તો નહીં જાય ને ?” ભદ્રસેન હજુ પણ મજાકમાં કહે છે, "ના મહારાજ ! ફરે એ બીજા ! દીક્ષા લેવી છે, ચાલો આપો, હું તૈયાર છું." શ્રી ચંદ્રસૂરિજી એક બીજા યુવાનને બાજુમાં થોડેક દૂર પડેલી રાખ ભરેલી માટીની કુંડી પડી છે, તે તેને લાવવા કહે છે. તે યુવાન લાવી આપે છે અને આચાર્ય ભદ્રસેનના માથે ચોળી વાળનો લોચ કરી નાખે છે. આ આચાર્યશ્રીનો રોષ, તેમની મુખમુદ્રા જોઈ યુવાનો સ્તબ્ધ થઈ ગયા અને આ તો હસવામાંથી ખસવું થઈ ગયું એમ જાણી ભાગવા તૈયારી કરી અને ભદ્રસેનને કહ્યું, "ચાલ, હવે ઘણું થયું. સાધુઓને વધારે સતાવવામાં સાર નહિ, ચાલ અમારી સાથે, દોડ અને ભાગી છૂટીએ." પણ ભદ્રસેન હવે ઘેર જવા ના પાડે છે. તેના હૃદયમાં નિર્મળ વિચારણા જાગે છે અને મનોમન કહે છે, “હવે હું ધેર કેમ જાઉં ? મેં મારી મેતે માગીને વ્રત સ્વીકાર્યું છે. હવે નાશું તો મારી ખાનદાની લાજે. મારું કુળ કલંકિત થાય, હવે તો વિધિપૂર્વક ગુરુમહારાજ પાસે વ્રત લઈ મારા આત્માનું કલ્યાણ સાધું ! વગર પ્રયત્ને અનાયાસે આવો ઉત્તમ માર્ગ મને મળી ગયો. મારું તો શ્રેય થઈ ગયું.” આવી વિમળ વિચારણા કરી તે આચાર્યશ્રીને વિનંતી કરે છે કે, “ભગવન્ આપ કૃપા કરી મને સંસારસાગરથી તાર્યો. આપ વિધિપૂર્વક વ્રત આપી મને કૃતાર્થ કરો. આપનો અનંત ઉપકાર મારા ઉપર છે." ત્યાર બાદ આચાર્યશ્રી ચંડરુદ્રચાર્ય તેને વિધિપૂર્વક વ્રત ઉચરાવે છે અને ભદ્રસેન હવે ભદ્રસેનમુનિ બને છે. નૂતન દીક્ષિત હવે વિચારે છે કે, મારાં મા, બાપ, સાસુ, સસરા, પત્ની વગેરે ઉજ્જિયનીમાં છે તે બધાં અત્રે આવી મને દીક્ષામાંથી ખસેડી ઘરે લઈ જશે. પણ હવે કોઈ રીતે મારે આ માર્ગ છોડવો નથી. એટલે ગુરુમહારાજને હાથ જોડી વિનંતી કરે છે. “ભગવાન, મારું કુટુંબ મોટું છે. તેઓને આ યુવાનો ખબર આપી દેશે તેથી તેઓ મને લેવા ચોક્કસ આવશે અને બળજબરીથી પણ અહીંથી લઈ જવા પ્રયત્ન કરશે. આપણો ગચ્છ તો વિશાળ છે. બધા સાથે તાત્કાલિક તો વિહાર Page #134 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ / ૧૦૯ થઈ શકે નહિ, પણ આપણે બે જણ છૂપી રીતે અહીંથી જતા રહેવું જોઈએ. બધા વિહાર કરીએ તો લોકો જાણી જાય અને આપણને અટકાવે માટે જલદી કરો.” આચાર્ય મહારાજ નૂતન દીક્ષિત મુનિને કહે છે, તારી વાત બરાબર છે. તું એક વાર જઈને રસ્તો જોઈ આવ. અત્યારે સાંજ પડવા આવી છે. અંધારું થઈ જશે તો રસ્તામાં તકલીફ ઊભી થશે." માટે ભદ્રસેન મુનિ થોડે સુધી જઈ રસ્તો જોઈ આવે છે અને આચાર્યશ્રીને લઈને તે સ્થાનકથી નીકળી જાય છે. ગુરુ મહારાજ વૃદ્ધ છે અને આંખે ઓછું દેખાય છે એટલે ભદ્રસેન મુનિ તેમને ખભે બેસાડી ઉતાવળે ઉતાવળે વિહાર કરે છે. પણ રસ્તો ખાડાટેકરાવાળો હોઈ ખભે બેઠેલા મહારાજને આંચકા આવે છે અને નૂતન દીક્ષિતને બરાબર ચાલવા તાકીદ કરે છે. પણ અંધારું વધતાં રસ્તાના ખાડા-ટેકરામાં પગ પડી જતાં ભદ્રસેન મુનિ કોક વાર સમતોલપણું ગુમાવે છે આથી આચાર્ય અતિ ધ કરી જોરથી પોતાનો દંડો નૂતન મુનિના માથામાં મારે છે અને કહે છે, “તું દેખતો નથી. મારી આ વૃદ્ધાવસ્થાએ તું મને આ રીતે દુઃખ આપે છે.” દંડાના પ્રહારથી અને લોચ એ દિવસે કર્યો હોવાથી નૂતન મુનિના ટાલિયા માથા ઉપર લોહી આવવા માંડે છે. પણ આ અવસ્થામાં પણ નૂતન દીક્ષિત ભદ્રસેન મુનિ સમતા રાખી વિચારે છે. અધિક્કાર છે મારા આત્માને, મેં પૂજ્યશ્રીને પહેલા જ દિવસે, ગુરુદેવને અશાતા આપી. મારે ધીરે ધીરે સાવધ રહીને ચાલવું જોઈતું હતું. આવા ગુણરત્નના સાગર જેવા ગુરુદેવને મેં રોષનું નિમિત્ત આપ્યું. તેઓનો કોઈ દોષ નથી. ખરેખર હું દોષિત છું. આ રીતે હૃદયની સરળતાથી ભદ્રિક એવા તે નૂતન મુનિ પોતાના દોષોને જોતાં શુભ ધ્યાને ચઢ્યા, અને ક્ષેપક શ્રેણી પર પહોંચતાં તેઓ કેવળજ્ઞાન પામ્યા. કેવળજ્ઞાની એવા ભદ્રસેન મુનિ જ્ઞાનના યોગે બધું જાણી શકે છે. હવે તે ગુરુ મહારાજ, જે ખભા ઉપર બેઠેલ છે તેમને જરાકે આંચકા ન પહોંચે તે રીતે સીધા રસ્તે લઈ જઈ શકે છે. હવે આચાર્ય મહારાજ કહે છે કે, હવે તું બરાબર ઠેકાણે આવ્યો. સંસારમાં એવો નિયમ છે કે ચમત્કાર વિના નમસ્કાર નહિ. દંડો પડ્યો એટલે હવે કેવો સીધો થઈ ગયો ! કેમ બરાબર છે ને ? હવે સીધો ચાલવા માંડ્યો ને.” નૂતન દીક્ષિત કહે છે, "ભગવાન એ આપની કૃપાનું ફળ છે. રસ્તો બરાબર જાણી શકાય છે, એ આપશ્રીની અમી ષ્ટિના યોગે જ્ઞાનથી જાણી શકાય છે.” આ સાંભળી આચાર્યશ્રી આશ્ચર્ય પામે છે અને વિચારે છે કે નૂતન દીક્ષિત કહે છે કે જ્ઞાનથી જાણી શકાય છે. તો તેને ક્યું જ્ઞાન હશે? હવે થોડું થોડું અજવાળું થતાં ગુરુ મહારાજને શિષ્યના માથા પર લોહી નીકળેલ દેખાય છે તેથી પૂછે છે, “તને આ મારા દંડાના પ્રહારથી લોહી Page #135 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૧૦ નથી નીકળ્યું ને ?" પણ ભદ્રસેન મૌન રહે છે. વળી આચાર્યશ્રી પૂછે છે, "તને સીધો રસ્તો જણાયો તે ક્યા જ્ઞાનના યોગે ? રસ્તામાં તેને કોઈ સ્કૂલના તો નથી આવી ને? વત્સ, શું હકીકત છે કે તું યથાર્થ જણાવ"ભદ્રસેન કહે છે, ભગવન્! આપની કૃપાથી જ જ્ઞાન પ્રાપ્ત થયું છે. તેના યોગે હું માર્ગ જાણી શક્યો છું." આચાર્યશ્રી વધુ ચોખવટ કરવા શિષ્યને પૂછે છે, વત્સ! તે જ્ઞાન પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ?" ભદ્રસેન કહે છે, "ભગવદ્ અપ્રતિપાતિ." આ સાંભળતાં જ આચાર્યશ્રી ખભા ઉપરથી ઊતરી કેવળજ્ઞાની શિષ્યને ખમાવે છે. પોતાનાથી થઈ ગયેલ ક્ષેધના કારણે જે અપરાધ થયો તે માટે તેઓને તીવ્ર પશ્ચાત્તાપ થાય છે અને સ્વગત વિચારે છે, "હા, હું કેવો પાપી ! આટઆટલાં વર્ષોથી સંયમ, તપ, સ્વાધ્યાય આદિની આરાધના કરવા છતાં વાતવાતમાં બેધને આધીન થઈ મને ઉગ્ર થઈ જતાં વાર લાગતી નથી. આચાર્યના પદ પર આરૂઢ હોવા છતાં હું એટલી પણ ક્ષમા નથી રાખી શક્યો. મારો સંયમ, મારી આરાધના ખરેખર નિષ્ફળ ગઈ. ખરેખર આ નૂતન દીક્ષિતને ધન્ય છે. ગઈ કાલે હજુ જેણે સંયમ અંગીકાર કર્યો, તેનામાં કેવી અદભુત ક્ષમા! કેવી અપ્રતિમ સરળતા! અને કેવું અનુપમ સમર્પણ ! હું હીનભાગ્ય છું, આ પુણ્યાત્મા તરી ગયા, હું પામો છતાં ડૂબી રહ્યો છું." આમ વિચારતાં અને કેવળજ્ઞાની નૂતન મુનિને ખમાવતાં પોતાની જાતે પોતાની લઘુતા અને સરળતાપૂર્વક નિંદા કરતાં, શુભ ધાને ચઢતાં આચાર્ય મહારાજ પણ ક્ષપક શ્રેણી પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામ્યા. આમ ગુરુ તથા શિષ્ય બંને તરી ગયા. ધન્ય સરળતા! ધન્ય ક્ષમાપના! | હે પ્રભુ પાસ ચિંતામણી હે પ્રભુ પાસ ચિંતામણિ મેરો, મીલ ગયો હીરો, મીટ ગયો ફેરો, નામ જપું નિત્ય તેરો. પ્રભુત્ર: પ્રીત લગી મેરી પ્રભુજીસે ખારી, જૈસે ચંદ ચકોરો. પ્રભુત્વ આનંદઘન પ્રભુ ચરન શરન હે, બહોત દિયો મુક્તિ કો ડેરો. પ્રભુત્ર મારા સ્વામી પરમ સામર્થ્યવાન છે, અને હું તેમનો સેવક છું. એવો ખ્યાલ ન આવે ત્યાં સુધી માનવીના દુ:ખોનો ભાર જરા પણ ઓછો થતો નથી. Page #136 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૧૧ | શ્રી અષાઢાચાર્ય ૫૦ અષાઢચાર્ય નામે એક આચાર્યશ્રી પોતાના એક શિષ્યને ધર્મ સંભળાવે છે. શિષ્ય મરણ પથારીએ છે. અને આચાર્યશ્રી શિષ્ય પાસે વચન લેવરાવે છે કે, તે દેવલોકમાં જાય તો તે ત્યાંથી આવીને આચાર્યશ્રીને વાત કરે અને ઊર્ધ્વ ગતિ જવા રસ્તો બતાવે. નવકાર મંત્ર સાંભળતાં સાંભળતાં શિષ્ય હા ભણી અને કહ્યું, ભલે, જરૂર આવીશ અને મળીશ. શિષ્ય કાળ કરી દેવ થયો પણ ત્યાંના વૈભવવિલાસમાં એવો આસક્ત થઈ ગયો. કે, તે ગુરુને ને ગુરુના વચનને ભૂલી ગયો. અહીં ગુરુદેવ રાહ જોતા રહ્યા. આ પ્રમાણે આચાર્ય મહારાજ શ્રી અષાઢાચાર્યે ચાર શિષ્યો પાસે એમણે દેવલોકમાંથી આવી વાત કરવી, એમ વચન લીધાં. ઘણાં વર્ષો રાહ જોયા છતાંયે આમાંથી કોઈ આચાર્ય મહારાજ પાસે વાત કરવા કે ધર્મ પમાડવા આવ્યું નહીં. એટલે આચાર્ય મહારાજને ધર્મ ઉપર અશ્રદ્ધા જાગી. આ બધું તૂત છે, પાપ-પુણ્ય જેવું કંઈ છે જ નહીં. તપ -જપ બધું ફોગટનાં ફાંફાં છે. આમ વિચારતાં વિચારતાં તેમણે સાધુતા છોડી, પણ પહેરેલા સાધુના વેશે જ રહે છે અને સંસારી થઈ જવા મનોમન નક્કી કરે છે. ચોથો શિષ્ય - જે દેવલોકમાં છે તેણે અવધિજ્ઞાનથી આ વાત જાણી અને ગુરુજીને આ સંસારી થતા બચાવવા નકકી કર્યું અને આ માટે તે પૃથ્વી ઉપર આવી, ગુરુજી વિચરતા હતા તે રસ્તા ઉપર આવી, દૈવી નાટક શરૂ કર્યું. ગુરુજી નાટક જોવામાં લીન બન્યા. નાટક જોતાં છ મહિના વીતી ગયા. દેવે માયાવી છ છોકરા બનાવ્યા અને આગળ વિહાર કરી જતા આચાર્ય મહારાજને જંગલમાં મળ્યા. એકાંત જંગલમાં આ સુંદર આભૂષણ પહેરેલ છોકરાઓ મળતાં અષાઢાભૂતિ ભાન ભૂલ્યા. છોકરાઓના બધા સોનાના અને ઝવેરાત મટ્યા દાગીના ઉતારી લીધા અને છોકરાઓને મારી નાખી ત્યાંથી આગળ ચાલ્યા ગયા. રસ્તામાં એક સાધ્વીજી મળ્યાં. સાધ્વીજી સાથે ઠીકઠીક ધર્મોની વાતચીત થઈ. સૂરીજી ઘણું શરમાયા અને ખોટું થઈ ગયું છે એનો મનને ખટકો લાગવા માંડ્યો. આગળ વિહાર કરતાં એક મોટું સૈન્ય સામે મળ્યું. જેમાં ત્યાંનાં રાજા-રાણી વગેરેનો મોટો પરિવાર પણ હતો. Page #137 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૧૨ જૈન સાધુનો ભેટો થતાં સૈન્યના માણસો ગુરુજીની ચારે બાજુ ઊભા રહી ગયા. અને ગુરુજીને વહોરાવવાની વિનંતી કરી ગુરુજીએ આનાકાની કરી ના પાડી મનમાં તે ઘણા ગભરાયા. અરેરે, મેં કેવાં પાપ કર્યો. મારી બધી પોલ ઊઘડી જશે. રાજાએ જરા જોરથી ઝોળી પકડી ખેંચી. એટલે ઘરેણાં ઊછળી બહાર પડ્યાં. ગુરુજી થરથર કાંપવા લાગ્યા અને પોતાનું મોટું હાથથી સંતાડી રોવા લાગ્યા. આ સૈન્ય, રાજા-રાણી વગેરે પેલા ચોથા શિષ્ય જે દેવ હતો તેનું નાટક હતું. ગુરુજીનો પશ્ચાતાપ જોતાં તે પ્રગટ થયો. તેણે ગુરુજીને દેવી ઋદ્ધિ બતાવી અને કહ્યું કે, "આ બધો ધર્મનો પ્રભાવ છે. આપની કૃપાનું ફળ છે. સ્વર્ગ, મોક્ષ, પુણ્ય, પાપ, બધું સાચું છે. નવો દેવ દેવલોકમાં પેદા થાય એટલે ત્યાંનાં નાટક-ચેટક જોવામાં હજાર વર્ષો નીકળી જાય. એટલે તરત ત્યાંથી પૃથ્વી ઉપર આવી શકે નહીં. આથી લોકો સમજે કે દેવલોક જેવું કંઈ છે જ નહીં. પણ એ વાત ખોટી છે. શાસ્ત્રો સાચાં છે. પુણ્ય-પાપનાં ફળ બરાબર મળે છે." ગુરુદેવ શ્રી અષાઢચાર્ય બધું સમજી ગયા. પશ્ચાત્તાપ કરી દીક્ષા લીધી શ્રદ્ધામાં દઢ બન્યા અને ઉચ્ચ ભાવના ભાવમાં એ જ ભવમાં મોશે પહોંચ્યા. મંગળ દીવો દીવો રે દીવો મંગલિક દવો: આરતી ઉતારીને બહુ ચિરંજીવો....દીવો. ૧ સોહામણું ઘેર પર્વ દિવાળી: અંબર ખેલે અમરા બાળી....દીવો. ૨ દીપાળ ભણે એણે કુલ અજવાળી: ભાવે ભગતે વિધન નિવારી...દીવો, ૩ દીપાળ ભણે એણે એ કલિકાલે આરતી ઉતારી રાજા કુમારપાલે...દીવો. ૪ અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક મંગલિક ચતુર્વિધ સંઘને હોજો..દીવો. ૫ - : :: Page #138 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૧૧૩ .. | પ્રિયંકર નૃપતિ અક્ષપુર નામના નગરમાં અરિદમન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પ્રિયંકર નામે પુત્ર હતો. દિગ્યાત્રાથી પાછા ફરતાં પોતાના ગામ સમીપે આવી પહોંચ્યા. રાજમહેલ અને પોતાની પ્રિયાને છોડેય ઘણો કાળ થઈ ગયો હોવાથી પ્રિયાનાં દર્શન માટે અતિ ઉત્સુક એવા રાજા પોતાની સેનાને પાછળ મૂકી એક્લો જ પોતાની નગરીએ આવ્યો. પોતાનું નગર, ધ્વજ, તોરણ વગેરેથી શોભીત થતું જોઈને તે આશ્ચર્ય પામતો રાજમહેલે આવ્યો, ત્યાં પણ પોતાની કાંતાને સર્વ અલંકારથી શોભિત અને સત્કાર કરવા માટે તૈયાર થઈને ઊભેલી જોઈ રાજાએ તેને પૂછ્યું કે, હે પ્રિયા! મારા આવવાના સમાચાર તમને કોણે કહ્યા?" તેણીએ કહ્યું કે, “કીર્તિધર નામના મુનિરાજે આપના એકાકી આવવાના સમાચાર આપ્યા હતા, તેથી હું આપની સન્મુખ આવવા તૈયાર થઈને ઊભી છું.” આ સાંભળી અરિદમન રાજાએ તે મુનિરાજને બોલાવીને પૂછ્યું કે, “જો તમે જ્ઞાની હો તો મારા મનનું ચિંતિત કહો." ત્યારે મુનિએ કહ્યું કે, હે રાજન ! તમે તમારા મરણ વિષે ચિંતવન કર્યું છે." રાજાએ પૂછ્યું કે, હું જ્ઞાની ! મારું મૃત્યુ ક્યારે થશે?" મુનિ બોલ્યા કે, “આજથી સાતમે દિવસે વીજળીનો પાત થવાથી તમારું મૃત્યુ થશે, અને મરીને અશુચિમાં બે ઇન્દ્રિય કીડા રૂપે ઉત્પન્ન થશો.” એમ કડીને મુનિરાજ પોતાને ઉપાશ્રયે ગયા. રાજા આ વૃત્તાંત સાંભળીને આકુળવ્યાકુળ થયો. અને પોતાના પુત્ર પ્રિયંકરને બોલાવીને કહ્યું કે, “હે વત્સ! જો હું અશુચિમાં કીડો થાઉં તો તારે મને મારી નાખવો." પ્રિયંકરે વાત અંગીકાર કરી. રાજા સાતમે દિવસે પુત્ર, સ્ત્રી અને રાજ્યાદિકની તીવ્ર મૂર્છાથી મરીને અશુચિમાં કીડારૂપે ઉત્પન્ન થયો, તે વખતે પ્રિયંકરે તેને મારવા માંડ્યો, પણ તે જીવ મરવા રાજી થયો નહીં. તેથી પ્રિયંકરે મુનિને પૂછ્યું કે, મુનિરાજ! શું આ મારો પિતાનો જીવ છે કે જે દુ:ખી થતાં પણ મરણને ઇચ્છતો નથી?” ત્યારે મુનિ બોલ્યા કે, “વિષ્ટામાં રહેલા કીડાને તથા સ્વર્ગમાં રહેલા ઇન્દ્રને જીવવાની આકાંક્ષા સરખી જ હોય છે, અને તે બંનેને મૃત્યુનો ભય પણ સમાન જ હોય છે. આ સાંભળી પ્રિયંકર રાજાએ ગુરુને પૂછયું કે, “કોઈએ ન જોયેલું, ન સાંભળેલું અને ન ઇચ્છેલું એવું પરભવમાં ગમન સર્વ જીવો પામે છે. તેમ મારા પિતા કીડાનો ભવ પામ્યા તો તેવી ગતિમાં આત્મા શા હેતુ વડે જતો હશે?” ગુરુએ કહ્યું કે, “જીવોને જેવી લશ્યાના પરિણામ હોય છે તેવી ગતિ તેને પ્રાપ્ત થાય છે.” રાજાએ પૂછ્યું કે, “હે સ્વામી! વેશ્યા કેટલા પ્રકારની છે?" ત્યારે ગુરુએ લેશ્યાનું સ્વરૂપ કહ્યું કે, હે રાજા! આત્માના પરિણામ વિશેષ કરીને વેશ્યાઓ છ પ્રકારની છે." Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૧૪ "જે માણસ મહા રૌદ્ર ધ્યાની હોય, સદા વ્રેધી હોય, સર્વ ઉપર દ્વેષી હોય, ધર્મી વર્જિત હોય, નિર્દય હોય અને નિરંતર વૈર રાખનારો હોય તેને વિશેષે કરીને કૃષ્ણ લેશ્યાવાળો જાણવો.” “નિલ લેશ્માવાળો જીવ આળસુ, મંદબુદ્ધિ, સ્ત્રીમાં લુબ્ધ, પરને છેતરનાર, બીકણ અને નિરંતર અભિમાની હોય છે." “નિરંતર શોકમાં મગ્ન રહેનાર, સદા રોષવાળો, પરની નિંદા કરનાર, આત્મ પ્રશંસા કરનાર, રણસંગ્રામમાં ભયંકર અને દુ:ખી અવસ્થાવાળા માણસની કાપોત લેશ્યા કહેલી છે.” "વિદ્વાન, કરુણાવાન, કાર્યાકાર્યનો વિચાર કરનાર અને લાભમાં કે અલાભમાં સદા આનંદી એવા માણસને પીત લેશ્યા અધિકે હોય છે.” "ક્ષમાવાન, નિરંતર ત્યાગ વૃત્તિવાળો, દેવપૂજામાં તત્પર, વ્રતને ધારણ કરનાર, પવિત્ર અને સદા આનંદમાં મગ્ન એવો મનુષ્ય પદ્મ લેશ્માવાળો હોય છે.” “રાગ દ્વેષથી મુક્ત, શોક અને નિંદાથી રહિત. તથા પરમાત્મ ભાવને પામેલ મનુષ્ય શુક્લ લેફ્સાવાળો કહેવાય છે." આ છ લેશ્યામાં પ્રથમની ત્રણ લેશ્યાઓ અશુભ છે, અને બીજી ત્રણ લેશ્યાઓ શુભ છે, તે છએનું વિસ્તારથી સ્વરૂપ જણાવવા માટે જાંબુ ખાનારા તથા ગામ ભાંગનારા છ છ પુરુષનાં દૃષ્ટાંત છે તે આ પ્રમાણે : કોઈ જંગલમાં ક્ષુધાથી કૃષ થયેલા છ પુરુષોએ પાકેલાં અને રસવાળાં જાંબુના ભારથી જેની ડાળીઓ નમી ગઈ છે એવું કલ્પવૃક્ષના જેવું એક જાંબુનું ઝાડ જોયું. તે જોઈને સર્વ હર્ષિત થઈ બોલ્યા કે, "અરે ! ખરે અવસરે આ વૃક્ષ આપણા જોવામાં આવ્યું છે, માટે હવે સ્વેચ્છાએ તેનાં ફળ ખાઈને આપણે ક્ષુધાને શાંત કરીએ." પછી તેમાં એક ક્લિષ્ટ પરિણામવાળો હતો તે બોલ્યો કે, "આ દુરારોહ વૃક્ષ ઉપર ચડવાથી જીવનું જોખમ છે, માટે તીક્ષ્ણ કુહાડાની ધાર વડે ઝાડને મૂળમાંથી કાપી નાખી તેને આડું પાડી દઈએ અને પછી નિરાંતે તેનાં સમગ્ર ફળો ખાઈએ.” આવા પરિણામી પુરુષને કૃષ્ણ લેશ્યાવાળો સમજવો. પછી તેના કરતાં કંઈક કોમળ હૃદયવાળો બોલ્યો કે, આ વૃક્ષને કાપવાથી આપણને શું વધારે લાભ છે ? માત્ર એક મોટી શાખા તોડી પાડીને તેની ઉપર રહેલાં ફળો ખાઈએ." આ પુરુષ નીલ લેશ્યાના પરિણામવાળો જાણવો. પછી ત્રીજો બોલ્યો કે, "આવડી મોટી શાખાને કાપવાની ક્યાં જરૂર છે ? તેની એક પ્રશાખાને જ કાપીએ.” આ પુરુષ કાપોત લેશ્માવાળો જાણવો. Page #140 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૧૫ પછી ચોથો બોલ્યો કે, તે બિચારી નાની શાખાઓને કાપવાથી શું લાભ છે ? માત્ર તેના ગુચ્છા તોડવાથી આપણું કાર્ય સિદ્ધ થશે. આ માણસ તેજો વેશ્યાવાળો જાણવો. પછી પાંચમો બોલ્યો કે, ગુચ્છાને પણ શા માટે તોડવા જોઈએ. તેના ઉપર રહેલાં અને ભક્ષણ કરવા લાયક ફળો જ તોડી ક્ષુધા શાંત કરીએ.” આવા પુરુષને પદ્મ લેશ્યાવાળો જાણવો. હવે છઠ્ઠો બોલ્યો કે, “આપણે વૃક્ષ ઉપરથી તોડવાની કોઈ જરૂર નથી. આપણી સુધા પૂરતાં તો જાંબુ ઝાડ નીચે પડેલાં છે. તેનાથી જ પ્રાણનો નિર્વાહ કરવો તે શ્રેષ્ઠ છે. માટે આ ઝડ કે તેની ડાળીઓ તોડવાનો વિચાર શા માટે કરવો જોઈએ?" આ છઠ્ઠા માણસની વિચારસરણી જેવાને શુકલ લેક્ષાના પરિણામવાળો ગણવો. આ જ રીતે ધાડ પાડનાર છ પુરુષનું દ્રષ્ટાંત. ધન ધાન્યાદિકમાં લુબ્ધ થયેલા ચોરોના છ અધિપતિઓએ એકત્ર થઈને એક ગામમાં ધાડ પાડી. તે સમયે તેમાંથી એક જણ બોલ્યો કે, “આ ગામમાં મનુષ્ય, પશુ, પુરુષ, સ્ત્રી, બાળક, વૃદ્ધ વગેરે જે કોઈ નજરે પડે તે સર્વને મારી નાખવાં." આ પ્રમાણે કૃષગ લેશ્યાના સ્વભાવવાળાનું વાક્ય સાંભળીને બીજો નીલ વેશ્યાવાળો બોલ્યો કે, "માત્ર મનુષ્યને જ મારવાં, પશુઓને મારવાથી આપણને શો લાભ છે?" ત્યારે ત્રીજો કાપો લેશ્યવાળો બોલ્યો કે, "સ્ત્રીઓને શા માટે મારવી જોઈએ, માત્ર પુરુષોને જ મારવા. ત્યારે ચોથો તેજમલેથાવાળો બોલ્યો કે, "પુરુષમાં પણ શસ્ત્ર રહિતને મારવાનું શું કામ? માત્ર શસ્ત્રધારીને જ મારવા." તે સાંભળી પાંચમો પધ લેશ્યાવાળો બોલ્યો કે, “શસ્ત્રધારીમાં પણ જેઓ આપણી સામે યુદ્ધ કરવા આવે તેને જ મારવા, બીજા નિરપરાધીને શા માટે મારવા જોઈએ." છેવટે છઠ્ઠો શુકલ લેશાવાળો બોલ્યો કે, “અહો ! તમારા કેવા ખોટા વિચારો છે? એક તો દ્રવ્યનું હરણ કરવા આવ્યા છો, અને વળી બિચારાં પ્રાણીઓને મારવા ચાહો છો? માટે જો તમે દ્રવ્ય લેવા આવ્યા છો તો ભલે દ્રવ્ય લો, પણ તેમના પ્રાણનું તો રક્ષણ કરે." આ પ્રમાણે છે વેશ્યાવાળા જીવો મરીને જુદી જુદી ગતિને પામે છે. કહ્યું છે કે, કૃષણ લેથાવાળ નરકગતિ પામે છે, નીલ વેશ્યાવાળો થાવરપણું પામે છે, કાપોત લેશ્યાવાળો તિર્યંચ થાય છે, પીત વેશ્યાવાળો મનુષ્યગતિ પામે છે, પધ લેથાવાળો દેવલોકમાં જાય છે અને શુકલ લેશ્યાવાળો જીવશાશ્વત સ્થાન પામે છે. આ પ્રમાણે ભવ્ય જીવોએ વેશ્યાનો વિચાર જાણવો. ગુરુના મુખથી ઉપર પ્રમાણે વેશ્યાનું સ્વરૂપ જાણીને પ્રિયંકર રાજા પ્રતિબોધ પામ્યો, અને નિરંતર શુભ લેગ્યામાં વર્તી શ્રાવક ધર્મને અંગીકાર કરી અંતે સદ્ગતિ પામ્યો. પોતાના પિતા અરિદમન રાજાની કાપાત લેશ્યાના પરિણામવાળાની કથા સાંભળીને તેમ જ તેમની કીડા તરીકેની ઉત્પત્તિ મુનિ મહારાજના મુખથી જાણીને પ્રિયંકર રાજા ભલા ધર્મને આપવાવાળી શુભ લેશ્યાવાળો થયો.” Page #141 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૧૬ | કંડરીક - પુંડરીક પર. જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં પુંડરીકિણી નામે નગરીમાં મહાપ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને બે પુત્રો થયા. રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થવાથી મોટા પુત્ર પુંડરીકને રાજગાદી આપી અને નાના પુત્ર કંડરીકને યુવરાજ પદવી આપી પોતે દીક્ષા લઈ કર્મ ક્ષય કરી મુક્તિ પામ્યા. એકદા કેટલાક સાધુઓ ને નગરીમાં પધાર્યા, તેમને વાંદવા બને ભાઈઓ ગયા. તેમને મુનિએ ધર્મનું તત્ત્વ સમજાવતાં કહ્યું કે, જે પ્રાણી આ સંસાર સમુદ્રમાં ભટકતાં મહા કષ્ટ વહાણ સમાન મનુષ્ય ભવને પામીને ફોગટ ગુમાવી દે છે, તેના થકી વધારે મૂર્ખ બીજો કોણ કહેવાય ?" આવી દેશના સાંભળી બન્ને ભાઈઓ ઘરે આવ્યા. પછી પુંડરીકે નાના ભાઈને કહ્યું કે, હે વત્સ ! આ રાજ્ય ગ્રહણ કર, હું દીક્ષા ગ્રહણ કરીશ." કંડરીક બોલ્યો કે, હે ભાઈ ! આ સંસારના દુ:ખમાં મને કેમ નાખો છો? હું દીક્ષા લઈશ." મોટાભાઈએ કહ્યું, “હે ભાઈ ! યુવાવસ્થામાં ઇદ્રિયોનો સમૂહ જીતી શકાતો નથી. અને પરિષહ પણ સહન થઈ શકતા નથી" કંડરીક બોલ્યો કે, “હે ભાઈ ! નરકનાં દુ:ખ કરતાં પરીષહાદિનું દુઃખ કાંઈ વધારે નથી. માટે હું તો ચારિત્ર અંગીકાર કરીશ." કંડરીકનો આવો આગ્રહ હોવાથી પુંડરીકે તેને રજા આપી, એટલે તેણે મોટા ઉત્સાહપૂર્વક દીક્ષા ગ્રહણ કરી; અને કંડરીક તો મંત્રીઓના આગ્રહથી ભાવચારિત્ર ધારણ કરીને ઘરમાં જ રહ્યો. કંડરીક ઋષિ અગિયાર અંગ ભાગ્યા. પરંતુ લૂખાં સૂકાં ભોજનથી તથા ઘણું તપ કરવાથી તેના શરીરમાં કેટલાક રોગો ઉત્પન્ન થયા. ગુરુની સાથે વિહાર કરતાં કરતાં કંડરીક મુનિ પોતાના નગર પુંડરીકિણીમાં આવ્યા. પુંડરીક રાજા તેમને વાંદવા ગયા. સર્વ સાધુઓને વાંઘા, પરંતુ શરીર કૃશ હોવાથી પોતાના ભાઈને ઓળખ્યા નહીં. તેથી તેણે પોતાના ભાઈ સંબંધી સમાચાર પૂછ્યા. ગુરુએ કંડરીકમુનિને બતાવીને કહ્યું કે, આ જે મારી પાસે ઊભા છે તે જ તમારા ભાઈ છે." રાજા તેમને નમ્યો. પછી તેમનું શરીર રોગગ્રસ્ત જાણી, ગુરની રજા લઈને તેમને રાજા શહેરમાં લઈ ગયો, અને પોતાની વાહનશાળામાં રાખી સારાં સારાં Page #142 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૧૭ રાજઔષધો વડે તેમને રોગરહિત ર્યા. ત્યાં સ્વાદિષ્ટ ભોજનો કરવાથી તે મુનિ રસમાં લોલુપ થઈ ગયા. તેથી ત્યાંથી વિહાર કરવાની ઈચ્છા ન થઈ. એટલે રાજા તેમને કહેવા લાગ્યો કે, હે પૂજ્ય મુનિ ! તમે તો અહર્નિશ વિહાર કરનારા છો; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારે પ્રકારના પ્રતિબંધથી રહિત છો. હવે નીરોગી થવાથી તમે વિહાર કરવા ઉત્સુક થયા હશો. તમને નિગ્રંથને ધન્ય છે. હું અધન્ય છું કેમ કે ભોગ રૂપી કાદવમાં ખૂઓ છતાં કદર્થના પામું છું." ઇત્યાદિ વચનો રાજાએ વારંવાર કહ્યાં. એટલે કંડરીક મુનિ લજજા પામી ત્યાંથી વિહાર કરીને ગુરુ પાસે ગયા. એક દિવસ વસંત ઋતુમાં પોતપોતાની સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા નગરજનોને જોઈને ચારિત્રાવરણીય કર્મના ઉદયથી કંડરીક મુનિનું મન ચારિત્રથી ચલાયમાન થયું. તેથી તે ગુરુની આજ્ઞા લીધા વિના પુંડરીકિણી નગરી પાસેના વનમાં આવ્યા; અને પાત્રા વગેર ઉપકરણો ઝાડની વળી ઉપર લટકાવીને કોમળ લીલાં ઘાસ ઉપર આળોટવા લાગ્યા. તેને આવી રીતે સંયમથી ભ્રષ્ટ ચિત્તવાળા થયેલા તેની ધાવમાતાએ જોયા તેથી તેને નગરમાં જઈને પુંડરીક રાજાને તે વાત કરી તે વાત સાંભળીને રાજા પરિવાર સહિત ત્યાં આવ્યો. તે વખતે કંડરીકને ચિંતાતુર, પ્રમાદી અને ભૂમિ ખોતરતો જોઈને રાજાએ કહ્યું કે, હું સુખદુ:ખમાં સમાન ભાવવાળા ! હે નિઃસ્પૃહ ! હે નિગ્રંથ ! હે મુનિ ! તમે પુણ્યશાળી છો, અને સંયમ પાળવામાં ધન્ય છો.' ઇત્યાદિ અનેક પ્રકારે તેની પ્રશંસા કરી તો પણ તે નીચું જ જોઈ રહ્યા, તેમ કાંઈ ઉત્તર પણ આપ્યો નહીં. તેથી રાજાએ તેને સંયમથી ભ્રષ્ટ થયેલો અને સંયમની અનિષ્ટતાવાળા જાણીને પૂછ્યું કે " હે મુનિ ! આ ભાઈના સામેં કેમ જોતા નથી ? પ્રશસ્ત ધ્યાનમાં મગ્ન છે કે અપ્રશસ્ત ધ્યાનમાં ? જો અપ્રશસ્ત ધ્યાનમાં આરૂઢ થયા હો તો તમે પૂર્વે બળાત્કારે મોટું ભાવરાજ્ય ગ્રહણ કર્યું છે. તેના ચિહ્નભૂત પાત્રાદિક મને આપો અને પરિણામે મહા વિરસ ફળ આપનારા રાજ્યના ચિહનભૂત આ પટ્ટહસ્તી વગેરે તમે ગ્રહણ કરો." આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને કંડરીક બહુ હર્ષ પામ્યો અને તત્કાળ પટ્ટહસ્તી ઉપર ચઢીને નગરમાં ગયો. સાધુમાં શ્રેષ્ઠ એવા પુંડરીકે વિલાપ કરતી રાણીઓ વગેરેને સાપની કાંચળી માફક તજી દઈને, યતિનો વેષ ગ્રહણ કરીને ત્યાંથી તત્કાળ વિહાર કર્યો. અહીં કંડરીક ઘણા કાળનો ભૂખ્યો હોવાથી તે દિવસે ઇચ્છા મુજબ ભક્ષાભક્ષના વિવેક સિવાય અનેક પ્રકારનું ભોજન કર્યું. તે આહાર કૃશ શરીર નહીં પચવાથી તથા રાત્રીએ ભોગવિલાસને માટે જાગરણ કરવાથી તત્કાળ રાત્રિમાં જ વિસૂચિકાનો વ્યાધિ Page #143 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૧૮ ઉત્પન્ન થયો, પેટ ફૂલી ગયું. અપાન વાયુ બંધ થયો અને તૃષાશ્ચંત થવાને લીધે અત્યંત પીડા પામવા લાગ્યો. તે “અવસરે વ્રતનો ભંગ કરનાર છે એટલે તે અતિ પાપી છે.” એમ ધારીને સેવક પુરુષોએ તેનું ઔષધ કર્યું નહીં. તેથી તેણે વિચાર્યું કે, "જો આ રાત્રિ વીતી જાય તો પ્રાત:કાળમાં જ સર્વ સેવકોને હણી નાખું.” એવી રીતે રૌદ્ર ધ્યાનમાં વર્તતો તે રાત્રીમાં જ કંડરીક મૃત્યુ પામ્યો અને સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ઉત્પન્ન થયો. જ પુંડરીક રાજર્ષિએ તો પોતાની નગરીથી ચાલતાં જ અભિગ્રહ કર્યો કે, “ગુરુ પાસે જઈ વ્રત ગ્રહણ કરીશ પછી જ આહાર લઈશ." એવો અભિગ્રહ કરીને ચાલતાં માર્ગમાં ક્ષુધા, તૃષા વગેરે પરિષહ સહન કરવાં પડ્યાં. કોમળ દેહ છતાં પણ તે ખેદ પામ્યા નહીં. બે દિવસ છઠનો તપ થતાં ગુરુ પાસે પહોંચી ચારિત્ર લીધું. પછી ગુરુની આજ્ઞા લઈને પારણું કરવા માટે ગોચરી લેવા ગયા. તેમાં તુચ્છ અને લૂખો આહાર પામીને તેમને પ્રાણ તૃપ્તિ કરી. પરંતુ તેવો તુચ્છ આહાર પૂર્વે કોઈ વખત નહીં કરેલો હોવાથી તેમને અતિ તીવ્ર વેદના થઈ. તો પણ શુભ આરાધના કરીને પુંડરીક રાજર્ષિ મૃત્યુ પામ્યા અને સર્વાર્થ સિદ્ધિ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. તે વિષે જ્ઞાનીએ ભાખ્યું છે કે - "હજાર વર્ષ સુધી વિપુલ સંયમ પાળ્યા છતાં પણ જો અંતે ક્લિષ્ટ અધ્યવસાય થાય તો તે કંડરીકની જેમ સિદ્ધિ પદને પામતા નથી." અને "થોડો કાળ પણ ચારિત્ર ગ્રહણ કરીને જે યથાર્થ પાળે છે, તે પુંડરીક ઋષિની માફક પોતાનું કાર્ય સિદ્ધ કરે છે.” “એવી રીતે સમ્યક્ પ્રકારે ચારિત્ર પાળીને કેટલાક જીવો થોડા કાળમાં મોક્ષગતિને પામે છે, અને બીજા અતિચાર સહિત ઘણા કાળ સુધી ચારિત્ર પાળે છે તો પણ તેઓ સિદ્ધિ પદને પામતા નથી.” જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે; પીયે જુદા વાણી સુધા, તે કર્ણ યુગને ધન્ય છે, તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હ્રદયને નિત ધન્ય છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ C ૧૧૯ ભમ્મણ શેઠ રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને ચેલ્લણા નામે પટરાણી હતી. એક વખતે ચોમાસાની ઋતુમાં રાજા - રાણી ગોખમાં બેઠાં વરસતા વરસાદમાં રાત્રે વાતો કરતાં હતાં કે, મારા રાજ્યમાં કોઈ દુ:ખી નથી. એવામાં વીજળીના ઝબકારામાં રાણીએ એક માણસને નદીમાંથી તણાઈ આવતાં લાકડાં ખેંચી નાખતો જોઈ રાજાને કહ્યું કે, તમે કહો છો કે મારા રાજ્યમાં કોઈ દુ:ખી નથી. તો આ માણસ દુ:ખી ન હોય તો આવું કામ કેમ કરે ? રાજાએ સિપાઈ મોકલી તે માણસને તેડાવી પૂછ્યું, તારે શું દુ:ખ છે કે આવી અંધારી રાત્રે નદીમાંથી લાકડા ખેંચી કાઢે છે ? તેણે કહ્યું, મારી પાસે બે બળદ છે. તેમાં એક બળદનું શીંગડું અધૂરું છે. તે પૂરું કરવા ઉદ્યમ કરું છું. શ્રેણિકે કહ્યું કે, તને સારો બળદ અપાવી દઉં ? તેણે હ્યું, એક વાર મારા બળદને જુઓ પછી અપાવવાનું કહેજો. રાજાએ તેનું ઠેકાણું લખી કહ્યું કે, હું સવારે તારા બળદ જોવા આવીશ એમ કહી તેને વિદાય કર્યો. ૫૩ સવાર પડતાં રાજા તેના ઘેર ગયો. તેને ભોંયરામાં લઈ જઈ બળદ બતાવ્યા. તે બળદ નગદ સોનાના હીરામાણેકથી જડેલા જોઈ રાજા આશ્ચર્ય પામી કહેવા લાગ્યો, તારા ઘરમાં આટલી બધી સંપત્તિ છતાં તું આવા દરિદ્રના વેશે કેમ ફરે છે ? અને આવું હલકું કામ કેમ કરે છે ? તેણે કહ્યું, આ સંપત્તિ કાંઈ વધારે નથી. વધારે દ્રવ્ય મેળવવા માટે મારા પુત્રો પરદેશમાં ગયા છે. મને બીજું કામ ન સૂઝવાથી આ કામ કરું છું. બળદનાં શીંગડાં ઉપર રત્નો જડવા સંપત્તિ ભેગી કરવી જરૂરી છે. તે માટે આવા ઉદ્યમો કરું છું તેમાં શરમ શી ? માણસે કોઈ પણ ઉઘમ તો કરવો જ જોઈએ ને ? રાજાએ પૂછ્યું, તમારા ઉદ્યમ પ્રમાણે તમારો ખોરાક પ્રમાણમાં સારો હશે. તેણે કહ્યું, “હું તેલ ને ચોળા ખાઉં છું. બીજું અનાજ મને પચતું નથી. બીજાને સારું ખાતા જોઈ હું કચવાઉં છું કે ખાવાપીવામાં લોકો નાહકનો આટલો બધો ખર્ચ કેમ કરે છે ?" આ સાંભળી રાજાએ તેનું નામ પૂછ્યું. તેણે કહ્યું, "મારું નામ મમ્મણ શેઠ છે.” પછી રાજાએ મહેલમાં જઈ મમ્મણ શેઠની બધી હકીકત ચેલ્લણાને કહી બીજે દિવસે વીર પ્રભુને વાંદવા શ્રેણિક અને ચેલ્લણા ગયાં. મમ્મણ શેઠની હકીકત કહી પ્રભુને પૂછ્યું કે, મમ્મણ પાસે અઢળક દ્રવ્ય હોવા છતાં આવું હલકું Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૧૨૦ જીવન કેમ ગુજારે છે? પ્રભુએ કહ્યું, પૂર્વભવમાં તેના ઘરે કોઈ મુનિ મહારાજ વહોરવા આવતાં પ્રભાવનામાં મળેલ ઉત્તમ સુગંધી મોદક વહોરાવ્યો, પણ પછી કોઈના કહેવાથી જાયું કે તે તો બહુ સ્વાદિષ્ટ મોદક હતો. આ સાંભળી તે વહોરાવેલ મોદક પાછો લેવા ગયો. રસ્તામાં પશ્ચાત્તાપ કરતો વિચારતો ગયો કે, આવો સારો લાડુ નાહકનો મહારાજને વહોરાવી દીધો. મુનિ પાસે પહોંચી વહોરાવેલ લાડુ તેણે પાછો માગ્યો. મુનિએ કહ્યું, ધર્મલાભ આપીને લીધેલ પાછું અમે આપી શકીએ નહીં પણ તેણે જીદ કરી લાડુ પાછો મેળવવા પાત્રની ખેંચતાણ કરી. ખેંચાતાણીમાં મોદક નીચે પડેલ રેતીમાં પડ્યો અને રગદોળાઈ ગયો. મુનિએ ત્યાં જ નાનો ખાડો ખોદી જમીનમાં પરઠવી દીધો. આથી તે આપેલ દાનની નિંદા ને પશ્ચાતાપ કરવાથી ગાઢ ભોગાંતરાય ને ઉપભોગાંતરાય કર્મ બાંધી મમ્મણ શેઠ તરીકે ઉત્પન્ન થયો છે. તે નથી સારું ખાઈ શકતો કે મળેલ લક્ષ્મીનો ભોગવટો પણ કરી શકતો નથી. પછી દાન આપવાની તો વાત જ શી ? ખરેખર કૃપણનું ધન કાંકરા બરાબર છે. માયાની સજાય સમક્તિનું મૂલ જાણીયેજી, સત્ય વચન સાક્ષાત: સાચામાં સમક્તિ વસેજી, માયામાં મિથ્યાત રે, પ્રાણી મ કરીશ માયા લગાર. ૧ મુખ મીઠો જૂઠો મનેજી, ફૂડ કપટનો રે કોટ: જીભે નો જીજી કરેજી, ચિત્ત માંહે તાકે ચોટ રે. પ્રાણી-૨ આપ ગરજે આઘો પડે, પણ ન ધરે વિશ્વાસ; મનશું રાખે આંતરોજી, એ માયાનો વાસ રે. પ્રાણી૩ જેહશું બાંધ પ્રિતડીજી, તેહશું રહે પ્રતિકુલ: મેલ ન છેડે મન તણોજી, એ માયાનું મૂલ રે. પ્રાણી તપ કર્યું માયા કરીજી, મિત્રશું રાખો ભેદ; મલ્લિ જિનેશ્વર જાણોજી, તો પામ્યા સ્ત્રીવેદ રે. પ્રાણી ૫ ઉદયરતન કહે સાંભળોજી, મેલો માયાની બુદ્ધ, મુક્તિપુરી જાવા તણોજી, એ મારગ છે શુદ્ધ રે. પ્રાણી-૬ Page #146 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૨૧ | પુણીઓ શ્રાવક ૫૪. એક વખત વ્યાખ્યાન પૂરું થતાં ભગવાન મહાવીરને રાજા શ્રેણિકે પૂછ્યું, ભગવાન! મારે નરકનો બંધ છે તો મારી નરક ટળે એવો કોઈ ઉપાય બતાવો. પ્રભુએ રસ્તા બતાવ્યા એમાં એક રસ્તો એ બતાવ્યો કે, પુણીઆ શ્રાવક પાસે જઈ એના એક સામાયિકનું ફળ વેચાતું લઈ આવ. આ ફળ જો મળી જાય તો નરકે નહીં જવું પડે.” શ્રેણિક મહારાજને વાત સહેલી લાગી. તેણે પુણીઆ શ્રાવકને બોલાવી કહ્યું કે, તારા એક સામાયિકનું ફળ મને વેચાણ કરી આપ. તમો કહો તે કિંમત હું આપવા તૈયાર છું. બોલો તમારે કેટલી કિંમત જોઈએ છે?" પુણીઆ શ્રાવકે કહ્યું, “ના, ધાર્મિક ક્રિયાનું ફળ એ રીતે વેચી ન શકાય. અને એની શી કિંમત ગણાય. એનો મને ખ્યાલ નથી. પણ તમને જેણે આ સામાયિકનું ફળ વેચાતું લેવાનું કહ્યું હોય તેને જ તેની કિંમત પૂછો." મહારાજા શ્રેણિકે ભગવાન પાસે આવી શ્રાવકનો જવાબ સંભળાવ્યો અને વિનંતી કરી છે. આ શ્રાવકની સામાયિકની કિંમત કેટલી કહેવાય એ પ્રભુ મને કહો. ત્યારે ભગવાને જણાવ્યું કે, "તારું સમગ્ર રાજ્ય અને રુદ્ધિ આપીદે તો પણ તેની કિંમત ભરપાઈ થાય નહીં. ફક્ત તેની દલાલી ચૂકવી શકાય. કિંમત તો બાકી જ રહે." બીજી રીતે સમજાવતાં કહ્યું કે, કોઈ અશ્વ ખરીદ કરવા જાય, તેની લગામની કિંમત જેટલી તારી સમગ્ર રાજદ્ધિ ગણાય અને અશ્વની કિંમત તો બાકી જ રહે, તેમ આ પુણીઆ શ્રાવકનું સામાયિક અમૂલ્ય છે. તેની કિંમત આંકી શકાતી જ નથી. આ સાંભળી શ્રેણિક રાજા નિરાશ તો થયા પણ પુણી શ્રાવકની સામાયિકની પ્રશંસા કરવા લાગ્યા. હવે આ પુણીઆ શ્રાવકનું જીવન કેવું હતું તે જોઈએ : પણીઓ શ્રાવક પ્રભુ મહાવીરનો ખરેખરો ભક્ત હતો. વીરની વાણી સાંભળી તેને સર્વ પરગ્રહનો ત્યાગ કર્યો હતો. આજીવિકા ચલાવવાને રૂની પુણીઓ બનાવી વેચીને તેમાંથી મળતા બે આનાથીતે સંતોષ માનતો. લાભાંતરાયના ઉદયથી તેને વધારે કંઈ મળતું ન હતું. તે અને તેની સ્ત્રી બન્ને જણ સ્વામી વાચ્છળ કરવાના હેતુથી એકાંતરે ઉપવાસ કરતાં હતાં. બે જણની રસોઈ થતી તેથી બહારના એક જણને જમાડતાં. એક જણને ઉપવાસ કરવો Page #147 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૧૨૨ પડતો હતો. બન્ને સાથે બેસી સામાયિક કરતાં હતાં. પોતાની સ્થિતિથી સંતોષ માની સુખપૂર્વક બન્ને રહેતાં હતાં. એક દિવસ સામાયિકમાં ચિત્ત સ્થિર ન રહેવાથી શ્રાવકે પોતાની સ્ત્રીને પૂછ્યું, કેમ! આજે સામાયિકમાં ચિત્ત સ્થિર રહેતું નથી. તેનું શું કારણ? તું કંઈ અદત્ત કે અનીતિનું દ્રવ્ય લાવી છું? શ્રાવિકાએ વિચાર કરી કહ્યું કે, માર્ગમાં અડાણા-છાણા પડ્યા હતા તે લાવી હતી. બીજું કંઈ લાવી નથી ૫ણીઆ શ્રાવકે કહ્યું કે, રસ્તામાં પડેલ ચીજ આપણાથી કેમ લેવાય? તે તો રાજદ્રવ્ય ગણાય, માટે છાણાં પાછાં રસ્તા પર નાખી દેજો અને હવે પછી આવી કોઈ ચીજ રસ્તા પરથી લાવશો નહીં. આપણને અણહક્કનું કશું પણ ખપે નહીં. ધન્ય ૫ણીઓ શ્રાવક કે જેમાં ભગવાન મહાવીરે સ્વમુખે વખાણ કર્યા કન્યા વહાલપના સમંદર સમું મીઠું મહિયરિયું મૂકીને એ કુમળી કળી પારકે ઘેર ગઈ. પણ કિરતારે એના કાળજામાં અજબ સમર્પણ-કળા ભરી હતી. ઉકળતી દાળમાં પોતાનું સ્વત્વ ગુમાવી દઈને દાળનું સ્વામી મેળવનાર મીઠાની જેમ એ સહુની સાથે મીઠાશથી ભળી ગઈ. પરાયાંને પોતાનાં કર્યા. અજાણ્યાને આત્મીય બનાવ્યાં. સમર્પણ દ્વારા પિતાના કુળને દીપાવ્યું ને સેવા દ્વારા પતિના કુળને હસાવ્યું. ને એ રીતે સેવાની નદી સર્વત્ર વહાવી. સાસુ-સસરા, દિયરનણંદનાં હૈયામાંથી એણે માતા પિતા ને ભાઈ-બહેન-શા સ્નેહની સરવાણી પ્રગટાવી, સહુની વહાલસોયી બની ગઈ. પોતાનું સુખ વેગળું મૂકીને સૌનું સુખ વાંડ્યું. મહેણાં-ટોણા સહીનેય સૌને રાજી રાખ્યા....તો એને સાસુ-સસરાના સ્નેહનું શિરછત્ર સાંપડયું. સ્વામિની-હૃદયસ્વામિની બની ગઈ ને સંસારે એને કુળલમી" તરીકે બિરદાવી. | ને તેથી જ પ્રભુને પણ એની કૂખે બાળક બનીને અવતરવાનું મન થયું. કન્યાની જેમ સ્નેહની સરવાણી વહાવીએ. Page #148 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૨૩ સુદર્શન શેઠ ૫૫. સુદર્શન શેઠ પક્કા શીલસંપન્ન હોવાથી ખૂબ પંકાયા હતા. શીલનો આદર્શ રજૂ કરવાને માટે મુખ્યત્વે આ પુણ્યાત્માનું નામ લેવાય છે. જે પ્રસંગના યોગે શ્રી સુદર્શન આવી ઉત્તમમાં ઉત્તમ કોટિની નામના પામી શક્યા, તે પ્રસંગ સામાન્ય કોટિનો નથી. પહેલેથી છેલ્લે સુધી સુદર્શન શેઠે જેવી મક્કમતા દર્શાવી છે અને સદાચારના સેવનમાં જે લેશ પણ સ્કૂલના થવા દીધી નથી, તે જો બરાબર વિચારાય તો સમજાય કે ભૌતિક અનુકૂળતાનું અર્થીપણું ટળ્યા વિના આમ બનવું એ શક્ય જ નથી. અંગદેશની ચંપાપુરી નગરીના રાજા દધિવાહનને અભયા નામની પત્ની હતી. સુદર્શન શેઠ આ ચંપાપુરીમાં વસતા હતા. તેમને મનોરમા નામે પત્ની હતી. સુદર્શન શેઠને ચંપાનગરીના પુરોહિત સાથે ગાઢ મૈત્રી હતી. મિત્રાચારી એટલી ગાઢ હતી કે મોટે ભાગે પુરોહિત સુદર્શનની સાથે ને સાથે જ રહેતો. આ મૈત્રીના લીધે પુરોહિત પોતાના નિત્યકર્મને પણ કોક વાર ભૂલી જતો. પુરોહિતની આ હાલત જોઈને તેની પત્ની કપિલાએ એક વાર તેને પૂછ્યું, નિત્યકર્મને પણ ભૂલી જઈને તમે આટલો બધો વખત ક્યાં વિતાવો છો ? પુરોહિતે જણાવ્યું કે, હું બીજે ક્યાંય જતો નથી. પણ મારા પરમ મિત્ર સુદર્શનની પાસે જ હોઉં છું. કપિલાએ સુદર્શન કોણ છે? એમ પૂછ્યું તેના જવાબમાં પુરોહિતે જણાવ્યું કે, તે ઋષભદાસ શ્રેષ્ઠિનો પુત્ર છે. મહા બુદ્ધિશાળી અને રૂપમાં કામદેવ જેવો છે. સૂર્યસમો તેજસ્વી છે. તે મહાસાગર જેવો ગંભીર છે. એનામાં અનેક ગુણ છે. પણ એનો સદાચાર રૂપ શીલગુણ અદ્ભુત છે. એનું સદાચરણ લેશ પણ ખલનાને પામતું નથી" પુરોહિત ગુણાનુરાગી હતો. સુદર્શનના ગુણોથી મુગ્ધ બની ગયો તેણે કરેલી પ્રશંસાનું પરિણામ કપિલા માટે વિપરીત થયું. ગુણમાં અને રૂપમાં જેનો જોટો ન મળે એવો સુદર્શન છે. આવું સાંભળીને કપિલા કામવિવલ બની. કામાતુર બનેલી કપિલાએ સુદર્શનને પોતાની પાસે લાવવાની ઈચ્છા કરી. અને તે સુદર્શનની સાથે ભોગ ભોગવવા તલપાપડ બની પણ એ ઇચ્છા પૂરી કરવી એ કંઈ સહેલું કામ ન હતું. અચાનક રાજાના હુકમથી પુરોહિતને બહારગામ જવાનું થયું. Page #149 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હિરાઓ | ૧૨૪ કપિલા આ અવસરનો લાભ લેવા સીધી જ સુદર્શનને ઘેર આવી અને સુદર્શનને કહ્યું, "તમારા મિત્ર અત્યંત બીમાર થઈ ગયા છે અને આપને બોલાવે છે. માટે મારી સાથે મારા ઘરે તમારા મિત્રને મળવા ચાલો. ભોળા ભાવે સુદર્શને આ વાત સાચી માની. આમાં કાંઈ કપટ હશે? આવો વિચાર સુધ્ધાં તેને આવ્યો નહીં અને તે કપિલા સાથે ઘરે આવ્યા. મકાનમાં દાખલ થતાં જ પૂછ્યું, પુરોહિત ક્યાં છે? તેને ઘરમાં આગળ ને આગળ લઈ જઈ છેલ્લા ઓરડામાં પહોંચતાં કપિલાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો અને નિર્લજજ ચેનચાળા શરૂ કર્યા અને કીડની માગણી કરી. સુદર્શન સઘળી સ્થિતિ કળી ગયા અને કપટ-જાળમાંથી સહીસલામત બચવા ઉપાય વિચારવા લાગ્યા. સીધી રીતે સમજાવવાથી કપિલા માની જાય તેમ હતી નહીં. અને સમજાવવા જતાં જો તે ન સમજે અને ખોટો આરોપ પણ કરે. બૂમાબૂમ કરી લોકો ભેગા કરે તો બેઇજજતી થાય એમ સમજી હસીને સુદર્શને કહ્યું, અરે મૂર્ખ ! તેં મોટી ભૂલ કરી છે. જે કામને માટે તું મને અહીં લાવી છું, તે માટે હું તો નકામો છું. હું નપુસંક છું અને મારા પુરુષવેષથી તે છેતરાઈ છો ! - સુદર્શનનો જવાબ સાંભળી કપિલા ઠંડી થઈ ગઈ. તેનો કામાવેશ ગળી ગયો. કેટલી મહેનત અને કેવું પરિણામ! પોતાની મૂર્ખાઈના પરિણામથી તે વિવલ થઈ અને સુદર્શનને ધક્કો મારી ચાલ્યો જા એમ કહી ઘર બહાર કાઢી મૂક્યો. સુદર્શને વિચાર્યું, હું જુદું નથી બોલ્યો. પરસ્ત્રી માટે હું નપુંસક જ છું. તેઓ ઉતાવળે પગે પોતાના ઘરે આવ્યા. હવે પછી કદી આવું ન બને તે માટે કોઈના ઘરે ભવિષ્યમાં એકલા ન જવું એવી પ્રતિજ્ઞા કરી. હવે એક વાર ચંપાનગરીના દધિવાહન રાજાએ ઇન્દ્ર મહોત્સવ યોજ્યો, ત્યાં મહારાણી અયાની સાથે પુરોહિત -પત્ની કપિલા પણ હતી, ત્યાં એક બાજુ સુદર્શન શેઠની પત્ની મનોરમા પણ પોતાના છ પુત્રો સાથે મહોત્સવમાં ભાગ લઈ રહી હતી તે જોઈ કપિલાએ મહારાણી અભયાને પૂછ્યું, આ રૂપલાવણ્યના ભંડાર સમી બાઈ કોણ છે? અભયાએ કહ્યું, અરે, તું આને ઓળખતી નથી ? એ શેઠ સુદર્શનની પત્ની છે અને તેની સાથે છે તે તેના છ દીકરા છે. આ સાંભળી કપિલાને આશ્ચર્ય થયું ! જો આ સુદર્શનની ગૃહિણી હોય તો તો તે ઘણી જ કુશળ સ્ત્રી છે. એમ કહેવું પડે. રાણી અભયાએ પૂછ્યું, કઈ કુશળતા? કપિલાએ કહ્યું, એ જ કે, એ એટલા બધા પુત્રોની માતા છે? રાણી કાંઈ જાણતી ન હતી, એટલે સમજી શકી નહિ. એટલે કહ્યું, જે સ્ત્રી સ્વાધીન પતિકા છે તે આવા રૂપવાન ને આટલા પુત્રોની માતા બને તો તેમાં કુશળતા શી છે.? કપિલાએ જણાવ્યું કે, દેવી! તમારી વાત સાચી પણ એ તો ત્યારે બને કે જ્યારે પતિ પુરુષ હોય, સુદર્શન તો પુરુષના વેશમાં નપુંસક છે. અભયાએ પૂછ્યું, તેં શી રીતે જાણું ? Page #150 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૨૫ રાણીના પૂછવાથી કપિલાએ પોતે સુદર્શન સાથે સંબંધ કરવા પોતે અનુભવેલી વાત અથથી ઇતિ સુધી કહી સંભળાવી રાણીએ કહ્યું, 'તારી સાથે આમ બન્યું? જો તું કહે છે એમ ખરેખર બન્યું હોય તો તું છેતરાઈ છો ! સુદર્શન બંડળ છે એ વાત પરસ્ત્રી માટે, સ્વસ્ત્રી માટે તો ભરપૂર પુરુષત્વવાળો તે છે. આ સાંભળી કપિલાને અત્યંત ખેદ થયો. એના હૈયામાં ઈર્ષા જન્મી અને એણે અભયાને જણાવ્યું, હું તો મૂઢ છું તે છેતરાઈ પણ તમે તો બુદ્ધિવાળાં છો. તમારામાં એવી આવડત હોય તો અજમાવો અને સુદર્શન સાથે ભોગ ભોગવો. અભયાએ ગર્વથી કહ્યું, મુગ્ધ ! રાગથી જો મેં હાથ પકડ્યો હોય તો પથ્થર પણ પીગળી જાય તો પછી સંજ્ઞાવાળા પુરુષને માટે તો કહેવાનું જ શું હોય? ચાલાક રમણીઓએ તો કઠોર વનવાસીઓને અને તપસ્વીઓને પણ ફસાવ્યા છે તો આ તો મૂદુ મનવાળો ગૃહસ્થ છે. ઈર્ષાથી સળગતી કપિલાએ કહ્યું, દેવી! એવો ગર્વ ન કરો! જો એવો ફાંકો જ હોય તો સુદર્શન સાથે રમો. કપિલાના આવા કથનથી અભયાનો ગર્વ વધી પડ્યો. એણે કહ્યું, 'એમ છે! તો તું સમજી લે કે હું સુદર્શનની સાથે રમી જ ચૂકી.' આટલું કહીને અહંકારના આવેશમાં ભાન ભૂલીને અભયાએ પ્રતિજ્ઞા કરી, સુદર્શનની સાથે જો હું રતિક્રીડાન કરું અને જો હું તેને ફસાવી શકું નહીં તો હું અગ્નિમાં પ્રવેશ કરીશ.' રાણી અભયાએ પોતાના મહેલે આવી પોતાની આ કારમી પ્રતિજ્ઞાની વાત પોતાની પાસે રહેતી પંડિતા નામની ધાવમાતાને કરી ધાવમાતાએ તેને કહ્યું, તેં ઠીક કર્યું નહીંતને મહાન આત્માઓની પૈર્યશક્તિની ખબર નથી. સાધારણ શ્રાવક પણ પરવારીનો ત્યાગી હોય છે તો આ તો મહાસત્ત શિરોમણી શ્રાવક એવા સુદર્શન માટે તો તારી ધારણા મુજબ બનવું લગભગ અશક્ય છે. પણ ગર્વિષ્ઠ અભયા એમ સમજે એવી નહોતી તેણે કહ્યું, ગમે તેમ કરી સુદર્શનને એક વખત યેનકેન પ્રકારે મારા આવાસમાં લઈ આવ પછી બધું હું સંભાળી લઈશ. પંડિતા આખર તો એક નોકરાણી જ અને એથી તેની તાબેદાર જ હતી. પંડિતાએ કહ્યું, મને એક જ રસ્તો ઠીક લાગે છે. તેને સમજાવી ફોસલાવી અહીંનહીં લાવી શકાય. ફક્ત એ જ્યારે પર્વના દિવસે શૂન્ય ઘર આદિમાં કાયોત્સર્ગ કરે છે, તે વખતે તેને ઉપાડી લાવવા જોઈએ. બાકી બીજો ઉપાય દેખાતો નથી. રાણીએ પણ જણાવ્યું, એ ઠીક છે, તું એમ કરજે ! શહેરમાં કૌમુદી મહોત્સવનો સમય આવ્યો. આ મહોત્સવ જોવા નગરના પ્રત્યેક જને આવવું એવું રાજ્યનું ફરમાન નીકળ્યું. તે દિવસે ધાર્મિક પર્વ હોવાથી સુદર્શન શેઠે રાજા પાસે Page #151 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૨૬ જઈ ધર્મ આરાધના કરવાની હોવાથી પોતે નગરમાં રોકાવાની આજ્ઞા માગી લીધી. આથી નગરમાં એક એકાંત સ્થળે પૌષધ વ્રત લઈને કાયોત્સર્ગમાં સ્થિર રહ્યા. અભયારાણી અને ધાવમાતા પંડિતા આવા જ કોઈ અવસરની રાહ જોઈ રહ્યાં હતાં. તેઓને ખબર પડી ગઈ કે સુદર્શન શેઠ કૌમુદી મહોત્સવ જોવા જવાના નથી. નગરમાં જ રોકાઈ કાયોત્સર્ગમાં હશે. અભયા પાસે પંડિતાએ આવી કહ્યું, 'તારા મનોરથો આજે કદાચ પુરાશે માટે તું ઉદ્યાનમાં કૌમુદી મહોત્સવ જોવા જઈશ નહીં. આવી ગણત્રીથી રાણી પણ પોતાને શિરવેદના થાય છે એવું બહાનું કાઢી મહોત્સવમાં ન ગઈ. ભોળા ભાવે રાજાજી સમજયા કે એમ હશે એટલે રાણીને આવાસમાં જ રાખી તેઓ મહોત્સવમાં ભાગ લેવા ગયા. હવે ધાવમાતાએ પોતાનો દાવ અજમાવ્યો. રાજમહેલમાં કેટલીક મૂર્તિઓ ાંકીને લાવવાની છે એમ કહી કેટલીક મૂર્તિઓ પહેલાં ઢાંકીને સેવકો દ્વારા ઉપડાવી લીધી અને કાયોત્સર્ગમાં રહેલા સુદર્શન શેઠને આખા કપડાથી ઢાંકી સેવકો દ્વારા ઉપડાવી રાણીના આવાસમાં લાવી મૂક્યા. સુદર્શન શેઠ તો કાયોત્સર્ગમાં હોવાથી સેવકોને તો અનુકૂળતા મળી ગઈ. સુદર્શનને લાવ્યા બાદ પંડિતા ત્યાંથી ચાલી ગઈ અને અભયાએ પોતાની નિર્લજ્જતા પ્રકાશવા માંડી. પહેલાં તો વિનંતી કરી પછી સમજાવવાનો પ્રયત્ન કર્યો અને છેવટે અંગસ્પર્શ કરવો, ભેટવું વગેરે પણ કરી જોયું, પણ સુદર્શનના એક રોમમાં પણ તેની અસર ન થઈ. મેરુની જેમ તેઓ નિશ્ચિલ રહ્યા. જેમ જડ પૂતળાને કશી અસર ન થાય તેમ સુદર્શન ઉપર અભયાની કામચેષ્ટાની કશી જ અસર ન થઈ તેઓ નિર્વિકાર રહ્યા. રાણી અભયાએ જ્યાં અંગસ્પર્શોદિ જેવી ભયંકર કુટલિતા આદરી એટલે સુદર્શને મનથી પ્રતિજ્ઞા કરી કે, ‘જ્યાં સુધી આ ઉપસર્ગ ટળે નહીં ત્યાં સુધી મારે કાયોત્સર્ગ જ હો અને કાયોત્સર્ગ ન ટળે તો મારે અનશન હો. આ પ્રતિજ્ઞા સમતાપૂર્વક પાળવા સુદર્શન ધર્મ-ધ્યાનમાં સુસ્થિર બન્યા. આ બાજુ આખી રાત અભયાની કનડગત તો ચાલુ જ રહી. જ્યારે આવ ઉપસર્ગોથી સુદર્શન જરાયે ચલિત ન થયા ત્યારે અભયાએ ધમકીઓ આપવા માંડી અને સાફ શબ્દોમાં કહી દીધું, 'કાં તો મને વશ થા, નહીં તો યમને વશ થવું પડશે, મારી અવગણના ન કર, મને વશ ન થયો અને મારી ઇચ્છા પૂરી ન કરી તો સમજ કે હવે તારું મોત થવાનું છે. સુદર્શન જીવતરને વહાલું કરી સદાચાર મૂકી દેવા તૈયાર ન હતા. અસાધારણ મક્કમ મન કરી આખી રાત અભયા દ્રારા થતા ઉપસર્ગો સહન કર્યા. પરોઢિયું થવા આવ્યું, પણ અભયાની કોઈ કારી ન ફાવી, એટલે તે ગભરાણી. ઘણી વિચારણાને અંતે હવે સુદર્શન ઉપ Page #152 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૨૭ આળ મૂકવાનો વિચાર કર્યો. સુદર્શનને કલંકિત ઠરાવવા તેણે પોતાની જાતે પોતાના શરીર ઉપર વલૂરા ભર્યા અને બચાવો બચાવો મારી ઉપર કોઈ બળાત્કાર કરવા આવ્યો છે તેવી બૂમો મારવા લાગી. આ બૂમો સાંભળી કેટલાકનકરો ત્યાં આવી, સુદર્શન શેઠને કાયોત્સર્ગ મુદ્રામાં જોઈ આ સંભવે નહીં એમ માની ખુદ રાજાને બોલાવી લાવ્યા. રાજાએ આવી અભયાને પૂછ્યું, અભયાએ કહ્યું, “હું અહીં બેઠી હતી એટલામાં પિશાચ જેવા આને અકસ્માત અહીં આવેલો મેં જોયો. પાડાની જેમ ઉન્મત્ત બનેલા આ કાવ્યસની એવા આ પાપીએ કામક્રિડા માટે, અનેક પ્રકારે નમ્રતાભરી મને આજીજી કરી, પણ મેં એને ધુત્કારી કાઢ્યો. તું અસતીની જેમ સતીને ઇચ્છનહિ પણ મારું કહ્યું એણે માન્યું નહિ અને બળાત્કારથી તેણે મને આમ કર્યું." આ પ્રમાણે કહીને તેણે પેલાં વલૂરા બતાવ્યાં અને છેવટે કહ્યું, એથી મેં બૂમો પાડી, અબળા બીજું કરે પણ શું?' રાણીએ આ પ્રમાણે કહ્યા છતાં પણ રાજાને વિચાર થયો કે, સુદર્શન માટે આ સંભવે નહિ. સુદર્શનને અન્તઃપુરમાં ઊભેલા જોયા અને ખુદ પોતાની પટરાણીએ આરોપ મૂક્યો, જુલમ ગુજાર્યો હોય તેવાં ચિહનો પણ રાજાએ જોયાં. આવા દાર્શનિક પુરાવા હોવા છતાં રાજાએ વિચાર્યું કે, 'સુદર્શન માટે આ સંભવિત નથી! સુદર્શનની નામના શીલધર્મિતા અને તેની પ્રતિષ્ઠાએ ચંપાનગરીના માલિક દધીવાહનને વિચારતા કરી મૂક્યો. રાણીની હાજરીમાં રાજાએ સુદર્શનને પૂછ્યું, જે હોય તે સાચું કહો!આમાં સત્ય શું છે?' સુદર્શન તો કાયોત્સર્ગમાં જ સ્થિર હતા. રાજાએ ફરી ફરી પૂછ્યું પણ સુદર્શન મૌન રહ્યા. તેઓ સમજતા હતા કે, હું બિનગુનેગાર છું પણ જો હું સાચી હકીકત કહું તો રાણીનું શું થશે?' જે આપત્તિ મને ઈષ્ટ નથી તે રાણી ઉપર આવે. રાણીનો ફજેતો થાય અને કદાચ એને શૂળીએ લટકવું પડે. હવે મૌન જ રહે તો આ આપત્તિ પોતાને વેઠવી પડે એમ છે અને બોલે તો એ આપત્તિ રાણીને વેઠવી પડે એમ છે. સુદર્શને વિચાર્યું કે મારો ધર્મ શું? અહિંસા પાલન, એ સદાચાર છે અને હિંસા અનાચાર છે. અહિંસા પાલનરૂપ સદાચારને જાળવવાની સદાચારી તરીકે એની ફરજ આ અવસરે ઊભી હતી ગમે તે થાય મક્કમ રહી મૌન જ રહેવાનો નિશ્ચય કરી લીધો, સમજી લીધું કે ફક્ત પોતાની ફજેતી જ નથી પણ શૂળીનો સંભવ છે. શીલરક્ષા માટે અભયાની કનડગત સરી અને હવે દયાપાલન માટે જ આફત આવે તે સહવા સુદર્શન તૈયાર થયા. વારંવાર પૂછવા છતાં સુદર્શન મૌન જ રહ્યા ત્યારે રાજાએ વિચાર્યું કે, સંભવ છે કે સુદર્શન દોષિત હોય. કારણ Page #153 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૨૮ કે, મૌન એ વ્યાભિચારીઓનું અને ચોરોનું એક લક્ષણ છે. આથી રાજા બ્રેધાધીન થયો અને સુદર્શનનો વધ કરવાની તેના માણસોને આજ્ઞા ફરમાવી. સુદર્શનને આવી સજા કરવામાં આવે તેથી નગરમાં, લોકોમાં ઉશ્કેરાટ થાય. સદાચારી ગણાતા સુદર્શનને આવી સજા સાધારણ રીતે નગરજનો સહન ન કરેતેથી પહેલાં સુદર્શનને ગામમાં ફેરવી એના દોષની જાહેરાત કરી પછી જ એનો વધ કરવો એવી રાજાએ આજ્ઞા ફરમાવી રાજાની આજ્ઞા મુજબ રાજસેવકો સુદર્શનને પકડી મોઢા ઉપર મેંશ ચોપડી અને શરીરને લાલ ગેનો લેપ કર્યો. ગળામાં વિચિત્ર પ્રકારની માળા પહેરાવી પછી એને ગધેડા ઉપર બેસાડી માથે સૂપડાનું છત્ર ધર્યું અને આગળ ફૂટેલું ઢોલ પીટતાં પીટતાં સુદર્શનને ગામમાં ફેરવવા માંડ્યા અને ઉદ્દઘોષણા કરતાં કરતાં કહેતા હતા કે, સુદર્શને રાણીવાસમાં ગુનો કર્યો છે, માટે તેનો વધ કરવામાં આવે છે. રાજઆજ્ઞા છે, પણ એમાં રાજાનો દોષ નથી આટલું આટલું થવા છતાં સુદર્શન તો પોતાના ધ્યાનમાં પૂર્વવત્ સ્થિર જ રહ્યા. પોતે સર્વથા નિર્દોષ હોવા છતાં, કેવળ સદાચારની રક્ષા ખાતર આવી આફતનું ભોગ થવું પડ્યું. પોતાના ઉપર દુરાચારીનું કલંક આવે એમાં પૂર્વકાલીન અશુભોદય આવ્યો હોય તો જ બને. નિર્દોષ હોવા છતાં દોષિત કરીને તે માટેની શિક્ષા ખમવાનો વખત આવી લાગ્યો. સુદર્શનને આમ ગામમાં ફેરવતાં ફેરવતાં તેમના ઘર આગળ તેમને લાવ્યા. તેની સ્ત્રી મહાસતી મનોરમાએ આ બધું જોયું, સાંભળ્યું અને વિચાર્યું. મારા પતિ સદાચારી છે. મારા પતિ આવું કામ કરે જ નહીં. ખરેખર પૂર્વના અશુભ કર્મનું જ ફળ ઉપસ્થિત થયું છે. તેણે મનોમન નિશ્ચય કર્યો કે, જ્યાં સુધી મારા પતિ ઉપર આવેલી આ આફત ટળે નહીં ત્યાં સુધી કાયોત્સર્ગમાં રહેવું અને અનસન કરવું. મહાસતી મનોરમાની આ દ્રઢ પ્રતિજ્ઞા અને સુદર્શન શેઠનું પવિત્ર શીલ આખરે જ્ય પામ્યાં. અસત્યનાં ગાઢ આવરણો ભેદાયાં. રાજાના નોકરોએ સુદર્શન શેઠને શૂળી ઉપર ચડાવતાં શૂળી તૂટી ગઈ અને આશ્ચર્ય સાથે એક સોનાના સિંહાસન ઉપર દેખાયા અને સુદર્શન શ્રેષ્ઠીનો જયજયકાર થયો. શાસન દેવતાએ આ અવસરે રાણીની પોલ ખુલ્લી પાડી દઈને રહસ્યનો ઘટસ્ફોટ કર્યો. રાણી પરદેશ પલાયન થઈ ગઈ. રાજાએ શેઠને આદર સહ નમસ્કાર કર્યા અને આ અપરાધ બદલ માફી માગી. બન્નેએ એકબીજાને ખમાવ્યા. અનુક્રમે સંયમ લઈને સુદર્શન શેઠ કેવળજ્ઞાન પામી મુક્તિપુરીમાં પહોંચ્યા. Page #154 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૨૯ | શ્રી હરિભદ્રસૂરિ ચિત્રકૂટના મહારાજના પુરોહિતનો ગૌરવવંતો મોભો, દર્શન શાસ્ત્રની અગાધ વિદ્રતા હોવા છતાં બાળક જેવી સરળતાથી હરિભદ્રમાં રહેલું આ વ્યક્તિત્વ ભલભલા પંડિતોને અકળાવી મૂકતું. નાના-નવા વિદ્યાર્થી જેવો જિજ્ઞાસુભાવ તેમનામાં ભરેલો હતો. નવું જાણવું, સાંભળવું અને સમજવું આ માટે હરિભદ્ર હંમેશાં ઉત્સુક રહેતા. કુલ અને વંશપરંપરાગત મિથ્યા શાસ્ત્રોનો વારસો હરિભદ્ર પુરોહિતને સ્વાભાવિકપણે મળેલો હતો. આથી જૈન શાસ્ત્રો, જૈન દર્શન કે તેનાં પવિત્ર ધર્મસ્થાનો પ્રત્યે તેમણે સહેજે અરુચિભાવ હતો. જો બની શકે તો આ બધાથી દૂર રહેવાને તેઓ ટેવાયેલા હતા. એક બપોરે ખાસ કારણસર રાજદરબારમાં જવાનો અવસર આવ્યો. રસ્તેથી, પસાર થતાં તે પંડિતની પાછળ ભાગો, નાસો, ગાંડો હાથી દોડતો આવે છેની બૂમો સાંભળીને હરિભદ્ર પંડિતે પાછું વાળીને જોયું અને ત્યારે તો જાણે સાક્ષાત્ મૃત્યુ ધસી આવતું હોય તેવો રાજહસ્તી મદોન્મત્ત બનીને જે અડફેટમાં આવે એને પછાડતો અને ઘનઘોર ગર્જનાઓ કરતો ઘેડ્યો આવતો હતો. પંડિતજી અકળાયા, શું કરવું? એની ક્ષણભર મૂંઝવણમાં મુકાયા. રસ્તો નાનો હતો. દોડીને આગળ જવામાં ભયંકર તકલીફ હતી તેથી બાજુના મકાનમાં તેઓ ઘૂસી ગયા. પંડિતજીએ અંદર જઈ જોયું તો તે મકાન સાદું મકાન ન હતું, પણ સુંદર જિન મંદિર હતું. શ્રી વીતરાગ અરિહંત દેવની ભવ્ય મૂર્તિ સામે બિરાજમાન હતી. પણ પેલી કુળ પરંપરાગત અરુચિ હૃદયમાં ભારોભાર ભરેલી હતી. તે શ્રી જિનેશ્વર દેવની સ્તુતિ કરતાં તેઓના હૃદયમાં સદભાવ ન જાગ્યો અને સ્તુતિ કરતાં બોલ્યા: વપુરેવ તવાચણે સ્પષ્ટ મિગ્રન ભોજન Page #155 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૩૦ વાહ, તારું શરીર જ સ્પષ્ટ કહી આપે છે કે, તું મિષ્ટાન્ન આરોગે છે. શ્રી તીર્થંકર દેવ - જૈનોના દેવની મશ્કરી કરવામાં અત્યારે હરિભદ્ર પંડિતને રસ પડ્યો. થોડા વખતમાં હાથી ત્યાંથી પસાર થઈ ગયો. ભય હતો તે દૂર થઈ ગયો, એટલે પંડિત પોતાના ઘરે આવી ગયા. હજુ જગતમાં ઘણું જાણવા જેવું છે તેવું તેમને લાગ્યા કરતું. પોતાના જ્ઞાનનો ગર્વ હોવા છતાં કોઈ નવું બતાવનાર મળે કે જે પોતે સમજી ન શકે તો તેનાં ચરણોમાં આળોટવાની સહાયતા આ રાજપુરોહિતમાં અપૂર્વ હતી. તેમણે એક દિવસ પ્રતિજ્ઞા કરી, જે કોઈની પાસેથી હું ન સમજી શકું એવું નવું જાણવાનું મળે, તેનો હું શિથ થઈને રહું. ઘણાને આ પ્રતિજ્ઞા એ હરિભદ્રનો ઘમંડ લાગતો. પણ આ પ્રતિજ્ઞા મનોમન કરનારા પંડિતજીના આત્મામાં ઘમંડ કે ગર્વ ન હતાં, પણ સહજ બાળક જેવી સરળતા હતી. એક મોડી સાંજે રાજકાજથી પરવારી પંડિત હરિભદ્ર ઘર તરફ ઉતાવળા જઈ રહ્યા હતા. અચનાક એમના કાનમાં કંઈક મધુર શબ્દો અથવવા લાગ્યા. સ્વર સ્ત્રીનો હતો. શબ્દો તદૃન અપિરિચિત હતા. રસ્તા પરના મકાનની બારીમાંથી આવતા એ શબ્દો હરિભદ્ર પુરોહિતે ધ્યાનપૂર્વક સાંભળ્યા. ચક્કી દુર્ગ હરિપળગે પળગે ચક્કિણ કેસો ચક્કી કેસવો ચ%િ કેસવ દુ ચક્કિ કેસીઅ ચક્કિ હરિભદ્રને આ ગાથા નવી લાગી. એમાં રહેલાં ચક, ચક શબ્દો પંડિતને ન સમજાયા. ઘરે જવાની ઉતાવળ હોવા છતાં જિજ્ઞાસુભાવ ઉત્કટ બન્યો. તેઓ મકાનમાં ગયા જૈન સાધ્વીઓનો એ આવાસ હતો. સાધ્વીજીઓ સ્વાધ્યાય આદિ ધાર્મિક પ્રવૃત્તિઓમાં મગ્ન હતાં. પેલી ગાથા બોલનારાં સાધ્વીજીની પાસે જઈ તેમણે વિનયપૂર્વક પૂછ્યું, માતાજી! આ ચાક-ચીક શું છે? આ ગાથા સમજાતી નથી. કૃપયા આનો અર્થ સમજાવો. વયમાં કાંઈક પૌઢ એવાં તે યાકિની મહત્તા સાધ્વીજીએ જવાબ આપ્યો : ભાઈ, આ રાત્રીના અવસરે અમે કોઈ પુરુષની સાથે વાત કરી શકીએ નહીં. અમારી એ છે. એનું પાલન અમારા માટે ઉચિત ને હિતકારી છે! ઉપદેશ આપવાનું કામ Page #156 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૩૧ અમારા આચાર્ય મહારાજનું છે. તેઓ તમને આ ગાથાનો અર્થ સમજાવશે.' સાધ્વીજીના મુખથી ધીર ગંભીર શૈલીએ કહેવાયેલી આ વાત હરિભદ્રને ગળે ઊતરી ગઈ. આચાર્ય મહારાજનું સ્થાન જાણીને પુરોહિત ત્યાં ગયા. વંદન કરી, બહુમાનપૂર્વક જૈનાચાર્ય શ્રી જિનભદ્રસૂરિ મહારાજીશ્રીની પાસે તે બેઠા. અત્યાર સુધી જૈન શ્રમણોથી દૂર રહેનાર હરિભદ્ર પંડિતને જૈન શ્રમણોના વાતવરણમાં રહેલી પવિત્રતા, વિદ્વત્તા તથા ઉદારતાનાં પહેલ-વહેલાં ત્યાં દર્શન થયાં. તેઓનું નિર્મળ હૃદય ત્યાં ઝૂકી પડ્યું. સહજ જિજ્ઞાસાથી પૂછ્યું, ‘ભગવન્ ! માતાજીના મુખેથી જે ગાથા સાંભળી તેનો અર્થ કૃપયા સમજાવો.' જવાબમાં આચાર્ય મહારાજે જૈનશાસ્ત્ર મુજબ કાળનું અવસર્પિણી - ઉત્સર્પિણી ઇત્યાદિનું સ્વરૂપ વિસ્તારથી હરિભદ્રને સમજાવ્યું, `એક અવસર્પિણીમાં ક્રમવાર બે ચક્વર્તી, પાંચ વાસુદેવ, પાંચ ચક્વર્તી, એક વાસુદેવ, એક ચક્વર્તી, એક વાસુદેવ, એક ચર્તી, એક વાસુદેવ, બે ચક્વર્તી, એક વાસુદેવ, એક ચક્વર્તી, આ રીતે ઉત્સર્પિણી કાળમાં પણ બાર ચક્વર્તી તથા નવ વાસુદેવ થાય છે. જૈન સિદ્ધાંતોમાં રહેલા કાળ આદિના આવા સુસંવાદી સ્વરૂપને સાંભળ્યાસમજ્યા પછીથી હરિભદ્રનો પોતાના જ્ઞાનનો ગર્વ ઓગળી ગયો. તેમની સરળતા જીતી ગઈ. જૈન દર્શનશાસ્ત્રોનું અધ્યયન કરવાની તેમને તાલાવેલી લાગી. તેઓએ પોતાની પ્રતિજ્ઞાનું પાલન આદર્યું. આચાર્ય મહારાજ પાસે તેમણે જૈન દીક્ષા સ્વીકારી શ્રી જિન મંદિરમાં બિરાજમાન શ્રી વીતરાગ પરમાત્માની ભવ્ય મૂર્તિ જોતાં જ તેમને નવી ષ્ટિ લાધી, મિથ્યાત્વનો અંચળો દૂર થયો. તેઓ સહસા હ્રદયના બહુમાન ભાવે બોલી ઊઠ્યા : વપુરેવ તવાચષ્ટે ભગવન્ વીતરાગતામ્ હે ભગવન્ ! તમારી આકૃતિ જ કહી આપે છે કે તમે રાગાદિ દોષોથી દૂર એવી વીતરાગ દશાના સાક્ષાત્ સ્વરૂપ છો. દીક્ષાકાળમાં તેઓએ જૈન આગમોનો અભ્યાસ કર્યો. જેમ જેમ અભ્યાસ વધતો ગયો, તેમ તેમ સાધુશ્રી હરિભદ્રના અંતરમાં દિવ્ય ષ્ટિનું તેજ પ્રગટવા માંડ્યું. સંસાર માત્રના તારક તરીકે જૈન આગમોની ઉપકારકતા તેઓને સમજાઈ. Page #157 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૩૨ શ્રી જિનેશ્વરદેવની સ્તવના કરતાં તેઓનો આત્મા અંદરની બોલી ઊઠ્યો : હે ત્રિલોકનાથ ! દુષમકાળના મિથ્યાત્વ આદિ દોષોથી દૂષિત અમારા જેવા અનાથ આત્માઓને જો તારાં આગમો ન મળ્યાં હોત તો અમારું શું થાત ?' તેમણે ધર્મ ગ્રંથોની રચના કરવા માંડી. તેઓ આચાર્ય બન્યા છતાં સર્વ પ્રથમ માર્ગદર્શક બનીને જેણે નવી ગાથાનું શ્રવણ કરાવ્યું, તે યાકિની સાધ્વીજીને તેઓ પોતાનાં ધર્મ માતા તરીકે કદી ન ભૂલ્યા. અને તેથી તેઓ જૈન શાસનમાં યાકિની ધર્મપુત્ર તરીકે પ્રસિદ્ધ બન્યા. જીવન દરમ્યાન તેમણે મહાન ગ્રંથો રચ્યા છે. જેમાં શ્રી નન્દીસૂત્ર, અનુયોગ તરસૂત્ર આવશ્યકસૂત્ર, આદિ આગમો ઉપર વિશદ ટીકાઓ રચેલી છે. તથા દર્શન સમુચ્ચય. શાસ્ત્રવાર્તા સમુચ્ચય, લલિત વિસ્તરા નામની ચૈત્યવંદન સૂત્રવૃત્તિ, પંચાશક, યોગબિંદુ, યોગવિશિંકા, ધર્મ બિંદુ આદિ તેમના ગ્રંથો પ્રસિદ્ધ છે. તેમનું સાહિત્ય વિવિધ મૌલિક અને ઊંડા ચિંતનવાળું છે. તેમણે ૧૪૪૪ ગ્રંથોની રચના કરી હતી. તેમાં ૧૪૪૦ ગ્રંથો રચાઈ ગયા હતા, પણ ચાર ગ્રંથો બાકી હતા. તે વખતે તેમણે ચાર ગ્રંથના સ્થાને સંસાર દાવાનલ શબ્દથી શરૂ થતી ચાર સ્તુતિ બનાવી, તેમાં ચોથી શ્રુતિદેવીની સ્તુતિનું પ્રથમ ચરણ રચાયું અને તેમની બોલવાની શક્તિ બંધ થઈ ગઈ. તેથી બાકીની ત્રણ ચરણરૂપ સ્તુતિ તેમના હૃદયના ભાવ મુજબ શ્રી સંઘે રચી ત્યારથી તે ત્રણ ચરણ શ્રી સંઘ દ્વારા ઝિંકારા રાવ સારસ પકખી અને સંવત્સરી પ્રતિક્રમણમાં ઉચ્ચ સ્વરે બોલાય છે. ' ' ' ગુરચરનન કી મોરી લાગી લટક ગુરૂચરનનકી ચરન બિના મોહે કછુ નહીં ભાવે જૂઠી માયા સબ સપનની. ૦ મોરી ભવસાગર અબ સુક ગયા છે ફિકર નહીં મુજે તરનાક. ૦ મોરી મીરાં કહે પ્રભુ ગિરધરનગરઉલટ ભઈ મોરે નયનન. ૦ મોરી Page #158 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૩૩ શ્રી નાગિલ ભોજપુર નગરમાં લક્ષણ નામે એક ધાર્મિક વણિક રહેતો હતો. તેને નવ તત્ત્વને જાણનારી નંદા નામે પુત્રી હતી. લક્ષણ પુત્રી માટે વરની શોધમાં હતો. આ માટે પિતાને એક દિ નંદાએ જણાવ્યું કે, "હે પિતાજી ! જે પુરુષ કાજળ વગરનો, વાટથી રહિત તેલના વ્યય વિનાનો અને ચંચળપણા રહિત દીવાને ધારણ કરે તે મારો પિત થાઓ.” પુત્રીનું આ વચન સાંભળી તેની દુષ્કર પ્રતિજ્ઞા જાણીને ચિંતાતુર થયેલા લક્ષણ શેઠે તે વાર્તાની નગરમાં ઉદ્ઘોષણા કરી. આ વાત એક નાગિલ નામના એક જુગારીએ સાંભળી એટલે કોઈ યક્ષની સહાયથી તેણે એવો દીપક કરાવ્યો, જે નજરે જોઈ લક્ષણ શ્રેષ્ઠિ હર્ષ પામ્યો અને પોતાની પુત્રી નંદાને નાગિલ સાથે પરણાવી. નંદા પોતાના પતિને વ્યસન આસક્ત જાણી ઘણી કચવાવા લાગી, પણ નાગિલે કોઈ વ્યસન છોડ્યું નહીં, તેથી હંમેશાં દ્રવ્યનો વ્યય થતો ગયો. લક્ષણ શેઠ પુત્રીના સ્નેહને લીધે દ્રવ્ય આપે જતો હતો અને નંદા પતિની સાથે મન વિના પણ સ્નેહ રાખતી હતી. ૫૭. એક વખત નાગિલને એવો વિચાર આવ્યો કે, 'અહો ! આ સ્ત્રી કેવી ગંભીર મનની છે કે હું મોટો અપરાધી છતાં મારી ઉપર રોષ કરતી નથી.' આવા વિચારથી નાગિલે એકદા કોઈ જ્ઞાની મુનિને ભક્તિપૂર્વક પૂછ્યું કે, હે મહામુનિ ! આ મારી પ્રિયા શુદ્ધ આશયવાળી છતાં પણ મારી ઉપર મન ધરતી નથી, તેનું શું કારણ ? મુનિએ તે નાગિલને યોગ્ય જાણી તેની પાસે અંતરંગ દીપકનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું, “તારી સ્ત્રીની એવી ઇચ્છા હતી કે, જે પુરુષના અંત:કરણમાં માયારૂપ કાજળ ન હોય, જે જેમાં નવ તત્ત્વ વિષે અશ્રદ્ધા રૂપ વાટ ન હોય, જેમાં સ્નેહના ભંગરૂપ તેલનો વ્યય ન હોય અને જેમાં સમક્તિના ખંડન રૂપ કંપ (ચંચળતા) ન હોય તેવા વિવેકરૂપી દીપકને જે ધારણ કરતો હોય તે મારો પતિ થાઓ.' આ પ્રમાણે દીપ વિષે જે અર્થ નંદાએ ધાર્યો હતો તે કોઈ જાણી શક્યું નહીં અને તેં તો ધૂર્તપણાથી યક્ષને આરાધીને કૃત્રિમ બાહ્ય દીપક બનાવ્યો, એટલે શ્રેષ્ઠિએ પોતાની પુત્રી તને આપી. હવે તું જ મહાવ્યસની છે. તેના ઉપર શીલાદિ ગુણે યુક્ત એવી તારી સ્ત્રીનું મન લાગતું નથી; તેથી જો તું વ્રતને અંગીકાર કરીશ તો તારું ઇચ્છિતપૂર્ણ થશે." Page #159 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૩૪ નાગિલે પૂછ્યું, હે ભગવન ! સર્વ ધર્મમાં કયો ધર્મ શ્રેષ્ઠ છે ?' મુનિ બોલ્યા, હે ભદ્ર ! શ્રી જિનેન્દ્ર પ્રભુએ પોતાની સુગંધ વડે ત્રણ ભુવનને સુગંધમય કરનાર સમકિતપૂર્વક શીલધર્મને સર્વ ધર્મમાં શ્રેષ્ઠ કરેલો છે. તે વિશે શાસનમાં કહ્યું છે કે, જે પુરુષે પોતાના શીલરૂપ કપૂરની સુગંધ વડે સમસ્ત ભુવનને સુગંધી કરેલું છે તેવા પુરુષને વારંવાર નમીએ છીએ. વળી કહ્યું છે કે, 'લણ વાર ભાવના ભાવવી, અમુક વખત દાન દેવું અને અમુક તપસ્યા કરવી, તે સ્વલ્પકાલીન હોવાથી સુકર છે. પણ યાવરજવિત શીલ પાળવું તે દુષ્કર છે. નારદ સર્વ ઠેકાણે ક્લેશ કરાવનાર સર્વ જનનો વિધ્વંશ કરનાર અને સાવધ યોગમાં તત્પર હોવા છતાં તે સિદ્ધિને પામે છે તે નિશ્ચય કરીને શીલનું જ માહાત્મ છે.ઇત્યાદિ ગુરુ વચનો સાંભળી નાગિલ પ્રતિબોધ પામ્યો અને તત્કાળ સમકિતશીલ અને વિવેકરૂપ દીપકને સ્વીકારી તે દિવસથી તે શ્રાવક ધર્મને આચરવા લાગ્યો. એક વખતે નંદાએ કહ્યું કે, હે સ્વામી! તમે બહુ સારું કર્યું કે આત્માને વિવેકી કર્યો. શાસ્ત્રમાં કહેલ છે કે, જિનેશ્વરની પૂજ, મુનિને દાન, સાધર્માનું વાત્સલ્ય, શીલ પાલન અને પરોપકાર તે વિવેક રૂપી વૃક્ષના પલ્લવો છે. નાગિલ બોલ્યો : 'પ્રિયા. સર્વેએ આત્માના હિતને અર્થે વિવેક વડે ધર્મ કરવાનો છે. વિવેકરૂપ અંકુશ વિનાનો મનુષ્ય સર્વદા દુ:ખી હોય છે. આ પ્રમાણે સાંભળી નંદા બહુ હર્ષ પામી અને ભાવથી પતિની સેવા કરવા લાગી. એક વખત નંદા પિતાને ઘેર ગઈ હતી અને નાગિલ એકલો ચંદ્રના અજવાળામાં સૂતો હતો. તેવામાં કોઈ પતિવિયોગી વિદ્યાધરની પુત્રીએ તેને જોયો, તેથી તત્કાળ કામાતુર થઈ ત્યાં આવીને તેણે કહ્યું કે, હે મહાપુરુષ ! જો મને સ્વીપણે સ્વીકારો તો હું તમને બે અપૂર્વ વિદ્યા શીખવીશ. આ મારું લાવણ્ય જુઓ, મારા વચનને મિથ્યા કરશો નહિ. આ પ્રમાણે કહી શરીર ધ્રૂજતી તે બાળા નાગિલનાં ચરણમાં પડી. એટલે નાગિલે જાણે અગ્નિથી બળ્યા હોય તેવા પગને સંકોરી દીધા. એટલે એ બાળા એક લોઢાનો અગ્નિથી તપેલો ગોળો બતાવીને બોલી, 'અરે, અધમ ! મને ભજ નહીં તો હું તને ભસ્મીભૂત કરી નાખીશ. તે સાંભળી નાગિલ નિર્ભયપણે વિચારવા લાગ્યો કે, દશ મસ્તકવાળા રાવણના જેવો કામદેવ રૂ૫ રાક્ષસ કે જે દેવ - દાનવોથી પણ દુર્જય છે તે પણ શીલરૂપ અસ્ત્રથી સાધુ થાય છે. આમ વિચાર કરે છે તેવામાં સૂત્કાર શબ્દ કરતી તે બાળાએ અગ્નિમય રક્ત લોઢાનો ગોળો તેના ઉપર નાખ્યો. તે વખતે નાગિલ જે નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યો જતો હતો તેના પ્રભાવે તે ગોળાના ખંડ ખંડ Page #160 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૩૫ ટુકડા થઈ ગયા. આથી તે બાળા લજ્જાથી અશ્ય થઈ અને થોડી વારમાં નંદાનું રૂપ લઈને એક દાસીએ ઉધાડેલા દ્વારથી ત્યાં આવી અને મધુર વાણી વડે બોલી કે, હે સ્વામી ! મને તમારા વિના પિતાને ઘેર ગમ્યું નહીં. તેથી રાત્રી છતાં અહીં આવતી રહી.' તેને જોઈ નાગિલ વિચારમાં પડ્યો કે, 'નંદા વિષયભોગ સંબંધી સ્વપતિના સંબંધમાં પણ સંતોષવાળી છે, તેથી તેની આવી ચેષ્ટા સંભવે નહીં. આનું રૂપ - દેખાવ બધું નંદા જેવું છે પણ પરિણામ તેના જેવાં જણાતાં નથી. તેથી તેની પરીક્ષા કર્યા વિના વિશ્વાસ કરવો યોગ્ય નથી.' આમ વિચારી નાગિલે કહ્યું કે, હે પ્રિયે ! જો તું ખરેખરી નંદા હોય તો મારી સમીપ અસ્ખલિતપણે ચાલી આવ.' તે સાંભળી તે ખેચરી જેવી તેની સામે ચાલી તેવી જ માર્ગમાં સ્થિર થઈ ગઈ, ઘણા કરે પણ પગ ન ઊપડ્યો. ધર્મના મહિમાથી નાગિલે તેનું સર્વ કપટ જાણી લીધું. પછી વિચાર્યું કે, કદી બીજાના કપટથી આવી રીતે શીલનો ભંગ પણ થાય, માટે સર્વ વિરતિપણું અંગીકાર કરવું તે જ યોગ્ય છે. આવું સમજી તેણે તત્કાળ કેશનો લોચ કર્યો અને પેલા યક્ષદીપને કહ્યું કે, તું હવે તારા સ્થાને જા.' યક્ષે કહ્યું કે, 'હું યાવજીવન' તમારી સેવા કરીશ. મારા તેજથી તમને ઉજેહી (મુનિને દીપકની ઉજેહી પડે છે, તે સ્થાન વર્જ્ય છે.) નહીં પડે. પછી સૂર્યનો ઉદય થતાં નાગિલે નંદાની સાથે ગુરુ પાસે જઈ વ્રત ગ્રહણ કર્યું અને યક્ષદીપની સાથે આશ્ચર્યસહિત પૃથ્વી પર વિહાર કરી, સંયમ પાળી તે દંપતી મૃત્યુ પામીને હરિવર્ષ ક્ષેત્રને વિષે યુગલિયા થયા, ત્યાંથી દેવતા થઈ પુન: નરભવ પામી મોક્ષને પ્રાપ્ત થયા. “આ નાગિલે દ્રવ્યદીપથી શુભ એવા ભાવદીપને ચિંતવ્યો અને સ્વારા સંતોષ વ્રતમાં દૃઢ પ્રતિજ્ઞા પાળી તો તે વિદ્યાધરીથી પણ કંપાયમાન થયો નહીં.” માટે સર્વ પ્રાણીએ સ્વદારા સંતોષ વ્રત દૃઢપણે ધારણ કરવું. - અહેનો ભગવન ઇન્દ્રમહિતા: સિદ્ધાશ્ય-સિદ્ધિસ્થિતા: આચાર્યા જિન શાસનોનતિકરા: પૂયા ઉપાધ્યાયકા: શ્રી સિદ્ધાન્ત-સુપાઠકા મુનિવરા, રત્ન-વ્યારાયકા, પંચતે પરમેષ્ઠિન: પ્રતિદિનં, કુર્વ વો મંગલમ. Page #161 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૩૬ | જિનદાસ અને સૌભાગ્યદેવી | ૫૮. વસંતપુર નામના નગરમાં એક શિવશંકર નામનો શ્રાવક રહેતો હતો. એક વખતે તે નગરમાં ધર્મદાસ નામના સૂરી પધાર્યા. તેમને વાંદવા શિવશંકર ગયો. વંદીને ગુરુ પાસે કેટલીક આલોચન લીધી. પછી હર્ષપૂર્વક બોલ્યો કે, “હે ભગવન્ ! મારા મનમાં લાખ સાધર્મી ભાઈઓને ભોજન કરાવવાનો મનોરથ છે. પરંતુ તેટલું ધન મારી પાસે નથી, માટે હું શું કરું કે જેથી મારો આ મનોરથ પૂર્ણ થાય ?" ગુરુએ કહ્યું કે, “તું મુનિસુવ્રત સ્વામીને વાંચવા માટે ભરૂચ જા, ત્યાં જિનદાસ નામનો શ્રાવક રહે છે. તેની ભાર્યા સૌભાગ્યદેવી નામે છે. તે બન્નેને તારી સર્વશક્તિ અને ભાવથી ભોજન. અલંકાર વગેરે આપીને પ્રસન્ન કર. તેમના વાત્સલ્યથી તમને લાખ સાધર્મીને ભોજન કરાવ્યા જેટલું પુણ્ય થશે." આ પ્રમાણેનું ગુરુનું વચન સાંભળીને શિવશંકરે તે પ્રમાણે કર્યું. ભોજનાદિક ભક્તિ વડે જિનદાસ અને સૌભાગ્યદેવીની સેવા કરી શિવશંકર આશ્ચર્ય સાથે વિચારતો રહ્યો કે, આ દંપતીમાં એવા કયા ગુણો હશે કે સૂરીજીએ તેમની ભક્તિ કરવાથી લાખ સાધર્મી ભાઈઓને ભોજન કરાવવા જેટલું પુણ્ય ઉપાર્જન થાય એમ સૂચવ્યું. આનું કારણ જાણવું - સમજવું જોઈએ. આવા વિચારથી તેણે ગામના લોકોને પૂછ્યું કે, આ જિનદાસ ખરેખર ઉત્તમ મનુષ્ય છે કે દાંભિક છે? ત્યારે લોકોએ કહ્યું કે, હે ભાઈ, સાંભળ આ જિનદાસ સાત વર્ષનો હતો ત્યારે એક દિવસ ઉપાશ્રયે ગયો હતો. ત્યાં ગુરુ મુખે શીલોપદેશ માળાનું વ્યાખ્યાન સાંભળીને તેણે એકાંતરે બ્રહ્મચર્ય પાળવાનો નિયમ ગ્રહણ કર્યો. એ જ પ્રમાણે સૌભાગ્યદેવીએ પણ બાલ્યાવસ્થામાં સાધ્વી પાસે એકાંતરે શીલ પાળવાનું વ્રત અંગીકાર કર્યું. દેવ યોગે તે બન્નેનું પરસ્પર પાણિગ્રહણ થયું, પરંતુ શીલ પાળવાના કામમાં જે દિવસે જિનદાસને છૂટી હતી તે દિવસે સૌભાગ્યદેવીને નિયમ હતો, અને સૌભાગ્યદેવીને છૂટી હતી તે દિવસે જિનદાસ વ્રતથી બંધાએલ હતો. આવી હકીકતની લગ્ન પછી એકબીજાને જાણ થવાથી સૌભાગ્યદેવીએ જિનદાસને કહ્યું કે, હે સ્વામી ! હું તો નિરંતર શીલ પાળીશ. તમે ખુશીથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરો. પણ જિનદાસે જવાબ આખો કે, મારે તો બીજાં લગ્ન કરવાં નથી. પરંતુ હું તો યોગ્ય સમયે દીક્ષા લઈશ.' પછી તે દંપતીએ ગુરુ પાસે જઈને જીવન પર્યત હંમેશાંને માટે બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું Page #162 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૩૭ અને પહેરામણી વગેરે કરીને શ્રી સંઘનો સત્કાર કર્યો. માટે તે દંપતીનાં જેવાં બાળ બ્રહ્મચારી અમે તો કોઈ પણ સાંભળ્યાં નથી." આ પ્રમાણેનું વૃત્તાંત સાંભળીને શિવશંકર આ જિનઘસ અને સૌભાગ્યદેવીની વિશેષ પ્રકારે સેવાભક્તિ કરીને પોતાને ગામ ગયો, અને આવાં શીલવાન દંપતીની ભોજનાદિક ભક્તિનો લાભ મળ્યો તે માટે આ રાહ દેખાડનાર ધર્માસ મુનિને પરમ ઉપકારી ગયા. હે ભગવાન હું બહું ભૂલી ગયો હે ભગવાન ! હું બહું ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનોને લક્ષમાં લીધાં નહીં. મેં તમારાં કહેલાં અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારું કહેલાં દયા, શાંતિ, સમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવાન ! હું ભૂલ્યો, આથડો, રઝળ્યો અને અનંત સંસારની વિટખૂનામાં પડયો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મ રજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલા તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાજ છું. નિરાગી પરમાત્મા ! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ છે તે સર્વ પાપથી મુક્ત થઉ એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી નિર્વિકારી સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને વૈલોક્ય-પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવન ! તમને હું વિશેષ શું કરું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. * શાંતિ: શાંતિ: શાંતિ: Page #163 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૩૮ શ્રી વજસ્વામી ૫૯ સુનંદા બે જીવવાળી થઈ છે એ ખબર પડતાંની સાથે જ પહેલાં થયેલી શરત મુજબ તેનો પતિ પ્રભુ વીરના પંથે દીક્ષા લેવા નીકળી પડ્યો. સુનંદાની કુખે વજસ્વામીએ જન્મ લીધો. જન્મતાં જ ઘરડી ડોસીઓના મુખેથી વજસ્વામીએ સાંભળ્યું: 'આ બાળકના પિતાએ દીક્ષા ન લીધી હોત તો આ બાળકનો જન્મ મહોત્સવ ધામધૂમથી ઊજવાત. આ શબ્દો સાંભળતાં જ તરતના જન્મેલા બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું અને દીક્ષા લઈ કલ્યાણ કરવાની ભાવના થઈ. એમને થયું કે, માતા મારા જેવા બાળકને દીક્ષા નહીં અપાવે, તેથી માતાને કંટાળો આપવા એમણે રડવાનું શરૂ કર્યું. એક-બે દિવસ નહીં, એક-બે મહિના નહીં પણ સતત છ મહિના સુધી એ રડતા રહ્યા. કેટકેટલા ઉચ્ચ સંસ્કારો એ બાળકના આત્મામાં ભર્યા હશે ત્યારે જ તે દીક્ષા લેવાની ભાવનાએ રડી રહ્યા હશે ને ? આ સતત રુદનથી મા કંટાળી, તેણે સાધુ થયેલા પોતાના ધણી જ્યાં હતા તે ઉપાશ્રય જઈ, લો ! આ તમારો દીકરો, હું તો થાકી ગઈ, છાનો જ રહેતો નથી, સંભાળો તમે. એમ કહી છ મહિનાના નાના બાળક વજકુમારને વહોરાવી દીધો. શ્રાવિકા બહેનો તેની સારસંભાળ રાખે છે. સાધ્વીજીઓની પાસે પારણામાં એ ઝૂલી રહ્યા છે. પારણામાં જ સાધ્વીજી ભણતાં હતાં તે બધું સાંભળતાં સાંભળતાં એ અગિયાર અંગ ભણી ગયા. સુનંદા હવે વિચારે છે, આવા હોશિયાર બાળકને મેં વહોરાવી દીધો, એ ઠીકન કર્યું. એમ વિચારીને માતા બાળકને પાછો લેવા જાય છે. ગુરુ મહારાજ અને સંઘે પાછો આપવાની ના પાડી એટલે માતાએ રાજા પાસે જઈ ફરિયાદ કરી. રાજાએ ન્યાય તોળ્યો: જેની પાસે જાય તેનો આ બાળકી માતાએ રમકડાં, મીઠાઈઓ વગેરે અનેક વસ્તુઓ બાળકને લોભાવવા મૂકી, પણ સાધુ મહારાજે તો ઓઘો અને મુહપત્તિ મૂક્યા. રાજા વચ્ચે ઊભા છે. સંઘ જોઈ રહ્યો છે. માતા માને છે કે હમણાં બાળક મારી પાસે આવશે ને મને મળશે. Page #164 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૩૯ બાળક તો મહા સંસ્કારી હતો. વૈરાગી હતો એટલે એ રમકડાં કે મીઠાઈથી લોભાય તેવો નહોતો. તે તો તરત જ ઓધો અને મુહપત્તિ લઈ નાચવા લાગ્યો અને જૈન શાસનનો જય જયકાર થયો. | આ બાળક નામે વજસ્વામી. ૮ વર્ષની ઉંમરે દીક્ષા લીધી. બે વખત દેવોએ લીધેલી પરીક્ષામાં પાસ થયા. દેવોએ પ્રસન્ન થઈ વૈશ્યિ લબ્ધિ અને આકાશમાં ઊડવાની વિદ્યા આપી. તેમણે બૌદ્ધ રાજાને બોધ આપી જૈન ધર્મી બનાવ્યો. એક વાર સોનામહોરો લઈ કોઈ સ્ત્રી વજસ્વામી સાથે લગ્ન કરવા આવી તેને બોધ આપી વિદાય કરી. દુકાળના સમયે તેમણે સંઘનું રક્ષણ કર્યું. પોતે ભદ્રગુમ આચાર્ય પાસે દશપૂર્વનો અભ્યાસ કર્યો હતો. તેમણે આર્યરક્ષિત સૂરી મહારાજને સાડા નવ પૂર્વનો અભ્યાસ કરાવ્યો. છેલ્લે વજસેન નામના મોટા શિષ્યને પાટ ઉપર સ્થાપી પોતે અનેક સાધુઓ સાથે સ્થાવર્તગિરિ ઉપર જઈ તપ આદર્યું.તપના પ્રભાવે ઇંદ્ર મહારાજા વંદનાર્થે આવ્યા. તેમણે જૈન શાસનની વિજય પતાકા ફરકાવી અને શાસનની ઉન્નતિનાં અનેક કાર્યો કરી સ્વર્ગે સિધાવ્યા. કોડિયું | કટિરની ભીતરની દુનિયાને અજવાળવાની હામ જ્યારે ચાંદસિતારાએ ન ભીડી, સૂરજનું તેજ પણ જ્યારે ગુફા-ગવરોમાં પહોંચી ન શક્યું ત્યારે. કોડિયાના કાળામાં સમર્પણ ભાવ જાગી ઊઠયો. એણે કહ્યું : “મને ચપટી જેટલું રૂ આપો ને પળી જેટલું તેલ આપો, અંધારાને હટાવી દેવાનો પુરુષાર્થ મને કરવા દો. ને. એ પછી કુટિરનું અંધારું હટાવી દેવા એણે જાત જલાવી દીધી. ને પ્રકાશ પાથરી દીધો. ત્યારે કુટિરની ને ગુફા-ગહૂવરોની અંધારી દુનિયાનું હૈયું હરખથી હસી ઊઠયું. એની સમર્પણભાવના બીજી કુટિરો તેમ જ ગુફાઓમાં પહોંચી ગઈ. | નેમાં પણ કોડિયાંએ પુરુષાર્થના પ્રકાશનું કાવ્ય રચ્યું અને સમર્પણભાવનાનો દીપક રાગ ગાયો. કોડિયાંની જેમ અન્યની હતાશા હટાવીએ, Page #165 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૪૦ ભવદેવ - નાગિલા ૬૦, મગધ દેશમાં સુગ્રામ નામનું એક ગામ હતું. તેમાં રાષ્ટ્રકૂટ નામનો કણબી અને તેની સ્ત્રી રેવતી રહેતાં હતાં. તેમને અનુક્રમે ભવદત્ત અને ભવદેવ નામના બે પુત્ર થયા. એકદા સુસ્થિત આચાર્યની પાસે વૈરાગ્ય વાસિત ભવદત્તે દીક્ષા ગ્રહણ કરી તે શાસ્ત્ર શીખીને ગીતાર્થ થયા. એક વાર તેણે ગુરુને કહ્યું, "હે પ્રભુ! સંસારી સગાંસંબંધીને વંદાવવા જવાની મારી ઇચ્છા છે, માટે આજ્ઞા આપો.” ગુરુએ આજ્ઞા આપી, તેથી તે સુગ્રામ ગામે ગયા. ત્યાં તેના નાના ભાઈ ભવદેવનાં નાગિલા સાથે લગ્ન થતાં હતાં, તેથી સાધુને કોઈએ આવ્યા જાણ્યા નહીં. એટલે તે ગુરુ પાસે પાછા આવ્યા. બીજા સાધુઓએ તેમની મશ્કરી કરી, તેથી ભવદત્ત ભાઈને પ્રતિબોધ પમાડવાને (ભાઈને દીક્ષા અપાવીશ) એમ પ્રતિજ્ઞા કરી, ફરી પાછા સુગ્રામ ગામે આવ્યા. તે વખતે નાગિલાને આભૂષણ પહેરાવવાનો ઉત્સવ થઈ રહ્યો હતો. અર્ધ શણગાર સજાવ્યા હતા ત્યાં ભવદત્ત આવ્યા. તેઓ આવ્યાની ખબર પડવાથી ભવદેવ આવીને તેઓને નમ્યો. તેણે તેમને શ્રદ્ધથી શુદ્ધ અન્ન પાન વહોરાવીને પ્રતિલાવ્યા. ભવદત્તે જતી વખતે ભવદેવને થોડે સુધી સાથે આવવા કહ્યું. અને હે ભવદેવી તને ધન્ય છે કે સાધુ ઉપર તારી આવી રૂડી ભક્તિ છે." બાળપણની વાતો કરતાં કરતાં ભવદેવ ભવદત્ત સાથે ગુરુ મહારાજ જ્યાં હતા ત્યાં લઈ આવ્યા અને ગુરુ મહારાજને નમીને ભવદત્તે કહ્યું, “હે ભગવાન ! આ મારા ભાઈને મે આપની પાસે આવ્યો છે, એને દીક્ષા લેવાની ઇચ્છા છે.” આમ કહેવાથી ગુરુજીએ ભવદેવને દીક્ષા આપી. ભવદેવ ભાઈને ના ન કહી શક્યો પછી ભવદત્તે એક મુનિ તથા પોતાના ભાઈ ભવદેવને સાથે લઈ, ગુરુને નમસ્કાર કરી બીજે વિહાર કર્યો. ભવદેવ ભાઈના વચનને લીધે જ સંયમ પાળવા લાગ્યો, પણ તેને હસ્તીને હાથણી યાદ આવે તેમ નાગિલા યાદ આવ્યા કરતી હતી. અનુક્રમે ભવદત્ત તો તીવ્ર તપશ્ચર્યા કરી કાળધર્મ પામી સ્વર્ગે ગયા, એટલે એકલા પડેલા ભવદેવે બીજા સાધુઓને ત્યાં જ સૂતા મૂકીને નાગિલાનું સ્મરણ કરતાં રાત્રીના વખતે નીકળી ગયા. ભવદેવ ચાલતાં ચાલતાં સુગ્રામ ગામની સીમે ત્યાં આવેલા એક મંદિરમાં રહ્યા નાગિલાને ભવદેવ આવ્યાના સમાચાર મળ્યા અને પોતાને લીધે ભવદેવ ચારિત્ર છોડી દેવા Page #166 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૪૧ તૈયાર થયા છે તેમ સમજાયાથી એક વૃદ્ધ શ્રાવિકાને બધી વાત સમજાવી. એક બાળકને થોડું સમજાવી શીખવાડી તૈયાર કર્યો. રાત્રી પૂરી થતાં વૃદ્ધ સ્ત્રી નાગિલા સાથે ભવદેવ જ્યાં હતા તે મંદિરે આવી. ભવદેવે પૂછયું, અને નાગીલા ક્યાં રહે છે? તે શું કરે છે? આ વખતે પહેલેથી શીખવાડેલ બાળક ત્યાં આવ્યો. એ કહેવા લાગ્યો, હે માતા! મને આજે ગામમાં જમવા જવાનું નોતરું મળ્યું છે, ત્યાં દક્ષિણા પણ મળવાની છે, માટે તું ઘેર ચાલ; વિલંબ ન કર. મારે પહેલાં પીધેલું દૂધ ઊલટી કરી કાઢી નાખવું છે ને ત્યાં જઈ જમી દક્ષિણા લઈ પાછા આવી આ વમન કરેલું દૂધ પાછું પી જઈશ આ સાંભળીને ભવદેવ હસીને કહેવા લાગ્યો, અહો આ બાળક ! એવું વમન કરેલું નિંદવા યોગ્ય દૂધ પાછું પીશે?" આ સાંભળી નાગિલા બોલી, હું આપની સ્ત્રી નાગિલા છું, આપ પૂર્વ ત્યાગ કરેલી એવી મને ફરીથી ગ્રહણ કરવાને કેમ ઇચ્છો છો? એવો કોણ અજ્ઞાન હોય કે ત્યજી દીધેલી સ્ત્રીને વમેલા આહારની પેઠે ફરી અંગીકાર કરવા વાંછે? સ્ત્રીને તો અનંત દુ:ખની ખાણ રૂપ કહી છે. માટે હે મૂત્રાશય !નવી પરણેલી વધૂની પેઠે મને સંભારતાં તમે અહીં આવ્યા! પણ હવે અવસ્થાએ કરીને જર્જરિત મને જુઓ. સંસારમાં શું સાર છે? વળી હે સાધક! સંસાર સમુદ્રમાં પડતા એવા પ્રાણીઓને તારવામાં વહાણ રૂ૫ એવી આ દીક્ષાનો ત્યાગ કરીને દુર્ગતિને આપનારી સ્ત્રીને શા માટે અંગીકાર કરવી જોઈએ? છેલ્લે તમને જણાવતા આનંદ ઊપજે છે કે, મેં જીવિત સુધી ગુરુની પાસે શીલવ્રત અંગીકાર કર્યું છે. કારણ કે, સ્ત્રીઓને શીલ એ જ ઉત્તમ આભૂષણ છે" "માટે હે નાથ ! તમે ગુરુની પાસે પાછા જાઓ અને શુદ્ધ ચારિત્ર પામો" સ્ત્રીથી પ્રતિબોધ પામેલા, અને ખુશ થયેલા ભવદેવ નાગિલાને ખમાવીને પોતે ગુરુ પાસે ગયા. ત્યાં તેણે પોતાનું દુશરિત્ર સમ્યક્ પ્રકારે આળોવીને ફરી ચિરકાળ પર્યત શુદ્ધ ચરિત્ર પાળ્યું; ને ત્યાંથી કાળ કરીને તે સૌ ધર્મ દેવલોકે દેવતા થયા. આ ભવદેવનો જીવ શિવકુમાર તરીકે વિતશોકા નગરીમાં પદ્મરથ રાજાની પટ્ટરાણી વનમાળાની કુક્ષિએ ઉત્પન્ન થયો. પોતાની ઇચ્છા હોવા છતાં માબાપની રજા ન મળવાથી યુદ્ધ શ્રાવક ધર્મ પાળી અંતે અનશન ગ્રહણ કર્યું અને ભાવ ચારિત્રવાન શિવકુમાર બ્રહાદેવ લોકને વિષે વિદ્યુત માળી દેવતા થયો.' આ જ ભવદેવ યાને વિદ્યુત માળીનો જીવ ત્યાંથી એવી અષભદત્ત શેઠનો પુત્ર જંબુકુમાર તરીકે અવતર્યો. તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે જશે અને તે છેલ્લા કેવળી હશે. તેમના પછી બીજો કોઈ જીવ કેવળજ્ઞાન આ અવસર્પિણી કાળમાં ભરતક્ષેત્રમાં નહીં પામે. એટલે મોલે પણ કોઈ જીવ જંબુસ્વામી પછી નહીં જાય. Page #167 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૪ર . | સતી સુલતા રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. તેને ત્યાં નાગ નામનો સારથિ હતો. તેને શ્રેષ્ઠ શીલ ગુણે શોભતી સુલસા નામે સ્ત્રી હતી. બીજા શ્રેષ્ઠીના પુત્રોને આંગણામાં મસ્ત રીતે રમતાં જોઈ તે ચિંતવવા લાગ્યો કે, "અહો ! જ્યાં નાનાં નાનાં બાળકો ન હોય તે ઘરોને ઘર ન કહેવાય. હં... મારે સારો વૈભવ છતાં સંતતિ નથી તે સારું નહીં એ વિચારે તે ચિંતા કરવા લાગ્યો. પોતાના પતિને શોક સહિત દેખી તુલસા બોલી કે, સ્વામી તમે શા માટે ખેદ કરો છો ? ધર્મને વિશેષપણે સેવોને. ધર્મના પ્રભાવથી તમારી બધી વાંછા પૂર્ણ થશે. અને આજથી હું પણ વિશેષપણે ધર્મનું આરાધન કરીશ. નાગથિકે એકદા શ્રી ગુરુની સન્મુખ એવો નિયમ કરેલ કે, મારે હવે કદાપિ બીજી સ્ત્રી કરવી નહીં" બંને જણ ધર્મ આરાધના સારી રીતે કરતાં હતાં. પણ પુત્ર ન હોવાની ચિંતા નાગરથિકને સતાવ્યા કરતી હતી. પતિની આ સ્થિતિ જોઈ તુલસાએ એકદા પૂછ્યું, અહો પ્રાણેશ?કેમ, શેની ચિંતા કરી છે આમ ખોવાયા જેવા કેમ રહો છો ? આપના ચિત્તને વિષે જે ચિંતા હોય તે કહો.” પ્રિયાનાં આવાં વચન શ્રવણ કરી નાગરથિક હસીને બોલ્યો, “હે પ્રિયે ! મારે તારાથી છાનું કંઈ નથી કે તને ન કહેવાય, તને અદ્યાપિ પુત્ર થયો નહીં એનું મને બહુ દુઃખ લાગે છે." પતિનાં આવાં વચન સાંભળીને સુલસા બોલી, હે સ્વામીનાથ! મારા ઉદરથી બાળકની ઉત્પત્તિ થશે નહીં એમ લાગે છે. માટે આપ બીજી સ્ત્રી કરો, તેને પુત્ર અવતરશે. એટલે આપ પુત્રવાન થશો." ત્યારે પતિએ કહ્યું, “હે પ્રાણેશ્વરી જો કોઈ મને રાજ્ય સહિત પોતાની પુત્રી આપે તો પણ હું બીજી સ્ત્રીને ઇચ્છતો નથી; ક્ષીરને મૂકીને ઘેંસના અન્નની કોણ વાંછા કરે ? જો આ ભવમાં તારા થકી પુત્રની પ્રાપ્તિ થશે તો ભલે, નહિતર પુત્ર વિના રહીશું." સ્વામીએ આમ કહ્યું એટલે સુલસા ચિંતવવા લાગી. Page #168 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૪૩ માણસને ધર્મ એ જ કલ્પવૃક્ષ છે, એ જ ચિંતામણિ છે અને એ જ કામધન છે. માટે ધર્મ એ જ ઇચ્છિત ફળ પ્રાપ્ત કરવાનું એક માત્ર સાધન છે, એવો વિચાર કરીને સુલસા ધર્મકાર્યને વિષે વિશેષ તત્પર થઈ; જિનપૂજા કરવા લાગી અને ચતુર્વિધ આહાર સત્પાત્રને વિષે આપવા લાગી. વળી બ્રહ્મચર્ય, ભૂમિ ઉપર શયન અને આયંબિલનું તપ કરવા લાગી. એવામાં ઇદ્ર તેણીનું આવું સત્વ અવધિજ્ઞાન વડે જાણીને, પોતાની સભામાં તેણીની પ્રશંસા કરી કે, “હમણાં મૃત્યુલોકને વિષે સુલસા નામની શ્રાવિકા છે તે એવી છે કે, તેણીને કોઈ ધર્મકાર્યથી ચલાવી શકે તેમ નથી” આ પ્રશંસા સાંભળીને હરિભેગમેલી દેવ સુલસાની પરીક્ષા કરવાને અર્થે સ્વર્ગથી બે સાધુઓનું રૂપ લઈને નાગરથિકને ઘેર આવ્યા. બે સાધુઓને આવતા જોઈને સુલતા હર્ષ પામી ઊભી થઈ અને સાધુ જાણી વંદન કર્યું, ત્યારે તેઓ બોલ્યા કે, શ્રદ્ધાળુ શ્રાવિકા, એક સાધુ માંદા થઈ ગયા છે, તેઓના શરીરે લગાડવા સહસ્ર પાક નામના તેલની અમને જરૂર છેતેની જોગવાઈ છે? તેણીએ હા જ્હી અને શ્રદ્ધથી જ્યાં તેલની શીશીઓ રાખેલી હતી ત્યાં તે લેવા ગઈ. ત્યાંથી લઈને જેવી આપવા આવે છે તેવામાં દેવતાઈ માયાથી જમીન પર પડી શીશી ભાંગી ગઈ, ત્યારે સુલસા બીજી શીશી લેવા ગઈ, ને પણ આવતાં આવતાં ભાંગી ગઈ. એમ સાત શીશીઓ ભાંગી છતાં પણ તેણીનો તેવો ને તેવો જ ભાવ દેખી દેવતા પ્રગટ થયો અને અભિનંદન કરી બોલ્યો કે, કલ્યાણી, તું ડરીશ નહીં. ઇદ્ર મહારાજે તારા સત્ત્વની પ્રશંસા કરી, તેથી તારી પરીક્ષા કરવા હું સાધુનું રૂપ ધારણ કરી આવ્યો છું. તું ખરેખર સત્તાધારી છું. તારું સત્ત્વ જોઈ હું બહુ જ પ્રસન્ન થયો છું. માટે મારી પાસેથી તું કંઈ વર માંગ. તેણીએ કહ્યું કે, જો એમ છે તો મને પુત્ર થાય તેવું વરદાન આપ.' દેવતાએ ખુશીની સાથે તેણીને બત્રીસ ગોળીઓ આપી કહ્યું કે, આમાંથી એકેકે ગોળી ખાવાથી એકેક પુત્ર થશે. એમ કહી તેલની શશીઓ પાછી આખી કરી આપી દેવતા પોતાને સ્થાનકે ગયો. હવે પ્રભુપૂજામાં તત્પર એવી તુલસા ભોગવિલાસ કરતાં કરતાં એકદા ઋતુકાળ પ્રાપ્ત થયે છતે ધર્મશીલા સુલસા ધાવા લાગી કે, મારે ઘણા પુત્રોને શું કરવા છે? જો એક જ પુન્યવાન અને સર્વજ્ઞની પૂજા કરનારો પુત્ર પ્રાપ્ત થાય, તો તે એકથીયે સુખ પ્રાપ્ત થશે. બત્રીશ પુત્રો થાય તેના મળ-મૂત્રાદિથી મને ધર્મકાર્યમાં બહુ વિદ્ધ નડે માટે જો એક જ બત્રીસ લક્ષણો પુત્ર થાય તો સારું. એમ વિચારી સુલસા પેલી બત્રીસે ગુટિકા એકી વખતે ખાઈ ગઈ ! તેથી તેણીને બત્રીશ ગર્ભ એકસાથે પેટમાં રહ્યા, તેના ભારથી Page #169 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૪૪ અસહ્ય વેદના થવા લાગી તેથી તેણીએ હરિસેગમેથી દેવના નામનો કાઉસ્સગ કર્યો, એટલે તે દેવ પાછો તેની પાસે આવ્યો. તેણે તેની વેદના હરણ કરી (બંધ કરી નાખીને કહ્યું કે, મેં ઘણું જ અયોગ્ય કામ કરી નાખ્યું, કેમ કે તેં બત્રીસ ગોળીઓ ખાલી હોવાથી તું બત્રીસ પુત્રો એક વખતે જણીશ. એટલું જ નહીં પણ તે બધાનું સરખું આયુષ્ય હશે તેથી તેઓ એકી વખતે જ બધા સાથે મરણ પામશે. ત્યારે સુલસા બોલી, “જીવ જે શુભાશુભ કર્મ બાંધે છે, તે તેને ભોગવ્યા વિના છૂટકો નથી." હરણેગમેલી દેવે પણ કહ્યું, બરાબર છે. ભવિતવ્યતાનું કોઈ ઉલ્લંઘન કરી શકે નહીં સુલતાએ કહ્યું હે હરિભેગમેલી ! મારે શું કરવું ? મેં એ કાર્ય ખોટું તો કર્યું છે; જો કર્મ મને અનુકૂળ હોય અને તારી શક્તિ હોય તો તું મારા ઉદરની વ્યથા શમાવ. નહીં તો હું મારું કર્મ ભોગવીશ. જો તું વ્યથા શમાવીશ તો જિનશાસનની ઉન્નતિ થશે. તે ઉપરથી દેવે પ્રસન્ન થઈને તેણીના ઉદરની વ્યથા દૂર કરી; ને પોતે પોતાને સ્થાને ગયો. પછી સુલસા ધર્મને વિષે ચિત્ત જોડી, શુભ આહારથી ગર્ભને પોષવા લાગી અને તેણીએ સંપૂર્ણ સમયે સુસ્વપ્ન સૂચિત એવા બત્રીશ પુત્રોને જન્મ આખો. નાગરથિકે મહાદાન દઈ તેમનો જન્મોત્સવ ઉજવ્યો. કાળક્રમે બત્રીશે પુત્રો યૌવન અવસ્થા પામ્યા અને તે બત્રીશ ભાઈ શ્રેણિક રાજાના વિશ્વાસુ સેવકો થયા. તે સમયે વિશાળા નગરીમાં ચેટક નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને સાત પુત્રીઓ હતી તેમાં સુજ્યા સર્વથી મોટી હતી. એક વખત કોક તાપસણી દરબારમાં માગવા આવી અને તેને પોતાનો મિથ્યાત્વ ધર્મ વખાણ્યો, તેથી સુભેચ્છાએ તેનો તિરસ્કાર કરી હાંકી કાઢી. તેથી તે જોગણ સુદ્દા ઉપર કોપાયમાન થઈ તેના રૂપનું એક ચિત્ર બનાવી શ્રેણિક રાજાને બતાવ્યું. સુજ્યેષ્ઠાનું રૂપ અત્યંત વખાણવા લાયક હોવાથી શ્રેણિક રાજા તેના ઉપર મોહિત થયો અને તેણીની સાથે લગ્ન કરવાનો પણ વિચાર થયો. પરંતુ ચેડ રાજાની સાથે ઘણા વખતથી દુશ્મનાવટ હોવાથી તે ખચીત તેની દીકરી નહીં પરણાવે એમ ધારી મનમાં ઉદાસ રહેવા લાગ્યો. આ ઉદાસીનું કારણ અભયકુમારે તેનો દીકરો અને મુખ્ય દીવાન હોવાથી, શ્રેણિક પાસેથી જાણી લીધું. અભયકુમારે વિશાખા નગરમાં જઈ વણિક બની દરબારના દરવાજા આગળ એક દુકાન માંડી. દરબારની દાસીઓ આ દુકાનેથી માલ ખરીદવા લાગી. પણ જ્યારે સુદ્ધની ઘસી માલ ખરીદવા આવે ત્યારે અભયકુમાર શ્રેણિક રાજાના ચિત્રની પૂજા કરવા બેસતો. દરરોજ આમ બનવાથી ઘસીએ પૂછ્યું કે, આ કોની પૂજા કરો છો. તેણે જવાબ આપ્યો Page #170 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૪૫ કે, સત્યવાદી અને પૂર્ણ ન્યાયી રાજા શ્રેણિકની પૂજા કરું છું. એમ કહી શ્રેણિકની છબી તેણે બતાવી. છબી જોઈ તે મોહિત થઈ ગઈ અને તે લઈ જઈ સુજયેષ્ઠાને બતાવી. સુજયેષ્ઠા પણ દેખતાં વેંત જ મોહી ગઈ. તેણીએ અભયકુમારને કહેવડાવ્યું કે, ખચીત મારે મારા બાપથી છાનું શ્રેણિક સાથે લગ્ન કરવું છે. તેમાં તું સહાયક થા. અભયકુમારે નેણીની મરજી જોઈ રાજગૃહીથી તેણીના મહેલ સુધી ધરતીમાં સુરંગ બનાવરાવી, અને પેલી દાસી મારફત તેણીને જણાવ્યું કે, અમુક દિવસે શ્રેણિક રાજા પોતે તને સુરંગ રસ્તે બોલાવવા આવશે. શ્રેણિકને પણ તેમ જણાવ્યું, નક્કી કરેલ દિવસે શ્રેણિક પોતાના ચુનંદા બત્રીસ આમ પુરુષો (સુલસાના પુત્રો)ને લઈ સુરંગ રસ્તે આવ્યો. સુજયેષ્ઠા જ્યારે ત્યાંથી રવાના થવા લાગી ત્યારે તેની નાની બહેન ચેલણાએ પણ શ્રેણિક સાથે જ લગ્ન કરવાની જીદ કરી, તે પણ સુજ્યેષ્ઠા સાથે જ સુરંગમાં આવી. કેટલોક માર્ગ વટાવ્યા પછી સુજ્યેષ્ઠાને ત્યારે યાદ આવવાથી બોલી કે, મારાં આભૂષણનો ડબો ભૂલી આવી છું તે હું પાછા જઈ લઈ આવું, ત્યાં લગી તમારે અહીંથી આગળ વધવું નહીં. એમ કહી તે પાછી ફરી. પણ ચેલણાએ તો તરત જ શ્રેણિકને કહ્યું કે, મહારાજ, શત્રુની હદમાં વધારે વખત રહેવું એ બહુ જોખમ ભરેલું છે. એમ સમજાવી તેની સાથે ચાલી નીકળી. સુજયેષ્ઠા આભૂષણો લઈ ત્યાં આવી ત્યારે શ્રેણિકને કે ચેલણાને જોયાં નહીં, તેથી તેઓ ઉપર કોપાયમાન થઈ ત્યાંથી પાછી ફરી પોતાના મહેલ ઉપર આવી અને બૂમો મારવા લાગી, “અરે ! આ કોઈ દુષ્ટ મારી બહેન ચેલણાને ઉપાડી જાય છે. હરણ કરી જાય છે.” આ સાંભળી સૈનિકો અને રાજા ત્યાં આવી પહોંચ્યા; રાજાના હુકમથી સૈનિકો સુરંગ માર્ગે થઈ શ્રેણિક સાથે યુદ્ધ કરવા દોડયા. તે વખતે શ્રેણિકના તરફથી સુલસાના બત્રીસ પુત્રો સામા થઈ તે સૈનિકો સામે યુદ્ધ કરવા લાગ્યા. આ વખત દરમ્યાન શ્રેણિક ચેલણાને લઈ ઘણો આગળ જતો રહ્યો અને પોતાના નગરે જઈ તરત જ તેણીની સાથે લગ્ન કરી લીધું. અહીંયાં સંગ્રામમાં સુલસાના બત્રીસે પુત્રો એકી વખતે માર્યા ગયા. આ ખબર સાંભળી સુલસા અત્યંત દુ:ખ કરવા લાગી ત્યારે અભયકુમારે તેણીને સમજાવી કે, સમતિધારી થઈ તું આમ અવિવેકીની પેઠે શું શોક કરે છે, અને આ શરીર તો ક્ષણિક છે માટે શોક કરવાથી શું થાય ? આવી રીતે ધાર્મિક રીતે દિલાસો આપી સુલસાને શાંત કરી. એક વખત ચંપાનગરથી અંબડ પરિવ્રાજક (સંન્યાસીનો વેષધારી એક શ્રાવક) રાજગૃહી નગરે જવા તૈયાર થયો. ત્યારે તેણે શ્રી મહાવીર સ્વામીને વંદના કરી અરજ કરી કે, સ્વામી, આજે હું રાજગૃહી જાઉં છું. ભગવંતે કહ્યું કે, “ત્યાં સુલસા શ્રાવિકાને અમારો ધર્મલાભ કેજો” તથાસ્તુ કહી તે ત્યાંથી નીકળી રાજગૃહી નગરે આવી પહોંચ્યો. ૧૦ Page #171 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૪૬ તેણે મનમાં વિચાર કર્યો છે, જેને પ્રભુ પોતે ધર્મલાભ મારે મોઢે કહેવરાવે છે ત્યારે તે ખરેખર & ધર્મો જ હશે. પરંતુ મારે તેની ધર્મના વિષયમાં સ્થિરતા કેવી છે તેની પરીક્ષા કરવી જોઈએ. એમ ધારી તે પહેલે જ દિવસે રાજગૃહીના પૂર્વ દિશાના દરવાજે પોતાના તપોબળથી ઉત્પન્ન થયેલી શક્તિથી સાક્ષાત્ બ્રહ્મનું રૂપ લઈ બેઠો. આવો ચમત્કાર જોઈ નગરના સર્વ લોક દર્શન માટે આવ્યા, પણ તુલસા શ્રાવિકા ન આવી. તેથી બીજે દિવસે બીજા દરવાજે મહાદેવનું રૂપ લઈ બેઠો. ત્યાં પણ નગરના બધા લોકો ભક્ત બની તેના દર્શને આવ્યા પણ સુલસા ન આવી ત્રીજે દિવસે ત્રીજી દિશાને દરેવાજે વિષ્ણુનું રૂપ લઈ બેઠો. ત્યાં પણ બધા નગરના લોકો આવ્યા પણ સુલસા ન આવી ચોથે દિવસે ચોથા દરવાજે સમવસરણની રચના કરી, પચ્ચીસમા તીર્થંકરનું રૂપ લઈ બેઠો. ત્યાં પણ બીજા લોકો આવ્યા પણ સુલસા ન આવી. તેથી તેણે કોક માણસ મોકલી સુલતાને કહેવરાવ્યું કે, તને પચીસમા તીર્થંકર વંદન કરવા બોલાવે છે ત્યારે સુલસાએ જવાબ આપ્યો કે, "ભદ્ર, પચીસમાં તીર્થકર કદી હોય જ નહીં એ તો કોઈ કપટી છે. અને લોકોને ઠગવા માટે આવેલો છે. હું તો સાચા તીર્થંકર મહાવીર સ્વામી વગર બીજાને વાંદવાની નથી" અંબડ શ્રાવકને લાગ્યું કે આ સુલતા જરા માત્ર પણ ચલાયમાન થતી નથી, તેથી તે ખરેખર સ્થિર સ્વભાવવાળી છે, એમ જાણી અંબડ હવે શ્રાવકનો વેષ લઈ સુલસાને ઘેર ગયો. સુલસાનાં ઘણાં ઘણાં વખાણ કરી બોલ્યો કે, હે ભદ્રે ! તું ખરેખર પુણ્યશાળી છે, કેમ કે તને ભગવંત શ્રી મહાવીર સ્વામીએ મારે મોંઢે ધર્મલાભ કહેવરાવ્યા છે." આટલું માત્ર સાંભળતાં જ તરત તે ઊઠી ઊભી થઈ અને ભગવંતને નમસ્કાર કરી સ્તવના કરવા લાગી કે, “મોહરાજા રૂપ પહેલવાનના બળને મર્દન કરી નાખવામાં ધીર, પાપ રૂપ કાદવને સાફ કરવામાં નિર્મળ જળ જેવા, કર્મ રૂપ રજ હરવામાં એક જ પવન જેવા, હે મહાવીર પ્રભુ, તમો સદાય જયવંતા રહો." અંબડ શ્રાવક તુલસાને આવી & ધમિણી જોઈ તેની ઘણી ઘણી અનુમોદના કરી સ્વસ્થાનકે ગયો. સુલસા આવા ઉત્તમ ગુણોથી શોભતી, સારાં ધર્મ કૃત્યો કરી છેવટે સ્વર્ગ સંપદાને પામીત્યાંથી આ ભરતખંડમાં આવતી ચોવીસીએ નિર્મમ નામના પંદરમા તીર્થંકર થઈ મોક્ષપદને પામશે. Page #172 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૪૭. શીલવતી. “જે મનુષ્ય પોતાની વિવાહિત સ્ત્રીમાં સંતુષ્ટ થઈ પરસ્ત્રીથી વિમુખ રહે છે તે ગૃહસ્થ છતાં પણ બ્રહ્મચારીપણાથી યતિ સમાન કહેવાય છે. આ વિશે નીચે પ્રમાણે પ્રબંધ છે. શ્રીપુર નગરમાં કુમાર અને દેવચંદ્ર નામે બે રાજકુમાર બંધ હતા. એક વખત તેઓ ધર્મગુરુની દેશના સાંભળવા ઉઘાનમાં ગયા ત્યાં ગુરુએ દેશનામાં કહ્યું કે, “કોઈ મનુષ્ય કોટી સોનૈયાનું દાન દે અથવા શ્રી વીતરાગનો કંચનમય પ્રાસાદ રચાવે તેને એટલું પુન્ય ન થાય કે જેટલું બ્રહ્મચર્ય ધારીને થાય છે. કેટલાંક પ્રાણી શીલવતીની જેમ દુઃખમાં પણ પોતાનું શીલવંત છોડતાં નથી તે કથા આ પ્રમાણે છે : લક્ષ્મીપુર નગરમાં સમુદ્રદત્ત નામે શ્રેષ્ઠી હતો. તે પોતાની શીલવતી નામની પ્રિયાને ઘેર મૂકી સોમભૂતિ નામના એક બ્રાહ્મણની સાથે પરદેશ ગયો. વિપ્ર તો કેટલાક દિવસ રહી, શ્રેષ્ઠીનો સંદેશપત્ર લઈ પોતાના ઘેર પાછો આવ્યો. આ ખબર મળતાં શીલવતી પોતાના પતિએ મોકલેલો સંદેશપત્ર લેવાને સોમભૂતિને ઘેર ગઈ. વિપ્ર તે સુંદર સ્ત્રીને જોઈને કામાતુર થયો. તેથી બોલ્યો કે, હે કૃશોદરી ! પ્રથમ મારી સાથે બ્રડા કર, તે પછી તારા પતિનો સંદેશપત્ર આપું. તે ચતુર સ્ત્રી વિચારીને બોલી કે, હે ભદ્ર ! રાત્રીના પહેલા પહોરે તમારે મારે ઘેર આવવું આ પ્રમાણે કહીને તે સેનાપતિ પાસે ગઈ અને કહ્યું, “હે દેવ ! સોમભૂતિ મારા પતિનો સંદેશપત્ર લાવ્યો છે, પણ મને આપતો નથી" તે સાંભળી અને તેનું રૂપ જોતાં મોહ પામી તે બોલ્યો કે, હે સુંદરી ! પ્રથમ હું કહું તે કબૂલ કર તો પછી તને પત્ર અપાવું. વ્રતભંગના ભયથી તેને બીજા પહોરે પોતાને ઘેર આવવાનું કહીને તે મંત્રી પાસે ગઈ. તેની પાસે ફરિયાદ કરતાં તેણે પણ મોહ પામી, એવી જ પાપી માગણી કરી. તેને ત્રીજા પહોરે રાત્રે પોતાને ઘેર આવવાનું કહી તે રાજા પાસે ફરિયાદ કરવા ગઈ. રાજાએ પણ તેવી જ વાત કરી એટલે તેને ચોથા પહોરે રાત્રે પોતાને ઘરે બોલાવી પછી તે પોતાના ઘરે આવી. પોતાની સાસુની સાથે સંકેત કર્યો કે, તમારે રાત્રે ચોથા પહોરે મને બોલાવવી. આ પ્રમાણે સંકેત કરી, તે પોતાના એકાંતવાસમાં તૈયાર થઈને રહી. Page #173 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૪૮ પહેલે પહોરે પેલો બ્રાહ્મણ આવ્યો. તેની સાથે સ્નાન-પાન વગેરેમાં જ પહેલો પ્રહર નિર્ગમન ર્યો. તેવામાં કરેલા સંકેત પ્રમાણે સેનાપતિનું આગમન થયું. એ જાણતાં બ્રાહ્મણ ભયથી કંપવા લાગ્યો, એટલે તેને એક મોટી પેટીના ખાનામાં નાખ્યો. એવી જ રીતે સેનાપતિ, મંત્રી અને રાજાને પણ પેટીના ખાનામાં પૂર્યા. આ પ્રમાણે ચારેયને પૂરી પ્રાત:કાલે રુદન કરવા લાગી. એટલે આજુબાજુ રહેતા પાડોસી વગેરેએ આવીને પૂછ્યું કે, ભદ્ર ! કેમ રુદન કરે છે? તે બોલી કે, મારા સ્વામીની દુ:ખવાર્તા સાંભળીને રુદન કરું છું તે સાંભળી તેના સંબંધીઓ આ શેઠ અપુત્ર મરણ પામેલો હોવાથી તેના ખબર આપવા માટે રાજા, મંત્રી અને સેનાપતિની પાસે ગયા. પણ તેઓ તો તેમના સ્થાને હતા નહીં એટલે તેઓએ રાજપુત્ર પાસે જઈને વિજ્ઞપ્તિ કરી કે, હે કુમાર ! સમુદ્રદત્ત શ્રેષ્ઠી પરદેશમાં અપુત્ર મરણ પામેલ છે, માટે તેની સમૃદ્ધિ આપ ગ્રહણ કરો. કુમાર તેને ઘરે ગયો, ઘરમાં બીજું તો કંઈ જોયું નહીં. એક મોટી પેટી તેના જોવામાં આવી, એટલે તે રાજભવનમાં લઈ જઈ ઉઘડાવી તો તેમાંથી વિપ્ર, સેનાપતિ, મંત્રી અને રાજાજી એમ ચારે જણ લજજા પામતા બહાર નીકળ્યા. રાજાએ બ્રાહ્મણ, સેનાપતિ અને મંત્રી ત્રણેને દેશપાર કર્યા અને શીલવતીને સારી રીતે સત્કાર કરી તેની ઘણી પ્રસંશા કરી. આ પ્રમાણે ગુરુ પાસે ધર્મ સાંભળી, કુમારે સ્વદારા સંતોષ વ્રત ગ્રહણ કર્યું અને દેવચંદ્ર દીક્ષા ગ્રહણ કરી, શુદ્ધ આહારને ગ્રહણ કરતાં તે મહા તપસ્વી થયા. એક વખત દેવચંદ્ર મુનિ વિહાર કરતાં કરતાં શ્રીપુરની નજીકના એક દેવાલયમાં આવીને રહ્યા. તે જાણી કુમારચંદ્ર રાજા તેમને વાંદવા ગયો અને વાંદીને પાછો આવ્યો. તે ખબર જાણી રાણીએ એવો અભિગ્રહ કર્યો કે, “કાલે સવારે દેવચંદ્ર યતિને વાંધા પછી ભોજન કરીશ." પ્રભાતે મુનિને વંદન કરવા નીકળી, ત્યાં વચમાં નદીએ પૂર આવેલું હતું અને ઉપર વરસાદ વરસતો હતો તેથી રાણી ચિંતા કરતી નદીને કાંઠે જ ઊભા રહી એટલે રાજાએ તેને બોલાવીને કહ્યું કે, હે પ્રિયા ! તમે નદીને એમ કહો કે હે નદી દેવી! જે દિવસે મારા દિયરે દીક્ષા લીધી છે તે દિવસથી માંડી જો મારા પતિ ખરેખરી રીતે બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરી રહ્યા હોય તો મને માર્ગ આપો' તે સાંભળી રાણીએ ચિંતવ્યું કે, મારે પતિ આમ કહે છે, પણ તેના બ્રહ્મચર્યની વાત હું શું નથી જાણતી ? તો પણ ઠીક છે. જે હશે તે જણાશે, માટે હમણાં તો પતિનું વાક્ય સ્વીકારું, કેમ કે જો પતિના વાક્યમાં શંકા લાવું તો મારું પતિવ્રત ખંડન થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે, જો સતી સ્ત્રી પતિને વાક્યમાં. સેવક રાજાના વાક્યમાં અને પુત્ર પિતાના વાક્યમાં શંકા લાવે તો તેઓ પોતાના વતને ખંડિત કરે છે. આવું ચિંતવી તે નદીની પાસે ગઈ અને વિનયથી પોતાના પતિ Page #174 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૪૯ વાક્ય કહ્યું કે, હે નદી દેવી ! જે દિવસે મારા દિયરે વ્રત લીધું છે તે દિવસથી માંડીને જો મારા પતિ ખરેખરી રીતે બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરી રહ્યા હોય તો મને માર્ગ આપો.” એટલે નદીએ તત્કાળ માર્ગ આપ્યો. તે માર્ગે નદી ઊતરી સામે કાંઠે દેવાલયમાં જઈ પોતાના દિયર મુનિ પાસેથી, ધર્મ સાંભળ્યો. મુનિએ પૂછ્યું. તમને નદીએ શી રીતે માર્ગ આખો ? એટલે દેવીએ જે બન્યું હતું તે યથાર્થ કહી સંભળાવ્યું. એટલે મુનિ બોલ્યા કે, હે ભદ્ર સાંભળ, મારા સહોદર બંધુ પણ મારી સાથે જ વ્રત લેવાને ઇચ્છતા હતા પણ લોકોના અનુગ્રહને માટે તેમણે રાજયનો સ્વીકાર કર્યો છે. તેઓ વ્યવહારથી જોકે રાજ્યના અને ઇંદ્રિયોના ભોગના અનુભવ કરે છે, તથાપિ તે નિશ્ચયથી બ્રહ્મચારી જ છે. કાદવમાં કમળની જેમ ગૃહવાસમાં રહેતા એવા પણ તે રાજાનું મન નિર્લેપ હોવાથી તેને વિષે બ્રહ્મચારીપણું ઘટે છે. પછી તે રાણીએ અભિગ્રહ પૂરો થવાથી વનના એક ભાગમાં જઈ સાથે લાવેલા શુદ્ધ આહાર વડે પોતાના દિયર મહારાજને પ્રિતલાભિત કર્યા ને પોતે પણ ભોજન કર્યું. પછી જ્યારે તેની જવાની ઇચ્છા થઈ, એટલે ચાલતી વખતે રાણીએ મુનિને પૂછ્યું કે, મારે નદી શી રીતે ઊતરવી? મુનિએ કહ્યું કે “તમે નદીને આ પ્રમાણે પ્રાર્થના કરો કે, હે નદી દેવી! જો આ મુનિ વ્રત ગ્રહણ કર્યું ત્યારથી સદા ઉપવાસી રહીને વિચરતા હોય તો મને માર્ગ આપો.” આથી વિસ્મય પામી રાણી નદીને રિ ગઈ અને મુનિનું વાક્ય સંભળાવતાં જ નદીએ માર્ગ દીધો. તે માર્ગે ઊતરીને પોતાને ઘેર આવી. વિસ્મય પામેલી રાણીએ રાજાને એ વૃત્તાંત જણાવી કહ્યું કે, હે સ્વામિન ! આજે જ મેં તમારા બંધુ મુનિને પારણું કરાવ્યું હતું, તે છતાં તેઓ ઉપવાસી કેમ કહેવાય ! રાજા બોલ્યા : હે દેવી સાંભળો, તે વિષે શાસ્ત્રમાં કહ્યું છે કે, સાધુ નિરવઘ આહાર કરતા હોવાથી નિત્ય ઉપવાસી છે, માત્ર ઉત્તર ગુણની વૃદ્ધિ કરવાને માટે તેઓ શુદ્ધ આહાર લે છે, તથાપિ તે ઉપવાસી જ છે. આવા પોતાના પતિનું તથા દિયરનું મન વચન કાયા વડે શીલાદિ ધર્મ સ્વીકાર્યો. ઉપર પ્રમાણે શીલ વ્રતના મહાત્મથી જેમ નદીએ રાજાની પ્રિયાને માર્ગ આપ્યો, તેમ જે પ્રાણી તે વ્રતને મનમાં ધારણ કરે છે તેને કર્મ રૂપ સમુદ્ર પણ અક્ષર એવા શિવ માર્ગને આપે છે. દર્શન દેવ-દેવસ્ય, દર્શન પાપ-નાશન, દર્શન સ્વર્ગ-સોપાન, દર્શનં મોલ-સાધન, Page #175 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૫૦ સિહ શ્રેષ્ઠી વસંતપુર નામના નગરમાં કીર્તિપાલ નામે રાજા હતો. તેને ભીમ નામે એક પુત્ર હતો. અને તેને સિંહ નામનો એક પક્કો જૈન મિત્ર હતો. તે પોતાના કુમારથી પણ રાજાને વિશેષ પ્રિય હતો. એક વખત કોઈ એક પુરુષે રાજાને આવીને કહ્યું કે, હે દેવ ! નાગપુરના રાજા નાગચંદ્રને રત્નમંજરી નામે એક રૂપવતી કન્યા છે. તેના એક રોમનાં દર્શન કરવાથી પણ બે બ્રહ્મનો અનુભવ થાય છે અને તેનું દર્શન થવાથી બે કામદેવથી પૂર્ણ થવાય છે. તે કન્યાની તુલ્ય કોઈ બીજી કન્યા નથી. એ કન્યા તમારા કુમારને યોગ્ય છે, એવું ચિંતવી તેમણે મને વિશ્વાસુ જાણી, તમારી પાસે પ્રાર્થના કરવા મોકલ્યો છે, માટે તેને વરવા સારુ તમારા કુમારને મારી સાથે મોકલો. દૂતનાં આવાં વચન સાંભળી રાજાએ પોતાના પ્રિય મિત્ર સિંહને કહ્યું, 'મિત્ર ! આપણા બંનેમાં કાંઈ પણ અંતર નથી, માટે કુમારને લઈને તમે નાગપુર જાઓ અને તેનો વિવાહ કરી આવો. સિંહ શ્રેષ્ઠીએ અનર્થ દંડના ભયથી રાજાને કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં; એટલે રાજા જરા ઘેધ લાવી બોલ્યા કે, શું તમને આ સંબંધ રુચતો નથી ?' શ્રેષ્ઠી બોલ્યા, રાજેન્દ્ર ! મને રુચે છે. પણ મેં સો યોજન ઉપરાંત નહીં જવા-આવવાનો નિયમ લીધો છે, અને અહીંથી નાગપુર સવાસો યોજન દૂર થાય છે; તેથી વ્રત ભંગ થવાના ભયથી હું ત્યાં જઈશ નહીં." આ પ્રમાણે સાંભળતાં જ ઘી હોમાવાથી અગ્નિની જેમ રાજાના કોપાગ્નિની જવાળા વિશેષ પ્રજવલિત થઈ; અને તે બોલ્યો કે, અરે ! શું તું મારી આજ્ઞા નહીં માને ? તને ઊંટ ઉપર બેસાડી, સહસ્ર યોજન સુધી મોકલી દઈશ. સિંહ બોલ્યો : 'સ્વામી ! હું તમારી આજ્ઞા પ્રમાણે કરીશ. તે સાંભળી તરત રાજા હર્ષ પામ્યો. પછી પોતાના પુત્રને સૈન્ય સાથે તૈયાર કરી અને સિંહ શ્રેષ્ઠીને સર્વ ક્રિયામાં આગેવાન ઠરાવી કુમાર સાથે રવાના કર્યો. માર્ગમાં સિહે પ્રતિબોધ આપીને ભીમકુમારની સંસારવાસના તોડી નાખી સો યોજન ચાલ્યા પછી સિંહ શ્રેષ્ઠી આગળ ચાલ્યો નહીં એટલે સૈનિકોએ એકાંતે કુમારને જણાવ્યું કે, કુમાર ! અમને રાજાએ ગુપ્તપણે આજ્ઞા કરી છે કે, જો સિંહ શ્રેષ્ઠી સો યોજનથી આગળ ન ચાલે તો તમારે તેને બાંધીને નાગપુર લઈ જવો.' આ વિચાર કુમારે પોતાના ધર્મગુરુ સિંહ શ્રેષ્ઠીને નિવેદન કર્યો. સિંહે રાજકુમારને કહ્યું, 'કુમાર ! આ અસાર સંસારમાં પ્રાણીને શરીર Page #176 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૧૫૧ પણ પોતાનું થતું નથી. તો બીજું કોઈ શેનું થાય ? માટે હું તો અહીંથી પાદપોપગમ અનસન કરીશ. પછી તેઓ મને બાંધી લઈ જઈને શું કરશે. આ પ્રમાણે કહીને સિંહ શ્રેષ્ઠી સિંહની જેમ અનસન લેવા ચાલ્યો. કુમાર પણ તેની સાથે ગયો. એવામાં રાત્રિ પડી. સૈનિકોએ કુમારને અને સિંહને જોયા નહીં એટલે તેઓ ચારે તરફ તેઓને શોધવા લાગ્યા. એમ કરતાં થોડે દૂર આવેલા કોઈ પર્વત ઉપર તે બંને તેમના જોવામાં આવ્યા; પરંતુ દીક્ષા અને અનસન આદરી બેઠેલા તેમને જોઈને સૈનિકો પ્રણામ કરી બોલ્યા કે, હે મહાશયો ! અમારો અપરાધ ક્ષમા કરે. પણ તે સ્વામી ! આ ખબર જાણી મહારાજા અમને ઘાણીમાં ઘાલીને પીલી નાખશે. આ પ્રમાણે તેમણે ઘણા કાલાવાલા કર્યા. તથાપિ તેઓ જરા પણ ક્ષોભ પામ્યા નહીં કહ્યું છે કે, સંતોષ રૂપી અમૃત વડે તૃપ્ત થયેલા યોગી ભોગની ઇચ્છા કરતા નથી, કારણ કે, તે તો માટી તથા સુવર્ણમાં અને શત્રુ તથા મિત્રમાં કંઈ ફરક સમજતા નથી.' અનુક્રમે આ વાત કીર્તિપાલ રાજાના જાણવામાં આવી. તેથી તેને બહુ વેધ ચડ્યો. તેણે નિશ્ચય કર્યો કે, કુમારને બાંધીને પરણાવવો અને સિંહને શત્રુની જેમ મારી નાખવો. આવા વિચારથી રાજા તેમની પાસે આવ્યા ત્યાં તો વ્યાધ્રાદિક પ્રાણીને તે બંનેનાં ચરણની સેવા કરતાં જોઈ રાજા આશ્ચર્ય પામ્યો અને વિચાર્યું કે, આ બંનેને ભક્તિ વચનોથી જ બોલાવવા આવું ચિંતવીને તેણે વિનયી વાક્યોથી તેમને બોલાવવા માંડયા, પરંતુ દઢ પ્રતિજ્ઞાવાળા તેઓ કિંચિત્ પણ ચલિત થયા નહીં. અનુક્રમે માસોપવાસને અંતે કેવળજ્ઞાન પામી સુરાસુરોએ નમેલા તે બંને મુક્તિને પ્રાપ્ત થયા. તેમનું મુક્તિ પ્રયાણ જાણી કીર્તિપાળ રાજાએ ઊંચે સ્વરે કહ્યું કે, હે મિત્ર ! તારો એવો નિશ્ચય હતો કે સો યોજનથી વધારે જવું નહીં પણ આ વખતે તું મને મૂકીને અસંખ્ય યોજન દૂર રહેલા શિવનગરમાં કેમ ચાલ્યો ગયો ?" આ પ્રમાણે વિલાપ કરતો કીર્તિપાલ રાજા પોતાના નગરમાં આવ્યો. "પ્રાણ ત્યાગ કરવો પડે તે સારું પણ સ્વીકાર કરેલા વ્રતનો ત્યાગ કરવો તે સારું નહીં, આવો દઢ વિચાર રાખી ભવ્ય પ્રાણીઓએ સિંહ શ્રેષ્ઠીની જેમ દિગ્વિરતિ વ્રત ગ્રહણ કરવું.” ઓંકાર બિંદુ-સંયુકર્તા, નિત્યં પ્રાયનિ યોગિની, કામ મોક્ષદ શૈવ, કારાય નમો નમ: Page #177 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૫૨ પુષ્પચૂલા ગંગા નદીના તટ પર પુષ્પભદ્રા નામે નગર હતું. ત્યાં પુષ્પકેતુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને પુષ્પાવતી નામે રાણી હતી. તે રાણીને એકદા એક સાથે બે બાળકો પ્રસવ્યાં. તેમાં એક પુત્ર અને એક પુત્રી હતી. તે બંનેનાં નામ અનુક્રમે પુષ્પસૂલ અને પુષ્પચૂલા રાખ્યાં. સાથે રમતગમત કરતાં કરતાં અને મોટાં થતાં તે બંને બાળકોને જોઈને રાજાને એક વાર વિચાર થયો કે, જો આ બે બાળકો લગ્નના કારણે જુદાં પડશે તો તેઓનો સ્નેહ ખંડિત થતાં તેઓ મૂંઝાઈને ઝૂરી મરશે. વળી હું પણ તેઓનો વિયોગ સહન કરી શકીશ નહીં. એટલે તેઓ બંનેનો પરસ્પર લગ્ન-સંબંધ કર્યો હોય તો ઠીક થાય. એવા વિચારે તેણે રાજસભામાં મંત્રીને સર્વ સન્મુખ પ્રકટપણે પૂછ્યું કે, 'અંત:પુરમાં જે રત્નો ઉત્પન્ન થાય તેનો સ્વામી કોણ ? મંત્રીએ જવાબ દીધો જે, 'આપ જ તેના સ્વામી કહેવા.' આ ઉપરથી તેણે પોતાનાં પુત્ર-પુત્રીનો પરસ્પર વિવાહ કર્યો; આ દુષ્કૃત્ય રાણી માતાને ન ખમાયું. તે ઘણો જ ખેદ પામી અને વૈરાગ્ય પામીને વ્રત ધારણ કર્યું. તીવ્ર તપશ્ચર્યા કરીને તે રાણી મૃત્યુ પામીને સ્વર્ગને વિષે દેવતાપણે ઉત્પન્ન થઈ. પુષ્પકેતુ રાજા પણ મૃત્યુ પામ્યો, એટલે પુષ્પચૂલે રાજ્ય પદ ધારણ કર્યું અને પોતાની સગીબહેન સાથે સંસાર-વહેવારના ભોગ ભોગવતો રહ્યો. પુષ્પાવતી રાણીનો જીવ જે દેવપણે ઉત્પન્ન થયેલ છે, તેણે અવધિજ્ઞાનથી આવું અકૃત્ય થતું દેખી વિચાર્યું કે, અહો ! આ જગતના જીવો કેટલા બધા કામાંધ છે કે, રાગમાં આસક્ત થઈ કાર્ય-અકાર્યનો પણ કંઈ વિચાર કરતા નથી. આ બંને જણને કંઈક બોધ આપવો જરૂરી છે, એમ ધારી પુષ્પચૂલા ઉપર ઘણો પ્રેમ હોવાથી તેણીને નરકનાં દુ:ખો સ્વપ્નમાં દેખાડ્યાં. આવું સ્વપ્ન દેખીને ભયભ્રાંત થતાં પુષ્પચૂલા પોતાના પતિને કહેવા લાગી કે, પાપ કરવાથી નરકમાં કેવાં દુ:ખ વેઠવાં પડે છે ? મને આજે નરકનાં દુ:ખ જોવાથી ઘણો જ ભય ઉત્પન્ન થયો છે. પછી રાજાએ બીજે દિવસે જોગીઓ, બાવાઓને રાજસભામાં બોલાવી પૂછ્યું કે, નરક કેવું હોય ? કોઈકે કહ્યું કે, આ જગતમાં ગર્ભાવાસમાં વસવું એ જ નરક છે. બીજા કોકે કહ્યું કે, બંદીખાનામાં પડવું એ જ નરક છે. કોઈએ જણાવ્યું કે દરિદ્રીપણે રહેવું એ જ નરક છે, ત્યારે કોકે કહ્યું કે પારકી તાબેદારી તે જ નરક છે. રાણીને આ સર્વે ઉત્તર બરાબર ન લાગવાથી છેવટે જૈન ૬૪ Page #178 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૫૩ મુનિ પાસે લઈ જઈ રાજાએ નરકનું સ્વરૂપ પૂછ્યું. તેણે કહ્યું કે, નરક સાત છે, તેમાં પહેલી નરકે એક સાગરોપમનું, બીજીએ ત્રણ સાગરોપમનું એમ છેવટે સાતમી નરકે તેત્રીસ સાગરોપમનું આયુષ્ય છે. કેટલીક નરકોમાં ક્ષેત્ર વેદના છે અને કેટલીકમાં પરમાધામીની વેદનાઓ છે. રાણીએ જેવું રાત્રીએ સ્વપ્નમાં જોયું હતું તેવું જ જૈનાચાર્યના મુખથી નરકનું સ્વરૂપ સાંભળી તે બોલી કે, તેમને પણ આવું જ સ્વપ્ન આવેલું કે શું?' જૈનાચાર્યે કહ્યું કે, ભદ્રે ! અમને સ્વપ્ન આવ્યું નથી, પણ અમે જૈન આગમોથી બધું જાણીએ છીએ. રાણીએ પૂછ્યું કે, મહારાજ ! શાં શાં કાર્ય કરવાથી પ્રાણી નરકે પડે છે? ગુરુએ જવાબ દીધો કે, એક તો મહા આરંભ કરવાથી, બીજું મહાપરિગ્રહ ઉપર મૂર્ણ રાખવાથી, ત્રીજું માંસનું કે માંસના જેવું ભોજન કરવાથી અને ચોથું પંચેન્દ્રિ જીવનો વધ કરવાથી પ્રાણી નરકે ઉત્પન્ન થાય છે. વળી બીજી રાત્રીએ દેવતાએ તેને દેવલોકનાં સુખ સ્વપ્નમાં બતાવ્યાં. રાજાએ તે સાંભળીને સર્વ દર્શનોના મુનિને પૂછતાં બરાબર ઉત્તર નહીં મળવાથી, જૈનાચાર્યને પૂછ્યું, તો રાણીએ જેવું સ્વપ્ન વિષે જોયું હતું, તેવું જ ધ્યાન મળવાથી તેણી ઘણી જ ખુશી થઈ પૂછવા લાગી કે, સ્વર્ગનું સુખ કેમ મળે? ગુરુએ જણાવ્યું કે, શ્રાવક અથવા સાધુનો ધર્મ પાળવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. રાણી આ સાંભળી તેમના પર ઘણી જ પ્રસન્ન થઈ. પોતાના પતિને કહેવા લાગી કે, સ્વામિન ! આપ આજ્ઞા આપો તો હું દીક્ષા લઉં. રાજાનો રાણી ઉપર એટલો બધો પ્રેમ હતો કે, તે તેણીના વિયોગે ઘડીવાર રહી શકતો નહોતો, પણ તેણીએ જ્યારે ઘણો આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું કે, જો તું દરરોજ મારા ઘરે ભોજન લેવા આવે તો હું તને દીક્ષા લેવાની રજા આપું. તેણીએ એ વાત કબૂલ કરવાથી રાજાએ અરણિકા પુત્રાચાર્ય પાસે મોટા મહોત્સવ પૂર્વક તેણીને દીક્ષા અપાવી. દીક્ષા લીધા પછી દરરોજ રાજાને એક વખત દર્શન આપવા જતી હતી. એમ કેટલોક કાળ વીત્યા બાદ એક વખત ત્યાં જ્ઞાનના ઉપયોગથી દુકાળ પડવાનું જાણી આચાર્યે પોતાના ચેલાઓને ત્યાંથી બીજે દેશ વિહાર કરી જવાનું કહેવાથી તેઓએ વિહાર કર્યો. આચાર્ય મહારાજ એકલા ત્યાં રહ્યા. પુષ્પચૂલા આચાર્ય મહારાજને આહાર પાણી વગેરે લાવી આપતી. શુશ્રુષા અને વૈયાવચ્ચ કરવામાં અગ્લાનપણે તત્પર રહેતી હતી. એ પ્રમાણે વૈયાવચ્ચ કરવામાં રહેતાં કેટલોક કાળ પછી શપક શ્રેણી પર ચડીને તેણીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે પણ ગુરુની વૈયાવચ્ચ કરવામાં હંમેશાં તત્પર રહેતી અને તેમની જે વસ્તુ પર રુચિ હોય તે લાવી આપતી. એકદા સમયે ગુરુએ તેણીને પૂછ્યું કે, ભદ્રે ! આજ કેટલો એક વખત થયાં મારા મનગમતાં જ આહાર-પાણી લાવે છે તે શું? આની તને શી રીતે Page #179 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૫૪ ખબર પડે છે? તને કંઈ જ્ઞાન થયું છે? તેણીએ કહ્યું કે, હે પૂજ્ય ! જે જેની પાસે રહેતા હોય તે તેના સહવાસથી તેના વિચારને કેમ ન જાણી શકે? (પણ મને કેવળજ્ઞાન થયું છે તેમ જણાવ્યું નહીં. કારણ કે તે જાણીને તો આચાર્ય તેણીની પાસે આહાર પાણી મંગાવે નહીં) એક વખતે વરસાદ વરસતાં આહાર પાણી લઈ આવી તેથી આચાર્યે કહ્યું કે, લ્યાણી ! તું શ્રુતસિદ્ધતના જ્ઞાનથી આહાર-પાણી લાવવાના આચારને જાણવા છતાં વરસાદ વરસતાં આહાર-પાણી કેમ લાવી ? તેણીએ કહ્યું કે, જ્યાં જ્યાં અપકાય અચિત વર્ષ છે તે તે પ્રદેશમાં રહીને આહાર લાવી છું, માટે આ આહાર અશુદ્ધ નથી. ગુરુએ પૂછ્યું કે, તેં અચિત પ્રદેશ કેમ જાણ્યો? તેણીએ કહ્યું કે, જ્ઞાનથી આચાર્યે પૂછ્યું કે, ક્યા જ્ઞાનથી; પ્રતિપાતી ? (આવ્યા પછી જતું રહે) કે અપ્રતિપાતી? (આવ્યા પછી જાય નહીં) તેણીએ ઉત્તર વાળ્યો કે, આપના પસાયથી અપ્રતિપાતી (કેવળ) જ્ઞાન વડે જાયું. આચાર્ય મહારાજે, “અહો ! મેં કેવળીની આશાતના કરી" એમ કહી તેણીને ખમાવી મિચ્છામી દુક્કડં દીધું. પછી પુષ્પચૂલાને પૂછ્યું કે, મને કેવળજ્ઞાન થશે કે કેમ? કેવલીએ કહ્યું, હા, તમને ગંગા નદીની પેલી પાર ઊતરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. કેટલાક વખત પછી તે આચાર્યને કેટલાક લોકોની સાથે ગંગા નદી ઊતરતાં જે તરફ આચાર્ય બેસે તે તરફની નાવડીનો ભાગ નમવા લાગ્યો. વચમાં બેસવા માંડ્યું એટલે આખી નાવડી ડૂબી જતી દેખી સર્વ લોકોએ તેમને ઉપાડી નદીમાં નાખી દીધા. આચાર્યે પૂર્વભવમાં અપમાન કરેલી પૂર્વભવની સ્ત્રી વંતરી થઈ હતી તે નાવડી ડૂબાડતી હતી. પેલા નદીમાં નંખાયેલા આચાર્ય પાણીમાં પડતાં એક શૂલી ઊભી કરેલી હોવાથી તેના પર પડતાં તે લોહીલુહાણ થઈ ગયા, છતાં પણ હા હા ! આ મારા લોહીથી અપકાય જીવની વિરાધના થાય છે એમ વિચારતાં વિચારતાં તેમને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી અંતગડ કેવળી થઈ મોક્ષે ગયા. કેવળજ્ઞાન પામ્યા પછી થોડા જ વખતમાં મોક્ષે જાય તે અંતગડ કેવળી કહેવાય છે.) તેની પાસે દેવતાઓએ તેમનો કેવળ મહોત્સવ કરવાથી ત્યાં પ્રયાગ એવા નામનું તીર્થ પ્રવૃત્ત થયું. મહેશ્વરી લોકો પોતાનાં અંગ ઉપર કૈલાસ પામવા માટે કે અભીષ્ટ મેળવવા માટે ત્યાં કરવત મુકાવે છે. પુષ્પચૂલા કેવલી પૃથ્વી પર વિચરતાં ઘણા લોકોને બોધ અને લાભ આપી છેવટે સર્વ કર્મ ક્ષય કરી મોક્ષે ગયાં. આ પૂષ્પચૂલાનું ગુણોથી પવિત્ર એવું ચરિત્ર સાંભળીને જે ભવ્યો પોતાના ગુરુના ચરણકમલ સેવવામાં તત્પર રહે છે, તે શાશ્વત સ્થાન પામે છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૫૫ * જમાલી ૬૫. કુંડપુર નામના નગરે જગદ્ગુરુ શ્રી મહાવીર સ્વામીની બહેનનો પુત્ર ભાણેજ) જમાલી નામનો એક રાજપુત્ર રહેતો હતો. તે શ્રી મહાવીર સ્વામીની દીકરી પ્રિયદર્શના વેરે પરણ્યો હતો. એકદા કેવળજ્ઞાન પામ્યા પછી શ્રી વીરભગવાન વિચરતાં વિચરતાં તે નગરના ઉદ્યાનમાં આવ્યા જાણી જમાલી તેમને વાંદવા ગયો. પ્રદક્ષિણા દઈને પાસે બેઠા પછી પ્રભુએ દેશના આપી કે : ઘર, મિત્ર, પુત્ર સ્ત્રી વર્ગ, ધાન્ય, ધન આ સર્વ મારાં છે. એ હું કમાયો છું. એવો વિચાર કરે છે, પણ મૂર્ખ એવો વિચાર કરતો નથી કે, આ સર્વ અહીંયાં જ મૂકીને જવાનો છું." આવી પ્રભુની વાણી સાંભળીને ઘેર આવી ઘણા જ આગ્રહથી માતપિતાની આજ્ઞા લઈ જમાલીએ પાંચસો ક્ષત્રિઓ સહિત અને પ્રિયદર્શનાએ એક હજાર સ્ત્રી સહિત પ્રભુ પાસે આવી દીક્ષા ગ્રહણ કરી. અગિયારે અંગ ભણ્યા પછી જમાલીએ ભગવંત પાસે આવી પાંચસોની સાથે જુદા વિહાર કરવાની રજા માગી ભગવંતે તેનો કંઈ પણ ઉત્તર નહીં આપવાથી જાતે અનુમતિ સમજી લઈને તેણે પોતાના પાંચસો શિષ્યો સાથે જુદો વિહાર કર્યો. એક વખતે શ્રાવસ્તી નગરના બિંદુક નામના ઉદ્યાનમાં ઊતર્યો. ત્યાં અંત પ્રાંત તુચ્છ આહાર મળવાથી જમાલીના શરીરમાં એવો રોગ ઉત્પન્ન થયો કે તેની શક્તિ જતી રહેવાથી બિલકુલ બેસી શકાતું નહીં. તેથી ચેલાઓને આજ્ઞા કરી કે, મારાથી બેસી શકાતું નથી માટે મારા સારુ જલદી સંથારો પાથરો" જેથી હું તેના ઉપર સૂઈ જઈશ. શિષ્યોએ સંથારો બિછાવવા માંડ્યો, પણ તેને દાહજવર વગેરેની વેદના અત્યંત વધી જવાથી ઉતાવળા થઈ જમાલીએ પૂછ્યું કે, અરે ! સંથારો બિછાવ્યો કે નહીં?" ચેલાઓએ સંથારો અરધો બિછાવ્યો હતો અને અરધો બિછાવવાનો હતો છતાં પણ તેમને સાતા આપવા માટે ઉત્તર આપ્યો કે, હા! બિછાવી દીધો છે.” વેદનાથી અકળાઈ ઊઠેલા જમાલી તત્કાળ ઊઠીને ત્યાં આવી જુએ છે તો હજી સંથારો પૂરો પાથરેલ ન હતો, તેથી બેધાયમાન થઈ, “કડમાણેકડે” (કરવા માંડ્યું તે થયું) એવું Page #181 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૫૬ સિદ્ધાંતનું વાક્ય યાદ લાવી મિથ્યાત્વનો ઉદય થવાથી વિચારવા લાગ્યો કે “કડમાણેકડે ચલમાણે ચલીએ ઇત્યાદિક ભગવંત વાક્યો જૂદાં છે. મને પ્રત્યક્ષ દેખાય છે કે, આ સંથારો કરવા માંડ્યો છે, પણ હજી થયો નથી. માટે સમસ્ત વસ્તુ કરવા માંડી એટલે થઈ એમ ન કહેવાય. થઈ રહ્યા પછી થઈ કહેવાશે. જે ઘંટાદિ કાર્ય છે તે ક્રિયા કાળને અંતે જ થયેલ દેખાય છે. માટીના પિંડ વગેરે કાળમાં ધટાદિ કાર્ય થયું ન કહેવાય. આ વાત બાળકથી માંડી સર્વજન પ્રસિદ્ધ જ છે. જે કાર્ય છે તે ક્રિયા પછી હોય છે." આવો વિચાર કરીને પોતાના શિષ્યોને સ્વકલ્પિત આશય કહ્યો, ત્યારે પોતાના ગચ્છમાં રહેલા શ્રતંસ્થવિરોએ કહ્યું કે, “હે આચાર્ય ! ભગવંતનું વચન બરાબર તમારા સમજવામાં આવ્યું નથી તેથી તમને અસત્ય લાગે છે, પણ તે વાક્ય પ્રત્યક્ષ વિરુદ્ધ નથી. એક ઘટાદિ કાર્યમાં અવાંતર (વચલા ભાગમાં) કારણ અને કાર્યો એટલાં બધાં થાય છે કે, તેની સંખ્યા પણ માપી શકાતી નથી માટી લાવવી, મર્દન કરવું, પિંડ બાંધવો, ચાક પર ચઢાવવું, દંડથી ચનું ભ્રમણ કરવું, વગેરે જે કારણો છે, તે કાર્ય બનવાની વચમાં જોવામાં આવે છે, તે ઘટ નિવર્તન કિયા કાળ છે એવો તમારો અભિપ્રાય છે, પણ તે અયુક્ત છે. ઉપરનાં જે જે કારણો છે તે સર્વે ઘટરૂપ કાર્યનાં જ કારણ છે. તે જ્યાંથી શરૂ થયાં ત્યાંથી તેને કાર્યો બનવાથી જ છેવટે ઘરરૂપ કાર્ય થઈ શકે છે. વચ્ચેનાં કારણો થયા વગર છેવટનું ઘટરૂપ કાર્ય બની શકે નહીં. વચ્ચે જે ભિન્ન ભિન્ન કાર્ય થાય છે તે થયા વગર ઘરરૂપ કાર્યની સિદ્ધિ થાય નહીં. ઘટ તો છેલા કાળે થશે, પણ વચ્ચે જે કાર્યો થયાં તે પણ ઘટકાર્ય ગણાશે. અહીંયાં અર્ધ સંથારો થયો છે તો થયો જ, બાકી હવે તો તેના ઉપર વસ્ત્ર આચ્છાદન કરવા વગેરેનું કાર્ય જે બાકી છે, તે કાર્ય સંથારાની પૂર્ણતાનું છે. તે ક્ય પહેલાં પણ સંથારો પાથર્યો નથી એમ તો કંઈ બોલી શકાતું નથી, માટે ભગવંતનું આ વાક્ય વિશિષ્ટ પ્રક્રિયાની અપેક્ષાવાળું છે એમ સમજવું." કેવળજ્ઞાનના આલોકથી વૈલોક્યની વસ્તુઓને જાણનારા એવા સર્વજ્ઞ શ્રી વીરપ્રભુનું કથન જ અમારે પ્રમાણ છે. તેની પાસે તમારી યુક્તિ બધી મિથ્યા છે. તે જમાલી ! તમે જે કહ્યું કે, 'મહાન પુરુષોને પણ સ્કૂલના થાય છે તે તમારું વચન મત્ત, પ્રમત્ત અને ઉન્મત્તના જેવું છે. જે કરાતું હોય તેને કરેલું કહેવું એવું સર્વજ્ઞનું ભાષિત બરાબર જ છે. નહીં તો તેમના વચનથી તમે રાજ્ય છોડીને શા માટે દીક્ષા લીધી ? એ મહાત્માના નિર્દોષ વચનને દૂષિત કરતાં તમે કેમ લાજતા નથી ? અને આવા સ્વકૃત કર્મથી તમે શા માટે ભવસાગરમાં નિમગ્ન થાઓ છો ? તેથી તમે શ્રી વીર પ્રભુ પાસે જઈ આ બાબતનું Page #182 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૫૭ પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરો, તમારું તપ અને જન્મ નિરર્થક કરો નહીં' જે પ્રાણી અરિહંતના એક અક્ષર ઉપર પણ શ્રદ્ધા રાખે નહીં તે પ્રાણી મિથ્યાત્વને પામીને ભવપરંપરામાં રખડે છે. આ પ્રમાણે સ્થવિર મુનિઓએ જમાલિને ઘણી રીતે સમજાવ્યો તથાપિ તેણે પોતાનો કુમત છોડ્યો નહીં માત્ર મૌન ધરીને રહ્યો. એટલે કે કુમતધારી જમાલિને છોડીને કેટલાક સ્થવિર મુનિ તો તરત જ પ્રભુ પાસે ચાલ્યા ગયા અને કેટલાક તેની પાસે રહ્યા. પ્રિયદર્શનાએ પરિવાર સહિત સ્ત્રી જાતિને સુલભ એવા મોહ (અજ્ઞાન)થી અને પૂર્વના સ્નેહથી જમાલિના પક્ષને સ્વીકાર્યો. અનુક્રમે જમાલિ ઉન્મત થઈ બીજા માણસોને પણ પોતાનો મત ગ્રહણ કરાવવા લાગ્યો અને તે પછી તે કુમતને ફેલાવવા લાગ્યા. જિનેન્દ્રના વચનને હસી કાઢતો અને હું સર્વજ્ઞ છું એમ કહેતો જમાલિ પરિવાર સહિત વિહાર કરવા લાગ્યો. પ્રિયદર્શના એકદા ટંક નામના કુંભકાર શ્રાવકને ઘેર ઊતરી, તેને પોતાના મતમાં ખેંચી લાવવા ભરમાવા લાગી. પણ તેણે તો જાણ્યું કે, આને તો ખરેખર મિથ્યાત્વ વાસના પેઠી છે, તેથી તેણીને સમજાવવાની બુદ્ધિથી કહ્યું કે, આવી ઝીણી બાબતોમાં તો હું કંઈ સમજતો નથી, કુંભારને ત્યાં એકા પોતાના નિભાડામાંથી ઘડા કાઢતાં મૂકતાં એક અંગારો પ્રિયદર્શનાના વસ્ત્રના છેડા ઉપર નાખવાથી તેણીની સંઘાડી પર એક બાકોરું પડી ગયું તેથી બોલવા લાગી કે, શ્રાવક ! તેં તો મારી સંઘાડી બાળી નાખી. તેણે કહ્યું, ભદ્રે ! આ તે તમે શું બોલો છો ? આ તો ભગવંતનું વચન છે. તે તમો ક્યાં માનો છો ? આ તમારી સંઘાડી જો આખી બળી ગઈ હોય તો તમારાથી બોલી શકાય કે સંઘાડી બળી ગઈ, પણ સંઘાડીનો એક ખુણો બળવાથી તે બળી ગઈ એમ ન ગણાય; કેમ કે તમો તો કાર્ય પૂર્ણ થયા પછી કાર્ય થયું એમ માનો છો, માટે આ સંઘાડીના એક ખૂણાના બળવાથી તે બળી ગઈ એમ ન કહેવાય. આખી બળી ગઈ હોય તો જ તમારાથી બળી એમ કહેવાય. આવાં વચનથી પ્રિયદર્શના તત્કાળ સમજી ગઈ અને બોલી કે, આ ખરી યુક્તિથી મને સમજાવી તે ઠીક કર્યું. પછી ભગવંતનું વચન ખરું છે એમ માની આગળની કુશ્રદ્ધનું મિચ્છામિ દુકકડ દીધું. જમાલીની પાસે જઈ એને યુક્તિથી બોધ આપવા માંડી, પણ તેણે તો કંઈ નહીં માનવાથી તેનો ગચ્છ છોડી દઈ ભગવંતની પાસે જઈ રહી Page #183 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૫૮ જ્યારે ભગવંત ચંપાનગરે આવ્યા ત્યારે જમાલી તેમની પાસે આવી કહેવા લાગ્યો કે, એક મારા વગર આ તમારા સર્વ શિકો છદ્મસ્થ છે અને હું તો પોતે જ કેવળી છું, સર્વજ્ઞ છું. ત્યારે ગૌતમ સ્વામીએ કહ્યું કે, આવું અશક્ય બોલ નહીં કેમ કે ભગવંતનું વચન કોઈ વખત પણ સ્પલાયમાન થાય જ નહીં. જો તું કેવળી છે તો હું પૂછું તેનો ઉત્તર આપ : આ લોક શાશ્વત છે કે અશાશ્વત છે? આ જીવો શાશ્વત છે કે અશાશ્વત છે ? (નિત્ય છે કે અનિત્ય છે ?)" આનો ઉત્તર નહીં મળવાથી તે બંધન પતિત સર્પની પેઠે મૌન થઈ ગયો. ભગવંતે કહ્યું કે, હે જમાલી? આ અમારા કેટલાક શિષ્યો છhસ્થ છે તે પણ આનો ઉત્તર આપી શકે છે કે, હતો, હશે અને છે. એવા ત્રણ કાળની અપેક્ષાએ આ લોકશાશ્વત છે અને ઉત્સર્પિણી અવસર્પિણી કાળની અપેક્ષાએ આ લોક અશાશ્વત છે. દ્રવ્યરૂપે આ જીવ શાશ્વત છે અને નર, નારક, તિર્યંચ આદિરૂપ પર્યાયની અપેક્ષાએ આ જીવો અશાશ્વત છે. આવાં વચનો પ્રભુએ કહ્યાં છતાં પણ તેને નહીં માનતા બીજા કેટલાક ઉસૂત્રોની પ્રરૂપણા કરીને મિથ્યાભિનિવેશી મિથ્યાત્વથી લોકોને ભરમાવતો છેવટે અનસન કરી, આલોયણા લીધા વગર અને તે પાપ પડીકમ્યા વગર છઠ્ઠા લાંતક દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો. જમાલીને મૃત્યુ પામેલો જાણી ગૌતમે શ્રીવીર પ્રભુને વંદના કરીને પૂછ્યું, હે સ્વામી તે મહાતપસ્વી જમાલી કઈ ગતિને પામ્યો છે?' પ્રભુએ કહ્યું કે, તે તપોધન જમાલિ લાંતક દેવલોકમાં તેર સાગરોપમ આયુષ્યવાળો કિલ્વિષિક દેવતા થયો છે. ગૌતમે ફરીથી પૂછ્યું કે, તેણે મહા ઉગ્રતપ કર્યું હતું, તથાપિ તે કિલ્વિષિક દેવ કેમ થયો? અને ત્યાંથી ચ્યવીને ક્યાં જશે?' પ્રભુ બોલ્યા કે, જે પ્રાણી ઉત્તમ આચારવાળા ધર્મગુરુ (આચાર્ય), ઉપાધ્યાય, કુળ, ગણ તથા સંઘનો વિરોધી હોય, તે ગમે તેટલી તપસ્યા કરે તો પણ કિલ્વિષિકાદિ હલકી જાતિનો દેવતા થાય છે. જમાલી પણ તે દોષથી જ કિલ્વિષિક દેવ થયેલો છે. ત્યાંથી આવી પાંચ પાંચ ભવતિર્યંચ, મનુષ્ય અને નારકીના ફરી ફરીને બોધિબીજ પ્રાપ્ત કરી છેવટે નિર્વાણને પામશે. તેથી કોઈ પણ પ્રાણીએ ધર્માચાર્ય વગેરેના વિરોધી થવું નહીં. અસર આ સંસારમાં, રમતા બધાયે સ્વાર્થમાં, આ દિવ્ય જીવન મેળવી તું, ગાળજે પરમાર્થમાં. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. 3. ૪. ૫. ૬. શાલિભદ્રજી શાલિભદ્રના પિતા દેવ બન્યા. તેઓ દિવ્ય ખાનપાન, વસ્ત્રો, ઝવેરાતની ૯૯ પેટીઓ નિત્ય મોકલતા હતા. પરંતુ માતા દ્વારા "શ્રેણિક આપણા માલિક રાજા છે" જાણતાં જ વિરક્ત થયા. ધન્નાજી સ્નાન કરતાં, પોતાની પત્ની સુભદ્રાને બોલ્યા, “મારો ભાઈ શાલિભદ્ર દીક્ષાર્થે રોજ પોતાની ૧-૧ પત્નીનો ત્યાગ કરે છે.” તે સાંભળીને સુભદ્રાએ કહ્યું, "એમાં શું ? બોલવું સરળ છે, કરવું કઠિન." ત્યારે ધન્નાજી દીક્ષા લેવા ચાલી નીકળ્યા. ધન્નાજી શાલિભદ્રને કહે છે, “વૈરાગ્ય છે તો એક પત્નીને શા માટે છોડવી ? ચાલ, હમણાં જ આપણે બંને દીક્ષા લઈ લઈએ." શાલિભદ્ર, ધન્નાજી બંને પ્રભુ મહાવીર દેવની પાસે મુનિ થયા. ઉગ્ર તપસ્યા કરી. શાલિભદ્ર ભૂતપૂર્વ માતાને ત્યાં ભિક્ષા લેવા ગયા છે. પરંતુ તપથી કૃશ બનેલા મુનિને ન ઓળખવાને કારણે ભિક્ષા ના મળી. ત્યારે પૂર્વભવની માતાએ પાછા ફરતાં એમને માર્ગમાં દહીંનું દાન કર્યું. વૈભારગિરિ પર અંતિમ અનશન કરીને અનુત્તરવાસી દેવ બન્યા. શોકાતુર માતાને શ્રેણિક આશ્વાસન તથા ધન્યવાદ આપે છે. ધન્ય શાલિભદ્ર મહાત્મા Page #185 -------------------------------------------------------------------------- ________________ शालिभद्र और धनाजी CU Page #186 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૫૯ | ધના/શાલિભદ્ર ધન્યા નામની સ્ત્રી રાજગૃહ નગરની નજીક શાળિ નામે ગામમાં આવીને રહી હતી. તેનો બધો વંશ ઉચ્છેદ થઈ ગયો હતો. માત્ર સંગમક નામનો એક પુત્ર બાકી રહ્યો હતો. તેને તે સાથે લાવી હતી. કેમ કે ગમે તેવાં દુઃખમાં પણ પોતાના ઉદરથી થયેલું સંતાન છોડી દેવું અશક્ય છે. તે સંગમક નગરજનોનાં વાછરડાં ચારતો હતો. ગરીબ હોવાથી આવી મૂદુ આજીવિકા પણ જરૂરી હતી. એક વખત કોઈ પર્વોત્સવનો દિવસ હતો. તે સમયે ઘેર ઘેર ખીરના ભોજન થતાં સંગમકના જોવામાં આવ્યાં. તેથી તે મુગ્ધ બાળકે ઘેર જઈ પોતાની માતા પાસે ખીરની માગણી કરી. તે બોલી, પુત્ર, હું દરીદ્ર છું. મારી પાસે ખીરનું સાધન ક્યાંથી હોય?' જ્યારે અજ્ઞાન વશ બાળકે વારંવાર તેવી માગણી કરી ત્યારે ધન્યા પોતાના પૂર્વ વૈભવને સંભારતી રુદન કરવા લાગી. તેનું રુદન સાંભળી તેની પડોશણોએ તેની પાસે આવી તેના દુઃખનું કારણ પૂછ્યું. એટલે ધન્યાએ ગગદ કંઠે તેમને પોતાના દુ:ખનું કારણ કહ્યું. પછી તે બધીએ મળીને તેને દૂધ, સાકર વગેરે લાવી આપ્યું. એટલે તેણીએ ખીર રાંધી અને એક થાળમાં કાઢી પોતાના પુત્રને આપીને પોતે કોઈ ગૃહકાર્ય અંગે બહાર ગઈ. એ સમયે કોઈ માસક્ષમણના તપસ્વી મુનિ પારણાને માટે અને સંગમકને ભવસાગરથીતારવાને માટે ત્યાં આવી ચડ્યા. તેમને જોતાં જ સંગમક વિચાર કરવા લાગ્યો કે, 'આ સચેતન ચિંતામણિ રત્ન, જંગમ કલ્પવૃક્ષ અને કામધેનુ રૂપ મુનિ મહારાજ મારા ભાગ્યથી આ વખતે આવી ચડ્યા તે બહુ જ સારું થયું, નહીં તો મારા જેવા ગરીબને આવા ઉત્તમ પાત્રનો યોગ ક્યાંથી થાય? મારા કોઈ ભાગ્યના યોગે આજે ચિત્ત, વિત્ત અને પાત્ર એ ત્રિવેણીનો સંગમ થયો છે. આ પ્રમાણે વિચાર કરી તેણે થાળમાં રહેલી બધી ખીર મુનિને વહોરાવી દીધી. દયાળુ મુનિએ તેના અનુગ્રહને માટે ગ્રહણ પણ કરી. મુનિ ઘરની બહાર નીકળ્યા. ધન્યા બહારથી ત્યાં આવી, અને થાળમાં ખીર ન દેખવાથી પોતે આપેલી ખીર પુત્ર ખાઈ ગયો હશે એવું ધારી તેણે ફરીથી બીજી ખીર આપી, તે ખીર સંગમકે અતૃમપણે કંઠ સુધી ખાધી, જેથી તેના અજીર્ણ વડે તે જ રાત્રે પેલા મુનિને સંભારતો સંગમક મરણ પામ્યો. | મુનિદાનના પ્રભાવથી સંગમકનો જીવ રાજગૃહી નગરીમાં ગોભદ્રશેઠનીભદ્રા નામની સ્ત્રીના ઉદરે આવ્યો. ભદ્રાએ સ્વપ્નમાં પાકેલું શાળિક્ષેત્ર જોયું. તેણીએ તે વાર્તા પતિને કહી એટલે પતિએ પુત્ર થશે એમ કહ્યું. પછી હું દાન ધર્મ વગેરે સુકૃત્યો કરું એવો ભદ્રાને Page #187 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૬૮ દોહલો થયો. ગોભદ્ર શેઠે તે દોહલો પૂર્ણ કર્યો. સમયપૂર્ણ થતાં ભદ્રાએ પુત્ર રત્નને જન્મ આપ્યો. જોયેલા સ્વપ્નને અનુસાર માતાપિતાએ શુભ દિવસે તેનું શાળિભદ્ર નામ પાડ્યું. તે આઠ વર્ષનો થયો ત્યારે તેને પિતાએ નિશાળે મૂકીને બધી કળાઓ ભણાવી. યૌવન વય પ્રાપ્ત થતાં સમાન વયના મિત્રોની સાથે રમવા લાગ્યો. તેનગરના શ્રેષ્ઠીઓએ પોતપોતાની બત્રીસ કન્યાઓ શાળિભદ્રને આપવાને ગોભદ્ર શેઠને વિજ્ઞપ્તિ કરી. ગોભદ્ર શેઠે હર્ષ પામી તેનો સ્વીકાર ર્યો અને સર્વલક્ષણ સંપૂર્ણ બત્રીશ કન્યાઓ શાળિભદ્રને પરણાવી. પછી વિમાનના જેવા રમણીય પોતાના મંદિરમાં સ્ત્રીઓની સાથે શાળિભદ્ર વિલાસ કરવા લાગ્યો. માતાપિતા તેને ભોગસામગ્રી પૂરી પાડતા હતા. અન્યથા ગોભદ્ર શેઠે શ્રી વીર પ્રભુની પાસે દીક્ષા લીધી અને વિધિપૂર્વક અનશન કરીને તે દેવલોક ગયા. ત્યાંથી અવધિજ્ઞાન વડે પોતાના પુત્ર શાળિભદ્રને જોઈ તેના પુણ્યથી વશ થઈને તે પુત્રવાત્સલ્યમાં તત્પર થયા અને કલ્પવૃક્ષની જેમ તેને અને તેની બત્રીસ સ્ત્રીઓને પ્રતિદિન દિવ્ય વસ્ત્ર અને નેપથ્ય વગેરે પૂરવા લાગ્યા. અહીં પુરુષને લાયક જે જે કાર્ય હોય તે ભદ્રામાતા કરતી હતી અને શાળિભદ્ર તો પૂર્વદાનના પ્રભાવથી કેવળ ભોગોને જ ભોગવતો હતો. એકદા કોઈ પરદેશી વેપારીરત્ન કંબળ લઈને શ્રેણિક રાજા પાસે વેચવા આવ્યા. પણ તેની કિંમત બહુ વિશેષ હોવાથી શ્રેણિક તે ખરીદી નહીં. એટલે તેઓ હતાશામાં ફરતા ફરતા ભદ્રાના બોલાવવાથી શાળિભદ્રને ત્યાં જઈ પહોંચ્યાં. ભદ્રા માતાએ મોં માગ્યું મૂલ્ય આપીને તે સર્વ કાંબળ ખરીદી લીધી. શ્રેણિકની રાણી ચેલણાએ તે જ દિવસે શ્રેણિકને કહ્યું કે, મારે યોગ્ય એક રત્ન કંબળ લાવી આપો. એટલે શ્રેણિક રાજાએ એક રત્ન કંબળ ખરીદવા તે વ્યાપારીને પાછો બોલાવ્યો. વેપારીએ કહ્યું કે રત્ન કંબળો તો બધી જ ભદ્રાએ ખરીદી લીધી છે. તેથી શ્રેણિક રાજાએ એક ચતુર પુરુષને મૂલ્ય આપીને રત્નકંબળ લેવા સારુ ભદ્રાની પાસે મોકલ્યો. તેણે આવી રત્ન કંબળ માગ્યું. એટલે ભદ્રા બોલી કે, શાળિભદ્રની સ્ત્રીઓને પગ લૂછવાને માટે રત્ન કંબળના કકડા કરીને મેં આપી દીધા છે, તેથી જો જીર્ણ રત્ન કંબળોથી કાર્ય થતું હોય તો રાજા શ્રેણિકને પૂછીને આવો અને લઈ જાઓ. ચતુર પુરુષે એ વૃત્તાંત રાજાને કહ્યો. તે સાંભળીને ચેલણા રાણી બોલી કે, જુઓ! તમારામાં ને એ વણિકમાં પિત્તળ અને સુવર્ણના જેટલું અંતર છે. પછી રાજાએ કૌતુકથી તે જ પુરુષને મોકલી શાળિભદ્રને પોતાની પાસે બોલાવ્યો. ત્યારે ભદ્રાએ રાજા પાસે આવી કહ્યું કે, મારો પુત્ર કદી પણ ઘરની બહાર નીકળતો નથી, માટે આપ મારે ઘેર પધારવાની કૃપા કરો. શ્રેણિકે કૌતુક ખાતર તેમ કરવા કબૂલ કર્યું. એટલે ક્ષણ વાર પછી આવવાનું આમંત્રણ આપી ભદ્રા ઘેર ગઈ અને તેટલા વખતમાં સુંદર વસ્ત્રો અને રત્નો વડેરાજમાર્ગની શોભા રાજમહેલથી પોતાના ઘર સુધી અતિ સુંદર કરાવી. વખત થતાં શ્રેણિક રાજા માર્ગની Page #188 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૬૧ શોભા જોતો જોતો શાળિભદ્રને ઘેર આવ્યો.ઘરે સુવર્ણના સ્તંભ ઉપર ઇંદ્રનીલમણિનાં તોરણો ઝૂલતાં હતાં. દ્વાર ઉપર મોતીના સાથિયાની શ્રેણીઓ કરેલી હતી. સ્થાને સ્થાને દિવ્ય વસ્ત્રના ચંદરવા બાંધ્યા હતા. અને આખું ઘર સુગંધીદ્રવ્યથી ધૂપિત થયેલું હતું. વિસ્મય વડેવિકસિત નેત્રો કરતા રાજા ચોથા માળ સુધી ચડી સુશોભિત સિંહાસને બેઠા. પછી ભદ્રામાતાએ સાતમે માળે રહેતા શાળિભદ્ર પાસે જઈને કહ્યું કે, "પુત્ર! શ્રેણિક આવેલ છે તો તું તેને જોવાને ચાલ." શાલિભદ્ર બોલ્યો : "માતા ! તે બાબતમાં તમે સર્વ જાણો છો, માટે જે મૂલ્ય આપવા યોગ્ય હોય તે તમે આપો. મારે ત્યાં આવીને શું કરવું છે?" ભદ્રા બોલી: પુત્ર ! શ્રેણિક એ કાંઈ કરિયાણું (ખરીદવાનો પદાર્થ) નથી, પણ તે તો બધા લોકોનો અને તારો પણ સ્વામી છે." તે સાંભળી શાળિભદ્ર ખેદ પામ્યા. છતાં ચિંતવ્યું કે મારા આ સાંસારિક ઐશ્વર્યને ધિક્કાર છે કે જેમાં મારો પણ બીજો સ્વામી છે; માટે મારે સર્પની ફેણ જેવા આ ભોગથી હવે સર્યું. હવે તો હું શ્રી વીર પ્રભુનાં ચરણમાં જઈ સત્વર વ્રત ગ્રહણ કરીશ. આ પ્રમાણે તેને ઉત્કટ સંવેગ પ્રાપ્ત થયો. તથાપિ માતાના આગ્રહથી તે સ્ત્રીઓ સહિત શ્રેણિક રાજા પાસે આવ્યો અને વિનયથી રાજાને પ્રણામ કર્યા. રાજા શ્રેણિકે તેને આલિંગન કરી સ્વપુત્રવત પોતાના ખોળામાં બેસાડ્યો અને સ્નેહથી મસ્તક સુધી ક્ષણ વાર હર્ષાશ્રુ મૂક્યાં. પછી ભદ્રા બોલી કે, હે દેવ! હવે એને છોડી દો એ મનુષ્ય છે. છતાં મનુષ્યનાં ગંધથી બાધા પામે છે. તેના પિતા દેવતા થયા છે. તે સ્ત્રીઓ સહિત પોતાના પુત્રને દિવ્ય વેષ, વસ્ત્ર તથા અંગરાગ વગેરે પ્રતિદિન આપે છે. આ સાંભળી રાજાએ શાલિભદ્રને રજા આપી. એટલે તે સાતમે માળે જતો રહ્યો. ભદ્રામાતાની વિજ્ઞમિથી રાજા શ્રેણિક ભોજન લેવા ત્યાં રહ્યા. ભદ્રામાતાએ રસોઈ તૈયાર કરાવી અને રાજાને યોગ્ય તેલ અને ચૂર્ણ વડે રાજાએ સ્નાન કર્યું. સ્નાન કરતાં શ્રેણિકની અંગૂઠી ભવનની વાવડીમાં પડી ગઈ. રાજા આમતેમ શોધવા લાગ્યો, એટલે ભદ્રાના કહેવાથી ઘસીએ વાવનું જળ બીજી બાજુ કાઢી નાખ્યું. તેમ કરતાં વાવડીમાં આભરણોની મધ્યમાં પોતાની ફીકી દેખાતી મુદ્રિકા જોઈને રાજા વિસ્મય પામી ગયો. રાજાએ આનું કારણ જાણવા દાસીને પૂછ્યું કે, આ બધું શું છે?' દાસી બોલી કે, દરરોજ શાળિભદ્રનાં અને તેની સ્ત્રીઓનાં નિર્માલ્ય આભરણો કાઢી નાખવામાં આવે છે તે આ છે !' તે સાંભળી રાજાએ વિચાર્યું કે, સર્વથા આ શાળિભદ્રને ધન્ય છે તેમજ મને પણ ધન્ય છે કે તેના રાજ્યમાં આવા ધનાઢ્ય પુરુષો પણ વસે છે. પછી રાજાએ પરિવાર સહિત ભોજન કર્યું અને રાજા પોતાના રાજમહેલે ગયો. હવે શાળિભદ્ર સંસારથી મુક્ત થવાનો વિચાર કરતો હતો. તેવામાં તેના એક ધર્મ મિત્રે જણાવ્યું કે, એક ધર્મઘોષ નામના મુનિ ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળી શાળિભદ્ર Page #189 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૬૨ હર્ષથી રથમાં બેસી ત્યાં આવ્યો. આચાર્યને અને બીજા સાધુઓને વાંદીને આગળ બેઠો. સૂરી દેશના આપી રહ્યા પછી તેણે પૂછ્યું કે, 'હે ભગવાન ! કેવાં કર્મથી રાજા સ્વામી ન થાય ? મુનિ બોલ્યા કે, જેઓ દીક્ષા ગ્રહણ કરે છે તેઓ આ બધા જગતના સ્વામી બને છે. શાળિભદ્રે કહ્યું કે, ‘જો એમ છે તો હું ઘેર જઈ મારી માતાની રજા લઈને દીક્ષા લઈશ.' સૂરી બોલ્યા કે, ધર્મકાર્યમાં પ્રમાદ ન કરવો.' પછી શાળિભદ્ર ઘેર ગયો અને માતાને નમસ્કાર કરીને કહ્યું કે, 'હે માતા ! આજે મેં શ્રી ધર્મધોષ સૂરિના મુખે ધર્મ સાંભળ્યો છે કે, જે ધર્મ આ સંસારનાં સર્વ દુ:ખથી છૂટવાના ઉપાય રૂપ છે.' ભદ્રા બોલી કે, 'વત્સ, તેં ઘણું સારું કર્યું કેમ કે તું તેવા ધર્મી પિતાનો જ પુત્ર છું. એટલે શાળિભદ્રે કહ્યું કે, માતા ! જો એમ જ હોય તો મારી ઉપર પ્રસન્ન થઈને મને રજા આપો, હું વ્રત ગ્રહણ કરીશ. કારણ કે હું તેવા પિતાનો પુત્ર છું. ભદ્રા બોલી : ‘વત્સ, તારો વ્રત લેવાનો મનોરથ યુક્ત છે, પણ તેમાં તો નિરંતર લોઢાના ચણા ચાવવાના છે. તું પ્રકૃતિમાં કોમળ છે અને દિવ્ય ભોગો ભોગવતો રહ્યો છે. તેથી મોટા રથને નાનાં વાછરડાંની જેમ તું શી રીતે વ્રતના ભારને વહી શકીશ ?' શાળિભદ્ર બોલ્યો : 'હે માતા ! ભોગલાલિત થયેલા જે લોકો વ્રતના કષ્ટને સહન કરે નહીં તેને કાયર સમજવા, માટે બધા કાંઈ તેવા હોતા નથી.' ભદ્રા બોલી : 'હે વત્સ ! જો તારો એવો જ વિચાર હોય તો ધીમે ધીમે થોડા થોડા ભોગનો ત્યાગ કરી પછી વ્રત ગ્રહણ કરજે.' શાળિભદ્રે તે વચન સત્વર માન્ય કર્યું, અને તે દિવસથી દરરોજ એક એક સ્ત્રીને અને એક એક શય્યાને તજવા લાગ્યો. તે જ નગરમાં ધન્ય નામે એક ધનવાન શેઠ રહેતો હતો. તે પણ ગયા ભવે શાળિભદ્રની માફક જ ગરીબ માએ દૂધ, ચોખા, સાકર વગેરે પાડોશી પાસેથી માગી ખીર બનાવી ખાવા આપેલ તે બધી તપસ્વી મુનિરાજ પધારતાં બધી જ વહોરાવી દીધેલ અને તે પુણ્યકર્મથી આ ભવે રિદ્ધિ સિદ્ધિ પામ્યો હતો. તે શાળિભદ્રની બહેન સાથે પરણ્યો હતો. પોતાના બંધુના વ્રત લેવાના સમાચાર જાણી પોતાના પતિ ધન્યને નવરાવતા આંખમાં આંસુ આવ્યાં. તે જોઈ ધન્યે પૂછ્યું કે, 'શા માટે રુએ છે ?' ત્યારે તે ગદ્ગદ થઈને બોલી કે, હે સ્વામી, મારો ભાઈ શાળિભદ્ર વ્રત લેવાને માટે પ્રતિદિન એક એક સ્ત્રી અને એકેક શય્યા તજી દે છે. તેથી મને રુદન આવી જાય છે.' તે સાંભળી ધન્ય મશ્કરીમાં કહ્યું કે, 'જે એવું કરે તે તો શિયાળના જેવો બીકણ ગણાય. જો વ્રત લેવું હોય તો વળી એકેક શું, મરદની માફક એકસાથે છોડી વ્રત લેવું જોઈએ. તેથી તારો ભાઈ તો સત્ત્વ હીન લાગે છે.' તે સાંભળી તેની બીજી સ્ત્રીઓ હાસ્યમાં બોલી ઊઠી કે, ‘હે નાથ ! એ વ્રત લેવું સહેલું છે તો તમે કેમ નથી લેતા ?' Page #190 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૬૩ ધન્ય બોલ્યો : 'ઓહો ! મારે વ્રત તો લેવું જ છે પણ તમે વિખરૂપ હતી, તે આજે 'પુણ્ય યોગે અનુકૂળ થઈ, તો હવે હું સત્વર વ્રત લઈશ. તેઓ બોલી કે, પ્રાણેશ! પ્રસન્ન થાઓ, અમે તો મશ્કરીમાં કહેતાં હતાં. સ્ત્રીઓનાં આવાં વચનના ઉત્તરમાં, આ સ્ત્રી અને દ્રવ્ય વગેરે સર્વ અનિત્ય છે. એટલે નિરંતર ત્યાગ કરવાને યોગ્ય છે, માટે હું તો અવશ્ય દીક્ષા લઈશ. આ પ્રમાણે બોલતાં ધન્ય તરત જ ઊભો થયો; એટલે અમે પણ તમારી પાછળ દીક્ષા લઈશું. એમ સર્વ સ્ત્રીઓ બોલી પોતાના આત્માને ધન્ય માનનારા મહા મનસ્વી ધન્ય તેમાં સંમતિ આપી. પ્રભુ મહાવીર તે વખતે વૈભારગિરિ ઉપર સમવસર્યા. આથી ધન્ય દિનજનોને પુષ્કળ દાન આપી સ્ત્રીઓ સહિત મહાવીર પ્રભુ પાસે દીક્ષા લેવા નીકળ્યા. રસ્તામાં શાળિભદ્રનું મકાન આવતું હોવાથી તેને બૂમ મારી નીચે બોલાવ્યો અને કહ્યું : "અરે મિત્ર! વ્રત લેવું એમાં વળી ધરિ ધીરે શું ? છોડવું તો એક સાથે ! ચાલ, હું બધી સ્ત્રીઓને છોડી દીક્ષા માટે જાઉં છું. દીક્ષા લેવી જ હોય તો ચાલ મારી સાથે, શાળિભદ્ર તો તૈયાર જ હતો. સીધા ત્યાંથી ભગવાન મહાવીર પાસે બધા આવ્યા અને દીક્ષા ગ્રહણ કરી. ઉગ્ર તપસ્યા બંને જણા કરવા લાગ્યા. માસ, બે માસ, ત્રણ માસ અને ચાર માસના ઉપવાસ કરતાં કરતાં માંસ અને રુધિર વગરના શરીરવાળા પ્રભુ મહાવીર સાથે વિહાર કરતાં કરતાં એક દિવસ પોતાની જન્મભૂમિ રાજગૃહી પધાર્યા. પોતાના મા ખમણના પારણાના દિવસે બંને મહાત્મા પારણા માટે ભિક્ષા લેવા જવાની આજ્ઞા લેવા પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ શાળિભદ્રને કહ્યું કે, “આજે તમારી માતા પાસેથી મળેલા આહારથી તમારે પારણું થશે એટલે હું ઇચ્છું છું. એમ કહી શાળિભદ્ર અને ધન્ય મુનિ બંને નગરમાં ગયા. બંને મુનિ ભદ્રાના ગૃહદ્વાર પાસે આવીને ઊભા રહ્યા, પણ તપસ્યાથી થયેલી અત્યંત કૃશતાને લીધે તેઓ કોઈના ઓળખવામાં આવ્યા નહીં. ભદ્રા માતા આ વખતે પ્રભુ સાથે શાળિભદ્ર અને ધન્ય પણ પધારેલ છે તે જાણી તેમને વાંદવા જવા તૈયારી કરતી હતી તેથી તેનું પણ તે તરફ ધ્યાન ગયું નહીં. અહીં બંને મુનિ થોડો વખત ઊભા રહીને તરત જ પાછા ફર્યા. તેઓ નગરના દરવાજામાંથી બહાર નીકળતા હતા તેવામાં શાળિભદ્રની પૂર્વભવની માતા નગરમાં દહીં-ઘી વેચવાને આવતી સામે મળી. શાળિભદ્રને જોતાં તેના સ્તનમાંથી પય ઝરવા લાગ્યું. પછી બંને મુનિનાં ચરણમાં વંદન કરી તેણીએ ભક્તિપૂર્વક દહીં વહોરાવ્યું. ત્યાંથી બંને મુનિ વીર પ્રભુની પાસે આવ્યા અને ગોચરી આરોગી અંજલિ જોડીને પૂછ્યું કે, હે પ્રભુ! આપના કહેવા પ્રમાણે મને મારી માતા પાસેથી આહાર કેમ ન મળ્યો?" સર્વજ્ઞ પ્રભુ બોલ્યા કે, “હે શાળિભદ્ર ! એ દહીં વહોરાવનારી તમારી પૂર્વ Page #191 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૬૪ જન્મની માતા બન્યા હતી." પછી દહીં વડે પારણું કરીને, પ્રભુની આજ્ઞા લઈને શાળિભદ્ર મુનિ ધન્યની સાથે અનશન કરવા માટે વૈભારગિરિ પર ગયા. ત્યાં ધન્ય અને શાલિભદ્ર શિલાતલ ઉપર પ્રતિલેખણા કરીને પાદપોપગમ નામે આજીવન અનશન અંગીકાર કર્યું. અહીં શાલિભદ્રની માતા ભદ્રા અને શ્રેણિક રાજા તે જ વખતે ભક્તિયુક્ત ચિત્તે શ્રી વીર પ્રભુ પાસે આવ્યાં. પ્રભુને નમસ્કાર કરી ભદ્રાએ પૂછ્યું કે, હે ગતપતિ ! ધન્ય અને શાળિભદ્ર મુનિ ક્યાં છે ? તેઓ અમારે ઘરે ભિક્ષાને માટે કેમ ન આવ્યા?' સર્વજ્ઞ બોલ્યા કે, તે મુનિઓ તમારે ઘેર વહોરવા માટે આવ્યા હતા, પણ તમે અહીં આવવાની વ્યગ્રતામાં હતા, તેથી તમારા જાણવામાં આવ્યા નહીં. પછી તમારા પુત્રની પૂર્વ જન્મની માતા ધન્યા નગર તરફ આવતી હતી, તેણીએ તેમને દહીં વહોરાવ્યું, તેના વડે પારણું કરીને બંને મુનિઓએ સત્વર સંસારથી છૂટવાને માટે હમણાં જ વૈભારગિરિ પર જઈ અનશન ગ્રહણ કર્યું છે. તે સાંભળી ભદ્રા શ્રેણિક રાજાની સાથે તત્કાળ વૈભારગિરિ પર આવી, ત્યાં તે બંને મુનિઓ જાણે પાષાણ વડે ઘડેલા હોય તેમ સ્થિર રહેલા તેમના જોવામાં આવ્યા. તેમના કષ્ટને જોતી અને પૂર્વના સુખને સંભારતી ભદ્રા બેફાટ રુદન કરવા લાગી. તે બોલી કે, હે વત્સ ! તમે ઘેર આવ્યા તો પણ મેં અભાગિણીએ પ્રમાદથી તમને જાણ્યા નહીં તેથી મારી ઉપર અપ્રસન્ન થાઓ નહીં. ઘર ત્યાગીને વ્રત અંગીકાર કર્યું પણ કોક વાર તો તમે મારી દૃષ્ટિને આનંદ આપશો, એવો મારો મનોરથ હતો. પણ હે પુત્ર ! આ શરીરત્યાગના હેતુરૂપ આરંભથી તમે હવે મારો એ મનોરથ પણ ભાંગી નાખ્યો છે. હે મુનિઓ ! તમે જે ઉગ્રતપ આવ્યું છે, તેમાં હું વિઘ્નરૂપ થતી નથી, પણ મારું મન આ શિલાનળની જેમ અતિશય કઠોર થયેલું જણાય છે કેમ કે આવા ભયંકર કષ્ટમાં પણ તે ફૂટી જતું નથી.” પછી શ્રેણિક રાજા બોલ્યા કે, હે ભદ્રે ! આ હર્ષને સ્થાને તમે રૂદન કેમ કરો છો ? તમારો પુત્ર આવો મહાસત્તવાન હોવાથી તમે એક જ સર્વ સ્ત્રીઓમાં ખરાં પુત્રવતી છો. હે મુગ્ધ ! આ મહાશયો જગત સ્વામીના શિષ્યને ઘટે એવું તપ આચરે છે. તેમાં તમે સ્ત્રી સ્વભાવથી વૃથા પરિતાપ શા માટે કરો છો ?" રાજાએ આ પ્રમાણે પ્રતિબોધ કર્યો તેથી ભદ્રા તે મુનિઓને વાંદી ખેદયુક્ત ચિત્તે પોતાને ઘેર ગઈ અને શ્રેણિક રાજા પણ પોતાના સ્થાને ગયા. તે બંને મુનિ ધન્ય અને શાળિભદ્ર કાળ કરી સર્વાર્થસિદ્ધનામના વિમાનમાં હર્ષરૂપ સાગરમાં મગ્ન થયા છતા તેત્રીસ સાગરોપમના આયુષ્ય દેવપણે ઉત્પન્ન થયા, ત્યાંથી મહાવિદેહમાં જન્મી સિદ્ધિ પદને પામશે. Page #192 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૬૫ જીવાનંદ વૈદ્ય જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે સુવિધિ વૈદ્યને ઘેર જીવાનંદ નામે પુત્ર હતો. તે જ નગરમાં તે અરસામાં નીચે પ્રમાણે ચાર બાળકો ઉત્પન્ન થયાં. તેઓમાં પ્રથમ ઇશાનચંદ્ર રાજાની કનકાવતી નામે સ્ત્રીથી મહીધર નામે પુત્ર થયો, બીજો સુનાશીર નામે મંત્રીની લક્ષ્મી નામની સ્ત્રીથી જાણે લક્ષ્મીપુત્ર હોય તેવો સુબુદ્ધિ નામે પુત્ર થયો. ત્રીજો સાગરદત્ત નામના સાર્થવાહની અભયમતી નામની સ્ત્રીથી પૂર્ણભદ્ર નામે પુત્ર થયો અને ચોથો ધન શ્રેષ્ઠીની શીલમતી નામની સ્ત્રીથી જાણે શીલપુંજ હોય તેવો ગુણાકર નામે પુત્ર થયો. આ સિવાય તે જ નગરમાં ઇશ્વરદત્ત શેઠને ત્યાં કેશવ નામે પુત્ર જન્મ્યો. આ છએ આગલા ભવમાં દેવલોકથી આવીને આવેલ હતા. તેઓ છએ સાથે મોટા થયા અને જીએ જણ મિત્રો તરીકે રમતા રમતા મોટા થયા. તેમાં સુવિધિ વૈદ્યનો પુત્ર જીવાનંદ ઔષધિ અને રસવીર્યના વિપાકથી પોતાના પિતા પાસેથી મેળવેલી વિદ્યાના પ્રતાપે અષ્ટાંગ આયુર્વેદ જાણનાર થયો. હસ્તીમાં ઐરાવત અને નવગ્રહમાં સૂર્યની જેમ પ્રાજ્ઞ અને નિર્દોષ વિદ્યાવાળો તે સર્વ વૈદ્યોમાં અગ્રણી થયો. તે છએ મિત્રો જાણે સહોદર હોય તેમ નિરંતર સાથે રમતા હતા અને પરસ્પર એકબીજાને ઘેર એકઠા થતા હતા. એક વખતે વૈઘપુત્ર જીવાનંદને ઘરે તેઓ બેઠા હતા, તેવામાં એક ગુણાકર નામે સાધુ વહોરવાને આવ્યા. તેઓ મહાતપસ્યા કરતા હોવાથી શરીરે કૃશ થઈ ગયા હતા. અકાળે અને અપથ્ય ભોજન કરવાથી તેઓને કૃમિકુષ્ઠ વ્યાધિ થયો હતો. સર્વાગે કૃમિકૃષ્ઠથી વ્યાપ્ત હતા; તો પણ તે મહાત્મા કોઈ વખત ઔષધની યાચના કરતા નહોતા. મુક્તિના સાધકોને કાયા ઉપર મમત્વ હોતું નથી. તે સાધુ છઠ્ઠને પારણે ઘેર ઘેર ફરતા તેઓએ આવતા જોયા. તે વખત જગતમાં અદ્રિતીય વૈદ્ય જેવા જીવાનંદને મહીધર કુમારે કાંઈક વ્યંગપૂર્વક કહ્યું, 'તમને વ્યાધિનું જ્ઞાન છે, ઔષધનું વિજ્ઞાન છે અને ચિકિત્સામાં પણ કુશળ છો; પરંતુ તમારામાં એક દયા નથી. વેશ્યા જેમ દ્રવ્ય વિના સામું જોતી નથી, તેમ પીડિત જનોની સામે તમે પણ જોતા નથી, પરંતુ વિવેકીએ એકાંત અર્થલબ્ધ થવું ન જોઈએ; કોઈ વખતે ધર્મને અંગીકાર કરીને પણ ચિકિત્સા કરવી જોઈએ. નિદાન અને ચિકિત્સામાં તમારું કુશળપણું છે. તમને ધિક્કાર છે કે આવા રોગી મુનિની પણ તમે ઉપેક્ષા કરો છો?' એવું સાંભળી વિજ્ઞાનરત્નના રત્નાકર એવા જીવાનંદે કહ્યું : 'તમે મને સ્મરણ કરાવ્યું તે બહુ સારું થયું. એ મહામુનિ અવશ્ય ચિકિત્સા કરવા લાયક છે, પણ હાલ મારી પાસે ઔષધની સામગ્રી નથી તે અંતરાય રૂપ છે, તે વ્યાધિને લાયક ઔષધમાં મારી પાસે લક્ષપાક તેલ છે. પણ ગોશીર્ષ ચંદન અને રત્નકંબળ નથી તે Page #193 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૬૬ તમે લાવી આપો. તે બંને વસ્તુ અમે લાવીશું. એમ કહી તે પાંચે જણા બજારમાં ગયા અને મુનિ સ્વસ્થાને ગયા. તે પાંચ મિત્રોએ બજારમાં જઈ કોઈ વૃદ્ધ વેપારી પાસે જઈને કહ્યું અમને ગોશીષચંદન અને રત્નકંબળની જરૂર છે. જે મૂલ્ય હોય તે લઈ અમને આપો. તે વેપારીએ કહ્યું : એ દરેક વસ્તુનું મૂલ્ય લાખ સોનૈયા છે તે આપીને લઈ જાઓ; પરંતુ તે પહેલાં તેનું તમારે શું પ્રયોજન છે તે કહો. તેઓએ કહ્યું : જે મૂલ્ય હોય તે લો અને બંને વસ્તુ અમને આપો. તે વડે એક મહાત્માના રોગની ચિકિત્સા કરવાની છે. એમ સાંભળી વિસ્મય પામવાથી તે શેઠનાં લોચન વિકસિત થઈ ગયાં, રોમાંચે તેના હૃદયનો આનંદસૂચવ્યો અને ચિત્તમાં આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા. અહો ! ઉન્માદ, પ્રમાદ અને કામદેવથી અધિક મદવાળું આ સર્વેનું યૌવન ક્યાં? અને વયોવૃદ્ધને ઉચિત એવી વિવેકવાળી તેઓની મતિ ક્યાં? મારા જેવા જરાવસ્થાથી જર્જર કાયાવાળા માણસોએ કરવા લાયક શુભકામ આ સર્વે કરે છે અને દમન કરવા યોગ્ય ભારનું તેઓ વહન કરે છે. એમ વિચારી વૃદ્ધ વેપારીએ કહ્યું : હે ભદ્ર! આ ગોશીર્ષચંદન અને રત્નકંબળ લઈ જાઓ. તમારું કલ્યાણ થાઓ! મૂલ્યની કાંઈ જરૂર નથી. તમોએ સહોદરની પેઠે મને ધર્મકાર્યમાં ભાગીદાર કર્યો છે એટલે ધર્મરૂપી અક્ષયમૂલ્ય મને મળ્યું છે. એવી રીતે ઔષધની સામગ્રી ગ્રહણ કરી તે મિત્રો જીવાનંદની સાથે મુનિ પાસે ગયા. તે મુનિ મહારાજા એક વટવૃક્ષ નીચે જાણે વૃક્ષનો પાદ હોય તેમ નિશ્ચલ થઈ કાયોત્સર્ગે રહ્યા હતા. તેમને નમસ્કાર કરી તેઓ બોલ્યા: હે ભગવન! આજે ચિકિત્સા કાર્યથી અમે આપના ધર્મકાર્યમાં વિઘ્ન કરીશું આપ આજ્ઞા કરો અને પુણ્ય વડે અમને અનુગ્રહ કરો. મુનિએ ચિકિત્સા કરવાની મૂક સંમતિ આપી એટલે તેઓ તરતની મરેલી ગાયનું શબ લાવ્યા: (ગોમૃતક) કેમ કે સુવૈદ્યો ક્યારે પણ વિપરીત (પાયુક્ત ચિકિત્સા કરતા નથી. પછી તેમણે મુનિના દરેક અંગમાં લક્ષપાક તેલ વડે મર્દન કર્યું એટલે નીકનું જળ જેમ ઉઘાનમાં વ્યાપ્ત થઈ જાય તેમ મુનિની દરેક નસમાં તે તેલ વાત થઈ ગયું. ઘણા ઉગ વીર્યવાળા તે તેલથી મુનિ સંજ્ઞા રહિત થઈ ગયા. ઉગ્ર વ્યાધિ મટાડવા ઉગ્ર ઔષધ જ જોઈએ. પછી તેલથી વ્યાકુળ થયેલા કૃમિઓ, જળ નાખ્યાથી જેમ દરમાંથી કીડીઓ બહાર આવે તેમ મુનિના ક્લેવરમાંથી બહાર નીકળ્યા. એટલે ચંદ્ર જેમ પોતાની ચાંદનીથી આકાશને આચ્છાદિત કરે છે તેમ જીવાનંદે રત્નકંબળથી મુનિને આચ્છાદિત કર્યા. તે રત્નકંબળમાં શીતપણું હોવાથી સર્વ કૃમિઓ ગ્રીષ્મઋતુના મધ્યાહન વખતે તપેલાં માછલાંઓ જેમ શેવાળમાં લીન થઈ જાય તેમ તેમાં લીન થઈ ગયા. પછી રત્નકંબલને હલાવ્યા વિના ધીમેથી લઈને સર્વ કૃમિઓ ગાયના મૃતક પર નાખ્યા. સત્પષો સર્વ ઠેકાણે દયાયુક્ત હોય છે. પછી જીવાનંદે અમૃત રસ સમાન પ્રાણીને જીવાડનાર ગોશીર્ષ ચંદનના વિલેપનથી મુનિની આશ્વાસના કરી. આ પ્રમાણે પ્રથમ ત્વચાગત કૃમિ નીકળ્યા. એટલે ફરીથી તેઓએ તૈલાભંગન કર્યું અને ઉદાન વાયુથી જેમ રસ નીકળે તેમ માસમાં રહેલા ઘણા કૃમિઓ Page #194 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૬૭ બહાર નીકળ્યા. પછી પૂર્વની પેઠે રત્નકંબળનું આચ્છાદન કર્યું એટલે કૃમિઓ રત્નકંબળ ઉપર તરી આવ્યા અને તેઓને પૂર્વની રીતે જ ગોમૂતકમાં સંન્ન કર્યા. અહો! કેવું તે વૈદ્યનું બુદ્ધિ કૌશલ્ય ! પછી મેઘ જેમ ગ્રીષ્મઋતુથી પીડિત થયેલા હાથીને શાંત કરે તેમ જીવાનંદે ગોશીર્ષ ચંદનના રસની ધારાથી મુનિને શાંત ક્ય. થોડી વારે ત્રીજી વાર અભંગ કર્યું એટલે અસ્થિગત કૃષિઓ રહ્યા હતા તે પણ નીકળ્યા; ને કૃમિઓને પણ પૂર્વની રીતે રત્નકંબળમાં લઈ ગોમૂતકમાં નાખ્યા. અમને અધમ સ્થાન જ ઘટે છે. પછી તે વૈદ્ય શિરોમણિએ પરમભક્તિ વડે જેમ દેવને વિલેપન કરે, તેમ ગોશીર્ષ ચંદનના રસથી મુનિને વિલેપન કર્યું એ પ્રકારે ઔષધ કરવાથી મુનિ નીરોગી અને નવીન કંતિવાળા થયા અને માંજેલી સુવર્ણની પ્રતિમા જેમ શોભે તેવા શોભવા લાગ્યા. ભક્તિમાં દક્ષ એવા તે મિત્રોએ તે સમા શ્રમણને ખમાવ્યા.મુનિ પણ ત્યાંથી બીજે વિહાર કરી ગયા, કેમ કે સાધુમહાત્માઓ એક ઠેકાણે સ્થિતિ કરીને રહેતા નથી. બાકી રહેલ ગોશીર્ષ અને રત્નકંબલને વેચીને તે બુદ્ધિમંતોએ સુવર્ણ લીધું.તે સુવર્ણથી અને બીજા પોતાના સુવર્ણથીઓએ મેરુના શિખર જેવું અહત ચૈત્ય કરાવ્યું.જિન પ્રતિમાની પૂજા અને ગુરુની ઉપાસનામાં તત્પર એવા તેઓએ કેટલોક કાળ વ્યતીત કર્યો અને વખત જતાં તે છએ મિત્રોને સંવેગ (વૈરાગ્ય) પ્રાપ્ત થયો એટલે તેઓએ કોઈ મુનિ મહારાજની સમીપે જઈ દીક્ષા અંગીકાર કરી, અને નગર, ગામ અને વનમાં નિયત કાળ ન રહેતાં તેઓ વિહાર કરવા લાગ્યા. ઉપવાસ, છઠ્ઠ અને અઠ્ઠમ વગેરે તપ રૂપી શરણાથી પોતાના ચારિત્ર રત્નને અત્યંત નિર્મળ કર્યું. પછી તેઓએ દ્રવ્યથી અને ભાવથી સંલેખના કરીને કર્મ રૂપી પર્વતનો નાશ કરવામાં વજ જેવું અનશન વ્રત ગ્રહણ કર્યું. પ્રાંતે સમાધિને ભજનારા તેઓએ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતાં પોતાનો દેહ છોડ્યો અને અશ્રુત નામના બારમા દેવલોકમાં ઇન્દ્રના સામાનિક દેવ થયા, ત્યાંથી બાવીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી લવણ સમુદ્ર નજીક પુંડરીકિણી નગરીમાં વજસેન રાજાનાં ધારણી નામે રાણીની કુક્ષીને વિષે તેઓમાંથી પાંચ અનુક્રમે પુત્રપણે ઉત્પન્ન થયા. તેમાં જીવાનંદ વૈદ્યનો જીવ વજનાભ નામે પહેલો પુત્ર થયો. સમય પાકતાં બધા ભાઈઓએ દીક્ષા લઈ ઘણી લબ્ધિઓ પ્રાપ્ત કરી. છેવટે વજનાભ સ્વામીએ વીશ સ્થાનકની આરાધના વડે તીર્થંકર નામ - ગોત્રકર્મ દઢ રીતે ઉપાર્જન કર્યું અને ખગ્નની ધારા જેવી પ્રવજ્યાને ચૌદ લાખ પૂર્વ સુધી પાલન કરી પાદપોપગમન અનસન અંગીકાર કરી સર્વાર્થસિદ્ધિનામના પાંચમા અનુત્તરવિમાનને વિષે તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા દેવતા થયા. એ જ વજનાભનો જીવ પહેલા તીર્થંકર ઋષભદેવ નામે મરૂદેવ માતાના મુખે અવતર્યા. Page #195 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૬૮ હસરાજા s રાજપુરીમાં હંસ નામે એક રાજા હતો. એક વખતે તે ઉપવનની શોભા જોવા નગર બહાર ગયો, ત્યાં વનમાં એક મુનિ તેના જોવામાં આવ્યા. રાજા તેની પાસે બેઠો એટલે મુનિએ દેશના આપી. સત્ય યશનું મૂળ છે, સત્ય વિશ્વાસનું કારણ છે, સત્ય સ્વર્ગનું દ્વાર છે અને સત્ય સિદ્ધિનું સોપાન (પગથિયું) છે.વળી, જેઓ અસત્ય બોલે છે તેઓ ભવાંતરે દુર્ગધીમુખવાળા, અનિષ્ટવચનને બોલનાર, કઠોરભાષી, બોબડા અને મૂગા થાય છે. આ સર્વ અસત્ય વચનના પરિણામ છે." આવી ધર્મદેશના સાંભળી હંસરાજાએ સત્યવ્રત ગ્રહણ કર્યું. એક વખતે હંસરાજા અલ્પ પરિવાર લઈ રત્નશિખરગિરિ ઉપર ચૈત્રી મહોત્સવના પ્રસંગે શ્રી આદીશ્વર પ્રભુને નમવા નીકળ્યો. અર્ધ માર્ગે આવતા કોઈ સેવકે ત્વરાથી આવીને કહ્યું કે, હે દેવ! તમે યાત્રા કરવા નીકળ્યા કે તરત સીમાડાના રાજાએ આવી બળાત્કારે તમારા નગરને કબજે કર્યું છે. તેથી આપને જેમ યોગ્ય લાગે તેમ કરો." સાથે રહેલા સુભટોએ પણ રાજાને પાછા ફરવા કહ્યું પણ રાજાએ કહ્યું કે, પ્રાણીને પૂર્વ કર્મના વશથી સંપત્તિ અને વિપત્તિની પ્રાપ્તિ થયાં જ કરે છે, તેથી જેઓ સંપત્તિમાં હર્ષ અને વિપત્તિમાં ખેદ પામે છે તેઓ ખરેખરા મૂઢ છે. આ અવસરે સદ્ભાગ્યથી પ્રાપ્ત થયેલ જિન યાત્રા મહોત્સવને તજી દઈને ભાગ્યથી લભ્ય એવા રાજ્યને માટે દોડવું તે યોગ્ય નથી. વળી કહ્યું છે કે, જેની પાસે સમકિતરૂપ અમૂલ્ય ધન છે, તેને ધનહીન છતાં ધનવાન સમજવો, કેમ કે ધન તો એક ભવમાં જ સુખ આપે છે પણ સમકિત તો ભવોભવમાં અનંત સુખદાયક છે." આ પ્રમાણે કહી રાજા પાછો ન ફરતાં આગળ ચાલ્યો. પરંતુ શત્રુ આવ્યાના સમાચાર સાંભળી એક છત્રધારક સિવાય બીજો સર્વ પરિવાર પોતાના ઘરની સંભાળ લેવા પાછો વળી ગયો. રાજા પોતાના અલંકારોને ગોપવીને છત્રધારકનાં વસ્ત્રો પહેરી આગળ ચાલ્યો. ત્યાં કોઈ રાજાના દેખતાં કોઈ એક મૃગ બાજુની લતાકુંજમાં પેસી ગયો. તેની પછવાડે તરત જ ધનુષ્ય ઉપર બાણ ચડાવેલો કોઈ ભીલ આવ્યો. તેણે રાજાને પૂછ્યું, અરે! મૃગ કઈ બાજુ ગયો તે કહે. તે સાંભળી રાજાએ મનમાં ચિંતવ્યું કે, “જે પ્રાણીઓને અહિત હોય તે સત્ય હોય તો પણ કહેવું નહીં અને તેવો પ્રસંગ આવે તો સુબુદ્ધિ પુરુષોએ તે પૂછનારને બુદ્ધિના પ્રપંચથી જવાબ દેવો. આ પ્રમાણે ચિંતવી રાજા બોલ્યો કે, અરે ભાઈ ! હું માર્ગ ભ્રષ્ટ થયો છું. ભલે ફરી વાર પૂછ્યું, ત્યારે રાજાએ કહ્યું કે, હું હંસ છું. આ પ્રમાણે રાજાનાં વચન સાંભળી તે ભીલ ધંધથી બોલ્યો કે, અરે વિકલ! આવો વિપરીત ઉત્તર કેમ આપે છે? ત્યારે રાજાએ Page #196 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ C ૧૬૯ કહ્યું કે, હવે તમે મને જે માર્ગ બતાવશો તે માર્ગે જઈશ. આ પ્રમાણે વિરુદ્ધ વચનો સાંભળી તે ભીલ તેને ગાંડો અને અડધો બહેરો ધારી નિરાશ થઈને પાછો ચાલ્યો ગયો. ત્યાંથી રાજા આગળ ચાલ્યો તેવામાં એક સાધુ તેના જોવામાં આવ્યો. તેને નમસ્કાર કરી ત્યાંથી આગળ ચાલ્યો ત્યાં હાથમાં શસ્ત્રધારણ કરનાર બે ભીલ રાજાને સામા મળ્યા. તેઓએ રાજાને પૂછ્યું કે, "અરે પાર્થ ! અમારા સ્વામી ચોરી કરવા જતા હતા, ત્યાં વચમાં એક સાધુ સામો મળ્યો; તેથી અપશુકન થયા જાણી અમારા સ્વામી પાછા વળ્યા અને અમને તે સાધુને મારવા મોકલ્યા છે તો તે સાધુ તારા જોવામાં આવ્યો હોય તો બતાવ.” રાજાએ તે વખતે અસત્ય પણ સત્ય જેવું છે એમ માનીને બોલ્યો કે, “તે સાધુ ડાબે માર્ગે જાય છે પણ તમને મળશે નહીં. કારણ કે અતિ ઝડપે જાય છે.” આવો ઉત્તર સાંભળી તે બંને પાછા ચાલ્યા ગયા. પછી રાજા સૂકાં પાંદડાં વગેરેનો આહાર કરીને રાત્રે સૂવા માટે તૈયારી કરતો હતો. તેવામાં કાંઈક કોલાહલ તેના સાંભળવામાં આવ્યો. તેમાં તેણે એવા શબ્દો સાંભળ્યા કે "આપણે ત્રીજે દિવસે સંઘને લુંટીશું. તે સાંભળી રાજા ચિંતાતુર બન્યો. ક્ષણ વાર થઈ તેવામાં તો કેટલાક સુભટોએ આવીને પૂછ્યું કે 'અરે ! તેં ક્યાંય ચોરને જોયા ? અમે ગોધીપુરના રાજાના સેવકો છીએ. અને તે રાજાએ સંધની રક્ષા કરવાને માટે અમને મોકલ્યા છે.’તે સાંભળી રાજાએ ચિંતવ્યું કે, જો હું ચોરોને બતાવીશ તો આ રાજસેવકો અવશ્ય તેને મારી નાખશે અને નહીં બતાવું તો ચોર લોકો સંધને લૂંટી લેશે. હવે અહીં મારે શું બોલવું યુક્ત છે.’પછી જરા વિચારીને રાજા બોલ્યો કે, મેં ચોરને જોયા નથી પણ તમારે કોઈ ઠેકાણે શોધી લેવા અથવા તેમને શોધવાની શી જરૂર છે ? તમે સંઘની સાથે રહીને તેની રક્ષા કરો. આવો ઉત્તર સાંભળી તેઓ ચાલ્યા ગયા. તેમના ગયા પછી સુભટો સાથે થયેલી વાતને સાંભળવા તે ચોરો રાજા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, 'અરે ભદ્ર ! તેં અમારા પ્રાણ બચાવ્યા, તેથી હવે અમે ચોરી કે હિંસા નહીં કરીએ. તેનો લાભ તને પ્રાપ્ત થાઓ. તે પ્રમાણે કહી ચોર પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. ત્યાંથી રાજા આગળ ચાલ્યો. તેવામાં કેટલાક ઘોડેસ્વારોએ આવીને પૂછ્યું કે, 'અરે પાંથ ! અમારા શત્રુ હંસરાજાને તેં કોઈ ઠેકાણે જોયો છે ? એ અમારો કટ્ટો શત્રુ છે. તેથી અમારે તેનો વિનાશ કરવો છે.' રાજા હંસ અસત્ય ન જ બોલવું એવા નિશ્ચયથી બોલ્યો કે, હું પોતે જ હંસ છું' આ સાંભળી તેઓએ ક્રેધથી રાજાના મસ્તક ઉપર ખડ્ગનો પ્રહાર કર્યો, પરંતુ તે જ વખતે ખડ્ગના સેંકડો કટકા થઈ ગયા અને રાજાની ઉપર પુષ્પવૃષ્ટિ થઈ. તત્કાળ એક યક્ષ પ્રત્યક્ષ થઈ બોલ્યો કે, હે સત્યવાદી રાજા ! તમે ચિરકાળ જય પામો. હે નૃપ ! તમને આજે જ જિનયાત્રા કરાવું, માટે તમે આ વિમાનને અલંકૃત કરો. યક્ષનાં આવા વચન સાંભળી યાત્રા પૂરી કરી. યક્ષના સાંનિધ્યથી શત્રુને જીતી રાજ્ય ભોગવી અનુક્રમે દીક્ષા લઈને સ્વર્ગે ગયો. Page #197 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭૦ | શ્રી કાલિકાચાર્ય અને સાગરાચાર્ય || ૬૯. ઉજ્જયિની નગરીમાં શ્રી કાલિકાચાર્ય નામના આચાર્ય ઉગ્ર વિહારી અને મહાજ્ઞાની હતા. પણ તેમના શિષ્યો સાધુનો આચાર પાળવામાં શિથિલ હતા. તેમને આચાર્ય હંમેશાં શિખામણ આપતા પરંતુ તેઓ કૂતરાની પૂંછડીની જેમ વક્તા છોડતા. નહોતા. તેથી આચાર્યે ખેદ પામીને વિચાર્યું કે, આ શિષ્યોને સુધારવામાં મારો સ્વાધ્યાય સીદાય છે . બરાબર થઈ શકતો નથી. તેઓ મારી શિખામણને યોગ્ય દાદ આપતા નથી માટે તેનો કોઈ બીજો ઉપાય કરવો જોઈએ.” એક વખતે સીમંધર સ્વામીને ઇ પૂછ્યું કે, “હે સ્વામી ! હાલમાં ભરતક્ષેત્રમાં એવો કોઈ વિદ્વાન છે કે, જેને પૂછવાથી આપે વર્ણન કર્યું તેવું નિગોદનું સ્વરૂપ યથાર્થ વર્ણવે?" ત્યારે પ્રભુએ કહ્યું કે, હે ઇદ્ર ! હાલમાં ભરત ક્ષેત્રમાં આર્ય કાલિકાચાર્ય છે, કે જે શ્રુત પાઠના બળથી, મેં કહ્યું તેવી જ રીતે નિગોદનું સ્વરૂપ કહી શકે તેવા છે." તે સાંભળીને , તેની પરીક્ષા કરવા માટે જરાથી જીર્ણ થયેલું શરીર કરીને ધીમે ધીમે લાકડીને ટેકે ચાલતા કાલિકાચાર્ય પાસે આવ્યા, અને લુહારની ધમણની જેમ શ્વાસોશ્વાસ લેતાં તેણે ગુરુને વંદન કરીને પૂછ્યું કે, : “હે સ્વામી ! હું વૃદ્ધ છું. અને વૃદ્ધાવસ્થાથી પીડાઉ છું. હજુ મારું કેટલું આયુષ્ય બાકી છે તે આપ મારી હસ્તરેખા જોઈને શાસ્ત્રને આધારે કહો. મારા પર કૃપા કરો. મારા પુત્રોએ તથા સ્ત્રીએ મને કાઢી મૂક્યો છે. તેથી હું એકલો મહાકષ્ટથી દિવસો પસાર કરું છું. આપ દયાવાન છો, તેથી મારા પર કૃપા કરો. શ્રી કાલિકાચાર્ય જ્ઞાન બળે જાણી ગયા કે આ સૌધર્મ દેવલોકના ઈંદ્ર છે, તેથી મૌન રહ્યા ત્યારે ફરીથી તે વૃદ્ધ બોલ્યો કે, "હું જરાથી પીડિત છું તેથી વધારે વખત અહીં રહેવાને અશક્ત છું, માટે જલદી મને ઉત્તર આપો કે, હવે મારું આયુષ્ય કેટલું બાકી છે ? શું પાંચ વર્ષ બાકી છે ? કે તેથી ઓછું બાકી છે." આચાર્યશ્રીએ કહ્યું, તેથી ઘણું અધિક છે." વૃદ્ધે કહ્યું, "શું દશ વર્ષનું છે?' ગુરુએ કહ્યું, તેથી પણ અધિક છે." વૃદ્ધ ફરી પાછું પૂછ્યું, "શું વીસ કે ત્રીસ વર્ષનું આયુષ્ય બાકી છે? હે ગુરુ સત્ય કહો.” ગુરુએ કહ્યું, “વારંવાર શું પૂછો છો ? તમારું આયુષ્ય અંકની ગણતરીમાં આવે તેવું નથી. કારણ કે તે અપરિમિત (અસંખ્યાત) છે. મુનિ સુવ્રત સ્વામીના વખતમાં તમે ઈંદ્ર થયા છો, વર્તમાન ચોવીશીના છેલ્લા ચાર તીર્થકોના Page #198 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ) ૧૭૧ પાંચે કલ્યાણકોનો ઉત્સવ તમે કર્યો છે, અને આવતી ચોવીસીના કેટલાક તીર્થંકરોની વંદના તથા પૂજા તમે કરશો. તમારું આયુષ્ય બે સાગરોપમમાં કંઈક ઓછું બાકી રહેલું છે." આ પ્રમાણે કાલિકાચાર્યનું વચન સાંભળીને ઇદ્ર ઘણું હર્ષ પામ્યા. પછી તે નિગોદનું સ્વરૂપ પૂછી તે સમજી નિ:શંક થયા. અને શ્રી સીમંધર સ્વામીએ કરેલી પ્રશંસા કહી બતાવીને તેણે કહ્યું કે, “હે સ્વામી ! મારા સરખું કામ બતાવો.” ત્યારે ગુરુ બોલ્યા કે, "ધર્મમાં આસક્ત થયેલા સંઘનું વિઘ્ન નિવારો.” પછી ઇંદ્ર પોતાની ઇચ્છાથી પોતાના આવ્યાની નિશાની તરીકે દિવ્ય અને મનોહર એવું ઉપાશ્રયનું એક દ્વાર બીજી દિશામાં કરીને તરત સ્વર્ગે ગયા. સૂરીજીના શિષ્યો જે ગોચરી માટે નગરમાં ગયા હતા તેઓ આવ્યા, તેમને ગુરુને કહ્યું કે, "હે સ્વામી ! આ ઉપાશ્રયનું દ્વાર બીજી દિશામાં કેમ થઈ ગયું ? આપ પણ વિદ્યાનો ચમત્કાર જોવાની સ્પૃહા રાખો છો ? તો પછી અમારા જેવાને તેમ કરવામાં શો દોષ ?" તે સાંભળીને ગુરુએ ઇંદ્રનું આગમન વગેરે સર્વ વૃત્તાંત યથાર્થ કહ્યું. ત્યારે શિષ્યો બોલ્યા કે, "અમને પણ ઇંદ્રનું દર્શન કરાવો.” ગુરુએ કહ્યું કે, "દેવેન્દ્ર મારા વચનને આધીન નથી. તે તો પોતાની ઇચ્છાથી આવ્યા હતા અને ગયા. તે વિષે તમારે દુરાગ્રહ કરવો ઉચિત નથી.” આ પ્રમાણે ગુરુએ કહ્યું છતાં તે વિનય રહિત શિષ્યોએ દુરાગ્રહ મૂક્યો નહીં, અને વિનય રહિતપણે આહાર વગેરે કરવા-કરાવા લાગ્યા. તેથી ગુરુ ઉદ્બેગ પામીને એક રાત્રિના પાછલા પહોરે સર્વ શિષ્યોને સૂતા મૂકીને એક સૂતેલ શ્રાવકને જગાડી પરમાર્થ સમજાવીને નગરી બહાર નીકળી ગયા. અનુક્રમે વિહાર કરતાં કરતાં તેઓ દક્ષિણ દેશમાં સ્વર્ણભૂમિએ આવી પહોંચ્યા. ત્યાં મહા બુદ્ધિમાન સાગર નામના પોતાના શિષ્યના શિષ્ય રહેતા હતા. તેની પાસે આવીને ઇર્ષાપથિકી પ્રતિક્રમીને તથા પૃથ્વી પ્રમાર્જીને રહ્યા. સાગર મુનિએ તેમને કોઈ વખત જોયા નહોતા, માટે તેમને ઓળખ્યા નહીં. અને તેથી જ તે ઊભા થયા નહીં. તેમ જ વંદના પણ કરી નહીં. તેમણે સૂરીને પૂછ્યું કે, 'હે વૃદ્ધ મુનિ ! તમે કયા સ્થાનથી આવો છો ?" ત્યારે ગાંભીર્યના સમુદ્ર સમાન ગુરુ શાંત ચિત્તે બોલ્યા કે, “અવન્તિ નગરીથી.” પછી તેમને જ્ઞાનપૂર્વક સમગ્ર ક્યિા કરતા જોઈને સાગર મુનિએ વિચાર્યું કે, “ખરેખર આ વૃદ્ધ મુનિ બુદ્ધિમાન છે.” પછી તેણે પોતાના શિષ્યોને વાચના આપતાં બુદ્ધિના મદથી સૂરીને કહ્યું કે, "હે વૃદ્ધ ! હું શ્રુત સ્કંધ ભણાવું છું. તે તમે સાંભળો." તે સાંભળી ગુરુ તો મૌન જ રહ્યા. પછી સાગરમુનિ પોતાની બુદ્ધિની કુશળતા બતાવવા માટે ઘણી સૂક્ષ્મ Page #199 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭ર બુદ્ધિવાળાથી ગ્રહણ થઈ શકે તેવી વ્યાખ્યાનો વિસ્તાર કરવા લાગ્યા. વ્યાખ્યાના રસમાં તલ્લીન થવાથી અકાળ વેળાને અનયાયના સમયને જાણ્યો નહીં. અહીં ઉજજયિની નગરીમાં પ્રાત:કાળે પેલા શિષ્યો ઊઠ્યા. ત્યાં ગુરુને જોયા નહીં, તેથી તેઓ અત્યંત આકુળવ્યાકુળ થઈ ગયા અને સંભ્રાંતચિત્તે વસતીના સ્વામી શય્યાતર શ્રાવક પાસે જઈને પૂછ્યું કે, "અમને મૂકીને અમારા ગુરુ ક્યાં ગયા?" ત્યારે તે શ્રાવકે કોપ કરીને કહ્યું કે, “શ્રીમાન આચાર્યે તમને ઘણો ઉપદેશ આપ્યો, તમને ઘણું સમજાવ્યા, પ્રેરણા કરી, તો પણ તમે સદાચારમાં પ્રવર્યા નહીં. ત્યારે તમારા જેવા પ્રમાદી શિષોથી ગુરુની શી કાર્ય સિદ્ધિ થવાની હતી ? તેથી તે તમને તજીને ચાલ્યા ગયા. તે સાંભળીને તેઓ લજિત થઈ ગયા અને કહ્યું કે, તમે અમારા ઉપર પ્રસન્ન થાઓ અને અમારા ગુરુએ પવિત્ર કરેલ દિશા અમને બતાવો, કે જેથી અમે તે તરફ જઈ તેમને પામીને સનાથ થઈએ. અમે જેવું કર્યું તેવું ફળ અમે પામ્યા" એવી રીતે તે શિષ્યોએ ઘણા આગ્રહપૂર્વક પૂછ્યું એટલે તે શ્રાવકે ગુરુના વિહારની દિશા બતાવી. પછી તેઓ સર્વ ત્યાંથી ચાલ્યા. અનુક્રમે ગુરુને શોધતાં શોધતાં સાગર મુનિ પાસે આવ્યા અને તેમને પૂછ્યું કે "પૂજ્ય એવા આર્ય કાલિકાચાર્ય ક્યાં છે ?" સાગર મુનિએ જવાબ આપ્યો કે, "તે તો મારા પિતામહ ગુરુ થાય, તેઓ અહીં તો આવ્યા નથી; પણ જેમને હું ઓળખતો નથી એવા કોઈ એક વૃદ્ધ મુનિ ઉજ્જયિની નગરીથી અહીં આવ્યા છે. તેમને તમે જુઓ, તેઓ આ સ્થળે છે. પછી તે શિષ્યો સાગર મુનિએ બતાવેલા સ્થળે જોયું ત્યાં ગુરુને જોઈને હીન મુખે પોતાના અપરાધની ગુરુ પાસે વારંવાર ક્ષમા માગી. તે જોઈ સાગરમુનિએ લજજાથી નમ્ર મુખવાળા થઈને વિચાર્યું કે, "અહો ! આ ગુરુના ગુરુ પાસે પાંડિત્ય કર્યું, તે યોગ્ય કર્યું નહીં. મેં સૂર્યની કાંતિ પાસે ખદ્યોતના જેવું અને આંબાના વૃક્ષ ઉપર તોરણ બાંધવા જેવું કર્યું." એમ વિચારીને તેણે ઊઠીને વિનયપૂર્વક ગુરુને ખમાવીને ગુરુના ચરણકમળમાં મસ્તક રાખી કહ્યું કે, હે ગુરુદેવ ! વિશ્વને પૂજ્ય એવા આપની મેં અજ્ઞાનના વશથી આશાતના કરી તેનું મને મિથ્યા દુષ્કૃત હો." પછી આચાર્યે તે સાગર મુનિને પ્રતિબોધ કરવા માટે એક પ્યાલો ભરીને નદીની રેતી તથા એક ચાયણી મંગાવી. તે રેતીને ગુએ ચાળણીમાં નાખીને ચાળી તો ઝીણી રેતી તેમાંથી નીકળી ગઈ અને ચાળણીમાં મોટા કાંકરા બાકી રહ્યા. તેને દૂર નાખી દઈને પછી તે રેતીને કોઈક સ્થાને નાખી. પછી ફરીથી તે રેતીને ત્યાંથી લઈને બીજે સ્થાને નાખી ત્યાંથી પણ લઈને બીજે સ્થાને નાખી. એવી રીતે વારંવાર જુદે જુદે સ્થાને નાખીને લીધી. તેથી પ્રાંતે રેતી ઘણી જ થોડી બાકી રહી. આ પ્રમાણે રેતીનું Page #200 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭૩ દષ્ટાંત બતાવીને ગુરુએ સાગરમુનિને કહ્યું કે, હે વત્સ ! જેમ નદીમાં સ્વાભાવિક ઘણી રેતી હોય છે, તેમ તીર્થંકોમાં સંપૂર્ણ જ્ઞાન રહેલું છે. જેમ ખાલા વડે નદીમાંથી થોડી રેતી લીધી તેમ ગણધરોએ જિદ્રો પાસેથી થોડું શ્રુત ગ્રહણ કર્યું, અને જેમ તે રેતીને જુદે જુદે સ્થાને નાખવાથી અને પાછી લેવાથી નવી નવી ભૂમિના યોગે ક્ષીણ થતી થતી ઘણી થોડી રહી. તેમ શ્રત પણ ગણધર થકી ચાલતી પરંપરાએ અનુક્રમે કાલાદિકના દોષથી અલ્પ અલ્પતર બુદ્ધિવાળા શિષ્યોને વિશે વિસ્મૃતિ વગેરેના કારણે ક્ષીણ થતું થતું હાલમાં ઘણું જ થોડું રહ્યું છે. તેમાં ચાળણીનો ઉપનય એવી રીતે કરવાનો છે કે, સૂક્ષ્મજ્ઞાન સર્વનાશ પામ્યું છે, અને હાલમાં સ્કૂલ જ્ઞાન રહ્યું છે. તેથી હે વત્સ ! તું શ્રુત સારી રીતે ભાગ્યો છે, પણ શ્રુત જ્ઞાનનો પહેલો આચાર તેં બરાબર ધાર્યો નથી. કેમ તે તું અકાળે પણ સ્વાધ્યાય કરે છે. તે વિષે શ્રી નિશીધ ચૂર્ણમાં કહ્યું છે કે “૧ સૂર્યોદય પહેલાં. ૨ મધ્યાહન સમયે, ૩ સૂર્યાસ્ત સમયે અને ૪ અર્ધ રાત્રીએ ચાર સંધ્યા વખતે સ્વાધ્યાય ન કરવો." ઇત્યાદિ ઉપદેશ ગુરૂના મુખ થકી સાંભળીને સાગર આચાર્ય તે સંબંધી મિથ્યા દુષ્કૃત આપીને ગુરુને નમ્યા અને પછી વિશેષ કરીને તેમની વૈયાવૃત્ય કરવા લાગ્યા. જે કોઈ સાગર આચાર્યની જેમ અહંકારથી યોગ્ય કાળનો અતિક્રમ કરીને શ્રુતાદિક ભણે છે, તે વિદ્રાન સાધુની સભામાં ઘણે પ્રકારે લજજા તથા નિંદાને પામે છે." ભલું થયું ને ભલું થયું ને અમે જિનગુણ ગાયા, રસનાનો રસ પીધો રે.. રાવણરાયે નાટક કીધું, અષ્ટાપદગિરિ ઉપર રે ભલું. થૈયા થૈયા નાચ કરતા તીર્થકર પદ બાંધું રે ભલું થાળ ભરી મોતીડે વધાવો, પ્રભુજીને ફૂલડે વધાવો રે ભલું. દેવચંદ્ર કહે મારા મનનાં, સકળ મનોરથ સિદ્ધારે. ભલું. એ પૂજા જે ભણે ભણાવે, નસ ઘર મંગળ હોજો રે ભલું. Page #201 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭૪ શ્રી માનતુંગસૂરિ ભોજરાજાની ધારા નગરીમાં બાણ અને મયૂર નામના સાળા બનેવી બે પંડિતો રહેતા હતા. બન્ને જણ પોતાની પંડિતાઈ માટે પરસ્પર ઈર્ષા ધરાવતા હતા. બન્ને જણે પોતપોતાની પંડિતાઈથી રાજ્યસભામાં સારી પ્રતિષ્ઠા મેળવી. બન્ને રાજમાન્ય પંડિતો હતા. એક વખત બાણ કવિ પોતાની બહેનને મળવા માટે તેને મયૂરના) ઘેર ગયો. તેની સારી સરભરા કરી રાત્રે ઓસરીમાં બિછાનું પાથરી તેને સુવાડ્યો. - ઘરમાં મયૂર અને તેની સ્ત્રી (બાણની બહેન) સૂતાં. પણ દંપતીને રાત્રિ વખતે કોઈક વાતની તકરાર થઈ પડી. તે બધી તકરાર બહાર સૂતેલા બાણે સાંભળી લીધી. મયૂર તેની સ્ત્રીને ઘણું ઘણું સમજાવે છે પણ તે સ્ત્રી માનતી નથી. પછી સવાર થવા આવતાં મયૂર તેણીને મનાવવા એક કવિતા બોલવા લાગ્યો. તેમાંનાં ત્રણ પદ જ્યારે તેણીને સંભળાવ્યાં ત્યારે બહાર સૂતેલા બાણથી રહેવાયું નહીં. તેથી ચોથું પદ તેણે પૂર્ણ કર્યું. તે સાંભળી તેની બહેનને ઘણી જ રીસ ચઢી. પોતાના મીઠા કલહમાં અણછાજતી રીતે ભાઈની દખલગિરિ થવાથી તેને એવો શ્રાપ આપ્યો કે, જા તું કુષ્ટિ" કોઢિયો થઈશ. તે સ્ત્રી સતી હતી, તેથી તે (બાણકવિ) તરત જ કોઢિયો થઈ ગયો. પ્રાતઃ કાળે રાજસભામાં મયૂર કવિ પહેલાંથી બેઠેલા હતો, તેણે જ્યારે બાણ કવિ આવ્યો ત્યારે કહ્યું કે, "આવો આવો, કોઢીઆ બાણ આવો." મયૂરનાં આવા વચન સાંભળી રાજા ભોજ બોલ્યા કે, એને કોઢ શી રીતે થયો. એટલે મયૂરે બધી વાત ત્યાં જણાવી. એટલું જ નહીં પણ પ્રત્યક્ષ બાણનાં અંગો ઉપર કોઢનાં સફેદ ચાદાં બતાવ્યાં. તેથી ભોજરાજાએ એવો હુકમ કર્યો કે, જ્યાં સુધી એને કોઢ મટે નહીં ત્યાં સુધી એને રાજસભામાં આવવાની તેમ જ નગરમાં રહેવાની સખ્ત મનાઈ ફરમાવાઈ. આવા કારણથી બાણ કવિ ઘણો જ લજવાઈ ગયો અને અભિમાનમાં આવી જઈ તરત જ ત્યાંથી ઊઠીને નગર બહાર ચાલ્યો ગયો. નગર બહાર સામસામા બે વાંસડાના સ્તંભ આરોપી, વચ્ચે ઊંચી દોરી બાંધી, તેમાં એક છ બંધનવાળું સીંકુ બાંધી, તેમાં તે પોતે (બાણ કવિ) બેઠો અને નીચે અગ્નિકુંડ સળગાવી, સૂર્યદેવતાની સ્તવના સંબંધી એકેક કાવ્ય રચી બોલીને એકેક સીંકાની દોરી પોતાના હાથથી જ છેદી નાખતાં પાંચ કાવ્યો બોલી પાંચ દોરીઓ છેદી નાખી છેવટની દોરી છઠા કાવ્ય Page #202 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭૫ બોલાવાને અંતે જ્યારે કાપવાનો આરંભ કરે છે તે વખતે જોવા મળેલા પુષ્કળ માણસોની ભીડ વચ્ચે સૂર્યદેવતાએ પ્રત્યક્ષ દર્શન આપ્યું. એટલું જ નહીં પણ તેનો કોઢ દૂર કરી સુવર્ણ કાંતિ જેવું શરીર કરી આપ્યું. આવો બનાવ બનવાથી બીજે દિવસે રાજાએ તેને ઘણા ઠાઠથી ગાજતે વાજતે દરબારમાં બોલાવ્યો. જ્યારે આવ્યો ત્યારે તેણે પોતાના બનેવીને (મયૂર) કહ્યું કે, કાળા મોંના કાગડા જેવા શુદ્ર પંખી! ગુરુડના જેવા મારા આગળ તારી શી શક્તિ છે? જો શક્તિ હોય તો દેખાડને ? બેસી કેમ રહ્યો છે?" તે વખતે મયૂર બોલ્યો કે છે, છે, છે; અમારામાં પણ એવી શક્તિ છે. જો કે નીરોગીને ઔષધની કંઈ જરૂર નથી, તો પણ તારા વચનને અન્યથા કરવા હું મારી શક્તિ આ સભા સમક્ષ બતાવી દઉં છું તે તું તારી આંખો ઉઘાડીને જો. એમ કહીને તરત જ તેણે એક છરી મંગાવી પોતાના હાથ-પગની આંગળીઓ પોતાના હાથે જ છેદી નાખી અને ચંડી દેવીની સ્તવના કરતાં, કાવ્ય રચી બોલતાં, કવિતાના છઠ્ઠા જ અક્ષરનો ઉચ્ચાર કરતાં દેવી પ્રસન્ન થઈ આવી ઊભી રહી. એ બોલી કે, “મહા સાત્વિક ? માંગ, હું તારા પર પ્રસન્ન છું, તું જે માગે તે આપું.” તેણે તરત જ દેવીની પાસેથી વર માગી પોતાની છેદેલી આંગળીઓ સાજી કરાવી. એટલું જ નહીં પણ પ્રસન્ન થયેલી દેવીએ તેનું વજમય દઢ શરીર કરી આપ્યું. આ ચમત્કાર દેખી આખી સભા આશ્ચર્ય પામી ગઈ. આથી રાજાએ તેનું ઘણું જ સન્માન કર્યું એટલું જ નહીં પણ તેના વર્ષાસનમાં પણ ઘણો વધારો કરી આપ્યો. આવા અવસરે જૈન ધર્મ માં ઉપર ધરનારા કોઈક વિખે સભા વચ્ચે વાત ચલાવી કે, જૈન ધર્મમાં આવી ચમત્કારિક કવિતા રચનારા પંડિતો કોઈ પણ જોવામાં આવ્યા નથી. જો આવી ચમત્કારિક કવિતાઓ રચવામાં કોઈ પણ પોતાની ચાલાકી દેખાડે તો ઠીક જ છે પરંતુ જો એવા કોઈ પણ પ્રભાવક તેઓમાં ન જ હોય ત્યારે ફોગટ શું કરવા આપણા આ આર્ય દેશમાં તેઓને આવજા કરવા દેવા જોઈએ વાર? સભામાં બેઠેલાઓમાં મોટા ભાગના જૈનના દ્વેષી હોવાથી બધાઓનું આ વાતમાં ધ્યાન ખેંચાયું. જેથી રાજાએ તરત જ પોતાના સેવકોને મોકલી દૂર દેશમાં વિચરતા શ્રી માનતુંગાચાર્ય નામના જૈનાચાર્યને રૂબરૂ બોલાવ્યા અને પૂછ્યું કે, તમારામાં કોઈ પણ ચમત્કારિક કવિતાઓ રચવામાં પ્રવીણ હોય તો અમોને બતાવી આપો. જો કોઈ પણ તમારામાં એવો વિન ન હોય તો તમારા માટે કંઈ પણ અમારે વિચાર કરવો પડશે. માનતુંગાચાર્યે કહ્યું કે, ઓહો, એમાં તે શું? એવા ચમત્કાર તો હું ઘણા જાણું છું. રાજાએ કહ્યું કે તો હમણાં જ બતાવો" શ્રી માનતુંગાચાર્યે હા કહી અને કહ્યું, “મને એક ઓરડામાં પૂરો અને મારા શરીરને ચારે બાજુ લોખંડની સાંકળથી બાંધો. હાથે પગે બેડીઓ Page #203 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૭૬ બાંધો. બારણાં બંધ કરી તેને ચુમાલીશ તાળાં મારો. હું સ્તોત્ર રચતો જઈશ અને બેડીઓ, સાંકળો અને તાળઓ તૂટતાં જશે અને હું ઓરડાની બહાર આવીશ." રાજાએ તાત્કાલિક આ રીતે પ્રબંધ કરાવી શ્રી માનતુંગાચાર્યને એક ઓરડામાં બેસાડી સાંકળ વગેરે બાંધી બારણાં બંધ કરી ગુમાલીશ તાળાં માર્યા. શ્રી માનતુંગાચાર્યે પ્રભુ આદેશ્વરની પ્રાર્થના કરી, હદયમાં શ્રી આદેશ્વર તિર્થંકરને સ્થાપ્યા અને એક પછી એક ભક્તામર સ્તોત્રની ગાથા પોતાની અનોખી કવિત્વ શક્તિથી બનાવતા ગયા અને બધાને સંભળાવતા ગયા. જેમ જેમ ગાથા બોલતા ગયા તેમ તેમ સાંકળો-બેડીઓ અને તાળાં તૂટતાં ગયાં અને છેલ્લી ગાથા બોલી મહારાજશ્રી તદૃન બંધન મુક્ત થઈ ઓરડાની બહાર આવ્યા. રાજા અને રાજય સભા અને પુષ્કળ લોકોએ આ ચમત્કાર દેખ્યો અને આવો ચમત્કાર દેખી જૈન શાસનની મોટી ઉન્નતિ થઈ એટલું જ નહીં પણ રાજા તેમ જ સભાનો મોટો ભાગ જે જૈનોના દ્વેષી હતા તે પણ ભદ્રિક થયા અને છેવટે જૈન ધર્મનો બોધ પામ્યા. જે ચુમાલીશ ગાથાઓની તેઓએ રચના કરી તે આજે ભક્તામર સ્તોત્ર નામથી સુપ્રસિદ્ધ છે. દિગમ્બર લોકો તેમાં ચાર ગાથા ઉમેરીને તેની ૪૮ ગાથાઓનો પાઠ પણ કરે છે. - - - - - જીવન અંજલિ થાજો જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો ! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો; દીન દુખિયાનાં આંસું હોતા અંતર કદી ન ધરાજો ! મારું સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો; ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો !....મારું વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો; હૈયાના પ્રત્યેક સ્પંદને તારું નામ રટાજો !..મારું. વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો; શ્રદ્ધા કેરો દીપક મારો ના કદીયે ઓલવાજો !...મારું : ' . Page #204 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭૭ શ્રી ધર્મરુચિ ૭૧. વસંતપુર નગરમાં જિતશત્રુ નામે રાજા હતો, તેને ધારિણી નામે રાણી હતી, તેમને ધર્મચિ નામે એક પુત્ર હતો. એક વખત કોઈ તાપસ પાસે દીક્ષા લેવાની ઇચ્છાથી રાજા પુત્રને રાજ્ય ઉપર બેસાડવા ઉઘુક્ત થયો. ને ખબર સાંભળી ધર્મચિએ પોતાની માતાને પૂછ્યું કે, “માતા ! મારા પિતાજી શા માટે રાજ્યનો ત્યાગ કરે છે ? માતાએ કહ્યું, “હે પુત્ર ! આ રાજ્યલક્ષ્મી શા કામની છે ? આ રાજયલક્ષ્મી ચંચળ, નરકાદિ સર્વ દુ:ખના માર્ગમાં વિન રૂપ, પરમાર્થે પાપ રૂપ અને આ લોકમાં માત્ર અભિમાન કરાવનારી છે; એથી તારા સુજ્ઞ પિતા તેનો ત્યાગ કરવાને તૈયાર થયા છે તે સાંભળી, ધર્મચિએ કહ્યું કે, “હે જનની ! જ્યારે એવી રાજ્યલક્ષ્મી છે ત્યારે શું હું મારા પિતાને એવો અનિષ્ટ છું, કે તે સર્વ દોષકારક રાજ્યલક્ષ્મી મને વળગાડે છે.” આ પ્રમાણે કહી તેણે પણ પિતાની સાથે દીક્ષા લીધી અને સઘળી તાપસ યિા ને યથાર્થપણે પાળવા લાગ્યો. એક વખત અમાવાસ્યાના આગળના દિવસે (ચૌદશે) એક નાપસે ઊંચે સ્વરે જાહેરાત કરી કે, હે તાપસો ! આવતી કાલે અમાવાસ્યા હોવાથી અનાકુષ્ટિ છે. માટે આજે દર્ભ, પુષ્પ, સમિધ, કંદ, મૂળ તથા ફળ વગેરે લાવી મૂકવાં જરૂરી છે. તે સાંભળી ધર્મચિએ ગુર થયેલા પિતાને પૂછ્યું કે, પિતાજી? આ અનાકુષ્ટિ એટલે શું? તેમણે કહ્યું, 'પુત્ર ! લતા વગેરેને છેદવાં નહીં તે અનાકુષ્ટિ કહેવાય છે. તે અમાવાસ્યાનો દિવસ કે જે પર્વ ગણાય છે તે દિવસે ન કરવું. કારણ કે છેદનાદિ ક્રિયા સાવઘ ગણાય છે. તે સાંભળી ધર્મચિ ચિંતવવા લાગ્યો કે, "મનુષાદિકના શરીરની જેમ જન્માદિ ધર્મને યુક્તપણાને લીધે વનસ્પતિમાં પણ સજીવપણું સ્કુટપણે પ્રતીત થાય છે. ત્યારે જો સર્વદા અનાકુષ્ટિ થાય તો વધારે સારું. આવું ચિંતવનારા ધર્મચિને અમાવાસ્યાના દિવસે તપોવનની નજીકના માર્ગે ચાલ્યા જતા કેટલાક સાધુઓ જોવામાં આવ્યા. તેણે સાધુઓને પૂછ્યું કે, શું તમારે આજે અનાકુષ્ટિ નથી, કે જેથી આ વનમાં પ્રયાણ કરો છો?" તેઓએ કહ્યું કે, અમારે તો યાવજીવિત અનાકુવિટ્ટ છે. તેમ કહી સાધુઓ ચાલ્યા ગયા. તે સાંભળી ઊહાપોહ કરતાં ધર્મચિને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું; તેથી તેને યાદ આવ્યું કે, હું પૂર્વભવમાં દીક્ષા લઈ મૃત્યુ પામી, દેવલોકનું સુખ ૧૨ Page #205 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭૮ અનુભવીને, અહીં આવ્યો છું. પૂર્વે મેં સર્વે વનસ્પતિ જીવને અભયદાન આપ્યું હતું. તો હવે આ ભવમાં પણ તેની હિંસા કરવી મને યોગ્ય નથી. આવું વિચારી ને પ્રત્યેક બુદ્ધ થયો. પછી તેણે બીજા કંદાદિકનું ભક્ષણ કરનારા તાપસોને પણ તેના પચ્ચખાણ કરાવ્યા. બકરાં, ઊંટ, હાથી અને બીજાં પશુ વગેરેના ભવમાં વલ્લી પ્રમુખ વનસ્પતિનું તેં બહુ પ્રકારે ભક્ષણ કરેલું છે, તો હવે શ્રાવકપણાને પ્રાપ્ત કરીને હે જીવ ! તે વલ્લી વગેરેનું રક્ષણ કર, કે જેથી ધર્મરુચિ મુનીંદ્રની જેમ ઉત્તમ ફળ પ્રાપ્ત થાય” - જ મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મંત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત રહે; ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમલમાં, મુજ જીવનનું અર્થ રહે...મૈત્રી દીન, કૂર ને ધર્મ વિહોણાં, દેખી દિલમાં દર્દ રહે. - કરુણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે...મૈત્રી માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું, કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું. મત્રી ચંદ્રપ્રભુની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે, વેર ઝેરના પાપ તજીને, મંગલ ગીતો એ ગાવે...મૈત્રી દાદા: પાપમય સંસારમાં નિષ્પાપ જીવન બનાવવા માટે પ્રથમ સાપન પાયન આચરણ છે. . :: : Page #206 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૭૯ સતી અંજના ૭ર. જંબુદ્વીપમાં પ્રહલાદન નામના નગરે પ્રહલાદન નામે રાજા અને પ્રહલાદનપતી નામે રાણી હતી. તેમને પવનંજ્ય નામે કુમાર હતો તે સમયે વૈતાઢ્ય ગિરિ ઉપર અંજનકેત રાજા અને અંજનવતી રાણીને અંજના નામે પુત્રી હતી. તે યૌવનવતી થતાં તેનું પાણી ગ્રહણ કરાવવાને માટે અંજનકેતુ રાજા અનેક કુમારોનાં ચિત્રો પટ ઉપર આલેખાવી મંગાવી તેને બતાવતો હતો. તથાપિ કોઈ કુમારના ઉપર તેની પ્રીતિ થતી નહોતી. એક વખત રાજાએ ભવિષ્યદત્ત અને પવનંજ્ય કુમારનાં રૂપ ચિત્રપટ ઉપર આલેખી મંગાવી તેણીને બતાવ્યા. બન્ને કુમારનાં રૂપ, કુળ, શીલ, બળ વગેરે જોઈ તે બન્ને ચિત્રો તેણે પોતાની પાસે રાખ્યાં. એક વખત રાજા અંજનકેતુ મંત્રીઓની સાથે તે કુમારોના ગુણ વગેરેનો વિચાર કરવા લાગ્યો. તેણે મુખ્ય મંત્રીને પૂછ્યું કે, આ કુમારમાં વિશેષ ચઢિયાતો કોણ છે? મંત્રીએ કહ્યું, “મહારાજ ! ભવિષ્યદત્ત કુમારમાં જો કે ઘણા ગુણો છે તથાપિ શ્રી ભગવંતે કહ્યું છે કે, તે ભવિષ્યદત્ત અઢાર વર્ષની વયે મોક્ષ પામશે, તેથી તે આપણી કન્યાને યોગ્ય વર નથી; સર્વ રીતે આ પવનંજ્ય કુમાર જ યોગ્ય છે. આ પ્રમાણે મંત્રીના કહેવાથી રાજાએ તેની સાથે અંજનાનાં લગ્ન નિર્ધાર્યાં આ ખબર પવનંજ્ય કુમારને થતાં તે ઋષભદત્ત નામના પોતાના મિત્રને સાથે લઈ અંજનાનું લાવણ્ય તથા તેનો પ્રેમ જોવા માટે ત્યાં આવ્યો. બન્ને નીલ વસ્ત્ર ધારણ કરી રાત્રે ગુપ્ત રીતે શ્વસુરગૃહના અંતઃપુરમાં દાખલ થયા. ત્યાં મધુર આલાપ થતો સાંભળવામાં આવ્યો. કોઈ સખી અંજનાને કહેવા લાગી, સ્વામિની, તમે છેવટે જે બે કુમારોનાં ચિત્ર જોયાં હતાં, તેમાં જે ભવિષ્ય દત્ત છે તે ગુણોથી અધિક અને ધર્મજ્ઞ છે. પણ તે અલ્પ આયુષ્યવાળો છે એવું જાણી તેને છોડી દીધો છે અને બીજા પવનંજ્ય દીર્ધાયુ હોવાથી તેની સાથે આપનો સંબંધ થયો છે. તે સાંભળી અંજના બોલી. “સખી! અમૃતના છાંટા થોડા પણ મીઠા અને દુર્લભ હોય છે, અને વિષ હજાર ભાર હોય તો પણ તે કશા કામનું હોતું નથી" તે સાંભળી પવનંજય કુમાર તેના ઉપર બ્રેધાયમાન થઈ ખડગ ખેંચીને તેને મારવા તૈયાર થયો. તેને મિત્રે વાર્યો અને કહ્યું, 'મિત્ર ! આ વખતે રવિ છે. આપણે પારકે ઘેર આવ્યા છીએ. વળી આ કુમારી કન્યા છે. જ્યાં સુધી તેને Page #207 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮૦ તમે પરણ્યા નથી ત્યાં સુધી તે પરકીયા છે, તેથી તેને હણવી યોગ્ય નથી' પછી બન્ને પોતાના સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારથી પવનંજ્ય તેની ઉપર અત્યંત ખેદ વંદન કરવા લાગ્યો. પછી તેની સાથે તે પાણીગ્રહણ કરવાને ઇચ્છતો નહીં હતો, તથાપિ તેના પિતા વગેરેએ તેને માંડ માંડ સમજાવીને તેને પરણાવ્યો. પરંતુ ચોરી મંડપમાં પવનંજ્ય કુમારે રાગથી તેના મુખ સામું પણ જોયું નહીં અને પરણ્યા પછી પણ તેણીને તેણે બોલાવી નહીં. આથી અંજના નિરંતર દુ:ખી સ્થિતિને અનુભવવા લાગી. ઘણા ઉપાયે પણ તેને ભરથારનું સુખ પ્રાપ્ત થયું નહીં. એવી રીતે બાર વર્ષ વીતી ગયાં. એ અવસરે પ્રતિવાસુદેવ રાવણ વરુણ વિદ્યાધરને સાધવા ગયો હતો. ત્યાંથી તેનો એક દૂત પ્રહલાદન રાજાને બોલાવવા માટે આવ્યો. પ્રહલાદન રાજાને ત્યાં જવા તૈયાર થતાં જોઈ પવનંજ્ય તેમને રોકી, તેમની આશિષ લઈ, ષ્ટિ માર્ગે રહેલી અંજનાની સામું પણ જોયા વગર ત્યાંથી ચાલી નીકળ્યો. પ્રયાણ કરતાં માર્ગે માન સરોવર આવ્યું ત્યાં તેણે પડાવ કર્યો, ત્યાં કમલવન વિકાસ પામેલું જોઈ તે આનંદ પામ્યો. રાત્રીએ ચક્લાક પક્ષીની સ્ત્રીને કરુણ સ્વરે વિલાપ કરતી તેણે સાંભળી, તે સૂચવતી હતી કે, “પતિના વિયોગથી આતુર એવી આ ચક્વાકી રાત્રીને વિષે આવે છે, જાય છે, ફરી વાર આવે છે, કમલના અંકુરને તાણે છે, પાંખો ફફડાવે છે, ઉન્માદ કરે છે, ભમે છે અને મંદમંદ બોલે છે. આ પ્રમાણે સાંભળી તેણે પોતાના મિત્ર ઋષભદત્તને તેનું કારણ પૂછ્યું, એટલે તે બોલ્યો કે, "મિત્ર! દેવયોગે આ પક્ષીઓને રાત્રે વિયોગ થાય છે. આ પક્ષિણી આમ પોકાર કરતી મૃત પ્રાય: થઈ જશે પણ પ્રભાત થતાં તેનો પતિ તેને મળશે ત્યારે તે પાછી પ્રફુલ્લ અને તાજગી ભરી બની જશે." આ વખતે અંજનાએ પૂર્વે બાંધેલું ભોગવંતરાય કર્મ ક્ષય થઈ ગયું, તેથી પવનંજયના મનમાં એવો તત્કાળ વિચાર આવ્યો કે, અરે ! મારી પત્ની અંજનાને છોડે મને બાર વર્ષ વીતી ગયાં છે. તો તે બિચારીનાં તે વર્ષો શી રીતે વ્યતીત થયાં હશે! માટે ચાલ, અહીંથી એક વાર પાછો ઘેર જઈ તેને મળી આવું.' આમ વિચારી કુમાર રાત્રે ગુપ્ત રીતે પાછો ઘેર આવ્યો; અને તે દિવસે . આપના થયેલી અંજનાને પ્રેમ પૂર્વક ભોગવી. પછી પોતાના નામથી અંક્તિ મુદ્રિકા તેને નિશાની માટે અંજનાને આપી તે પાછો પોતાના કટકમાં આવ્યો. તેના ગયા પછી અનુક્રમે અંજનાને ગર્ભ રહ્યો હોવાના કારણે ઉદર વૃદ્ધિ થતાં તેની સાસુએ તેણીને કલંક્તિ જાણી તીક્ષ્ણ વચનો કહ્યાં. અંજનાએ પોતાના પતિના નામથી અંકિત મુદ્રિકા બતાવી, તથાપિ ને કલંક ઊતર્યું નહીં, અને તેને એક દાસીની Page #208 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮૧ સાથે તેણે ગૃહની બહાર કાઢી મૂકી. ત્યાંથી નીકળીને તે પોતાના પિતાને ઘેર આવી, પરંતુ ત્યાં પણ કલંકની વાર્તા જાણીને તેણે તેને રાખી નહીં એટલે તેણીએ માત્ર એક ઘસી સાથે વનમાં ભટક્વા માંડ્યું. પૂર્ણમાસ થતાં તેણે એક પુત્રને જન્મ આપ્યો, અને મૃગ બાલની જેમ તે તેનું પાલન કરવા લાગી. એક વખત દાસી જળ લેવાને ગઈ હતી, ત્યાં તેણે માર્ગમાં એક મુનિને કાયોત્સર્ગે રહેલા જોયાતેણે અંજનાને તે વાત કરી; એટલે અંજના તેની પાસે જઈ નમસ્કાર કરીને બેઠી; મુનિએ કાયોત્સર્ગ પાળી ધર્મદેશના આપી, તે સાંભળી અંજનાએ પોતાને પડેલાં દુઃખનું કારણ પૂછ્યું. મુનિએ અવધિજ્ઞાનથી તેનો પૂર્વભવ જણાવ્યો કે, હે અંજના! કોઈ ગામમાં એક ધનવાન શ્રેષ્ઠિની તું મિથ્યાત્વી સ્ત્રી હતી. તારે એક બીજી પત્ની હતી, તે પરમશ્રાવિકા હતી. તે પ્રતિદિન જિન પ્રતિમાની પૂજા કરીને પછી ભોજન લેતી હતી. તું તેના ઉપર દ્વેષ ધારણ કરતી હોવાથી એક દિવસે મેં તેની જિન પ્રતિમાને કચરામાં સંતાડી દીધી; તેથી જિનપૂજા ન થવાથી તેણીએ મુખમાં જળ પણ નાખ્યું નહીં અને તે ઘણી આકુળવ્યાકુળ થઈ ગઈ. એટલે તેણે જેને તેને પ્રતિમા વિશે પૂછવા માંડ્યું. તેવામાં કોઈએ કચરામાં રહેલી પ્રતિમા બતાવવા માંડી, પણ તેં બતાવવા ન દેતાં તેના ઉપર ધૂળ નાખી. એવી રીતે બાર મુહૂર્ત સુધી રાખતાં જ્યારે તે ઘણી દુઃખી થઈ, ત્યારે તે દયા લાવી તેને પ્રતિમા લાવી આપી. તે પાપથી તારે તારા પતિ સાથે બાર વર્ષનો વિયોગ થયો હતો. હવે તે કર્મ ક્ષીણ થવાથી તારો મામો અહીં આવી તને પોતાના ઘરે લઈ જશે. ત્યાં તારો સ્વામી પણ તને મળશે." આ પ્રમાણે મુનિ કહેતા હતા તેવામાં એક વિદ્યાધર ઉપર થઈને જતો હતો, તેનું વિમાન ત્યાં સ્કૂલિત થયું. વિદ્યારે તેનું કારણ જાણવા નીચે જોયું, ત્યાં પોતાની ભાણેજ અંજનાને તેણે ઓળખી; એટલે તત્કાળ નીચે ઊતરી દાસી અને પુત્ર સહિત અંજનાને પોતાના વિમાનમાં બેસાડી આકાશ માર્ગે ચાલ્યો. અંજનાનો બાળક ઘણો ચપળ અને ઉગ્ર પરાક્રમી હતો તેથી ચાલતા વિમાનની ઘુઘરીઓનો અવાજ સાંભળી તે બાળકને ઘુઘરીઓ લેવાનું કૌતક થયું. તેથી તે લેવા તે પોતાના હાથ લંબાવતો ગયો, એમ કરતાં અકસ્માત તે વિમાનમાંથી નીચે પડી ગયો. આ જોઈ અંજનાને મહા દુ:ખ થયું અને આકંદ સ્વરે રુદન કરતાં કહે, “અરે પ્રભુ! આ શો ગજબ ! અરે હદય શું વજથી ઘડાયેલું છે કે પતિના વિયોગે પણ તે ભાંગી ગયું નહીં, અને અત્યારે પુત્ર વિયોગે પણ ખંડિત થતું નથી ? આટલે ઊંચેથી પડેલો પુત્ર શું બચવાનો છે ! આ સાંભળી તેનો મામો પૃથ્વી ઉપર ઊતર્યો. તેણે શિલાના ચૂર્ણ રિતી) ઉપર પડેલા બાળકને જેવો ને તેવો ઉપાડી લઈ તેની માતાને આપ્યો. પછી તે વિદ્યારે Page #209 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮ર પોતાને ઘેર પહોંચી અંજનાને બાળક સહિત ઘેર મૂકી પોતાનું કોઈ કાર્ય કરવા માટે અન્ય સ્થાનકે ચાલ્યો ગયો. અહીં પવનંજય વરુણ વિદ્યાધરને સાધી ઘેર આવ્યો. માતાપિતાને પ્રણામ કરી તે પોતાની પત્નીના આવાસમાં ગયો, તો ત્યાં સ્ત્રીને જોઈ નહીં તત્કાળ માતાપિતાને પૂછ્યું ત્યારે તેમણે કલંક લાગવાથી કાઢી મૂક્યા સંબંધી વાર્તા કહી તે સાંભળી તેણે ખુલાસો કરી જણાવ્યું કે, તે પોતે ગયા પછી રાત્રે આવેલ તે હકીક્ત જણાવી. અંજના સતીને દુઃખી કરી તે અતિ ઉતાવળું અને અણસમજનું પગલું ભર્યું છે તેમ જણાવી પવનંજ્ય વિરહ વ્યાકુળ થઈ મરણને માટે ચંદનની ચિતા રચી બળી મરવા તૈયાર થયો. તે સમયે તેના મિત્ર ઋષભદતે કહ્યું, “સખે ! જો હું અંજનાને શોધીને ત્રણ દિવસમાં ન લાવું તો પછી યોગ્ય લાગે તેમ કરજે.” આ પ્રમાણે કહી તેનું નિવારણ કરી ઋષભદત્ત વિમાનમાં બેસી આકાશ માર્ગે પરિભ્રમણ કરતાં ત્રીજે દિવસે સૂર્યપુર આવી પહોંચ્યો. ત્યાં ઉપવનમાં બાળકો તથા સ્ત્રીઓ વચ્ચે થતી ગોષ્ઠી તેણે સાંભળી. તે વખતે કોઈ બાળકે કહ્યું કે, મિત્રો ! અહીં અંજના નામે કોઈ સુંદરી પુત્ર સહિત આવેલી છે. તે આપણા રાજા સૂર્યકેતુની સભામાં દરરોજ આવે છે. આવા શબ્દો અકસ્માત સાંભળી ઋષભદત્ત હર્ષ પામો અને તત્કાળ તેને આવીને મળ્યો. અંજના તેને જોઈ લજજાથી નમ્ર મુખ કરીને પોતાના મામાની પાછળ ઊભી રહી. ઋષભદત્ત પાસેથી પતિના દિગ્વિજ્યની તેમ જ તેના વિરહવ્યાકુળપણાની વાર્તા સાંભળી ત્યાં જવાને ઉત્સુક થઈ. પછી તેણે મામાની આજ્ઞા લીધી. મામાએ પણ અંજનાને પુત્ર સાથે ઋષભદત્તને સોંપી એટલે ઋષભદત્ત તેને લઈ વેગથી પવનંજ્યના નગરમાં આવ્યો. તેના આવ્યાના ખબર સાંભળી પવનંજ્ય ઘણો હર્ષ પામ્યો, અને મોટા ઉત્સવથી તેણે સ્ત્રી-પુત્રને નગરપ્રવેશ કરાવ્યો. સર્વ નગરજનો પણ આનંદ પામ્યા. પવનંજ્ય અને અંજના બન્ને દંપતીને પ્રતિદિન પ્રીતિમાં વૃદ્ધિ થવા લાગી. તે પુત્રનું નામ તેમણે હનુમાન પાડ્યું. તે અતુલ બળવાન હતો. એક વખતે વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના તીર્થના કોઈ મુનિઓ ત્યાં પધાર્યા. તેમની દેશના સાંભળી, પવનંજય અને અંજનાએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી બાળક હનુમાન મોટો થતાં વીર હનુમાન બન્યો, અને શ્રી રામચંદ્રની સેનાનો અધ્યક્ષ બન્યો. પવનંય મુનિ તથા સતી અંજના સાધ્વી નિરતિસાર વ્રતને પાળી સ્વર્ગે ગયાં. Page #210 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮૩ જિતશત્રુ અને સુકુમાલિકા | ૭૩ ચંપાપુરીમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુયોગ્ય નામવાળી સુકુમાલિકા નામે રાણી હતી. રાજા જિતશત્રુ તેના ઉપર એટલો બધો આસક્ત હતો કે તે રાજયાદિકની પણ ચિંતા કરતો નહીં. આવી રાજાની વર્તણુકથી પ્રધાન વર્ગે રાજાને સ્ત્રી સહિત મદિરાપાન કરાવી. અરણ્યમાં ત્યજી દીધો અને તેના પુત્રને રાજય ઉપર બેસાડ્યો. જ્યારે મદિરાનો નસો ઊતરી ગયો ત્યારે તે બન્ને રાજા-રાણી વિચાર કરવા લાગ્યાં, 'અરે ! આપણે અહીં ક્યાંથી ? આપણી કોમળ શા ક્યાં ગઈ? આપણા રાજ્ય-વૈભવનું શું થયું ? આમ વિચારતાં બંને ત્યાંથી આગળ આવ્યાં. થોડે દૂર જતાં કુસુમાલિકાને તરસ લાગી તેનો કંઠ અને તાલુ સુકાઈ ગયાં. તેણે રાજાને કહ્યું, સ્વામી, મારા જીવિતને બચાવવા ગમે ત્યાંથી જળ લાવી આપો. રાજા જળ લાવવાને ગયો, પણ ક્યાંય જળ જોવામાં આવ્યું નહીં. પછી ખાખરાનાં પાંદડાંનો પડીઓ કરી, તેમાં પોતાના બાહુની નસમાંથી રૂધિર કાઢી તે પડીઓ ભર્યો. તે લાવી રાણીને કહ્યું કે, પ્રિયે ! આ ખાબોચિયાનું જળ અતિ મલીન છે, તેને આંખ મીંચીને પી જા. રાણીએ તેમ કરીને પાન કર્યું. પછી થોડી વારે તે બોલી, 'સ્વામી ! મને ભૂખ બહુ લાગી છે.' તેથી રાજાએ દૂર જઈ છરી વડે પોતાના સાથળનું માંસ છેદી તેને અગ્નિમાં પકાવી રાણીની પાસે મૂક્યું અને પક્ષીનું માંસ કહી તેને ખવરાવ્યું. અનુક્રમે ત્યાંથી કોઈ દેશમાં આવી પોતાનાં આભૂષણો વેચી કાંઈક વ્યાપાર કરીને રાજા તેનું પોષણ કરવા લાગ્યો. એક વખત રાણીએ કહ્યું, “સ્વામી, જ્યારે તમે વ્યાપાર કરવા બહાર જાઓ છો ત્યારે હું એકલી ઘરમાં રહી શક્તી નથી.” આવાં વચન સાંભળી રાજાએ એક પાંગળા માણસને ચોકીદાર તરીકે ઘર પાસે રાખો. તે પાંગળા માણસનો કંઠ ઘણો મધુર હતો, તેથી રાણી મોહ પામી અને તેને સ્વામી તરીકે સ્વીકાર્યો. ત્યારથી સુકુમાલિકા પોતાના પતિ જિતશત્રુને મારવાના વિચારો કરવા લાગી. એક વખતે રાજા રાણીને લઈને વસંતઋતુમાં જલક્રીડા કરવા માટે ગંગા તટે ગયો. રાજાએ મદ્યપાન કર્યું, જ્યારે રાજા બેભાન થયો, ત્યારે રાણીએ તેને ગંગાના પ્રવાહમાં વહેતો મૂકી દીધો. પછી રાણી સુકુમાલિકા પેલા પાંગળાને સ્વેચ્છાથી ગાયન કરાવતી. કાંધ ઉપર બેસાડી ભીખ માગતી ભમવા લાગી. તે જોઈ લોકો તેને પૂછવા લાગ્યા કે, આ કોણ છે? ત્યારે તે Page #211 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮૪ હેતી કે, મારાં માતાપિતાએ આવો પતિ જોયો છે, તેથી તેને સ્કંધ ઉપર વહન કરું અહીં જીતશત્રુ રાજાને ગંગામાં તણાતાં એક લાકડાનું પાટિયું હાથ લાગી ગયું. તેના યોગે તે તરીને બહાર નીકળ્યો અને નદી કિનારે કોઈ એક વૃક્ષની તળે સૂઈ ગયો. તે સમયે સમીપે આવેલા કોઈ નગરનો રાજા ગુજરી ગયો, તેથી તેના મંત્રીઓએ પંચ દિવ્ય કર્યા. તેઓ આ વૃક્ષ પાસે આવીને ઊભા એટલે રાજાને જાગૃત કરી મંત્રીઓએ રાજ્ય ગાઈ ઉપર બેસાડ્યો. દૈવયોગે પેલી સુકુમાલિકા પંગુને લઈને તે જ નગરમાં આવી ચડી. તે બંને સતીપણાથી અને ગીતમાધુર્યથી તે નગરમાં વિખ્યાત થયાં તેની વિખ્યાતિ સાંભળી રાજાએ તેમને પોતાની પાસે બોલાવ્યાં. તેને જોતાં જ રાજાએ ઓળખી લીધાં તેથી તે બોલ્યો કે, હે બાઈ ! આવા બિભત્સ પાંગળાને ઉપાડી તું કેમ ફરે છે? તે બોલી, માતાપિતાએ જેવો પતિ આપ્યો હોય તેને સતીઓએ દ્રના જેવો માનવો. તે સાંભળી રાજા બોલ્યો, હે પતિવ્રતા! તને ધન્ય છે. પતિના બાહુનું રુધિર પીધું અને સાથળનું માંસ ખાધું તો પણ છેવટે ગંગાના પ્રવાહમાં નાખી દીધો. અહો ! કેવું તારું સતીપણું ! આ પ્રમાણે કહી તે ન્યાયી રાજાએ સ્ત્રીને અવધ જાણી પોતાના દેશની હદપાર કરી, અને આવું પ્રત્યક્ષ સ્ત્રીચરિત્ર જોઈ તેણે સર્વ સ્ત્રીઓનો ત્યાગ કરવા રૂપ મહાવ્રત લીધું. સુકુમાલિકાનું ચરિત્ર જોઈ જિનશત્રુ રાજા વિષયસુખથી વિરક્ત થયો અને કામ-વેધાદિ શત્રુઓનો જ કરી તેને પોતાનું જિનશત્રુ નામ સાર્થક કર્યું.” આવ્યો શરણે તમારા જિનવર, કરજો આશ પૂરી અમારી, નાવ્યો ભવપાર મારો તુમ વિણ, જગમાં સાર લે કોણ મારી; ગાયો બિનરાજ આજે હરખ અધિકથી પરમ આનંદકારી, પાયો તુમ દર્શ-નાશે ભવભવ ભ્રમણા નાથ સર્વે અમારી. ઘા તારી મુખમુદ્રાને અમિય નજરે નિહાળી રહ્યો, તારાં નયનોમાંથી ઝરતું દિવ્ય તેજ હું ઐલી રહ્યો ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ દર્શનમાં મન બનીને, આત્મિક આનંદ માણી રહ્યો. Page #212 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૮૫ પેથડ શાહ ૭૪. કાંકરેજની નજીકના એક ગામમાં પેથડ નામે એક ઓસવાળ જાતીનો ભલો વણિક રહેતો હતો. તેને પદ્મિની નામે પત્ની હતી. તેમને ડંકાણ નામે એક પુત્ર હતો. તે બાળક દરિદ્ર અવસ્થાને લીધે દુ:ખી થતો હતો. એવામાં ધર્મઘોષ નામે આચાર્ય ત્યાં પધાર્યા. તેમની પાસે પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત અંગીકાર કરતાં પેથડે એક હજાર દ્રવ્ય ઉપરાંત વધારે દ્રવ્ય મારે રાખવું નહીં એમ કહ્યું, એટલે આચાર્ય મહારાજે કહ્યું કે, જ્ઞાન અને ચેષ્ટા વડે તમારું ભાગ્ય બહુ મોટું છે એમ જણાય છે, માટે શ્રાવક એટલા જ દ્રવ્યથી તમારું શું થશે?" પેથડ બોલ્યો : “ભગવદ્ ! હમણાં તો મારી પાસે કાંઈ પણ દ્રવ્ય નથી, પણ કદી આપના કહેવા પ્રમાણે આગળ મળે તો મારે પાંચ લાખ ઉપરાંતનું દ્રવ્ય ધર્મ માર્ગે ખર્ચી નાખવું” તેની દ્વતા જોઈ ગુરુએ તેને તે પ્રમાણે પચ્ચખાણ કરાવ્યું. ત્યાર પછી દરિદ્રાવસ્થાનું દુઃખ વૃદ્ધિ પામતાં પુત્રને સુંડલામાં મૂકી માથે ઉપાડીને તે માળવા તરફ ચાલ્યો. અનુક્રમે તે દેશના મુખ્ય ગામમાં પેસતાં આ સર્પને ઊતરતો તેણે જોયો, એટલે તે અટકીને ત્યાં ઊભો રહ્યો. તેવામાં એક શુકન વેત્તા ત્યાં આવી ચડ્યો. તેણે પેથડને પૂછ્યું કે. કેમ ઊભો રહ્યો?' તેણે સર્પને આડો ઊતરતો બતાવ્યો. શુકનજ્ઞાતાએ સર્પ તરફ ઈષ્ટિ કરીને જોયું તો તેના મસ્તક ઉપર કાલી દેવી (ચકલી) બેઠેલી જોઈ, તેથી તત્કાળ તે બોલ્યો કે, “જો તું અટક્યા વગર ચાલ્યો ગયો હોત તો તને માળવાનું રાજ્ય મળત, તથાપિ આ શુકનને માન આપી હજુ અંદર પ્રવેશ કર. આ શુકન વડે તું મહા ધનવાન થઈશ." શુકનશાસ્ત્રમાં કહ્યું છે કે, “જો ગામેથી નીકળતાં ડાબો સ્વર થાય, સર્પ જમણો થાય અને ડાબી તરફ શિયાળ બોલે તો સ્ત્રી સ્વામીને કહે છે કે, સ્વામીનાથ ! સાથે કાંઈ ભાતું લેશો નહીં, આ શુકન જ ભાતું આપશે." પોતાને થયેલા શુકનનું આવું ફળ જાણી, પેથડ ગામમાં દાખલ થયો. ત્યાં ગોગા રાણાના મંત્રીને ઘેર સેવક થઈને રહ્યો. એકદા રાજાએ ઘણા અશ્વો વેચાતા લીધા. તેનું ધન આપવાને મંત્રીને કહ્યું એટલે મંત્રીએ કહ્યું કે, મારી પાસે ધન નથી. રાજાએ કહ્યું કેમ! ધન ક્યાં ગયું. નામું બતાવો. મંત્રી દિમૂઢ થઈ ગયો, તેથી કાંઈ બોલી શક્યો નહીં તત્કાળ રાજાએ તેને પહેરામાં બેસાડ્યો. આ ખબર મંત્રીની સ્ત્રીને થતાં તેણીએ તે વૃત્તાંત પેથડને જણાવ્યો. પેથડ રાજાની પાસે આવ્યો અને બોલ્યો કે, સ્વામી ! મંત્રીને જમવા મોકલો.' રાજાએ કહ્યું કે, 'નામું આપ્યા વગર મોકલીશ નહીં. પેથડે કહ્યું કે, 'સ્વામી! એક વર્ષનો Page #213 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮૬ હિસાબ હું આપીશ. હું પેથડ નામે નેનો સેવક છું. પછી રાજાએ તેને છૂટો કર્યો. મંત્રીને ભોજન કરાવી પાછો રાજા પાસે રજૂ કર્યો. રાજાએ પેથડને ચતુર જાણી પોતાનો મંત્રી બનાવ્યો; તેથી અલ્પ સમયમાં પેથડની પાસે પાંચ લાખ દ્રવ્યની સંપત્તિ એકઠી થઈ ગઈ. તે પછી જે અધિક લાભ થયો તે વડે તેણે ચોવીશ તીર્થકરોના ચોરાશી પ્રાસાદો કરાવ્યા. પોતાના ગુરુ ત્યાં પધાર્યા ત્યારે તેમને નગરમાં પ્રવેશ કરાવતાં બોંતેર હજાર દ્રવ્ય વાપર્યું. બત્રીશ વર્ષની વય થઈ એટલે શીલ વ્રત ગ્રહણ કર્યું. બાવન ઘડી પ્રમાણ સુવર્ણ દેવદ્રવ્યમાં આપીને ઇંદ્રમાળ પહેરી; અને ગિરનાર તીર્થ દિગમ્બરોના કબજામાં જતું બચાવી લીધું. સિદ્ધગિરિ ઉપર શ્રી ઋષભદેવ પ્રભુના ચૈત્યને એકવીશ ઘડી સુવર્ણ વડે મઢીને જાણે સુવર્ણનું શિખર હોય તેવું સુવર્ણમય બનાવ્યું. આ પ્રમાણે તેણે ઘણું દ્રવ્ય ધર્મકાર્યમાં વાપર્યું. આ પાંચમું જે પરિગ્રહ પરિમાણ નામે વ્રત છે તે ધર્મને વિષે સંપત્તિનું એક મહસ્થાન છે, તેને સંપાદન કરીને જેમ પેથડ શાહે સ્થાને સ્થાને સમૃદ્ધિ અને સુખ સંપાદન કર્યું, તેમ સૌ કોઈ પણ તે વ્રતને ઢતાથી ધારણ કરો. વૃક્ષ - ''1' - - - - - માનવીના આરોગ્ય માટે ઔષધ આખાં, ખાવા માટે ફળ આપ્યાં, તોરણ માટે પાન આખાં ને વિસામો દેવા શીળી-મીઠી છાયા આપી; એટલું જ નહિ, ઠંડો વાયુ પણ ઢોળ્યો, ઝૂલવા માટે પારણું આખું, ઘર બાંધવા લાકડું આખું, રસોઈ માટે ઇંધણ આખાં, તરવા માટે નાવડાં ને તરાપા આખાં ને આંતરડામાંથી ઘરડા આખાં. એટલું જ નહિ, એને કુહાડો કે કરવત મારી વૃક્ષને ખતમ કરવા મથનારો માનવ પોતાને મોતે મરીને ખતમ થઈ ગયો ત્યારે પણ, એણે જ મને વાવ્યું હનું ને સિચ્યું હતું" એમ વિચારી, નનામી બની, એના મૃતદેહને પોતે ઝીલી લીધો ને સ્મશાન સુધી પહોંચાડી દીધો. પણ મશાનમાં તો એનું સમર્પણ પરાકાષ્ઠાએ પહોંચી ગયું. ને માનવીની સાથે એ પોતે પણ જલીને ખાખ થઈ ગયું. લીલાં તોરણથી ભસ્મ સુધી અને ભસ્મથી ફરી લીલાં અંકુર સુધીની મારી સમર્પણ - યાત્રાને ધન્ય છે. વૃક્ષની જેમ સમર્પણની પરાકાષ્ઠાએ પહોંચીએ. Page #214 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮૭ મૃગાવતી સૂરપ્રિય નામનો યક્ષ સાકેત નગરને વિષે રહેતો હતો. ત્યાંના લોકો તે યક્ષને બહુ માનતા. દરેક વર્ષે તેની યાત્રાના દિવસે તેનું વિચિત્ર રૂ૫ ચીતરતા. તે યક્ષ તે દરેક ચિતારાને હણતો. જો ચિત્ર ચીતરવામાં ન આવતું તો તે યક્ષ આખું વર્ષ નગરના લોકોને પકડી પકડી હણતો. આમ ચીતરનારાઓનો વધ થવાથી કેટલાક ચિતારાનાં કુટુંબો ત્યાંથી નાસી બીજા નગરે જતાં રહ્યાં. એટલે એ દુષ્ટ યક્ષની બીકે રાજાએ પોતાના સુભટોને મોકલીને પેલા ચિત્રકારોને પાછા બોલાવ્યા ને તેમના સર્વના નામની ચીઠ્ઠીઓ લખી ને તે સર્વ એક ઘડામાં નાખી ને જેનું નામ આવે તે યાત્રાના દિવસે ચિત્ર દોરે ને યક્ષ તેને હણે એવો ઠરાવ કર્યો. આમ ઘણો કાળ વ્યતીત થયો. એકદા કોઈ ચિત્રકારનો પુત્ર કૌશાંબી નગરીથી ચિત્રકળા શીખવાને માટે સાકેતપુર નગરે આવ્યો અને એક ચિત્રકારની વૃદ્ધ સ્ત્રીને ઘેર ઊતર્યો. તેને તે વૃદ્ધાના પુત્રની સાથે મૈત્રી થઈ. દેવયોગે તે વર્ષે તે વૃદ્ધાના પુત્રના નામની જ ચિઠ્ઠી નીકળી, જે ચિઠ્ઠી એટલે ખરેખર યમરાજનું તેડું જ ગણાય. તે ખબર સાંભળી વૃદ્ધાએ રુદન કરવા માંડ્યું, તે જોઈ કૌશાંબીના યુવાન ચિત્રકારે રૂદન કરવાનું કારણ પૂછ્યું, ત્યારે વૃદ્ધાએ પોતાના પુત્ર ઉપર આવી પડેલી વિપત્તિની વાર્તા જણાવી. તે બોલ્યો : માતા ! ગભરાવ નહીં તમારો પુત્ર ઘેર રહેશે, હું જઈને ચિત્રકારના ભક્ષક તે યક્ષને ચીતરીશ.' વૃદ્ધા બોલી કે, વત્સ, તું પણ મારો પુત્ર જ છે. તે બોલ્યો, માતા ! હું છું છતાં આ મારો ભાઈ સ્વસ્થ રહો. પછી તે યુવાન ચિત્રકાર છઠ્ઠનું તપ કરી, નહાઈ, ચંદનનું શરીર ઉપર વિલેપન કરી, મુખ ઉપર પવિત્ર વસ્ત્રનું આઠ પડું કરીને બાંધી. નવીન પીંછીઓ અને સુંદર રંગોથી તેણે યક્ષની મૂર્તિ ચીતરી. પછી તે બાળ ચિત્રકાર યક્ષને નમીને બોલ્યો કે, “હે સૂરપ્રિય દેવ ! અતિ ચતુર ચિત્રકાર પણ આપના ચિત્રને ચીતરવાને સમર્થ નથી તો હું તો ગરીબ બાળક તો કોણ માત્ર છું, તથાપિ હે યક્ષરાજ ! મેં મારી શક્તિથી જે કાંઈ દોર્યું છે તે યુક્ત કે અયુક્ત જે હોય તે સ્વીકારજો અને કઈ ભૂલચૂક થઈ હોય તો તે માટે ક્ષમા કરજો; કારણ કે આપ નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ છો." આવી તે ચિત્રકારની વિનય ભરેલી વાણીથી યક્ષ પ્રસન્ન થઈને બોલ્યો કે, હે ચિત્રકાર, વર માંગ" તે બાળચિત્રકાર બોલ્યો કે, "હે દેવ ! તમે જો આ Page #215 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૮૮ ગરીબ ઉપર પ્રસન્ન થયા હો તો હું એવું વરદાન માગું છું કે, હવેથી કોઈ ચિત્રકારને મારશો નહીં." યક્ષ બોલ્યો : "મેં તને માર્યો નહીં, ત્યારથી જ હવે કોઈને પણ મારવાનું બંધ છે. પણ તે ભદ્ર ! તારા સ્વાર્થની સિદ્ધિને માટે કાંઈ બીજું વરદાન માગી લે" યુવાન ચિત્રકાર બોલ્યો : "હે દેવ ! આપે આ નગરમાંથી મહામારીને નિવારી, તો એટલાથી જ હું કૃતાર્ત થયો છું. યક્ષ વિસ્મય પામીને બોલ્યો : "કુમાર ! પરમાર્થને માટે તેં વરદાન માગ્યું, તેથી હું તારી ઉપર પુનઃ સંતુષ્ટ થયો છું, માટે સ્વાર્થને માટે કંઈ વરદાન માગી લે." ચિત્રકાર બોલ્યો : "હે દેવ ! જો વિશેષ સંતુષ્ટ થયા હો તો મને એવું વરદાન આપો કે, જે કોઈ મનુષ્ય, પશુ કે બીજાનો હું એક અંશ જોઉં તો તે અંશને અનુસારે તેના આખા સ્વરૂપને વાસ્તવિક આલેખવાની મને શક્તિ પ્રાપ્ત થાય." યક્ષે તથાસ્તુએમ કહ્યું. પછી નગરજનોથી બહુમાન પામી તે ત્યાંથી પેલી વૃદ્ધા તથા પોતાના મિત્ર ચિત્રકારની રજા લઈને શતાનિક રાજાથી અધિષ્ઠિત કૌશાંબી નગરીમાં આવ્યો. કૌશબીમાં એકદા રાજા લક્ષ્મીથી ગર્વિત એવો રાજસભામાં બેઠો હતો. તે વખતે તેને પરદેશ જતા-આવતા એક દૂતને પૂછ્યું કે હે દૂત ! જે બીજા રાજા પાસે છે અને મારી પાસે નથી એવું શું છે તે કહે." દૂત બોલ્યો કે, હે રાજન ! તમારે એક ચિત્રસભા નથી. તે સાંભળી શતાનિક રાજાએ પોતાના નગરમાં વસતા ચિત્રકારોને બોલાવી એક ચિત્રસભા બનાવવા આજ્ઞા કરી. ચિત્ર દોરવાને માટે દરેક ચિત્રકારને પોતાને જરૂરી જગ્યા વહેંચી આપી, તેમાં પેલા યુવાન ચિત્રકારને અંત:પુરની નજીકનો એક ભાગ ચિત્રકામ માટે મળ્યો. ત્યાં ચિત્રકામ કરતાં એક બારીમાંથી મૃગાવતી દેવીનો અંગૂઠો તેના જોવામાં આવ્યો તે ઉપરથી આ મૃગાવતી દેવી હશે એવું અનુમાન કરીને તે ચિત્રકારે યક્ષરાજના વરદાનથી તેનું સ્વરૂપ યથાર્થ રીતે આલેખવા માંડ્યું. છેવટે તેનાં નેત્ર આલેખતાં પીંછીમાંથી મલીનું બિંદુ ચિત્રમાંના મૃગવતી દેવીના સાથળ ઉપર પડ્યું, એટલે તત્કાળ ચિત્રકારે તે લૂછી લીધું, પાછું ફરી વાર ત્યાં જ મણીનું બિંદુ પડ્યું, તેને પણ લૂછી લીધું. પાછું ત્રીજી વાર પડ્યું તે જોઈ ચિત્રકારે ચિંતવ્યું કે, જરૂર આ સ્ત્રીના ઉર પ્રદેશમાં તેવું લાંછન હશે, તો તે લાંછન ભલે હો, હવે હું તેને લૂછીશ નહીં. પછી તેણે મૃગાવતીનું ચિત્ર પૂરેપૂરું આલેખ્યું. તેવામાં ચિત્રકામ જોવાને રાજા ત્યાં આવ્યો. અનુક્રમે મૃગાવતીનું ચિત્ર જોતાં સાથળ ઉપરનું પેલું લાંછન જોતાં રાજા એકદમ બેધિત થયો અને મનથી ચિંતવ્યું કે, 'જરૂર આ પાપી ચિત્રકારે મારી પત્નીને ભ્રષ્ટ કરી જણાય છે, નહીં તો વસ્ત્રની અંદર રહેલા આ લાંછનને એ શી રીતે જાણી Page #216 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૮૯ શકે? આવા કોપથી તેનો તે દોષ જણાવીને રાજાએ તેને પકડીને રક્ષકોને સ્વાધીન કર્યો. તે વખતે બીજા ચિત્રકારોએ મળીને રાજાને કહ્યું કે, હે સ્વામી ! એ ચિત્રકાર કોઈ યક્ષ દેવના પ્રભાવથી એક અંશ જોઈને આખું સ્વરૂપ યથાવત્ આલેખી શકે છે, માટે આમાં તેનો અપરાધ નથી” તેમનાં આવાં વચનથી શુદ્ર ચિત્તવાળા રાજાએ તે ઉત્તમ ચિત્રકારની પરીક્ષા કરવાને માટે એક કુબડી દાસીનું મુખ માત્ર તેને બતાવ્યું. તે ઉપરથી તે ચતુર ચિતારે તેનું યથાર્થ સ્વરૂપ આલેખી બતાવ્યું. તે જોઈ રાજાને ખાત્રી થયાં છતાં ઈર્ષા આવી તેથી બ્રેધ વડે તે ચિત્રકારના જમણા હાથના અંગૂઠો તેણે કપાવી નાખ્યો. - તે ચિત્રકારે પેલા યક્ષ પાસે જઈ ઉપવાસ કર્યા. એટલે યક્ષે તેને કહ્યું કે, "તું વામ હસ્તથી પણ તેવાં ચિત્રો કરી શકીશ યક્ષે આવું વરદાન આપ્યું. ચિત્રકારે કોધથી વિચાર્યું કે, “શતાનિક રાજાએ મારી નિરપરાધીની આવી દશા કરી, માટે હું કોઈ ઉપાયથી તેનો બદલો લઉં." આવો વિચાર કરીને તેણે એક પાટિયા ઉપર વિશ્વભૂષણ મૃગાવતી દેવીને અનેક આભૂષણો સહિત આલેખી, અને પછી સ્ત્રીઓના લોલુપી અને પ્રચંડ એવા ચંડપ્રદ્યોત રાજાની પાસે જઈને તે મનોહર ચિત્ર બતાવ્યું. તે જોઈ ચંદ્રપ્રદ્યોતે કહ્યું કે, “હે ઉત્તમ ચિત્રકાર ! તારું ચિત્રકૌશલ્ય ખરેખર વિધાતા જેવું જ છે એમ હું ધારું છું. આવું સ્વરૂપ આ માનવલોકમાં પૂર્વે કદી પણ જોવામાં આવ્યું નથી, તેમ જ સ્વર્ગમાં આવું રૂપ હોય તેમ સાંભળવામાં પણ આવ્યું નથી. તે ચિત્રકાર ! આવી સ્ત્રી ક્યાં છે? તે ખરેખર કહે તો તરત જ હું તેને પકડી લાવું, કેમ કે એવી સ્ત્રી કોઈ પણ સ્થાને હોય તો તે માટે લાયક છે." રાજાનાં આવાં વચન સાંભળી, હવે મારો મનોરથ પૂરો થશે એવું ધારી, ચિત્રકારે હર્ષિત થઈને કહ્યું કે, હે રાજા ! કૌશાંબી નગરીમાં શતાનિક નામે રાજા છે. તેની મૃગાવતી નામે આ મૃગાક્ષી એ સિંહ જેવા પરાક્રમી રાજાની પટરાણી છે. તેનું યથાર્થ રૂપ આલેખવાને તો વિશ્વકર્મા પણ સમર્થ નથી. મેં તો આમાં જરા માત્ર રૂપ જ આલેખ્યું છે." ચંડપ્રદ્યોતે કહ્યું કે, અમૃગના દેખતાં સિંહ જેમ મૃગલીને ગ્રહણ કરે, તેમ હું શતાનિક રાજાના દેખતાં એ મૃગાવતીને ગ્રહણ કરીશ. તથાપિ રાજનીતિ પ્રમાણે પ્રથમ તેની માગણી કરવાને દૂત મોકલવો યોગ્ય છે, કે જેથી મારી આજ્ઞા માને તો કાંઈ પણ અનર્થ ન થાય એવો વિચાર કરીને ચંડપ્રદ્યોતે પોતાના દૂતને સમજાવીને શતાનિક રાજા પાસે મોકલ્યો. તે દૂતે શતાનિક રાજાની પાસે આવી આ પ્રમાણે કહ્યું, “હે શતાનિક રાજા ! ચંડપ્રદ્યોત રાજા તમને આજ્ઞા કરે છે કે, તેં દૈવયોગથી મૃગાવતી દેવીને પ્રાપ્ત કરી છે, Page #217 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૯૦ પણ એ સ્ત્રીરત્ન મારે યોગ્ય છે. તું કોણ માત્ર છો; માટે જો રાજ્ય અને પ્રાણ વહાલાં હોય તો તેને સત્વરે અહીં મોકલી દે. દૂતનાં આવાં વચન સાંભળી શતાનિક બોલ્યા કે, “અરે અધમ દૂત ! તારા મુખે તું આવા અનાચારની વાત બોલે છે, પણ જા, દૂતપણાથી આજે તને મારતો નથી, જે સ્ત્રી માટે આધીન છે તેને માટે પણ તારા પાપી રાજાનો આવો આચાર છે, તો પોતાને સ્વાધીને પ્રજા ઉપર તો તેનો કેવો જુલમ કરતો હશે?" આ પ્રમાણે કહી શતાનિકે નિર્ભયપણે દૂતનો તિરસ્કાર કરીને કાઢી મૂક્યો. દૂતે અવંતિ આવીને તે વાર્તા ચંડપ્રદ્યોતને કહી તે સાંભળી ચંડપ્રદ્યોતને ઘણો બ્રેધ ચડ્યો, તેથી મર્યાદા રહિત સૈન્ય લઈ તે કૌશાંબી તરફ ચાલ્યો. ચંદ્રપ્રદ્યોતને આવતો સાંભળી શતાનિક રાજા ક્ષોભ વડે અતિસાર થવાથી તત્કાળ મૃત્યુ પામ્યો. દેવી મૃગાવતીએ વિચાર્યું કે, અમારા પતિ તો મૃત્યુ પામ્યા અને આ ઉદયનકુમાર હજી બાળક છે. બળવાનને અનુસરવું એવી નીતિ છે, પણ આ સ્ત્રીલંપટ રાજાના સંબંધમાં તો તેમ કરવાથી મને કલંક લાગે, માટે એની સાથે તો કપટ કરવું એ જ યોગ્ય છે. તેથી હવે તો અહીં જ રહીને અનુકૂળ સંદેશાથી તેને લોભાવી યોગ્ય સમય આવે ત્યાં સુધી કાળ નિર્ગમન કરું આવો વિચાર કરી મૃગાવતીએ એક દૂતને સમજાવીને ચંડપ્રદ્યોત પાસે મોકલ્યો. તે દૂત છાવણીમાં રહેલા ચંડપ્રદ્યોત પાસે આવીને બોલ્યો કે, દેવી મૃગાવતીએ કહેવરાવ્યું છે કે, મારા પતિ શતાનિક રાજા સ્વર્ગે ગયા તેથી હવે મને તમારું જ શરણ છે, પરંતુ મારો પુત્ર હજુ બળરહિત બાળક છે, તેથી જો હું હમણાં તેને છેડી દઉં તો પિતાની વિપત્તિથી થયેલા ઉગ્ર શોકાવેગની જેમ શત્રુરાજાઓ પણ તેનો પરાભવ કરશે." મૃગાવતીની આવી વિનંતી સાંભળી ચંડપ્રઘાત ઘણો હર્ષ પામીને બોલ્યો કે, “હું રક્ષક છતાં મૃગાવતીના પુત્રનો પરાભવ કરવાને કોણ સમર્થ છે?" દૂત બોલ્યો કે, દેવીએ પણ એમ જ કહ્યું છે કે, પ્રદ્યોત રાજા સ્વામી છતાં મારા પુત્રનો પરાભવ કરવાને કોણ સમર્થ છે? પણ આપ પૂજ્ય મહારાજા તો દૂર રહો છો અને શત્રુ રાજાઓ તો નજીકના રહેનારા છે, તેથી સર્પ ઓશીકે અને ઔષધિઓ હિમાલય ઉપર એ પ્રમાણે છે તો અત્રેનું હિત ઇચ્છતા હો તો ઉજજયની નગરીથી ઇંટો લાવી કૌશાંબી ફરતો મજબૂત કિલ્લો કરાવી આપો.” ગરજવાનને અક્કલ ન હોય તેથી ચંડપ્રદ્યોતે તેમ કરવા સ્વીકાર્યું અને થોડા વખતમાં કૌશાંબી ફરતો મજબૂત કિલ્લો કરાવી દીધો. પછી મૃગાવતીએ ફરીને દૂત મોક્લી કહેવરાવ્યું કે, હું પ્રદ્યોત રાજા ! તમે ધન, ધાન્ય અને ઇંધનાદિકથી કૌશાંબી નગરીને ભરપૂર કરી ઘો." ચંડuઘોને તે સર્વ પણ સતર કરાવી દીધું. આશા-પાશથી વશ થયેલો પુરુષ શું શું Page #218 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૯૧ નથી કરતો !" બુદ્ધિમતી મૃગાવતીએ જાણ્યું કે, હવે નગરી વિરોધ કરવાને યોગ્ય છે તેથી તેણીએ દરવાજા બંધ કર્યા અને કિલ્લા ઉપર સુભટોને ચડાવ્યા. ચંડપ્રદ્યોત રાજા ફળથી ભ્રષ્ટ થયેલા કપિની જેમ અત્યંત વિલખો થઈ નગરી વીંટીને પડ્યો રહ્યો. એક મૃગાવતીને વૈરાગ્ય આવ્યો કે, જ્યાં સુધી શ્રી વીરપ્રભુ વિચરતા છે, ત્યાં સુધીમાં હું તેમની પાસે દીક્ષા લઉં.” તેણીનો આવો સંકલ્પ જ્ઞાન વડે જાણી શ્રી વીર પ્રભુ સુર-અસુરના પરિવાર સાથે ત્યાં પધાર્યા. પ્રભુને બહાર સમોસર્યા સાંભળી, મૃગાવતી પુરદ્વાર ઉઘાડી નિર્ભયપણે મોટી સમૃદ્ધિ સાથે પ્રભુ પાસે આવી પ્રભુને વંદના કરીને યોગ્ય સ્થાને બેઠી. ચંડપ્રદ્યોત પણ પ્રભુનો ભક્ત હોવાથી ત્યાં આવીને વૈર છોડીને બેઠો અને બધાં વીર પ્રભુની દેશના સાંભળવા લાગ્યાં. અહીં સર્વજ્ઞ પધાર્યા છે એમ જાણી કોઈ એક ધનુષધારી પુરુષ પ્રભુની પાસે આવ્યો અને નજીક ઊભો રહીને પ્રભુને મન વડે જ પોતાનો સંશય પૂછ્યો. પ્રભુ બોલ્યા : “અરે ભદ્ર ? તારો સંશય વચન દ્વરા કહી બતાવ કે જેથી આ બીજા ભવ્ય પ્રાણીઓ પ્રતિબોધ પામે." પ્રભુએ આ પ્રમાણે કહ્યું, તો પણ તે લજજાવશ થઈ સ્પષ્ટ બોલવાને અસમર્થ છે તેથી તે થોડા અક્ષરોમાં બોલ્યો કે, “હે સ્વામી ! યાસા, સાસા પ્રભુએ પણ ટૂંકમાં જ જવાબ આપ્યો, “એવા મેવં" તે સાંભળી ગૌતમ સ્વામીએ પૂછ્યું કે, હે ભગવંત ! યાસા, સાસા એ વચનનો શો અર્થ છે?" પ્રભુ બોલ્યા કે, આ ભરતક્ષેત્રને વિષે ચંપાનગરીમાં પૂર્વે એક સ્ત્રીલંપટ સુવર્ણકાર હતો. તે પૃથ્વી પર ફરતો હતો અને જે જે રૂપવતી કન્યા જોતો તેને પાંચસો પાંચસો સોનૈયા આપીને પરણતો હતો. એવી રીતે અનુક્રમે તે પાંચસો સ્ત્રીઓને પરણ્યો અને પ્રત્યેક સ્ત્રીને તેણે સર્વ અંગનાં આભૂષણો કરાવી આપ્યાં હતાં. પછી જ્યારે જે સ્ત્રીનો વારો આવે ત્યારે તે સ્ત્રી સ્નાન, અંગરાગ વગેરે કરી સર્વ આભૂષણો પહેરી તેની સાથે બ્રિડા કરવાને સજજ થતી હતી. તેના સિવાય બીજી કોઈ પણ સ્ત્રી જો પોતાના વેશમાં કાંઈ પણ ફેરફાર કરે તો તે તેનો તિરસ્કાર કરી માર મારતો. પોતાની સ્ત્રીઓના અતિ ઈર્ષાળુપણાથી તેમના રક્ષણમાં તત્પર એવો તે સોની નજરની જેમ કદી પણ ગૃહદ્વારને છેડતો નહોતો. તેમ જ કોઈ સ્વજનોને તે પોતાના ઘરે બોલાવતો નહતો તેમ જ તે પણ સ્ત્રીઓના અવિશ્વાસથી પોતે પણ બીજાને ઘેર જમવા જઈ શકતો નહોતો. ' એક વખત તેનો કોઈ પ્રિય મિત્ર જો કે તે ઇચ્છતો ન હતો પણ તેને અત્યાગ્રહથી પોતાને ઘેર જમવા લઈ ગયો, કેમ કે તે મૈત્રીનું આદ્ય લક્ષણ છે. સોનીના બહાર જવાથી તેની સર્વ સ્ત્રીઓએ ચિંતવ્યું કે, આપણા ઘરને, આપણા યૌવનને અને Page #219 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૯૨ આપણા જીવિતને પણ ધિક્કાર છે કે જેથી આપણે અહીં કારાગૃહની જેમ બંદીવાન થઈને રહીએ છીએ. આપણો પાપી પતિ યમદૂતની જેમ કદી પણ બહાર જતો નથી, પરંતુ આજે તે કાંઈક ગયો છે એટલું સારું થયું છે, માટે ચાલો, આજે તો આપણે થોડી વાર સ્વેચ્છાએ વર્તીએ." આવો વિચાર કરીને સર્વ સ્ત્રીઓએ સ્નાન કરી, અંગરાગ લગાવી ઉત્તમ પુષ્પમાળાદિ ધારણ કરી, સુશોભિત વેષ ધારણ ર્યો. પછી સર્વે દર્પણ લઈ પોતપોતાનું રૂપ તેમાં જોતી હતી, તેવામાં તે સોની આવ્યો અને આ બધું જોઈને અંત્યત લેધ પામ્યો; તેથી તેઓમાંથી એક સ્ત્રીને પકડી તેણે એવી મારી છે, જેથી હાથીના પગ નીચે ચંપાયેલી કમળનીની જેમ તે મૃત્યુ પામી ગઈ. તે જોઈ બીજી સ્ત્રીઓએ વિચાર કર્યો કે, આવી રીતે આપણને પણ આ દુષ્ટ મારી નાખશે, માટે આપણે એકઠી થઈને તેને જ મારી નાખીએ. આવા પાપી પતિને જીવતો રાખવાથી શું ફાયદો છે? આવો વિચાર કરીને તે બધીએ નિઃશંક થઈને ચારસો ને નવાણું દર્પણો તેની ઉપર ફેંક્યા, તેથી તત્કાળ તે સોની મૃત્યુ પામી ગયો. પછી સર્વ સ્ત્રીઓ પશ્ચાત્તાપ કરતી છાતી ચિતવત ગૃહને બાળી દઈ તેની અંદર રહી પોતે પણ બળીને મૃત્યુ પામી પશ્ચાત્તાપના યોગે અકામ નિર્જરા થવાથી તે ચારસો ને નવાણું સ્ત્રીઓ મરણ પામીને પુરુષપણે ઉત્પન્ન થઈ. દુદૈવયોગે તેઓ બધાં એકઠાં મળી, કોઈ અરણ્યમાં કિલ્લો કરીને રહેતાં છતાં ચોરી કરવાનો ધંધો કરવા લાગ્યા. પેલો સોની મૃત્યુ પામીને તિર્યંચ ગતિમાં ઉત્પન્ન થયો. તેની એક પત્ની જે પ્રથમ મરી ગઈ હતી તે પણ તિર્યંચમાં ઉત્પન્ન થઈ અને બીજા ભવે બ્રાહ્મણના કુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થઈ. તેની પાંચ વર્ષની વય થતાં પેલો સોની તે જ બ્રાહ્મણના ઘરે તેની બહેનપણે ઉત્પન્ન થયો. મોટો ભાઈ તેની બહેનનું સારી રીતે પાલન કરતો હતો, તથાપિ અતિ દુષ્ટતાથી તે રોયા કરતી હતી. એક વખતે તે દ્વિજ પુત્ર તેના ઉદરને પંપાળતાં અચાનક તેના ગુહ્ય સ્થાને અડક્યો, એટલે તે રોતી બંધ થઈ. તે ઉપરથી તેણીના રુદનને બંધ કરાવવાનો તે ઉપાય સમજ્યો. પછી જ્યારે તે રોતી ત્યારે તે તેના ગુહ્યસ્થાનને સ્પર્શ કરતો હતો એટલે તે રોતી રહી જતી હતી. એક વખતે તેનાં માતાપિતાએ તેને તેમ કરતો જોયો એટલે બ્રેધમાં કાઢી મૂક્યો. તે કોઈ ગિરિની ગુફામાં ચાલ્યો ગયો. અનુક્રમે જે જગ્યાએ પેલા ચારસો નવાણું ચોર રહેતા હતા, ત્યાં તે જઈ પહોંચ્યો અને તેમના ભેગો તે ધંધામાં ભળી ગયો. તેની બહેન જે ડિજ ઘરે મોટી થતી હતી તે યુવાવસ્થાએ પહોંચતાં કુલટા થઈ. તે સ્વેચ્છાએ ફરતાં ફરતાં એકાદ ગામમાં આવી. પેલા ચોરોએ એ ગામ લૂટયું અને Page #220 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૯૩ તે કુલટાને પકડી તેને બધાની સ્ત્રી તરીકે રાખી લીધી થોડા દિવસોમાં ચોરોને થયું કે, આ બિચારી એકલી છે, તેથી આપણા બધાની સાથે ભોગવિલાસ કરવાથી જરૂર થોડા સમયમાં તે મૃત્યુ પામી જશે. માટે કોઈ બીજી સ્ત્રી લાવીએ તો ઠીક' આવા વિચારથી તેઓ એક બીજી સ્ત્રીને પકડી લાવ્યા, ત્યારે પેલી કુલટા સ્ત્રી ઈર્ષાથી તેનાં છિદ્ર શોધવા લાગી અને પોતાના વિષયમાં ભાગ પડાવનારી લાગી. એક વખત બધા ચોરો કોઈ ઠેકાણે ચોરી કરવા ગયા હતા, તે વખતે છળ કરી તે કુલટા પેલી સ્ત્રીને કંઈક નવું બતાવવાનું બહાનું બતાવી એક કૂવા પાસે લઈ ગઈ અને કૂવામાં તેને જોવા કહ્યું. તે સરળ સ્ત્રી તે કૂવામાં જોવા ગઈ એટલે તેને ધક્કો મારી કૂવામાં નાખી દીધી. ચોરોએ આવીને પૂછ્યું કે, 'પેલી સ્ત્રી ક્યાં છે ? તેણે કહ્યું, 'મને શી ખબર, તમે તમારી પત્નીને કેમ જાળવતા નથી. ચોરો સમજી ગયા કે જરૂર તે બિચારીને આગે ઈર્ષાથી મારી નાખી છે. પેલો બ્રાહ્મણ ચોર બન્યો હતો તેણે વિચાર્યું કે, શું આ મારી ભગિની તો નહીં હોય ?' તેવામાં તેણે સાંભળ્યું કે, અહીં સર્વજ્ઞ પધાર્યા છે, એટલે તે અહીં આવ્યો અને પોતાની બેનના દુઃશીલ વિશે પૂછવાની લજજા થવાથી તેણે પ્રથમ મનથી જ પૂછ્યું, પછી મેં કહ્યું કે, 'વાણીથી પૂછે એટલે તેણે પાસા, સાસા, એવા અક્ષરોથી તે સ્ત્રી શું મારી બહેન છે ? એમ પૂછ્યું. તેનો અમોએ એવં એટલો જ ઉત્તર આપીને, તે તેની બહેન છે એમ જણાવી દીધું. આ પ્રમાણે રાગદ્વેષાદિકથી મૂઢ થયેલાં પ્રાણીઓ આ સંસારમાં ભવભવ ભમે છે અને વિવિધ દુ:ખ ભોગવ્યા કરે છે. આ પ્રમાણે સર્વ હકીકત સાંભળી તે બ્રાહ્મણ પુરુષે પરમ સંવેગને પામીને પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી અને પાછો પલ્લીમાં આવી તેણે ચારસો નવાણું ચોરને પ્રતિબોધી તે બધાને પણ વ્રત ગ્રહણ કરાવ્યું. યોગ્ય સમયે મૃગાવતીએ ઊઠી પ્રભુને નમીને કહ્યું કે, ચંડપ્રઘાત રાજાની આજ્ઞા મેળવીને હું દીક્ષા લઈશ. પછી ચંડપ્રોત પાસે આવીને કહ્યું કે, જો તમારી સંમતિ હોય તો હું દીક્ષા લઉં, કારણ કે હું આ સંસારથી ઉદ્વેગ પામી છું, અને મારો પુત્ર તો તમને સોંપી જ દીધો છે.” તે સાંભળી પ્રભુના પ્રભાવથી પ્રદ્યોત રાજાનું વૈર શાંત થઈ ગયું એટલે તેણે મૃગાવતીના પુત્ર ઉદયનને કૌશાંબીનગરીનો રાજા કર્યો અને મૃગાવતીને દીક્ષા લેવાની આજ્ઞા આપી. પછી મૃગાવતીએ પ્રભુની સમીપે દીક્ષા લીધી. તેની સાથે અંગારવતી વગેરે રાજાની આઠ સ્ત્રીઓએ પણ દીક્ષા લીધી. પ્રભુએ કેટલીક ૧૩. Page #221 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૯૪ શિક્ષા આપીને તેમને ચંદના સાધ્વીને સોંપી. તેઓએ સાધ્વી ચંદનબાળાની સેવા કરીને સર્વ સમાચારી જાણી લીધી. ભવ્ય જનોને પ્રતિબોધ કરતાં શ્રી વીર ભગવંત ફરીને કૌશાંબી નગરીએ પધાર્યા. દિવસને છેલ્લે પહોરે ચંદ્ર સૂર્ય શાશ્વત વિમાનમાં બેસી પ્રભુને વાંદવા આવ્યા. તેઓના તેજથી આકાશમાં ઉદ્યોત થયેલો જોઈ લોકો કૌતુકથી ત્યાં જ બેસી રહ્યા. રાત્રી જાણીને પોતાને ઊઠવાનો સમય સમજી ચંદના સાધ્વી પોતાના પરિવાર સાથે વીર પ્રભુને નમીને પોતાને ઉપાશ્રયે ગયાં, પરંતુ મૃગાવતી સૂર્યના ઉદ્યોતના તેજ વડે દિવસના ભ્રમથી રાત્રે. થયેલી જાણી નહીં, તેથી તે ત્યાં જ બેસી રહી. પછી જ્યારે સૂર્ય-ચંદ્ર ચાલ્યા ગયા, ત્યારે મૃગાવી રાત્રી પડી ગઈ જાણી કાળાતિક્રમણના ભયથી ચકિત થઈ ઉપાશ્રયે આવી. ચંદનાએ તેને કહ્યું કે, 'અરે ! મૃગાવતી ! તારા જેવી કુલીન સ્ત્રીને રાત્રે એકલા બહાર રહેવું શું શોભે છે ? આ વચન સાંભળીને મૃગાવતી ચંદનાને વારંવાર ખમાવા લાગી. તેમ કરતાં કરતાં શુભ ભાવ વડે ધાતી કર્મના ક્ષયથી મૃગાવતીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે નિદ્રાવશ થયેલી ચંદનાની પડખેથી સર્પ જતો હતો, તેને કેવળજ્ઞાનની શક્તિથી જોઇને મૃગાવતીએ તેમનો હાથ સંથારા પરથી ઊંચો લીધો, તેથી ચંદનાએ જાગીને પૂછ્યું કે, મારો હાથ કેમ ઊંચો કર્યો ?' મૃગાવતી બોલી, 'અહીં મોટો સર્પ જતો હતો, ચંદનાએ પૂછ્યું કે, અરે મૃગાવતી, આવા અંધારામાં તે શી રીતે સર્પને જોયો ? આથી મને વિસ્મય થાય છે.' મૃગાવતી બોલી, 'હે ભગવતી ! મેં મને ઉત્પન્ન થયેલા કેવળજ્ઞાન ચક્ષુથી તેને દીઠો. તે સાંભળીને, અરે ! કેવળીની આશાતના કરનારી એવી મને ધિક્કાર છે !' એવી રીતે પોતાના આત્માની નિંદા કરતાં ચંદનાને પણ કેવળજ્ઞાન થયું. નોંધ : મૃગાવતીને કેવળજ્ઞાનની વિગત ચંદનબાળાના ચરિત્રમાં આવી ગઈ હોવા છતાં રસ ક્ષતિ ન થાય તે માટે અત્રે ફરીથી લખી છે. અતિશય લાડથી બાળકો બગડશે. લક્ષ્મી મદ આપી શકે, સંસ્કાર નહિ. પોતાના અંતરને ઓળખ્યું તેણે વિશ્વ ઓળખ્યું. માયાળુ શબ્દ કદી નકામા જતા નથી. નબળી વાતો કરનાર કદી સફળ થાય નહિ. Page #222 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૯૫ | શ્રી શુભંકર : પૃથ્વીપુર નામના નગરમાં શુભંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને ધર્મનો મર્મ જાણનારી જૈન મતિ ગુણવંતી નામે ભાર્યા હતી. આ બ્રાહ્મણ વિદ્યાભ્યાસ કરવા પરદેશ ગયો ત્યાં તેણે ચાર વેદ, અઢાર પુરાણ, વ્યાકરણ, અલંકાર, ન્યાય, સાહિત્ય, કોશ વગેરે ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પછી સ્થાને સ્થાને અનેક વિદ્વાનોને વાદમાં જીતીને જયવંતો થતો થતો તે પોતાના ઘેર આવ્યો. ત્યાં પણ તે પોતાના શાસ્ત્રજ્ઞાનનો આડંબર સર્વ લોકને દેખાવા લાગ્યો. તે જોઈ તેની જૈન ધર્મી ભાર્યાએ વિચાર્યું કે, આ મારો પતિ મિથ્યાત્વીઓના એકાંતવાદી શાસ્ત્રો ભણેલો છે; પરંતુ સ્વાદ માર્ગને નહીં જાણનાર મનુષ્ય વસ્તુનું યથાયોગ્ય વિવેચન જાણતો નથી, માટે હું તેને કંઈક પૂછું." એમ ધારી તેણે પોતાના પતિને પૂછ્યું કે, હે સ્વામી ! સર્વ પાપનો બાપ કોણ?" બ્રાહ્મણે કહ્યું કે - હે પ્રિયા ! હું શાસ્ત્રમાં જોઈને કહીશ." પછી તે જેટલાં શાસ્ત્ર ભણ્યો હતો તે સર્વ તેણે જોયાં, પણ તેમાંથી પાપનો બાપ ક્યાંય નીકળ્યો નહીં. તેથી તેણે ખેદ પામીને સ્ત્રીને કહ્યું કે, “હે પ્રિયા ! તારા પ્રશ્નનો જવાબ તો કોઈ શાસ્ત્રમાંથી નીકળતો નથી, પણ તે આ પ્રશ્ન ક્યાંથી સાંભળ્યો ?" તે બોલી કે, મેં રસ્તે જતાં કોઈ જૈન મુનિના મુખથી સાંભળ્યું હતું કે, સર્વ પાપનો એક પિતા છે તેથી હું તમને તેનું નામ પૂછું છું." વિઝ બોલ્યો કે, હું તે સાધુ પાસે જઈને પૂછું અને સંદેહ રહિત થાઉં." પછી તે વિપ્ર જૈન સાધુ પાસે જઈને બેઠો અને સંસ્કૃત ભાષામાં કેટલાક પ્રશ્નો કર્યા; તેના યથાસ્થિત ઉત્તર મળ્યાથી તે બહુ ખુશી થયો. પછી તેણે પૂછ્યું કે, હે સ્વામી ! પાપના બાપનું નામ કહો." ગુરુએ કહ્યું કે, સંધ્યા સમયે તમે અહીં આવજો. તે વખતે તેનું નામ કહીશ." એટલે બ્રાહ્મણ પોતાના ઘેર ગયો. ગુરુએ વિચાર્યું કે, “જરૂર આ બ્રાહ્મણને પ્રતિબોધ કરવા માટે તેની ભાર્યાએ મોકલ્યો લાગે છે, માટે કોઈ પણ ઉપાયથી તેને પ્રતિબોધ પમાડું." એમ ધારીને એક શ્રદ્ધાળુ શ્રાવકને ગુરુએ કહ્યું કે, તમારા ઘેરથી બે અમૂલ્ય રત્નો લાવીને મને આપો, મારે તેનું એક વ્યક્તિને પ્રતિબોધવા માટે કામ છે; અને બીજું, કોઈ ચાંડાળ પાસે એક ગધેડાનું મડદું ઉપડાવીને આ ઉપાશ્રયથી સો હાથ દૂર કોઈ એકાંત જગ્યાએ મુકાવો." શ્રાવકે બંને કામ શીઘ કરી દીધાં. પછી સંધ્યા સમય થતાં પેલો બ્રાહ્મણ ગુરુ પાસે આવ્યો. એટલે ગુરુએ તેને એકાંતમાં કહ્યું Page #223 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૯૬ કે, "અમારું એક કામ કરવાનું કબૂલ કરો તો આ એક રત્ન આપું, અને કાર્ય કરી રહ્યા પછી આ બીજું રત્ન પણ આપીશ." બ્રાહ્મણે રત્ન જોઈ હર્ષથી કહ્યું કે, “હે પૂજ્ય! કામ બતાવો. ગુરુએ કહ્યું કે, આ ઉપાશ્રય નજીક એક ગધેડાનું શબ પડ્યું છે તેથી તે પડ્યું હોય ત્યાં સુધી અમને સ્વાધ્યાય વગેરે ધર્મકાર્યમાં વિન થાય છે. અર્થાત્ કરી શકતા નથી, તેથી તેને ઉપાડીને તું ગામ બહાર નાખી આવ." બ્રાહ્મણે વિચાર્યું કે, હમણાં અંધારું થઈ ગયું છે, તેથી મને વેદપારગામીને અત્યારે કોણ ઓળખે છે? માટે સ્વાર્થ સાધી લઉં." એમ વિચારીને તે ચાંડાળ જેવો વેશ કરી, પેલું શબ ખાંધે ચડાવી, યજ્ઞોપવીત સંતાડીને, તેને ગામ બહાર નાખી આવ્યો. પછી સ્નાન કરીને જલદી ગુરુ પાસે આવ્યો અને કહ્યું કે, “હે સ્વામી! આપનું કામ કરી આવ્યો! માટે તમારું વચન તમે પાળો અને બીજું રત્ન આપી દો." ગુરુજીએ બીજું રત્ન પણ તેને આપ્યું. પછી બ્રાહ્મણે સૂરીને પોતાના પ્રશ્નનો ઉત્તર પૂછ્યો. ત્યારે ગુરુએ કહ્યું કે, હજુ સુધી તું તારા પ્રશ્નનો ઉત્તર સમજ્યો નથી ?" તે સાંભળીને તે લધુકર્મી અને સુલભ બોધિ હોવાથી તથા અનેક શાસ્ત્રનાં જ્ઞાનવાળો હોવાથી સારી રીતે વિચાર કરતાં તેને સમજાયું કે, "અહો! હું બ્રાહ્મણ કે જેનો અર્થ બ્રહ્મ તત્ત્વ જાણનાર થાય છે, તથા હું ગાયત્રીનો જાપ કરનાર, છતાં પણ લોભના પરવશપણાથી આવી નિંઘ દશાને પામ્યો. ધર્મ શાસ્ત્રોમાં કહ્યું છે કે: અત્યંત પાપકર્મને ઉત્પન્ન કરનાર પાપનો બાપ જો લોભ હોય તો બીજા પાપથી શું ? જો સત્ય હોય તો તપની શી જરૂર છે? જો મન પવિત્ર હોય તો તીર્થે ફરવાથી શું વિશેષ છે ? જો સુજનતા હોય તો આમ માણસનું શું કામ છે ? જો મહિમા હોય તો અલંકાર પહેરવાથી શું વિશેષ છે? જો સારી વિદ્યા હોય તો ધનની શી જરૂર છે? અને જો અપયશ હોય તો પછી મૃત્યુએ કરીને શું વધારે છે અથવા અપયશ એ જ મૃત્યુ છે." | ઇત્યાદિ વિચાર કરીને તે બ્રાહ્મણ પોતાના ઘેર આવી પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો કે, હે પ્રિયા ! જૈન સાધુએ મને સારો બોધ પમાડ્યો. લોભ એ પાપનો બાપ છે. તે મને સમજાયું. જૈન ધર્મ સર્વ ધર્મમાં ઉત્તમ અને લોકોત્તર છે. માત્ર એક લોભને નહીં જીતવાથી સર્વ ધર્મકૃત્યો વ્યર્થ છે. લોભી માણસ સર્વ પ્રકારનાં પાપો કરે છે." પછી તે બ્રાહ્મણ ફરીને ગુરુ પાસે આવ્યો અને ગુરુને કહ્યું કે, “હે સ્વામી ! આપની કૃપાથી મને જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી ત્રાગ રત્ન પ્રાપ્ત થયાં." ઇત્યાદિ ગુરુની પ્રશંસા કરીને તેમનો અત્યંત ઉપકાર માન્યો. આ વાતનું તાત્પર્ય એ છે કે, "લોભનો નાશ કરવા જેવો બીજો કોઈ ધર્મ નથી અને લોભને વશ થવા જેવું બીજું કોઈ પાપ નથી.” Page #224 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૧૯૭ શિયલવતી જંબુદ્રીપને વિષે નંદન નામના નગરમાં રત્નાકર નામે શ્રેષ્ઠી રહેતો હતો. તેને પુત્ર ન હતો, તેથી તેણે અજિતનાથ ભગવંતની શાસનદેવી અજિતબાલાની આરાધના કરી, એથી અજિતસેન નામે પુત્ર થયો તે મોટો થઈ શિયલવતી નામે સ્ત્રીને પરણ્યો, શિયલવતી શકુન શાસ્ત્રાદિ ભણેલી હતી. તે શકુન શાસ્ત્ર અનુસાર વેપાર કરવાથી અનેક વખત દ્રવ્ય વધતું જતું હતું અને આથી તે ઘરની માનીતી અને અધિષ્ઠાત્રી થઈ પડી હતી. તેનો સ્વામી અજિતસેન બુદ્ધિના બળથી રાજાનો મંત્રી થયો હતો. ૭૭. એક વખત રાજાએ કોઈ સીમાડાના રાજા ઉપર ચડાઈ કરવા જતાં પોતાની સાથે આવવા અજિતસેનને આજ્ઞા કરી. મંત્રીએ શિયલવતીને પૂછ્યું કે, “પ્રિયા ! મારે રાજાની સાથે જવું પડશે, પાછળ તું એકાકી ઘેર શી રીતે રહીશ ? કારણ કે સ્ત્રીઓનું શીલ તો પુરુષ સમીપે હોવાથી જ રહે છે. જે સ્ત્રી પ્રોષિતભર્તૃકા (જેનો પતિ પરદેશ ગયો હોય તેવી) હોય તે ઉન્મત્ત ગજેન્દ્રની જેમ ઘણી વાર સ્વેચ્છાથી ક્રીડા કરે છે.” પતિનાં આવાં વચન સાંભળીને નેત્રમાં અશ્રુ લાવીને શિયલવતીએ શીલની પરીક્ષા બાતવનારી એક પુષ્પની માળા સ્વહસ્ત વડે ગૂંથી પતિના કંઠમાં આરોપણ કરી અને બોલી કે, “હે સ્વામી ! જ્યાં સુધી આ માળા કરમાય નહીં ત્યાં સુધી મારું શીલ અખંડ છે એમ જાણજો." પછી મંત્રી નિશ્ચિંત થઈને રાજાને સાથે બહારગામ ગયો. થોડા દિવસ બાદ રાજાએ રાજસભામાં મંત્રીના કંઠમાં વગર કરમાયેલી માળા જોઈ તે વિષે પાસેના માણસોને પૂછ્યું, ત્યારે તેણે તેની સ્ત્રીનું સતીપણું વર્ણવી બતાવ્યું. પછી કૌતુકવશ રાજાએ સભા વચ્ચે પરસ્પર હાસ્યવાર્તા કરનારા મંત્રીઓને કહ્યું કે, "આપણા અજિતસેન મંત્રીની સ્ત્રીનું સતીપણું ખરેખરું છે.” તે સાંભળી બીજો એક અશોક મંત્રી બોલી ઊઠ્યો "મહારાજ ! તેમને તેમની સ્ત્રીએ ભરમાવ્યા છે. સ્ત્રીઓમાં સતીપણું છે જ નહીં. કહ્યું છે કે, જ્યાં સુધી એકાંત કે વખત મળે નહીં ત્યાં સુધી જ સ્ત્રીનું સતીપણું છે. માટે જો તમારે પરીક્ષા કરવી હોય તો મને ત્યાં મોકલો.” પછી અશોક નામના તે હાસ્ય કરનારા મંત્રીને અડધો લાખ દ્રવ્ય આપીને રાજાએ શિયલવતીની પાસે મોકલ્યો. અશોક ઉજ્વલ વેશ ધારણ કરીને નગરમાં ગયો, ત્યાં કોઈ માલીની સ્ત્રીને મળીને કહ્યું કે, 'તું શિયલવતીની પાસે જઈ કહે કે, કોઈ સૌભાગ્યવાન પુરુષ તને મળવાને ઇચ્છે છે. Page #225 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૯૮ માલણે કહ્યું કે, તે માટે દ્રવ્ય ઘણું જોઈશે, કારણ કે ધન એ જ મનુષ્યોનું વશીકરણ છે. અશોકે કહ્યું કે, જો તે કાર્ય સિદ્ધ થશે તો અર્ધ લક્ષ દ્રવ્ય આપીશ. આથી માલણ સંતુષ્ટ થઈ શિયલવતીની પાસે ગઈ અને શિયલવતીને બધો વૃત્તાંત જણાવ્યો. શિયલવતીએ મનમાં વિચાર્યું કે, પરસ્ત્રીના શીલનું ખંડન કરવા ઇચ્છનાર આ પુરુષ તેનાં પાપનું ફળ ભોગવો. એમ વિચારી તેણે તે વાત કબૂલ કરી, અને માલણની પાસે અર્ધ લક્ષ દ્રવ્ય માંગ્યું. માલણે તે આપવા કબૂલ કર્યું, એટલે મળવાનો દિવસ નક્કી કર્યો. પછી શિયલવતીએ પોતાની બુદ્ધિથી વિચાર કરી ઘરના એક ઓરડામાં કૂવા જેવો ઊંડો ખાડો કરાવ્યો, અને તેની ઉપર પાટી વગરનો માંચો મૂકી તેની ઉપર ઓછાડ પોચો પોચો બાંધી રાખ્યો. મળવાનો સમય થતા અશોક મંત્રી પોતાના આત્માને કૃતાર્થ માનતો અર્ધલક્ષ દ્રવ્ય લઈ ત્યાં આવ્યો.અગાઉથી શિખવી રાખેલી દાસીએ કહ્યું કે, 'લાવેલું દ્રવ્ય મને આપો અને અંદર માંચા ઉપર જઈને બેસો. અશોક અર્ધ લક્ષ દ્રવ્ય આપી ઉતાવળો તે અંધકારવાળા ઓરડામાં જઈ માંચા ઉપર બેઠો, તેવો તરત જ સંસારમાં બહુ કર્મી પ્રાણી પડે તેમ તે ખાડામાં પડ્યો. ખાડામાં પડેલો અશોક જ્યારે સુધાતુર થતો ત્યારે ઉપરથી શિયલવતી ખપ્પર પાત્રમાં અન્ન -પાણી આપતી હતી. એવી રીતે બહુ દિવસ તેમાં રહેવાથી અશોકનો અ નીકળી ગયો અને મંત્રી શોકરૂપ થઈને રહ્યો. એક માસ વીત્યા છતાં અશોક મંત્રી પાછો ન આવવાથી કામકુર નામે બીજો મંત્રી તેવી જ પ્રતિજ્ઞા લઈને આવ્યો. શિયલવતીએ તેની પાસેથી પણ અર્ધલક્ષ દ્રવ્ય લઈને તે જ ખાડામાં તેને નાખ્યો. પછી એક માસે લલિતાંગ નામે ત્રીજો મંત્રી આવ્યો. તેને પણ અર્ધ લાખ દ્રવ્ય લઈ તે જ ખાડામાં નાખી દીધો. ચોથે માસે રતિ કેલી નામે મંત્રી આવ્યો, તેને પણ બધાની માફક અર્ધ લક્ષ દ્રવ્ય લઈ તે જ ખાડામાં નાખ્યો. આ પ્રમાણે તે ચારે મંત્રીઓ ચતુર્ગતિરૂપ સંસારમાં દુઃખનો અનુભવ કરતા જીવોની જેમ તે પાતાળ જેવા ખાડામાં દુ:ખનો અનુભવ કરવા લાગ્યા. અનુક્રમે સિંહ રાજા શત્રુઓનો જય કરી પાછો આવ્યો અને મોટા ઉત્સવ સાથે તેણે નગરમાં પ્રવેશ કર્યો. તે સમયે પેલા મંત્રીઓએ શિયલવતીને કહ્યું કે, હે સ્વામીની ! અમે તમારું માહાત્મ જોયું, તેમ અમારા કૃત્યનું ફળ પણ ભોગવ્યું. માટે હવે અમને બહાર કાઢો. શિયલવીએ કહ્યું કે, જયારે હું ભવતું (થાઓ) એમ કહું ત્યારે તમારે બધાએ ભવતું એમ કહેવું મંત્રીઓએ તે કબૂલ કર્યું. પછી શિયલવતીએ પોતાના પતિને કહીને રાજાને ભોજનનું આમંત્રણ આપ્યું. આગળના દિવસે સર્વ ભોજનસામગ્રી તૈયાર કરી તે ખાડવાળા ઓરામ રાખી. ભોજન કરવા આવવાના દિવસે રસોડામાં અગ્નિ પણ સળગાવ્યો નહી, અને જળને સ્થાને જળ પણ રાખ્યું નહીં. તેમ કાંઈ પણ ભોજનસામગ્રી ત્યાં રસોડામાં રાખી Page #226 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૯૯ નહીં. રાજા ભોજન કરવાને આવ્યો, પણ તેણે કોઈ ભોજનની સામગ્રી જોઈ નહીં તેથી આશ્ચર્ય પામી ભોજન કરવા બેઠો. પછીશિયલવતી સ્નાન કરી પેલા ઓરડામાં જઈ પુષ્પમાળા હાથમાં રાખી ધૂપ-દીપ કરી બેઠી અને બોલી કે, રાજા ભોજન કરવાને માટે આવ્યા છે માટે નાના પ્રકારના પકવાન ભવતુ (થઈ જાઓ)." એટલે ખાડામાં રહેલા તે ચાર મંત્રીઓએ ઊંચા સ્વરે કહ્યું કે, “ભવન્ત." પછી મોદક વગેરે સામગ્રી તે ઓરડામાંથી બહાર લાવવામાં આવી. પછી વૃત, શાક વગેરેને માટે પણ તેમ જ કહ્યું. તે બધી વખત ભવન્ત" એ શબ્દ કહ્યો. એવી રીતે રાજાનું ભોજન સંપૂર્ણ થયું. પછી તાંબુલ વગેરે આપીને મંત્રી અજિતસેન રાજાના ચરણમાં પડ્યો, એટલે રાજાએ પૂછ્યું કે, 'મંત્રી! આ પ્રમાણે રસોઈ શાથી તૈયાર થઈ?' મંત્રીએ કહ્યું કે, તે ઓરડામાં મને પ્રસન્ન થયેલા ચાર યક્ષો છે કે જે માગીએ તે આપે છે. રાજાએ કહ્યું કે, તે અમને આપો, કારણ કે જ્યારે નગરની બહાર જવું પડે છે, ત્યારે ત્યાં જે ભોજન માગીએ તે વચન માત્રમાં જ થઈ જાય. રાજાના આગ્રહથી મંત્રીએ તેમને આપવાનું કબૂલ કર્યું. પછી રાજાથી ગુપ્ત રીતે તે ચારેને ખાડામાંથી કાઢી સારા મોટા કરંડિયામાં તેમને નાખ્યા અને સારાં વસ્ત્રથી તેને ટૂંકી આ યક્ષનું સ્વરૂપ કોઈને બતાવવું નહીં એમ કહી રાજાને અર્પણ કર્યા. રાજા તે કરંડિયાને રથમાં મૂકી પોતે આગળ પેદલ ચાલી રસ્તે પવિત્ર જળ છંટાવતો દરબારમાં લાવ્યો. અંત:પુરની સ્ત્રીઓ પાછળ પાછળ ચાલતી તે યક્ષોના ગુણ ગાવા લાગી. આવી રીતે તેમને દરબારમાં લાવીને એક પવિત્ર સ્થાનકે રાખ્યા; અને સવારને માટે રસોઈ તૈયાર કરવાની રસોઈઆને ના પાડવામાં આવી. પ્રભાતકાળ થતાં ભોજન વખતે પવિત્રપણે તેમની પૂજા કરી. રાજાએ વિજ્ઞપ્તિ કરી કે, 'સ્વામી! પકવાન તથા દાળ ભાત આપો, અને જાતજાતનાં શાક અને ભોજન પદાર્થ આપો.' એટલે એ ચારે જણે “ભવંતુ” એમ કહ્યું, પણ કાંઈ થયું નહીં, એટલે રાજાએ કરંડીઓ ઉધાડ્યા, ત્યાં તો તેમાં ચાર પિશાચના જેવા મનુષ્યો જોવામાં આવ્યા. દાઢી, મૂછ, અને માથાના કેશ વધ્યાં હતાં. ડાચાં ગળી ગયાં હતાં, સુધાથી કૃશ થઈ ગયા હતા, અને નેત્ર ઊંડાં ગયાં હતાં. રાજાએ તેઓને ઓળખ્યા, એટલે તે હાસ્યમંત્રીઓ કાગડાની જેમ ઉપહાસયને પાત્ર થયા. રાજાએ હકીકત પૂછી એટલે તેમણે સર્વ વૃત્તાંત જણાવ્યો. તેથી રાજા આશ્ચર્ય પામી મસ્તક ધુણાવવા લાગ્યો, અને શિયલવતીનું શીલ, તેની બુદ્ધિનો પ્રકાશ અને પુષ્પમાલા કરમાણી નહીં તેનું કારણ રાજાના જાણવામાં આવ્યું. આથી શિયલવતીની લોકમાં મોટી પ્રતિષ્ઠા થઈ. પછી તે દંપતી અનુક્રમે દીક્ષા લઈ અવસાન પામી પાંચમે દેવલોકે ગયાં અને અનુકમે મોક્ષને પણ પ્રાપ્ત કરશે. Page #227 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૦૦ શ્રી ભોગસાર ૭૮. કપિલેપુરમાં ભોગસાર નામે બાર વ્રતને ધારણ કરનારો શ્રાવક રહેતો હતો. તેણે શ્રી શાંતિનાથ ભગવાનનો પ્રાસાદ કરાવ્યો હતો ત્યાં તે હંમેશાં કોઈ પણ જાતની લાલસા વગર ભગવાનની ત્રણ કાળ પૂજા કરતો હતો. એકદા તેની સ્ત્રી આયુષ્ય પૂર્ણ થવાથી મૃત્યુ પામી ત્યારે તે સ્ત્રી વિના ઘરનો નિર્વાહ ચાલશે નહીં." એમ માની તે બીજી સ્ત્રીને પરણ્યો. તે સ્ત્રી સ્વભાવે અતિ ચપળ હતી, તેથી તેણી ગુપ્ત રીતે ધન એકઠું કરવા લાગી, અને પોતાની ઇચ્છા પ્રમાણે ખાવા-પીવા લાગી. અનુક્રમે શ્રેષ્ઠીનું સર્વધન ખલાસ થઈ ગયું તેથી તે બીજા ગામમાં રહેવા ગયો. પણ બંને પ્રકારની જિનપૂજાતે ભૂલતો નહીં. (દ્રવ્ય પૂજા તથા ભાવપૂજા. તેમાં પણ ભાવપૂજા તો હંમેશાં ત્રિકાળ કરતો. એકદા તેની સ્ત્રીએ તથા બીજા કેટલાક લોકોએ તેને કહ્યું કે, હે શ્રેષ્ઠી ! નિગ્રહ કે અનુગ્રહના ફળને નહીં આપનારા એવા વીતરાગ દેવને તમે શા માટે ભજો છો?તેની ભક્તિ કરવાથી ઉલટું તમને પ્રત્યક્ષ દારિદ્ર પ્રાપ્ત થયું. માટે હનુમાન, ગણપતિ, ચંડિકા, ક્ષેત્રપાળ વગેરે પ્રત્યક્ષ દેવોની સેવા કરો, કે જેથી તેઓ પ્રસન્ન થઈને તત્કાળ ઇચ્છિત ફળ આપે." આ પ્રમાણે સાંભળતાં શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે, અહો! આ લોકો પરમાર્થના અજાણ છે, અને મોહરૂપી મદિરાનું પાન કરેલું હોવાથી ગમે તેમ બોલે છે. પૂર્વ જન્મમાં ચૂન પુણ્ય કરીને આ જન્મમાં સંપૂર્ણ પુષ્યનું ફળ ભોગવવાની સ્પૃહા કરે છે, તે સર્વ મિથ્યાત્વની મૂઢતાનું ચેષ્ટિત છે. અહીં હનુમાન, ગણેશ વગેરે દેવો શું ન્યાલ કરી દે છે? જેવું વાવીયે તેવું જ લણાય છે. તેમાં કોઈનો દોષ નથી. પરંતુ સંસારનાં દુ:ખનું વિસ્મરણ કરવા માટે પરમાત્માનું સ્મરણ અહર્નિશ કરવું જોઈએ. કેમ કે વીતરાગના ગુણો સંભાર્યા વિના સંસારનો મોહ કેમ નારી પામે? મિથ્યાત્વમાં મગ્ન થયેલા મૂઢ પુરુષોને ધિકકાર છે, કે જેઓ સાંસારિક ઇચ્છા પૂર્ણ કરવા માટે દેવીદેવલાંને ભજે છે, અને માને છે કે મારી ઇચ્છા આ દેવોએ પૂર્ણ કરી. આ નરી ભ્રમણા છે. આમ વિચારીને શ્રેષ્ઠીએ પોતાના મનમાં જરા પણ વિચિકિત્સા ધારણ કરી નહીં પછી શ્રેષ્ઠીએ ધનના અભાવને લીધે ખેતી કરવા માંડી. તેની સ્ત્રી હંમેશાં પડ્યાન વગેરે ભાવતાં ભોજન ખાય છે અને શ્રેષ્ઠીને ચોળા વગેરે કુત્સિત અન્ન આપે છે. તેથી શ્રેષ્ઠી તો માત્ર નામથી જ ભોગસાર રહ્યો પણ તેની સ્ત્રી તો ખરેખરી ભોગવતી થઈ. અનુક્રમે કુલટા થઈ અને પર પુરુષ સાથે યથેષ્ઠ ભોગ ભોગવવા લાગી. Page #228 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૦૧ એકદા શ્રી શાંતિનાથ પ્રભુના અધિષ્ઠાયક દેવે વિચાર્યું કે, હાલમાં અનેક લોકોના મનને આનંદ આપનારી અને ઉદાર એવી ભગવાનની ધૂપાદિક સુગંધી દ્રવ્ય વડે પૂજા કેમ થતી નથી ? પછી અવધિજ્ઞાનના ઉપયોગથી ભોગસારનું દરિદ્રપણું અને તેનું કારણ જાણીને તેણે વિચાર્યું કે, “આ શ્રેષ્ઠી જિનેશ્વરનો પૂર્ણભક્ત છે. તેને આજ ચોળાનું ખેતર લણવાનો વખત આવ્યો છે; અને તેની સ્ત્રી કુલટા થઈ છે, અને તેથી શ્રેષ્ઠી ઉપર જરા પણ ભક્તિભાવ રાખતી નથી, માટે મારે આ શ્રેષ્ઠીનું સાંનિધ્ય કરવું જોઈએ.” એમ વિચારીને દેવતાએ શ્રેષ્ઠીના ભાણેજનું રૂપ લીધું અને મામાના ઘેર જઈને મામીને પ્રણામ કર્યા અને પૂછ્યું કે, “મારા મામા ક્યાં છે ?” મામી બોલી કે, “તારા મામા ખેતર ગયા છે, ત્યાં ખેતર ખેડતા હશે.”તે સાંભળીને તે ખેતરે ગયો. ત્યાં મામાએ પૂછ્યું કે, "તું શા માટે આવ્યો છે ?” ભાણેજ રૂપે દેવતા બોલ્યા કે, “તમને સહાય કરવા માટે આવ્યો છું.” મામાએ કહ્યું કે, “ઘેર જઈને ખાઈ લે.” ભાણેજ બોલ્યો કે, આપણે સાથે જ જમશું.” મામાએ કહ્યું કે, "આજે ખેતરમાં લણવાનું કામ ચાલે છે. તેથી ઘણું મોડુ થશે, અને તું બાળક છે તે ભૂખ શી રીતે સહન કરી શકીશ ?" ભાણેજે કહ્યું, “કાંઈ હરકત નહીં, હું પણ તમારી સાથે લણવાનું કામ કરીશ.” એમ કહીને તેણે દૈવી શક્તિથી તેણે બધું ખેતર લણીને ટૂંકા વખતમાં એકત્ર કર્યું. પછી મામાએ કહ્યું કે, “આ બધા ચોળા શી રીતે ઘેર લઈ જઈશું ?" તે સાંભળીને તે દેવતા સર્વે ચોળા ઉપાડીને ઘર તરફ ચાલ્યો. તેમને આવતા જોઈને પેલી સ્ત્રીએ પોતાના ઘરમાં આવેલા જારને ગમાણમાં સંતાડી દીધો, અને લાપસી વગેરે મિષ્ટાન્ન એક કોઠીમાં સંતાડી દીધાં. એટલામાં ભાણેજે આવીને મામીને જુહાર કરી કહ્યું કે, “મામા આવ્યા છે, તેની આગતાસ્વાગતા કરો.” એમ બોલતાં બોલતાં તેણે ચોળાનો ભારો જોરથી ગમાણમાં નાખ્યો અને દાણા કાઢવા માટે ચોળાને ફૂટવા લાગ્યો. તેના પ્રહારથી પેલો જાર પુરુષ જર્જરિત થઈ ગયો અને પોતે હમણાં જ મૃત્યુ પામશે એમ માનવા લાગ્યો. પછી ભોગવતીએ પોતાના જારને મૃતપાય થઈગયેલો જાણીને ભાણેજને કહ્યું કે, "તમે બંને થાકી ગયા હશો, માટે પ્રથમ ભોજન કરી લ્યો.” તે સાંભળી મામો ભાણેજ બંને જમવા બેઠા. એટલે મામી ચોળા વગેરે કુત્સિત અન્ન પીરસવા લાગી; ત્યારે ભાણેજ બોલ્યો કે, "આવું ખરાબ અન્ન હું નહીં ખાઉં." મામી બોલી કે, “સારું ખાવાનું ક્યાંથી આપું ?" ભાણેજ બોલ્યો કે, "હે મામી ! હું અહીં બેઠો બેઠો પેલી કોઠીમાં લાપસી પ્રત્યક્ષ જોઉં છું, તે તમે કેમ પીરસતાં નથી ? સ્વામીથી અધિક કોઈ નથી એમ નિશ્ચે જાણવું.” તે સાંભળીને મામી તો ચકિત જ થઈ ગઈ. પછી લાપસી પીરસીને તેણે વિચાર્યું કે, "અહો ! આ તો મોટું આશ્ચર્ય ! મારું ગુહ્ય આણે શી રીતે જાણ્યું ? ખરેખર આનામાં કોઈ ભૂત, પ્રેત, વ્યંતર કે ડાકીનીપણું હોવું જોઈએ; નહીં તો એ ગુપ્ત રાખેલું શી રીતે જાણી શકે ?" પછી તે બન્ને Page #229 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૦૨ જમીને સૂઈ ગયા. તે વખતે લાગ જોઈને પેલો જાર પુરુષ નીકળી ગયો. તે સર્વ દેવતા નો જાણે છે તો પણ તેણે મૌન રાખ્યું. પછી ભાણેજે મામાને પૂછ્યું કે, આ તમારા શામલાના લગ્ન કેમ કરતા નથી?" ત્યારે મામાએ કહ્યું કે, હે ભાણેજ ! એ મનોરથ ધન વિના શી રીતે પૂર્ણ થાય?" ભાણેજ બોલ્યો કે, હે મામા ! ઊઠો. હું તમને પૃથ્વીમાં દાટેલું ધન બતાવું. એમ કહીને તે સ્ત્રીના દેખતાં તેણે પૃથ્વીમાં દાટેલું ધન કાઢી આપ્યું. તે જોઈને તે સ્વી વિલખી થઈ ગઈ અને મનમાં બોલી કે, "મેં ચોરી કરીને જેટલું ધન ગુમ રાખ્યું હતું તે સર્વ આણે પ્રગટ કર્યું. માટે આ ખરેખર કોઈ ડાકીની જ છે, નણંદનો દીકરો નથી. આ વળી અહીં ક્યાંથી આવ્યો? તો પણ હવે તો એનો અનુનય સારી રીતે કરું, નહીં તો એ કોપ્યો છતો મારી બધી ગુપ્ત વાત પ્રગટ કરશે." એમ વિચારીને અંદરથી કાલુષ્યભાવ રાખીને બહારથી મીઠી વાણીએ બોલી કે, હે ભાણેજ! તમારી બુદ્ધિને ધન્ય છે, અમારું દરિદ્રપણું તમે નાશ પમાડ્યું.” પછી શુભ દિવસે શ્રેષ્ઠીએ પુત્રના વિવાહનો ઉત્સવ આરંભ્યો, તે વખતે પોતાના ઇષ્ટ જાપતિને તે સ્ત્રીએ આમંત્રણ આપ્યું અને સમજાવ્યું કે, "તારે સ્ત્રીવેષ ધારણ કરીને બધી સ્ત્રીઓ સાથે જમવા આવવું. તેથી લગ્નને દિવસે ભોજન વખતે જે જાર સ્ત્રીનો વેષ પહેરીને આવ્યો. તેને સ્ત્રીઓની મધ્યમાં બેઠેલો જોઈને ભાણેજ બોલ્યો કે, "મામા! આજે હું પીરસવા માટે રહીશ." મામા એ કહ્યું કે, બહુ સારું." એટલે તે પીરસવા લાગ્યો. પીરસતાં પીરસતાં જ્યારે તે પેલા જાર પાસે ગયો, ત્યારે તેણે ધીમેથી કહ્યું કે, તું ગમાણમાં જર્જરિત થયો હતો તે જ કે?" ત્યારે તેણે ના કહી. આ પ્રમાણે બે ત્રણ વાર કહ્યું, ત્યારે બીજાઓએ ભાણેજને પૂછ્યું કે, "તું વારંવાર એ મુગ્ધબાળાને શું પૂછે છે ?” ત્યારે ભાણેજ બોલ્યો કે, "આ સ્ત્રીને હું પીરસવા જાઉં છું ત્યારે તે કંઈ પણ લેતી નથી, અને સર્વ પકવાન્નનો નિષેધ કરે છે. ત્યારે હું તેને કહું છું કે, “હે સ્ત્રી! જ્યારે તું જરા પણ જમતી નથી, ત્યારે સ્ત્રીઓની મધ્યે બેસવું તારે યોગ્ય નથી. તું થોડી ભૂખી જણાય છે. આ પ્રમાણે બોલીને તે દેવતાએ તેને કંઈ પણ પીરસ્યું નહીં, ત્યારે ભોગવતીને તેના વિષે ઘણો ઉચાટ થયો. તેથી જ્યાં બેઠી હતી ત્યાંથી ઊઠી અને ગુપ્ત રીતે લાડવા લઈને તેના ભાણામાં પીરસી દીધા. તેમાંથી તે જારે થોડા ખાધા અને ચાર લાડવા પોતાની કુક્ષિમાં સંતાડ્યા. પછી સર્વ સ્ત્રીઓ જમી ઊઠી, ત્યારે ભાણેજ બોલ્યો કે, “દરેક સ્ત્રીએ મારા મામાના માંડવાને અક્ષતથી વધાવવો. તે સાંભળીને જ્યારે બધી સ્ત્રીઓએ માંગલિક માટે તે માંડવો વધાવ્યો ત્યારે તે જાર સ્ત્રી માંડવો વધાવવા આવી નહીં. તેથી ભાણેજ બોલ્યો કે, હે માતા! તમે કેમ વધાવતાં નથી ? સ્ત્રીઓની પંક્તિમાં જમવા બેઠાં અને હવે પંક્તિથી જુદા પડવું યોગ્ય નથી." તે સાંભળીને તે પણ મંડપ નીચે નમી વધાવવા લાગી, એટલે તેની કુક્ષિમાંથી Page #230 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ર૦૩ સંતાડેલા મોદક નીચે સરી પડ્યા. તેથી તે અતિશય શરમાઈને એકદમ ત્યાંથી ભાગી ગયો. પછી મામાએ ભાણેજને પૂછ્યું કે, "આ મોદક ક્યાંથી આવ્યા ?” તે બોલ્યો કે, "તમારા પુત્રવિવાહના ઉત્સવમાં માંડવાએ મોદકની વૃષ્ટિ કરી." મામો બોલ્યો કે, "હે ભાણેજ ! તું આટલો જ્ઞાની ક્યાંથી થયો ?” તે બોલ્યો કે, “સર્વ વાત એકાંતે કહીશ." પછી વિવાહનું સર્વકામ પૂર્ણ થયું, ત્યારે તેણે પોતાનું દેવ સ્વરૂપ પ્રગટ કરીને શ્રેષ્ઠીને સર્વવૃત્તાંત કહ્યો. પછી શ્રેષ્ઠીની સ્ત્રીને દેવતાએ કહ્યું કે, “હે સ્ત્રી! તારો પતિ કેવો પરમાત્માની ભક્તિમાં તત્પર છે ? તેવી તું પણ થા. તું જારપતિ સાથે હંમેશાં ક્રીડા કરે છે, તે વગેરે હું સર્વ જાણું છું. પરંતુ ત્રણ ભુવનના અદ્રિતીય શરણરૂપ શ્રી વીતરાગના ભક્તની તું ભાર્યા છે તેથી આજ સુધી મેં તારી ઉપેક્ષા કરી છે. માટે હવેથી તું સમગ્ર દંભ છોડીને ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કર. મનુષ્યો પૂર્વે અનંત વાર ભોગ ભોગવ્યા છતાં પણ અજ્ઞાન અને ભ્રમને લીધે ધારે છે કે, "મેં હજુ કોઈ પણ વખત ભોગ ભોગવ્યા જ નથી." એમ હોવાથી મૂર્ખ માણસોની કામભોગ સંબંધી તૃષ્ણા કોઈ પણ વખતે શાંત થતી નથી. તેઓને વૈરાગ્ય થવો તે પણ અતિ દુર્લભ જ છે. શ્રી આધ્યાત્મસારમાં કહ્યું છે કે, “જેમ સિંહોને સૌપ્યપણું દુર્લભ છે અને સર્પોને ક્ષમા દુર્લભ છે, તેમ વિષયમાં પ્રવૃત્ત થયેલા જીવોને વૈરાગ્ય દુર્લભ છે. તેથી હે સ્ત્રી ! આત્માને વિષે વૈરાગ્ય ધારણ કરીને અનેક ભવમાં ઉપાર્જન કરેલાં પાપકર્મનો ક્ષય કરવા માટે અને અનાદિ કાળની ભ્રાંતિના નાશને માટે સર્વથા દ્રવ્ય અને ભાવથી દંભનો ત્યાગ કરીને અનેક ઉત્તમ અને શુભ કાર્યોને વિષે ઉદ્યમ કર. દંભ એ સર્વ પાપનું મૂળ છે, તથા અનેક સદ્ગુણોનો નાશ કરનાર છે. કહ્યું છે કે, "જિવાના રસની લોલુપતા તજી શકાય છે, શરીર પરના અલંકારનો મોહ તજી શકાય છે, તેમ જ કામભોગ પણ તજી શકાય છે, પરંતુ દંભનું સેવન તજવું મુશ્કેલ છે." અને "જેમ સમુદ્રને ઓળંગનારા પુરુષોને નાવમાં એક લેશ માત્ર પણ છિદ્ર હોય તો તે ડૂબવાનું કારણ છે, તેમ જેનું ચિત્ત અધ્યાત્મ ધ્યાનમાં આસક્ત છે તેઓને થોડો પણ દંભ રાખવો ઉચિત નથી. કારણ કે તે સંસારમાં ડુબાડનાર છે. ઇત્યાદિ ઉપદેશ સાંભળીને તે સ્ત્રી પ્રતિબોધ પામી, અને તેણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યાં. પછી દેવતા લક્ષ સોનૈયા શ્રેષ્ઠીને આપીને અંતર્ધાન થયો. અનુક્રમે ભોગસાર શ્રેષ્ઠી પોતાની પત્ની સહિત શ્રાવક ધર્મ પાળીને સ્વર્ગે ગયો અને ત્યાંથી અનુક્રમે થોડા જ ભવ કરીને તે મુક્તિ સુખને પામશે. ભોગસાર શ્રેષ્ઠીની જેમ ધર્મ ક્થિામાં વિચિકિત્સાનો ત્યાગ કરવો, તેવા જીવોને દેવતાઓ પણ સેવકની જેમ સાંનિધ્ય કરે છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૦૪ નિર્મલા રાજા પ્રજાપાળના રાજકુળમાં મોદી ધર્મમિત્રનું ચલણ હતું. ધર્મમિત્ર પ્રમાણિક વ્યાપારી હતો. રાજકુળમાં મહારાણીથી માંડીને એક સામાન્ય દાસીને પણ એની દુકાને છેતરાવાનો ભય નહિ. ગામમાં પણ ધર્મમિત્રનું નામ આવ્યું કે એના માલ માટે કે ભાવ માટે કોઈને કાંઈ પૂછવાનું નહિ. રાજાના મોદીની આ પ્રમાણિકતા માટે જો કોઈ પ્રેરણા મૂર્તિ હોય તો તે ધર્મમિત્રની સુશીલ પત્ની નિર્મલા હતી. ૭૯. નિર્મલા આમ રૂપ રૂપની અંબાર રૂપે રતિનો અવતાર હતી, છતાં એના દેહસૌંદર્યની પાછળ આત્માનું સૌંદર્ય અનુપમ હતું. સ્ત્રી શરીરનું શીલહીન સૌંદર્ય અવશ્ય વિકૃત પુરુષોના સંસારને માટે શ્રાપરૂપ છે, પણ જો એ સૌંદર્યની સાથે સુશીલતા ભરેલી પડી હોય તો એ સ્ત્રી સમસ્ત સંસારમાં આશીર્વાદ રૂપ છે, સુવાસ જેમ પુષ્પનું મૂલ્ય છે, તેમ સુશીલતા સ્ત્રી શરીરની મહામૂલ્ય મૂડી છે. પ્રજાપાળની રાજસભામાં ઘણા હજુરિયાઓ હતા, તેમાં એક હજામ વિઘ્નસંતોષી હતો. અયોગ્ય માણસનો સંસર્ગ સારા માણસોને પણ જીવનમાં ડાઘ લગાડનારો બને છે. પ્રજાપાલ રાજા માટે પણ આમ જ બન્યું. એક વખત રાજાની પાસે ગામ-ગપાટાની વાતો ચાલતી હતી, ત્યાં જીવા હજામે ધીરે રહીને વાત મૂકી, 'માલિક ! કહું છું પણ વધારે પડતું કદાચ ગણાશે, તો પણ હજૂરની આગળ કહેવામાં શરમ શી ? આપણા આખા રાજ્યમાં મોદીના ઘરમાં જેવું માણસ છે, એવું તો કોઈ જગ્યાએ નહિ. અરે ! ખુદ માલિકના અંત:પુરમાં પણ નહિ. હજામની જીભે તાળું ન હતું, આંખોના ચમકારા મારતાં મારતાં એણે વાતનો મમરો મૂક્યો. રાજા પાસે તે વેળા બે-ચાર આવા જ ખુશામદખોરો સિવાય બીજું કોઈ જ ન હતું. બધાએ હજામની વાતમાં ટાપસી પૂરી. રાજાનું ચંચળ મન ક્ષણ વારમાં વિચારોના ચકડોળે ચડ્યું. જીવાએ વિકારના વિષને વધારવા માંડ્યું. શું રૂપ ! શું તેજ ? અરે હું સૌંદર્ય ! જાણે ઇન્દ્રલોકની અપસરા; હજૂર આવું રૂપ તો જીવનભરમાં જોયું નહિ હોય. હજામની લુચ્ચ જાતને બોલવાની કળા કોઈની પાસેથી શીખવાની હોતી નથી. રાજાની મનોવૃત્તિમાં વિકારનું ઝેર આમ ધીરે ધીરે પ્રવેશતું ગયું. “આવી સુંદર સ્ત્રી મારા મોદીને ત્યાં ! એક વખત એને જોઈ તો લેવી, અને પછી એની શી તાકાત છે કે એ મારી 'હા'માં 'ના' કહી શકે ?” Page #232 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૦૫ અવસર પામીને જીવો હજામ, રાજાની દાઢ ગળી ગઈ છે, એ જાણીને કહ્યા કરતો હતો : "માલિક ! આવું સ્રી રત્ન એ તો આપના રાજમહેલમાં જ શોભે. કાગડાના કંઠે મોતીની માળા ન હોય. હીરાનો હાર તો રાજાના ગળે જ દીપે." રાજાએ આથી મોદીની સ્ત્રીને લલચાવવા પેંતરા શરૂ કર્યા. પોતાનાં ખાસ દાસ-દાસી દ્વારા કિંમતી વસ્તુઓ નિર્મલાને તેણે ભેટ મોકલવા માંડી. શાણી નિર્મલા રાજાની બૂરી દાનત જાણી ગઈ, આવા હૈયા વિનાના રાજવીની મહેરબાની એ આગના ભડકા સાથે રમત છે, એમ એ તરત પામી ગઈ. પોતાના મહામૂલ્ય શીલધનને સાચવવા માટે એ સજાગ હતી. બળ કરતાં અવસર આવે કળથી કામ લેવાનો એણે નિશ્ચય કર્યો. નિતનિત મોકલાતી ભેટો નિર્મલા આમ આનાકાની વિના સ્વીકારી લે છે, એ જાણ્યા પછી રાજાએ નક્કી કર્યું : જરૂર પંખી પાંજરામાં આવી ગયું છે કારણ કે વિકારવશ આત્માઓની સૃષ્ટિ, એના પોતાના માનસિક, વિકારોના પડધા રૂપ એને લાગે છે. જેવી ષ્ટિ તેવી સૃષ્ટિ' એ લોકોક્તિ આવા આત્માઓના માનસનું પ્રતિબિંબ પાડી જાય છે. રાજાએ નિર્મલાને મળવા માટે હવે નવો તુક્કો ગોઠવ્યો. તેણે ખાસ કામ બતાવી, મોદીને એક અઠવાડિયા માટે પરગામ જવાનો આદેશ આપ્યો. ધર્મમિત્રે જયારે નિર્મલાની આગળ પરગામ જવાની વાત કરી, એટલે ચતુર એવી તે, રાજાની દાનત જાણી ગઈ. તેણે જતી વેળા, પતિની સમક્ષ અથથી ઇતિ સુધી હકીકત કહી સંભળાવી. ધર્મમિત્રને નિર્મલાની પવિત્રતા, દઢતા તથા ધીરતા પ્રત્યે પૂર્ણ શ્રદ્ધા હતી. એ પરગામ ગયો. ઘરનાં દાસ-દાસીઓને નિર્મલાએ સાવધ રહેવા સૂચના કરી દીધી. રાજાએ બીજી સવારે ખાસ માણસ દ્રારા છૂપું કહેણ મોકલ્યું, “આજે સાંજે રાજાજી તમારે ત્યાં આવવાના છે.” નિર્મલા પહેલેથી આવું કંઈક થશે એમ જાણતી હતી. તેણે રાજાને યોગ્ય બધી તૈયારીઓ કરાવી રાખી. પ્રજાના પાલક ગણાતા રાજવીના હૈયામાં પાપ ભાવનાનું અંધારું વધુ ગાઢ બન્યું. સાંજે છૂપી રીતે તે મોદીના ઘરમાં એકલો ઘૂસ્યો. નિર્મલાએ રાજવીના આતિથ્ય માટે બધી તૈયારી રાખી હતી. રાજાને એકાંત જોઈતું હતું. નિર્મલાના દેહસૌંદર્યની પૂંઠે પાગલ બનેલાને આજે કાંઈ ભાન નહતું. તે નિર્મલાની સાથે એકાંત માણવા ખૂબ જ અધીરો બન્યો હતો. નિર્મલાના આદેશ મુજબ ઘરના નોકરોએ સુવર્ણજડિત થાળમાં એક પછી એક વાનગીઓ હાજર કરવા માંડી. મહામૂલ્યવાન કચોલાઓમાં સુંદર ગુલાબજાંબુઓ પીરસ્યાં. રાજાના મોઢમાંથી આ જોતાં પાણી છૂટયું અને મનથી સમજ્યો કે ખાસ પોતાની પ્રિયતમાએ પોતાના માટે વાનગીઓ તૈયાર કરી છે. ખાવાની શરૂઆત કરતાં દરેક મીઠાઈ થોડી થોડી ખવાયેલી એટલે કોઈની એંઠી કરેલી એને જણાઈ. Page #233 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૦૬ તરત જ સત્તાધારી અવાજથી રાજા બોલ્યો, 'કોણ છે અહીં ? “જી હજૂર, હું છું” કહી એક દાસી ત્યાં હાજર થઈ. રાજાએ પૂછ્યું ?" "આ બધા થાળ કોણે મોકલ્યા છે ?" “માલિક ! અમારી શેઠાણીએ. દાસીએ જવાબ આપ્યો." "ક્યાં છે તારા શેઠાણી ?” રાજાએ પૂછ્યું. દાસીએ કહ્યું : "ખુદાવિંદ ! આપ નામદારના સ્વાગતની યોગ્ય તૈયારીઓ કરવા માટે" રાજાને લાગ્યું, હમણાં થોડીવારમાં સુંદર શણગાર સજી નિર્મલા ત્યાં આવશે. એટલામાં રાજાના માટે પીણું હાજર થયું. ૧૫-૨૦ મહામૂલ્ય ખાલાઓમાં કેસરી દૂધ નાખેલું હતું. રાજાએ પ્યાલો ઉપાડી દૂધ જોવા માંડ્યું પછી બીજો, ત્રીજો એમ પ્યાલા ઉપાડી જોતાં તેને જણાયું કે દરેક પ્યાલામાં એક જ વસ્તુ હતી. તેણે ચાખીને જોઈ જોયું કે કોઈ પ્યાલામાં બી પીણું ન હતું. રાજાએ હુકમ કર્યો, જા, તારી શેઠાણીને બોલાવ. તરત જ બાજુના કમરામાંથી નિર્મલા ત્યાં આવી. એનું અનુપમ તેજસ્વી દેહલાવણ્ય જોઈ રાજાની વિકારી ષ્ટિમાં આ તેજ અસહ્ય બનતું જતું હતું. પવિત્ર તથા સત્ત્વશાલી નિર્મલાની ભવ્ય દેહલતા, તેજ:પુંજ મુખાકૃતિ અને મધુર સ્મિત પ્રજાપાલ રાજાને મૂર્છિત બનાવનારાં થયાં. થોડી વાર નીરવતા છવાઈ. રાજાએ મૌન તોડ્યું. કાંઈક ગૂંગળાતા મીઠા શબ્દોમાં હસતાં હસતાં તે બોલ્યો : 'આ બધી શી રમત ચાલે છે ? “કઈ રમત આપ કહો છો ?" નિર્મલાએ હ્રદયના ભાવને ગૂઢ રાખીને ઉપર ટપકો જવાબ આપ્યો. "કેમ ! એટલું સમજી શકાતું નથી ?" પ્રજાપાલે ફરી મીઠા અવાજે કહ્યું. નિર્મલા એની પોતાની ચાલમાં હતી. માર્ગ ભૂલેલા રાજવીને રાહ પર લાવવાનો અ મોકો તેણે ઇરાદાપૂર્વક ઊભો કર્યો હતો. તેણે ટોણામાં જવાબ આપ્યો : "માલિક ! સમજાય છે તે નથી સમજાતું; અને નથી સમજાતું તે સમજાય છે." રાજા આ મોદીની સ્ત્રીમાં રહેલી આ અજબ ચાલાકીને પહેલવહેલી જોઈને આશ્ચર્ય પામ્યો. રૂપની સાથે ચતુરાઈનું તેજ ભળેલું જોઈને તે દિંગ થઈ ગયો. આવી ચબરાક સ્ત્રીની વાણીમાં રહેલી ગૂઢતાને સમજવા માટે તેણે ખૂબ મથામણ કરી. આખરે અકળાઈને તે બોલ્યો : “આ કોઈની ખાધેલી એંઠી મીઠાઈ અહીં કેમ મૂકી છે ? શું કોઈનું એઠું ખાવાને હું અહીં આવ્યો છું ?" "મહારાજ ! એમાં નવું શું છે ? આપ અહીં શા માટે આવ્યા છો, એ હું અને આપ બંને જાણીએ છીએ. પારકી એંઠને અભડાવવા માટે આપ અહીં પધાર્યા છો. એ હવે ક્યાં અજાણ્યું છે ?" નિર્મલાએ મોહક છતાં વેધક જબાનમાં રાજાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું. ઉત્તર સાંભળીને રાજા ડઘાઈ ગયો. એણે નહીં ધારેલી પરિસ્થિતિ આમ સહસા ઊભી થઈ, એ વિચારમગ્ન બન્યો. નિર્મલાએ રાજાને કહ્યું : “રાજન્ ! આપ પ્રજાના માલિક છો. Page #234 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૦૭ પ્રજાનાં પાલક પિતા છો. પ્રજા એ તમારા પુત્ર-પુત્રી રૂપ સંતતિ છે. પ્રજાના શીલ, પ્રજાની પવિત્રતા અને એનો ધર્મ એ બધાયના રક્ષક તમે, આજે તમારી દીકરી રૂ૫ ગણાતાં અમારાં શીલ ધનને લૂંટવા અત્યારે અહીં આવ્યા છો, એ તમારા જેવા પ્રજા પાલકને લાંછન રૂપ નથી લાગતું? તમારા જેવા પિતા, મોદીની એંઠ જેવી મને, જોઈ, સાંભળી મોહઘેલા બનીને જે અકાર્ય કરવા તમે તૈયાર થયા છો, એ સમજાય છે, છતાં તમારા જેવાને એ નથી સમજાતું એ નવાઈ જેવું છે." રાજાના હૈયામાં આ શબ્દો આરપાર ઘૂસી ગયા, તેનાં બિડાયેલાં વિવેક ચક્ષુઓ કંઈક ઊઘડવા માંડ્યાં. તેણે ફરીથી પૂછ્યું : આ વિવિધરંગી કિંમતી કચોલંઓમાં એનું એ દૂધ શા માટે થોડું થોડું નાખ્યું છે ? એક જ પ્યાલામાં સમાઈ શકે તેમ હતું, તો બધા પ્યાલા નકામા કેમ બગાડ્યા?" નરમ સ્તરે રાજાએ હૃદયની ગૂંચ જણાવી. નિર્મલા જવાબ આપવા માટે તૈયાર હતી. રાજાના સાનભાન ભૂલેલા પાગલ આત્માને ઠેકાણે લાવવા તે સાવધ હતી. તેણે ખુલાસો કર્યો: “મહારાજ, આ માલાઓ બગાડ્યા પણ એની શી કિંમત છે? પ્યાલાઓ બગડ્યા તે આપ સમજી શક્યા, પણ આપે આપના કરોડો-અબજોની મૂડી કરતાંયે વધુ મૂલ્યવાન આ માનવભવને બગાડવા તૈયાર થયા છો; એનું કેમ? જુદા જુદા રંગના પ્યાલામાં વસ્તુ તો એક જ હતી, એ આપ જાણી શક્યા; તો રૂપ-રંગ કે દેહાકૃતિથી જુદી જુદી ગણાતી સ્ત્રીઓમાં વસ્તુ તો એક જ છે, છતાં આપ આ રીતે પાગલ બની અધમ માર્ગે જવાને તૈયાર થયા છો એ આપના જેવા નરપુંગવા ગણાતા રાજવીને કલંક રૂપ અપકૃત્ય નથી શું? આપના આ અંધાપાને ટાળવા માટે જ મેં આમ કર્યું છે, એ સિવાય આપનાં અંતરચક્ષુ પર આ મોહનું આવરણ કોઈ રીતે ખસે એમ ન હતું. નિર્મલા જેવી સુશીલ સતી સ્ત્રીના મક્કમતાપૂર્વક બોલાતા શબ્દો રાજાના અંતરને અજવાળી ગયા. એની અજ્ઞાનતાનાં પડળો દૂર થયાં અને ત્યારથી એના જીવનનો રાહ બદલાઈ ગયો. ખરાબે ચઢેલી પોતાની જીવનનાવને રાહ પર લાવી પોતાના માટે માર્ગદર્શક ગુરુ તરીકે બનનાર મોદીની સ્ત્રી નિર્મલાના પોતા પરના એ અનન્ય ઉપકારને રાજા પ્રજાપાલ જીવનભર કદી ભૂલી શક્યો નહિ. એ પાછો ફર્યો, હંમેશના માટે આવા અકાર્યથી. ધન્ય હો નારીશક્તિની પવિત્રતાને ! ખરેખર આવી પવિત્ર નારી એ નારાયણી છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૦૮ - : : ' , " | સુબુદ્ધિ મંત્રી ૮૦, જિતશત્રુરાજા ચંપાના રાજ્યનો સ્વામી હતો. તેને ધારિણી પટ્ટરાણી હતી. અદીન શત્રુ નામે તેને યુવરાજ હતો. રાજ્યનો બધો કારભાર સુબુદ્ધિ નામનો શ્રમણોપાસક તેને મંત્રી ચલાવતો હતો. સુબુદ્ધિ વિવેકશીલ શ્રાવક હતો. જિનશત્રુ રાજ્ય કારભારમાં આ મંત્રીની સલાહ લેતો. એક વેળા રાજાએ પોતાના આંગણે મહોત્સવ માંડ્યો. તે નિમિત્તે તેણે પોતાને ત્યાં રાજ્યના અધિકારી, સામંતો તેમ જ આગળ પડતા નાગરિકોને ભોજન માટે આવ્યા પાંચ પકવાન, ઘણાં શાકભાજી ઇત્યાદિ સુંદર પ્રકારની રસવંતી રસોઈ તૈયાર થઈ સહુની સાથે ભોજન કરતાં કરતાં રાજાએ ખૂબ રસપૂર્વક પોતાની રસોઈની પ્રશંસા કરી, બધાએ રાજાની હા માં હા ભણી પાગ વિવેકશીલ અને ગંભીર એવા મંત્રીએ થોડી વાર પછી રાજાને જણાવ્યું : પ્રભુ! આપે કહ્યું તે બરાબર છે. પુદગલના આ પ્રકારના સ્વભાવમાં કાંઈ પણ નવું નથી, છતાં આ બધી વસ્તુઓ એકાંતે સારી જ છે, કે એકાંતે નબળી જ છે, એમ ન જ કહી શકાય. જે વિષય આજે મનોહર દેખાય છે, તે વિષય બીજી જ ક્ષારો ખરાબ બની જાય છે. જે પુદ્ગલો એક ક્ષણે શ્રવણને ગમે તેવા મધુર હોય છે, તે બીજી ક્ષણે શ્રમણને ન ગમે તેવાં કઠોર અને કર્ણકટુ બની જાય છે અને જે પુદગલો આંખને અત્યંત પ્રસન્નતા આપનારાં હોય છે તે કોઈ વાર જોવાં પણ ન ગમે તેવાં થઈ જાય છે. સુગંધી પુદગલો કેટલીક વાર માથું ફાટી જાય એવાં દુર્ગંધયુક્ત થઈ જાય છે, અને દુર્ગધી પુદગલો માથાને તર કરે તેવી સુવાસ આપનારાં પણ બને છે. જે જીભને સ્વાદ આપનાર પુદગલો હોય તે બીજી ક્ષણે બે સ્વાદ અને ચાખવાં ન ગમે તેવું બને છે. તે વળી મધુર પણ કોઈ વાર થઈ જાય છે. જે પુદગલોનો સ્પર્શ કરવાનું વારંવાર આપણને મન થાય તે જ પુદગલો કેટલીક વાર અડકવા પણ ન ગમે તેવાં થઈ જાય છે. જ્યારે કેટલીક વાર એથી ઊલટું પરિણામ પણ આવે છે. એટલે અમુક વસ્તુ સારી અને અમુક વસ્તુ ખરાબ છે, એવો એકાંત નિયમ નથી. કેટલીક વાર સરસ વસ્તુ સંયોગોવસાત્ બગડી પણ જાય છે, અને ખરાબ વસ્તુ સુધરી પણ જાય છે. એ તો માત્ર પુગલોનો સ્વભાવ અને સંયોગની વિચિત્રતા છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૦૯ વિવેકશીલ સુબુદ્ધિની આ તત્ત્વભરપૂર હકીક્ત જિતશત્રુને ગમી નહીં, કારણ કે ના હૈયામાં હજુ મિથ્યાત્વ ઘેરાતું હતું; છતાં વધુ ચર્ચા ન કરતાં તે ચૂપ રહ્યો. એક વાર જિતશત્રુ રાજા ઘોડેસ્વાર થઈને મોટા પરિવારની સાથે નગરની બહાર એક ખુબ દુર્ગંધ મારતી ખાઈ આગળથી પસાર થઈ રહ્યો હતો, તેમાં રહેલા પાણીનો ગ ઘણો જ ખરાબ હતો અને સડેલા મડદા જેવી ગંધ તેમાંથી આવી રહી હતી. સંખ્યાબંધ કાંડાઓથી એ ગંદુ પાણી ખદબદતું હતું. ત્યાં તે પાણીની અસહ્ય દુર્ગંધથી રાજાને નાક દાબવું પડ્યું હતું. આ દુર્ગંધથી કંટાળી જરાક આગળ જઈ તેણે કહ્યું, કેટલું ખરાબ છે આ પાણી. સડેલા મડદા જેવી ગંધ મારે છે, તેનો સ્વાદ અને સ્પર્શ પણ કેટલાં ખરાબ હોય ? રાજાની આ વાત પણ જ્ઞાતા અને ટા મંત્રી સિવાય બીજા બધાએ કબૂલ કરી. માત્ર સુબુદ્ધિ મંત્રીએ કહ્યું, 'સ્વામિન્ ! મને તો આ વાતમાં કંઈ નવાઈ લાગતી નથી. મેં પહેલાં કહ્યું હતું તે પ્રમાણે આ બધી પુદ્ગલોના સ્વભાવની વિચિત્રતા જ છે.' રાજા જિતશત્રુને કાંઈક ખોટું લાગ્યું. તેણે સુબુદ્ધિને કહ્યું : 'તારો અભિપ્રાય બરાબર નથી. મને તો તારું કથન દુરાગ્રહ ભરેલું જ લાગે છે. જે સારું છે તે સારું જ છે અને જે ખરાબ છે તે ખરાબ છે. તેનો સ્વભાવ પલટાઈ જાય એવું તે કાંઈ બનતું હશે કે ? રાજાના કથન પરથી સુબુદ્ધિને લાગ્યું કે, 'વસ્તુમાત્ર પરિવર્તનશીલ છે' એ વાત રાજા જાણતો નથી; માટે મારે પ્રત્યક્ષ પ્રયોગ કરી બતાવીને જૈન સિદ્ધાંતમાં કહેલું વસ્તુનું સ્વરૂપ બરાબર સમજાવવું જોઈએ. Y આમ વિચાર કરી મંત્રીએ બજારમાંથી કોરા નવ ઘડાઓ મંગાવ્યા અને પોતાના માણસો દ્વારા એ જ ગંદી ખાઈનું પાણી ગાળીને એ ઘડામાં ભરી મંગાવ્યું. ત્યાર બાદ તે ઘડાઓ સાત દિવસ સુધી બરાબર બંધ કરી મૂક્યા. તે બાદ બીજા નવ ઘડાઓમાં તે પાણી ગાળીને નંખાવ્યું તથા દરેકમાં તાજી રાખ નાખી. સાત દિવસ બાદ ફરી નવા ઘડા મંગાવી તેણે ફરી તેમાં રાખ નાખી એ જ પાણી ગાળીને નંખાવ્યું. આમ સતત સાત અઠવાડિયાં સુધી કર્યું. સાતમે અઠવાડિએ એ પાણીનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સ્વચ્છમાં સ્વચ્છ પાણી જેવો થયો. એ ઉત્તમ પાણીને વધુ ઉત્તમ બનાવવા સુબુદ્ધિએ તેમાં સુગંધી વાળો, માથ વગેરે દ્રવ્યો મેળવ્યાં અને રાજાના સેવકને એ પાણી આપ્યું. તેણે તે પાણી ભોજન વખતે રાજાને આપવાની સૂચના કરી. રાજાએ ભોજન લીધું. બાદ રાજાના સેવકે તે પાણી આપ્યું. જમ્યા પછી રાજાએ પાણી પીને તેનાં ખૂબ વખાણ કર્યાં, અને સાથે જમનારા બધા માણસોને તેણે કહ્યું, 'આપણે જે પાણી અત્યારે પીધું તે ઉત્તમોત્તમ છે. શું એનો સ્વાદ ! શું એનો રંગ ! શી એની ગંધ અને કેવી એની હિમ ૪ Page #237 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૧૦ કરવાં યે વધારે શીતલતા ! હું તો આવા પાણીને સર્વ શ્રેષ્ઠ જળ કહું છું. વખાણ કરતાં કરતાં રાજાએ સેવકને પૂછ્યું, 'આ પાણી તેં ક્યાંથી મેળવ્યું?' સેવક બોલ્યો : 'મહારાજ ! એ પાણી મંત્રીશ્વરને ત્યાંથી આવેલું છે. રાજાએ સુબુદ્ધિને બોલાવીને પૂછ્યું : 'તું આવું સરસ પાણી ક્યાંથી લાવ્યો? સુબુદ્ધિએ જવાબ આપ્યો : મહારાજ ! એ પાણી પેલી ગંધાતી ખાઈનું જ છે. રાજાએ વિસ્મય સાથે ફરી પૂછ્યું: શું આ પેલી ગંદી ખાઈનું પાણી છે? સુબુદ્ધિએ કહ્યું, મહારાજ ! એ તેનું જ પાણી છે. જૈન શાસન કહે છે કે, વસ્તુ માત્ર પરિવર્તન શીલ છે. જ્યારે તમે ભોજનનાં વખાણ કર્યાં અને ખાઈના પાણીની નિંદા કરી ત્યારે તમને જૈન સિદ્ધતનો પરમાર્થ સમજાવવા મેં યત્ન કરેલો, પણ તમારા માન્યામાં તે વાત આવી નહિ, તેથી મેં ખાઈના ગંધાતા પાણી ઉપર પ્રયોગ કરીને તમને તે પ્રત્યક્ષ કરી બતાવ્યો. આમ છતાં રાજાને સુબુદ્ધિ મંત્રીની વાત પર વિશ્વાસ ન આવ્યો તેથી તેને પોતાની દેખરેખ નીચે અંગત માણસો દ્વારા એ મંગાવી, સુબુદ્ધિ મંત્રીના કહેવા મુજબ એ પ્રયોગ કરી જોયો. ત્યાર બાદ તેને પાકી ખાત્રી થઈ કે, સુબુદ્ધિનું કહેવું પૂરેપૂરું ખરું એટલે તેણે સુબુદ્ધિને બોલાવીને પૂછ્યું : 'વસ્તુના સ્વરૂપને લગતું આવું જ્ઞાન તને ક્યાંથી મળ્યું?' સુબુદ્ધિએ નમ્રતાથી કહ્યું : પ્રભુ! જિનેશ્વર દેવનાં વચનોથી હું એ સિદ્ધાંત સમજયો છું, તેથી જ કોઈ સુંદર વસ્તુ જોઈને હું ફુલાતો નથી, તેમ જ નઠારી વસ્તુ જોઈને અકળાતો નથી. વસ્તુના પર્યાયોનું યથાર્થ ભાન થવાથી વિવેકી આત્માઓ પોતાનો સમભાવ ટકાવી બરાબર મધ્યસ્થ રહી શકે છે. આથી રાગદ્વેષ તથા કષાયોના યોગે મલિનતા તેના આત્મામાં આવી નથી.' શ્રમણોપાસક સુબુદ્ધિ મંત્રીની આવી સરસ વાત સાંભળીને રાજાને જૈન સિદ્ધતનું રહસ્ય સમજવાની તીવ્ર ઇચ્છા થઈ. ત્યાર બાદ સુબુદ્ધિ મંત્રીએ રાજાને જૈન સિદ્ધનમાં રહેલું જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ સમજાવ્યું. રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો. ક્રમશ: સદ્ગુરુની નિશ્રામે રત્નત્રયીની આરાધના કરી તે બન્ને કર્મ ખપાવીને મુક્તિપદને પામ્યા. Page #238 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ! ર૧૧ મરીચિકુમાર ૮૧. ભરત ચક્વાર્તાનો પુત્ર મરીચિકુમાર એક વખત ચક્રની સાથે આદીશ્વર ભગવાનને વંદન કરવાને ગયો. ત્યાં ઋષભસ્વામીના મુખથી સ્યાદ્વાદ ધર્મનું શ્રવણ કરી પ્રતિબોધ પામીને તેણે દીક્ષા ગ્રહણ કરી. સ્થવિર મુનિઓની પાસે રહીને અગિયાર અંગ ભણ્યા અને સ્વામીની સાથે ચિરકાળ વિહાર કર્યો. એકદા ગ્રીષ્મઋતુના તાપથી પીડ પામેલા મરીચિ મુનિ ચારિત્રાવરણ કર્મનો ઉદય થવાથી આ પ્રમાણે વિચારવા લાગ્યા કે, "મેરુ પર્વત જેટલા ભારવાળા અને વહન ન થઈ શકે તેવા મુનિના ગુણોને વહન કરવા સુખની આકાંક્ષાવાળો હું નિર્ગુણી હવે સમર્થ નથી, તો શું હવે હું લીધેલા વ્રતનો ત્યાગ કરું? ના, ત્યાગ કરવાથી તો લોકમાં મારી હાંસી થાય, પરંતુ વ્રતનો સર્વથા ભંગ ન થાય અને મને ક્લેશ પણ ન થાય, તેવો એક ઉપાય મને સૂઝયો છે, તે એ કે આ પૂજ્ય મુનિવરો હમેશાં મન વચન અને કાયાના ત્રણે દંડથી રહિત છે, પણ હું તે ત્રણે દંડથી પરાભવ પામેલો છું, માટે મારે ત્રિદંડનું ચિહન હો. આ મુનિઓ જિતેન્દ્રય હોવાથી કેશનો લોચ કરે છે, અને હું તેથી જીતાયેલો હોવાથી મારે અસ્ત્રાથી મુંડન હો, તથા મસ્તક પર શિખા હો. આ મુનિઓ મહાવ્રતને ધારણ કરનારા છે અને હું તો અણુવ્રતને ધારણ કરવા અસમર્થ છું. આ મુનિઓ સર્વથા પરિગ્રહથી રહિત છે, પણ મારે તો એક મુદ્રિકા માત્ર પરિગ્રહ હો. આ મુનિઓ મોહન ઢંકણ રહિત છે. અને હું તો મોહથી આચ્છાદિત છું, તેથી મારે માથે છત્રધારણ કરવાપણું હો. આ મહા ઋષિઓ પગમાં ઉપાનહ પહેર્યા વિના વિચરે છે, પણ મારે તો પગની રક્ષા માટે ઉપાનહ હો. આ મુનિઓ શીલ વડે જ સુગંધી છે, પણ હું શીલથી ભ્રષ્ટ હોવાથી મારે દુર્ગધીને સુગંધ માટે ચંદનનાં તિલક આદિ હો. આ મુનિઓ કષાય રહિત હોવાથી શ્વેત વસ્ત્ર ધારણ કરે છે, પણ હું બેધાદિક કષાયવાળો હોવાથી મારે કષાય રંગવાળાં વસ્ત્ર હો. આ મુનિઓ બહુ જીવોની હિંસાવાળા સચિત્ત જળના આરંભને તજે છે, પણ મારે તો સ્નાન તથા પાન પરિમિત જળથી હો." આ પ્રમાણે ચારિત્રનો નિર્વાહ કરવા સંબંધી કષ્ટ સહન કરવામાં કાયર થયેલા મરીચિએ પોતાની બુદ્ધિથી વિકલ્પ કરીને પરિવ્રાજકનો નવો વેષ અંગીકાર કર્યો. Page #239 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૧૨ તેને તેવો નવીન વેખધારી જોઈને સર્વ લોક ધર્મ પૂછતા હતા, પરંતુ મરીચિ તો શ્રીજિનેશ્વરે પ્રરૂપેલો સાધુધર્મ જ કહેતો હતો. સર્વની પાસે જ્યારે તે એવી શુદ્ધ ધર્મ દેશનાનું પ્રરૂપણ કરતો, ત્યારે લોકો તેને પૂછતા કે, “ત્યારે તમે પોતે કેમ તેવા ધર્મનું આચરણ કરતા નથી ?” તેના જવાબમાં તે કહેતો કે, "હું તે મેરુ સમાન ભારવાળા ચારિત્રને વહન કરવા સમર્થ નથી." એમ કહીને પોતાના સર્વ વિકલ્પ કહી બતાવતો હતો. એ પ્રમાણે તેમના સંશય દૂર કરીને પ્રતિબોધ પમાડેલ તે ભવ્ય જીવો જ્યારે દીક્ષા લેવા તૈયાર થતા, ત્યારે તેમને મરીચિ શ્રી યુગાદીશ પાસે જ મોકલતો હતો. આ પ્રમાણે આચાર પાળતો મરીચિ સ્વામીની સાથે જ વિહાર કરતો હતો. અનુક્રમે વિહાર કરતાં સ્વામી વિનીતા નગરીમાં સમવસર્યા. ભરતચીએ આવીને પ્રભુને વંદના કરી. પછી ભવિષ્યમાં થનારા તીર્થંકર, ચક્વર્તી, વાસુદેવ વગેરેનું સ્વરૂપ પૂછ્યું, એટલે પ્રભુએ તે સર્વનું વર્ણન યથાસ્થિત કર્યું. ફરીથી ચીએ પૂછ્યું કે, "હે સ્વામી ! આ પર્ષદામાં કોઈ જીવ છે કે જે આ ભરતક્ષેત્રમાં આપના જેવા તીર્થંકર થવાના હોય ?” સ્વામી બોલ્યા કે, "આ તારો પુત્ર મરીચિ આ ભરત ક્ષેત્રમાં વીરનામે ચોવીસમા તીર્થંકર થશે તથા એ પૂર્વે આ ભરતક્ષેત્રમાં પ્રથમ વાસુદેવ થશે, તથા મહાવિદેહ ક્ષેત્રમાં ચક્રવર્તી થશે." તે સાંભળીને ભરતચક્રી મરીચિ પાસે જઈ તેને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરીને બોલ્યા કે, "તમારું આ પરિવ્રાજકપણું વંદન કરવા યોગ્ય નથી, પણ તમે ભાવિ તીર્થંકર છો, તેથી હું તમને વાંદું છું.” એમ કહીને પ્રભુએ કહેલ સર્વ વૃતાંત મરીચિને કહી બતાવ્યું, તે સાંભળીને મરીચિ મહા હર્ષથી પોતાની કાખલીનું ત્રણ વાર આસ્ફોટન કરીને ઊંચે સ્વરે બોલ્યો કે "હું પહેલો વાસુદેવ થઈશ, મૂકાનગરીમાં હું ચક્વર્તી થઈશ તથા છેલ્લો તીર્થંકર પણ હું થઈશ તેથી અહો મારું કુલ કેવું ઉત્તમ ?” વળી હું વાસુદેવોમાં પહેલો, મારા પિતા ચક્વર્તીમાં પહેલા, અને મારા પિતામહ તીર્થંકરોમાં પહેલા !! અહો ! મારું કુળ કેવું ઉત્તમ છે ? ઇત્યાદિ આત્મપ્રશંસા અને અભિમાન કરવાથી તેણે નીચ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું.” એકદા તે મરીચિના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયો, તેની સારવાર કોઈ સાધુએ કરી નહીં, તેથી તે ગ્લાનિ પામીને વિચાર કરવા લાગ્યો કે, "અહો ! આ સાધુઓ દાક્ષિણ્ય ગુણથી રહિત છે. મારી સારવાર તો દૂર રહી, પણ મારા સામું પણ જોતા નથી, પણ મેં આ ખોટો વિચાર કર્યો, કેમ કે આ મુનિજનો પોતાના દેહની પણ પરિચર્યા કરતા નથી, તો પછી મારી ભ્રષ્ટ ચારિત્રવાળાની સારવાર તો શેની જ કરે ! Page #240 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૧૩ માટે હવે તો આ વ્યાધિ શાંત થાય એટલે એક શિષ્ય કરું." એમ વિચારતાં કેટલેક દિવસે મરીચિ વ્યાધિ રહિત થયો. એક વખત તેને કપિલ નામે કુલપુત્ર મળ્યો. ધર્મનો અર્થી હતો, તેથી તેણે કપિલને આહત ધર્મ કહી સંભળાવ્યો. એ વખતે કપિલે તેને પૂછ્યું કે, 'તમે પોતે એ ધર્મ કેમ આચરતા નથી ?" મરીચિ બોલ્યો કે, હું તે ધર્મ પાળવાને સમર્થ નથી" કપિલે કહ્યું કે, ત્યારે શું તમારા માર્ગમાં ધર્મ નથી ?" આવા પ્રશ્નથી તેને જિનધર્મમાં આળસુ જાણી શિષ્યને ઇચ્છતો મરીચિ બોલ્યો કે, 'જૈન માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” આ સાંભળી કપિલ તેનો શિષ્ય થયો. તે વખતે ઉસૂત્ર ભાષણથી (મિથ્યાધર્મના ઉપદેશથી) મરીચિએ કોટાકોટી સાગરોપમ પ્રમાણ સંસાર કર્મ ઉપાર્જન કર્યું. તે પાપની કોઈ પણ આલોચના ક્યા વગર અનસન વડે મૃત્યુ પામીને મરીચિ બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવતા થયો. કપિલ પણ આસૂરિ વગેરેને પોતાના શિષ્યો કરી તેમને પોતાના આચારનો ઉપદેશ આપી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં દેવ થયો. ત્યાં અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ જન્મને જાણીને તે પૃથ્વી પર આવ્યો. અને તેને આસૂરિ વગેરેને પોતાનો સાંખ્ય મત જણાવ્યો. તેના આમ્નાયથી આ પૃથ્વી પર સાંખ્ય દર્શન પ્રવર્તે. આત્મપ્રશંસા અને અભિમાન કરવાથી મરીચિએ નીચ ગોત્ર કર્મ ઉપાર્જન કર્યું, અને ઉસૂત્રની પ્રરૂપણા કરવાથી અસંખ્ય ભવ ર્યા. તીર્થંકર ભગવાનના શાસ્ત્રથી વિરુદ્ધ ન બોલવું અને અભિમાન ન કરવું આટલો બોધપાઠ સૌએ ગ્રહણ કરવા જેવો છે." આજે પામો પરમ પદનો, પંથ તારી કૃપાથી, મિઓ આજે ભ્રમણ ભવના, દિવ્ય તારી કૃપાથી, દુ:ખો સર્વે ક્ષય થઈ ગયાં, દેવ તારી કૃપાથી, ખુલ્યાં ખુલ્યાં સકળ સુખના, દ્વાર તારી કૃપાથી. પ્રભુ દરશન સુખ સંપદા, પ્રભુ દરશન નવનિધ; પ્રભુ દરશનથી પામી, સકળ પદારથ સિદ્ધ. શાંતિનાથજી સોળમા જગ-શાનિ સુખકાર, શાન ભાવે ભક્તિ કરે, તરત તેરે ભવપાર. Page #241 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૧૪ શ્રી મોહવિજેતા સ્થૂળભદ્ર પાટલીપુત્રના શકટાળ મંત્રીનો જ્યેષ્ઠ પુત્ર સ્થૂળભદ્ર રૂપકોશા નામની એક નર્તકીના પ્રેમપાશમાં જકડાઈ ગયો. પ્રેમના બંધનમાં માતાપિતાની આબરૂની ખેવના તેણે ન કરી, ભગિનીઓના સ્નેહને તે ભૂલી ગયો અને લઘુ બંધુ શ્રીયકની સમજાવટ પણ કંઈ કામ ન લાગી. ૮૨. રૂપકોશાના દેહસુખમાં તેને સ્વર્ગનાં સુખો પણ ઝાંખાં લાગવા લાગ્યાં. રૂપકોશાના અંબોડા માટે ગુલાબનાં ફૂલોની વેણી તે જાતે ગૂંથતો. રૂપકોશાના ઓષ્ઠ ઉપર લાલ રંગની લાલી તે જાતે લગાવતો. જાત જાતનાં આભૂષણોની રૂપકોશાના દેહને જાતે સજાવતો. પ્રણયના રંગરાગ માણતાં બન્ને સમયને વિસરી ગયાં. દિવસો, મહિના અને વર્ષો આ રંગરાગમાં પસાર થઈ ગયાં. આમ કરતાં બાર વર્ષ પસાર થઈ ગયાં. સ્થૂળભદ્રના પિતા શકટાલ પાટલીપુત્રમાં રાજાના અત્યંત પ્રજાપ્રિય મંત્રી હતા. તેમના પ્રત્યે વરુચિ નામનો વિપ્ર અત્યંત ઈર્ષ્યા ધરાવતો તે સતત શકટાળ વિરુદ્ધ રાજાના કાન ભંભેરતો હતો પણ રાજા તેની વાતોને મહત્ત્વ આપતા ન હતા. શકટાળના ઘરે શ્રીયકના લગ્ન પ્રસંગે રાજા પધારવાના હતા. તેમના સન્માન માટે શસ્ત્રોનો સંગ્રહ શકટાળે ધરે કર્યો હતો. વરચએ આ તકનો ઊલટો લાભ લીધો. તેણે રાજાને જણાવ્યું કે, "આપનું રાજ્ય પડાવી લેવા માટે શટાળે શસ્ત્રોનો ભંડાર એકઠો કર્યો છે. આપ તપાસ કરાવો..." રાજાએ તપાસ કરાવતાં શસ્ત્રોના સંગ્રહની વાત સાચી જણાઈ અને રાજાનો ક્રેધ આસમાને પહોંચ્યો. રાજાએ શટાળના સમગ્ર વંશનો નાશ કરવાનો નિર્ણય લઈ લીધો. શકટાળને આ વાતની ખબર પડી ગઈ. રાજાના કોપથી પોતાના કુટુંબની રક્ષા કાજે શકટાળે પોતાનું આત્મબલિદાન આપવાનો નિર્ણય કર્યો. પુત્ર શ્રીયકને શકટાળે કહ્યું : “બેટા ! આવતી કાલે જ્યારે હું મહારાજને પ્રણામ કરું, ત્યારે તું તલવારથી મારું માથું વધેરી નાખજે." Page #242 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૧૫ પણ પિતાજી ! પિતૃહત્યાનું ગોઝારું પાપ મારાથી કેમ થાય ?” શ્રીયકની મનોવેદના વાચા લઈ રહી હતી. બેટા ! તને પિતૃહત્યાનું પાપ ન લાગે... તે માટે હું તાલપુટ ઝેરવાળી હીરાની વીંટી ચૂસી લઈશ. તેના કારણે હું મૃત્યુ પામી જ જવાનો છું. પણ તે જ ક્ષણે તારે તલવાર ચલાવી દેવાની.. મારા શિર પર ! આત્મબલિદાન વગર હવે રાજાનો કોપ શકે તેમ નથી. બેટા ! આ મારી તને આજ્ઞા છે. પિતા શકટાળે શ્રીલંકને સમજાવ્યું. નાછૂટકે શ્રીયકને પિતાની આજ્ઞાનો સ્વીકાર કરવો પડ્યો. અને બીજા દિવસે રાજાને પ્રમાણ કરતાં પિતાનું મસ્તક શ્રીયકની તલવારથી છેદાઈ ગયું. સભામાં હાહાકાર થઈ ગયો. રાજાએ જ્યારે આવું અપકૃત્ય કરવાનું કારણ પૂછ્યું, ત્યારે શ્રીયકે બધી જ વાતનો ઘટસ્ફોટ કર્યો. રાજાને હવે ઘોર પશ્ચાત્તાપ થયો. રાજાએ વરરુચિને કાઢી મૂક્યો અને શ્રીયકને મંત્રી મુદ્રા સ્વીકારવા સૂચન કર્યું. શ્રીયકે કહ્યું, “મહારાજ ! મારા મોટાભાઈ શૂળભદ્ર જીવિત છે. ત્યાં સુધી મારાથી મંત્રી મુદ્રા ન લેવાય, આપ સ્થૂળભદ્રને મંત્રી મુદ્રા અર્પણ કરો.” રાજાની સંમતિ લઈ શ્રીયક સ્થૂળભદ્રને બોલાવવા રૂપકોશાના રૂપભવનમાં પહોંચ્યા. પિતાના લાલ લોહીથી રંગાયેલી એ લાલ તલવારને જોતાં અને શ્રીયક પાસેથી પિતાની હત્યાની ઘટેલી ઘટનાઓને સાંભળતાં જ સ્થૂળભદ્રનો વિષયવિલાસનો મોહ નશો ચૂરચૂર થઈ ગયો. સ્થૂળભદ્ર શ્રીયક સાથે રાજસભામાં આવ્યા. રાજાએ સ્થૂળભદ્રને આવકાર આપ્યો, અને કહ્યું કે, “યૂળભદ્ર ! તમારા પિતાનું સ્થાન તમે સંભાળો. આ મંત્રી મુદ્રાને ધારણ કરો." સ્થૂળભદ્ર બાજુના બગીચામાં જઈને (આલોચના) વિચારણા કરવાની રજા માગી. પિતૃ હત્યાની આ ગોઝારી ઘટનાએ સ્થૂળભદ્રનો ભીતરી આત્મા જાગી ઊઠ્યો. મોતના સોદાગર સમો અને પાપોના ભંવર સમો આ સંસાર હવે સ્થૂળભદ્રને અસાર લાગવા માંડ્યો. રૂપકોશાના પ્રણયસંબંધની મીઠી યાદો પણ એના વૈરાગ્યને વિચલિત કરવા હવે અસમર્થ હતી. સ્થૂળભદ્ર વિચારણા કરતાં આલોચનાના બદલે મસ્તક પરના વાળનું મુંડન (આલેચન) કરી નાખ્યું. ધર્મલાભની શુભાશિષને વરસાવતા મુનિ સ્થૂળભદ્દે રાજ્યસભામાં પ્રવેશ કર્યો. Page #243 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૧૬ આ રીતે સ્થૂળભદ્રે મંત્રીમુદ્રા ન સ્વીકારતાં, અને કોશાના રૂપભવને પણ ન જતાં સીધા આચાર્ય શ્રી સંભૂતવિજ્યજી મહારાજ બિરાજતા હતા ત્યાં આવી તેમનાં ચરણોમાં પડી, જિંદગીના ચઢાવ-ઊતારની સમગ્ર હકીક્ત ગુરુદેવને જણાવી. ગુરુદેવે સ્થૂળભદ્રમાં પડેલું હીર ઓળખી લીધું અને ગુરુવરે વિધિપૂર્વક સ્થૂળભદ્રને દીક્ષા આપી. દીક્ષા લીધા બાદ બીજાં બાર વર્ષ પસાર થઈ ગયાં. મુનિ સ્થૂળભદ્રે એવી પ્રચંડ સાધના સાધી લીધી હતી કે ત્રિભુવનની કોઈ તાકાત તેમના શીલવ્રતને ખંડિત કરવાનું સામર્થ્ય ધરાવતી ન હતી. એકદા વર્ષાઋતુ આવતાં શ્રી સંભૂતવિજયસૂરિને વંદના કરીને ત્રણ મુનિઓએ જુદા જુદા અભિગ્રહ લીધા. તેમાં પહેલા મુનિએ કહ્યું કે, "હું ચાર માસ સુધી સિંહનો ગુફાને મોઢે ઉપવાસ કરીને કાયોત્સર્ગે રહીશ.” બીજાં મુનિએ કહ્યું કે, “હું ચાર માસ સુધી ષ્ટિ વિષે સર્પના બીલના મોઢે કાયોત્સર્ગ ધારણ કરીને ઉપવાસી રહીશ" અને ત્રીજાએ કહ્યું કે, "હું ચાર માસ સુધી કૂવાના ભારવટા ઉપર કાયોત્સર્ગ કરીને ઉપવાસી રહીશ.” તે ત્રણેને યોગ્ય જાણીને ગુરુએ તેમને તે રીતે ચોમાસું વ્યતીત કરવા આજ્ઞા આપી. પછી સ્થૂળભદ્રમુનિએ ઊઠીને ગુરુને વિજ્ઞપ્તિ કરી કે, "હું ચાર માસ સુધી કોચા વેશ્યાના ઘરમાં ચોમાસું રહીશ.” ગુરુએ ઉપયોગ દઈને તેને યોગ્ય ધારીને તેમ કરવાની આજ્ઞા આપી. પછી સર્વે મુનિઓ પોતે અંગીકાર કરેલા સ્થાને ગયા. તે વખતે સમતા ગુણવાળા અને ઉગ્ર તપને ધારણ કરનારા તે મુનિવરોને જોઈને તે સિંહ, સર્પ અને કૂવાનો રેંટ ફેરવનાર એ ત્રણે શાંત થઈ ગયા. સ્થૂળભદ્ર પણ કોશાને ઘેર ગયા, ત્યાં તેમને આવતા જોઈને કોશાએ વિચાર્યું કે "આ સ્થૂળભદ્ર ચારિત્રથી ઉદ્વેગ પામી વ્રતનો ભંગ કરવા આવ્યા જણાય છે, માટે હજુ સુધી મારું ભાગ્ય જાગતું છે” એમ વિચારી કોશા એકદમ ઊઠી મુનિને મોતીથી વધાવી બે હાથ જોડી ઊભી રહીને બોલી કે, "પૂજ્ય સ્વામી ! આપ ભલે પધાર્યા. આપના આગમનથી આજે અંતરાય ક્ષય થવાને લીધે મારું પુણ્ય પ્રગટ થયું છે. આજે મારા ઉપર ચિંતામણિ, કામધેનુ, કલ્પવૃક્ષ તથા કામદેવ વગેરે દેવતાઓ પ્રસન્ન થયા એમ હું માનું છું. હવે હે નાથ ! પ્રસન્ન થઈને મને જલદીથી આજ્ઞા આપો. આ મારું ચિત્ત, વિત્ત, શરીર અને ઘર અને સર્વ આપનું જ છે, મારું યૌવને એ પ્રથમ આપે જ સાર્થક કર્યું છે, હમણાં હિમથી બળી ગયેલી કમલિની જેમ આપના વિરહથી ૬-ધ થયેલા આ મારા શરીરને નિરંતર આપનાં દર્શન અને સ્પર્શ વડે આનંદિત કરો.” Page #244 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૧૭ તે સાંભળીને સ્થૂળભદ્ર બોલ્યા, “જો હું મુનિ થયો છું. મારાથી છેટી રહીને જે વાત કરવી હોય તે કરજે. હું તારે ત્યાં ચોમાસું કરવા આવ્યો છું. મને ઊતરવાનું સ્થાન બતાવ. કોશા તો મનમાં અકળાઈ, પરંતુ મુનિને ચલિત કરવા માટે કામશાસ્ત્રને અનુસારે બનાવેલી ચિત્રશાળા ચાર માસ સુધી સાફ કરીને રહેવા આપી. ત્યાં મુનિ સમાધિ ધારણ કરીને રહ્યા. કોશાએ આપેલો કામદેવને પ્રદીપ્ત કરનાર પરસયુક્ત આહાર કરીને પણ મુનિ સ્થિર મન રાખીને રહ્યા. કોશા સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને અનેક પ્રકારના હાવભાવ કરતી મુનિને ક્ષોભ પમાડવા તેમની પાસે આવી તે વખતે મુનિએ કહ્યું કે, “સાડા ત્રણ હાથ દૂર કરીને તારે નૃત્ય વગેરે જે કરવું હોય તે કરવું પછી તે કોશા સાડા ત્રણ હાથ દૂર રહીને કટાક્ષથી મુનિ સામું જોવા લાગી. લજજાનો ત્યાગ કરીને પૂર્વે કરેલી ડાનું સ્મરણ કરાવવા લાગી અને ગાત્રને વાળવાની ચતુરાઈથી ત્રિદંડી વડે સુંદર એવો મધ્ય ભાગ દેખાડતી, તથા વસ્ત્રની ગાંઠ બાંધવાના મિષથી ગંભીર નાભિરૂપી કૂપને પ્રગટ કરતી કોશા તેમની સમક્ષ વિશ્વને મોહ પમાડનારું નાટક કરવા લાગી; તો પણ સ્થૂળભદ્દે આંખ ઊંચી કરીને એની સામે જોયું પણ નહીં અને જરા પણ ક્ષોભ પામ્યા નહીં પછી તે કોશા પોતાની સખીઓને લઈને આવી. તેમાંથી એક નિપુણ સખી બોલી કે, હે પૂજ્ય ! કઠિનતાનો ત્યાગ કરીને ઉત્તર આપો, કેમ કે મુનિઓનું મન હંમેશાં કરુણાએ કરીને કોમળ હોય છે, ભાગ્યહીન પુરુષો જ પ્રાપ્ત થયેલા ભોગને ગુમાવે છે. માટે હે પાપરહિત મુનિ ! આપના વિયોગથી કશ થયેલી અને આપને જ માટે મરવાને તૈયાર થયેલી તમારી કામાતુર પ્રિયાના મનોરથને સફળ કરો. ફરીથી આ તપસ્યા તો સુખ પ્રાપ્ત થશે, પણ આવી પ્રેમી યુવતી ફરીથી મળશે નહીં. તે સાંભળીને મુનિએ કોશાને કહ્યું કે, "અનંત વાર અનેક ભવમાં કામક્રીડાદિ કરેલ છે, તો પણ હજુ સુધી શું તેની જ ઇચ્છા કરે છે? શું હજુ તને તૃમિ થઈ નથી કે જેથી મારી સન્મુખ આ નૃત્યાદિક પ્રયત્નો કરે છે? જો કદાચ આવું જ નૃત્ય પ્રશસ્ત ભાવ વડે પરમાત્માની સ્તુતિપૂર્વક તેમની પાસે કર્યું હોય તો સર્વ સફળ થાય; પરંતુ તું તો ભોગની ઇચ્છાથી દીનવાણી બોલે છે અને સખીઓને લાવીને ભોગપ્રાપ્તિને માટે પ્રયત્ન કરે છે, પરંતુ તું શા માટે આ જન્મ તથા જીવનને વૃથા ગુમાવે છે ? તે બુદ્ધિશાળી કોશા ! તું સર્વ પ્રયત્ન પોતાના આત્માના હિતને વિષે જ કર." આ પ્રમાણેનાં સ્થૂળભદ્રમુનિનાં વચનો સાંભળીને કો: એ વિચાર્યું કે, આ મુનિનું જિનેન્દ્રિયપણું મારા જેવી અસંખ્ય ચતુર નારીઓથી પણ જીતી શકાય તેવું Page #245 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૧૮ નથી.” એમ વિચારીને તે બોલી કે, હે મુનિરાજ ! મેં અજ્ઞાનતાને લીધે આપની સાથે પૂર્વે કરેલી કીડાને લોભથી આજે પણ કિડની ઇચ્છા વડે આપને ક્ષોભ પમાડવા માટે અનેક ઉપાયો કર્યા છે. હવે તે મારો અપરાધ ક્ષમા કરો." પછી મુનિએ તેને યોગ્ય જાણીને શ્રાવક ધર્મનો ઉપદેશ કર્યો, તે પણ પ્રતિબોધ પામીને શ્રાવિકા થઈ અને નંદરાજાએ મોકલેલા પુરુષ વિના બીજા સર્વ મારે બંધુ સમાન છે, એવો અભિગ્રહ લીધો." હવે વર્ષાઋતુ પૂર્ણ થઈ ત્યારે પેલા ત્રણે સાધુઓ પોતપોતાના અભિગ્રહનું યથાવિધિ પ્રતિપાલન કરીને ગુરુ પાસે આવ્યા. તેમાં પ્રથમ સિંહની ગુફા પાસે રહેનાર સાધુને આવતા જોઈને ગુરુ કાંઈક ઊઠીને બોલ્યા કે, “હે વત્સ ! દુષ્કર કાર્ય કરનાર ! તું ભલે આવ્યો, તને શાતા છે ?" એ જ પ્રમાણે બીજા બે સાધુઓ આવ્યા, ત્યારે તેમને પણ તે જ રીતે ગુરુએ મીઠો આવકાર આપ્યો. પછી સ્થૂળભદ્રને આવતા જોઈને ગુરુ ઊભા થઈને બોલ્યા કે, “હે મહાત્મા ! દેહ દુષ્કર-દુષ્કર કાર્યને કરનારા તું ભલે આવ્યો." તે સાંભળી પેલા ત્રણે સાધુઓમાંથી સિંહગુફાવાસી મુનિએ ઈર્ષાથી વિચાર્યું કે, “આ સ્થૂળભદ્ર મંત્રીનો પુત્ર હોવાથી જ તેમને ગુરુ અમારા કરતાં વધારે બહુમાનથી બોલાવે છે, ચિત્રશાળામાં રહેલાં, ષટસ ભોજનનો આહાર કરનારા અને સ્ત્રીના સંગમાં વસેલા આ સ્થૂળભદ્રને ગુરુએ દુષ્કર-દુષ્કર કાર્ય કરનારો કહ્યો. તો હવે આપણે પણ આવતા ચાતુર્માસમાં તેવો જ અભિગ્રહ કરશું." એમ વિચારીને મહાકષ્ટ આઠ માસ વ્યતીત ક્ય. પછી વર્ષાકાળ આવ્યો ત્યારે સિંહગુફાવાસી અભિમાની સાધુએ સૂરીને કહ્યું કે "આ ચાતુર્માસ હું છૂળભદ્રની જેમ કોશાના ઘરમાં રહીશ." ગુરુએ વિચાર્યું કે, જરૂર આ સાધુ સ્થૂળભદ્રની ઈર્ષા અને સ્પર્ધાથી આવો અભિગ્રહ કરે છે." પછી ગુરુએ ઉપયોગ આપીને તેને કહ્યું કે, હે વત્સ ! એ અભિગ્રહ તું ન લે, તે અભિગ્રહનું પાલન કરવામાં તે સ્થૂળભદ્ર એક જ સમર્થ છે, બીજો કોઈ સમર્થ નથી. કારણ કે "કદાચ સ્વયંભૂ રમણ સાગર પણ સુખેથી કરી શકાય, પણ આ અભિગ્રહ ધારણ કરવો તે તો દુષ્કરથી પણ દુષ્કર છે." આ પ્રમાણે ગુરુએ કહેલાં વચનની અવગણના કરીને તે વીમાની સાધુ કોશાને ઘેર ગયા. કોશાએ તેમને જોઈને વિચાર્યું કે જરૂર આ સાધુ મારા ધર્મગુરુની સ્પર્ધાથી જ અહીં આવ્યા જણાય છે. એમ વિચારીને તેણે તે મુનિની અવજ્ઞા કરી. મુનિએ ચાતુર્માસ રહેવા માટે ચિત્રશાળા માગી, તે તેણે આપી. પછી કામદેવને ઉદ્દીપન કરનાર ષટસ ભોજન કોશાએ મુનિને વહોરાવ્યું. મુનિએ તેનો આહાર કર્યો. બે-ચાર દિવસ Page #246 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૧૯ થયા પણ કોશા મુનિ પાસે જતી નથી. એટલે છેવટે મુનિએ તેને બોલાવવા માંડી. મધ્યાહન સમયે પ્રથમની જ જેમ વસ્ત્રાભૂષણ પહેરીને કોશા મુનિની પરીક્ષા કરવા આવી તેના હાવભાવ, કટાક્ષ તથા નૃત્યાદિક જોઈને મુનિ ક્ષણ વારમાં જ ક્ષોભ પામ્યા. અગ્નિ પાસે રહેલ લાખ, ઘી અને મીણની જેમ તે મુનિએ કામાવેશને આધીન થઈને ભોગની યાચના કરી, ત્યારે કોશાએ તેને કહ્યું કે, “હે સ્વામી ! અમે વેશ્યાઓ ઇન્દ્રનો પણ દ્રવ્ય વિના સ્વીકાર કરતા નથી” ત્યારે મુનિ બોલ્યા કે, મને કામવરથી પીડા પામેલાને ભોગસુખ આપીને પ્રથમ શાંત કર. પછી દ્રવ્ય મેળવવાનું સ્થાન પણ તું જ્યાં બતાવીશ ત્યાં જઈને તે પણ હું તને મેળવી આપીશ !" તે સાંભળી તેને બોધ કરવા માટે કોશાએ તેને કહ્યું કે, "નેપાલ દેશનો રાજા નવીન સાધુને લક્ષ મૂલ્યવાળું રત્નકંબલ આપે છે, તે તમે મારે માટે લઈ આવો; પછી બીજી વાત કરો." તે સાંભળી અકાળે વર્ષાઋતુમાં જ મુનિ નેપાલ ભણી ચાલ્યા. ત્યાં જઈ રાજા પાસેથી રત્નકંબલ મેળવી કોશાનું ધ્યાન ધરતા તે મુનિ તરત પાછા ફર્યા. રસ્તામાં ચાર લોકો મળ્યા તેનાથી મહા મુશ્કેલીથી દીનતા કરીને કંબલ બચાવીને કોશા પાસે આવી પહોંચ્યા અને મુનિએ અતિ હર્ષપૂર્વક રત્નકંબલ કોશાને આપી. તે લઈને કોશાએ તરત જ પોતાના પગ લૂછી તેને ઘરની ખાળના કાદવમાં નાખી દીધી. તે જોઈને સાધુએ ખેદયુક્ત થઈ કહ્યું કે, “હે સુંદરી ! ઘણી મુશ્કેલીથી આણેલું આ મહામૂલ્યવાન રત્નકંબલ તેં કાદવમાં કેમ નાખી દીધું ?” કોશાએ કહ્યું કે, હે મુનિ ! જ્યારે તમે એમ જાણો છો, ત્યારે ગુણ રત્નવાળા આ તમારા આત્માને તમે નરકરૂપી કાદવમાં કેમ નાખો છો ? ત્રણ ભુવનમાં દુર્લભ મહામૂલ્યવંત તમારા સંયમધર્મને આ ગટર જેવી મળમૂત્ર ભરેલી કાયામાં રગદોળવા શા માટે તૈયાર થયા છો ? અને એક વાર વમન કરેલા સંસારના ભોગને ફરીથી ચાટવાની ઇચ્છા કેમ કરો છો ? ઇત્યાદિ કોશાના ઉપદેશવાળાં વાક્યો સાંભળીને પ્રતિબોધ પામેલા મુનિએ વૈરાગ્યથી કોશાને કહ્યું કે, હે પાપરહિત સુશીલ ! તેં સંસારસાગરમાં પડતો મને બચાવ્યો, તે બહુ સારું કર્યું. હવે હું અતિચારથી ઉત્પન્ન થયેલા દુષ્કર્મ રૂપ મેલને ધોવાને માટે જ્ઞાન રૂ૫ જળથી ભરેલા ગુરુ રૂપી ઝરણાનો આશ્રય કરીશ” કોશાએ પણ તેમને કહ્યું કે તમારા વિષે મારું મિથ્યા દુષ્કૃત હો; કારણ કે હું શીલવ્રતમાં સ્થિત હતી છતાં મેં તમને કામોત્પાદક ક્યિા વડે ખેદ પમાડ્યો છે; પરંતુ તમને બોધ કરવા માટે જ મેં તમારી આશાતના કરી છે તે ક્ષમા કરજો અને હંમેશાં ગુરુની આજ્ઞાને માથે ચઢાવજો.” તે સાંભળીને ઇચ્છામી એમ કહી સિંહગુફાવાસી મુનિ ગુરુ પાસે આવ્યા. Page #247 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [] ૨૨૦ ગુરુ વગરેને વંદના કરીને, "હું મારા આત્માને નિંદુ છું” એમ કહીને તે મુનિ બોલ્ડ કે, “સર્વ સાધુઓમાં એક સ્થૂળભદ્ર જ અતિ દુષ્કર કાર્યને કરનારા છે, એમ ગુરુએ કહ્યું હતું તે યોગ્ય છે. પુષ્પફળના રસને (સ્વાદને), મદ્યના રસને, માંસના રસને અ સ્ત્રીવિલાસના રસને જાણીને જેઓ તેનાથી વિરક્ત થાય છે તે અતિ દુષ્કર કાર્યના કરનાર છે. તેને હું વંદના કરું છું. વળી સત્ત્વ વિનાનો હું ક્યાં અને ધીર બુદ્ધિવાળા સ્થૂળભ ક્યાં ! સરસવનો કણ ક્યાં અને હેમાદ્રિ પર્વત ક્યાં ? ખઘોત ક્યાં અને સૂર્ય ક્યાં ? અ પ્રમાણે કહીને તે મુનિ આલોચના લઈ દુષ્કર તપ કરવા લાગ્યા. કોશા પોતાના સ્થૂળભદ્ર ગુરુની નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગી : "જેણે સાડા બાર બ્રેડ સોનામહોરો મારા ઘરમાં આવીને મને આપી હતી તે જ સાધુ અવસ્થામાં પણ મારે ત્યાં આવીને મને બાર વ્રત આપ્યાં." “સ્થૂળભદ્રે ધનનું દાન આપીને આ જન્મ પર્યંત અયાચક વૃત્તિનું મને સુખ આપ્યું, અને વ્રતનું દાન આપીને અનંત ભવનું સુખ મને આપ્યું, એટલે સર્વદા તે તો મને સુખ આપનારા જ થયા. ૨ પાટલીપુત્રમાં દુષ્કાળ પ્રવર્તતો હતો તેથી સંધે સ્થૂળભદ્ર વગેરે પાંચસો સાધુને નેપાલ દેશમાં શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી પાસે મોકલ્યા. તેમને સૂરી ભણાવવા લાગ્યા. તેમાં સ્થૂળભદ્ર વિના બીજા સર્વ સાધુઓ સાત-સાત વાચનાથી ભણવામાં પહોંચી ન વળવાના કારણે પોતપોતાના સ્થાને આવતા રહ્યા. સ્થૂળભદ્રમુનિ મહાબુદ્ધિમાન હતા, તે એક્લા સરી પાસે રહ્યા. તેમણે આઠ વર્ષમાં આઠ પૂર્વનો અભ્યાસ કર્યો. એકા અલ્પ વાચનાથી ઉડ્રેગ પામેલા જોઈને સૂરી બોલ્યા કે, "હે વત્સ ! મારું ધ્યાન પૂર્ણ થવા આવ્યું છે, ત્યાર પછી તને તારી ઇચ્છા મુજબ વાચના આપીશ” સ્થૂળભદ્રે પૂછ્યું કે, "હે સ્વામી ! હવે મારે કેટલું ભણવું બાકી છે ?” ગુરુએ જવાબ આપ્યો કે, "બિંદુ જેટલું તું ભણ્યો છે અને સમુદ્ર જેટલું બાકી છે.” પછી સૂરીનું મહાપ્રાણાયામ ધ્યાન પૂર્ણ થતાં સ્થૂળભદ્ર દશ પૂર્વ સુધી ગુરુજી પાસે ભણ્યા. તેવામાં સ્થૂળભદ્રની બહેનો યક્ષા વગેરે સાધ્વીઓ તેમને વંદન કરવા માટે આવી. પ્રથમ સૂરીને વાંદીને તેઓએ પૂછ્યું કે, "હે પ્રભુ ! સ્થૂળભદ્ર ક્યાં છે ?" સૂરીએ કહ્યું કે, "નાના દેવકુળમાં છે.” એમ સાંભળીને સાધ્વીઓ તે તરફ ચાલી. તેમને આવતી જોઈને સ્થૂળભદ્રે આશ્ચર્ય દેખાડવા માટે પોતાનું રૂપ ફેરવીને સિંહનું રૂપ ધારણ કર્યું. તે સાધ્વીઓ સિંહને જોઈને ભય પામી અને સૂરી પાસે આવીને તે વાત કરી. સૂરીએ ઉપયોગથી તે હકીક્ત જાણીને Page #248 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | રર૧ કહ્યું કે, તમે જઈને વાંદો, ત્યાં તમારો મોટો ભાઈ જ છે, સિંહ નથી" એટલે તે સાધ્વી ફરીથી ત્યાં ગઈ, તે વખતે પૂળભદ્ર પોતાને જ સ્વરૂપે હતા, તેમને વંદના કરી. પછી તેમના ભાઈ શ્રીયકના સ્વર્ગગમનનું વૃત્તાંત કહીને તેમ જ પોતાનો સંશય ટાળીને તે સાધ્વીઓ પોતાને સ્થાને ગઈ. પછી ચૂળભદ્ર વાચના લેવા માટે ગુરુ પાસે ગયા. તે વખતે સૂરિએ વાચના આપી નહીં અને બોલ્યા કે, તું વાચનાને અયોગ્ય છે." અચાનક આવું વચન સાંભળીને શૂળભદ્ર પોતાના અપરાધ સંભારવા લાગ્યા. પછી તે બોલ્યા કે, “હે પૂજ્ય ગુર? મેં કોઈ પણ અપરાધ કર્યો જણાતો નથી, પણ આપ કહો તે ખરું." ગુરુ બોલ્યા કે, શું અપરાધ કરીને કબૂલ કરતો નથી? તેથી શું પાપ શાંત થઈ ગયું ?” પછી સ્થૂળભદ્ર સિંહનું રૂપ કરવા વડે શ્રુતની આશાતનાનું સ્મરણ કરીને ગુરુનાં ચરણ કમળમાં પડ્યા અને બોલ્યા કે, “ફરીથી આવું કામ નહીં કે, ક્ષમા કરો." સૂરી બોલ્યા કે, “તું યોગ્ય નથી." પછી સ્થૂળભદ્ર સર્વ સંધ પાસે ગયા અને તેમને પ્રાર્થના કરી, ગુરુ પાસે મોકલી ગુરુને મનાવવા લાગ્યા. કેમ કે, "મોટાનો કોપ મોટા જ શાંત કરી શકે." સૂરીએ સંઘને કહ્યું કે, “જેમ આ સ્થૂળભદ્ર હમણાં પોતાનું રૂપ બદલ્યું તેમ બીજા પણ કરશે. વળી હવે પછી મનુષ્યો મંદ સત્ત્વવાળા થશે." તો પણ સંઘે વધારે આગ્રહથી સ્થૂળભદ્રને ભણાવવા કહ્યું, ત્યારે ગુરુએ ઉપયોગ આપ્યો, તો જાણ્યું કે, “બાકીના પૂર્વનો મારાથી અભાવ નથી, માટે આ સ્થૂળભદ્રને બાકીના પૂર્વે ભણાવું." એમ વિચારીને ગુરુએ તારે બીજા કોઈને બાકીના પૂર્વે ભણાવવા નહીં એવો અભિગ્રહ કરાવીને સ્થૂળભદ્રને સૂત્રની વાચના આપી તેથી તે ચૌદ પૂર્વના ધારણ કરનારા છેલ્લા મુનિ થયા. આર્ય સ્થૂળભદ્ર સ્વામી! મોહના ઘરમાં રહીને જેણે મોહવિજય મેળવ્યો તે મહર્ષિ ! જેના શીલવ્રતની સુરભિ સંસારને સુગંધિત કરતી રહેશે. જેમનું નામ શીલ સાધક આત્માઓ પ્રાત:કાળે પરત્માની જેમ સ્મરશે. એવા સર્વશ્રેષ્ઠ બ્રહ્મચર્યના સ્વામી સંતપુરુષ જેમનું નામ ચોરાસી ચો રસી ચોવીસી સુધી લોકો યાદ કરતા રહેશે. ધન્ય ધન્ય સ્થૂલભદ્ર! | દાન એ લક્ષ્મીની પરમ શોભા છે. , કુમાર્ગની ગીની કરતાં સુમાર્ગની પાઈ વી. નિદા છાનું અને ધીમું ઝેર છે. ET'S Sી Page #249 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] રરર શ્રી ક્ષુલ્લકકુમાર (બહોત ગઈ થોડી રહી) સાકેત નામના નગરમાં પુંડરિક નામે રાજા રાજ્ય કરતો હતો. તેને નાનો ભાઈ કંડરીક યુવરાજસ્થાને હતો. કંડરીકને યશોભદ્રા નામની અતિ રૂપવંત સ્ત્રી હતી. તે સ્ત્રી જોઈને પુંડરીક રાજા કામરાગમાં મગ્ન થયો, તેથી તેણે દાસી દ્વારા પોતાની ઇચ્છા જણાવી. યશોભદ્રાએ જવાબમાં કહેવરાવ્યું કે, "હે પૂજ્ય ! તમે સમગ્ર પ્રજાના સ્વામી છો, તેથી નીતિપંથનો ત્યાગ કરવો આપને ઉચિત નથી.” આ પ્રમાણેનું યશોભદ્રાનું વચન દાસીએ રાજાને કહ્યું, એટલે રાજાએ ફરીથી કહેવરાવ્યું કે, "હે સ્ત્રી!સ્ત્રીઓને "ના" કહેવાનો સ્વભાવ જ હોય છે, પરંતુ હે કૃશાંગી ! મશ્કરી મૂકીને મને પતિ તરીકે અંગીકાર કર." યશોભદ્રાએ કહ્યું કે, - "કુળ તથા ધર્મની મર્યાદા હું મૂકીશ નહીં, તું આવાં દુષ્ટ વચનો બોલતાં કેમ લા પામતો નથી ?" તે સાંભળી રાજાએ વિચાર્યું કે, “જ્યાં સુધી મારો ભાઈ કંડરીક જીવે છે ત્યાં સુધી આ મને ચાહશે નહીં, માટે તેને મારી નાખું.” એમ ધારીને કપટથી તેણે પોતાના નાના ભાઈને મારી નાખ્યો. ૮૩. વિધવા થયા પછી યશોભદ્રાએ વિચાર કર્યો કે, "જે દુષ્ટે પોતાના ભાઈની હત્યા કરી તે અવશ્ય મારા શીલનો પણ ભંગ કરશે, માટે મારે પરદેશ જવું યોગ્ય છે.” એમ ધારીને ગર્ભવતી એવી તે યશોભદ્રા ગુપ્ત રીતે ત્યાંથી નાસી ગઈ; અને “શીલનું રક્ષણ કરવામાં દીક્ષા જેવું બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી." એમ માનીને તેણે દીક્ષા ગ્રહણ કરી. અનુક્રમે ગર્ભ વૃદ્ધિ પામ્યો. તે જોઈને સર્વે સાધ્વી વગેરેએ તેને પૂછ્યું, ત્યારે તેણે સર્વ સત્ય વૃત્તાંત કહી બતાવ્યું. પછી શ્રાવકોએ શાસનની હેલના ન થાય તેવી રીતે તેને રાખી. સમય પૂર્ણ થતાં તેને પુત્રનો જન્મ થયો, તે શ્રાવકોના ઘરે વૃદ્ધિ પામવા લાગ્યો. શ્રાવકોએ તેનું લાલનપાલન કર્યું અને તેનું ક્ષુલ્લકુમાર નામ રાખ્યું. તે કુમાર આઠ વર્ષનો થયો ત્યારે તેને દીક્ષા આપી; પરંતુ ગારિત્રાવરણ મોહનો ઉદય થવાથી તેના ચિત્તમાં વિષયવાસના ઉત્પન્ન થઈ; એટલે તેણે પોતાની સાધ્વી માતાને કહ્યું કે, “હે માતા ! વિષયનું સુખ અનુભવીને પછી હું ફરીથી વ્રત ગ્રહણ કરીશ." તેની માતાએ કહ્યું કે, “હે પુત્ર! આવું સંયમનું સુખ તજીને તુચ્છ વિષયમાં કેમ આસક્તિ કરે છે ? જો તારે સંયમની ઇચ્છા ન હોય, તો મારા વચનથી બાર વર્ષ સુધી મારી પાસે રહીને જિનેશ્વરની વાણી સાંભળ." આ પ્રમાણે પોતાની માતાનું વચન સાંભળીને Page #250 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D રર૩ તે તેટલો વખત રહ્યો, અને પોતાની સાધ્વી માતા પાસે હંમેશાં વૈરાગ્યમય વાણી સાંભળવા લાગ્યો, પરંતુ તેના મનમાં લેશ પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો નહીં બાર વર્ષ પૂરાં થતાં તેની માતાની પાસે રજા માગી, ત્યારે તેણે કહ્યું કે, “હે પુત્ર! તું મારી ગુણી પાસે જઈને રજા લે ત્યારે તેણે મોટી સાધ્વી પાસે જઈને રજા માગી. સાધ્વીએ કહ્યું કે, "અમારી પાસે રહીને બાર વર્ષ સુધી દેશના સાંભળ." તેણે તે પણ કબૂલ કર્યું, અને તેમની પાસે રહીને અનેક સૂત્રના અર્થો સાંભળ્યા, પણ કાંઈ પ્રતિબોધ પામ્યો નહીં. અવધિ પૂરો થતાં તેણે તેમની પાસે રજા માગી કે, તમારા આગ્રહથી ઘણું કષ્ટ સહન કરીને પણ રહ્યો છું, માટે હવે હું જઈશ.” સાંભળી તેમણે કહ્યું કે, આપણા ઉપાધ્યાયજી ગુરુ છે, તેમની રજા લઈને પછી જા." ત્યારે તેણે ઉપાધ્યાયની પાસે જઈને રજા માગી. ઉપાધ્યાયે કહ્યું કે, બાર વર્ષ સુધી અમારી પાસે રહીને દેશના સાંભળ” તેણે તે પણ કબૂલ કર્યું, પરંતુ બોધ લાગ્યો નહીં. અવધિ પૂરી થતાં ઉપાધ્યાયની રજા માગી. ત્યારે તેણે કહ્યું કે, "ગચ્છના અધિપતિ સૂરી પાસે જઈને તારી ઇચ્છા કહે." તેણે તેમ કર્યું. આચાર્યે પણ પોતાની પાસે બાર વર્ષ સુધી રહેવાનું કહ્યું. એટલે તે તેટલો વખત રહીને અનેક પ્રકારની દેશના સાંભળવા લાગ્યો. આ પ્રમાણે માતા વગેરેના આગ્રહથી અડતાલીસ વર્ષ પર્યત દીક્ષાનું પાલન કર્યું તો પણ વિષયથી તેનું ચિત્ત પરાક્ષુખ થયું નહીં. પછી અવધિ પૂર્ણ થતાં તેણે સૂરીને કહ્યું કે, હું સ્વામી ! હું જાઉં છું." તે સાંભળીને સાવધ કર્મ હોવાથી સૂરી તો મૌન જ રહ્યા. ત્યારે તે પોતાની મેળે ત્યાંથી ચાલ્યો. જતી વખતે તેની માતાએ પૂર્વ અવસ્થામાં (ગૃહસ્થીપણામાં) આણેલું રત્નકંબલ તથા મુદ્રા (વીંટી) તેને આપીને લઈને અને સંયમનાં સર્વ ચિહ્ન તજીને તે અનુક્રમે સાકેતપુરની રાજ્યસભામાં સંધ્યાકાળે પહોંચ્યો. ત્યાં કોઈ નર્તકીનૃત્ય કરતી હતી તે નૃત્ય જોવામાં વ્યગ્ર ચિત્તવાળા સર્વે સભાસદો તેને વારંવાર ધન્યવાદ આપતા હતા, અને તે નર્તકીની પ્રશંસા કરતા હતા. સુલ્લક પણ તે જોઈને તેમાં તલ્લીન થઈ ગયો. રાત ઘણી વીતી ગઈ, તેવામાં નર્તકી ઘણા વખતથી નાચ કરવાને લીધે થાકી ગયેલી હોવાથી તેનાં નેત્ર નિદ્રાથી પુર્ણાયમાન થયાં.તે જોઈને તેની અક્કાએ સંગીતના આલાપમાં તેને કહ્યું સહેગાઈએ સુવા સુનિશ્ચિએ સામે સુંદરી અણુ પાલિય દીકરાઈ ઉસુમિણે તેમાં પ્રમાયએ. ભાવાર્થ: હે સુંદરી! તેં બહુ સારું ગાયન કર્યું, ઘણું સારું વગાડ્યું, અને સારી રીતે નૃત્ય કર્યું એવી રીતે ઘણી રાત્રી વ્યતીત થવા દઈને હવે થોડા માટે પ્રમાદ ન કર." આ પ્રમાણે અક્કાનું ગાયન સાંભળીને નર્તકી ફરીથી સાવધાન થઈ. અહીં લુલ્લકકુમાર તે ગાથા સાંભળી બોધ પામ્યો. તેથી તેણે તે નર્તકીને પોતાની રત્નકંબલનું ઇનામ આપ્યું, એટલે રાજપુત્રે મણિજડિત કુંડલ આપ્યાં. મંત્રીએ મુદ્રારત્ન આપ્યું. લાંબા વખતથી પતિના વિરહવાળી કોઈ સાર્થવાહની સ્ત્રીએ પોતાનો હાર આપ્યો. Page #251 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ રર૪ અને રાજાના મહાવતે અંકુશરત્ન ઇનામમાં આપ્યું. તે દરેક ઇનામ લક્ષ લક્ષ મૂલ્યના હતું; તે જોઈને રાજાએ તે સર્વેને પૂછ્યું કે, તમે આ પ્રમાણે તુષ્ટિદાન આપ્યું, તેનું શું કારણ? ત્યારે પ્રથમ ક્ષુલ્લક બોલ્યો કે, હે રાજા! હું તમારા નાના ભાઈનો પુત્ર છું. છપ્પન વર્ષ સુધી સંયમ પાળીને વિષયવાસનાથી રાજ્ય લેવા માટે હું તમારી પાસે આવ્યો હતો, પણ આ ગાથા સાંભળીને મેં વિચાર્યું કે, જિંદગીનો ઘણો ભાગ તો સંયમ ધર્મના પાલનમાં વીતી ગયો. હવે થોડા કાળ માટે પ્રમાદ કરવો મને ઉચિત નથી." આવી વૈરાગ્યની બોધક ગાથા પણ મને સાધકપણે પરિણમી; પ્રથમ ગુરુનાં સાધક વચનો પણ મને બાધક રૂપ થયાં હતાં. હવે હું ચારિત્ર પાળવામાં નિશ્ચળ થવાનો, તે કારણથી મેં મારા પર મોટો ઉપકાર કરનારી આ નર્તકીને સૌથી પ્રથમ પ્રીતિદાન આપ્યું. વળી હે રાજા! જો તને મને પોતાના નાના ભાઈના પુત્ર તરીકે ઓળખવામાં સંદેહ પામતા હો, તો તે સંદેહને છેદનારી આ નામમુદ્રા જુઓ." તે જોઈને રાજાએ ક્ષુલ્લકકુમારને કહ્યું કે, આ રાજ્ય ગ્રહણ કર" તેણે કહ્યું કે, રાજ્યાદિકમાં આસક્તિ ઉત્નન્ન કરનારો મોહ રૂપી ચોર હવે મારા આત્મપ્રદેશથી દૂર ગયો છે! માટે હું રાજ્યાદિકને શું કરું ?" પછી રાજાએ પોતાના પુત્રને પ્રતિદાનનું કારણ પૂછ્યું, એટલે તે બોલ્યો કે, "હે પિતા! રાજ્યના લોભથી આજકાલ હું તમને વિષાદિકના પ્રયોગ વડે મારી નાખવાના વિચારમાં હતો, પણ આ ગાથા સાંભળીને મેં વિચાર્યું કે, પિતા વૃદ્ધ થયા છે, માટે હવે તેમનું બહુ થોડું આયુષ્ય બાકી રહ્યું હશે, તેથી મારવા તો નહીં, એમ ધારીને હું ખુશી થયો તેથી મેં તેનું પ્રીતિદાન આપ્યું." પછી મંત્રીને પૂછતાં તેણે કહ્યું કે, “હે સ્વામી ! શત્રુઓએ મને પોતાના પક્ષમાં લીધો હતો. પણ આ ગાથા સાંભળીને હું તેવા પાપકર્મથી નિવૃત્તિ પામ્યો છું. પછી પતિના વિરહવાળી સ્ત્રીને પૂછતાં તે બોલી કે, હે પ્રભુ! આજકાલ કરતાં પતિના વિરહમાં મેં બાર વર્ષ નિર્ગમન કર્યો તો પણ તે તો આવ્યા નહીં, તેથી પુરુષનો વિરહ અસહ્ય લાગવાથી હું આજે પરપુરુષ સેવીને શીલનો ભંગ કરવા ઇચ્છતી હતી. તે આ ગાથા સાંભળવાથી પાછી શિયળમાં દઢ થઈ કે. લાંબા કાળનું પાલન કરેલું શીલ થોડા વખત માટે મૂકવું નહીં. આ કારણથી મેં પ્રસન્ન થઈને નર્તકીને પ્રીનિદાન આપ્યું છે." પછી મહાવતને તે પૂછતાં તેણે કહ્યું કે, હું આપની રાણી સાથે લુબ્ધ થયેલો છું. આજે આપનો વિનાશ કરવા ઇચ્છતો હતો, પણ આ ગાથા સાંભળીને તેવા પાપ-વિચારથી નિવૃત્ત થયો છું અને તેથી મેં તુષ્ટિદાન આપ્યું છે." આ પ્રમાણે સર્વનાં કારણો સાંભળીને રાજા વગેરે સર્વ હર્ષ પામ્યા, અને તે સર્વેએ ક્ષુલ્લકકુમારની સાથે જઈ દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે તે સ્વર્ગાદિક ગતિને પામ્યા. આ ષ્ટાંતનો સાર એ છે કે, કાળ પાક્યો હોય ત્યારે ઉપદેશ વચનની અસર થાય અને કાળ ન પાક્યો હોય ત્યારે ગમે એટલું કહેવાય પણ અસર ન થાય.” Page #252 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ રર૫ | ચારૂદત્ત ૮૪. ચંપાનગરીમાં ભાનુ નામે શ્રેષ્ઠી રહેતો હતો, તેને ચારુદત્ત નામે પુત્ર હતો, તે યૌવનને પ્રાપ્ત થયો એટલે પિતાએ યોગ્ય કન્યા સાથે પરણાવ્યો પણ કોઈ કારણને લઈને વૈરાગ્ય આવવાથી તે વિષયથી વિરક્ત થઈ પોતાની સ્ત્રી પાસે પણ જતો નહીં. આથી તેના પિતાએ ચાતુર્ય શીખવવાને માટે તેને એક ગણિકાને ઘેર મોકલ્યો. ચારુદત્ત હળવે હળવે તે ગણિકા પર આસક્ત થયો. છેવટે તેણે વેશ્યાના પ્રેમને વશ થઈ પોતાનું ઘર પણ છોડી દીધું અને બાર વર્ષ સુધી વેશ્યાને ઘેર રહ્યો. એક વખત તેના પિતા ભાનુ શ્રેષ્ઠીનો અંત સમય આવ્યો, એટલે તેણે પુત્રને બોલાવી કહ્યું કે, હે વત્સ! તેં જન્મથી માંડીને મારું વચન માન્યું નથી પણ હવે આ છેવટનું એક વચન માનજે. તે એ કે જ્યારે તને સંકટ પડે ત્યારે નવકાર મંત્રને સંભારજે." આ પ્રમાણે કહી તેના પિતા મૃત્યુ પામ્યા. થોડા દિવસ પછી તેની માતા પણ મૃત્યુ પામી. ચરુદત્તે દુર્વ્યસનથી માતાપિતાની સર્વ લક્ષ્મી ઉડાવી દીધી. ચારુદત્તની સ્ત્રી તેના પિતાને ઘેર ચાલી ગઈ. અહીં જ્યારે ધન ખૂટી ગયું ત્યારે સ્વાર્થી વેશ્યાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો, એટલે તે સસરાને ઘેર આવ્યો, સાસરેથી થોડું ધન લઈ કમાવા માટે વહાણે ચડ્યો. દૈવયોગે વહાણ ભાંગ્યું, પણ પુયોગે પાટિયું મેળવી કુશળક્ષેમ કિનારે આવ્યો. ત્યાંથી પોતાના મામાને ઘેર ગયો, ત્યાંથી દ્રવ્ય લઈ કમાવા માટે પગ રસ્તે ચાલ્યો. માર્ગમાં ધાડ પડી એટલે સઘળું ધન ચોર લઈ ગયા. પાછો દુ:ખી થઈ પૃથ્વી પર ભટકવા લાગ્યો. એવામાં કોઈ યોગી મળ્યો. તેણે અર્ધઅર્ધ ભાગ ઠરાવી રસકૂપિકામાંથી રસ લેવાને માંચી ઉપર બેસાડીને તેને કૂપિકામાં ઉતાર્યો. રસનો કુંભ ભરીને ઉપર આવ્યો. એટલે કુંભ લઈને યોગીએ માંચી કૂપિકામાં નાખી દીધી. ચારુદત્ત કૂવામાં પડ્યો ને યોગી નાસી ગયો. ત્યાં કોઈ મૃત્યુ પામતા પુરુષને તેણે નવકાર મંત્ર સંભળાવ્યો. ત્રીજે દિવસે ચંદન ઘો ત્યાં રસ પીવા આવી ત્રણ દિવસનો સુધાતુર ચારુદત્ત તેને પૂછડે વળગીને ઘણા કષ્ટ બહાર નીકળ્યો. આગળ ચાલતાં તેના મામાનો પુત્ર રુદ્રદત્ત તેને મળ્યો. રુદ્રદત્તે કહ્યું કે, “બે ઘેટાં લઈને આપણે સુવર્ણદ્વીપે જઈએ.” ચાદરે હા પાડી એટલે બે ઘેટાં લઈને તેઓ સમુદ્રને તીરે આવ્યા. પછી રુદ્રદત્તે કહ્યું કે, “આ બે ઘેટાંને હણીને તેના ચર્મની અંદર છરી લઈને પેશીએ. અહીં ભારડ પક્ષી આવશે. તે માંસની ૧૫ Page #253 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | રર૬ બુદ્ધિથી આપણને ઉપાડીને સુવર્ણદ્વીપે લઈ જશે, એટલે આપણે ચામડાને છેદી બહાર નીકળીને ત્યાંથી સુવર્ણ લાવીશું. ચારુદત્ત બોલ્યો કે, એ વાત ખરી પણ આપણા જીવનો વધ કેમ થાય ?" એટલામાં તો રુદ્રદત્તે શસ્ત્રનો ઘા કરીને એક ઘેટાને કાર નાખ્યો. પછી જેવો બીજાને મારવા જાય છે તેવો ચારદત્તે ઘેટાને નવકારમંત્ર સંભળાવ્યો ઘેટાએ અનશનવ્રત ગ્રહણ કર્યું. પછી બંને જણા તે ઘેટાના ચર્મની ધમણમાં પેઠા એટલે ભાડ પક્ષી તે ધમણ લઈને આકાશે ઊડ્યું. માર્ગમાં બીજું ભાખંડ પક્ષી મળવાથી તેની સાથે યુદ્ધ થતાં તેના મુખમાંથી ચારુદત્તવાળી ધમણ પડી ગઈ. ધમણ સહિ, ચારુદત્ત એક સરોવરમાં પડ્યો. તેમાંથી બહાર નીકળીને તે ઠેકાણે ઠેકાણે ભમવા લાગ્યો. અનુકમે એક ચારણ મુનિ તેના જોવામાં આવ્યા. મુનિને નમીને તે પાસે બેઠો. મુનિ બોલ્યા : રે ભદ્ર ! આ અમાનુષ સ્થળમાં તું ક્યાંથી આવ્યો ?" તેણે પોતાનું સં" દુ:ખ જણાવ્યું, એટલે મુનિરાજે છઠું વ્રત વર્ણવી બતાવ્યું. કોઈ પણ દિશામાં અમુક યોજનથી આગળ જવું નહીં. આ વ્રત પાળવાથી તે તે દિશામાં ભાવિ અનેક પાપોથી બચી જવાય છે. ચારુદ પ્રીતિથી તે દિગ્વિરતિ વ્રત ગ્રહણ કર્યું. આ અરસામાં કો દેવે ત્યાં આવી પ્રથમ ચાદરને અને પછી મુનિને વંદના કરી તે સમયે કોઈ જ વિદ્યાધર તે મુનિને વાંદવા આવ્યા હતા. તેમણે પેલા દેવને પૂછ્યું કે, હે દેવ ! તમે સાધુને મૂકીને પ્રથમ આ ગૃહસ્થને કેમ નયા ?” દેવ બોલ્યા કે, "પૂર્વે પિપ્પલાદ નામ બ્રહ્મર્ષિ ઘણા લોકોને યજ્ઞ કરાવી, પાપમય શાસ્ત્રો પ્રરૂપીને નરકે ગયા હતા. ને પિપ્પલાદ. ઋષિ નારકીમાંથી નીકળીને પાંચ ભવ સુધી બકરા થયા. તે પાંચે ભવમાં યજ્ઞમાં જ હોમાયા. છ ભવે પણ બકરો થયા, પરંતુ તે ભવમાં આ ચાદરે અનશન કરાવી નવકાર મંત્ર સંભળાવ્યો. તેના મહિમાથી મૃત્યુ પામીને તે સ્વર્ગે ગયા. તે હું કેવ ઇ; અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણીને આ મારા ગુરુએ આપેલા નવકારમંત્રનો મહિમા કહેવા અને ઉપકારી ગુરુને વાંદવાને હું અહીં આવ્યો છું. પૂર્વના મારા પરના ઉપકારથી પ્રથમ તેને વંદન કરીને પછી સાધુને વંદના કરી છે." આ પ્રમાણેની હકીકત સાંભળીને ચાદરે વૈરાગ્ય પામીને દીક્ષા ગ્રહણ કરી અને અનેક પ્રકારની તપસ્યા કરીને તે સ્વગયો. "જેમ પૂર્વે ચાદરે દિવિરતિ વ્રત લીધેલું ન હોવાથી અનેક સ્થાને ભમી ભમીર દુઃખી થયો, તેમ જે પ્રાણી વ્રત ગ્રહણ નહીં કરે તે દુ:ખી થશે, તેથી ભવ્ય પ્રાણીઓ દિગ્વિરતિ વ્રત અવશ્ય ગ્રહણ કરવું. નોંધ : દિગ્વિરતિ વ્રત એટલે નક્કી કરેલી સીમાથી બહાર ન જવું. Page #254 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D રર૭ | શ્રી મૃગાપુત્ર (લોઢિયા ૮૫. શ્રી વિરપ્રભુ પૃથ્વીને પવિત્ર કરતા કરતા મૃગ નામના ગામના ઉધાનમાં સમવસર્યા. પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિ પ્રભુની આજ્ઞા લઈને મૃગ ગામમાં ગોચરીએ ગયા. ત્યાંથી એષણીય અનાદિ લઈ પાછા ફરતા ફરતા ગામમાં એક અંધ અને વૃદ્ધ કોઢીઆને જોયો. તેના મુખ ઉપર માખીઓ બણબણી રહી હતી, અને તે પગલે પગલે અલિત થતો હતો. એવા દુઃખના ઘર રૂપ તેને જોઈને ગૌતમ સ્વામીએ (શ્રી ઇન્દ્રભૂતિ) પ્રભુની પાસે આવીને પૂછ્યું કે, હે ભગવન્! આજે મેં એક એવા મહા દુ:ખી પુરુષને જોયો છે કે, તેના જેવો વિશ્વમાં કોઈક જ દુ:ખી હશે !" પ્રભુ બોલ્યા, હે ગૌતમ ! એને કાંઈ મોટું દુઃખ નથી. આજ ગામમાં વિજય રાજાની પત્ની મૃગાવતી નામે રાણી છે, તેનો પ્રથમ પુત્ર લોઢિયાના જેવી આકૃતિવાળો છે, તેના દુ:ખની આગળ આનું દુ:ખ કાંઈ જ નથી. એ મૃગાપુત્ર મુખ, નેત્ર અને નાસિકાદિકે રહિત છે. તેના દેહમાંથી દુર્ગધી રૂધિર અને પરૂ શ્રવ્યા કરે છે, તે જન્મ લીધા પછી સદા ભૂમિગૃહમાં જ રહે છે.” આ પ્રમાણે સાંભળી ગૌતમસ્વામી આશ્ચર્ય પામ્યા અને પ્રભુની આજ્ઞા લઈ કર્મના વિપાકની ભયંકરતાને જોવાની ઇચ્છાએ રાજાને ઘેર ગયા. રાજપત્ની મૃગાવતી ગણધર મહારાજને અચાનક આવેલા જોઈ બોલી, હે ભગવાન ! તમારું દુર્લભ આગમન અકસ્માત કેમ થયું છે ?" ગણધર ભગવંત બોલ્યા મૃગાવતી ! પ્રભુના વચનથી તારા પુત્રને જોવા માટે આવ્યો છું. રાણીએ તરત જ પોતાના સુંદર આકૃતિવાળા પુત્રો બતાવ્યા, એટલે ગણધર બોલ્યા હે રાજપત્ની ! આ સિવાય તારા જે પુત્રને ભૂમિગૃહમાં રાખ્યો છે તે બતાવ." મગાવતી બોલી કે, "ભગવાન ! મુખે વસ્ત્ર બાંધો અને ક્ષણ વાર રાહ જુઓ કે જેથી હું ભૂમિગૃહ ઉઘડાવું ને તેમાંથી કેટલીક દુર્ગધ નીકળી જાય તેમ કરું." પછી ક્ષણ વારે મૃગાવતી ગૌતમ સ્વામીને ભૂમિગૃહમાં લઈ ગઈ. ગૌતમ સ્વામીએ નજીક જઈને મૃગાવતીના પુત્રને જોયો. તે પગના અંગૂઠા હોઠ, નાસિકા, નેત્ર, કાન અને હાથ વગરનો હતો; જન્મથી નપુંસક, બધિર અને મૂગો હતો, દુસ્સહ વેદના ભોગવતો હતો, જન્મથી માંડીને શરીરની અંદરથી આઠ નાડીમાંથી અને બહારની આઠ નાડીમાંથી રુધિર તથા પરૂ આવ્યા કરતું હતું. જાણે મૂર્તિમાન પાપ હોય તેવા તે લોઢકાકૃતિ પુત્રને જોઈ ગણધર બહાર નીકળ્યા. Page #255 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | રર૮ અને પ્રભુની પાસે આવીને પૂછ્યું કે, “હે સ્વામી ! આ જીવ ક્યા કર્મથી નારકીના જેવું દુ:ખ ભોગવે છે ?" પ્રભુ બોલ્યા : “શતતાર નામના નગરમાં ધનપતિ નામના રાજાને અકખાઈ રાઠોડ (રાષ્ટ્રકૂટ) નામે એક સેવક હતો. તે પાંચસો ગામનો અધિપતિ હતો. તેને સાતે વ્યસન સેવવામાં ઘણી આસક્તિ હતી. તે ઘણા આકરા કરોથી લોકોને પીડતો હતો, અને કાન, નેત્ર વગેરે છેદીને લોકોને હેરાન કરતો હતો. એક વખતે તેના શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે - શ્વાસ, ખાંસી, જવર, દાહ, પેટમાં શૂળ, ભગંદર, હરષ, અજીર્ણ, નેત્રભ્રમ, મુખે સોજા, અન્ન પર ટ્રેષ, નેત્રપીડ, ખૂજલી, કર્ણ વ્યાધિ, જલોદર અને કોઢ, કહ્યું છે કે : “દુષ્ટ, દુર્જન, પાપી, ક્રૂર કર્મ કરનાર અને અનાચારમાં પ્રવર્તનારને તે જ ભવમાં પાપ ફળે છે. તે રાઠોડે બ્રેધ અને લોભને વશ થઈ અનેક પાપો કર્યો. તેણે પોતાનો બધો કાળ પાપ કરવામાં જ ગુમાવ્યો એવી રીતે અઢીસો વર્ષનું આયુષ્ય ભોગવી, મરણ પામીને પહેલી નરકે ગયો. ત્યાંથી નીકળીને અહીં મૃગાવતીના પુત્રપણે ઉત્પન્ન થયો છે. તેને મુખ ન હોવાથી તેની માતા રાબ કરીને તેના શરીર ઉપર રેડે છે. તે આહાર રોગના છિદ્ર દ્વારા અંદર પેસી પરૂ અને રૂધિરપણાને પામીને પાછો બહાર નીકળે છે, આવા મહા દુ:ખ વડે બત્રીશ વર્ષનું આયુષ્ય પૂરું કરી મરણ પામીને આજ ભરત ક્ષેત્રમાં વૈતાઢ્ય સમીપે સિંહ થશે. ત્યાંથી મરણ પામીને ફરી વાર પહેલી નરકે જશે. ત્યાંથી સર્પળિયા (નોળિયા)પણાને પામી બીજી ન જશે. એમ એક ભવને આંતરે સાતમી નરક સુધી જશે. પછી મચ્છપાઈ પામશે. પછી સ્થળચર જીવોમાં આવશે. પછી ખેચરપક્ષી જાતિમાં ઊપજશે. પછી ચતુરિંદ્રિય, વિઇદ્રિય અને બેઇંદ્રિયમાં આવશે. પછી પૃથ્વી વગેરે પાંચે થાવરમાં ભમશે. એવી રીતે ચોરાશી લાખ યોનિમાં વારંવાર ભમી અકામનિર્જરાએ લઘુકર્મી થવાથી પ્રતિષ્ઠાનપુરે એક શ્રેષ્ઠીને ઘેર પુત્ર પણે ઊપજશે. ત્યાં સાધુના સંગથી ધર્મ પાળી મરણ પામીને દેવતા થશે. ત્યાંથી આવી અનુક્રમે સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે શ્રી વીર પ્રભુએ ગૌતમ સ્વામીને લોઢકનો સંબંધ કહ્યો. આ કથા વાંચીને સૌ મહાનુભાવો ચરાચર જીવોની હિંસા કરવાથી દૂર રહે અને સતત જીવદયા • અહિંસા ધર્મના આચરણમાં રક્ત બને. Page #256 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ રર૯ શ્રીકાન્ત શ્રેષ્ઠી ૮૬. | રાજગૃહી નગરીમાં શ્રીકાંત નામે એક શ્રેષ્ઠી હતો. તે દિવસે વ્યાપાર કરે અને રાત્રે ચોરી કરે. એક વખતે બારવ્રતને ધારણ કરનાર જિનદાસ નામે કોઈ શ્રાવક તે નગરીમાં આવ્યો. શ્રીકાન્ત શેઠે તેને ભોજન માટે આમંત્રણ આપ્યું. જિનદાસે કહ્યું કે, "જેની આજીવિકાના પ્રકાર મારા જાણવામાં ન હોય તેને ઘેર હું ભોજન કરતો નથી.” શ્રીકાને કહ્યું. હું શુદ્ધ વ્યાપાર કરું છું." જિનદાસે કહ્યું, "તમારા ઘરખરચ પ્રમાણે તમાસે વ્યાપાર જોવામાં આવતો નથી; માટે સત્ય હોય તે કહો.” પછી “શ્રીકાંતે જિનદાસ પારકું ગુહ્ય પ્રકટ કરે એમ નથી" એવી ખાતરી થવાથી પોતાના વ્યાપારની અને ચોરીની સત્ય વાત કહી. ત્યારે જિનદાસે કહ્યું, “હું તમારે ઘેર ભોજન કરીશ નહીં, કારણ મારી બુદ્ધિ પણ તમારા આહારથી તમારા જેવી થાય." શ્રીકાંતે કહ્યું, “ચોરીના ત્યાગ વિના જે તમે કહો તે હું ધર્મ કરું." જિનદાસે કહ્યું કે અત્યારે તમે પ્રથમ અસત્ય બોલવું નહીં, તે વ્રત ગ્રહણ કરો. અસત્ય વિષે કહ્યું છે કે, ત્રાજવામાં એક તરફ અસત્યનું પાપ રાખ્યું અને બીજી તરફ બીજાં બધાં પાપો રાખ્યાં, તો પણ અસત્યનું પા૫ અધિક થયું. જે કોઈ શિખાધારી, મુંડી, જટાધારી, દિગંબર કે વલ્કલધારી થઈ લાંબો વખત તપસ્યા કરે તે પણ જો મિથ્યા બોલે તો તે ચંડાળથી પણ નિંદવા યોગ્ય થાય છે. વળી અસત્ય તો અવિશ્વાસનું કારણ છે અને સત્ય વિશ્વાસનું મૂળ કારણ છે તથા સત્યનું અચિંત્ય માહાસ્ય છે. લોકમાં પણ કહેવાય છે કે, દ્રૌપદીએ સત્ય બોલવાથી આમ્રવૃક્ષને નવપલ્લવિત કર્યું હતું. તે વાર્તા નીચે પ્રમાણે : હસ્તિનાપુરના રાજા યુધિષ્ઠિરના ઉદ્યાનમાં માઘ માસના વિષે એકદા અદ્યાસી હજાર ઋષિઓ આવ્યા. રાજાએ તેમને ભોજનને માટે નિમંત્રણ કર્યું. ત્યારે તેઓ બોલ્યા કે હે રાજન ! જો તમે આમ્રરસથી ભોજન કરાવો તો અમે જમીશું, નહીંતર નહીં જમીએ." એ સાંભળી રાજા યુધિષ્ઠિર ચિંતામાં પડ્યા કે, “આ આમની તુ નથી, તો અકાળે આપ્રફળ શી રીતે મળી શકે તેવામાં અકસ્માત નારદ મુનિ આવી ચડ્યા. તેણે રાજાની ચિંતા જાણીને કહ્યું કે, જો તમારાં પટરાણી દ્રૌપદી સભામાં આવી, પાંચ સત્ય બોલે તો અકાળે પણ આમ્રવૃક્ષ ફળે." રાજાએ તે વાત અંગીકાર કરી, દ્રૌપદીને Page #257 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૩૦ સભામાં બોલાવ્યાં. નારદે સતીને પૂછ્યું કે, "હે સતી ! પાંચ પતિથી સંતોષ ધરાવનારાં એવાં તમે સતીપણું, સંબંધ, શુદ્ધપણું, પતિના પ્રેમ અને મનમાં સંતોષ એ પાંચ બાબત સંબંધી જે સત્ય હોય તે કહો.” દ્રૌપદી અસત્યથી ભય પામીને જે સ્ત્રીઓનું ગુહ્ય હતું તે સત્ય સત્ય રીતે કહેવા લાગ્યાં : "હે મુનિ ! રૂપવાન, શૂરવીર અને ગુણી એવા મારે પાંચ પતિઓ છે, તથાપિ કોઈ વાર છઠ્ઠામાં મન જાય છે. હે નારદ ! જ્યાં સુધી એકાંત, યોગ્ય અવસર અને કોઈ પ્રાર્થના કરનાર મળે નહીં ત્યાં સુધી જ સ્ત્રીઓનું સતીપણું છે. સ્વરૂપવાન પુરુષ પિતા, ભ્રાતા કે પુત્ર હોય તો તેને પણ જોઈને કાચા પાત્રમાંથી જલની જેમ સ્ત્રીઓનાં ગુપ્તાંગો ભીંજાયા કરે છે. હે નારદ ! જેમ વર્ષા ઋતુનો સમય કષ્ટદાયક છે, તથાપિ આજીવિકાનું કારણ હોવાથી સર્વને વહાલો લાગે છે તેમ ભરથાર ભરણપોષણ કરે છે તેથી સ્ત્રીને વહાલો લાગે છે, કાંઈ પ્રેમથી વહાલો લાગતો નથી. સરિતાઓથી સમુદ્ર તૃપ્ત થતો નથી અને સર્વ પ્રાણીઓથી યમરાજ તૃપ્ત થતો નથી, તેમ પુરુષોથી સ્ત્રી તૃપ્ત થતી નથી. હે નારદ ! સ્ત્રી અગ્નિના કુંડ સમાન છે, તેથી ઉત્તમ જનોએ સ્ત્રીઓનો સંસર્ગ છોડી દેવો. આ પ્રમાણે દ્રૌપદી પાંચ સત્ય બોલી, તેમાં પ્રથમ સત્યે આંબાને અંકુર થયા. બીજે સત્યે પલ્લવ થયાં, ત્રીજે સત્યે ટીસીઓ થઈ, ચોથે સત્ય મંજરી થઈ અને પાંચમા સત્યે પાકાં મધુર ફળ થઈ ગયાં. તે જોઈ સર્વ સભાસદો પ્રશંસા કરવા લાગ્યા, પછી તે આમ્રના રસ વડે યુધિષ્ઠિરે સર્વ મુનિઓને પારણું કરાવ્યું. આ પ્રમાણે સત્ય વચનનો મહિમા લોકમાં અને શાસ્ત્રમાં વર્ણવેલો છે. એથી હે શ્રીકાંત શેઠ !! તમે પણ તે સત્ય વ્રત સ્વીકારો." આ પ્રમાણે સાંભળી શ્રીકાંતે સત્ય વ્રત સ્વીકાર્યું. જિનદાસે કહ્યું “શ્રેષ્ઠી જીવનની જેમ આ વ્રત યાવજિવ પાળજો." શ્રીકાંતે કહ્યું કે, "રાય જાઓ અને આ નાશવંત પ્રાણ પણ જાઓ, પણ મારી વાચા ન જાઓ. આવું નીતિનું વચન છે, તેથી મેં જે વ્રત લીધું છે તેનો હું કદી પણ ભંગ કરીશ નહીં." હવે શ્રીકાંત શેઠે આ વ્રત ગ્રહણ કર્યું. તથાપિ તેનો ચોરીનો સ્વભાવ તો ગયો નહોતો. તેથી એક વખતે શ્રીકાંત શેઠ ચોરી કરવા ગયો. ત્યાં માર્ગે નગરચર્ચા જોવા નીકળેલા શ્રેણિક રાજા અને અભયકુમાર મળ્યા. તેમણે શ્રીકાંતને પૂછ્યું કે, "તું કોણ છે ?” તેણે કહ્યું, “હું પોતે છું.” ફરી પૂછ્યું કે તું ક્યાં જાય છે ?" શ્રીકાંતે કહ્યું કે, “રાજાના ભંડારમાં ચોરી કરવાને જાઉં છું.” પુન: પૂછ્યું કે “તું ક્યાં વસે છે ?" શ્રીકાંતે કહ્યું કે, "અમુક પાડામાં. વળી પૂછ્યું કે, "તારું નામ શું ?” શ્રીકાંતે કહ્યું કે, "મારું Page #258 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૩૧ નામ શ્રીકાંત છે. તે સાંભળીને શ્રેણિક તથા અભયકુમાર આશ્ચર્ય પામ્યા કે, “ચાર આવી રીતે સાચું કહે નહીં,” માટે આ ચોર જણાતો નથી.” પછી તેઓ આગળ ચાલ્યા. પાછા વળતાં પેલો શ્રીકાંત રાજાના ભંડારમાંથી પેટી લઈને જતો હતો. તેને પાછી શ્રેણિક તથા અભયકુમાર મળ્યા. તેણે પૂછ્યું કે, “આ શું લીધું છે ?" શ્રીકાંતે કહ્યું કે, રાજાના ભંડારમાંથી આ રત્નની પેટી લઈને ઘેર જાઉં છું." આવું તેનું વાક્ય સાંભળી તેઓ રાજમહેલમાં ગયા. પ્રાત:કાળે ભંડારીએ ભંડારમાં ચોરી થયેલી જાણી, બીજી પણ કેટલીક વસ્તુઓ આઘીપાછી કરીને પછી પોકાર કરી કોટવાલને તિરસ્કાર સાથે ભંડારમાં ચોરી થયાનું કહ્યું. તે વાતની રાજાને ખબર થઈ એટલે તેણે ભંડારીને બોલાવીને કહ્યું કે, "કોશમાંથી શું શું ગયું છે?” ભંડારીએ કહ્યું કે, "રત્નની દશ પેટીઓ ગઈ છે." પછી રાજાએ મંત્રી સામું જોઈ પેલા શ્રીકાંતને બોલાવ્યો અને પૂછ્યું કે, રાત્રે તેં શું ચોર્યું છે? તે પૂછતાં જ શ્રીકાંતે જાણ્યું કે રાત્રે જે બે જણ મળ્યા હતા તે જ આ છે. તેથી તેણે કહ્યું કે, સ્વામિન્ ! તમે શું ભૂલી ગયા, તમારા દેખતાં જ હું મારી આજીવિક માટે એક પેટી લઈને જતો હતો.” શ્રેણિક રાજાએ કહ્યું કે, “અરે ચોર ! તું મારી પાસે પણ સાચું બોલતાં કેમ ભય પામતો નથી ?" શ્રીકાંત બોલ્યો કે, "મહારાજ ! પ્રાજ્ઞ પુરુષોએ પ્રમાદથી પણ અસત્ય ન બોલવું જોઈએ, કેમ કે અસત્ય બોલવાથી પ્રચંડ પવન વડે વૃક્ષની જેમ કલ્યાણ (સુકૃત)નો ભંગ થઈ જાય છે. વળી તમે ઘેધ પામો તો આ લોકમાં એક ભવના સુખનો નાશ કરો, પણ જો સત્ય વ્રતનો ભંગ કરું તો અનંત ભવમાં મને દુઃખ પ્રાપ્ત થાય." આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળી રાજા શ્રેણિકે તેને શિક્ષા દીધી કે, "જેવું આ બીજું સત્ય વ્રત પાળે છે, તેવી રીતે બીજાં વ્રત પણ પાળ" શ્રીકાંતે તે સ્વીકાર્યું. એટલે રાજાએ જૂના ભંડારીને રજા આપીને તે પદવી ઉપર શ્રીકાંતને રાખ્યો. અનુકમે તે મહાવીર સ્વામીના શાસનનો શ્રાવક થયો. આ પ્રમાણે શ્રીકાંત ચોરે જિનદાસ શ્રાવકના વાક્યથી ઢતા વડે સત્ય વચનરૂપ બીજું વ્રત લીધું તેવું પાળ્યું તો તેથી આ લોકમાં જ ઇષ્ટફળ પ્રાપ્ત કર્યું તેથી ભવ્ય પ્રાણીઓએ જરૂર સત્યવ્રત ગ્રહણ કરવું. જો રાગ અને દ્વેષ હોય તો જ અસત્ય બોલાય છે. સત્ય વચન વખતે તે બંનેનો અભાવ છે. Page #259 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ર૩ર વૃદ્ધવાદીસૂરી અને સિદ્ધસેન દિવાકરસૂરી ૮૭. વિદ્યાધર ગરછે શ્રીપાદલિપ્તસૂરીના શિષ્ય સ્કંદીલાચાર્યની પાસે કુમુદ નામના વિષે વૃદ્ધપણે દીક્ષા લીધી, તેથી તેને વિદ્યા મોઢે ચડતી નહોતી તેથી તે મોટા અવાજથી (ઘાંટા પાડી) રાત્રીના વખતે ગોખતો હતો, જેથી ગુરુમહારાજે તેને નિષેધ કર્યો કે, રાત્રી વખતે મોટા અવાજથી બોલવું નહીં. તથાપિ તે દિવસે પણ મોટા અવાજથી ગોખતો હતો, તેથી શ્રાવકોએ કહ્યું કે, આ ઘાંટા પાડીને આખો દિવસ ગોખ ગોખ કરે છે તે શું મુશળ ફલાવશે? આ વચનથી તે ઘણો જ શરમાઈ ગયો. પછી તેણે સરસ્વતી દેવીનું આરાધન કર્યું. એકવીસમાં ઉપવાસે તેને સરસ્વતી દેવી પ્રસન્ન થઈ અને વરદાન આપ્યું કે, "સર્વ વિઘા પારગામી થઈશ. તું જેમ કહીશ તેમ તને હું કરી આપીશ.” આ પ્રમાણે સરસ્વતી વરદાન આપી ગઈ. ત્યાર પછી તેણે ચૌટામાં જઈ એક મુશળ લાવી વચ્ચોવચ્ચ ઊભું કર્યું અને હાથમાં પાણીની અંજલી લઈ નીચે પ્રમાણે મંત્ર બોલ્યો: હે સરસ્વતી દેવી!અમારા સરખા જડભરત પણ જોવાદી જેવા વિદ્વાન તારા પસાયથી થાય તો આ મુસલ ફુલાવી દે." આ મંત્ર ભણ તેણે મુશળ ઉપર પાણીની અંજલી છાંટી કે તરત જ સરસ્વતી દેવીએ તે મુશળને ફુલાવી દીધું અર્થાત્ તે નવપલ્લવિત બની ગયું. એટલે એ સૂકા લાકડાને પણ તરત જ પાન, ફલ, ફળ, ડાળ, થડ અને મૂળ બધાં બની ગયા. આબેહૂબ (લીલું ઝાડ) દેખીને બધા લોકો ઘણા વિસ્મિત થયા. (આ વાત ચોતરફ ફેલાઈ તેથી તેમનું વાદીપણું સર્વત્ર પ્રસિદ્ધ પામ્યું). આ વાદી એવા તો વિદ્વાન બન્યા કે એમની આગળ કોઈ પણ વાદી વાદ કરવા સમર્થ થઈ શક્યો નહીં. એવી તેમની પ્રતિષ્ઠા ચોતરફ જામી ગઈ. પછી ગુરુએ પણ તેમને આચાર્યપદ આપ્યું, જેથી તેમનું નામ વૃદ્ધવાદીસૂરી" થયું. આ સમયે ઉજજૈનીમાં વિક્રમાદિત્ય રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં રાજમાનીતો દેવર્ષિ નામનો વિપ્ર હતો. તેની દેવશ્રી નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલો સિદ્ધસેન નામે પુત્ર હતો. એ રાજ્યમાં મોટો પંડિત ગણાતો, એટલું જ નહીં પણ તે પોતાની બુદ્ધિના બળથી અને મિથ્યાત્વના ઉદયથી એટલો બધો અભિમાની હતો કે આખા જગતને એક તણખલાની તોલે માનતો. સિક્સેન અભિમાનથી એવું કહેતો કે, “જે કોઈ પણ વાદી મને વાદમાં જીતી Page #260 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૩૩ લે તો હું તેનો ચેલો થઉં." આવી પ્રતિજ્ઞા ધારણ કરતો તે સર્વત્ર ફરતો હતો. તેવામાં તેણે વૃદ્ધવાદીસૂરીની કીર્તિ સાંભળી; તેથી તેના પર ઈર્ષા ધરતાં તેમને જીતવા માટે તેઓની સન્મુખ ચાલ્યો. ભરૂચ પાસેના ગ્રામે તેને વૃદ્ધવાદીસૂરી મળ્યા. પરસ્પર વાતચીત કરતાં સિદ્ધસેને વાદ કરવાની માગણી કરી. વૃદ્ધવાદીએ કહ્યું કે, વાદ કરવાની મારી ના નથી, પણ અહીંયાં સાક્ષી અને ન્યાય તોલનાર કોણ છે? કોઈ નથી. તેથી આપણામાં જય પરાજયનો નિર્ણય કોણ કરશે? અભિમાનથી ઉદ્ધત થયેલા સિદ્ધસેને કહ્યું કે, આ વગડાના ગોપાળો (ગોવાળિયા) આપણા સાક્ષી છે. આપણે વાદ ચાલવા ઘો. વૃદ્ધવાદીએ કહ્યું કે, જ્યારે એમ જ છે ત્યારે પહેલાં પૂર્વ પક્ષ તમે જ ઉઠાવો." પછી સિદ્ધસેને તરત જ તર્કથી કઠોર વાક્યો વાળાં આડાઅવળાં કેટલાંક પદો ઉચ્ચાર્યા. તેથી ગોવાળિયાઓ કંટાળી ગયા અને બોલી ઊડ્યા કે, અરે ! આ તો અમથો બબડાટ કરે છે? કંઈ સમજવામાં તો આવતું નથી એ તો ફોકટ ભેંસોની પેઠે બરાડા પાડે છે. માટે ધિક્કાર છે એને." પછી વૃદ્ધવાદીના ભણી જોઈ ગોવાળિયા બોલ્યા, “અલ્યાભાઈ ડોહા, કાનને મઝા આવે એવું તું કંઈ જાણતો હોય તો બોલ ને? સાંભળીએ તો ખરા!" ત્યારે વૃદ્ધવાદીસૂરિ તાળીઓ વગાડતા અને નાચતા બોલ્યા કે, નવી મારિયે નવિ ચોરિયે પરદાર ગમન નિવારિયે થોવું થોડં દાઈએ તો સગ્ય ટગ ટગ જાઈએ (૧) ઘઉં ગોરસ ગોરડી ગજ ગુણિયલ ને ગાન છ ગગ્ગા જો ઇહીં મળે તો સગ્ગહનું શું કામ. (ર) ચૂડો ચમરી ચૂનડી ચોળી ચરણો ચીર છ ચચ્ચે સોહે સદા સતી તણું શરીર. (3) વૃદ્ધવાદીનું આવું રળિયામણું ગાયન સાંભળી ગોવાળો ઘણા રાજી થયા. અને બધા સાથે નાચવા તથા તાળીઓ પાડી ગાયનમાં સૂર પુરાવવા લાગ્યા, અને ગાયન થઈ રહ્યા પછી વગર પૂછે બધા બોલી ઊઠ્યા કે, “આ ગરવ વેસાએ આ જવાનિયાને જીત્યો જીત્યો જીત્યો," એમ કહી તાળીઓ પાડવા લાગ્યા. આથી સિદ્ધસેન તો ઝાંખો પડી ગયો. તેને વૃદ્ધવાદીએ કહ્યું કે, “ડરીશ નહીં આ પાસે ભરૂચ નગરમાં રાજસભા છે ત્યાં ઘણા પંડિતો Page #261 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ! ર૩૪ પણ છે, ત્યાં આપણે વાદ કરીશું, અને તેમાં જે બને તે ખરું." એમ કહી ભરૂચ ગયા. ત્યાં રાજસભામાં પણ વૃદ્ધવાદી જ જીત્યા અને સિદ્ધસે હાર્યો, જેથી સત્ય પ્રતિજ્ઞાવાળા સિને વૃદ્ધવાદી પાસે જૈન દીક્ષા અંગીકાર કરી યોગ્યતા થવાથી તેને દિવાક નામનું બિરુદ મળ્યું, તેથી ગુરુએ તેને આચાર્યપદ સમર્પણ કર્યું. પછી તેઓ ઘણા જીવોને પ્રતિબોધ આપતા ઉજજૈણીએ આવ્યા. એટલે ન દરમાં આ તો "સર્વજ્ઞ પુત્ર છે એવો ઘોષ થવા લાગ્યો. તેથી વિક્રમાદિત્યે તેનું સર્વજ્ઞપાનું જોવા પાસે આવી મનથી જ નમસ્કર ક્મ. સિદ્ધસેનસૂરીએ જ્ઞાનથી પામી જઈને તરત જ તેને બધાં સાંભળે તેમ ધર્મલાભ" દીધો. વિક્રમાદિત્ય બોલ્યા, “નમસ્કાર કર્યા વગર ધર્મલાભ શાનો કહો છો?" ગુરુએ કહ્યું કે, તે મનમાં નમસ્કાર કર્યા. તેથી અમે "ધર્મલાભ દીધો છે. અમારો ધર્મલાભ અમસ્તો નથી, જો સાંભળો દીર્ધાયુ થાઓ એમ આશીર્વાદ આપીએ તે કંઈ યોગ્ય લાગતું નથી કેમ કે તે તો નારકીના જંતુઓમાં પણ છે. તેમને ઘણા પુત્ર થાઓ.' એમ કહીએ તે પણ ઠીક નથી, કેમ કે તે તો કુકડીઓને ઘણાં બચ્ચાં હોય છે તેથી તેને શું સુખ છે? માટે સર્વસુખને આપનાર આ ધર્મલાભ" જ તમને સુખદાયક થશે." આથી રાજાએ સર્વજ્ઞાણું કબૂલ કીધું અને તુષ્ટમાન થઈ તેમને એક બ્રેડ સોનામહોર ભેટ કરી પણ નિસ્પૃહપણાથી તેમણે તે દ્રવ્ય અંગીકાર કર્યું નહીં તેથી શ્રાવકોએ જીર્ણોદ્ધાર કે લોકોને દેવામાંથી મુક્તિ કરવા વગેરેમાં તે ધન વાપર્યું. સિદ્ધસેન દિવાકર ત્યાંથી વિચરતા ચિતોડ ગયા. ત્યાં એક સ્તંભ હતો. તેમાં પૂર્વની આમ્નાયવાળાં પુસ્તકો છુપાવેલાં હતાં. તેમનાં પુસ્તકો વાંચવાની તેમને ઉમેદ થઈ; પણ તે સ્તંભ એવો હતો કે, જેને અગ્નિ, પાણી, શસ્ત્ર (ટાંકણાદિ) કોઈ પણ ભેદી કે ભાંગી શકે નહીં, એવું તેનું પડ ઔષધિથી વજમય બનાવેલું હતું. તેથી તેમણે ત્યાં બેસી સુગંધી લઈ તેમાંની ઔષધિઓને ઓળખી તેને પ્રતિઔષધિઓ (વિરોધી ઔષધિઓ)થી નવપલ્લવિત ફરીને તે સ્તંભ ખોલ્યો. તેમાં ઘણાય ચમત્કારિક ગ્રંથો હતા. તેમાંનું એક પહેલું પુસ્તક હાથમાં લઈ વાંચવા માંડ્યું. તેના પહેલા પાનામાં બે વિઘાઓ હતી. તેમાં પહેલી સરસવ વિઘા. સરસવ પાણીમાં નાખવાથી ઘોડા નિપજાવી શકાય તેવી વિઘા દીઠી. બીજી ચૂર્ણયોગ કરવાથી સુવર્ણ બનાવવાની ક્ષિા હતી. આ બંને વિદ્યા વાંચ્યા બાદ આગળ વાંચતાં, શાસનદેવીએ નિષેધ કર્યો અને પુસ્તક હાથમાંથી ઝડપી લીધું એટલું જ નહીં પણ તે સ્તંભ પાછો વજય બનીને બીવઈ ગયો. આથી ઉદાસ થઈ ત્યાંથી તેમણે વિહાર કર્યો. આગળ ચાલતાં તેઓ કુમારપુરે આવ્યા. ત્યાંના દેવપાળ નામના રાજાએ નમસ્કાર કરી વિનંતી કરી કે, "માર સીમાડાના રાજાઓ મારું રાજ્ય લઈ લેવા ઇચ્છે છે (યુદ્ધ કરવાના છે, તેથી આપ જો મારા Page #262 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૩૫ ઉપર કૃપા કરો તો મારું રાજ્ય સ્થિર રહે.” ગુરુ મહારાજે “હા” કહી. યુદ્ધ થયું, તેમાં ગુરુના પસાયથી દેવપાળ જીત્યો અને રાજય સ્થિર થયું. રાજા જૈની થયો. ગુરુને રાજ્યમાન ઘણું મળ્યું. રાજાની પ્રાર્થનાથી બંદીજનોની સ્તવના કરાતાં પાલખીમાં બેસી ગુરુ દરબારમાં આવવા લાગ્યા; એટલું જ નહીં પણ આવા કારણથી તેઓ પ્રમાદમાં પડ્યા. આ વાત વૃદ્ધવાદીસૂરીના સાંભળવામાં આવી તેથી તેને બોધ આપવા તેઓ ત્યાં આવ્યા. દરબારમાં જતાં પાલખીમાં સિસેનને બેઠેલા જોઈ પાલખી ઉપાડતા એક ભોઈને ખસેડી તેને બદલે પોતે જ-એટલે વૃદ્ધવાદીએ પાલખીનો એક દંડ ઉપાડ્યો. પરંતુ પોતે વૃદ્ધ હોવાથી પાલખીની ચાલમાં ફેરફાર થઈ ગયો. પાલખી આંચકા ખાતી વાંકીચૂકી થવા લાગી,તેથી અંદર બેઠેલા સિદ્ધસેનસૂરી મદમાં આવી બોલી ઊઠ્યા કે : ભુરિ ભાર ભરા ક્રંત: સ્કંધા : કિ તવ બાધિત. એટલે કે ઘણો ભાર વધી જવાથી પીડીત થતો શું આ તારો સ્કંધ (ખભો) દુ:ખે છે ? સિદ્ધૃસેને "બાધતે" બોલવું જોઈએ ત્યાં બાધિત બોલ્યા તે વ્યાકરણ દોષ હોવાથી વૃદ્ધવાદી બોલ્યા કે, તથા બાધતે સ્કંધો યથા બાધિત બાંધને. એટલે કે "તેટલો ખભો દુ:ખતો નથી, કે જેટલું બાતિ પ્રયોગ સાંભળતાં મનમાં દુ:ખ થાય છે.” ન આ સાંભળી સિદ્ધસેનસૂરી મનમાં ઝંખવાયા, પણ વિચાર્યું કે મારા ગુરુ સિવાય મારી વાણીમાં આવું દૂષણ બતાવનાર કોઈ નથી. માટે આ શું મારા ગુરુ તો ન હોય ? એમ ધારી તરત જ પાલખીમાંથી ઊતરી પડી ગુરુને ઓળખી તેમને પગે પડ્યા; અને પોતાનો પ્રમાદ આળોવી શુદ્ધ થઈ રાજાને પૂછી ગુરુની સાથે વિચર્યા એટલે પહેલાંની પેઠે સંયમ બરાબર પાળવા લાગ્યા. જ કાળે કરી વૃદ્ધવાદીસૂરી સ્વર્ગે ગયા પછી એક વખત મર્ગીદયાણું વગેરે પ્રાકૃત પાઠ બોલતાં અન્ય દર્શનીઓ હાંસી કરતાં દેખી તે લજવાયા. બાલ્યાવસ્થાથી જ તેમને સંસ્કૃતનો અભ્યાસ હતો અને વળી કર્મદોષથી અભિમાનમાં આવી સિદ્ધિસેને નવકાર પદનું “નમોર્હત્સિાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય:" એવું એક પદ સંસ્કૃતમાં બનાવી દીધું. પછી બધા સિદ્ધાંતો સંસ્કૃતમાં કરવા ઉમેદ રાખી ત્યારે સંધે મળી કહી દીધું કે : Page #263 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ર૩૬ બાળ, સ્ત્રી, મંદ બુદ્ધિવાળા, મૂર્ખ જે ચારિત્ર લેવા ઇચ્છા રાખતા હોય તેઓને પ્રાકૃત હોય તો સહેલાઈથી શીખી શકાય. એઓની દયા માટે તત્ત્વના જાણકારોએ આગળથી જ સિદ્ધાંતો પ્રાકૃત લોકભાષામાં કરેલા છે. શું તેના કરતાં તમો વધારે બુદ્ધિવાળા થયા કે પ્રાકૃતમાં બનાવેલ સિદ્ધાંતો સંસ્કૃતમાં ફેરવો છો ? વધારે બુદ્ધિવાળાઓ માટે ચૌદ પૂર્વ ક્યાં સંસ્કૃતમાં નથી ? આ તમે જિન આજ્ઞા વિરુદ્ધ કર્યું, તેથી તમને પારાંચિત" નામનું પ્રાયશ્ચિત્ત આવ્યું. તેમને પાચિત આલોયણ માટે બાર વર્ષ ગચ્છ બહાર મૂકવામાં આવે છે." પછી સંઘની આજ્ઞા પ્રમાણે સાધુનો વેષ ગોપવી, અવધૂત બની, મૌન ધારી, સંયમ સહિત તે વિચરવા લાગ્યા. સંઘ બહારના સાતમે વર્ષે ઉજેણીના મહાકાળેશ્વરના મંદિરની અંદર આવી ત્યાં શિવલિંગની સામે પગ કરી સૂતા, વંદન નમન કરતા નથી. આથી પૂજારી વગેરે લોકોએ તેમનો તિરસ્કાર કર્યો અને ઉઠાડવા મહેનત કરી પણ તે ઊઠે જ નહીં, તેથૈ આ પણ એક કૌતુક છે" એમ ધારી વિક્રમાદિત્ય રાજા જોવા આવ્યા અને બોલ્યા કે, “અરે અવધૂત ! આ શિવલિંગને તું કેમ નમન કરતો નથી. તેણે કહ્યું કે, જવરથી પીડાતો આદમી જેમ મોદક ખાઈ ન શકે તેમ આ શિવલિંગ અમારી કરેલી સ્તવના સહી શકશે જ નહીં.” રાજાએ કહ્યું, “અરે જટીલ ! આ તું શું બકે છે? સ્તુતિ કર, જોઈએ કેમ સહન થઈ શકતી નથી ? પછી સિદ્ધસેને ત્યાં "વીર દ્રાવિંશિકાંની ચના કરી સ્તબા તેમનું પ્રથમ કાવ્ય નીચે મુજબ છે : સ્વયંભુવં ભૂત સહસ્ર નેત્ર - અનેક મેકાક્ષરભાવલિંગમ અવ્યક્ત મ વ્યાહતવિશ્વલોકા - મવાદિ મધ્યાંતમ પુણ્ય પાપ. એમ બત્રીસ કાવ્ય કરી, પછી પાર્શ્વનાથની સ્તુતિ કરતાં કલ્યાણ મંદિરનો અગિયારમો લોક રચતાં જ શિવલિંગ ફાટીને તેમાંથી વીજળી જેવું ઝળકતું દેદીપ્યમાન અવંતિ પાર્શ્વનાથ સ્વામીનું બિંબ પ્રગટ થયું. જે દેખી વિકમ આશ્ચર્ય પામ્યા અને પૂછવા લાગ્યા કે, આ મૂર્તિ કોણે ભરાવેલી છે? ગુરુએ કહ્યું કે, અહીંયાં પહેલાં ભદ્રા . નામની શેઠાણીનો અવંતિ સુકુમાર નામનો શ્રીમંત પુત્ર હતો. તેને બત્રીસ સ્ત્રીઓ હતી. એક વખત પોતાના મહેલના ગોખમાં તે ઊભો હતો ત્યારે આર્ય સુહસ્તિસૂરીના મુખથી નલિની ગુલ્મ નામના વિમાનનું વર્ણન સાંભળી જાતિસ્મરણ પામી તેને ગુએ પૂછ્યું કે, એ વિમાનેથી શું તમે આવ્યા છો? ગુરુએ કહ્યું કે, એમ નથી, પણ સર્વજ્ઞનાં Page #264 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૩૭ વાક્યોથી (સૂત્રોથી) અમો આ બધું જાણીએ છીએ. ત્યારે ફરી તેણે પૂછ્યું કે, એ વિમાન પાછું કેમ મળે? ચારિત્રથી મળે એમ ગુરુએ કહ્યું તેથી તેણે દીક્ષા લીધી. પણ સદા તપ કરવાની શક્તિ નહોતી તથા નલિની ગુલ્મ વિમાનમાં જવાની તત્પરતાને લીધે, ગુરુની આજ્ઞા લઈ સ્મશાનભૂમિ ઉપર જઈ તેણે અણસણ કર્યું. ત્યારે પૂર્વભવમાં અપમાનિત થએલી સ્ત્રી મરીને ત્યાં શિયાલણી થઈ હતી. તેણીએ તેમને દેખી વૈરભાવ ઉત્પન્ન થવાથી તેમનું શરીર રાત્રિના ત્રણ પહોર સુધી ભક્ષણ કર્યું. અતિ વેદના સહન કરતાં પણ શુભભાવમાં ચોથે પહોરે કાળ કરી તે નલિની ગુલ્મ વિમાને દેવતા થયા. તે વાત જાણતાં જ વૈરાગ્ય ભાવથી તેની માતાએ એક વહુ ગર્ભવતી હતી તેને ઘેર રાખી બીજી એકત્રીસ વરો સાથે દીક્ષા લીધી. ઘેર રહેલી વહુને દીકરો થયો. તેણે પોતાના પિતાના નામની યાદગીરી માટે તે જ સ્થાન પર "અવંતિ પાર્શ્વનાથંની પ્રતિમા ભરાવી, મોટું જિન મંદિર કરાવી તેમાં સ્થાપના કરી. તે જ આ બિંબ છે. પણ અનુક્રમે વિપ્રોએ મળી તે પ્રતિમાના ઉપર જ શિવલિંગ સ્થાપન કરી દીધું હતું. તે શિવલિંગ મારી કરેલી સ્તુતિ કેમ સહન કરી શકે? આ બધું સાંભળીને વિક્રમ ઘણો જ રાજી થયો અને એ પ્રતિમાની પૂજા માટે એકસો ગામ આપ્યાં. પછી બોલ્યો કે, મહારાજ, દેડકાંના ભક્ષણ કરનારા ચતુર એવા સર્પ ઘણા છે. પણ ધરતીને ધારણ કરનાર શેષનાગ તો એક જ છે. તેમ નામના પંડિત ઘણા છે. પણ તમારા જેવું કોઈ નથી" આવી સ્તવના કરી રાજા પોતાને સ્થાનકે ગયો. આ પ્રકારે સિદ્ધસેને ગયેલ તીર્થ પાછું મેળવી જૈન શાસનની મોટી ઉન્નતિ કરાવી તેથી બાર વર્ષની આલોયનામાંથી સાત વર્ષ વ્યતીત થયાં હતાં અને પાંચ બાકી રહેલાં હતાં. તો પણ તેમને શ્રીસંઘે મળી પાછા ગચ્છમાં લીધા, એટલે ફરી આચાર્યપદ પામ્યા. ત્યાંથી કુવાદરૂપ તિમિરને નાશ કરવામાં દિવાકર સમાન સિદ્ધસેન દિવાકર સૂરી" કહેવાયા. તેઓ ત્યાંથી વિહાર કરતા ઓંકારપુરે આવ્યા. ત્યાં મિથ્યાત્વીઓનું જોર ઘણું હતું. તેઓ જૈન ચૈત્ય કરવા દેતા ન હતા. તેથી તેમણે વિક્રમ રાજાને સમજાવી ત્યાં જૈન ચૈત્ય કરાવ્યું. ત્યાંથી દક્ષિણ તરફ વિહાર કરતાં પ્રતિષ્ઠાનપુરે પહોંચ્યા. પછી પોતાનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે એમ જાણી અણસણ આદરી સ્વર્ગે સીધાવ્યા. Page #265 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૩૮ મદિરાવતી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં રિપુમર્દન રાજાને મદનરેખા નામની રાણીથી મદિરાવતી નામે પુત્રી થઈ. તે બાળા બીજના ચંદ્રની જેમ વધતી અનુક્રમે યુવાવસ્થાને પામી. એક વખત રાજસભામાં રાજા બેઠો હતો ત્યારે મદનરેખાએ ઉત્તમ વસ્ત્રો અને દાગીના વગેરથી શણગારી મદિરાવતીને રાજસભામાં મોકલી રાજાએ તેને ખોળામાં બેસાડી. ઐશ્વર્યના મદથી સભાના લોકોને કહ્યું કે, “આવી દિવ્ય સમૃદ્ધિવાળી સભા અને મારાથી અધિક ઉત્તમ શોભાવાળું કુટુંબ પણ કોને છે? લોકોએ કહ્યું કે, “આપના જેવી સભા તથા કુટુંબ બીજે ક્યાંય નથી." તે સાંભળી મદિરાવતીએ હસીને માથું ધુણાવ્યું. રાજાએ તેને માથું ધુણાવવાનું કારણ પૂછતાં પુત્રીએ કહ્યું કે, પિતાજી! આ લોકો તેમને પ્રસન્ન કરવા કહે છે પણ તે સર્વ ખોટું છે. એકબીજાથી ચઢિયાતા લોકો હોય જ છે. માટે આપને આ પ્રમાણે ઐશ્વર્યનો મદ કરવો ટીક નથી." રાજાએ ફરી સભામાં લોકોને પૂછ્યું કે, “તમને આવું સુખ કોના પ્રસાદથી મળ્યું છે ?" લોકોએ કહ્યું કે, “આપના પ્રસાદથી." મદિરાવનીએ લોકોને કહ્યું કે, "તમે ખોટું કેમ બોલો છે? દરેક જીવ પોતાનાં શુભાશુભ કર્મથી સારું કે ખોટું ફળ પામે છે. હવે આ રીતે પોતાની વાત તોડી પાડનારી પુત્રીને પોતાની વૈરિણી માનતા રાજાએ પૂછ્યું કે, તે કોનાથી સુખ ભોગવે છે?" તેણીએ કહ્યું કે, અમે પૂર્વભવે શુભ કર્મ કર્યું છે તેના ફળરૂપે આ સુખ ભોગવું છું. જો આપ જ સર્વ લોકના સુખનું કારણ છો તો બધાને સુખ કેમ આપતા નથી?" કેટલાક હાથી ઘોડા પાલખી ઉપર બેસીને જાય છે, અને કેટલાક દુ:ખી સેવકો તમારી આગળ દોડે છે. પાપીઓને સુખ આપવા તમે સમર્થ નથી. હું મારા પુણથી તમારે ત્યાં ઉત્પન્ન થઈ છું. તમે તો માત્ર નિમિત્ત છો." પુત્રીના આવા વચનથી લેધ પામેલા રાજાએ કહ્યું કે, “જો તું મારો પ્રસાદ માનીશ તો તને ઉત્તમ રાજકુમાર સાથે પરણાવીશ નહિતર દિનદુ:ખી સાથે પરણાવીશ." પુત્રીએ કહ્યું કે, આપ ગર્વ કરશો નહિ. મારા કર્મ પ્રમાણે જે થશે તે ખરું." રાજાએ જોધથી સેવકોને આજ્ઞા કરી કે, “કોઈ નીચ કુળના દરિટ્રીને લાવો. તેની સાથે કર્મને માનતી પુત્રીને પરણાવું." સેવકોએ જેના શરીરમાંથી પરૂ કરી રહ્યું છે એવા એક કોઢીઆને લાવી હાજર ર્યો. રાજાએ પુત્રીને કહ્યું કે, તારા કર્મો આ કોઢીઓ આવ્યો છે તેને તું પરણ. મદિરાવતીએ તરત જ ઊઠી કોઢીઆ સાથે પાણિગ્રહણ કર્યું. તે વખતે સર્વ લોકો હાહાકાર કરવા લાગ્યા. Page #266 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૩૯ રાજાએ પુત્રીના સર્વ અલંકાર ઉતારી લઈ કોઢીઆ સાથે નગરની બહાર કાઢી મૂકી. ધર્મને વિષે અતિ ઢ રુચિવાળી મદિરાવતી કોઢીઆની સાથે દેવમંદિરમાં જઈ ધર્મધ્યાન કરવા લાગી. કોઢીઆએ મદિરાવતીને કહ્યું કે, “રાજાએ તો અઘટિત, વગર વિચાર્યું કર્યું પણ જો તારે સુખી થવું હોય તો કોઈ સમૃદ્ધિવાળાને પરણ. મારી સંગતિથી તને પણ કોઢ લાગુ પડશે. લગ્ન સરખેસરખાનું હોય. હું તો દુ:ખી છું અને તને જો દુ:ખી કરું તો મારો છુટકારો કયા ભવે થાય." કોઢીઆનાં વચન સાંભળીને મદિરાવતીએ કહ્યું કે, “હે નાથ ! આવું અયોગ્ય વચન બોલવું આપને શોભતું નથી. અનંત પાપરાશી ભેગી થાય ત્યારે સ્ત્રીનો અવતાર મળે છે. તેમાં જો શીલરહિત થાઉં તો ભવોભવને વિષે દુ:ખી થાઉં. મેં મન, વચન, કાયાથી અને પિતાની અનુમતિથી આપને સ્વામી તરીકે સ્વીકાર્યો છે. માટે જો આપ ના પાડશો તો હું અગ્નિનું શરણ લઈશ.” આ સાંભળી કોઢીઓ સંતોષ પામી સૂઈ ગયો, એટલે મદિરાવતી પતિના પગ ચાંપતી પંચપરમેશ્વરનું સ્મરણ કરવા લાગી. તેટલામાં એક દેવી દિવ્ય શણગારથી સુશોભિત પુરુષને લઈને આવી. મદિરાવતીને કહેવા લાગી કે, "તારા પિતાએ તારી ફોગટ વિલંબના કરી તે જોઈ દયાથી હું તારી પાસે આવી છું. આ નગરની હું અધિષ્ઠાઈકા દેવી છું અને આ ભાગ્યવાન પુરુષને લાવી છું. એ તારી આજ્ઞા પ્રમાણે ચાલશે, માટે કોઢીઆને મૂકીને આ મગધદેશના નરકેશરી રાજાના પુત્ર નરશેખરને તારો પતિ બનાવ. હું તમને બન્નેને જીવનપર્યંત સુખસંપત્તિ આપીશ.” મદિરાવતીએ મનમાં ધૈર્ય રાખી મક્કમપણે કહ્યું કે, “હે માતા, તમે મારા પર મોટી કૃપા કરી, પરંતુ મારાં માતાપિતા અને નગરજનો સમક્ષ આ કોઢીઆ પતિનો હાથ પકડ્યો છે, તો હવે બીજાને શી રીતે વરું ? આ લોકમાં અને પરલોકમાં પુણ્યયોગે મને આ કોઢીઆ પુરુષથી જ સર્વે મનોવાંછિત ભોગસંપત્તિ મળશે, માટે કૃપા કરી મારા ભાઈ જેવા આ નરશેખરને રાજ્ય લક્ષ્મી સહિત તેના રાજ્યમાં પહોંચાડી ઘો." મદિરાવતીનાં આવાં વચનથી બ્રેધ પામેલી દેવીએ તેને પગેથી પકડી આકાશમાં ઉછાળી પડતી હતી એવી તેને ત્રિશૂળ ઉપર ધારી રાખી કહ્યું કે, “મુર્ખા ! મારા કહેવા મુજબ કર નહિતર તને મારી નાખીશ.” કન્યાએ નિશ્ચય મન રાખીને દેવીને કહ્યું કે, "હું પ્રાણાંતે પણ શીલભ્રષ્ટ થઈશ નહીં. મેં બહુ વાર જીવિત અને યૌવન લક્ષ્મીનું સુખ વગેરે ઇચ્છીત વસ્તુ મેળવી છે. પરંતુ ચિંતામણી સમાન નિર્મળ શીલ મેળવ્યું નથી. માટે હે દેવી ! તારે મારી નાખવી હોય તો હું મરવા માટે તૈયાર છું. પરંતુ તારા કહેવા મુજબ બીજો વર કરીશ નહિ.” આ પ્રમાણે કહી મદિરાવતી મનથી નવકાર મંત્રનું સ્મરણ કરવા લાગી. તેટલામાં તેને પોતાને સુખેથી ઊભેલી જોઈ પણ દેવીને તથા નરશેખરને ઊભેલા જોયા નહીં. કોઢીઆના Page #267 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૪૦ બદલે વસ્ત્રાભરણયુક્ત કોઈ બીજા પુરુષને જોઈ મદિરાવતી મનમાં વિચારવા લાગી કે, આ તે સ્વપ્ન છે કે શું? મારો કોઢીઓ પતિ ક્યાં ગયો? એમ વિચારતી તેને પેલા પુરુષે કહ્યું કે, હે કન્યા! મારું ચરિત્ર સાંભળ. હું વૈતાઢ્ય પર્વત ઉપર મણિપુર નગરનો વિદ્યાધરનો રાજા મણિચૂડ નામે છું. એક દિવસ રાત્રે નગરચર્ચા જોવા નીકળ્યો ત્યાં લોક સાંભળ્યો કે, સર્વ ઠેકાણે કાગડા કાળા અને પોપટ લીલા હોય છે. સુખી પુરુષોને સુખ મળે છે અને દુઃખિયાને દુઃખ મળે છે. આ સાચું કે ખોટું એવા વિચારથી હું વિદ્યાના બળે કોઢીઆનું રૂપ લઈને નગરમાં ઊભો રહ્યો. રાજાના સેવકો મને પકડીને રાજસભામાં લઈ ગયા. તે સુંદરી ! ત્યાં તું મને વરી, પણ તેનું કારણ હું જાણતો નથી. તને બહુ દુઃખ ઉપજાવનારી પરીક્ષા મેં કરી. પણ જેમ મેરુ શિખર કંપે નહીં તેમ તું શીલરૂપ આચારથી કંપી નહીં તેથી તું ધન્ય છે. વખાણવા યોગ્ય છે. હું પણ તને પરણીને મારી જાતને ધન્ય માનું છું.” વિદ્યાધરનાં આવાં વચન સાંભળી મદિરાવતી વિચારવા લાગી. શીલાના પ્રભાવથી મને ઉત્તમ પતિ મળ્યા. પછી વિદ્યારે વિદ્યાના બળથી સાત માળનો મહેલ બનાવી રાત્રી ગાળી. સૂર્યોદય થતાં વિદ્યારે રાણીને પૂછ્યું કે, "તારા પિતાને હું અહી ભક્તિથી બોલાવું કે શક્તિથી?" રાણીએ કહ્યું, "તેમને ખેડૂતના વેશે બોલાવો એટલે તેમનો મદ ઊતરી જાય." પછી વિદ્યાધર રાજાએ એક મોટા સૈન્ય સાથે એક દૂતને રિપુમર્દન રાજા પાસે મોકલી કહેવરાવ્યું કે, વૈતાઢ્ય પર્વતનો રાજા મણિચૂડ વિદ્યાધર તમારા પર ચઢી આવ્યો છે. તમે જો રાજ્યને ઇચ્છતા હો તો ખેડૂતના વેશે આવી તેને નમસ્કાર કરો. રાજા કોપથી ઉત્તર આપવા જતો હતો પણ તેને રોકીને પ્રધાનોએ કહ્યું કે, “સરખે સરખા હોય તો કોપ કરવો ઠીક છે. પણ આ તો વિદ્યાધર રાજા ઘણો બળવાન છે. તેમને નમસ્કાર યોગ્ય સત્કારપૂર્વક નમસ્કાર કરો." મંત્રીઓના કહેવા મુજબ રાજા ખેડૂતના વેશે જઈ વિદ્યાધર રાજાનો નમ્યો. એટલે વિદ્યારે રાજાને વસ્ત્રાલંકાર વડે સત્કાર કર્યો. રાજા પોતાની પુત્રીને વિદ્યાધર પાસે રહેલી જોઈને બહુ ખેદ પામ્યો. ત્યારે પુત્રીએ કહ્યું કે, જે કોઢીઆ સાથે આપે મને પરણાવી તે જ આ પુરુષ છે. એણે જ તમારા શરીર પરથી ખેડૂતનો વેશ ઉતારી નવવસ્ત્રાલંકાર આપ્યા છે." આ સાંભળી વિસ્મય પામેલા રાજાએ વિદ્યાધરને કહ્યું કે, "આપનું ચરિત્ર જે હોય તે કહો.” પછી વિદ્યારે પોતાનું ચરિત્ર કહ્યું અને બોલ્યો કે, "હે રાજન તમારી પુત્રી ઉત્તમ શીલવાળી હોવાથી તમને ધન્ય છે." એમ કહી તેણે પોતાની સમૃદ્ધિ દેખાડી પછી રાજાનું સન્માન કરીવિદ્યાધર મદિરાવતીને લઈવૈતાઢ્ય પર્વતે ગયો. ત્યાં મદિરાવતીશીલના પ્રભાવથી વિવિધ પ્રકારના ભોગ ભોગવતી જૈનધર્મનું આરાધન કરવા લાગી અને આરાધનાના યોગે મૃત્યુ પામી દેવલોકે ગઈ, ત્યાંથી આવી મનુષ્યભવમાં આવી, સકળ કર્મનો ક્ષય કરી મોક્ષે જશે. Page #268 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચસકતા હીરાઓ ર૪૧ શ્રી દામનક હસ્તિનાપુરમાં સુનંદ નામે એક કુલપુત્ર રહેતો હતો. તેને જિનઘસ નામના શ્રેષ્ઠી સાથે મૈત્રી હતી. તેથી તે શ્રેષ્ઠી પાસે હંમેશાં પચ્ચખાણનો મહિમા સાંભળતો હતો. એકદા શ્રેષ્ઠી તેને ગુરુ પાસે લઈ ગયા. ગુરુએ અનાગત આદિ પ્રત્યાખ્યાનનું સ્વરૂપ તથા ફળનું વર્ણન કર્યું. તે સાંભળીને સુનંદે મઘ અને માંસ નહીં ખાવાનું પચ્ચખાણ શુદ્ધભાવથી ગ્રહણ કર્યું. પછી કોઈ વખત ત્યાં મોટો દુષ્કાળ પડ્યો. તેથી છઠ્ઠા આરાની જેમ સર્વલોક પ્રાયે માંસભક્ષણ કરનારા થઈ ગયા. સુનંદના સ્વજનો સુધાથી અત્યંત પીડાવા લાગ્યા, તેથી તેણે એક દિવસ ઘણો ઉપાલંભ આપીને તેને સાળા સાથે માછલાં લેવા માટે મોકલ્યો. સુનંદે પાણીમાં જાળ નાખી, પરંતુ જાળમાં ફસાએલાં માછલાં જોઈને તેમને મૂકી દેતો હતો. તે જોઈને તેના સાળાએ કહ્યું કે, હે બનેવી ! તમે કોઈ મૂંડાની, વાક્ય રૂપી જાળમાં ફસાયા છો, તેથી તમારાં સ્ત્રી-પુત્રાદિકને દુઃખ રૂપી જાળમાંથી શી રીતે કાઢી શકશો? જાણ્યું તમારું દયાળુપણું!” વગેરે કહ્યા છતાં પણ તેણે તે દિવસે એકે માછલું પકડ્યું નહીં. તેવી જ રીતે બીજે દિવસે પણ એકે માછલું પકડ્યું નહીં અને કહેવા લાગ્યો કે હું શું કરું? કોઈ વખત મને મત્સ્ય પકડવાનો અભ્યાસ નથી. તે સાંભળીને તેના સ્વજનો તેને શીખવવા લાગ્યાં; પણ તેની નિર્મળ ધર્મની ભાવના ગઈ નહીં. ત્રીજે દિવસે તળાવ પર જઈને જાળ નાખી, તેમાં એક માછલાની પાંખ તુટી ગઈ તે જોઈને સુનંદ અત્યંત શોકાતુર થયો. તેણે સ્વજનોને કહ્યું કે, હું કોઈ વખત પણ આવું હિંસાનું કામ કરીશ નહીં* એમ કહી પ્રફુલ્લિત મનથી તેણે નિરવશેષ અનશનનું પચ્ચખાણ કર્યું. અર્થાત્ આહારનો ત્યાગ કર્યો. ત્યાંથી મરીને તે રાજગૃહનગરમાં મણિકાર શ્રેષ્ઠીને ઘેર પુત્રપણે ઉત્પન્ન થયો. માતાપિતાએ તેનું દામન્નક નામ રાખ્યું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે આઠ વર્ષનો થયો. એટલે મહામારીના ઉપદ્રવથી તેનું સર્વ કુટુંબ નાશ પામ્યું. તેથી ભયને લીધે ને પોતાના ઘરમાંથી નાસી ગયો. ફરતાં ફરતાં તે જ નગરમાં સાગરદત્ત નામના શ્રેષ્ઠીને ઘેર આવ્યો, ને નોકરી કરીને આજીવિકા કરવા લાગ્યો. એક દિવસ કોઈ બે મનિ ગોચરી માટે તે શેઠને ઘેર આવ્યા. તેમાં મોટા સાધુ સામુદ્રિકશાસ્ત્રમાં નિપુણ હતા, તેણે દામન્નકને જોઈને બીજા મનિને કહ્યું કે આ Page #269 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૪૨ દાસપણાનું કામ કરનાર માણસ છે તે વૃદ્ધિ પામીને આ જ ઘરનો સ્વામી થશે." આ પ્રમાણેનું સાધુનું વચન શ્રેષ્ઠીએ ભીંતની ઓથે ઊભા રહીને સાંભળ્યું, તેથી જાણે વજાત થયો હોય તેમ તેને ઘણો ખેદ થયો. તેણે વિચાર્યું કે, "આ બાળકને કોઈ પણ ઉપાયથી મારી નાખું એટલે બીજનો નાશ કર્યા પછી અંકુર ક્યાંથી આવે ?" એ પ્રમાણે વિચારીને તેણે તે બાળકને લાડુનો લોભ બતાવીને ચાંડાળને ઘેર મોકલ્યો. ત્યાં એક ચાંડાળને તે શ્રેષ્ઠીએ પ્રથમથી દ્રવ્ય આપીને સાધી રાખ્યો હતો અને તેને કહ્યું હતું કે, "હું તારી પાસે મોકલું તે બાળકને મારીને તેની નિશાની મને બતાવજે.” તે બાળકને મૃગલાના બચ્ચાની જેવો મુગ્ધ આકૃતિવાળો જોઈને તે ચાંડાળને દયા આવી, તેથી તેની કનિષ્ટિકા આંગળી કાપી લઈને બાળકને કહ્યું કે, "રે મુગ્ધ ! જો તું જીવવાને ઇચ્છતો હોય તો અહીંથી જલદી નાસી જા." તે સાંભળીને તે જ સાગર શ્રેષ્ઠીનું ગોકુળ જે ગામમાં હતું તે ગામમાં ગયો. ત્યાં ગોકુળના રક્ષણ કરનારે તેને વિનયી જોઈને પુત્ર તરીકે રાખ્યો. ત્યાં તે સુખે રહેવા લાગ્યો, અનુક્રમે યુવાવસ્થા પામ્યો. એકદા સાગર શ્રેષ્ઠી ગોકુલમાં આવ્યો, ત્યાં છેદેલી આંગળીના ચિહ્નથી તેણે દામન્તકને ઓળખ્યો. પછી ગોકુળના રક્ષકને કાંઈક કામનું બહાનું બતાવી દામન્તકને પોતાના નગર રાજગૃહ મોકલ્યો. સાથે એક ચિઠ્ઠી દામન્તકને આપી પોતાના પુત્રને આપવા કહ્યું. દામન્તક કાગળ લઈ ઉતાવળો રાજગૃહે પહોંચ્યો. ઘણું જ ચાલ્યો હોવાથી તેણે પહોંચતાં ઘણો થાક લાગ્યો હતો, તેથી ગામ બહાર ઉદ્યાનમાં કામદેવના મંદિરમાં વિશ્રાંતિ લેવા બેઠો, ત્યાં થાકને લીધે ઊંઘી ગયો. તેવામાં સાગર શ્રેષ્ઠીની વિષા નામની પુત્રી પોતાની ઇચ્છાથી તે જ કામદેવના મંદિરમાં આવી. ત્યાં દામન્તકની પાસે પોતાના પિતાની મુદ્રાવાળો કાગળ જોઈને તે કાગળ તેણે ધરેથી લઈ લીધો અને કાગળ ખોલી ધીરેથી તે વાંચવા લાગી. “સ્વસ્તિ શ્રી ગોકુળથી લિ. શ્રેષ્ઠી સાગરદત્ત સમુદ્રદત્ત પુત્રને સ્નેહપૂર્વક ફરમાવે છે કે આ કાગળ લાવનારને વગર વિલંબે તરત જ વિષ આપજે. તેમાં કાંઈ પણ સંદેહ કરીશ નહીં." આ પ્રમાણેનો લેખ વાંચીને દામન્તકના રૂપથી મોહિત થયેલી વિષાએ વિષના “ખ” આગળ પોતાની આંખની મેષથી !' કાનો વધારી દીધો તેથી વિષની જગ્યાએ વિષા વંચાય. પછી તે કાગળ બંધ કરીને હતો તેમ મૂકી દઈ હર્ષથી તે પોતાને ઘેર ગઈ. કેટલીક વારે દામન્તક પણ જાગૃત થયો, એટલે ગામમાં જઈને તેણે શ્રેષ્ઠી પુત્રને તે કાગળ આપ્યો. તે પણ કાગળ વાંચી આનંદ પામ્યો, અને તે જ વખતે લગ્ન લઈને Page #270 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૪૩ મોટા આડંબરથી પોતાની બહેન વિષાને તેની સાથે પરણાવી. દામનક તેની સાથે સુખેથી વિલાસ કરવા લાગ્યો. કેટલેક દિવસે સાગર શ્રેષ્ઠી ઘેર આવ્યો, એટલે વિષાના લગ્નની વાત જાણી તે અતિ ખેદ પામ્યો. તેણે વિચાર્યું કે, "અહો મારું ચિંતવેલું કાર્ય તો ઊલટું થયું, અને આ તો મારો જમાઈ થયો, તો પણ પ્રપંચથી તેણે મારી નાખું. પુત્રી વિધવા ભલે થાય પણ શત્રુની વૃદ્ધિ થાય તે સારું નહીં." આ પ્રમાણે વિચાર કરીને તેણે પેલા ચાંડાળ પાસે જઈને કહ્યું કે, “અરે ! તે દિવસે તેં મને આંગળીની નિશાની આપીને છેતર્યો તે ઠીક કર્યું નહીં.” ચાંડાળ બોલ્યો કે, હે શેઠજી! હવે તેને દેખાડો, હું જરૂર મારી નાખીશ” પછી શ્રેષ્ઠી તેને મારવા માટે માતૃકાદેવીના દેરાનો સંકેત આપીને ઘેર આવ્યા અને દામન્નકને કહ્યું કે, “હે વત્સ ! તું આજે સાંજે વિષા સહિત માતૃકાદેવીના પ્રાસાદમાં પૂજા કરવા જજે, કે જેથી દેવીની કૃપા વડે તમારા બન્નેનું કુશળ થાય." સાંજે બન્ને દેવીના મંદિરમાં જવાનાં હતાં પણ કાળ સંયોગે તેમનો સાળો તેમનાથી પહેલાં મંદિરમાં પહોંચ્યો. પ્રથમથી જ શ્રેષ્ઠીનો સંકેત હોવાથી પેલા ચાંડાળે તેને દેરામાં પહોંચતાં જ જાણે તે દેવીને બલિદાન દેતો ન હોય તેમ તેને મારી નાખ્યો. પુત્રનું મરણ સાંભળીને સાગર શ્રેષ્ઠીની છાતી ફાટી ગઈ તેથી તે પણ મૃત્યુ પામ્યો. પછી રાજાએ દામન્નકને તેના ઘરનો સ્વામી કર્યો. એક વખત રાત્રીના પાછલા પહોરે ભાટચારણના મુખથી દામનકે એક ગાથા સાંભળી, તેનો ભાવાર્થ એવો હતો કે, "નિરપરાધીને અનર્થમાં નાખવા માટે કોઈ અનેક પ્રયત્નો કરે તો તે ઊલટા તેને બહુ ગુણના કરનારા થાય છે. દુઃખને માટે કરેલા ઉપાય સુખ કરનારા થાય છે, કેમ કે દૈવ જ જેનો પક્ષ કરે તેને બીજો શું કરી શકે ?" આ ગાથા તે ભાટ ત્રણ વાર બોલ્યો, એટલે દામન્નકે ત્રણ લાખ દ્રવ્ય આપ્યું. રાજાએ એટલું બધું આપવાનું કારણ પૂછ્યું, ત્યારે દામન્નકે પોતાનો સર્વ પૂર્વ વૃત્તાંત કહ્યો. એકદા જ્ઞાની ગુરુ મળવાથી તેના પાસેથી પોતાના પૂર્વ ભવમાં કરેલા પ્રત્યાખ્યાનનું ફળ જાણીને જાતિસ્મરણ થવાથી દમનક વિશેષ ધર્મનો રાગી થયો. અનુક્રમે મરણ પામીને દેવલોકનું સુખ પ્રાપ્ત કર્યું. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ ક્રમે કરીને સિદ્ધિપદને પામશે. Page #271 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૪૪ શ્રી હેમચંદ્રાચાર્ય ધંધૂકા નગરમાં ચાચિંગ નામે શેઠ રહેતા હતા તેમને પાહિની નામની પત્ની હતી. તે ગુણવાન તેમ જ શીલવતી હતી. જૈમ ધર્મ પ્રત્યે તેને પૂર્ણ શ્રદ્ધ હતી. જ એક રાત્રીએ પાહિનીને સ્વપ્ન આવ્યું. એને બે દિવ્ય હાથ દેખાયા. દિવ્ય હાથોમાં દિવ્ય રત્ન હતું. આ ચિંતામણિ રત્ન છે, તું ગ્રહણ કર' કોઈ બોલ્યું. પાહિનીએ રત્ન ગ્રહણ કર્યું. તે રત્ન લઈને આચાર્યદેવ શ્રી દેવચન્દ્રસૂરિની પાસે જાય છે. 'ગુરુદેવ, આ રત્ન આપ ગ્રહણ કરો’અને રત્ન તે ગુરુદેવને અર્પણ કરી દે છે. તેની આંખોમાં હર્ષનાં આંસુ ઉભરાય છે. ૯૦. સ્વપ્ન પૂરું થઈ જાય છે. તે જાગે છે. જાગીને નવકાર મંત્રનું સ્મરણ કરે છે. તે વિચારે છે - ગુરુદેવ શ્રી દેવચંદ્રસૂરીજી નગરમાં જ છે. તેમને મળી સ્વપ્નની વાત કરું. સવારે ઊઠી સ્નાનાદિથી પરવારી તે ગુરુદેવ પાસે ગઈ અને સ્વપ્નની વાત તેમને જણાવી. ગુરુદેવે કહ્યું, 'પાહિની, તને ખૂબ સારું સ્વપ્ન આવ્યું છે. તને શ્રેષ્ઠ રત્ન જેવો પુત્ર થશે અને એ પુત્ર તું મને આપીશ. એ તારો પુત્ર જિનશાસનનો મહાન આચાર્ય થશે અને શાસનને શોભાવશે. પાહિની રાજી રાજી થઈ ગઈ. એને ગુરુદેવ ઉપર શ્રઘ્ધ હતી. સાધુજીવનમાં સાચું સુખ છે તેમ તે સમજતી હતી, તેથી તેણે પોતાની સાડીના છેડે ગાંઠ બાંધી સ્વપ્નને બાંધી લીધું. એ જ રાત્રે એના પેટમાં કોઈ ઉત્તમ જીવ ગર્ભ રૂપે આવ્યો. પાહિની ગર્ભને કોઈ નુકસાન ન થાય તેમ શરીર સંભાળે છે. રોજ પ્રભુભક્તિ પરમાત્માની પૂજા કરે છે. ગરીબોને દાન આપે છે. એના પતિ સાથે તત્ત્વજ્ઞાનની વાતો કરે છે. વિક્રમ સંવત ૧૧૪૫ના કાર્તિક પૂર્ણિમાએ પાહિનીએ પુત્રને જન્મ આપ્યો. તે પૂર્ણિમાના ચાંદ જેવો ગોરો ગોરો પુત્ર જોઈ તે રાજી રાજી થઈ ગઈ. Page #272 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૪૫ એ વખતે આકાશવાણી થઈ : "પાહિની અને ચારિંગનો આ પુત્ર તત્ત્વનો જ્ઞાતા બનશે અને તીર્થંકરની જેમ જિનધર્મનો પ્રસારક થશે.” પુત્રનું નામ ફોઈબાએ 'ચાંગદેવ' રાખ્યું. જરા મોટો થતાં પાહિનીએ તેને 'અરિહંત'નો 'અ' બોલતાં શિખવાડ્યું અને તે પછી નવકાર મંત્રનો ન બોલતાં શીખવ્યું. પાહિની ચાંગદેવને ભગવાનનાં દર્શન વંદન કરતાં શીખવે છે અને વારંવાર ગુરુદેવ પાસે લઈ જાય છે. તેને હાથ જોડી, માથું નમાવી વંદન કરાવે છે. ગુરુદેવ સામે જોઈ ચાંગદેવ હસે છે. ગુરુદેવ ધર્મલાભનો આશીર્વાદ આપે છે. તે મોટો થતો જાય છે. ભણવા માટે શાળામાં મૂકવામાં આવે છે ત્યાં તેની અસાધારણ યાદશક્તિથી શિક્ષકનો લાડીલો બની જાય છે. પાંચ વર્ષનો ચાંગદેવ પાહિણી સાથે જિનમંદિરે એકા ગયો. આચાર્યશ્રી દેવચંદ્રસૂરીજી પણ દર્શનાર્થે ત્યાં આવેલ હતા. તેમના શિષ્ય આચાર્યદેવને બેસવા આસન પાથર્યું હતું, તે પર ચાંગદેવ બેસી ગયો. તે જોતાં આચાર્યશ્રી હસી પડ્યા. ચાંગદેવ પણ હસવા લાગ્યો. આચાર્યશ્રીએ પાહિનીને કહ્યું, “શ્રાવિકા, તને યાદ તો છે ને તારું સ્વપ્ન, રત્ન તારે મને સોંપવાનું છે. એ સ્વપ્નનું જ આ એંધાણ છે. તારો આ પુત્ર મારી ગાદી સાચવશે અને જિન શાસનનો મહાન પ્રભાવક આચાર્ય બનવાનો છે. તું મને સોંપી દે આ પુત્રને. સૂર્ય અને ચંદ્રને ધરમાં ન રાખી શકાય, અને જો તે ઘરમાં રહે તો દુનિયાને પ્રકાશ કોણ આપે ? તારો પુત્ર સૂર્ય જેવો તેજસ્વી છે અને ચંદ્ર જેવો સૌમ્ય છે. તેનો જન્મ ઘરમાં રહેવા નથી થયો. એ તો જિન શાસનમાં ગગનમાં ચમકવા જન્મ્યો છે. માટે તેના ઉપરનો મોહ છોડી મને સોંપી દે." પાહિનીએ ગુરુદેવને તેના પિતા પાસે તેની માગણી કરવા જણાવ્યું. એક દિવસ ચાચિંગને ઉપાશ્રયે બોલાવીને એમ કહ્યું. ગુરુદેવે, “ચાંગદેવ ભાગ્યશાળી છે. તેનું ભવિષ્ય ઊજળું છે. તેનો મોહ તમારે છોડવો પડશે." 'એટલે ગુરુદેવ ?' ચાચિગે કહ્યું, “ચાંગદેવ મને સોંપવો પડશે. તેનો ઘાટ હું ઘડીશ. એ મારી પાસે રહેશે.” ગુરુદેવે કહ્યું. ચાચિગે વિચારીને જવાબ આપીશ. એમ જણાવ્યું. ગુરુદેવે કહ્યું, “પુત્રસ્નેહથી ન વિચારતાં તેના હિતનો વિચાર કરજો. તમારો આ પુત્ર લાખો જીવોનો તારણહાર બનવાનો છે.” ચાચિંગ શેઠ ઘેર આવ્યા. તેમને ચાંગદેવને પૂછ્યું. 'બેટા, તને ગુરુદેવ ગમે છે ? Page #273 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૪૬ “હા, ગમે છે, હું ગુરુદેવ સાથે રહીશ, તેમની પાસે ભણીશ. તે જેમ કહેશે તેમ કરીશ.” ચાચિંગ શેઠે પાહિની દેવી સાથે પણ ચર્ચા કરી. પાહિનીએ પોતાની અનુમતિ આપી. અને ચંગદેવને ચાચિંગ શેઠે ગુરુદેવને સોંપ્યો. માતા પાસે આચાર્ય પુત્રની ફરીથી માગણી કરે છે તે વખતે ચારિંગ ઘેર હોતો નથી બહાર ફેરી કરવા ગયો હોય છે. ક્ષણ વાર માતા ખચકાય છે પણ પછી શુભ ભાવિને ધ્યાનમાં લઈ પુત્રને અર્પણ કરી દે છે અને આચાર્ય તેને લઈને વિહાર કરી ખંભાત જાય છે. આ બાજુ ધંધૂકામાં ચારિંગ ઘેર આવે છે. એને ખબર પડે છે કે ચાંગદેવને આચાર્ય લઈ ગયા છે તેથી તેને પાછો લઈ આવવા ખંભાત જાય છે - ત્યાં ઉદ્દયન મંત્રી અને આચાર્યની સમજાવટથી તે પુત્ર અર્પણ કરીને પાછો આવે છે. . ગુરુદેવ દેવચંદ્રસૂરીજી ચાંગદેવને લઈ ધંધુકાથી વિહાર કરી ખંભાત પધાર્યા. ગુરુદેવે ચાંગદેવને ભણાવવા માંડ્યું. તેનો વિનય અને બુદ્ધિ જોઈ, ગુરુદેવને ખાત્રી થઈ કે આ છોકરો જલદી વિદ્વાન બનશે. બધાં શાસ્ત્રો ભણી લેશે. એક દિવસ ગુરુદેવે ગુજરાતના મહામંત્રી ઉદયનને પોતાની પાસે બોલાવી ચાંગદેવ અંગે વાતો કરી. તેમને જૈન ધર્મ ઉપર ખૂબ શ્રદ્ધા હતી. તેમણે ચાંગદેવની દીક્ષાનો બધો ખર્ચ અને મહોત્સવ કરવા રાજીથી હા કહી અને મહા સુદિ ચૌદશના દિવસે મોટા ઉત્સવપૂર્વક ચાંગદેવને દિક્ષા આપી, તેમનું નામ સોમચંદ્ર સૂરીશ્વર મુનિ રાખ્યું. આચાર્ય દેવ શ્રી દેવચંદ્ર સૂરીશ્વરજી પોતે સોમચંદ્ર મુનિને ભણાવે છે, સાધુજીવનના આચાર-વિચારો શિખવાડે છે. સોમચંદ્રમુનિ ભણેલું યાદ રાખે છે. ગુરુ મહારાજનો વિનય કરે છે. સોમચંદ્રમુનિ ગુરુ મહારાજ પાસે મહાન જ્ઞાની પુરુષોનાં જીવનચરિત્ર સાંભળે છે. તેમને ચૌદ પૂર્વનાં નામ અને તે શાસ્ત્રોના વિષયો સંક્ષેપમાં સમજાવે છે. આ રીતે જ્ઞાન ઉપાર્જન કરતાં સોમચંદ્ર મુનિના મનમાં વિચારો આવતા કે હું આવો જ્ઞાની ન બની શકું ? મારે આવા જ્ઞાની બનવું હોય તો મારે માતા સરસ્વતી દેવીની ઉપાસના કરવી જોઈએ. આ માટે મારે સરસ્વતીદેવીની મૂળ પીઠ જે કાશ્મીરમાં છે ત્યાં જઈ તેમની ઉપાસના કરવી જોઈએ. આમ વિચારતાં તેમણે કાશ્મીર જઈ સરસ્વતી દેવીની ઉપાસના કરવા જવા ગુરુદેવની આજ્ઞા માગી અને પ્રેમથી ગુરુદેવે તેમને કાશ્મીર જવા આશીર્વાદ સાથે રજા આપી. Page #274 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૪૭ શુભ દિવસે બીજા એક મુનિ સાથે સોમચંદ્રમુનિએ કાશ્મીર તરફ પ્રયાણ કર્યું. વિહાર કરતાં તેઓ ખંભાત નગરની બહાર આવ્યા. ત્યાં એક નેમનાથ ભગવાનનું સુંદર જિનાયલ હતું ત્યાં ભગવાનની નયનરમ્ય મૂર્તિ જોઈ સોમચંદ્રજી ધ્યાનમાં બેસી ગયા અને શાંત વાતાવરણ હોવાથી રાત્રે ત્યાં જ મંદિરમાં સરસ્વતી દેવીની આરાધના શરૂ કરવા માંડી ભગવાનની સામે પશાસન લગાવીને બેસી ગયા અને દેવી સરસ્વતીના ધ્યાનમાં લીન થઈ ગયા. એમ રાત્રિના છ કલાક વીતી ગયા. મુનિરાજ સ્થિર મનથી જાપ-ધ્યાન કરી રહ્યા હતા. અને દેવી સરસ્વતી સાક્ષાત પ્રગટ થયાં. દેવીએ મુનિ પર સ્નેહ વરસાવ્યો, કૃપાનો ધોધ વરસાવ્યો. દેવીએ કહ્યું, 'વત્સ, હવે તારે મને પ્રસન્ન કરવા કાશ્મીર જવાની જરૂર નથી. તારી ભક્તિ અને ધ્યાનથી હું દેવી સરસ્વતી તારા પર પ્રસન્ન થઈ છું. મારા પ્રસાદથી તું સિદ્ધ સારસ્વત થઈશ. આટલું કહીને દેવી તત્કાલે અશ્ય થઈ ગઈ અને સોમચંદ્રમુનિની પ્રજ્ઞા તત્કાલ વિકસિત થઈ. તેમના મુખમાંથી સરસ્વતીની સ્તુતિઓનો પ્રવાહ વહેવા લાગ્યો. સાથે સાથે ભગવાન નેમનાથની સ્તવના કરી. સવાર થતાં તેઓ ધર્મશાળામાં આવ્યા અને સહવર્તી મુનિને કહ્યું. જે કામ કાશ્મીર જઈ કરવાનું હતું તે સરસ્વતી કૃપાથી અહીં જ થઈ ગયું છે. ચાલો આપણે પાછા ગુરુજી પાસે જઈએ. બને મુનિરાજો ગુરુજી પાસે પહોંચી ગયા અને રાત્રિનો સર્વ વૃત્તાંત ગુરુદેવને કહી સંભળાવ્યો. ગુરુદેવે સોમચંદ્રમુનિના મુખ પર પરિવર્તન જોયું, અપૂર્વ તેજ તેમને દેખાયું. તેઓ ખૂબ પ્રસન્ન થયા અને નિખાલસ હૃદયે સોમચંદ્રમુનિની પ્રશંસા કરી. ગુરુ પણ ગુણવાન શિષ્યની પ્રશંસા કરતા હોય છે. ગુરુદેવે કહ્યું, 'વત્સ! એક જ દિવસની ઉપાસનાથી તું આવી સિદ્ધિ મેળવી શક્યો, એ તારું મહાન સૌભાગ્ય ઉદયમાં આવ્યું છે. હવે તું કોઈ પણ વિષય પર લખી શકીશ, બોલી શકીશ, બીજાઓને સમજાવી શકીશ. તું રાજા-મહારાજાઓને પણ પ્રતિબોધ આપીને મોક્ષમાર્ગના આરાધક બનાવી શકીશ. સોમચંદ્રમુનિએ નમ્રતાથી કહ્યું, ગુરુદેવ, આપની કૃપાથી જ આ સિદ્ધિ મળી છે.” ત્યારથી સોમચંદ્રમુનિએ ધર્મગ્રંથોનું સર્જન કરવા માંડ્યું અને દિવસ ને રાત એક જ કામ. એક મિનિટની પણ આળસ કર્યા વગર સાહિત્યનું સર્જન. આચાર્ય શ્રી દેવચંદ્રસૂરીજી શિષ્ય પરિવાર સાથે વિહાર કરતા કરતા નાગપુર પહોંચ્યા. અહીં નાગપુરમાં ધનદ શેઠ નામનો એક ખૂબ જ ધનવાન શેઠ વસતો હતા. તેમની પાસે અઢળક ધન હતું. સુંદર પરિવાર હતો. ધન મુસીબતના વખતમાં કામમાં આવે એવા Page #275 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૪૮ વિચારે ચડુમાં સોનાનું દ્રવ્ય ભરીને ચરુ જમીનમાં દાટ્યા હતા. કર્મ સંજોગે વેપારમાં ખૂબ જ નુકસાન થયું. બધું વેપારમાં નાશ પામ્યું એટલે શેઠે દાટેલું ધન કાઢવા વિચાર્યું. દાટેલા ચુરુ કાઢતાં તેમાં સોનાની લગડીઓને બદલે કોલસા જ હાથ લાગ્યા. શેઠને આ ઘા ઘણો વસમો લાગ્યો. તેઓ અત્યંત ગરીબીથી રહેવા લાગ્યા. સ્ત્રીઓના દાગીના વેચ્યા. પોતાની હવેલી સિવાય બીજી જે કંઈ મિલકતો હતી તે વેચી નાખી. ચરુમાંથી નીકળેલા કોલસાનો ઢગલો હવેલીના કમ્પાઉન્ડના એક ખૂણામાં રાખ્યો હતો. એક દિવસ શ્રી સોમચંદ્ર મુનિ બીજા એક મુનિ સાથે ગોચરી માટે શેઠની હવેલીએ પધાર્યા. શેઠ ને તેનું કુટુંબ લોટ પાણીમાં પલાળી તેની રાબ પીતા હતા તે જોઈ સોમચંદ્રમુનિએ બીજા મુનિને કહ્યું, "કેમ આ શેઠ આવો આહાર કરે છે ? તેઓ તો એકદમ ધનવાન છે. જુઓ પેલા ખૂણામાં સોનાનો ઢગલો પડેલો છે.” શેઠે આમાંથી કંઈક સાંભળી લીધું. બરાબર તો સમજાયું નહિ, પણ બીજા મુનિ હતા તેમને પૂછ્યું : આ મહારાજ શું કહે છે ? બીજા મુનિએ કહ્યું, એ તો અમારા વચ્ચે વાતો હતી. પણ શેઠે સોનું એવો શબ્દ સાંભળેલો તેથી તેમણે આગ્રહ કર્યો એટલે મહારાજે પૂછ્યું, તમે ધનવાન હોવા છતાં કેમ ગરીબની માફક રહો છો ? શેઠે પોતાની કથની કહી. એટલે મુનિ સોમચંદ્રે કહ્યું, એ ઢગલો કોલસાનો નથી, સુવર્ણ જ છે. અને શેઠનો હાથ પકડી તે ઢગલા પાસે લઈ ગયા. શેઠને હજુ કોલસા જ દેખાતા હતા. તેમણે કહ્યું, આ તો કોલસા જ છે. મુનિએ કહ્યું, “નાં, ના. આ સુવર્ણ જ છે.” શેઠે કહ્યું, ગુરુદેવ, આપ એ ઢલગાને આપના હસ્તે પાવન કરો. જેથી તે મને પણ સુવર્ણ દેખાય ! ગુરુએ એ ઢગલા ઉપર નવકાર મંત્ર ગણી હાથ મૂક્યો અને શેઠના આશ્ચર્ય વચ્ચે તેમને સુવર્ણ દેખાયું. તેમણે સોમચંદ્રમુનિનો ઉપકાર માન્યો અને તેમની પાછળ પાછળ ઉપાશ્રયે ગયા. ત્યાં જઈ આચાર્યશ્રીને જણાવ્યું, આ ધન હવે મારું નથી. શ્રી સોમચંદ્રમુનિના પ્રભાવે આ ધન જે કોલસા રૂપે હતું તે મને મળ્યું છે. આચાર્યશ્રીએ શેઠને રસ્તો બતાવ્યો. એ ધન એક સુંદર પ્રભુ મહાવીરનું મંદિર બનાવી વાપરવા જણાવ્યું અને શેઠે તે પ્રમાણે દેરાસર બંધાવ્યું. એક બાજુ દેરાસર બંધાતું હતું, બીજી બાજુ શેઠના ધંધા સુધરતા ચાલ્યા અને વેપારમાં અઢળક ધન કમાયા. મંદિર તૈયાર થતાં સારા મુહૂર્તે પ્રતિષ્ઠાનો મહોત્સવ કર્યો અને ભગવાન મહાવીર સ્વામીની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. નાગપુરથી વિહાર કરી આચાર્ય દેવ પાટણ પધાર્યા. પાટણમાં દેવેન્દ્રસૂરી નામના આચાર્ય દેવ બિરાજતા હતા. તેઓ પણ દેવચંદ્રસૂરીશ્વરના જ શિષ્ય રત્ન હતા. દેવેન્દ્રસૂરી Page #276 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ર૪૯ અને સોમચંદ્રમુનિ બન્ને ખાસ મિત્રો હતા. તેઓ સાથે જ્ઞાનચર્ચા કરતા અને એકબીજાના મનની વાતો પણ કરતા. એક દિવસ બન્ને મુનિરાજ ઉપાશ્રયમાં જ્ઞાન ચર્ચા કરતા હતા ત્યાં એક પુરુષે આવીને વંદના કરી ને ત્યાં બેઠો અને પોતાનો પરિચય આપતાં કહ્યું કે, હું પાટણનો જ રહેવાસી છું, પરંતુ ભારતના ઘણા પ્રદેશોમાં ફરેલ છું. મહાત્માઓ મેં તમારા ગુણોની અને જ્ઞાનની પ્રશંસા સાંભળી છે એટલે જ તમારા દર્શન કરવાં અને કંઈક કહેવાનું મન છે. આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીજીએ કહ્યું, શું કહેવું છે તમારે ? સંકોચ રાખ્યા વિના જે કંઈ કહેવું હોય તે કહો. મહારાજ! તમે બન્ને ગૌડ દેશમાં જાઓ, ત્યાં ઘણા માંત્રિકો અને તાંત્રિકો છે, અનેક દિવ્ય શક્તિઓ ધરાવનાર મહાપુરુષો છે, ત્યાં આપ પધારો અને એ શક્તિઓ મેળવો.' મુનિરાજોએ એ ઉપર વિચાર કરીને યોગ્ય કરવા કહ્યું પેલો પુરૂષ ચાલ્યો ગયો. બને મુનિઓએ એકબીજા સામે જોયું અને આ માણસની વાત તો ગમી જો ગુરુદેવ રજા આપે તો બન્ને જણ ગૌડ દેશમાં જઈએ એમ નક્કી કર્યું. બને જણે ગુરુદેવ પાસે જઈ ગૌડ દેશ જવાની આજ્ઞા માગી ગુરુદેવે આશીર્વાદ સાથે અનુમતિ આપી. બન્નેએ વિહાર શરૂ કર્યો. એક સંધ્યાએ ખેરાળુ નામના ગામમાં બને આવી પહોંચ્યા. રાત્રિ પસાર કરવા ઉપાશ્રયમાં રોકાયા. ત્યાં એક વૃદ્ધ સાધુ આવી પહોંચ્યા. પડછંદ કાયા, સુંદર રૂપ અને આંખોમાં અપૂર્વ તેજ. આવતાં જ તેમણે પૂછ્યું, મહાત્માઓ! હું અહીં રાત્રિવાસ રહી શકીશ? બન્નેએ કહ્યું : પધારો મહાત્મા, ઘણી ખુશીથી આપ અમારી સાથે રાતવાસો કરો અમને આનંદ થશે. આ સાધુપુરુષ તેમને કોઈ મહાન વિદ્યાસિદ્ધ પુરુષ લાગ્યો. બન્નેએ તેમને વંદના કરી કુશળતા પૂછી. વૃદ્ધ મહાત્માએ તેમને ક્યાં જવા નીકળ્યા છે એમ પૂછ્યું. બન્ને જણાએ જણાવ્યું કે, વિદ્યાપ્રાપ્તિ માટે તેઓ ગૌડ દેશ જવા નીકળ્યા છે. વૃદ્ધ પુરુષે કહ્યું, વિદ્યાપ્રાપ્તિ માટે એટલે દૂર જવાની જરૂર નથી. હું તમને તમારી મનોવાંછિત વિદ્યાઓ આપીશ. પણ હું ચાલી શક્તો નથી અને મારે ગિરનાર જવું છે, તમો મને ત્યાં પહોંચાડો, હું તમને વિદ્યાઓ આપીશ. Page #277 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૫૦ બન્ને સાધુઓએ ગામના આગેવાન પાસે જઈ વેલી અને ઉપાડનારા માણસોની સગવડ કરી આવ્યા. વાતો કરતા કરતા અને મિત્રો ક્યારે ઊંઘી ગયા, તેની તેમને ખબર ન પડી. બ્રાહ્મ મુહૂર્તમાં જ્યારે તેઓ જાગ્યા, શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરી આંખો ખોલી તો તેમના આશ્ચર્ય વચ્ચે તેઓ પહાડો વચ્ચે હતા તેમ જણાયું. ખેરાલુથી અહીં કેવી રીતે આવ્યા? આ તો ગિરનાર લાગે છે. કોઈ વિદ્યાશક્તિએ આપણને અહીં લાવીને મૂકી દીધા છે. બંને મુનિ ઊભા થયા. એક ઘટાદાર વૃક્ષ નીચે ઊભા રહ્યા. હજુ સૂર્યોદય થયો ન હતો. તેમણે તેમની પાસે અચાનક તેજનું વર્તલ જોયું. તીવ્ર પ્રકાશ રેલાઈ રહ્યો, બન્ને માટે આ વળી નવું આશ્ચર્ય હતું. એક તેજસ્વી દેહપ્રભાવવાળી દેવી પ્રગટ થઈ. એ બે મહાત્માઓની પાસે આવી. એના મુખ પર આછું સ્મિત હતું. તે બોલી : હું શાસન દેવી છું. તમારા ઉત્કૃષ્ટ ભાગ્યથી આકર્ષાઈ અહીં આવી છું. પણ અમને ખેરાલુથી અહીં કોણ લઈ આવ્યું? સોમચંદ્રમુનિએ પૂછ્યું. હું જ લઈ આવી છું તમને. દેવી બોલી. અને અમારી સાથે રાતવાસો કરી રહેલા વૃદ્ધ મહાત્મા ક્યાં ગયા?' એ હું જ હતી, તમારી વિદ્યાઓ માટેની તીવ્ર અભિલાષા જાણીને, એ રૂપે હું તમને મળી હતી. હું તમને અહીં ગિરનાર મહાતીર્થમાં લઈ આવી છે. આ તીર્થના અધિપતિ છે ભગવાન નેમનાથ. "મહાત્માઓ ! આ પહાડ અદભુત છે. અહીં અનેક દિવ્ય ઔષધિઓ છે. અહીં કરેલી મંત્રસાધના જલદી સિદ્ધ થાય છે. હું તમને કેટલીક દિવ્ય ઔષધિઓ બતાવીશ અને સાંભળતાં જ સિદ્ધ થઈ જાય તેવા બે મંત્ર આપીશ." એક મંત્રથી દેવોને બોલાવી શકાશે અને બીજા એક મંત્રથી રાજા-મહારાજા વશ થશે. તમને આ બે મંત્રો હું આપું છું, તમે એકાગ્રચિત્તે એ સાંભળો. શાસનદેવીએ આ બે મંત્રો સંભળાવ્યા. સંભળાવીને કહ્યું. ચાલો, તમને કેટલીક દિવ્ય ઔષધિઓ બતાવું તમે તે વીણી લેજો. તે ઔષધિઓ તે તે રોગ ઉપર તત્કાલ અસર કરનારી છે." હજુ સૂર્યોદય થયો ન હતો. બન્ને મહાત્માઓએ કેટલીક ઔષધિઓ ભેગી કરી લીધી. Page #278 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૫૧ દેવીએ કહ્યું, "તમને જે બે મંત્રો સંભળાવીને આપ્યા છે તે ભુલાઈ ન જાય તે માટે તમે આ અમૃત પી જાઓ.” દેવીએ અમૃતથી ભરેલું કમંડલ તેમની આગળ ધર્યું. દેવેન્દ્રસૂરીએ પીવા ના કહી, કારણ કે હજુ રાત્રીનો સમય હતો. સોમચંદ્ર સમયજ્ઞ હતા - નિયમ અને અપવાદના જાણકાર હતા. તેઓ તરત જ બધું અમૃત ગટગટાવી ગયા. બંને મંત્રો સોમચંદ્રમુનિની સ્મૃતિમાં જવઈ ગયા. દેવેન્દ્રસૂરીજી એ બંને મંત્રો ભૂલી ગયા. શાસનદેવીએ બંને મહાનુભાવોને મંત્રશક્તિથી ઉપાડીને પાટણમાં એમના ગુરૂદેવ દેવચંદ્રસૂરીજીની પાસે મૂકી દીધા અને શાસનદેવી અશ્ય થઈ ગયાં. દેવેન્દ્રસૂરીજી તથા સોમચંદ્રમુનિના મુખે આ ચમત્કારિક ઘટના સાંભળી દેવચંદ્રસૂરીજી અત્યંત પ્રસન્ન થયા અને આવા વિનમ્ર, વિવેક, બુદ્ધિમાન, ગુણવાન, ભાગ્યવાન અને રૂપવાન એવા સોમચંદ્રમુનિ ઘણા વિનીત છે, તેમને આચાર્યપદ આપવા વિચાર્યું. સંઘને ભેગો કરી સોમચંદ્રમુનિને આચાર્ય પદ આપવા વાત કરી. સંઘે હર્ષપૂર્વક વાતને વધાવી લીધી અને વૈશાખ સુદ ત્રીજ-અખાત્રીજને દિવસે શુભ મુહૂર્તે સોમચંદ્રમુનિને દેવચંદ્રસૂરીજીએ આચાર્ય પદવી આપીને તેમનું નામ હેમચંદ્રસૂરી જાહેર કર્યું. સંઘે તેમનો યજ્યકાર બોલાવ્યો. હવે આપણે પણ સોમચંદ્રમુનિને આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીજીના નામે ઓળખશું. આચાર્ય શ્રી હેમચંદ્રસૂરી પાટણના રાજમાર્ગ ઉપર ચાલ્યા જાય છે. તેમની પાછળ બે શિષ્યો છે. સામેથી ગુજરાતના રાજા સિદ્ધરાજની સવારી આવી રહી હતી. રાજા હાથી પર બેઠો, નગરનું અવલોકન કરતો હતો. લોકો બે હાથ જોડી રાજાનું અભિવાદન કરતા હતા. રાજાની નજર હેમચંદ્રસૂરી ઉપર પડી. પ્રતાપી અને પ્રભાવશાળી આચાર્યને જોઈ રાજા સ્તબ્ધ થઈ ગયો અને થયું આ સાધુ કોણ હશે. મેં આજ સુધી આવા સાધુ જોયા નથી હાથી ઉપરથી રાજાની અને શ્રી હેમચંદ્રાચાર્યની આંખેઆંખ મળી. રાજાએ બે હાથ જોડી પ્રણામ કર્યા. આચાર્યો જમણો હાથ ઊંચો કરી ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. Page #279 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૫૨ રાજાએ હાથી ઊભો રખાવ્યો. નીચે ઊતરી કંઈક સંભળાવવા વિનંતી કરી. આચાર્યે નીચે પ્રમાણે કહ્યું : સિદ્ધરાજ, તમે ગજને કેમ થોભાવ્યો ? એને એકદમ વેગથી આગળ ચલાવો કે જેથી એને જોઈને સર્વે દિગ્ગજો ત્રાસ પામીને જતા રહે કેમ કે હવે પૃથ્વીનો ભાર તમે ઉપાડ્યો છે, એ દિગ્ગજોની શી જરૂર છે ? રાજા આ સાંભળી ખૂબ જ આનંદિત થયો. શીઘ્ર કાવ્યરચના અને આચાર્યદેવની કલ્પના શક્તિ તેમને અસર કરી ગઈ. રાજાએ કહ્યું, 'ગુરુદેવ મારા પર કૃપા કરી પ્રતિદિન આપ રાજસભામાં પધારો. રાજન્, અનુકૂળતા મુજબ તમારી પાસે આવવાનું ગોઠવીશ.' ફરીથી ‘ધર્મલાભ’નો આશીર્વાદ આપી આચાર્યશ્રી આગળ ચાલ્યા. આ હતી સિદ્ધરાજ સાથેની શ્રી હેમચંદ્રાચાર્યની પહેલી મુલાકાત. ત્યાર પછી અવારનવાર આચાર્યશ્રી રાજસભામાં જવા લાગ્યા. તેમની મધુર અને પ્રભાવશાળી વાણીની રાજા ઉપર ધારી અસર પડવા લાગી અને રાજા જૈન ધર્મ તરફ આકર્ષાયો. રાજા માળવા દેશના રાજાનો પરાજય કરી પાટણમાં પ્રવેશ કરવાનો હતો. માત્ર તેણે માળવાનું રાજય જ ગમતું હતું એમ ન હતું; તેને માળવાની કલા, સાહિત્ય, અને સંસ્કારો પણ ગમી ગયાં હતાં. આ બધું તેને ગુજરાતમાં લાવવું હતું. માળવાની ધારા નગરીથી વિશાળ જ્ઞાનભંડાર ગાડાં ભરીને તે પાટણમાં લાવ્યો, તેમાંથી એક રાજા ભોજે લખેલ ગ્રંથ સરસ્વતી કંઠાભરણ' તેના હાથમાં આવ્યો. આ ગ્રંથ જોઈ તેને વિચાર આવ્યો કે, 'આવો ગ્રંથ ગુજરાતનો કોઈ વિદ્રાન ન બનાવી શકે ?' ગ્રંથ સાથે મારું નામ જોડાય તો ગ્રંથ અને હું બંને અમર થઈ જઈએ. રાજસભામાં જ રાજાએ સરસ્વતી કંઠાભરણનો એ ગ્રંથ હાથમાં લઈ રાજસભામાં બેઠેલા વિદ્વાનોને ઉદ્દેશીને કહ્યું, 'આવું રાજા ભોજે રચેલ વ્યાકરણ જેવું શાસ્ત્ર કોઈ ગુજરાતનો વિદ્રાન ન રચી શકે ? આવો કોઈ વિદ્વાન વિશાળ ગુજરાતમાં જન્મ્યો નથી ? રાજાની તથા હેમચંદ્રસૂરીજીની આંખો મળી ! "હું રાજા ભોજના વ્યાકરણ કરતાં સવાયા વ્યાકરણની રચના કરીશ.” હેમચંદ્રસૂરીજીએ આહ્વાન સ્વીકારી લીધું. Page #280 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ર૫૩ આચાર્યદેવે વ્યાકરણના આઠ ગ્રંથ કાશ્મીરમાંથી મંગાવ્યા. આવા બધા ગ્રંથોની બારીકાઈથી ખૂબીઓ અને ખામીઓને પારખી લીધી. સિદ્ધરાજની જોઈતી બધી સગવો મળવાથી એક વર્ષમાં સવા લાખ લોક પ્રમાણવાળા વ્યાકરણનો મહાગ્રંથ બનાવ્યો અને નામ આપ્યું સિદ્ધ હેમ વ્યાકરણ સિદ્ધ એટલે સિદ્ધરાજ અને હેમ એટલે હેમચંદ્રસૂરી સિદ્ધરાજ આ ગ્રંથ જોઈ ખૂબ આનંદિત થયો. તેને વાજતે ગાજતે હાથીના માથે મૂકીને ખૂબ જ ધામધૂમથી બધા રાજમાર્ગો ઉપર ફેરવી રાજસભામાં લઈ ગયા. એ ગ્રંથનું પૂજન કરી ગ્રંથને ગ્રંથાલયમાં મૂકવામાં આવ્યો. ૩૦૦ લહિયાઓને બેસાડી એ ગ્રંથની નકલો કરવામાં આવી. રાજાએ આની નકલો ભારતનાં તમામ રાજ્યોમાં મોકલાવી આપી. અનેક વિદ્વાનોએ આ ગ્રંથની પ્રશંસા કરી. આજે પણ સંસ્કૃત ભાષા ભણનારા સિદ્ધહેમં વ્યાકરણ ભણે છે. સિદ્ધરાજ બધી વાતે સુખી હતો. પણ દુ:ખ એક જ હતું કે, તેને કોઈ સંતાન ન હતું. રાણી સામે આ અંગે પોતાનું દુ:ખ વ્યક્ત કરતો. રાણી આશ્વાસન આપતી કે જે વાત ભાગ્યને આધીન છે તે અંગે શોક કરવાથી શું વળે ? પૂર્વ જન્મમાં કોઈ પુણ્ય કાર્ય નહીં ક્ય હોય, છતાં આપણે તીર્થયાત્રા કરીએ તો ઇચ્છિત ફળ મળે. સિદ્ધરાજને ગળે આ વાત ઊતરી ગઈ. એણે શ્રી હેમચંદ્રાચાર્યને તીર્થયાત્રા માટે પૂછ્યું અને તીર્થયાત્રામાં સાથે આવવા વિનંતી કરી આચાર્યદેવે રાજાનો આગ્રહ જોઈ અને સાથે જવા સ્વયં ઈચ્છા ન હોવા છતાં સંમત થયા. શુભ મુહૂર્તે રાજાએ શત્રુંજય ગિરિરાજ તરફ પ્રયાણ કર્યું. અનેક મુનિવરો સાથે આચાર્યદેવે પણ રાજાની સાથે જ પ્રયાણ કર્યું. રાજા સિદ્ધરાજ રાણી સાથે રથમાં પ્રવાસ કરે છે, પણ આચાર્યદેવ અન્ય મુનિવરો પગે ચાલતા હોવાથી સિદ્ધરાજને એ ન ગયું. તેણે આચાર્યદેવને એક રથ આપવા કહ્યું, પણ ગુરુદેવે ના કહી. અને કહ્યું “અમારાથી વાહનમાં બેસાય નહીં. પગરખાં પહેર્યા વિના ઉધાડા પગે જ અમારે ચાલવાનું હોય છે. જો અમે વાહનમાં બેસીએ તો વાહન ખેંચનારા ઘોડાઓને કષ્ટ થાય અને વાહન નીચે અનેક નાના મોટા જીવોની હિંસા થાય. માટે રાજન ! અમે વાહનમાં નહીં બેસીએ." - રાજાને આ સાંભળી ગુસ્સો આવ્યો અને આચાર્યદેવને ગુસ્સામાં કડવાં વચનો કહ્યાં. Page #281 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૫૪ સિદ્ધરાજનો રથ આગળ ચાલે છે. થોડે દૂર આચાર્યદેવ બીજા મુનિવરો સાથે ચાલે છે. રાજા ગુસ્સામાં આચાર્યદેવને મળતા નથી. એક દિવસ, બે દિવસ, એમ ત્રણ દિવસ ગયા. રાજાને થયું. જરૂર ગુરુદેવ મારા પ્રત્યે નારાજ થયા છે. મારી વિનંતીથી તે મારી સાથે આવેલા છે. મારે તેમના મનને દુભાવવું ન જોઈએ, પ્રસન્ન રાખવું જોઈએ. ચોથા દિવસે રાજા આચાર્યદેવને ઉતારે આવ્યા. આચાર્યદેવ શિષ્ય સાથે ભોજન કરતા હતા. તેમના ભોજન પાત્રમાં લુખ્ખી-સુક્કી રોટલીઓ જોઈ અને પાણીની કંજી જોઈ રાજા વિચારે છે. અહો ! આ જૈન સાધુ કેવી આકરી તપશ્ચર્યા કરે છે ! ખરેખર આ મહાત્માઓ પૂજાને યોગ્ય છે. એમનું મેં અપમાન કર્યું ! મારે તેમની ક્ષમા માગવી જોઈએ. આહાર-પાણીથી પરવાર્યા પછી આચાર્યદેવનાં ચરણમાં પડી રાજાએ ક્ષમા માગી. આચાર્યે કહ્યું, “તમારો કોઈ અપરાધ નથી. તેથી અમારે ક્ષમા આપવી પડે એવું છે જ નહીં. તમારે એમ ન સમજવું કે અમે રોષે ભરાયા છીએ. રાજાને સમજાયું કે, આ ગુરુદેવને તો મારી કોઈ જરૂર નથી. મારે તેમની જરૂર છે. આચાર્યદેવના આશીર્વાદ લઈ રાજા પોતાના સ્થાને ગયો અને પછીથી દરરોજ આચાર્યદેવને મળવા લાગ્યો. એમની પાસે બેસીને જૈન ધર્મનું તત્ત્વજ્ઞાન મેળવવા લાગ્યો. એમ કરતાં કરતાં તેમનો સંઘ પાલિતાણા પહોંચી ગયો. શત્રુંજય ગિરિરાજનાં દર્શન કરી સિદ્ધરાજનું હૃદય નાચી ઊઠ્યું. બીજે દિવસે આચાર્યદેવ તથા અન્ય મુનિવરોની સાથે રાજા શત્રુંજયના પહાડ ઉપર ચડ્યો. ઋષભદેવનાં દર્શન કરી બધા ધન્ય બન્યા. ભાવપૂર્વક પૂજા કરી. નવા સંસ્કૃત કાવ્યની રચના કરી આચાર્યદેવે ભગવાનની સ્તુતિ કરી. પહાડ ઊતરી રાજાએ તળેટી ઉપર સદાવ્રત શરૂ કર્યું. રાજાએ યાત્રા નિમિત્તે વાચકોને દાનમાં સોનામહોરો તથા સુંદર વસ્ત્રો આપ્યાં. શત્રુંજય જાત્રા કરી સંઘ ગિરનાર આવ્યો. ગિરનાર ઉપર પ્રભુ નેમનાથનાં દર્શન કર્યા અને તેમનાથનું ચરિત્ર રાજાને સંભળાવ્યું. આ ચરિત્ર સાંભળી રાજા આશ્ચર્યચકિત થઈ ગયો. Page #282 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૫૫ ગિરનારનો પહાડ ઊતરી રાજાએ ગુરુદેવને પ્રભાસ પાટણ જઈ સોમનાથ મહાદેવનાં દર્શન કરવા વિનંતી કરી. આચાર્યદેવે સોમનાથ જવા સંમતિ આપી. રાજાને મન શંકા હતી કે જૈન આચાર્ય સોમનાથ મહાદેવને નમન કરશે કે નહીં, પણ આચાર્ય દેવે તો મહાદેવની મૂર્તિ સમક્ષ વીતરાગી મહાદેવને સ્મૃતિ પટ પર લાવી પ્રણામ કરી ત્યાં બેસી સ્તુતિઓ બોલવા માંડી. ૪૪ શ્લોક બનાવીને બોલ્યા : 'જન્મરૂપી બીજના અંકુરને જન્મ આપનારા રાગાદિ જેમના નાશ પામ્યા છે તે બ્રહ્મા હો, વિષ્ણુ હો, શિવ હો કે જિન હો તેમને મારા નમસ્કાર હોજો.” ગિરનારની જાત્રા કરી સંઘ કોડીનાર આવ્યો. કોડીનારમાં અંબિકાદેવી એટલે હાજરાહજૂર દેવી. એના પ્રભાવની વાતો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફેલાયેલી છે. રાજાએ આચાર્યદેવને અતિ નમ્રતાથી વિનંતી કરી : “ગુરુદેવ મારી પાસે બધું છે. તે છતાં હું અને રાણી બંને દુ:ખી છીએ. કારણ આપ જાણો છો અમને એકે પુત્ર નથી.” તેથી ગુરુદેવ આપ દેવી અંબિકાની આરાધના કરી પૂછી લો કે મને પુત્ર મળશે કે નહીં ? અને મારા મૃત્યુ પછી ગુજરાતનું રાજ્ય કોણ ભોગવશે ?” આચાર્યદેવે કહ્યું, "હું દેવીની આરાધના કરી પૂછી લઉં છું, આરાધના માટે આચાર્યદેવે ત્રણ ઉપવાસ કર્યા અને પછી દેવીના મંદિરમાં બેસી ગયા, ધ્યાનમાં નિમગ્ન થઈ ગયા. ત્રીજા દિવસે મધ્યરાત્રિના સમયે દેવી અંબિકા, ગુરુદેવની સામે પ્રગટ થઈ. દેવીએ ગુરુદેવને હાથ જોડી વંદના કરી અને પૂછ્યું, ‘ગુરુદેવ ! મને શા માટે યાદ કરી ?' ગુજરાતના રાજા સિદ્ધરાજના ભાગ્યમાં પુત્રપ્રાપ્તિનો યોગ છે કે નહીં એ પૂછવા આપને યાદ કર્યાં છે. દેવીએ કહ્યું, એના પૂર્વજન્મનાં પાપકર્મોના યોગે પુત્રપ્રાપ્તિ નહીં થાય. “તો પછી સિદ્ધરાજના મૃત્યુ પછી ગુજરાતનો રાજા કોણ થશે ? દેવી !” આચાર્યશ્રીએ પૂછ્યું. દેવીએ કહ્યું, 'ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ, રાજા બની જૈન ધર્મનો ખૂબ ફેલાવો કરશે.' આટલું કહી દેવી અશ્ય થઈ ગઈ. આચાર્યદેવ પોતાના સ્થાને આવ્યા. ત્રણ દિવસના ઉપવાસનું પારણું કર્યું. Page #283 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૫૬ રાજા સિદ્ધરાજ ખૂબ જ ઉત્કંઠાથી ગુરુદેવ પાસે આવ્યો. ગુરુદેવને વંદના કરી વિનયપૂર્વક બેઠો. ગુરુદેવે કહ્યું, "તમારા ભાગ્યમાં પુત્રનો યોગ નથી અને તમારા પછી ગુજરાતનો રાજા કુમારપાળ બનશે.” "કોણ કુમારપાળ ?' રાજાએ આશ્ચર્યથી પૂછ્યું. ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ. ગુરુદેવે કહ્યું. સિદ્ધરાજ અત્યંત ખિન્ન થઈ ગયો. આચાર્યદેવે સિદ્ધરાજના અશાંત મગજને શાંતિ આપવા યોગ્ય ઉપદેશ આપ્યો. પરંતુ પુત્રપ્રાપ્તિની તીવ્ર ઇચ્છાના કારણે ઉત્પન્ન થયેલું તેનું દુઃખ દૂર ન થયું. સંઘ પ્રયાણ કરી પાટણ આવ્યો. રાજાએ શ્રેષ્ઠ જ્યોતિષીઓને બોલાવી પુત્રપ્રાપ્તિ માટે પૂછ્યું. તેમના તરફથી પણ દેવી અંબિકા જેવો જ જવાબ મળ્યો ! સિદ્ધરાજે હવે પુત્રપ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ નહીં થાય એમ સમજવાથી પોતાનું ધ્યાન કુમારપાળનો કાંટો કાઢી નાખવા વિચાર્યું અને પોતાની રીતે કાર્ય આરંભ્ય. આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યે અથાગ મહેનત લઈ પોતાની વીસ વર્ષની ઉંમરથી સાહિત્યસર્જનનું કામ શરૂ કર્યું હતું, તે તેમના ચોરાસી વર્ષે થયેલા અવસાન સુધી એટલે કે ચોસઠ વર્ષ સુધી ચાલુ રાખ્યું હતું. તેમના સાહિત્યસર્જનમાં સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ઉપરાંત અભિધાન ચિંતામણી દ્વારા તેમણે એક અર્થના અનેક શબ્દો આપ્યા - અનેકાર્થ સંગ્રહ દ્વારા એક શબ્દના અનેક અર્થ આપ્યા. અલંકાર ચૂડામણિ' અને 'છંદાનુશાસન દ્વારા કાવ્યછંદની ચર્ચા કરી અને દ્વાયાશ્રય દ્વારા ગુજરાત, ગુજરાતની સરસ્વતી અને ગુજરાતની અસ્મિતા વર્ણવી દ્વાયાશ્રય માં ચૌદ સર્ગ સુધી સિદ્ધરાજના સમયની વાતો કરી અને પછીના સર્ગોમાં કુમારપાળના રાજ્યકાળની વાતો આવે છે. બધું મળી સાડાત્રણ બેડ લોક પ્રમાણ તેમનું સાહિત્ય ગણાય છે. જ્યારે તેમને લાગ્યું કે મારો અંત સમય નજીક છે ત્યારે તેમણે સંઘને, શિષ્યોને, રાજાને સહુને આમંત્રી તેમને છેલ્લી હિતશિક્ષાઓ આપી, સૌને ખમાવી યોગીન્દ્રની જેમ અનશન વ્રત ધારણ કરી, શ્રી વીતરાગની સ્તુતિ કરતાં. દેહ છોડ્યો. શ્રી હેમચંદ્રાચાર્યનો જન્મ સંવત ૧૧૪૫, દીક્ષા ૧૧૫૬, સૂરીપદ ૧૧૬૬ અને સ્વર્ગવાસ સંવત ૧રર૯માં નોંધાયેલ છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૫૭ • શ્રી કુમારપાળ ૧. રાજગાદી ઉપર આવ્યો ત્યારે રાજા સિદ્ધરાજ પોતાના કાકાના દીકરા ત્રિભુવનપાળને પોતાના ભાઈ જેવો માનીને તેને માન આપતો હતો; પરંતુ હેમચંદ્રાચાર્ય પાસેથી અંબિકા દેવીનાં વચનો સાંભળ્યાં કે ત્રિભુવનપાળનો પુત્ર કુમારપાળ પોતાના પછી પોતાનું રાજ્ય સંભાળશે ત્યારે તેનું મન બદલાઈ ગયું. ત્રિભુવનપાળની પત્ની કાશ્મીરદેવીના પેટમાં એક ઉત્તમ જીવ આવ્યો તે પછી તેના મનમાં સારી સારી ઇચ્છાઓ જાગવા લાગી. જેવી કે હું જગતના બધા જીવોને અભયદાન આપું ! હું મનુષ્યને બધાં વ્યસનોથી છોડાવું ! હું ખૂબ દાન કરું ! હું પરમાત્માનાં મંદિરો બંધાવું વગેરે વગેરે. નવ મહિના પૂર્ણ થતાં કાશ્મીરદેવીએ એક સુંદર અને તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો. એ વખતે આકાશમાં દેવવાણી થઈ : “આ બાળક વિશાળ રાજ્ય પ્રાપ્ત કરશે અને તેમાં ધર્મનું સામ્રાજ્ય સ્થાપિત કરશે.” નવો જન્મેલો આ પુત્ર સુંદર હતો, સૌને વહાલો લાગે તેવો અને ભાગ્યશાળી હતો. તેનું નામ ‘કુમારપાળ' રાખ્યું. માતાએ પુત્રને ગુણવાન બનાવવા ઠીકઠીક મહેનત લીધી. તેને વ્યાવહારિક શિક્ષણ સાથે સાથે યુદ્ધકળા શીખવવામાં આવી. ૧૭ યૌવન અવસ્થામાં આવતાં માતાપિતાએ ભોપળદેવી સાથે પુત્રનું લગ્ન કર્યું. કુમારપાળ માતાપિતા સાથે દધિસ્થલીમાં રહેતા હતા. જરૂરી પ્રસંગે ત્રિભુવનપાળ પાટણ જતાં-આવતાં રહેતા. એક વાર ત્રિભુવનપાળ સાથે કુમારપાળ પણ પાટણ ગયા. તેમણે હેમચંદ્રસૂરીજીની ખૂબ પ્રશંસા સાંભળી હતી. તેમણે ઉપાશ્રયે પહોંચી બે હાથ જોડી મસ્તક નમાવી ગુરુદેવને વંદના કરી, પોતાનો અલ્પ પરિચય આપ્યો. ગુરુદેવે ‘ધર્મલાભ’નો આશીર્વાદ આપ્યો. કુમારપાળે નમ્રતાથી આચાર્યશ્રીને પૂછ્યું, “ગુરુદેવ ! આજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછવો છે.” ગુરુદેવે સુખેથી પૂછવા કહ્યું, Page #285 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૫૮ "ગુરુદેવ! સૃષ્ટિમાં અનેક પ્રકારના માણસો વસે છે. તેમનામાં જુદા જુઘ પ્રકારના ગુણો હોય છે. પ્રભુ ! એ બધામાં શ્રેષ્ઠ ગુણ કયો છે? ગુરુદેવે કહ્યું, સર્વ શ્રેષ્ઠ ગુણ છે. જે મનુષ્યમાં સત્વ હોય છે તેનામાં બધા ગુણો આવી જાય છે." આ સત્વ ગુણ વિશે મને વિસ્તારથી સમજાવવા કૃપા કરો." કુમારપાળે વિનવ્યું. હેમચંદ્રાચાર્ય સમજાવે છે: - સત્વશીલ પુરુષ દુખમાં પણ ધર્મ છોડતો નથી. - તે લીધેલી પ્રતિજ્ઞાને ઢતાથી પાળે છે. - તે દુઃખમાં હિંમત હારતો નથી કે નિરાશ થઈ જતો નથી, - તેને માટે કોઈ કામ અશક્ય જણાતું નથી - તે ક્યારેય હાય હાય કે અરેરે એવા કાયરતા સૂચક શબ્દો બોલતો નથી - વર્ષો સુધી દુઃખો સહન કરવાની તે ધીરજ રાખતો હોય છે. - તે રાજા હોય તો પ્રજાની રક્ષા માટે સતત પ્રયત્ન કરતો રહે છે. જરૂર પડયે પોતાનું બલિદાન પણ આપી દે છે. આમ આડકતરી રીતે આચાર્યદેવે કુમારપાળને ભાવિ જીવન અંગે નિર્દેશ આપ્યો. અને કહ્યું, “જોજે કુમાર, તારા માથે દુઃખના ડુંગર તૂટી પડવાના છે ત્યારે હિંમત હારીશ નહીં અને તારા સત્વનો પરિચય કરાવજે.” કુમારપાળ આ બોધ સાંભળી નમસ્કાર કરી પોતાને સ્થાને ગયો. હેમચંદ્રસૂરીજીને ખ્યાલ આવી ગયો હતો કે કુમારપાળ સિદ્ધરાજના મૃત્યુ પછી રાજા બને એ વાત સિદ્ધરાજને જરાય નથી ગમી ! અને એટલે એ ડંખીલો રાજા કુમારપાળને મારી નંખાવવા પ્રયત્ન અવશ્ય કરશે. અંતે વૃદ્ધ થતા જતા સિદ્ધરાજે કુમારપાળને મારવા તંત્ર ગોઠવી દીધું હતું. કુમારપાળ પણ આ વાત સમજતો હતો. તે સાવધાન હતો. તેણે સમય ઓળખી વતન છોડ્યું. તે સંતાતો-છૂપાતો કરવા લાગ્યો - ક્યારેક ખાવા મળે છે ક્યારેક ભૂખ્યો પણ રહે છે. રખડતાં ક્યારેક પાણીની પણ સગવડ નથી થતી. એમ કરતાં એક વખત તે ખંભાત આવી ચડ્યો. શ્રી હેમચંદ્રાચાર્ય ખંભાતમાં છે તે જાણતાં તે ઉપાશ્રયે મહારાજશ્રીને વાંદવા ગયો. વંદના કરી. આચાર્યશ્રીએ કુમારપાળને ઓળખી લીધો. ધર્મલાભના આશીર્વાદ આપ્યા. Page #286 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૫૯ કુમારપાળે કહ્યું, હે આચાર્યદેવ ! આપ તો જ્ઞાની છો. રાજાના ઘરમાં જન્મ લેવા છતાં વન-વન ભટકું છું. મને કહો કે આ અસહ્ય દુખનો અંત ક્યારે આવશે? મારા પ્રારબ્ધમાં સુખ છે કે નહીં? આચાર્યદેવ ધ્યાનસ્થ બન્યા. તેમને દેવી અંબિકાના શબ્દો યાદ આવ્યા. તેમણે આંખો ખોલી કુમારપાળને કહ્યું, 'વત્સ ! તને થોડા વખત પછી રાજ્ય મળશે ! તું આ ગુજરાતનો રાજા બનીશ.' "કુમારપાળ આ વાત પર હસી પડ્યો. તેણે કહ્યું, જ્યાં એક ભિખારી કરતાંય મારી ખરાબ દશા છે; ક્યારેક બે ત્રણ દિવસ સુધી ખાવા અન્ન નથી મળતું એવો હું અભાગી રાજા બનીશ? ના રે ના ? ગુરુદેવે કહ્યું, કુમાર ! તારી વાત પણ સાચી છે . આવી સ્થિતિમાં તેને રાજા બનવાની વાત સાચી ના લાગે પરંતુ મને તારું ભવિષ્ય ઘણું જ ઊજળું લાગે છે." આ વખતે મહામંત્રી ઉદયન ઉપાશ્રયમાં આવ્યા - તેમણે ગુરુદેવને વંદના કરી બાજુમાં બેઠા. કુમારે વિચાર્યું - આ યોગી પુરુષ છે. તેમનું કથન ખોટું ન હોય. પણ લાવ પૂછી લઉં કે ક્યારે મને રાજ્ય મળશે. તેણે ગુરુદેવને પૂછ્યું, હે યોગીરાજ ! શું તમે કહી શકશો કે ક્યા વર્ષમાં, ક્યા મહિનામાં ને કઈ તિથિના દિવસે હું રાજા થઈશ !" ગુરુદેવે ધ્યાન ધરી જવાબ આપ્યો, વિ.સં. ૧૧૯૯, માગસર વદ ચોથના દિવસે તને રાજગાદી મળશે.” તેમણે શિષ્ય પાસે આ ભવિષ્યકથન બે કાગળ પર લખાવ્યું. એક કાગળ કુમારપાળને આખો અને બીજો કાગળ મહામંત્રી ઉદયનને આખો. આચાર્યદેવે બાજુમાં લઈ જઈ ઉદયન મંત્રીને કુમારપાળની તકલીફ સમજાવી અને એને સંભાળી રાખવા સમજાવ્યું. અને કહ્યું, આ ભવિષ્યનો રાજા છે. તેની પ્રાણ રક્ષા કરવાની છે. સિદ્ધરાજ તેને મારવા પ્રયત્નશીલ છે. તેને તમારી હવેલીમાં કોઈને ખબર ન પડે તેમ રાખજો." આચાર્યશ્રીની આજ્ઞા મુજબ તેઓ કુમારપાળને પોતાને ત્યાં લઈ ગયા. ઘણા વખતે કુમારપાળે ત્યાં સ્વાદિષ્ટ ભોજન કર્યું અને થાક ઉતારવા નિરાંતે બાર કલાકની ઊંઘ ખેંચી કાઢી Page #287 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૬૦ થો દિવસ શાંતિથી પસાર થયા. ગુપ્તચર દ્વારા સિદ્ધરાજને ખબર પડી કે કુમારપાળ ખંભાતમાં છે. તેણે એક સૈનિકોની ટુકડી ખંભાત કુમારપાળને શોધી મારી નાખવા મોકલી. ઉદયન મંત્રીને ખબર પડી ગઈ કે, સિદ્ધરાજ કુમારપાળને શોધી મારી નાખવા માગે છે અને તેની શોધમાં સૈનિકો ખંભાત આવી ગયા છે. તેમણે કુમારપાળને હેમચંદ્રાચાર્યના ઉપાશ્રયમાં મોકલી આચાર્યશ્રીને કુમારપાળને બચાવવા કહ્યું. ગુરુદેવે કુમારપાળને ભોંયરામાં પુસ્તકોની પાછળ સંતાડી દીધો અને જરકે અવાજ ન કરવા જણાવ્યું. સૈનિકો શોધતાં શોધતાં ઉપાશ્રયે આવ્યા અને તોછડાઈથી આચાર્યશ્રીને કુમારપાળ અહીં જ છે" આપી દો. એમ રોફથી જણાવ્યું. આચાર્યશ્રીએ અહીં નથી ન માનતા હો તો જોઈ લો બધ." સૈનિકો ચારે બાજુ તપાસ કરી પાછા ગયા. આમ કુમારપાળ એક ઘાતમાંથી બચી ગયા. થોડી વાર પછી કુમારપાળને ભોંયરામાંથી બહાર કાઢ્યો. કુમારપાળે સૈનિકો સાથેની બધી વાત સાંભળેલી તેણે ગુરુદેવનો ઉપકાર માન્યો અને કદી તમારો આ ઉપકાર નહિ ભૂલું અને આજથી હું તમારો દાસ છું એમ જણાવ્યું. શ્રી હેમચંદ્રાચાર્યે રાજ્ય મળે ત્યારે જૈન ધર્મનો પ્રચાર કરજે. ભવિષ્યમાં અસંખ્ય જીવોની તું રક્ષા કરજે એટલે લાભાલાભનો વિચાર કરી આ ચાલાકી વાપરી હતી. વિ. સંવત ૧૧૯૯ આવતાં કુમારપાળ પાટણ પહોંચી ગયા. તેમની બહેન પ્રેમલદેવીના ઘરે રહ્યા. બનેવી કૃષ્ણદેવે તેને યોગ્ય સન્માન સાથે સાચવ્યો. મહારાજા સિદ્ધરાજ મૃત્યુશૈયા ઉપર હતા ત્યારે જ કુમારપાળ પાટણ પહોંચ્યા હતા. હવે કોઈ ભય નથી એમ કૃષ્ણદેવે જણાવ્યું. સિદ્ધરાજનું કુમારપાળ પાટણ આવ્યા બાદ સાતમા દિવસે મૃત્યુ થયું અને માગસર વદ ચોથના દિવસે સર્વાનુમતિથી રાજા કુમારપાળ રાજગાદી પર બેઠા. કુમારપાળ રાજા બન્યા તે સાંભળી હેમચંદ્રાચાર્ય વિહાર કરી ખંભાતથી પાટણ આવ્યા. મહામંત્રી ઉદયનને આ સમાચાર મળતાં તેમણે નગરજનો સાથે આચાર્યદેવનું ભવ્ય સ્વાગત કર્યું. આચાર્યદેવે કુમારપાળના સમાચાર ઉદયન મંત્રીને પૂછ્યા. જેમણે જેમણે કુમારપાળને ભૂતકાળમાં મદદ કરેલી તે બધાને યોગ્ય પુરસ્કાર આપ્યા છે તેમ મંત્રીએ જણાવ્યું પણ આપને ખાસ યાદ કરતા હોય એમ લાગતું નથી એમ મંત્રીએ જણાવ્યું. Page #288 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૬૧ | હેમચંદ્રાચાર્યે ઉદયનમંત્રીને કહ્યું, તમે કુમારપાળ પાસે જાઓ અને કહો કે આજ રાત્રે તેઓ રાણીના મહેલે ન જાય. ઉદયને તે પ્રમાણે જઈ કુમારપાળને કહ્યું, - કુમારપાળ રાણીના મહેલે એ રાતે ન ગયા. એ રાત્રે તે મહેલ ઉપર વીજળી પડી. મહેલ બળી ગયો ને રાણી પણ મરી ગઈ. "સવારે મહામંત્રીએ આ સમાચાર સાંભળ્યા. તેઓ તરત કુમારપાળને જઈ મળ્યા. કુમારપાળે આશ્ચર્ય સહ પૂછ્યું, આવી સચોટ ભવિષ્યવાણી કોણે કરી હતી? શ્રી હેમચંદ્રાચાર્યની આ ભવિષ્યવાણી હતી તે જાણી કુમારપાળ ગદ્ગદ થઈ ગયો અને ત્રણ ત્રણ વાર જેમણે પોતાનો પ્રાણ બચાવ્યો છે તે ક્યાં છે? એ પૂછવા માંડ્યો. તે પાટણમાં જ છે તે જાણી કુમારપાળે તેમને મળવા ઇચ્છા દર્શાવી. મંત્રીએ રાજસભામાં કુમારપાળને પધારવા કહ્યું, અને હેમચંદ્રાચાર્યને ત્યાં તે બોલાવશે એમ ગોઠવ્યું. આચાર્યશ્રી ઉદયન મંત્રી સાથે રાજસભામાં પધાર્યા. કુમારપાળ તથા બીજા અધિકારીઓ તેમનું સ્વાગત કરવા દરવાજે ઊભેલા. કુમારપાળે નમીને વંદના કરી અને ત્રણ ત્રણ વખત પ્રાણ બચાવવા બદલ આ આખું રાજ તમે સ્વીકારો એવો આગ્રહ હેમચંદ્રાચાર્યને કર્યો. | હેમચંદ્રાચાર્યે જૈન સાધુના આચાર સમજાવ્યા અને અમે આ કંઈ ન સ્વીકારી શકીએ. હા, હોય તો છોડી શકીએ. હવે જો તારે ઉપકારનો બદલો જ વાળવો હોય તો તું તારું આત્મહિત સાધ, તે માટે જિનેશ્વરનો ધર્મ સ્વીકાર. તે પહેલાં પણ વચન આપેલું છે - માટે તે તારું વચન પાળ. તે વચન સાચું કરી બતાવ, કેમ કે મહાપુરુષોનાં વચનો મિઠાં થતાં નથી. કુમારપાળે કહ્યું, આપ કહેશો તે પ્રમાણે જ હું કરીશ. આપના સતત સંપર્કમાં રહી હું કંઈક તત્વ પ્રાપ્તિ કરી શકીશ. આ સંબંધો રાજા અને આચાર્યના કાયમ મૃત્યુ પર્યત અખંડ રહ્યા. એક વખત કુમારપાળ રાજસભામાં બેઠા હતા ત્યારે દેવ૫ત્તનથી આવેલા સોમનાથ મહાદેવના પૂજારીઓએ પ્રવેશ કર્યો. મહારાજાને પ્રણામ કરી પોતાની ઓળખ આપી અને નિવેદન કર્યું કે, "મહારાજા, દેવપત્તનમાં સમુદ્ર કિનારે આવેલું ભગવાન સોમનાથનું કાષ્ઠ મંદિર જીર્ણ થઈ ગયું છે. એટલે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવો અતિ આવશ્યક છે. અમારી આપને વિનંતી છે કે આ મંદિરના જિર્ણોધ્વરનું પુણ્ય આપ પ્રામ કરો." રાજા કુમારપાળને આ સત્કાર્ય ગયું અને પાંચ અધિકારીઓને મંદિરના જિર્ણોદ્ધારનું કામ સોંપ્યું. અલ્પ સમયમાં જ પાષાણનું મંદિર બનાવવાનું કામ શરૂ થઈ ગયું, પણ Page #289 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ર૬ર મંદિરનું કામ રાજા ધારતો હતો એટલું જલદી ન હતું થતું, તેથી રાજા અશાંત હતો. તેમણે આચાર્યશ્રીને આ મંદિરનું કામ જલદી પૂરું થાય એવો ઉપાય બતાવવા વિનંતી કરી. શ્રી હેમચંદ્રાચાર્યે આ માટે કોઈ વ્રત લેવા કહ્યું, અને જણાવ્યું, વ્રત પાલનથી પુણ્ય વધે છે અને કાર્ય જલ્દી પૂરું થાય છે.” કુમારપાળે રાજી થઈ વ્રત લેવાની હા કહી અને યોગ્ય લાગે તે વ્રત આપવા ગુરુદેવને કહ્યું, આચાર્યશ્રીએ માંસાહાર છોડી દેવા અને મદિરાપાન (ઘરૂ પીવાનું) છોડી દેવા જણાવ્યું. રાજાએ બે પ્રતિજ્ઞા લીધી. માંસાહાર જીવન પર્યત કરીશ નહીં દારૂ જીવન પર્યત પીશ નહીં 'ગુરુદેવને સંતોષ થયો. રાજાને આનંદ થયો." બે વર્ષને અંતે સોમનાથ મહાદેવનું મંદિર બંધાઈ ગયું. રાજાએ ત્યાં જાત્રાએ જવા નક્કી કર્યું. આચાર્યશ્રીને પણ સોમનાથનાં દર્શને પધારવા વિનંતી કરી. ગુરુદેવ શ્રી શત્રુંજયની તથા ગિરનારની જાત્રા કરી પોતે સીધા દેવપત્તન આવશે એમ જણાવ્યું. રાજા પોતાના રસાલા સાથે દેવપત્તન ગયા અને ગુરુદેવ શંત્રુજ્ય તથા ગિરનારની જાત્રા કરી દેવપત્તન પહોંચ્યા. રાજા ઘણો હર્ષિત થયો અને ધામધૂમથી રાજા રસાલા સાથે તથા ગુરુદેવે પોતાના શિષ્યો સાથે મંદિરમાં પ્રવેશ કર્યો. બહુભાવપૂર્વક સર્વેએ વંદના કરી અને ગુરુદેવે બે હાથ જોડી, મસ્તક નમાવીને સ્તુતિ કરી. જેઓના રાગ વિનાશ પામી ગયા છે તેવા બ્રહ્યા હોય, વિષ્ણુ હોય કે મહાદેવ હોય, તેમને હું વંદના કરું છું ! સ્તુતિ સાંભળી રાજા નાચી ઊઠ્યો. રાજાએ એક ચિત્તે ધ્યાન ધરવા ગુરુદેવને પૂછ્યું : એવો ક્યો ધર્મ છે અને એવા ક્યા દેવ છે કે જે મને મોક્ષ અપાવી શકે રાજાની વાત સાંભળીને ગુરુદેવે બે ક્ષણ પોતાની આંખો બંધ કરી, જાણે કંઈ સંકેત મળ્યો. આંખો ખોલી તેઓએ રાજાની સામે જોયું અને હાથ પકડી કુમારપાળને મહાદેવના ગર્ભદ્વારમાં લઈ ગયા અને કહ્યું, “જુઓ, હું તમને આ દેવનાં પ્રત્યક્ષ દર્શન કરાવું.તે દેવ જેમ કહે તેમ તેની ઉપાસના તમારે કરવી" "રાજાએ આશ્ચર્યથી પૂછ્યું, "શું આ બની શકે?" “હા, હવે હું ધ્યાન ધરું છું. તમારે આ ધૂપદાનીમાં ધૂપ નાખ્યા કરવાનો. શંકર ભગવાન પ્રગટ થઈ ના ન પાડે ત્યાં સુધી સુંગધી ધૂપ નાખ્યા કરવાનો." અને ગર્ભદ્વાર બંધ કર્યું. Page #290 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ન ૨૬૩ ગર્ભદ્વાર બંધ છે. આચાર્યશ્રી અને કુમારપાળ બંને અંદર. સોમનાથ મહાદેવ સન્મુખ ઊભા છે. આચાર્ય ધ્યાનસ્થ છે અને કુમારપાળ ધૂપદાનીમાં ધૂપ નાખ્યા કરે છે. ધૂપના ગોટેગોટાથી આખો ગભારો ભરાઈ ગયો. અંધારું થઈ ગયું. ઘીના દીવાઓ ઓલવાઈ ગયા. ત્યાં ધીરે ધીરે શંકર ભગવાનના લિંગમાંથી પ્રકાશ ફૂટવા લાગ્યો. પ્રકાશ વધતો ગયો અને એમાંથી એક દિવ્ય આકૃતિ પ્રગટ થઈ. સુવર્ણ જેવી ઉજજવળ કાયા. માથે જટા. જટામાંથી વહેતી ગંગા અને ઉપર ચંદ્રકળા. આહા ! રાજાએ પોતાના હાથ ફેરવીને નિર્ણય કર્યો કે, આ દેવતા જ છે અને પોતે જમીન ઉપર પોતાનાં પાંચ અંગ અડાડી પ્રણામ કર્યા અને પ્રાર્થના કરી : “હે જગદીશ ! આપનાં દર્શનથી હું પાવન થયો છું. મારા આ ઉપકારી ગુરુદેવના ધ્યાનથી આપે મને દર્શન દીધાં છે. મારો આત્મા હર્ષથી ઊછળી રહ્યો છે." ભગવાન સોમનાથનો ગંભીર ધ્વનિ મંદિરમાં ગૂંજી ઊઠ્યો : કુમારપાળ મોક્ષ અપાવનાર ધર્મ જો તું ઇચ્છતો હોય તો આ સાક્ષાત્ પરબ્રહ્મ જેવા સૂરીશ્વરની સેવા કર. સર્વ દેવોના અવતાર રૂપ, સર્વશાસ્ત્રોના પારગામી, ત્રણે કાળના સ્વરૂપને જાણનારા એવા આ હેમચંદ્રસૂરીની દરેક આજ્ઞાને પાળજે, તેથી તારી બધી મન:કામના ફળીભૂત થશે.” આટલું કહીને શંકર સ્વપ્નની જેમ અશ્ય થઈ ગયા. રાજા આનંદવિભોર થઈ ગયા. તેમણે ગુરુદેવને કહ્યું, "આપને તો ઈશ્વર વશ છે ! આપ જ મારા દેવ છો, આપ જ મારા તાત અને માત છો, મારા પરમ ઉદ્ધારક આપ છો !" રાજા હેમચંદ્રાચાર્યનાં ચરણોમાં પડી ગયો. યાત્રા સફળ થઈ. સહુ આનંદથી પાછા પાટણ આવ્યા. દેવબોધિ નામે એક સંન્યાસી પાટણમાં આવ્યા અને લોકોને ચમત્કાર દેખાડવા લાગ્યા. ચમત્કારો જોઈ લોકોને તે દેવબોધિ શ્રેષ્ઠ અને અદ્ભુત કળાકાર લાગ્યો. વાતો પાટણમાં ઠેર ઠેર થવા લાગી. કુમારપાળને પણ આ ચમત્કારિક સંન્યાસીના ચમત્કારો જોવાની ઇચ્છા થઈ. કુમારપાળે દેવબોધિને રાજસભામાં બોલાવ્યા અને દેવબોધી રાજસભામાં સાવ નાનાં બાળકો પાસે પાલખી ઉપડાવી તેમાં બેસી પધાર્યા. રાજાએ યોગ્ય સત્કાર કર્યો. દેવબોધિએ કુમારપાળને પોતાનો શૈવધર્મ છોડીને આ જૈન ધર્મ કેમ સ્વીકાર્યો છે એમ પૂછ્યું. મહારાજાએ “શૈવધર્મ સારો છે, પણ તેમાં હિંસાનું આચરણ થાય છે. જ્યારે જૈન ધર્મ અહિંસાનો ઉપદેશ આપે છે માટે તે ધર્મ સ્વીકાર્યો છે” તેમ જણાવ્યું. દેવબોધિએ કુમારપાળના પૂર્વજો વગેરે બધા શૈવધર્મ પાળતા હતા અને તે પ્રત્યક્ષ દેખાડવા મંત્રબળથી તેના પૂર્વજ મૂળરાજ વગેરેને હાજર કર્યા. કુમારપાળે તે Page #291 -------------------------------------------------------------------------- ________________ • જૈન શાસનના ચમકતા હીરાઓ ર૬૪ સર્વેને પ્રણામ ક્યું. ત્યાર બાદ દેવબોધિએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને બોલાવ્યા. આ જોઈ કુમારપાળ આશ્ચર્યચકિત થઈ ગયો. દેવોએ બધું છોડી તેમની ઉપાસના કરવા કુમારપાળને જણાવ્યું. અને થોડી વારમાં આ દેવો તથા મૂળરાજ વગેરે અદશ્ય થઈ ગયા. કુમારપાળ વિચારમાં પડી ગયો. એમાં સાચું શું? એક બાજુ દેવપત્તનના સોમનાથનાં વચનો અને બીજી બાજુ દેવબોધિએ બતાવેલા દેવોનાં વચનો! તેનું માથું ભમવા માંડ્યું. આ આખી ઘટના વખતે મહામંત્રી ઉદયનના પુત્ર વાગભટ્ટ મંત્રી કુમારપાળની સાથે હતા. તેઓશ્રી હેમચંદ્રાચાર્ય પાસે જઈ બધી હકીકત કહી અને કુમારપાળ કદાચ જૈનધર્મ છોડી દે એવી શંકા જણાવી. હેમચંદ્રાચાર્યે વાગભટ્ટને જરાય ચિંતા ન કરવા જણાવ્યું અને બીજા દિવસે વ્યાખ્યાન સમયે કુમારપાળને લઈ આવવા જણાવ્યું અને કહ્યું, કાલે એને વ્યાખ્યાન સમયે એવો ચમત્કાર જોવા મળશે કે પેલા યોગીના જોયેલા ચમત્કાર મામૂલી લાગશે. બીજા દિવસે વ્યાખ્યાન ચાલે છે. રાજા કુમારપાળ, વાગભટ્ટ અને અનેક સ્ત્રી-પુરુષો ઉપદેશ સાંભળવામાં લીન બન્યા છે. અને અહા ! એક પછી એક પાટ કે જેના ઉપર આચાર્યશ્રી બેઠા હતા તે ખસવા માંડી અને સાતેય એવી પાટો ત્યાં ખસી ગઈ. આચાર્ય તદન અધ્ધર બેઠેલા લોકોને દેખાયા અને વ્યાખ્યાનની વાગ્ધારા ચાલુ રહી રાજા કુમારપાળની આંખો આ જોઈ પહોળી થઈ ગઈ. તે બોલી ઊઠ્યા, અદ્ભુત-અદ્ભુત યોગશક્તિનાં દર્શન કુમારપાળને પ્રત્યક્ષ થયા” વ્યાખ્યાન બાદ શ્રી હેમચંદ્રાચાર્યને કહ્યું, “ચાલો મારી સાથે સામેના ઓરડામાં" શ્રી ગુરુદેવ, રાજા તથા વાગભટ્ટ ત્રણે જણા ઓરડામાં ગયા. ઓરડો બંધ કર્યો. ગુરૂદેવ એક આસન ઉપર બેઠા. આંખો બંધ કરી ધ્યાન લગાવ્યું ત્યાં ઓરડો પ્રકાશથી ભરાઈ ગયો. કુમારપાળે તથા વાગભટ્ટ પ્રત્યક્ષ અષભદેવથી મહાવીર સ્વામી સુધીના ચોવીસે તીર્થકરો પ્રત્યક્ષ સમવસરણમાં બેઠેલા જોયા. તીર્થકરો ઉપદેશ આપી રહ્યા હતા. કુમારપાળ ધ્યાનથી સાંભળતો હતો. કુમારપાળ સોનું, હીરા, મોતી વગેરે દ્રવ્યોની પરીક્ષા કરનારા ઘણા હોય છે. પરંતુ ધર્મતત્વનો પરીક્ષક વીરલો જ હોય છે. એવો વીરલો તું છે. તેં હિંસામય ધર્મનો ત્યાગ કરી દયામય અહિંસા ધર્મ સ્વીકાર કર્યો છે. યાદ રાખ રાજન તારી બધી સમૃદ્ધિ એ વૃક્ષનાં પુષ્પો જેવી છે. આગળ તને એના મોક્ષરૂપી ફળ મળવાનાં છે. ખરેખર તારું મહાન ભાગ્ય છે કે તેને આવા જ્ઞાની હેમચંદ્રસૂરી મળ્યા છે. તું એમની આજ્ઞા માનીને ચાલજે." Page #292 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૬૫ તીર્થકરોની વાણી બંધ થઈ ગઈ. તેઓ અશ્ય થઈ ગયા. પછી કુમારપાળના પૂર્વજ રાજાઓ પ્રગટ થયા. તેઓ કુમારપાળને ભેટ્યા. ગુરુદેવને વંદન કરી પછી કુમારપાળને કહેવા લાગ્યા : “વત્સ, કુમારપાળ ! ખોટો ધર્મ છોડીને સાચો ધર્મ તેં સ્વીકાર્યો છે. આવો પુત્ર હોવા બદલ અમે અમારી જાતને ધન્ય માનીએ છીએ. જિન ધર્મ જ મુક્તિ અપાવવા સમર્થ છે. માટે તારા ચંચલ ચિત્તને સ્થિર કર અને તારા પરમ ભાગ્યે મળેલા આ ગુરુદેવની સેવા કરે અને તેમની આજ્ઞાનું પાલન કર." - આ પ્રમાણે કુમારપાળને સલાહ આપી પૂર્વજો પણ હવામાં ઓગળી ગયા. કુમારપાળ સ્તબ્ધ થઈ ગયા. હેમચંદ્રાચાર્યે તેને સમજાવ્યું. દેવબોધિ પાસે તો એવી એક જ કળા છે. જ્યારે મારી પાસે આવી સાત કળાઓ છે. આ બધી ઇન્દ્રજાળ છે. અમે બંનેએ તમને જે દેખાડ્યું તે સ્વપ્ન જેવું છે. સાચું તો સોમનાથ મહાદેવે જે જૈનધર્મ પાળવાનું કહેવું છે તે જ છે. રાજાના મનનું સમાધાન થયું. તેણે હેમચંદ્રાચાર્યને વંદન કર્યું. અને એક નવો ઉપકાર કરવા બદલ આભાર માન્યો. એક દિવસ કમારપાળ શ્રી હેમચંદ્રાચાર્ય પાસે બેઠો છે. તે પોતાના ભૂતકાળની રખડપટ્ટીની વાતો કરે છે અને કહે છે : “એક દિવસ સિદ્ધરાજના ભયથી છુપાતો છુપાતો અરવલ્લીના પહાડ ઉપર એક વૃક્ષ નીચે બેઠો હતો. ત્યાં તેણે એક ઉંદર દરમાંથી બહાર નીકળતો જોયો. તેના મોંમાં ચાંદીનો સિક્કો હતો. તે એક જગ્યાએ ઝાડ નીચે મૂક્યો. પાછો દરમાં ગયો અને બીજા સિક્કા સાથે બહાર આવ્યો. એ રીતે તે ૩ર બત્રીસ સિક્કા બહાર લાવ્યો. મને વિચાર આવ્યો કે ઉદર આ સિક્કાને શું કરશે ? તેથી ઉદર દરમાં ગયો એટલે તે સિક્કા મેં લઈ લીધા અને ઉંદર બહાર આવ્યો ત્યારે સિક્કા ન જોતા ઉદરે પોતાનું માથું પથ્થર પર પટકવા માંડ્યું. આમ પોતાનું માથું પથ્થર પર પછાડી તે ઉંદર મરી ગયો અને મને ઘણો પશ્ચાત્તાપ થયો કે, આ તિર્યંચના જીવને પણ લક્ષ્મીનો મોહ છે. પ્રભુ આ પાપનું પ્રાયશ્ચિત્ત મને આપો.” ગુરુદેવે કહ્યું, "કુમારપાળ, જે જગ્યાએ ઉંદર મૃત્યુ પામ્યો ત્યાં એક ભવ્ય દેરાસર બંધાવ એ જ પ્રાયશ્ચિત્ત છે." કુમારપાળે ત્યાં જ એક ભવ્ય મોટું દેરાસર બંધાવ્યું. આજે પણ તારંગાના પહાડ ઉપર એ દેરાસર ઊભેલું છે. તેમાં ભગવાન અજિતનાથની ભવ્ય પ્રતિમા બિરાજમાન છે. Page #293 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૬૬ ગુરુદેવ હેમચંદ્રાચાર્યના ઉપદેશ મુજબ આ રીતે ઘણાં જૈન મંદિર કુમારપાળે બંધાવ્યાં. આ દેરાસરોમાં હંમેશાં પુષ્પપૂજા થાય તે માટે દરેક દેરાસરની બાજુમાં એકેક બગીચો પણ રાખ્યો. એ બગીચામાં જે કોઈ કૂલો થતાં એ જિનેશ્વર ભગવાનની પૂજામાં વાપરવામાં આવતાં.” ભરૂચમાં પણ એવું જ એક દેરાસર 'સમડી-વિહાર' હતું તે પણ જીર્ણ થઈ ગયું હતું. ભરૂચના દંડનાયક શ્રી આદ્મભટ્ટે આ મંદિરને નવેસરથી બાંધવા માંડ્યું. ત્યાંની દેવી નર્મદાએ વચ્ચે વિઘ્ન નાખ્યું. એટલે પાયો ખોદાણો તેમાં દેવી નર્મદાએ મજૂરોને ફેંકી દીધા અને પ્રગટ થઈ કહ્યું, “આ પાયો વધુ ઊંડો ખોદી મારું અપમાન કર્યું છે. આ માટે મને એક બત્રીશ લક્ષણા સ્ત્રી-પુરુષનું બલિદાન આપ.” દેવીને બલિદાન માટે આમ્રભટ્ટ અને તેમની પત્ની પોતાનો ભોગ આપવા તૈયાર થયાં અને નવકાર મંત્રનું ધ્યાન ધરી બન્ને જણ ખાડામાં એકસાથે કૂદી પડ્યાં. આ જોઈ દેવી નર્મદાએ પ્રગટ થઈ આમ્રભટ્ટ અને તેમની પત્નીનો મનુષ્યપ્રેમ અને પ્રભુભક્તિ જોઈ, નવું જીવન આપ્યું. બધા મજૂરો અને આમ્રભટ્ટ તથા તેમનાં પત્ની સાજ સારું થઈ ખાડામાંથી બહાર આવ્યાં." દંડનાયક આમ્રભટ્ટે દેવીને ઉત્તમ ફળ અને નૈવેદ્ય ચડાવી તેની પૂજા કરી અને દેરાસર બીજા કોઈ ઉપદ્રવ વિના બંધાયું. ગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય અને કુમારપાળે પણ ભરૂચ આવી ભગવાન મુનિસુવ્રત સ્વામીની પ્રતિષ્ઠા કરાવી. ત્યાર બાદ આમ્રભટ્ટ સખ્ત માંદગીમાં સપડાયા. દંડનાયકની વૃદ્ધ માતાએ દેવી પદ્માવતીની આરાધના કરી. દેવી પદ્માવતી પ્રગટ થયું. તેમણે કહ્યું : "ગુરુદેવ હેમચંદ્રસૂરી જ આમને સારું કરી શકે એમ છે. આ દૈવી ઉપદ્રવ છે. તેને ગુરુદેવ જ શાંત કરી શકશે.” માતાએ બે પુરુષોને પાટણ મોકલી ગુરુદેવને આ સંદેશો મોકલાવ્યો. ગુરુદેવ ગંભીર વિચાર કરી શિષ્ય યશશ્ચંદ્રને સાથે લઈ આકાશ માર્ગે પ્રયાણ કરી અલ્પ સમયમાં ભરૂચ પહોંચ્યા અને શ્રી યશચંદ્રે સૈંધવી દેવી જેણે આ ઉપદ્રવ કર્યો હતો તેને યોગ દ્વારા વશ કરી શ્રી આદ્મભટ્ટને નીરોગી કર્યા. શ્રી હેમચંદ્રસૂરીજીએ રાજા કુમારપાળને શત્રુંજ્ય તીર્થની જાત્રાનું ફળ બતાવ્યું. કુમારપાળે રાજી થઈ જાત્રા કરવાની હા કહી. મોટા સંઘ સાથે પગપાળા જાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી પણ ન ધારેલ એક વિઘ્ન આવ્યું. Page #294 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૬૭ ગુપ્તચરોએ આવીને રાજા કુમારપાળને કહ્યું, : રાજા કર્ણ વિશાળ સૈન્ય સાથે ગુજરાત તરફ ધસી આવે છે. ત્રણ દિવસમાં એ પાટણના સીમાડે પહોંચશે. રાજાને કર્ણનો કોઈ ભય ન હતો. આવા ઘણા કર્ણ આવે તો તેને પહોંચી વળે તેમ હતો, પણ એમને ચિંતા થઈ તીર્થયાત્રાની રાજા કર્ણે કમારપાળ જાત્રાએ નીકળી જાય તો તેની ગેરહાજરીનો લાભ લેવા આ આક્રમણની યોજના કરી હતી કુમારપાળે ગુરુદેવનું જ માર્ગદર્શન લેવાનો નિર્ણય કર્યો. કારણ કે તીર્થયાત્રા કરવી જ હતી અને તીર્થયાત્રા માટે નીકળી જાય તો રાજા કર્ણ ગુજરાત જીતી લે. વાગ્લટ્ટ મંત્રી સાથે કુમારપાળ ઉપાશ્રયે આવી સૂરીજીની આ અંગે સલાહ માગી સૂરીજીએ થોડીક વાર આંખો બંધ કરી ધ્યાન ધર્યું અને કુમારપાળને કહ્યું, ચિંતા છોડી તીર્થયાત્રા ટાઈમસર નીકળે એની તૈયારી કરો. કર્ણની ચિંતા છોડી દો.” રાજા અને મંત્રી મહેલમાં તો આવ્યા. પણ સમજી ન શક્યા કે કેવી રીતે આ પ્રશ્ન સૂરીજી ઉકેલશે ? કુમારપાળ વિચારતો જ રહ્યો. સૂરીજીની આજ્ઞા પ્રમાણે ધર્મધ્યાનમાં મગ્ન હતો. સવાર પડતાં મહેલમાં પોતાના ગુપ્તચરે આવી સમાચાર આપ્યા કે, રાજા કર્ણદેવ તવમાર વેગે પાટણ તરફ ધસી રહ્યો હતો. તે હાથી ઉપર બેઠેલો હતો. રાત્રી હોવાથી કર્ણને થોડુંક ઊંઘનું ઝેકું આવી ગયું. એટલામાં એના ગળાનો મહામૂલો હાર એક કડની ડાળીમાં ભરાઈ ગયો. હાથી તીવ્ર વેગે ચાલતો હતો તેથી એ ગળાનો હાર તેનો ફાંસો બની ગયો અને થોડી જ ક્ષણોમાં રાજાનું શબ ઝાડ સાથે લટકતું સૈન્યને દેખાયું. સૈન્ય હતાશ થઈ ગયું અને આવેલ રસ્તે પાછું ફર્યું. આ સમાચાર સાંભળી કુમારપાળ આશ્ચર્ય મુગ્ધ થઈ ગયો. શ્રી હેમચંદ્રાચાર્યની અથાગ કૃપાનું આ પરિણામ તે સમજી શક્યો. નક્કી કરેલ મુહૂર્તે સંઘ નીકળ્યો. શંત્રુજય અને ગિરનારની જાત્રા કરી કુમારપાળ અને સંઘના હજારો લોકો ધન્ય બની ગયા. જેમ કુમારપાળના હૃદયમાં હેમચંદ્રસૂરી વસેલા હતા તેમ હેમચંદ્રસૂરીના મનમાં પણ કુમારપાળ વસતા હતા. Page #295 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૬૮ ધર્મનાં મહાન કાર્યો કુમારપાળ કરતો હતો. તેના તાબાના અઢારે દેશમાં તેણે અહિંસા ફેલાવી તેણે હજારો જિન મંદિરો બાંધ્યાં. અનેક જ્ઞાનભંડારો બનાવ્યા અને લાખો દુઃખી સાધર્મિક જૈનોને સુખી કરી દીધા. પણ આવાં સત્કાર્યોને લીધે રાજ્યની તિજોરીનું તળિયું દેખાવા લાગ્યું હતું. કમારપાળે આ અંગે સૂરીજીને વિનંતી પણ કરેલ કે, જો સુવર્ણસિદ્ધિ પ્રાપ્ત થાય તો અનેક સાધર્મિકો - દીન - દુખિયાં વગેરેનો ઉદ્ધાર કરી શકાય. તે ખ્યાલ રાખી આચાર્યશ્રી વિચારતા હતા કે, કુમારપાળ પાસે જો સુવર્ણ સિદ્ધિ હોય તો તે પરોપકારનાં કાર્યો સારી રીતે કર્યા જ કરે. હેમચંદ્રાચાર્ય પાસે ઘણી યોગશક્તિઓ હતી. તેઓ આકાશમાં ઊડી શક્તા હતા અને દેવ-દેવીઓના ઉપદ્રવો શાન્ત કરી શક્યા હતા પણ તેમની પાસે સુવર્ણ સિદ્ધિ વિદ્યા ન હતી. તેઓને એક વાર પોતાના પૂજ્ય પાદ ગુરુદેવશ્રી દેવચંદ્રસૂરીજીએ લોઢાના ટુકાને કોઈ વેલીના રસમાં નાખી સુવર્ણ બનાવેલ, તે વાત તેમના મનમાં આજે ઘોળાતી હતી. જો ગુરુદેવ કૃપા કરી આ સુવર્ણ સિદ્ધિ વિઘા કુમારપાળને આપે તો કુમારપાળ હજુ ઘણાં સત્કાર્ય કરી શકે. આચાર્યશ્રીએ વાલ્મટને ગુરુદેવ શ્રી દેવચંદ્રસૂરી પાસે મોકલ્યા અને કહેવરાવ્યું કે, કોક ઉપકારી કામ માટે આપ પાટણ પધારો. હેમચંદ્રાચાર્ય પણ આપનાં દર્શન - વંદનને ઇચ્છી રહ્યા છે. ગુરુદેવે પરમાર્થના કામ માટે પાટણ આવવા હા પાડી અને પ્રખર વિહાર કરી પાટણ આવ્યા. સકળ પાટણની જનતા તેમનું સામૈયું કરવા ગામના દરવાજે ભેગી થઈ હતી. પણ ગુરુદેવ તો બીજા દરવાજેથી વહેલા ઉપાશ્રયમાં આવી ગયા. તેઓને જાહેરમાં દેખાવાનું અને માન-સન્માન ગમતાં ન હતાં. હેમચંદ્રાચાર્યે કુમારપાળ પાસે માણસ દોડાવ્યો અને કહેવડાવ્યું કે, ગુરૂદેવ ઉપાશ્રયમાં આવી ગયા છે. બધા ઉપાશ્રયમાં વ્યાખ્યાન માટે આવી જાઓ. વ્યાખ્યાન પત્યા પછી ગુરુદેવે હેમચંદ્રાચાર્યને પૂછ્યું, સંઘનું શું કાર્ય છે? કહો. વ્યાખ્યાન ઊઠ્યા પછી એક પડદા પાછળ ગુરુ દેવચંદ્રસૂરી, હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ બેઠા અને હેમચંદ્રાચાર્યે ગુરુદેવને કહ્યું, આ પરમહંત રાજા કુમારપાળે પોતાના દેશમાંથી હિંસાને દેશવટો આપ્યો છે. હજારો દેરાસરો બંધાવીને અપૂર્વ પુણ્યોપાર્જન કર્યું છે. હવે જો એને સુવર્ણ સિદ્ધિ મળે તો દુનિયામાં કોઈ મનુષ્યને દુઃખી ના રહેવા દે. ગુરુદેવ આપની પાસે એ સુવર્ણ સિદ્ધિ છે. હું નાનો હતો, સોમચંદ્ર Page #296 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૬૯ મુનિ હતો ત્યારે આપે મારા આગ્રહથી લોઢાના ટુકડાને સોનાનો ટુકડો કરી બતાવ્યો હતો. કૃપા કરીને આ કુમારપાળને એ સુવર્ણ સિદ્ધિ આપો. એવી મારી વિનંતી છે." શાંતિથી વાત સાંભળ્યા પછી ગુરુદેવે કુમારપાળને કહ્યું, “રાજન ! તારી પાસે હિંસાનું નિવારણ અને જિન મંદિરોનું સર્જન આ બે શ્રેષ્ઠ સુવર્ણ સિદ્ધિ તને મળેલી છે." કુમારપાળ ગદ્ગદ થઈ ગયા અને ગુરુના ચરણમાં માથું નમાવી વંદના કરી. હેમચંદ્રાચાર્ય સામે જોઈ ગુરજીએ કહ્યું, "કુમારપાળના ભાગ્યમાં નથી એટલે રાજાને કે તને એ સિદ્ધિ નહીં આપું. ભાગ્ય વિના ઉત્તમ વસ્તુ મનુષ્ય પાસે ટકતી નથી” આમ કહી દેવચંદ્રસૂરી ઊભા થઈ ગયા અને હેમચંદ્રાચાર્યને કહ્યું, “આવાં કામ માટે મને અહીં ના બોલાવીશ. મારી આત્મસાધના ડહોળાય છે અને ગુરુદેવ ખંભાત તરફ વિહાર કરી ગયા. શ્રી હેમચંદ્રાચાર્યને પોતાનો અંત સમય નજીક દેખાતો હતો. તેમણે ભાવિકોને બોલાવ્યા. સહુ સંઘ સાથે ક્ષમાપના કરી - સહુને અંતિમ ધર્મોપદેશ આપ્યો. કુમારપાળ પણ આવી પહોંચ્યા હતા. તેમણે ગુરુદેવને વંદના કરી કહ્યું, ગુરુદેવ! આપ વિના મને કોણ ધર્મ પમાડશે ! હેમચંદ્રાચાર્યે કહ્યું, “વત્સ ! થોડા વખત પછી તારું પણ અવસાન થશે. પણ તું ધર્મ પામ્યો જ છે. ત્રીજા ભવે તું તો મોક્ષે જઈશ.' ગુરુદેવ હેમચંદ્રસૂરિ આંખો બંધ કરી, પદ્માસન ઉપર બેસી ગયા. પરમાત્મા ધ્યાનમાં નિમગ્ન થયા અને થોડા વખતમાં તેમણે પ્રાણત્યાગ કર્યો. કુમારપાળને આ શોકના સમયમાં પણ આનંદ લહરી તેમના મનમાં પ્રસરી ગઈ. ત્રીજા ભવે પોતાનો મોક્ષ જાણી આનંદથી નાચી ઊઠ્યા. આખીય દુનિયા ભલે તમને સોને મઢયું માનપત્ર આપે: પરંતુ, જ્યારે તમારું દિલ સાચું સર્ટીફિકેટ આપે ત્યારે જ સંતોષ માનજો. : ". - - "અમૃતબિંદુ સવિચાર Page #297 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૭૦ શ્રી પાદલિપ્તાચાર્ય અયોધ્યા નગરીમાં પડીમા શ્રાવિકાના પુત્રે આઠ વર્ષની ઉંમરે નાગહસ્તીસૂરીની પાસે દીક્ષા લીધી હતી. એક વખત તે શિષ્ય કોઈક શ્રાવકના ઘરેથી ચોખાનું ધોવણ વોહરી લાવ્યો અને ગુરુને દેખાડ્યું. ગુરુએ કહ્યું, તું ભલે લાવ્યો પણ આની આલોચના જાણે છે ? અહીયાં ગુરુના પૂછવાનો ભાવ એ હતો કે આ ધોવણ કેટલીક વાર ચિત હોય છે અને કેટલીક વાર અચિત્ત હોય છે. માટે આ ધોવણ વિચાર કરીને લાવ્યો છે ને ? જો વિચાર્યા સિવાય લાવ્યો હોય તો તેની આલોયણા લેવી પડશે. અહીંયા આલો ણા એ એક જાતની શિક્ષાના અર્થમાં ગુરુએ પૂછેલ, પણ શિષ્ય તો વ્યાકરણના હિસાબે વિચારવા લાગ્યો, એટલે આલોયના એક નામ છે અથવા વિચારવાની ક્યિા છે. એટલે ગુરુ પૂછે છે કે આ ધોવણ વિચારીને લીધું છે કે કેમ ? એટલે તેણે જવાબ આપ્યો કે, "હા મહારાજ ! રાતા કમલના પત્ર જેવાં જેનાં નેત્ર છે, પ્રફુલ્લિત પુષ્પ કળીઓ જેવી જેની દાંતની પંક્તિઓ છે, એવી નવી પરણેલી જુવાન સ્ત્રીએ, નવી ડાંગરના તુરતના છડેલા ચોખાના ધોવરામણનું ઠારેલું પાણી મને ઘણા હર્ષથી વહોરાવ્યું છે.” આવો શૃંગારીક જવાબ સાંભળી ગુરુ કોપાયમાન થઈ ગયા, તેથી તરત જ બોલી ઊઠ્યા કે, "જા જા, 'પલિત' (પાપથી લેપાયેલા)” ત્યારે તેણે ગુરુની સમીપ આવી કહ્યું કે, “મહારાજ, આપે મને જે આશીર્વાદ આપ્યો તેમાં એક અક્ષર અને એક કાનાનો વધારો કરોની ! જેથી હું "પાયલિત્ત" થાઉં (પાયલિત્ત એટલે પગમાં લેપ કરવાથી ઊડવાની શક્તિ આવે એવો).” ગુરુમહારાજ આ શિષ્યની બુદ્ધિ જોઈ રીસ કરવાને બદલે ઊલટા તેના પર પ્રસન્ન થયા અને તેને તે વિદ્યા આપી. એટલું જ નહીં પણ છેવટે તેની યોગ્યતા જોઈ તેનું નામ “પાદલિપ્તાચાર્ય” સ્થાપન કરી આચાર્ય પદ આપ્યું. ૯૨. પાદલિપ્તાચાર્ય ગુરુકૃપાથી મહા વિચક્ષણ થયા અને અનુક્રમે વિહાર કરી ખેડા નગરે આવ્યા. ત્યાં (૧) જીવાજીવોત્પત્તિ પ્રાકૃત, (૨) વિદ્યા પ્રાભૃત. (૩) સિદ્ધ પ્રાકૃત, (૪) નિમિત્ત પ્રાભૂત, એવી ચાર સિદ્ધ વિદ્યાઓ મેળવી. આથી કેટલીક વસ્તુઓના યોગ મેળવી પગે લેપ કરવાથી આકાશે ઊડવાની શક્તિ તેમણે મેળવી તેથી તેઓ દરરોજ પાંચે તીર્થની જાત્રા કરી આવ્યા પછી જ આહાર- ૨-પાણી કરતાં આવી વિદ્યાઓથી Page #298 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ર૭૧ તેમની તેમ જ જૈન શાસનની ઘણી ઉન્નતિ થવા લાગી અને તેથી તેઓ મોટા સિદ્ધ પ્રભાવક ગણાતા હતા. વિચરતા વિચરતા પાદલિપ્તસૂરિ ઢાકામાં આવ્યા, ત્યાં નાગાર્જુન નામના યોગીએ પોતાનાં કળાકૌશલ્યથી ઘણા લોકોને મોહિત કર્યા હતા. એવો નાગાર્જુન યોગી આકાશગામીની વિદ્યા શીખી લેવા માટે કપટથી તેમનો શ્રાવક બન્યો. તે દરરોજ આવીને વંદન કરવાના બહાને પગનો સ્પર્શ કરી સુધી સૂધી એકેકી ઔષધિ ધારી લેતો. એમ એકસો ને સાત ઔષધિઓ તેણે ઓળખી લીધી. તેની મેળવણી કરી પગમાં લેપ કરીને ઊડવા લાગ્યો. થોડુંક ઉડાયું ખરું પણ કૂકની જેમ પાછો જમીન ઉપર પડી જતો. દરરોજ એક બે વાર ઊડી ઊડીને પડતો તેથી તેના પગમાં તેમ જ ગોઠણ ઉપર કેટલાક ઘાવ પડ્યા. તે દેખીને પાદલિપ્તસૂરિએ જ્યારે તેને પૂછ્યું, ત્યારે તેણે ખરેખરી વાત કહી દીધી. તેથી તેની બુદ્ધિ જોઈ ગુરુ તેના ઉપર ઘણા જ પ્રસન્ન થયા. પછી તેને સાચો શ્રાવક બનાવી કહ્યું કે, તેં જે એકસો સાત ઔષધિ મારાથી છાની રીતે શીખી લીધી તે બધી ખરી અને બરાબર છે પણ તે બધી સામગ્રી ભેગી કરી સાઠી ચોખાના ધોવણમાં મેળવી પગે લેપ કરીએ તો સારી રીતે ઊડી શકાય છે. આ વાત તેણે બરાબર સમજી લઈ તેણે તે પ્રમાણે કર્યું અને તે આકાશગામીની વિદ્યા શીખી ગયો. આ શીખ્યા પછી નાગાર્જુનને સ્વર્ણ સિદ્ધિ સાધવાની ઇચ્છા થઈ તેથી તેની પાછળ પડી તે પણ તેણે મેળવી આ મિશ્રણ બાવન તોલે ફક્ત એક રતી પથ્થર યા લોખંડ પર પડતાં સોનું બની જાય એવા કોટી વેધ રસનો એક બાટલો તૈયાર કરી પોતાના શિષ્યની સાથે પોતાના ગુરુ શ્રી પાદલિપ્તાચાર્યને ભેટ મોકલાવ્યો. ગુરુ મહારાજે બાટલો હાથમાં લઈ કહ્યું કે, અમારે તો સુવર્ણ કે કાંકરા બન્ને સરખાં જ છે. એટલે અમારે કંઈ આની જરૂર નથી. આ તો અનર્થનો જ હેતુ છે. એટલે આ અમે રાખવાના નથી. અમને આ સીસો શા માટે મોકલ્યો ? એમ કહી તે મિશ્રણ રાખના કુંડામાં ફેંકી દીધું અને ખાલી થયેલા એ સીસામાં પોતાનો પેસાબ ભરી રીસ બતાવી તેને પાછો આપી દીધો. તે શિષ્ય નાગાર્જુન પાસે જઈ આ બનેલી બીના બધી કહી સંભળાવી, તેથી નાગાર્જુન બહુ ગુસ્સે થઈ બોલ્યો કે, અરે ! ગુરુ આટલા બધા અવિવેકી કે જેણે કોટી વેધ રસને પોતાના પેસાબ બરાબર ગણ્યો. એમ કહી તે સીસો એક પથ્થરની શિલા પર પછાડ્યો, કે તરત જ તે શિલા જો કે પથ્થરની હતી તો પણ Page #299 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ર૭ર પેલા પેસાબના મહિમાથી સુવર્ણ શિલા બની ગઈ. આ જોઈ નાગાર્જુન વિસ્મય પામી ગયો અને લજવાઈ જઈ બોલ્યો : “મેં તો મહા મહેનતે ફ્લેશ સહન કરી જે કોટી વેધ રસ બનાવેલો હતો તે અથવા તેવો કોટી વેધ રસ તો એમના શરીરથી ઉત્પન્ન થયેલા પેસાબમાં પણ સ્વભાવથી જ રહેલો છે. માટે ધન્ય છે એઓને.” પછી નાગાર્જુને પોતાનું બધું અભિમાન છોડીને પાદલિપ્તાચાર્યને કલ્પવૃક્ષના જેવા માની તેઓની સેવામાં આવીને રહ્યો. એક વખત શાલિવાહન રાજાના દરબારમાં ચાર મોટા પંડિતો એકેક લાખ લોકનાં બનાવેલાં ચાર મોટાં પુસ્તકો લઈને આવ્યા. રાજાને આ પુસ્તકો વાંચવા કહ્યું રાજાએ આટલાં મોટાં પુસ્તકો વાંચવાની ફુરસદ નથી એમ કહ્યું એટલે પંડિતોએ તેનો સાર નાના પુસ્તકોમાં કરી રાજાને વાંચવા કહ્યું. રાજાએ તે પણ વાંચવા કુરસદ નથી એમ જણાવ્યું. આથી પંડિતોએ એક જ શ્લોકમાં સાર રજૂ કર્યો. જે સાંભળી રાજા ઘણો ખુશ થયો. તેમાં આત્રેય નામના પંડિતે આખા વૈદક શાસ્ત્રનો સાર એક જ પાદમાં સંભળાવ્યો જીર્ષે ભોજન માય એટલે ખાધેલું પચી ગયા પછી જ બીજું ભોજન કરવું એવો વૈદક શાસ્ત્રનો ચોક્કસ મત છે. બીજા કપિલ મુનિએ “કપિલ: પ્રાણી દયા. પ્રાણીને દયા કરવી એ ઉપરાંત ધર્મ નથી” એમ જણાવ્યું. ત્રીજા બહસ્પતિએ નીતિ શાસ્ત્રનો સાર કહી સંભળાવ્યો કે, “બૃહસ્પતિર વિશ્વાસ, કોઈનો પણ વિશ્વાસ રાખવો નહીં” ચોથા પંચાલ નામના પંડિતે કહ્યું કે, “પંચાલ: સ્ત્રીષ માર્દવ-આખા કામશાસ્ત્રનો સાર એ છે કે સ્ત્રીની સાથે નરમાશ રાખવી" આ ચારે પંડિતોની પંડિતાઈ જોઈ તેમનો ઘણો સારો સત્કાર કર્યો. એટલું જ નહીં પણ રાજા તેઓની પંડિતાઈ ઉપર એટલો બધો લીન થઈ ગયો કે વાતે વાતે સભા વચ્ચે કે જ્યાં ત્યાં તેઓની જ પ્રશંસા કર્યા કરે. આથી તે રાજાની ભોગવતી રાણી એક વખત ખીજાઈ જઈ બોલી ઊઠી : “વાદી રૂપ હાથીઓ મદમાં આવી ભલેને ગર્જના કરે, પણ પાદલિપ્તસૂરી રૂપ સિંહનો અવાજ જ્યારે સાંભળશે ત્યારે તરત જ તેઓને પોતાનો મદ છોડી દઈ નાશી જવું પડશે.” - પાદલિપ્તાચાર્યની આટલી બધી પ્રશંસા સાંભળી રાજાએ તરત જ પોતાના તરફથી તેઓને આમંત્રણ આપવા દીવાનને મોકલ્યા. રાજાના આમંત્રણને માન આપી પાદલિપ્તાચાર્ય પણ વલ્લભીની નજીક આવી પહોંચ્યા, ત્યારે ત્યાંના ઘણા પંડિતોએ Page #300 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૭૩ મળી તેઓના પાંડિત્યની પરીક્ષા કરવા માટે એક ઘીનો થાળ ભરી તેમની સામે મોકલાવી આપો. પાદલિપ્તાચાર્યે વિચાર કરીને તે થાળમાં એક સોય ઘોંચી તે થાળ પાછો મોકલાવ્યો. આ વાત રાજાના જાણવામાં આવી ત્યારે તેણે પંડિતોને બોલાવી પૂછ્યું કે, આ તમે શી ગુપ્ત સમસ્યા કરી. ત્યારે પંડિતોએ સમજાવ્યું કે, “ધીની પેઠે આ નગર પંડિતોથી ભરપુર છે, માટે આ નગરમાં વિચાર કરીને શક્તિ હોય તો જ આવજો." આચાર્યો તેમાં સોય ઘોંચીને જણાવ્યું કે, “તીક્ષ્ણપણાથી જેમ સોય આ ઘીમાં પેસી જાય છે તેમ હું પણ આ નગરના પંડિતોની પંક્તિમાં ભળી જઈશ. પણ તેઓથી કંઈ પાછો હટીશ નહીં" વળી પંડિતોએ જણાવ્યું કે, આ જોતાં આચાર્ય કોઈક ખરેખરા વિચક્ષણ છે, માટે તેઓને આપણે માન આપવું એ યોગ્ય જ છે. પછી પંડિતો સહિત રાજાએ ઘણા ઠાઠથી તેઓને નગર પ્રવેશ કરાવ્યો. પાંચસો પંડિતો સહિત રાજા તેમના વ્યાખ્યાનમાં દરરોજ આવવા લાગ્યા. તેઓના પાંડિત્ય તથા વ્યાખ્યાન કળાથી પંડિતો અને રાજા તથા ત્યાંની પ્રજા ઘણી જ વિસ્મિત થઈ. એટલું જ નહીં પણ આચાર્ય મહારાજે ત્યાં નિર્વાણલિકા અને પ્રેમ પ્રકાશાદિ ગ્રંથો નવા રચીને સંભળાવ્યા. જેથી ઘણાખરા પંડિતો તથા પ્રજા સહિત રાજા પણ જૈન થયા. આવી જૈન શાસનની મોટી પ્રશંસા કરાવી પાદલિપ્તાચાર્યે શ્રી શત્રુંજ્ય પર્વત પર જઈ જાત્રા કરી અને બત્રીશ ઉપવાસના અણસણપૂર્વક તેઓનો આત્મા સ્વર્ગે સિધાવ્યો. તમારા નાના અવગુણોને મોટા માની યજો. ઇન્દ્રિયો ઉપર જય કરે તે મોટા મહારાજા. અહિંસા અમૃત છે, અપરિગ્રહ અમીરી છે. કુદરત કુકર્મની સજા ધીરે ધીરે કરે છે. અ૫ભાષી સર્વોત્તમ મનુષ્ય છે. અણબોલાવ્યો બોલે ને તણખલાની તોલે. • તૃષ્ણા એ વધતો જતો રાક્ષસ છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ પ ર૭૪ પદમશેખરરાય ૯૩. પૃથવીપુરે પદ્મશખર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મનો રાગી હતો. તેથી તે જ્યારે રાજસભામાં આવી બેસતો ત્યારે સભા સમક્ષ જૈન ગુરુના ગુણોનું વર્ણન કરતાં એટલી બધી સારી રીતે સમજાવતો કે તે સાંભળી પ્રાણીઓના હૃદયમાં તેઓના પર બહુમાન અને આદર થયા વગર રહે નહીં. જેમ કે "પ્રમાદમાં પડેલા બીજાઓને અટકાવે, પોતે પણ પાપરહિત માર્ગ પર ચાલે, મોક્ષાર્થી પ્રાણીઓને તત્ત્વ ગ્રહણ કરાવે, અને પોતે સર્વનું હિત જ કરે તેવા હોય તેઓને સદગુરુ કહીએ.” વળી “કોઈ વંદના કરે તેથી રાજી થાય નહીં, કોઈ હેલના કરે તેથી તેઓ નારાજ થાય નહીં, ચિત્તને દમન કરીને ધીર વીર થઈ ચાલે, રાગ અને દ્વેષને જેમણે હણી નાખેલા છે, એવા ધીર મુનિઓ હોય છે. વળી બે જાતના ગુરુ બતાવ્યા છે : તપોવઉત્તે અને નાણોવઉત્તે. તપોવઉત્તે તેઓ તપયુક્ત હોય છે. તેઓ પોતાના આત્માને તારે છે જ્યારે નાણાવઉત્તે એટલે જ્ઞાનના ઉપયોગવાળા ગુરુ વહાણ સમાન છે તેથી તેઓ પોતાના અને પરના આત્માને તારે છે. આવી રીતે ગુરૂના ગુણોનું દરરોજ વર્ણન કરી તેઓએ ઘણા જૈન ધર્મી બનાવ્યા. પરંતુ તે જ નગરમાં એક જ્ય નામનો વાણિયો નાસ્તિક મતવાળો હતો, તે લોકોની પાસે એવો ઉપદેશ કરતો કે, ઇન્દ્રિઓ પોતપોતાના વિષયમાં પ્રવર્તે છે તેને રોકી રાખવી એ બને તેવું છે જ નહીં. માટે આ તપશ્ચર્યા દ્વારા શરીરનું શોષણ કરવું એ કેવળ મૂર્ખનું જ કામ છે. તપ કરવાથી પરલોકમાં સુખ મળશે એમ લોકો કહે છે. પણ સ્વર્ગ છે કે નથી એ કોણ જાણે છે ?" જેમ રાજા પદ્મશેખર લોકોને ધર્મ તરફ વાળતો હતો તેમ આ જ્ય વગિક લોકોને ભરમાવી પાપમાર્ગે વાળતો હતો. તે કહેતો હતો કે તપ કરી અત્યારે તો દુઃખી જ થવાનું છે. મર્યા પછી સુખ મળશે એ મૂર્ખ લોકોની માન્યતા છે. માટે આ જન્મમાં ખાનપાન કરી મન માન્યું સુખ ભોગવી લેવું જોઈએ. વગેરે. પદ્ધશેખર રાજાએ આ વણિકની રીતભાત જાણી, એને ધર્મમાર્ગે વાળવા એક કીમિયો કર્યો. એક લાખ સોનામહોરનો એક કીમતી હાર તે જ વાણિયાના ઘરમાં તેના ખાનગી દાગીના ભરવાના દાબડામાં મુકાવી દીધો અને નગરમાં ઢંઢેરો પીટાવ્યો Page #302 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૭૫ કે રાજાનો એક લાખની લાગતનો હાર ખોવાયો છે, તે જેની પાસે હોય તે તરત રાજ દરબારમાં આપી જાય, તેને નિરપરાધી ગણી હાર લઈ છોડી દેવામાં આવશે. આઠ દિવસમાં આ હાર પાછો દરબારમાં નહીં આવે તો દરેકના ઘરની ઝડતી લેવાશે અને જેને ત્યાંથી મળશે તેને ચોર ગણી તેનો દંડ કરવામાં આવશે, પરંતુ કોઈ એ હાર આપી ગયું નહીં તેથી રાજાએ નગરના તમામ ઘરની ઝડતી લેવાનો હુકમ કર્યો આ ઝડતી લેતાં આ હાર " વાણિયાને ત્યાંથી મળી આવ્યો, તેથી રાજસેવકોએ તરત જ જ્ય શેઠને બાંધી રાજા પાસે લાવી ઊભો કર્યો. જ્યારે એ રંગે હાથ પકડાયો છે ત્યારે એને મારી જ નાખવો જોઈએ એમ રાજાએ ફરમાવ્યું. ત્યારે તેનાં સગાંવહાલાં રાજા પાસે આવી કરગરવા લાગ્યાં. રાજાએ તેમને જણાવ્યું કે, પ્રત્યક્ષ પુરાવા મળ્યા છતાં તમે એને છોડી દેવા કહો છો તે કેમ બને ? પરંતુ તમે જ્યારે એના માટે આટલા બધા કરગરો છો તો હું જેમ કહું તેમ જો એ કરે તો એને જરૂર છોડી દેવામાં આવશે. ત્યારે સગાંવહાલાં બોલી ઊઠ્યાં છે, જેમ તમો કહો તેમ એ કરવા તૈયાર છે. ત્યારે રાજાએ કહ્યું, કે તેલનું ભરેલું એક વાસણ એના હાથમાં આપવામાં આવે તે લઈ આખા નગરના ચોરાસી ચૌટા ફરી આવે પણ તેમાંથી એક પણ તેલનું બિંદુ જમીન પર પડવા દે નહીં અને જેવું ભરી આપેલું હોય તેવું ને તેવું જ તે વાસણ જો મને પાછું લાવી આપે તો જરૂર તેને છોડી મૂકીશ. પણ જો તેમાંથી એક પણ ટીપું જમીન પર પડ્યું તો તરત અમારા નોકરો તેનું માથું કાપી નાખશે. આમ કરવું તે કબૂલ કરે છે? મરણની બીકથી (મોતથી બચવા માટે) તેણે તે પ્રમાણે કરવા કબૂલ કર્યું અને તેવી રીતે જ્યારે તે તેલનું પાત્ર હાથમાં લઈને ફરવા નીકળ્યો ત્યારે રાજાએ આખા નગરના લોકોને એવો હુકમ આપ્યો કે ઠેકઠેકાણે નૃત્યાંગના સારાં આભૂષણો પહેરી નૃત્ય કરે - ગણિકાઓ ઉત્તમ શણગાર સજી સર્વ ઇન્દ્રિયોને સુખાકારી લાગે તેવાં નાટક-ગાયનો ચોરે ચૌટે આના આગમન વખતે કરે. આ પ્રમાણે નાટક, નૃત્યગાન, હાવભાવ વગરે દિલ લોભાવનારા કાર્યક્રમો તેના ફરવાના રસ્તે થવા લાગ્યા. જ્ય શેઠ આ બધા વિષયોમાં રસિક હતો. જાણતો હતો કે જો આ પાત્રમાંથી એક ટીપું પણ જમીન પર પડશે તો આ રાજસેવકો જે નાગી તલવાર સાથે બાજુમાં જ ચાલે છે તે માથું કાપી નાખશે, એવા મરણના ભયથી આ બધા દેખાવો તરફ નજર ન નાખતાં બધી જગ્યાએ ફરી રાજા પાસે આવ્યો અને એક પણ બિંદુ પડ્યા વગરનું તેલનું ભરેલ પાત્ર રાજાને આપ્યું ત્યારે રાજાએ હસીને તેને કહ્યું કે, "તું તો કહે છે કે, આ ઇન્દ્રિયો અને મન એ અત્યંત ચપળ હોવાને લીધે કોઈથી રોકી શકાતાં નથી ! જો Page #303 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૭૬ એમ છે તો તું તારા મનને અને ઇન્દ્રિયોને શી રીતે રોકી શક્યો?" યે જવાબ આપ્યો કે, "મહારાજ, મરણના ભયથી મેં મન અને ઇન્દ્રિયોને સ્વાધીન રાખી હતી ત્યારે રાજાએ કહ્યું કે, જ્યારે એક વારના મરવાના ભયે તે તારો થતો પ્રમાદ અટકાવ્યો કે જેથી તું ઇન્દ્રિયો અને મનને કાબૂમાં રાખી શક્યો, ત્યારે અનંતા ભવના જન્મમરણોના ભય દેખી જૈન મુનિઓ પોતાની ઇન્દ્રિયો અને મને પોતાને વશ રાખે એમાં શી નવાઈ ! જરા ધ્યાન દઈ હું કહું છું તે સાંભળ" - "જો ઇન્દ્રિયોને વશ રાખેલી ન હોય તો તે દુઃખને આપનારી થાય છે માટે જો દુ:ખથી દૂર રહેવું હોય તો બધી ઈન્દ્રિયો પોતાને સ્વાધીન રાખો.” વળી રાગ અને તે જીતાય તો ઇન્દ્રિયોનો જ્ય ર્યો ગણાય. માટે હિતકારક કાર્યોમાં ઇન્દ્રિયોને રોકવી નહીં. પણ અહિત કાર્યોમાં પ્રવર્તતી ઇન્દ્રિયો તરત જ રોકવી. સંયમધારી પુરુષો એ પ્રકારે વર્તે છે. રાજાના આવાં હિતકારી વચનો સાંભળી જ્ય શેઠ સમજી જવાથી બોધ પામ્યો અને જૈનધર્મ અંગીકાર કર્યો. આવી રીતે ઘણા લોકોને પ્રતિબોધ પમાડી પહ્મશેખર રાજા છેવટે દેવગતિને પામ્યો. મહાવીર સંદેશ જ્યારે લોકો અરસપરસના લોહી માટે તરસ્યા હતા; - જ્યારે ઉચ્ચ જાતિના મદમાં મસ્ત બનીને ઉચ્ચ વર્ણવાળા માનવતા સુદ્ધાં વીસરી ગયા હતાં; અને જ્યારે અબળાઓ તથા શુદ્રો સાથે પશુતુલ્ય વ્યવહાર આચરવામાં આવતો હતો, ત્યારે શ્રી મહાવીર સ્વામીએ બુલંદ અવાજે ઘોષણા કરી કે, જાતિ નામ કર્મના ઉદયથી ઉત્પન થયેલ મનુષ્યની જાતિ એક છે, આજીવિકાના ભેદને કારણે તેમાં ભેદભેદની કલ્પના દાખલ થઈ ગઈ છે. વ્રતના સંસ્કારબળથી બ્રાહ્મણ, હથિયાર ધારણ કરવાથી ક્ષત્રિય, નીતિપુર:સર દ્રવ્ય પેદા કરવાથી વૈશ્ય અને સમાજની સેવા કરીને આજીવિકા કરવાથી શૂદ્રના વર્ણભેદ ઊભા કરવામાં આવેલ છે, આ ભેદ કે વર્ણ કાંઈ જન્મ સાથેના નથી. Page #304 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૭૭ શ્રી જંબૂસ્વામી પૂર્વે ભવદત્ત અને ભવદેવ નામના બે ભાઈઓ હતા. મોટાભાઈ ભવદત્તે ચારિત્ર ગ્રહણ કર્યું હતું. તેણે તેના નાનાભાઈ ભવદેવને સમજાવી તરતની પરણેલી નાગીલાને છોડીને દીક્ષા અપાવી હતી. ભવદત્તમુનિના સ્વર્ગે ગયા પછી ભવદેવ પાછો નાગીલા સાથે સંસાર ભોગવવાના વિચારથી પોતાના ગામે આવ્યો પણ નાગીલાના ઉપદેશથી ચારિત્રમાં સ્થિર રહ્યો. તે જ ભવદેવનો જીવ વિદ્યુમ્ભાલી નામે દેવ થયો હતો. તે જ જીવે અષભ નામના શ્રેષ્ઠિની ધારિણી નામની સ્ત્રીના પુત્ર તરીકે જન્મ લીધો અને તેનું નામ જંબૂ રાખવામાં આવ્યું. અનુક્રમે તે યુવાવસ્થા પામ્યા. એકદા વૈભારગિરિ ઉપર શ્રી સુધર્માસ્વામી સમવસર્યા, તેમને વાંદવા જંબૂકુમાર ગયા. તેમની દેશના સાંભળીને પાછા ફરતા હતા, તે વખતે ગામના દરવાજે પેસતાં તેમને, શત્રુને મારવા માટે નગરના દરવાજા ઉપર અડધા લટકતા ભારવટાના ભારે લાકડાને જોઈને તેઓ વિચારે છે કે આ ભારે લાકડું માથા ઉપર પડે તો ? માટે હું પાછો વળીને સુધર્મા સ્વામી ગણધર પાસે જઈ જીવન પર્યત બ્રહ્મચર્યનું પચ્ચકખાણ લઈ આવું. આવું વિચારતાં તેઓ ગણધર પાસે જઈ આજીવન બ્રહ્મચર્ય પાલનનું વ્રત લઈ ઘરે આવ્યા. માતાપિતાને તેમણે કહ્યું કે, હું આપની આજ્ઞાથી શ્રી સુધર્મા સ્વામી પાસે દીક્ષા લેવા ઇચ્છું છું." આવું વજ જેવું તેમનું વચન સાંભળી માતાપિતાએ પોતાના પુત્ર પરના સ્નેહથી મોહ પામીને સંયમની દુક્કરતા વગેરેનું વર્ણન કર્યું. તેના સરસ ઉત્તરો આપીને જંબૂકુમારે માતાપિતાને નિરુત્તર કર્યા. એટલે ફરીથી તે બોલ્યા કે, “હે વત્સ ! તારા માટે પ્રથમથી નક્કી કરી રાખેલ આઠ કન્યાઓને પરણીને અમારા મનોરથ પૂર્ણ કર, પછી તેને ગમે તેમ કરજે." આ પ્રમાણે કહેવામાં તેનાં માતાપિતાએ વિચારેલ કે પરણ્યા પછી સ્ત્રીઓના પ્રેમમાં પડવાથી પછી એ સંસાર છોડી શકશે નહીં. જંબુમારે કમને માતાપિતાની આજ્ઞા માની, આઠે કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું અને પરણ્યા પહેલાં તે આઠે કન્યાઓને પોતાના મનોરથ જંબૂકુમારે કહેવરાવ્યા હતા. પણ આઠે કન્યાઓએ કહેલ કે, અમારે તો આ ભવમાં કે પરલોકમાં જંબૂકુમાર જ સ્વામી છે." એમ કહીને તેઓ જંબુકમારને પરણી. Page #305 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૭૮ લગ્ન થયા પછી સ્પૃહા રહિત જંબૂકુમાર શયનગૃહમાં ગયો, ત્યાં કામદેવથી પીડાતી તે સ્ત્રીઓ સાથે વિકાર રહિતપણે વૈરાગ્યની વાતો કરવા લાગ્યો. તે વખતે તે સ્ત્રીઓએ સ્નેહ વૃદ્ધિ પામે તેવી એકેક વાર્તા દરેક સ્ત્રીએ કહી. તેના જવાબમાં કુમારે વૈરાગ્ય ઉત્પન્ન થાય તેવી સામી આઠ વાર્તાઓ કહી આ વાર્તાઓ ચાલતી હતી તે સમયે જ પાંચસો ચોરો સહિત પ્રભવ નામનો રાજપુત્ર, અવસ્થાપિની અને તાલોદ્દઘાટિની (તાળાં ઉઘાડે) વિદ્યાના પ્રભાવથી, જંબૂકુમારના મહેલમાં આવીને ચોરી કરવા લાગ્યો. તે સર્વને કોઈ દેવતાએ ચંભિત કર્યા. એટલે પ્રભવ ચોરે વિચાર્યું કે, આ મહાત્માથી જ હું પરિવાર સહિત ચંભિત થયો છું." એમ વિચારીને બધી સ્ત્રીઓને ઉત્તર-પ્રત્યુત્તર આપીને સમજાવતાં જંબૂકુમારની સામે પ્રગટ થઈ તેણે કહ્યું કે, હે મહાત્મા ! હું આ દુષ્ટ વ્યાપાર, ચોરી કરવાના કામથી નિવૃત્ત થયો છું, માટે મારી પાસેથી આ બે વિદ્યા લો અને તમારી સ્થભિની વિદ્યા મને આપો.” તે સાંભળી જંબૂકુમાર બોલ્યા કે, હું તો પ્રાત:કાળમાં જ આ સાંસારિક બંધનોનો ત્યાગ કરીને શ્રી સુધર્માસ્વામી પાસે દીક્ષા લેવાનો છું. એટલે મારે તારી વિદ્યાની કોઈ જરૂર નથી. વળી હે ભદ્ર ! મેં કાંઈ તને સ્વૈભિત કર્યો નથી. પણ કોઈ દેવતાએ મારા પરની ભક્તિથી પ્રેરાઈ તને ચંભિત કર્યો હશે. તેમ જ ભવની વૃદ્ધિ કરે તેવી વિદ્યાઓ હું લેતો કે દેતો નથી; પણ સમસ્ત અર્થને સાધનારી શ્રી સર્વાભાષિત જ્ઞાનાદિક વિદ્યાને જ ગ્રહણ કરવાને હું ઇચ્છું છું." એમ કહીને તેણે ચમત્કાર પામે તેવી ધર્મકથાઓ તેને વિસ્તારથી કહી. તે સાંભળીને પ્રભવ બોલ્યો, હે ભદ્ર ! પુણ્યથી પ્રાપ્ત થયેલા ભોગોને તમે શા માટે ભોગવતા નથી !" જંબૂકુમારે જવાબ આપ્યો કે, “કિપાક વૃક્ષના ફળની જેમ અંતે દાણ કષ્ટને આપનારા અને દેખીતા જ માત્ર મનોહર એવા વિષયોને ક્યો ડાહ્યો માણસ ભોગવે ? મતલબ કોઈ ન ભોગવે એમ કહી તેણે પ્રથમ મધુ બિંદુનું દષ્ટાંત કહ્યું. ફરીથી પ્રભવે કહ્યું કે, “તમારે પુત્ર થાય ત્યાર પછી દીક્ષા લેવી યોગ્ય છે. કેમ કે પિંડ આપનારો પુત્ર ન હોય તેને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી" તે સાંભળીને જંબૂકુમારે હસીને કહ્યું કે, “જો એમ હોય તો સૂવર, સર્પ, શ્વાન, ગોધા વગેરેને ઘણા પુત્રો હોય છે તેથી તેઓ જ સ્વર્ગે જશે. અને બાલ્યાવસ્થાથી બ્રહ્મચર્ય પાળનાર સ્વર્ગે નહીં જાય ?" પછી જંબૂકુમારની આઠે સ્ત્રીઓ અનુક્રમે બોલી તેમાં પહેલી અને સૌથી મોટી સમૂદ્રશ્રી બોલી કે, “હે સ્વામી ! પુણ્યથી પ્રાપ્ત થયેલી આ લક્ષ્મીનો ત્યાગ કરીને તમે ચારિત્ર લેવા ઇચ્છો છે ? જંબૂકુમારે જવાબ આપ્યો કે, “વીજળીની જેવી ચપલ લક્ષ્મીનો Page #306 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ પ ર૭૯ શો વિશ્વાસ ? માટે હે પ્રિયે તે લક્ષ્મીને મૂકીને હું દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છું છું.” પછી બીજી પદ્મશ્રી બોલી કે," છએ દર્શનનો મત એવો છે કે દાનાદિક ધર્મથી ઉપકારી હોવાને લીધે ગૃહસ્થાશ્રમીનો ધર્મ શ્રેષ્ઠ છે. કહ્યું છે કે, “આ દાનાદિક ગૃહસ્થીઓનો ધર્મ બન્ને ભવમાં હિતકારી હોવાથી તેનું ધીર પુરુષો પાલન કરે છે અને કાયર મનુષ્યો તેને તજી દે છે.” જંબૂએ કહ્યું કે, “સાવઘનું પાપયુક્ત ક્રિયાઓનું સેવન કરવાથી ગૃહસ્થધર્મ શી રીતે શ્રેષ્ઠ કહેવાય ? કારણ કે ગૃહી અને મુનિના ધર્મમાં મેરુ અને સરસવ તથા સૂર્ય અને ખદ્યોતના જેટલું અંતર છે." પછી ત્રીજી પધસેના બોલી કે, “કદલીના ગર્ભ જેવું કોમળ તમારું શરીર સંયમનાં કષ્ટો સહન કરવાને યોગ્ય નથી." જંબૂએ કહ્યું કે, “અરે, કૃતઘ્ની અને ક્ષણભંગુર એવા આ દેહ ઉપર બુદ્ધિમાન પુરુષ શી રીતે પ્રીતિ કરે ?” પછી ચોથી કનકસેના બોલી કે, “પૂર્વે જિનેશ્વરોએ પણ પ્રથમ રાજ્યનું પાલન કરી સંસારના ભોગ ભોગવીને પછી વ્રત અંગીકાર કર્યું હતું. તો તમે શું કાંઈ નવા મોક્ષની ઇચ્છાવાળા થયા છો ?" જંબૂએ કહ્યું કે, “જિનેશ્વરી અવધિજ્ઞાનવાળા હોવાથી તેઓ પોતાના વ્રત યોગ્ય સમયને જાણે છે, માટે હાથી સાથે ગધેડાની જેમ તેમની સાથે આપણા જેવા સામાન્ય મનુષ્યોની શી સ્પર્ધા ? પ્રાણીઓના જીવિત રૂપી મહા અમૂલ્ય રત્નને કાળ રૂપ ચોર અણચિંતવ્યો આવીને મૂળમાંથી ચોરી લે છે, તેથી ડાહ્યા પુરુષો સંયમ રૂપી પાથેય લઈને તેના વડે મોક્ષપુરીને પામે છે કે જ્યાં આ કાળ રૂપ ચોરનો જરા પણ ભય હોતો નથી" પછી પાંચમી નભસેના બોલી કે, હે પ્રાણનાથ ! આ પ્રત્યક્ષ અને સ્વાધીન એવું કુટુંબનું સુખ પ્રાપ્ત થયું છે, તેને છોડીને દેહ વિનાના સુખની (મોક્ષસુખની) શા માટે ઇચ્છા કરો છો ? જંબૂએ જવાબ આપ્યો કે, હે પ્રિયા ! સુધા, તૃષા, મૂત્ર, યુરીયા અને યોગાદિકથી પીડ પામતા આ મનુષ્ય દેહમાં ઇષ્ટ વસ્તુના સમાગમથી પણ શું સુખ છે? કાંઈ નથી પછી છઠ્ઠી કનકશ્રી બોલી કે, "પ્રત્યક્ષ સુખ પામ્યા છતાં તેને તજીને પરોક્ષ સુખની વાતો કરવી તે ફોગટ છે. ભોગની પ્રાપ્તિ માટે વ્રત ગ્રહણ કરવું, તો જ્યારે તે ભોગ જ પ્રાપ્ત થયા હોય ત્યારે વ્રતના આચરણથી શું? ખેતરમાં વૃષ્ટિથી જ અન્ન પાડ્યું હોય તો પછી કૂવામાંથી પાણી ખેંચીને પાવાનો પ્રયાસ કોણ કરે ? કુમારે તેને જવાબ આપ્યો કે, “હે પ્રિયા ! તારી બુદ્ધિ બરાબર રૂડી રીતે ચાલતી નથી. વળી આવું બોલવાથી તારું અદીર્ધદર્શીપણું પ્રગટ થાય છે, અને તે અન્ય જણને હિતકારી થતું Page #307 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ – ૨૮૦ નથી, કેમ કે સ્વર્ગ તથા મોક્ષને આપનાર એવા આ મનુષ્ય દેહને જે માણસો ભોગસુખમાં ગુમાવે છે, તેઓ મૂળ ધન ખાનારની જેમ પરિણામે અતિપ્રાય દુ:ખને પ્રાપ્ત થાય છે. માટે હે પ્રિયા ! જલદીથી નાશ પામનારા એવા આ મનુષ્ય જન્મને પામીને હું એવી રીતે કરીશ કે જેથી કોઈ પણ વખત પશ્ચાત્તાપ કરવો ન પડે.” પછી સાતમી કનવતી બોલી કે, “હે નાથ ! હાથમાં રહેલા રસને ઢોળી નાખીને પાત્રના કાંઠા ચાટવા' એ કહેવતને તમે સત્ય કરી બતાવો છો” જંબૂએ કહ્યું કે, "હું ગૌર અંગવાળી પ્રિયા ! ભોગો હાથમાં આવ્યા છતાં પણ નાશ પામી જાય છે, તેથી તેમાં મનુષ્યોનું સ્વાધીનપણું છે જ નહીં, છતાં તેને હાથમાં આવેલા માને છે તેઓને ભૂતની જેમ ભ્રમ થયેલ છે એમ સમજવું. વિવેકી પુરુષો પોતે જ ભોગના સંયોગોનો ત્યાગ કરે છે અને જે અવિવેકી પુરુષો તેનો ત્યાગ કરતા નથી તેઓનો તો ભોગ જ ત્યાગ કરે છે.” પછી છેલ્લી યશ્રી (આઠમી) બોલી કે, "હે સ્વામી ! તમે સત્ય કહો છો, પરંતુ તમે પરોપકાર રૂપ ઉત્તમ ધર્મને અંગીકાર કરનારા છો; માટે ભોગને ઇછ્યા વિના પણ અમારા ઉપર ઉપકાર કરવા માટે અમને સેવો. વૃક્ષો મનુષ્યોના તાપને દૂર કરવા રૂપ ઉપકારને માટે પોતે તાપને સહન કરે છે. વળી, ક્ષાર સમુદ્રનું પાણી પણ મેઘના સંયોગથી અમૃત સમાન થાય છે, તેવી રીતે તમારા સંયોગથી પ્રાપ્ત થયેલા ભોગ પણ અમને સુખને માટે થશે.” કુમારે કહ્યું કે, “હે પ્રિયા ! ‘ભોગથી ક્ષણ માત્ર દુ:ખ સુખ થાય છે, પણ ચિરકાળ સુધી દુ:ખ થાય છે એવા પરમાત્માના વચનથી મારું મન તેનાથી નિવૃત્તિ પામ્યું છે, અને તેમાં તમારું પણ કાંઈ કલ્યાણ હોય એમ મને ભાસતું નથી. માટે કમળના જેવાં નેત્રોવાળી પ્રિયા ! તેવા પ્રાંતે અહિતકારી ભોગમાં આગ્રહ કરવો તે કલ્યાણના માટે નથી. કુમનુષ્યોમાં, કુદેવોમાં, તિર્યંચોમાં અને નરકમાં ભોગી જનો જે દુ:ખ પામે છે તે સર્વજ્ઞ જ જાણે છે.” આ પ્રમાણે કુમારના જવાબો સાંભળી તે આઠે સ્ત્રીઓ વૈરાગ્ય પામી, એટલે હાથ જોડીને બોલી કે, "હે પ્રાણનાથ ! તમે જે માર્ગનો આશ્રય કરો તે જ માર્ગ અમારે પણ સેવ્ય છે.” આ બધું જોઈને પ્રભવ ચોર પણ વિચારવા લાગ્યો કે, “ધન્ય છે આ મહાત્માને કે જેને લક્ષ્મી સ્વાધીન છે તે તેનો ત્યાગ કરે છે અને નિર્લજ્જ જેવો હું તે જ લક્ષ્મીની વાંછના કરવા આવાં ચોરી જેવાં મહા પાપ કરું છું. માટે હું અત્યંત નિંદ્ય છું. મને αγ Page #308 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૮૧ અધર્મીને ધિક્કાર છે !” આવા વિચારથી પરિવાર સહિત વૈરાગ્ય પામેલો પ્રભવ બોલ્યો કે, "હે મહાત્મા ! મને આજ્ઞા આપો, મારે શું કરવું ?” જંબૂકુમારે જવાબ આપ્યો કે, "જે હું કરું તે તું પણ કર." પછી પ્રાત:કાળે સંઘ તથા પ્રભુપૂજન કરીને વડીલોને નમસ્કાર કરી કુમારે સ્નાન કરી ચંદનનું વિલેપન કર્યું. પછી શ્વેત વસ્ત્રો તથા સર્વ અંગે અલંકારો ધારણ કરીને પુરુષોથી વહન કરાતી શિબિકામાં આરૂઢ થયા. માર્ગમાં દીન લોકોને દાન કરતા અને લોકોને રંજન કરતા - વાજિંત્રોના નાદ સાથે જ્યાં સુધર્મા સ્વામી બિરાજતા હતા ત્યાં આવ્યા. સાથે પોતાની આઠ પત્નીઓ પોતપોતાનાં માબાપ સાથે, પ્રભવ સહિત પાંચસો ચોરોને પણ લાવ્યા હતા. સર્વે સુધર્મા સ્વામી પાસે આવ્યા પછી નમન વંદન કરી જંબૂકુમારે પોતાના કુટુંબ અને ચોરો સહિત (૫૨૭) પાંસચો સત્તાવીશ જણાને દીક્ષા આપવા અનુરોધ કર્યો. એટલે સુધર્મા સ્વામીએ પોતાના હાથે જંબૂ કુમારને તેના પરિવાર સાથે તથા બધા ચોરોને પણ દીક્ષા આપી જંબૂસ્વામીને તેમના શિષ્ય તરીકે પ્રભવ મુનિની સોંપણી કરી. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી દશ વર્ષે સુધર્મા સ્વામીએ જંબૂસ્વામીને ગણધર પદવી આપી અને ત્યાર બાદ ચોપન વર્ષે જંબુસ્વામીએ પ્રભવ સ્વામીને ગણધર પદવી આપી. પ્રભવ સ્વામી ગણધર થયા બાદ શ્રી જંબૂસ્વામીને કેવળ જ્ઞાન થયું અને મોક્ષે ગયા. આ કાળમાં જંબૂસ્વામી છેલ્લા મોક્ષે ગયા છે. સાચી શ્રીમંતાઈ સચ્ચાઈનો સાદો રોટલો ખાવામાં જ જિંદગીની ખરી લિજજત છે. દેશમાં બેસુમાર માણસો ભૂખના દુ:ખથી પીડાતા હોય યારે શ્રીમંત બનીને માલમલીદા ખાવામાં, એશઆરામ ભોગવવામાં માણસાઈનો દ્રોહ છે, જીવનની મુખ્ય મૂડી જ માણસાઈ છે, પૈસો નહિ. હૃદયની શ્રીમંતાઈ તે જ સાચી શ્રીમંતાઈ છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૮૨ - - - [ દ્રોપદી ( ૫. ચંપાપુરી નગરીમાં સોમદેવ નામનો બ્રાહ્મણ હતો. તેને નાગશ્રી નામની સ્ત્રી હતી. તે સુંદર રસોઈ કરી કુટુંબને જમાડતી હતી. એકદા તેણે તુંબડીનું શાક બનાવ્યું પણ તે ચાખતાં તેને માલૂમ પડ્યું કે આ તો કડવું છે. તેથી તે શાક બાજુ ઉપર મૂકી દીધું, કારણ કે મસાલો તેલ વગેરે તેમાં વપરાયું હોવાથી નાખી દેતાં તેનો જીવ ન ચાલ્યો. કુટુંબને જમાડવા બીજાં શાક બનાવી નાખ્યા. . એટલામાં એક સાધુ "ધર્મલાભ" કહી પધાર્યા. નગરીમાં હાલમાં જ શ્રી ધર્મઘોષ મુનિ પધાર્યા હતા. તેમના શિષ્ય શ્રી ધર્મરુચિ મહારાજ ગોચરી માટે નીકળેલા ને અહીં આવ્યા હતા. નાગશ્રી યતિની દ્રષિલી હતી, તેણે બાજુમાં રાખી મૂકેલ કડવી તુંબડીનું શાક આ મહારાજને વહોરાવી દીધું. તે લઈને શ્રી ધર્મચિ મહારાજ તેમના ગુરુ શ્રી ધર્મઘોષ પાસે આવ્યા, ત્યાં તેણે આણેલો તુંબડીનો આહાર જોઈને ગુરુએ કહ્યું, આ તુંબડીનું ફળ અતિ કડવું છે, તેથી આ શાક પ્રાણહારક છે; માટે એને કોઈ નિરવદ્ય ભૂમિ ઉપર પરઠવી આવો. ત્યજી દો.) ગુરુનો આવો આદેશ સાંભળીને શિષ્ય ઉદ્યાનમાં ગયો. ત્યાં શાકનું એક બિંદુ ભૂમિ ઉપર પડી ગયું, તેથી એકઠી થયેલી ઘણી બધી કીડીઓ મરી ગઈ ! તે જોઈ શિષ્યને ઘણી કરુણા ઊપજી અને વિચાર્યું કે, આ શાક ભૂમિ ઉપર પરઠવીશ તો બહુ જીવની હાનિ થશે માટે હું જ એનું ભક્ષણ કરું એમ વિચારી પોતે બધું કડવું શાક ખાઈ લીધું અને પંચપરમેષ્ઠીના ધ્યાનમાં લીન થઈ ગયા. આ ઉત્તમ ધ્યાનને લીધે તે મૃત્યુ પામી સર્વાર્થ સિદ્ધ વિમાને દેવ થયા. અનુક્રમે નાગશ્રી કે જેણે કડવી તુંબડીનું શાક વહોરાવ્યું હતું તે મરીને છઠ્ઠી નરકે ગઈ, ત્યાંથી મત્સ્ય થઈ સાતમી નરકે ગઈ, વળી નરકે ગઈ એમ સાત વાર નરકગમન અને મત્સ્યના ભવ થયા. અંતે નાગશ્રીનો જીવ ચંપાનગરીમાં સાગરદત્ત શ્રેષ્ઠીની સુભદ્રા નામે પત્નીની કુક્ષીએ પુત્રી તરીકે જન્મી, તેનું માતપિતાએ સુકુમારિકા નામ પાડ્યું. સુકુમારિકા યૌવન વયે પહોંચતાં માતપિતા તે જ નગરના જિનદત્ત શ્રેષ્ઠીના સાગર નામના પુત્ર વેરે તેણીને પરણાવી અને ઘરજમાઈ તરીકે પોતાને ત્યાં રાખ્યો. Page #310 -------------------------------------------------------------------------- ________________ 12013 CIAS Page #311 -------------------------------------------------------------------------- ________________ દ્રિૌપદીજી પૂર્વભવમાં દ્રૌપદીએ મુનિને કડવા ઝેરી નંબડનું શાક વહોરાવ્યું. ૨. ફેંકી દેવામાં જીવહિંસા જોઈને મુનિએ ખાઈ લીધું. મુનિ સ્વર્ગે ગયા. ૩. મુનિ હત્યાથી નરકાદિનું ભવભ્રમણ થયું. પછી અંગાર જેવું શરીર થવાથી બે પતિઓએ છોડી દીધી. ૪. દીક્ષા લીધી. ભયંકર તડકામાં આરાધના કરી. પાંચ યારોથી સેવાતી વેશ્યાને જોઈને પાંચ પતિ માગ્યા. દ્રૌપદીએ વરમાળા અર્જુનના ગળામાં નાખી. પણ તે પાંચની પત્ની બની. નારદજીએ વરદાનની સ્પષ્ટતા કરી ૬. જળ માનીને ધોતી ઊંચી કરતા દુર્યોધનનો પાંડવો દ્વારા ઉપહાસ થયો. ૭. જુગારમાં પાંડવો રાજ્ય અને દ્રૌપદીને સુધ્ધાં હારી ગયા. દુર્યોધન જીતી ગયા. ૮. સભામાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું. ૯. કીચકનો વધ થયો. ૧૦. યુદ્ધભૂમિમાં ઘાયલ ભીષ્મને દેવો દ્વારા દીક્ષા-સમયની સૂચના મળી. ૧૧. અવિરતિ અવસ્થામાં નારદજીનું દ્રૌપદીએ બહુમાન ન કર્યું. ૧૨. આથી નારદજીએ અમરકંકામાં દ્રૌપદીનું અપહરણ કરાવ્યું. ૧૩. નૌકા ન મોકલવાથી કૃષ્ણજીનો પાંડવો પર તીવ્ર રોષ થયો. દેશનિકાલનો હુકમ કર્યો. ૧૪. કુંતી, દ્રૌપદી સહિત પાંડવોએ દીક્ષા લીધી. ૧૫. ઉગ્ર તપ દ્વારા દ્રૌપદી સ્વર્ગમાં ગઈ અને બાકીનાં સિદ્ધાચલજી પર મુક્તિ પામ્યાં. - ધન્ય સતી દ્રૌપદી Page #312 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ર૮૩. રાત્રી થતાં સાગર, સુકુમારિકા સાથે શયામાં સૂતો હતો, તેવામાં સુકુમારિકાના શરીરનો સ્પર્શ થતાં તે અતિ ગરમ ખેરના અંગારા સમાન જણાયું તેથી તે વિરાગી થઈ તેણીને સૂતી મૂકી પોતાના ઘરે જતો રહ્યો. સાગર જતો રહ્યો તેથી પ્રભાત સુકુમારિકા અત્યંત રૂદન કરવા લાગી કે, મારા પતિ મને ત્યજી ગયા છે. આ જાણી તેના પિતા સાગરદત્ત જીનદત્તને મળ્યા અને તમારો દીકરો મારી દીકરીને પરણીને તેને ત્યજી તમારે ત્યાં આવ્યો છે. આથી જીનદત્તે પોતાના દીકરા સાગરને સમજાવવા પ્રયત્ન ર્યો, પણ સાગરે કહ્યું કે, હે તાત ! આજ્ઞા કરો તો જળ અને અગ્નિમાં પ્રવેશ કરું. એ સ્ત્રીના શરીરનો સ્પર્શ અંગારા તુલ્ય છે. માટે તેણીની પાસે ક્ષણ વાર પણ હું રહીશ નહીં" સાગરદત્તે ઘરે આવી પુત્રીને કહ્યું કે, હે પુત્રી, સાગર તને મનથી પણ ચિંતવતો નથી. તો વાત તો ક્યાંથી કરે ? માટે તારા માટે બીજો ઉત્તમ, કુલીન વર લાવીશ માટે તારે આ વાતનું દુ:ખ ધરવું નહીં પછી સાગરદત્તે બીજા નિર્ધન પુરુષોને પોતાની પુત્રીના પાણીગ્રહણ માટે આપ્યા પણ તેઓ દરેકને સુકુમારિકાનું શરીર અગ્નિ જેવું લાગવાથી તેને છોડીને ભાગી ગયા. આમ થવાથી સુકુમારિકા બહુ રૂદન કરવા લાગી. તે જોઈ તેના પિતા તેને સાંત્વન આપતાં કહેતા કે, “પૂર્વ કરેલાં કર્મ છૂટતાં નથી. તે ભોગવવાં પડે છે. ગુણી જનને પણ ભિક્ષાર્થે ભટકવું પડે છે અને કોઈ મૂર્ખ હોવા છતાં સંપત્તિ ભોગવે છે માટે પૂર્વના કર્મને દવા તું દાન આપ, તપશ્ચર્યા કર અને આત્માને શાંત કરીને રહે." પિતાનાં આવાં વચનો સાંભળીને સંતોષપૂર્વક રહેવા લાગી અને જૈન ધર્મનું મહત્ત્વ સમજી દાન, તપ વગેરમાં પોતાનો વખત ગુજારવા લાગી. એકદા કોઈ સાધ્વી ગોચરી માટે તેને ત્યાં આવી. તેમને શુદ્ધ અન્ન પાનથી ભાવસહિત પ્રતિભાભીને તેમની પાસે તેણીએ દીક્ષા ગ્રહણ કરી અને પૂર્વનાં ઉપાર્જેલાં કર્મોને છેદવાને દુષ્કર તપ આદર્યા. . થોડાં વર્ષો બાદ તેની ઇચ્છા “કોઈ એકાંત વનમાં જઈ ત્યાં છઠ્ઠ, અઠ્ઠમનો તપ કરતાં સૂર્ય સામે જ પ્રગટ ઈષ્ટ રાખી એકાગ્ર મનથી આતાપના કરું.” આ માટે તેણે પ્રવર્તિનીની રજા માગી પ્રવર્તિનીએ સમજાવ્યું કે બહાર ઉઘાનમાં કે વનમાં જઈ આતાપના કરવી એ સાધ્વીને લેશ પણ યુક્ત નથી. છતાં તેણે વનમાં જવાનો ઘણો આગ્રહ કર્યો. ન છૂટકે ગુણીજીએ તેને રજા આપી. Page #313 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૮૪ એક ઉદ્યાનમાં જઈ તેણે આતાપના શરૂ કરી. સાત-આઠ દિવસ થયા. એવામાં અકસ્માત ત્યાં કોઈ એક વેશ્યા એક પુરુષના ખોળામાં સૂતેલી જોઈ, બીજો પુરુષ તેણીના મસ્તક ઉપર પુષ્પની વેણી બાંધતો હતો, ત્રીજો પુરુષ વળી તેણીને પંખા વડે પવન ઢોળતો હતો, ચોથો તેના મસ્તક ઉપર છત્ર ધરી રહ્યો હતો અને પાંચમો તેણીના શરીરનો થાક ઉતારતો હતો. આ પ્રમાણે પાંચ પુરુષોથી સેવાતી ગણિકાને જોઈને સુમારિકાએ વિચાર્યું. 'અહો આ સ્ત્રીને ધન્ય છે કે, પાંચ પાંચ પુરુષ તો એની સેવા કરે છે ! અને મને તો કોઈએ સેવી નહીં પતિએ ત્યજી દીધી. આમ વિચારી સુકુમારિકાએ એવું નિયાણું બાંધ્યું કે, જો મેં આદરેલા તપનું કંઈ પણ ફળ હોય તો મને પણ એની જ પેઠે પાંચ ભરથાર મળજો. બીજી સાધ્વીઓએ એને આવું નિયાણું ન બાંધવા ઘણી સમજાવી, પણ એ માની નહીં ત્યાર બાદ આઠ માસ પર્યત સંલેખના. કરી તે સૌધર્મના વિષે નવ પલ્યોપમના આયુષ્યવાળી દેવી થઈ. ત્યાંથી આવી તે પાંચાલ દેશમાં કપિલપુર નામના નગરમાં દ્રપદ નામે રાજાને ત્યાં પુત્રી તરીકે અવતરી તેનો ઘણા જ ધામધૂમથી જન્મોત્સવ ઊજવ્યો અને તેનું નામ દ્રૌપદી પાડ્યું. અનુક્રમે વયે વૃદ્ધિ પામતાં પિતાએ તેણીને ધર્મ-કર્મ શાસ્ત્રાદિમાં પ્રવીણ કરી. વખત જતાં દ્રૌપદી યૌવન વયે પહોંચી. દ્રપદ રાજા તેણીને પરણાવવા યોગ્ય વરને શોધવાની ચિંતામાં હતા. ઘણો વિચાર કરતાં તેણે રાધાવેધ સાધી શકનારને દ્રૌપદી સાથે પરણાવવાનું નક્કી કર્યું. અને ઘણા દેશોમાં આ અંગે કુંકુમ પત્રિકા મોકલી. બધા રાજાઓ ભેગા થયા ત્યારે દ્રપદ રાજાએ જાહેર કર્યું કે, જે કોઈ આ રાધાવેધ સાધશે તેને આ મારી પુત્રી પરણશે. રાધાવેધમાં એક ઊંચો સ્તંભ ઊભો કર્યો હતો. તેના ઉપર એક ફરતું ચક ગોઠવેલ, તે ઉપર એક પૂતળી મૂકેલ. નીચે ભૂમિ ઉપર તેલની ભરેલી એક કાઈ મૂકી. હવે નીચે તેલની કઢાઈમાં પડતા પ્રતિબિંબ તરફ જ નજર રાખી. ઉપર ફરતા એવા એ ચન્ની ઉપર રાખેલી પૂતળીના ડાબા ચલુને તીર વડે વિંધવાની હતી. રાધા એટલે પૂતળી અને વેધ એટલે વીંધવું. આ કામ કરવા ઘણા રાજા તથા રાજકુમારોએ મહેનત કરી પણ કોઈ કરી શક્યું નહીં, ત્યારે અર્જુને ઊભા થઈ આસાનીથી એ પૂતળી વીંધી અને રાધાવેધ સાધ્યો. તે વખતે દ્રૌપદીએ તેના કંઠમાં વરમાળા આરોપી તે વરમાળા બીજા અર્જુનના ચારે ભાઈઓના કંઠમાં પણ પડી! આ જોઈ રાજા વિચારમાં પડી ગયો. હવે શું કરવું? વરમાળા તો પાંચે ભાઈઓના ગળામાં હતી. એવામાં ત્યાં Page #314 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૮૫ અકસ્માતે ચારણ શ્રમણ મહાત્મા પધાર્યા. તેમણે સર્વેએ ઊભા થઈ નમન કર્યું અને તેમની પાસે ધર્મોપદેશ શ્રવણ કર્યો. ત્યાર બાદ દ્રપદ રાજાએ જ્ઞાની મહાત્માને પૂછ્યું કે, “મારી પુત્રીએ અર્જુનના કંઠમાં આરોપેલી વરમાળા બીજા ચારેને કંઠમાં કેવી રીતે પડી ? હવે કેમ થશે ?” તે વખતે મુનિએ દ્રૌપદીને પૂર્વ ભવમાં કરેલું કર્મ ભોગવવાનું છે એમ કહી ઉપર કહ્યું તે ભવોનું વર્ણન કર્યું. આ વૃત્તાંત સાંભળી દ્રપદ રાજાએ દરેક જણ કર્મનાં જ ફળ ભોગવે છે એમ સમજી મન વાળ્યું અને પાંચ પાંડવો દ્રૌપદીને લઈ હસ્તિનાપુર આવ્યા. અને પાંચ પાંડવ દ્રૌપદીને પોતપોતાને વારે ભોગવવા લાગ્યા. એકદા દ્રપદી પોતે પોતાનું શરીર દર્પણમાં જોતી હતી. તેવામાં નારદ ઋષિ ત્યાં આવ્યા. પણ દ્રૌપદી અરીસામાં પોતાનું રૂપ નીરખતી હતી તેથી તેને નારદના આગમનની જાણ થઈ નહીં. એટલે નારદ રોષ સહિત ત્યાંથી ઊભા થઈ ઘાતકી ખંડમાં આવેલી અમરકંકા નગરીએ ગયા. ત્યાંના રાજા પધોત્તરના રાજદરબારમાં પહોંચ્યા. રાજાએ વિનયપૂર્વક તેમને વંદન કર્યું અને પધારવાનું પ્રયોજન પૂછ્યું. નારદે ઉત્તર આપ્યો કે, હું હસ્તિનાપુર ગયો હતો, ત્યાં પાંડવોના અંતઃપુરમાં મેં દ્રૌપદીને જોઈ. તેવી એક પણ સ્ત્રી તારા અંતઃપુરમાં નથી.” એથી પોત્તર રાજાએ તેણીને લાવવા એક દેવને આરાધ્યા. તેથી દેવ દ્રપદીને હસ્તિનાપુરથી ઉપાડી અમરકંકાના રાજા પાસે લઈ આવ્યો. રાજાએ દ્રૌપદીને કહ્યું, "હે દ્રૌપદી! તું મારી સાથે ભોગ ભોગવ. આ રાજ્ય તારું છે એમ સમજ. તું મારી સર્વ પત્નીઓમાં મુખ્ય ગણાઈશ અને હું મારું સર્વ કામ તને પૂછીને કરીશ." આ પ્રમાણે દ્રૌપદીને ઘણા પ્રકારે લોભાવવાનો પ્રયત્ન ર્યો, પણ તેથી તેણીના અંત:કરણને વિષે લેશ પણ વિકાર થયો નહીં. તે તો પંચપરમેષ્ઠીના ધ્યાનમાં જ લીન રહી અને ત્યાં છ-અટ્ટમ આદિ તપ કરવા લાગી. અહીં દ્રૌપદીનું હરણ થયું જાણી પાંચે પાંડવો શ્રીકૃષ્ણ પાસે ગયા, ને તેમને આ વાત જણાવી. શ્રીકૃષ્ણ ધ્યાન ધરી દ્રૌપદીને કોણ હરી ગયું છે તે હમણાં જણાતું નથી એમ કહ્યું. એટલામાં તો નારદ પોતે ત્યાં આવ્યા. તેને શ્રીકૃષ્ણ પૂછ્યું, હે નારદ ઋષિ ! તમે ક્યાંય દ્રૌપદીને દીઠી ? નારદે ઉત્તર આપ્યો, ઘાતકી ખંડની અમરકંકા નગરીના રાજા પોત્તરના અંતઃપુરમાં મેં એક દ્રપદી જેવી સ્ત્રી જોઈ હતી તે સાંભળી શ્રીકૃષ્ણ સુસ્થિત દેવને આરાધો, એટલે છએ જણને રથમાં બેસાડી સુસ્થિત દેવે અમરકંકાનગરી સુધી પહોંચાડ્યા, ત્યાં કૃષ્ણ સિવાય પાંચ પાંડવોએ રાજા પક્વોત્તર સાથે યુદ્ધ કર્યું પણ તેમાં Page #315 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૮૬ તેઓ હાર્યા. એટલે શ્રીકૃષણે રણસંગ્રામમાં આવી જય મેળવ્યો. પોત્તર રાજા ગઢમાં પેસી ગયો ને કિલ્લાનાં દ્વાર બરાબર બંધ કરાવ્યાં. એટલે શ્રીકૃષ્ણ કિલ્લા ઉપર ચઢીને નરસિંહરૂપ ધારણ કરી પૃથ્વીને કંપાવી જેથી ઘણા નગરવાસીઓનાં ઘર પડી ગયાં ! તેથી ભય પામી પક્વોત્તર રાજા શ્રીકૃષ્ણ પાસે આવી નમો અને તેમનાં ચરણમાં પડી ક્ષમા માગી અને કહ્યું, “મેં પ્રથમ એ મૂઢતા કરી કે દ્રૌપદીનું હરણ કર્યું, અને અત્રે બીજી એ કે મેં આપની સાથે સંગ્રામ ર્યો. હવે મારી ઉપર ઉપકાર કરી દ્રૌપદીને અંગીકાર કરો. હું આપને નમું છું એટલે આપ મારા ઉપર હવે કોપ કરશો નહીં" એ સાંભળી શ્રીકૃષ્ણ પોતાનું મૂળ રૂપ કર્યું. પછી પોત્તર રાજા શ્રીકૃષ્ણને નગરમાં લઈ ગયો અને ભોજન વગેરેથી તેમની ભક્તિ કરી અને અંતપુરમાંથી દ્રૌપદીને આણીને તેમને સોંપી એટલે એ મહાસતીને લઈને શ્રીકૃષ્ણ પાછા વળ્યા અને પાંડવોને લઈને મથુરા આવ્યા. ત્યાંથી કુંતી માતા હર્ષ પામી દ્રૌપદીને ઘેર લઈ ગઈ ને ત્યાં પુણ્યદાન કર્યા. શ્રી નેમીનાથ ભગવાન મથુરામાં આવી સમવસર્યા. કુંતી માતા પાંચે પાંડવો તથા દ્રૌપદીને લઈને તેમને વંદન કરવા ગઈ અને પ્રભુનો ધર્મોપદેશ સાંભળ્યો કે, "આ લોકને વિષે મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમ જાતિ, સારું કુળ, સારું રૂપ, નીરોગી લાંબું આયુષ્ય, સારી બુદ્ધિ, શાસ્ત્રનું શ્રવણ અને શુદ્ધ સંયમ, એ સર્વ પામવાં મહાદુર્લભ છે." | ઇત્યાદિ ઉપદેશ સાંભળીને એ સાતે જણાએ સમકિત મૂળ બાર વ્રત ગ્રહણ ક્ય. અનુક્રમે પાંચે પાંડવોએ પોતાના પુત્રને રાજ સોંપ્યું ને કુંતી તથા દ્રૌપદી સાથે ગુરુ પાસે દીક્ષા લીધી. નાની નાની તપશ્ચર્યા કરી દ્રૌપદી એકદા શ્રી શત્રુંજ્ય તીર્થે ગઈ. ત્યાં પણ ભારે તપ કરી આયુષ્ય ક્ષય થયે પાંચમે દેવલોકે ગઈ. ત્યાંથી આવીને અનુક્રમે તે થોડા ભવમાં મોક્ષ પામશે. અધામિક પશુ સમાન છે. પાણી વલોવે માખણ ન નીકળે. આળશ એ જીવતા મનુષ્યની કબર છે. * * ક * "સહકાર દર્શનમાંથી Page #316 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૮૭ | શ્રી નાગકે. પૂર્વભવમાં નાગકેતુ કોઈ એક વણિકના પુત્ર હતા. નાનપણમાં જ એમની માતા મરી ગઈ અને એથી એમના પિતા બીજી કન્યા પરણ્યા. એ નવી આવેલી સ્ત્રીને એની શોક્યનો આ પુત્ર શલ્યની જેમ ખૂંચવા લાગ્યો અને એથી ઘણા પ્રકારે એને પીડવા લાગી. પૂરતું ખાવાનું ન આપે, ઘરકામ ઘણું કરાવે અને મૂઢ માર મારે. ઘણા વખત સુધી આ પીડા સહન કરતાં કરતાં તે ત્રાસી ગયો અને ઘર છોડી બીજે ભાગી જવા માટે એક સાંજે ઘરેથી નીકળ્યો. નાસી જતાં તે નગર બહાર નીકળતાં પહેલાં જિનેશ્વરનાં દર્શન કરવા એક દેરાસરમાં જઈ સ્તુતિ વંદના કરી, તેના ઓટલે બેઠો હતો. સદ્દભાગ્યે તેનો દહેરાસરમાંથી બહાર નીકળ્યો અને મિત્રને નિરાશ વદને બેઠેલો જોઈ તેને પૂછ્યું : કેમ ભાઈ, શું ચિંતામાં છે? મિત્રે જવાબ આપ્યો કે, કંઈ કહેવાય એવું નથી. અપાર દુઃખિયારો છું અને હવે ત્રાસી જવાથી ઘરેથી ભાગી જવા નીકળ્યો છું." શ્રાવક મિત્રે તેને સાંત્વન આપતાં કહ્યું, “ભાઈ, ગભરાઈશ નહીં ધર્મથી બધાં સારાં વાનાં થાય છે. તપથી ઘણાં કર્મો ખપે છે. પૂર્વભવમાં તે તપ કર્યું નથી માટે તું દુખી થાય છે. માટે તું એક અઠ્ઠમ કર” આવતા વર્ષે પર્યુષણ પર્વ આવે છે ત્યારે અઠ્ઠમ તપ કરવાનો એણે નિશ્ચય કર્યો, એટલે બહારગામ નાસી ન જતાં પાછો રાત્રે ઘરે આવ્યો. ઘરના દરવાજા તો બંધ હતા એટલે ઘર બહાર ઘાસની ગંજી હતી તે ઉપર તે સૂઈ ગયો. પણ મનમાં અઠ્ઠમ તપ જરૂર કરીશ એવી ભાવના ભાવતો રહ્યો. અપરમાતાએ બારીમાંથી જોઈ લીધું કે, આ શિલ્ય આજે ઠીક લાગમાં આવ્યો છે. ગંજીને આગ ચાંપી દઉં તો આ મરી જાય, અને મારી ઘણા વખતની ઇચ્છા આનું કારણ કાઢવાની છે તે પૂરી થાય. એમ વિચારી ઘોર રાત્રીએ ઘાસની ગંજી અને બહારનો પવન તથા અગ્નિ સાથે મળતાં થોડા જ વખતમાં ચારે બાજુથી સળગી ગઈ અને એ વણિકપુત્ર જીવતો બળી ભડથું થઈ ગયો પણ મરતાં મરતાં પણ અમ કરવો છે તે ભાવના છેલ્લી ક્ષણે પણ રહી. Page #317 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૨૮૮ ત્યાંથી મરીને ચંદ્રકાંત નામની નગરીમાં વિજયસેન નામના રાજાના રાજ્યમાં શ્રીકાંત નામના શેઠને ત્યાં તેની સખી નામની ભાર્યાની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયો. તેનું નામ નાગકેતુ પાડ્યું. અહીં એનાં માતાપિતા બહુ ધર્મશીલ હતાં અને પર્યુષણ આવતાં હોવાથી રાત્રે એકાંતે અઠ્ઠમ તપ કરવાની વાતો થઈ. આ સાંભળતાં નાગકેતુને જાતિસ્મરણજ્ઞાન થયું અને એ જ્ઞાન બળે પોતાનો પૂર્વભવ જાણ્યો અને અઠ્ઠમ કરવો છે, ચોક્કસ કરવો છે તેનું સ્મરણ થયું. આ ભાવનાને સફળ કરવાને તેણે પણ પર્યુષણમાં અઠ્ઠમ તપ આદર્યું. તરતના જન્મેલ નાગકેતુનું શરીર તદૃન કોમળ હતું. તેનો આત્મા જ્ઞાન પ્રગટવાથી બળવાન બન્યો. પણ શરીરમાં એટલું બળ ક્યાં હતું? દૂધ નહીં પીવાથી એનું શરીર કરમાવા માંડ્યું. એનાં માતાપિતાને ખબર નથી કે બાળકે અઠ્ઠમનું તપ કર્યું છે, માટે ધાવતો નથી, પાણી પણ લેતો નથી. તેઓએ અનેક ઉપચાર કરવા માંડ્યા. આ તો ન ધાવે કે ન દવા પીએ, પરિણામે અશક્તિ એટલી વધી જવા પામી કે, તે બાળક મૂચ્છ પામી ગયો. મૂછ પામેલ બાળકને આ લોકોએ મરી ગયેલો માની લીધો અને એને જંગલમાં જઈને દાટી પણ દીધો. પોતાનો પુત્ર મરી ગયો એમ માનવાના કારણે શેઠને બહુ આઘાત લાગ્યો. શેઠ મૂળ તો નિ:સંતાન હતા. કેટલીક માનતાઓ માન્યા બાદ આ પુત્ર તેઓ પામ્યા હતા. તે મરી ગયો એમ લાગ્યું એથી એમને લાગેલ આઘાત ન જીરવી શકવાથી તે બાળકનો બાપ સાચે જ મૃત્યુ પામ્યો. એ કાળમાં, એ રાજ્યમાં એવો કાયદો હતો કે અપુત્રિયાનું ધન રાજા ગ્રહણ કરે, કોઈ પણ માણસ મરી જાય અને જો એને પુત્ર ન હોય તો એના ધનાદિકનો માલિક રાજા થાય. રાજ્યના એ કાયદા મુજબ આ શેઠનું ધન લેવાને માટે રાજાએ પોતાના સેવકોને આ શેઠના ઘેર મોકલ્યા. અહી બન્યું એવું કે - બાળકના અહમ તપના પ્રભાવથી ધરણેન્દ્રનું આસન કંપ્યું. પોતાનું આસન કંપવાથી ધરણે ઉપયોગ મૂક્યો. અને સઘળી વાત સમજવાથી તરત જ ધરણેન્દ્ર ત્યાં આવી, પહેલાં ભૂમિમાં રહેલા બાળકને અમૃત છાંટીને આશ્વાસન આપ્યું. અને પછી ધરણેન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને જે રાજસેવકો ધન લેવાને આવ્યા હતા, તેમને એ શેઠનું ધન ગ્રહણ કરતા અટકાવ્યા. Page #318 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૮૯ આ વાત રોજસેવકોએ જઈ રાજાને કહી, એટલે રાજા પોતે ત્યાં આવ્યા. તેમને આવીને એ બ્રાહ્મણને રાજ્યનો કાયદો સમજાવ્યો અને અમારો આ પરંપરાગત નિયમ છે કે અપુત્રિયાનું ધન ગ્રહણ કરવું.” તો પછી તું આમાં અટકાયત કેમ કરે છે ? બ્રાહ્મણે કહ્યું કે, “તમારે ધન તો અપુત્રિયા હોય તેનું ગ્રહણ કરવાનું છે ને ? આનો પુત્ર તો જીવે છે. રાજાએ કહ્યું કે - ક્યાં છે? ક્યાં જીવે છે એ બાળક ? એટલે બ્રાહ્મણે ભૂમિમાં દટાયેલા બાળકને બહાર કાઢીને બતાવ્યું અને તે જીવીત છે તે છાતીના ધબકારા બતાવી સમજાવ્યું. આથી રાજા, તેના સેવકો અને નગરના લોકો બહુ આશ્ચર્ય પામ્યા. આશ્ચર્ય પામેલા રાજાએ પૂછ્યું કે, તમે કોણ છો ? અને આ બાળક કોણ છે?' એ વખતે વેશધારી બ્રાહ્મણે કહ્યું કે, હું નાગરાજ ધરણેન્દ્ર છું. અને આ બાળમહાત્માએ અમનું તપ કર્યું તેના પ્રભાવે અત્રે તેને સહાય કરવા આવ્યો છું. રાજાના પૂછવાથી ધરણેન્દ્ર બાળકના પૂર્વભવનો વૃત્તાંત પણ કહી સંભળાવ્યો. અને અંતે કહ્યું કે, લઘુકર્મી આ મહાપુરુષ આ ભવમાં જ મુક્તિ પામવાનો છે અને આ બાળક રાજ્ય ઉપર પણ મોટા ઉપકારને કરનારો નીવડવાનો છે. આમ કહી નાગરાજ ધરણેન્દ્ર પોતાના ગળાનો હાર કાઢી નાગકેતુને પહેરાવ્યો. અને પોતે સ્વસ્થાનકે ગયા. વ્યાખ્યાનકાર આચાર્ય શ્રી લક્ષ્મીસૂરીજીએ આથી જ એમ જણાવ્યું છે કે, શ્રી નાગકેતુએ તે જ ભવમાં અઠ્ઠમ તપનું પ્રત્યક્ષ રૂપ મેળવ્યું. નાગકેતુ મોટા થઈને પરમ શ્રાવક બન્યા. એક વખતે ત્યાંના રાજા વિજયસેને કોઈ એક માણસ કે જે ખરેખર ચોર ન હતો તેને ચોર ઠરાવીને મારી નંખાવ્યો. આ રીતિએ અપમૃત્યુ પામેલો તે માણસ મરીને વ્યંતર દેવ થયો. એ વ્યંતર થયો એટલે એને ખ્યાલ આવ્યો કે અમુક નગરીના રાજાએ મારે માથે ચોરીનું ખોટું કલંક ચડાવી દઈને મને મારી નંખાવ્યો હતો તેથી તે વ્યંતરને એ રાજ્ય ઉપર બહુ ગુસ્સો આવી ગયો અને એથી એણે એ રાજાને તેની આખી નગરી સહિત સાફ કરી નાખવાનો નિર્ણય કર્યો. એ માટે તેણે રાજાને લાત મારી સિંહાસન ઉપરથી પાડી દઈને લોહી વમલો કરી દીધો. પછી નગરીનો નાશ કરી નાખે એવી એક શિલા આકાશમાં રચી. આકાશમાં રચાયેલી મોટી શિલાને જોઈને નગરજનો બહુ ગભરાટમાં પડી ગયા. શ્રી નાગકેતને ચિંતા થઈ કે, આ શિલા જો નગરી ઉપર પડશે તો મહા અનર્થ થશે. નગરી ભેગુ શ્રી જિનમંદિર પણ સાફ થઈ જશે. હું જીવતો હોઉં અને શ્રી સંઘના શ્રી જિનમંદિરનો વિધ્વંશ થઈ જાય એ કેમ જોઈ શકાય? આવી ચિંતા થવાથી શ્રી નાગકેતુ જિનપ્રાસાદના શિખર ઉપર ચડી ગયા અને આકાશમાં રહેલી શિલાને હાથ દીધો. Page #319 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૯૦ શ્રી નાગકેતુના હાથમાં કેટલી તાકાત હોય ? પણ તાકાત એમના હાથની ન હતી, તે તાકાત તેમના પ્રબળ પુણ્યોદયની હતી. એમણે જે તપ કર્યું હતું એ તપે એમને એવી શક્તિના સ્વામી બનાવી દીધા હતા. એમની આ શક્તિને પેલો બંતર સહન કરી શક્યો નહીં. એટલે વ્યંતરે તરત જ પોતાની વિફર્વેલી શિલાને પોતે જ સંહારી લીધી અને તે આવીને શ્રી નાગકેતુના પગમાં પડ્યો. શ્રી નાગકેતુના કહેવાથી તે અંતરે રાજાને પણ નિરૂપદ્રવ કર્યો. ત્યાર બાદ કોઈ એક દિવસે શ્રી નાગકેતુ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અને પુષ્પથી ભરેલ પૂજાની થાળી પોતાના હાથમાં હતી. તેમાંના એક કૂલમાં રહેલો સર્પ તેમને કરડ્યો. સર્પ કરડવા છતાં પણ નાગકેતુ જરાયે વ્યગ્ર મનવાળા ન થયા. પણ સર્પ કરડ્યો છે એ જાણીને ધ્યાનારૂઢ બન્યા. ધ્યાનારૂઢ પણ એવા બન્યા કે ત્યાં ને ત્યાં એમણે શપક શ્રેણી માંડી અને પોતે કેવળજ્ઞાન પામ્યા. એ વખતે શાસનદેવીએ આવીને તેમને મુનિવેષ અર્પણ કર્યો અને એ વેશ ધારણ કરીને કેવળજ્ઞાની એવા નાગકેતુ મુનિશ્વર વિહરવા લાગ્યા. કાળે કરી આયુષ્ય પૂર્ણ થતાં તેઓ મોક્ષે ગયા. પગરખું Rese કો કે પ્રવાસીના પગની રક્ષા કરવાની એના હૈયામાં ઝંખના જાગી. ને..કોક પશુના મૃતદેહ પરથી ઉતરડાયું. હથોડા વડે ટીપાયું. ફરસી વડે કપાયું, ખીલી કે સોય વડે વીંધાયું...ને પછી પ્રવાસીનું પગરખું બની કાંટા, કાચ કે ગંદકી જાતે સહી ઝણ આપ્યું. આમ કરતાં કરતાં કાટી ગયું તો ફરી સંધાયું. ને પછી સાંધવાનું શક્ય ન બન્યું તો કોકનાં જૂતાંની એડી પણ બન્યું...પરંતુ ચરણરક્ષાની સમર્પણ સાધના ન બેડી તે ન જ છેડી ! કહેવું જ પડશે, આ-ચરણ તો બસ એનું જ. પગરખાંની જેમ સમર્પણના સાધુ બનીએ. Page #320 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૯૧ | મંખલીપુત્ર ગોશાળો રાજગૃહી નગરીના નાલંદા નામના સ્થળે મંખ અને સુભદ્રાનો પુત્ર ગોશાળો હતો. તે બહુલ નામના બ્રાહાણની ગૌશાળામાં જન્મ્યો હતો એટલે તેનું નામ ગોશાળો પાડ્યું હતું. આ ગોશાળો એક વાર પ્રભુ મહાવીર પાસે આવ્યો. ત્યાં ભગવાન મહાવીરને મા ખમણને પારણે વિજય નામના શેઠે કૂર વગેરે સરસ ભોજન વહોરાવ્યું તે જોઈ ગોશાળાને થયું કે, જો હું આમનો શિષ્ય થઈ જાઉં તો ખાવાપીવાની ખૂબ મજા આવે." આથી તેણે ભગવાનને કહ્યું, “હું તમારો શિષ્ય છું." આમ પોતાની મેળે તે ગોશાળો ભગવાન મહાવીરનો શિષ્ય થઈ પડ્યો. આવી રીતે ચાર માસખમણના પારણા સુધી તે ભગવાનની સાથે રહ્યો પછી છૂટો પડી ગયો. ત્યારબાદ છ માસને અંતે પાછો ગોશાળાનો મેળાપ પ્રભુને થયો. વિહાર કરતાં કરતાં પ્રભુ કૂર્મ ગામે ગયા. ત્યાં વૈશ્યાપન તાપસે આતાપના ગ્રહણ કરવા માટે પોતાની જટા (વાળ) છૂટી મૂકી હતી, તેમાં ઘણી જ જોઈને ગોશાળે તેને યૂકાશવ્યાતર” (જુઓને આશરો આપનાર) કહીને તેની મશ્કરી કરી આ રીતે જ્યાં ને ત્યાં તે અશિષ્ટ આચરણ કરતો હતો. વૈશ્યાયન તાપસથી આ મશ્કરી સહન ન થઈ તેથી તે તાપસે ધંધાયમાન થઈને ગોશાળા ઉપર તેજોલેશ્યા (અગ્નિની જ્વાળા) છોડી. તે વખતે બાજુમાં ઊભેલા શ્રી વીરપ્રભુને થયું, ગમે તેમ તો ય આ મારો આશ્રિત છે.” તેથી દયારસના સાગર પ્રભુએ તેજલેશ્યાની સામે શીતલેશ્યા (શીતલ અંગારવાયુ) છોડીને તેજલેશ્યા ઠારી નાખીને ગોશાળાને ઉગારી લીધો. ગોશાળાએ પ્રભુને તેજોલેશ્યાની સિદ્ધિનો ઉપાય પૂછ્યો. અવશ્યભાવિ ભાવના યોગથી સર્પને દૂધ પાવાની પેઠે તેજલેશ્યાની વિધિ પ્રભુએ ગોશાળાને શીખવી. ભગવાને તેની વિધિ શીખવી કે, સૂર્યના તડકામાં બેસવાનું, છઠ્ઠનું તપ કરવાનું, અડદના (ફક્ત નખમાં માય એટલા) બાકુળા તથા એક ઊના પાણીની અંજલિથી પારણું કરવું. આ પ્રમાણે કરનારને છ માસના અંતે તેજલેશ્યા પ્રાપ્ત થાય છે. આ Page #321 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ – ૨૯૨ વિધિ જાણીને ગોશાળો પ્રભુથી છૂટો પડ્યો. ગોશાળાએ શ્રાવસ્તી નગરીમાં જઈને પ્રભુએ બતાવેલા ઉપાયથી કુંભારની કોડમાં રહી તેજોલેશ્યા સાધી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુના શિથિલાચારી શિષ્યો પાસેથી અષ્ટાંગ નિમિત્તનો પણ જાણકાર થયો. હવે તો તે પોતાને સર્વજ્ઞ માનવા લાગ્યો અને મનાવવા લાગ્યો. પ્રભુ મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ અશાતા વેદનીય કર્મનો પ્રબલ ઉદય થયો; તે આશ્ચર્યકારક ઘટના નીચે પ્રમાણે બની : એક વખત ભગવાન મહાવીરદેવ શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. ત્યાં ગૌતમ ગણધરે જે સાંભળ્યું, તે અંગે તેમણે ભગવંતને પૂછ્યું, "હે ભગવન્ ! આ ગોશાળો પોતાની જાતને બીજા જિન તરીકે ઓળખાવે છે. તે આ બીજો જિન કોણ છે ? બીજો જિન તો હોઈ શકે નહીં.” αγ ભગવંતે કહ્યું, "હે ગૌતમ ! એ સાચો જિન નથી, પણ મંખલિ અને સુભદ્રાનો પુત્ર છે. પૂર્વે તે મારો શિષ્ય થઈને રહ્યો હતો. તે ગો-બહુલ બ્રાહ્મણની ગૌશાળામાં જન્મ્યો હોવાથી ગોશાળ' કહેવાય છે. ભવિતવ્યતાના યોગે મારી પાસેથી જ તેજોલેશ્યા અંગેની વિદ્યા શીખ્યો છે. અષ્ટાંગ નિમિત્ત વગેરે જાણી લઈને હવે તે પોતાને જિન તરીકે ઓળખાવે છે." આ વાત ધીમે ધીમે આખી શ્રાવાસ્તી નગરીમાં પ્રસરી ગઈ. બસ, તે જાણીને ગોશાળાનો ઉશ્કેરાટ વધી ગયો. તેને થયું "મહાવીર શું ધંધો લઈ બેઠા છે ? મને જ બદનામ કરવાનો ?” આમ તેનો ગુસ્સો બહુ વધી ગયો. તેવામાં પ્રભુના એક સાધુ આનંદ મુનિને ગોચરી જતા ગોશાળાએ જોયા. તે રાડ પાડીને બોલ્યો, “ઓ આનંદ ! ઊભો રહે. તારા ગુરુને જઈને કહેજે કે બહુ ગરબડ ન કરે, આડી અવળી કોઈ વાત મારા માટે ન કહે કે મારો શિષ્ય થઈને રહ્યો હતો, અને મારી પાસેથી વિદ્યા શીખ્યો હતો. આવું બોલીને મને બદનામ ન કરે. અન્યથા હું તેને અને તમને બધાને બાળીને ખાખ કરી નાખીશ.' આ સાંભળી આનંદ મુનિ ગભરાયા, તેમણે આવી ભગવંતને વાત કરી. ભગવંતે આનંદ મુનિને કહ્યું કે, "તું ગૌતમ ગણધર આદિને કહે કે, બધા સાધુ આઘાપાછા થઈ જાય. ગોશાળો આવી રહ્યો છે. કોઈ તેની સાથે વાત કરશો નહીં." એટલામાં તો ધૂંવાંપૂવાં થતો, ધમપછાડા કરતો ગોશાળો ત્યાં આવી પહોંચ્યો અને બોલવા લાગ્યો, “હે મહાવીર ! તું જૂઠો છે. તું જિન નથી, હું જ જિન છું. તું મને મંખલિપુત્ર તરીકે ઓળખાવે છે પણ તે મંખલિપુત્ર તો મરી ગયો છે. તે અન્ય હતો, હું અન્ય છું. તેના શરીરને પરીષહ સહન કરવામાં યોગ્ય સમજીને મેં તેમાં પ્રવેશ Page #322 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૯૩ ર્યો છે. માટે હવે તું ગરબડ બંધ કર તે ગોશાળાના શરીરમાં પ્રવેશ કરેલ હું જિન છું, સર્વજ્ઞ છું.” ભગવાન બોલ્યા, હે ગોશાલક ! તું આવું જૂઠ બોલીને શા માટે તારી જાતને દુર્ગતિમાં નાખે છે ? તું પોતે જે ગોશાળો હતો તે જ તું આજે છે. કોઈના શરીરમાં પ્રવેશ કર્યાનું જૂઠું તું કેમ બોલે છે?" આ સાંભળીને આગમાં ઘી હોમાયું હોય તેમ ભગવાનને જેમ તેમ બોલવા લાગ્યો. આથી ત્યાં રહેલ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ નામના બે મુનિઓથી આ સહન ન થયું. તે આગળ આવી ગયા અને ગોશાળાને ગમે તેમ બોલતો અટકાવવા કંઈક કહેવા લાગ્યા. ત્યાં ગોશાળાના મુખમાંથી આગ પ્રગટી અને તે બંનેને બાળીને ભસ્મ કરી નાખ્યા. ગુરુ પ્રત્યેની અગાધ ભક્તિને કારણે ભગવાને બોલવાની ના પાડવા છતાં અંદરનો ભક્તિભાવ ઊછળી આવ્યો, એથી શુભ લેગ્યામાં કાળ કરીને બંને દેવલોકમાં ગયા. ત્યાર બાદ ગોશાળાએ પ્રભુ તરફ તેજોવેશ્યા છોડી તે તેજલેશ્યાએ ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દીધી અને પાછી ફરીને ગોશાળાના શરીરમાં પ્રવેશી કે તે આકુળ-વ્યાકુળ થઈ ગયો અને ધમપછાડા કરતો તે ત્યાંથી ચાલ્યો ગયો, જતાં જતાં તે બોલતો ગયો “ઓ મહાવીર ! તારું મોત છ જ માસમાં થઈ જશે.” ભગવંતે કહ્યું, “હે, ગોશાલક ! હું તો હજી સોળ વર્ષ સુધી આ પૃથ્વી પર વિચરીશ. પણ આ તારા શરીરમાં પ્રવેશેલ તેજોલેશ્યાથી તું સાત દિવસમાં મૃત્યુ પામીશ." ગોશાળો ત્યાંથી ચાલ્યો ગયો પણ તેના શરીરમાં વ્યાપેલી તેજોલેશ્યાને અંગે તેને ભયંકર દાહ ઉત્પન્ન થયો. રસ્તામાં તેની ભક્તાણી હાલાહલા કુંભારણનું ઘર આવ્યું. ત્રણ ચાર દિવસ ત્યાં રહ્યો. તેની દાહની પીડ વધતી જતી જાણીને ભક્તોનાં ટોળાં ગોશાળાને શાતા પૂછવા આવવા લાગ્યાં, ગોશાળાએ હાથમાં મઘનું પાન લઈને મઘ પીવા માંડ્યું અને ગાવા તેમ જ નાચવા લાગ્યો અને જેમ તેમ અસંબદ્ધ વચનો બોલતાં તેણે કહ્યું, હે શિયો ! મારા મરણ પામ્યા પછી મારા મૃત શરીરને સુગંધી જળથી સ્નાન કરાવી, સુગંધી વિલેપન કરજો, પછી તેની ઉપર ઉત્કૃષ્ટ વસ્ત્ર વીંટાળજો. પછી દિવ્ય આભૂષણોથી શણગારી તેને સહસ્ર પુરુષોએ વાહ્ય એવી શિબિકામાં બેસાડી ઉત્સવ સહિત બહાર કાઢજો અને તે વખતે આ ગોશાળક ચાલતી અવસર્પિણીનો ચોવીસમો તીર્થકર મોક્ષે ગયેલ છે એવી ઊંચે સ્વરે આખા નગરમાં ઉદ્દઘોષણા કરાવજો.” તેઓએ તેમ કરવાનું સ્વીકાર્યું. પછી સાતમે દિવસે ગોશાળાનું હૃદય ખરેખરું શુદ્ધ થયું, તેથી તેણે અત્યંત પશ્ચાત્તાપ કરવા માંડ્યો. અહો ! હું કેવો પાપી ! કેવો દુર્મતિ ! મેં મારા ધર્મગુરુ શ્રીવીર અહંત પ્રભુની મન-વચન-કાયાથી અત્યંત આશાતના કરી. મેં સર્વ Page #323 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૯૪ ઠેકાણે મારા આત્માને મિથ્થા સર્વજ્ઞ કહેવરાવ્યો અને સત્ય જેવા જણાતા મિથ્યા ઉપદેશ વડે સર્વ લોકોને છેતર્યા; અરે મને ધિક્કાર છે. મેં ગુરુના બે ઉત્તમ શિષ્યોને તેજોલેશ્યા વડે બાળી નાખ્યા; વળી છેવટે મારા આત્માનું દહન કરવા માટે મેં પ્રભુની ઉપર પણ તેજોલેશ્યા મૂકી. મને ધિક્કાર છે. અરે ! થોડા દિવસો માટે ઘણા કાળ સુધી નરકવાસમાં નિવાસ થાય તેવું અનાર્ય કાર્ય મેં આચર્યું. આવાં આવાં પશ્ચાત્તાપનાં વચનો બોલતો તેણે પોતાના બધા શિષ્યોને પાસે બોલાવીને કહ્યું કે, “હે શિયો સાંભળો. હું અહંત નથી તેમ કેવળી પણ નથી, હું તો પંખલીનો પુત્ર અને શ્રી વીર પ્રભુનો શિષ્ય ગોશાળો છું. મેં આટલા કાળ સુધી દંભથી મારા આત્માને અને લોકોને ઠગ્યા છે. મારી પોતાની જ તેજોલેશ્યાથી સ્વયં બળી રહેલો હું છદ્મસ્થપણે મૃત્યુ પામીશ. માટે મારા મરણ પછી મારા મૃત શરીરના ચરણને રજજુથી બાંધી મને આખા નગરમાં ઘસડજો. મરેલા શ્વાનની જેમ મને ખેંચતાં મારા મુખ ઉપર થંકજો અને આખી નગરીમાં ચૌટા, ચોક અને શેરીએ શેરીએ એવી ઉદ્દઘોષણા કરજો કે લોકોને દંભથી ઠગનાર, મુનિનો ઘાત કરનાર, જિન નહીં છતાં પોતાને જિન કહેવડાવનાર દોષનું જ નિધાન, ગુરુનો દ્રોહી અને ગુરુનો જ વિનાશ ઇચ્છનાર કંખલીનો પુત્ર આ ગોશાળો છે, તે જિન નથી. જિનેશ્વર ભગવાન તો સર્વશ, કરુણાનિધિ હિતોપદેશક શ્રી વીરપ્રભુ છે. આ ગોશાળો વૃથા અભિમાની છે” આ પ્રમાણે કરવાના તે વખતે હાજર રહેલા સર્વેને સોગંદ આપી ગોશાળો અત્યંત વ્યથાથી પીવતો છતો મૃત્યુ પામ્યો. એટલે તેના શિષ્યોએ લજજાથી તેના શબને તે કુંભારણના ઘરની બહાર કાઢી ગોશાળાએ છેલ્લે મરતાં કહેલાં વચનો મુજબ પગો દોરડાથી બાંધી ઉદ્ઘોષણાપૂર્વક ઘસડ્યું અને તેના ઉપાસકોએ મોટી સમૃદ્ધિથી તેનો અગ્નિસંસ્કાર કર્યો. શ્રી વીર પ્રભુને ત્યાર બાદ શ્રી ગૌતમે પૂછ્યું કે, “હે સ્વામી ! ગોશાળો કઈ ગતિને પામ્યો ?' પ્રભુ બોલ્યા કે, અયુત દેવલોકમાં ગયો ગૌતમે ફરી વાર પૂછ્યું કે, "પ્રભુ ! એવો ઉન્માર્ગી અને અકાર્ય કરનાર દુરાત્મા ગોશાળો દેવતા કેમ થયો? એમાં મને મોટું આશ્ચર્ય થાય છે.” એટલે પ્રભુ બોલ્યા કે, "હે ગૌતમ ! અવસાન કાળે પણ પોતાના દુષ્ટ કૃત્યની નિંદા કરે છે, તેને દેવપણું દૂર નથી. ગોશાળાએ પણ તેમ કર્યું હતું." ગૌતમની વધુ પૂછપરછમાં પ્રભુએ કહ્યું કે, જરૂર તેને કરેલાં કર્મો બીજા જન્મમાં અવગતિએ જઈ ભોગવવા પડશે. પોતાના ગુરુનો દ્રોહ ક્યારે પણ ન કરવો - એ આખી વાર્તાનો સારાંશ છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૨૯૫ સમ્રાટ સંપ્રતિ ૯૮. સમ્રાટ અશોકના કાળની આ વાત છે. એક બપોરે સાધુઓ ગોચરી લેવા નીકળ્યા હતા. ગોચરી લઈને તે પાછા ફરી રહ્યા હતા ત્યાં તેમને એક ભિખારી મળ્યો. તેણે કહ્યું : “આપની પાસે ભિક્ષા છે. તો થોડુંક ભોજન મને આપો. હું ભૂખ્યો છું. ભૂખથી હું મરી રહ્યો છું.” એ સમયે સાધુએ વાત્સલ્યભાવથી કહ્યું : “ભાઈ, આ ભિક્ષામાં અમે તને કશું ન આપી શકીએ. કારણ કે એના ઉપર અમારા ગુરુદેવનો અધિકાર છે. તું અમારી સાથે ગુરુદેવ પાસે આવ. તેમને તું પ્રાર્થના કરજે. તેમને યોગ્ય લાગશે તો એ તને ભોજન કરાવશે.” સાધુનાં સરળ અને પ્રેમાળ વચનો પર એ ભિખારીને વિશ્વાસ બેઠો. એ સાધુઓની પાછળ પાછળ ગયો. સાધુએ ગુરુદેવ આચાર્યશ્રી આર્યસુહસ્તિને વાત કરી. ભિખારીએ પણ આચાર્યદેવને ભાવથી વંદના કરી અને ભોજનની માગણી કરી. આચાર્ય શ્રી આર્યસુહસ્તિ વિશિષ્ટ કોટિના જ્ઞાની પુરુષ હતા, તેમણે ભિખારીનો ચહેરો જોયો. થોડીક પળ વિચાર્યું, ભવિષ્યમાં મોટો ધર્મપ્રચારક થશે એમ જાણીને ભિખારીને કહ્યું, મહાનુભાવ ! અમે તને માત્ર ભોજન આપીએ એમ નહીં પણ તને અમારા જેવો પણ બનાવી દઈએ. બોલ તારે બનવું છે સાધુ ?” ભિખારી ભૂખથી વ્યાકુળ હતો, ભૂખનો માર્યો માણસ શું કરવા તૈયાર નથી થતો ? ભિખારી સાધુ બનવા તૈયાર થઈ ગયો. એને તો ભોજનની મતલબ હતી ! અને કપડાં પણ સારું મળી રહેવાનાં હતાં. ભિખારીએ સાધુ બનવાની હા પાડી. દયાભાવથી સાધુઓએ તેને વેશ પરિવર્તન કરાવીને દીક્ષા આપી અને તેને ગોચરી કરવા બેસાડી દીધો. આ નવા સાધુએ પેટ ભરીને ખાધું. ઘણા વખતે સારું ભજન મળવાથી ખાવું જોઈએ તેના કરતાં ઘણું વધારે ખાધું. રાતના એના પેટમાં પીડા ઊપડી. પીડા વધતી ગઈ. પ્રતિક્રમણ કર્યા પછી તો એ બધા સાધુ તેની પાસે બેસી ગયા અને નવકાર મહામંત્ર સંભળાવવા લાગ્યા. પ્રતિક્રમણ કરવા આવેલા શ્રાવકો પણ આ નવા સાધુની સેવા કરવા લાગ્યા. Page #325 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૯૬ આચાર્યદેવ પોતે પ્રેમથી ધર્મ સંભળાવવા લાગ્યા. આ બધું જોતાં નવા સાધુ મનમાં વિચારવા લાગ્યા કે, હું તો પેટ ભરવા માટે સાધુ બન્યો હતો. કાલે તો આ લોક મારા તરફ જોતા પણ ન હતા અને આજે તેઓ મારા પગ દબાવે છે. અને આ આચાર્યદેવ ! કેટલી બધી કરણા છે તેમનામાં. મને સમાધિ આપવા માટે તેઓ કેવી સરસ ધાર્મિક વાતો મને સમજાવી રહ્યા છે. આ તો જૈન દીક્ષાનો પ્રભાવ. પણ જો મેં સાચા ભાવથી દીક્ષા લીધી હોત તો.. આમ સાધુધર્મની અનુમોદના કરતાં કરતાં અને નવકાર મંત્રનું શ્રવણ કરતાં કરતાં તેનું મૃત્યુ થયું અને મહાન અશોક સમ્રાટના પુત્ર કુણાલની રાણીની કુક્ષિએ તેનો જન્મ થયો. તેનું નામ સંપ્રતિ રાખ્યું. વયસ્ક થતાં તેઓને ઉજજૈનીની રાજગાદી મળી અને સમ્રાટ સંપ્રતિ તરીકે ઓળખાવા લાગ્યા. એક વખત તેઓ પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા અને રાજમાર્ગ પર થતી અવરજવરને જોઈ રહ્યા હતા. ત્યાં તેમણે કેટલાક સાધુઓને પસાર થતા જોયા. તેમની આગળ ચાલતા જે સાધુ મહારાજ હતા તે તેમને કંઈક પરિચિત લાગ્યા. તેમને તે એકી ટસે જોઈ રહ્યા અને અચાનક જ તેમને પૂર્વજન્મની યાદ તાજી થઈ. તેમની સમક્ષ અગાઉના ભવની સ્મૃતિ તરવરી રહી. અને તે મોટા સાદે બોલી ઊઠ્યા ! ગુરુદેવ! તરત જ તેઓ દાદર ઊતરી રસ્તા પર આવ્યા અને ગુરુ મહારાજનાં ચરણોમાં શિર ઝુકાવી દીધું, અને તેમને મહેલમાં પધારવા આમંત્રણ આપ્યું. તેમને મહેલમાં લઈ જઈ પાટ ઉપર બેસાડી સમ્રાટ સંપ્રતિએ પૂછ્યું, ગુરુદેવ! મારી ઓળખાણ પડે છે? 'હા વત્સ ! તને ઓળખ્યો ! તું મારો શિષ્ય. તું પૂર્વ જન્મમાં મારો શિષ્ય હતો. ગુરુજીએ જણાવ્યું. "સંપ્રતિએ કહ્યું, ગુરુદેવ આપની કૃપાથી જ હું રાજા બન્યો છું. આ રાજ્ય મને આપની કૃપાથી જ મળ્યું છે. નહિ તો હું એક ભિખારી હતો, ઘેર ઘેર ભીખ માગતો અને ક્યાંયથી રોટલીનો એક ટુકડે પણ નહોતો મળતો. ત્યારે આપે મને દીક્ષા આપી. ભોજન કરાવ્યું. ખૂબ જ વાત્સલ્યથી પોતાનો બનાવી દીધો. હે પ્રભો ! રાતના સમયે મારા પ્રાણ નીકળી રહ્યા હતા ત્યારે મારી પાસે બેસીને આપે નવકાર મહામંત્ર સંભળાવ્યો. મારી સમતા અને સમાધિ ટકે તે માટે આપે ભરચક પ્રયત્ન કર્યો. પ્રભુ ! મારું સમાધિમરણ થયું અને હું આ રાજકુટુંબમાં જન્મ્યો. આપની જ કૃપાનું આ બધું ફળ છે.” Page #326 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૯૭ હે ગુરુદેવ ! આ રાજ્ય હું આપને સમર્પિત કરું છું. આપ તેનો સ્વીકાર કરીને મને ઋણમુક્ત કરો.' આર્યસુહસ્તિએ સંપ્રતિને કહ્યું : 'મહાનુભાવ ! આ તારું સૌજન્ય છે કે તું તારું આખું રાજ્ય મને આપવા તત્પર થયો છે. પરંતુ જૈન મુનિ અકિંચન્ હોય છે. તેઓ પોતાની પાસે કોઈ જાતની માલમિલકત કે દ્રવ્ય રાખતા નથી.” સમ્રાટ સંપ્રતિને જૈન સાધુ સંપત્તિ રાખી શકે નહીં, તે વાતનું જ્ઞાન ન હતું. ગયા ભવમાં પણ તેની દીક્ષા ફક્ત અડધા દિવસની હતી. તેથી તે ભવનું પણ આ અંગે તેનું જ્ઞાન સીમિત હતું. સંપ્રતિને હૈયે ગુરુદેવ પ્રત્યે ઉત્કૃષ્ટ સમર્પણ ભાવ છવાઈ ગયો હતો. આ હતો કૃતજ્ઞતા ગુણનો આવિર્ભાવ. આચાર્યશ્રીએ સમ્રાટ સંપ્રતિને જૈન ધર્મનો જ્ઞાતા બનાવ્યો. તે મહાઆરાધક અને મહાન પ્રભાવક બન્યા. સમ્રાટ સંપ્રતિએ પોતાના જીવનકાળમાં સવા લાખ જિન મંદિરો બનાવ્યાં અને સવા કરોડ જિનમૂર્તિઓ ભરાવી અને અહિંસાનો ખૂબ પ્રચાર કર્યો. ગુરુદેવના ઉપકારોને વીસરી ન જવા એ આ કથાનો સાર છે. oren જગતને જીવાડવા માટે સાગર તજી, સૂરજનાં કિરણ સાથે ઊંડી, એ વાદળમાં પહોંચ્યું. ત્યાંથી અમીધાસ રૂપે વરસ્યું. ખેતરોને ધન-ધાન્યથી ઉભરાવી દીધાં. સરિતાઓને સ્નેહપૂરી છલકાવી દીધી. એ રીતે એણે માનવ હૈયાં સંતુમ કીધાં. ને જાતે ઊકળીને પણ ઉકાળનારની આગ ારી. એટલું જ નહિ, જગતનો મેલ ધોવા એણે જાતે મલિનતા વહોરી લીધી. અંતે ગટરમાં ભળી, સરિતા સાથે વહેતું વહેતું, આસપાસનાં ખેતરોને તથા જીવજંતુને પરિતૃપ્ત કરતું કરતું, સમર્પણના સંતોષ સાથે, પોતાના પિતૃસ્થાન સાગરમાં ભળી ગયું. જળની જેમ સંતમોને શાતા દઈએ. Page #327 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ર૯૮ વિશ્વભૂતિ અને વિશાખાનંદી || ૯૯. મરીચિનો જીવ કેટલાક ભવો પછી પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલા શુભ કર્મથી તે વિશાખાભૂતિ યુવરાજની ધારિણી નામની સ્ત્રીથી વિશ્વભૂતિ નામે પુત્રપણે અવતર્યો. વિશ્વભૂતિને તેના કાકાનો દીકરો વિશાખાનંદી નામે ભાઈ હતો. એક વખત વિશ્વભૂતિ પોતાના અંત:પુર સહિત પુષ્પકરંડક નામના ઉદ્યાનમાં કીડ કરતો હતો ત્યાં વિશાખાનંદી ઓચિંતો આવ્યો પણ ઉદ્યાનમાં વિશ્વભૂતિ હોવાથી અંદર દાખલ થઈ શક્યો નહીં. તેથી તેને બહાર કઢાવવા એવો ખોટો પ્રચાર કરાવ્યો કે એક સામંત ઉદ્ધત થઈ ગયો છે, માટે તેને પકડવા રાજા પોતે જાય છે. એ ખબર સાંભળી સરળ સ્વભાવી વિશ્વભૂતિ ઉદ્યાનમાંથી બહાર આવ્યો. આ તકનો લાભ લઈ વિશાખાનંદી ઉઘાનમાં પોતાના અંત:પુર સાથે પેસી ગયો. વિશ્વભૂતિએ રાજાને જવાની જરૂર નથી એમ સમજાવી લશ્કર સાથે પોતે ગયો. થોડા જ વખતની કૂચ કરતા પુરુષસિંહ સામંત મળી ગયો અને તે રાજાને આશાવંત છે એમ જાણી પોતે પાછો વળ્યો. રસ્તામાં પુષ્પકરંડક વન પાસે આવતાં દ્વારપાળે જણાવ્યું કે, અંદર વિશાખાનંદીકુમાર છે. તે સાંભળી તે ચિંતવવા લાગ્યા કે, મને કપટ વડે પુષ્પકરંડક વનમાંથી કાઢ્યો તેથી બ્રેધ પામી એક મુષ્ટિ વડે કોઠાના વૃક્ષ પર પ્રહાર કર્યો. તેથી ઝાડનાં બધાં કોઠાં ફળ જમીન ઉપર પડ્યા. અને વિશાખાનંદીના સાંભળતાં બોલ્યો કે, જો વડીલ પિતાશ્રી ઉપર મારી ભક્તિ ન હોત તો હું આ કોઠાના ફળની જેમ તમારા સર્વનાં મસ્તકો ભૂમિ પર પાડી નાખત. આમ ધુંવાપૂવાં થયેલો વિશ્વભૂતિ સંસારના પ્રપંચોથી કંટાળી ગયો. તે સંભૂતિ મુનિની પાસે ગયો અને ચારિત્ર ગ્રહણ કર્યું. ગુરુની આજ્ઞાથી એકાકી વિહાર કરતાં અને પ્રખર તપ તપતાં તપતાં વિશ્વભૂતિ મુનિ મથુરામાં આવ્યા. એ જ દિવસે વિશાખાનંદી રાજપુત્રીને પરણવા મથુરા આવેલ. વિશ્વભૂતિ મુનિ મા ખમણના પારણે પારણું કરવા ગોચરીએ જતા હતા. તેઓ વિશાખાનંદીની છાવણી હતી તેની નજીક આવ્યા એટલે તેના માણસોએ આ વિશ્વભૂતિ કુમાર મુનિ જાય' એમ કહી વિશાખાનંદીને ઓળખાવ્યા. તેમને જોતાં જ વિશાખાનંદીને કોપ ચડ્યો. તેવામાં વિશ્વભૂતિ મુનિ એક ગાય સાથે અથડાયા અને ઢળી પડ્યા. તે જોઈને કોઠાનાં ફળોને તોડવાનું તારું બળ ક્યાં ગયું ? એમ કહીને વિશાખાનંદી Page #328 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૨૯૯ હસ્યો. તે સાંભળી વિશ્વભૂતિને ગુસ્સો આવ્યો. એટલે પોતાનું બળ બતાવવા તે ગાયને શીંગડા વતી પકડીને આકાશમાં ભમાવી. ઉછાળીને પાછી ઝીલી પણ લીધી. પછી એવું નિયાણું કર્યું કે, "આ ઉગ્ર તપસ્યાના પ્રભાવથી હું ભવાંતરે ઘણાં પરાક્રમ અને બળવાળો થાઉં. ” પછી કોટી વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પૂર્વે કરેલા નિયાણાની આલોચના કર્યા વગર મૃત્યુ પામીને તે વિશ્વભૂતિ મહાશુક્ર દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો દેવતા થયો. ત્યાર પછીના ત્રિપૃષ્ઠ વાસુદેવ નામના ભવમાં આ વિશ્વભૂતિના જીવને અતુલ અને અપૂર્વ શક્તિ મળી, પણ સાધુતા ના સાંપડી. એ શક્તિએ એમના આત્માને પતનના પંથે દોર્યો. મરીને નરકમાં ગયો એમનો આત્મા. મરીચિ, વિશ્વભૂતિ, ત્રિપૃષ્ઠ અને શ્રી મહાવીર - એ એક જ આત્માના જુદા જુદા ભવો છે. આથી ચોખ્ખું સમજાય છે કે કરેલાં પાપ કર્મો કોઈને છોડતાં નથી. જનારું જાય છે જનારું જાય છે જીવન, જરા જિનવરને જપતો જા: હૃદયમાં રાખી જિનવરને પુરાણાં પાપ ધોતો જા. જનારું૦૧ બનેલો પાપથી ભારે, વળી પાપો કરે શીદને; સળગતી હોળી હૈયાની, અરે જાલિમ બુઝાતો જા. જનાર દયા સાગર પ્રભુ પારસ, ઊછાળે જ્ઞાનની છોળો; ઉતારી વાસના વસ્ત્રો, અરે પામર તું નહાતો જા. જનારું૦૩ જિગરમાં ડંખતાં દુ:ખો, થયા પાપે પિાણીને; જિણંદવર ધ્યાનની મસ્તી, વડે એને ઉડાતો જા. જનાજ અરે આતમ બની શાણો, બતાવી શાણપણ તારું, હઠાવી જૂઠી જગ માયા, ચેતન જયોતિ જગાતો જા. જનારું૦૫ ખીલ્યાં જે ફૂલડાં આજે, જરૂર તે કાલ કરમાશે; અખંડ આતમ કમલ લબ્ધિ, તણી લય દિલ લગાતો જા. જના૦૬ Page #329 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૩૦૦ શ્રી કામ દેવ શ્રાવક ૧૦૦, ચંપા નગરીમાં કામદેવ નામે મોટો ગૃહસ્થ રહેતો હતો. તે મહાધનિક હોવાથી તેણે છ કોટિ દ્રવ્ય પૃથ્વીમાં દાયું હતું, છ કોટિ દ્રવ્ય વ્યાપારમાં રાખ્યું હતું અને છે કોટિ દ્રવ્ય ઘર, ઘરવખરી અને વસ્ત્ર-આભૂષણ આદિમાં રોક્યું હતું. તેને દશ દશ હજાર ગાયોવાળાં છ ગોકુલ હતાં. એકદા શ્રી મહાવીર સ્વામી તે નગરીના પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં સમવસર્યા. તે વખતે શ્રી જિનેશ્વરને વાંચવા માટે નગરજનો જતા હતા. તે જોઈને કામદેવ પણ ગયો. ત્યાં શ્રી વીર પ્રભુને પ્રણામ કરીને તેમની દેશના સાંભળી, તેથી કામદેવ પ્રતિબોધ પામ્યો અને આનંદ શ્રાવકની જેમ તે વખતે શ્રાવક ધર્મ ગ્રહણ કર્યો. પછી પોતાના ઘેર આવીને ઉલ્લાસપૂર્વક પોતાને ધર્મ પ્રાપ્ત થયાનું વૃત્તાંત પોતાની પત્નીને કહ્યું. તે સાંભળીને તેણે પણ મોટી સમૃદ્ધિપૂર્વક પ્રભુ પાસે જઈને શ્રાવિકા ધર્મ અંગીકાર કર્યો. - નિરંતર ઉત્તમ રીતે શ્રાવક ધર્મનું પ્રતિપાલન કરતાં ચૌદ વર્ષ વ્યતીત થયાં. પંદરમા વર્ષમાં એકદા મધ્ય રાત્રિએ ધર્મ જાગરિકાએ જાગતાં કામદેવને વિચાર થયો કે, “ઘરનો સમગ્ર કારભાર પુત્રો ઉપર નાખીને હવે હું શ્રાવકની બાર મહા પ્રતિજ્ઞા વહન કરું.” પછી પ્રાત:કાળે ઊઠીને પોતાના પુત્રોને ઘરનો સર્વ કારભાર સોંપી પોતે પૌષધશાળામાં રહી દર્ભના સંથારા પર બેસી શ્રી જિનેશ્વરનું ધ્યાન ધરવા લાગ્યો. એક રાત્રિએ કામદેવ ધ્યાનમાં બેઠો હતો. તે વખતે સૌધર્મેન્દ્ર પોતાની સભામાં કામદેવની પ્રશંસા કરી. તે પર શ્રધ્ધ ન રાખતો કોઈ એક દેવ કામદેવની પરીક્ષા કરવા આવ્યો. તે દેવે દૈવી શક્તિથી ઘણાં ભયંકર રૂપો વિદુર્વાને તેને ભય પમાડવા લાગ્યો. વળી તે બોલ્યો કે, “તું ધર્મને છોડી દે નહીં તો તીણ ખડગના પ્રહાર વડે તારું અકાળે મરણ કરીશ. જેથી તે આર્તધ્યાનથી પીડાઈને અનંત દુર્ગતિનું દુ:ખ પામીશ." આ પ્રમાણે તેણે વારંવાર કહ્યું પણ તે શ્રેષ્ઠી જરા પણ ભય ન પાયો, ત્યારે તે દેવ બેધથી તેના પર ખગના પ્રહાર કર્યા. તેથી પણ શ્રેષ્ઠી ક્ષોભ પાયો નહીં. ત્યારે તેણે એક ભયાનક હસ્તીનું રૂપ વિકુવ્યું અને બોલ્યો કે, હે દંભના સાગર ! આ સૂંઢથી તને આકાશમાં ઉછાળીને જયારે પૃથ્વી પર પાડીશ ત્યારે ચારે પગોથી દાબીને ચૂર્ણ કરી નાખીશ.” એમ કહીને તે દેવતાએ સર્વ શક્તિથી હસ્તીરૂપે તેને પરિષહ કર્યો. તેથી Page #330 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦૧ પણ તે શ્રેષ્ઠી જરા પણ ક્ષોભ પાયો નહીં ત્યારે ફરીથી તેણે લોભ પમાડવા માટે તેણે મહાભયંકર અનેક ફણાવાળું સર્પનું રૂપ વિકુવ્યું અને બધી ફણાથી કુંફાડા મારતો તે બોલ્યો કે, “અરે મૃત્યુની પ્રાર્થના કરનાર ! શ્રી વીરપૂર્તના ધર્મને છોડીને મને પ્રણામ કર, નહીં તો હું એવો ડંશ મારીશ કે જેના વિષની વેદનાથી પીડાઈને તું દુર્ગતિ પામીશ” આવી વાણીથી પણ શ્રેષ્ઠી જરાય ગભરાયો નહીં, ત્યારે તે સર્વે તેના શરીર પર ત્રણ ભરડા દઈને તેના કંઠ ઉપર નિર્દયતાથી ડંશ દીધો. વિષની વેદનાને પણ શ્રેષ્ઠીએ સમ્યક્ પ્રકારે સહન કરી, અને મનમાં શ્રી મહાવીર પરમાત્માનું સ્મરણ કરતો છતો અધિક અધિક શુભ ધ્યાન ધરવા લાગ્યો. દેવતાને લાગ્યું કે આના દઢ મનોબળની શક્તિનો અલ્પ પણ નાશ કરવાને તે સમર્થ નથી, છેવટે દેવતા થાક્યો, ત્યારે શ્રેષ્ઠીને પ્રણામ કરીને બોલ્યો કે, હે શ્રાવક, તને ધન્ય છે. માયા રૂપી પૃથ્વીને ખોદનાર હળ સમાન એવા પરમ ધીર શ્રી મહાવીર સ્તમીએ કહેલા ધર્મમાર્ગમાં સ્થિર થયેલ તું સાચો છે. તારા આવા સમકિત રૂપ અરીસામાં જોવાથી મારું પણ સમગ - દર્શન સ્વરૂપે પ્રગટ થયું છે. અને અનાદિકાળનું મિથ્યાત્વ નાશ પામ્યું છે. તારા ધર્માચાર્ય તો શ્રી મહાવીર છે. પણ મારો ધર્માચાર્ય તો તું જ છે. ચંદનના વૃક્ષની જેમ તેં પરીષહો સહન કરી મને સમ્યકત્વરૂપી સુગંધ આપી છે. આ સર્વ મારા અપરાધ ક્ષમા કરજે.' ઇત્યાદિ તે શ્રેષ્ઠીની સ્તુતિ કરીને દેવતાએ પોતાને સ્વર્ગથી ત્યાં આવવાનું કારણ કરી બતાવ્યું. વળી તે બોલ્યો કે, હું સ્વર્ગથી સમત્વ રહિત અહીં આવ્યો હતો, અને તેનાથી પરિપૂર્ણ થઈને પાછો સ્વર્ગે જઈશ. તેં બહુ સારું કર્યું કે એક મિથ્યાત્વરૂપ ભારથી મને ખાલી કર્યો, અને એક સમ્યક દર્શન રૂપ રત્નના દાનથી મને ભરપૂર કર્યો." એમ કહીને તે દેવ શ્રેષ્ઠીને ત્રણ પ્રદક્ષિણા દઈ તેના ઉપકારનું સ્મરણ કરતો છતો સ્વર્ગે ગયો. પછી શ્રેષ્ઠી કાયોત્સર્ગ પારીને ત્યાં પધારેલા શ્રી મહાવીર સ્વામીને વંદન કરવા ગયો. તે વખતે ચાર પર્ષદાઓની સમક્ષ પ્રભુએ કહ્યું કે, “હે શ્રાવક, તેં આજ રાત્રે મહા ભયંકર ત્રણ પરીષહો બહુ સારી રીતે સહન કર્યા, અને ધર્મધ્યાનથી જરા પણ ચલિત થયો નહીંતે દેવતાએ વેધથી પોતાની સર્વશક્તિ વાપરી, અને તેં પણ આત્મવીર્ય ફોરવીને અદીન મનથી સ્થિરતા રાખી. તારું વ્રતનું પાલન મેરુ પર્વતના જેવું અચલિત છે. છેવટે તે દેવતા તને ખમાવીને ગયો. આ બધી હકીકત બરાબર છે?” કામદેવે કહ્યું કે, "પ્રભુ તેમ જ છે.” આ પ્રમાણે પ્રભુએ તેની હતા વખાણીને સર્વ સાધુ-સાધ્વી વગેરેને ઉદ્દેશીને કહ્યું કે, હે ગૌતમાદિક સાધુઓ ! જ્યારે શ્રાવક Page #331 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦ર પણ આવા ઉપસર્ગો સહન કરે છે, ત્યારે તમારે તો તેથી પણ વધારે સહન કરવા જોઈએ, કેમ કે તમે તો ઉપસર્ગ રૂપી સૈન્યને જીતવા માટે જ રજોહરણ રૂપ વીર વલયને ધારણ કરીને વિચારો છો." તે સાંભળીને સર્વેએ “તહત્તિ" એમ બોલીને પ્રભુનો ઉપદેશ અંગીકાર કર્યો. અને તેઓ પણ કામદેવની પ્રશંસા કરવા લાગ્યા. પછી કામદેવ શ્રાવક પોતાને ઘેર ગયો અને આનંદ શ્રાવકની જેમ શ્રાવકનાં વ્રતો પૂર્ણ પાળીને વર્ષો સુધી જૈન ધર્મ પાળી આયુષ્યને અંતે એક માસની સંખના કરીને પ્રથમ દેવલોકમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળો વૈમાનિક દેવતા થયો. ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સિદ્ધિપદને પામશે. ભયંકર ઉપસર્ગો આવ્યા છતાં પણ ઢ રીતે વ્રતમાં તલ્લીન રહેલા કામદેવ શ્રાવકને ધન્ય છે, કે જેઓની તીર્થંકરે પણ શ્લાઘા કરી છે." : :::: - ::.. -લક કરો ': , , ' "રામ કહો રહેમાન કહો રામ કહો રહેમાન કહો કોઈ, કાન કહો મહાદેવરી: પારસનાથ કહો કોઉ બ્રહ્મા સકલ બ્રહ્મ સ્વયંમેવરી... રામ, ૧ ભાજન ભેદ હાવત નાના એક કૃતિકા રૂપરી: તૈસે ખંડ કલ્પના રોપિત, આપ અખંડ સરૂપરી..રામ ૨ નિજપદ રમે રામ સો કહિ, રહિમ કરે રહેમાનરી; કરશે કરમ કાન સો કહિર્યું: મહાદેવ નિવણરી. રામ ૩. પરસે રૂપ પારસ રૂપ સો કહિયે, બબ ચિત્તે સો બારી: ઈહ વિધ સાધો આ પ; આનંદધન ચેતનમય નિ:કર્મી. રામ ૪ RE ''. : : :::: : Page #332 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦૩ શ્રી ઉદયન મંત્રી એકદા શ્રી કુમારપાળ રાજાએ સોરઠ દેશના રાજા સમરને જીતવા તેમના મંત્રી ઉદયનને મોકલ્યા. તે પાલિતાણા આવતાં, તલાટી દર્શન કરીને શ્રી ઝષભદેવ ભગવાનને વાંદવાની ઇચ્છા થવાથી બીજા સૈનિકોને આગળ પ્રયાણ કરવાનું કહીને પોતે શત્રુજ્ય પર્વત ઉપર ચડ્યા. દર્શન વંદન કરીને ત્રીજી નિસહી કહી ચૈત્યવંદન કરવા બેઠા. ચૈત્ય વંદન કરતાં તેમની નજર સમક્ષ એક ઉદર દીવાની સળગી વાટ લઈ પોતાના દર તરફ દોડતો દેખાયો. દહેરાસરના પૂજારીએ આ જોતાં દોડી ઉદર પાસે વાટ છોડાવી હોલવી નાખી. આ જોતાં મંત્રીએ મનથી વિચાર્યું - આ મંદિર તો કાષ્ઠનું છે. કાષ્ઠના થાંભલા છત વગેરે હોવાથી કોઈ વખત આવા બનાવને લીધે આગ લાગવાનો સંભવ ખરો. રાજ્યના રાજાઓ તથા સમૃદ્ધ વેપારીઓ કાષ્ઠ મંદિરને પથ્થરનું બનાવી જીર્ણ ચૈત્યને નૂતન કેમ ન બનાવે ? તેઓ ન કરે તો મારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવો રહ્યો. આવી ભાવનાથી તેમણે પ્રભુ સમક્ષ જ્યાં સુધી જીર્ણોધ્વર ન થાય ત્યાં સુધી બ્રહ્મચર્ય દરરોજ એકાસણું, પૃથ્વી પર શયન અને તાંબૂલનો ત્યાગ એવા અભિગ્રહો ગ્રહણ ક્ય. અને સિદ્ધગિરિ પરથી ઊતરી પ્રયાણ કરતાં પોતાના સૈનિકોની સાથે થઈ ગયો. સમરસેન રાજા સાથે યુદ્ધ થતાં પોતાનું સૈન્ય ભાગવાથી પોતે સંગ્રામમાં ઊતરી શત્રુ સૈન્યને ઘાયલ કરવા લાગ્યા. પોતે શત્રુનાં બાણોથી ઘણા ઘવાયા પણ પોતાના બાણથી સમરરાજાને જીતી શક્યા. આથી શત્રુ સૈનિકો ભાગી ગયા અને તે દેશમાં પોતાના રાજા કુમારપાળની અહિંસાની આજ્ઞાઓ આપી મંત્રી સ્વદેશ તરફ પાછા ફર્યા. માર્ગમાં શત્રુના પ્રહારની પીડાથી ઉદયન મંત્રીને આંખે અંધારાં આવવાથી મૂઈ પામી પૃથ્વી પર પડ્યા. અને કરુણ સ્વરે રોવા લાગ્યા. સામંતોએ તેમના ઉપર પાણી છાંટી પોતાનાં વસ્ત્રોથી પવન નાખી તેમને કંઈક શુદ્ધિમાં લાવ્યા અને પૂછ્યું, 'તમારે કંઈ કહેવું છે ? ત્યારે ઉદયન મંત્રીએ કરુણતાથી કીધું, મારા મનમાં ચાર શલ્ય છે. પોતાના નાના પુત્ર અંબડને સેનાપતિપણું અપાવવું, શત્રુંજય ગિરિ પર પથ્થરમય પ્રાસાદ બનાવવો. ગિરનાર પર્વત પર ચડવા નવાં પથ્થરનાં પગથિયાં કરાવવાં અને છેલ્લે અંત સમયે મને કોઈ મુનિ મહારાજ પુણ્ય સંભળાવી સમાધિ કરણ કરાવે. Page #333 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦૪ આ ચાર ઇચ્છાઓ મંત્રીની સાંભળી સામંતોએ કહ્યું કે, ચારમાંથી ત્રણ તો તમારો મોટો પુત્ર બાહડદેવ જરૂર પૂર્ણ કરશે. પણ અત્રે જંગલ જેવી જગ્યામાં ધર્મ સંભળાવવા મુનિરાજ હોય તો તપાસ કરી જલદીથી લાવવા પ્રબંધ કરીએ. થોડેક દૂરના ગામમાં એક તરગાળો હતો તે બહુરૂપીના વેશ કાઢી ધન રળતો હતો, ત્યાં સૈનિકોએ જઈ તેની પાસે જૈન મુનિ મહારાજની જરૂર છે તે જણાવ્યું. તે તરગાળો બોલ્યો, “મને ચોવીસ કલાકનો ટાઈમ આપો. હું જૈન મુનિ વિષે બધું જાણી, જૈન મુનિનો વેશ જરૂર બરાબર ભજવીશ.” ગમે તેમ તે રાત્રિ અર્ધભાનમાં અતિશય પીડાથી પીવતા મંત્રીએ પસાર કરી. સવારે તરગાળો બરાબર સાધુ મહારાજનો વેશ પહેરી, ઓઘો, મુહપત્તિી સાથે આવી પહોંચ્યો અને ધર્મલાભ કહેતો ઊભો રહ્યો. કંઈક ભાનમાં આવતાં મંત્રીશ્વર બેઠા થઈ ગૌતમ સ્વામીની જેમ નમી સમગ્ર પ્રાણીઓને મનથી ખમાવ્યાં. કરેલાં પાપને નિંદતા તથા પુણ્યકરણીનું અનુમોદન કરતા મુનિરાજ પાસે ધર્મ સાંભળવા લાગ્યા. ત્રણ વાર નવકાર મંત્ર સંભળાવ્યો અને પહેલી તથા બીજી ગાથા ભક્તામર સ્તોત્રની મધુર સ્વરે ગાઈ. ભક્તામરની બીજી ગાથા પૂરી થતાં સ્તોયે કિલહમપિત પ્રથમ જિનેન્દ્રમ્ બોલ્યા. તે વખતે મંત્રી ગુરુને વાંદતા હોય તેમ નમ્યા અને તેમનું પ્રાણ-પંખેરું ઊડી ગયું. સમાધિ મરણ થતાં ઉદયન મંત્રી સ્વર્ગે ગયા. * સામંતોએ સાધુના વેશવાળા તરગાળાને સુંદર રીતે સાધુનો વેશ ભજવવા બદલ સારો એવો પુરસ્કાર ધર્યો અને હવે સાધુવેશ તરત છોડી દેવા જણાવ્યું. પણ તે તરગાળો વિચારતો હતો કે, અહા ! સાધુવેશનો મહિમા કેવો છે. હું ભિક્ષુક છતાં આ સૈનિકો વગેરે જેને પૂજે છે, વાંદે છે એવા મંત્રીશ્વરે મને વંદના કરી, તેથી આ વેશ હવે ના છોડાય. ભાવથી તેણે સગુરુ પાસે જઈને વિધિપૂર્વક દીક્ષા લઈ, ખરેખર સાધુ બની સાધુ વેશ શોભાવવાની ભાવના થઈ. તેણે પુરસ્કાર ન સ્વીકારતાં કહ્યું, મંત્રીશ્વરની આંખ મીંચાઈ પણ મારી આંખ ઊઘડી ગઈ. મારે તો સાચે જ દીક્ષા લઈ ભવ તરવાની એક માત્ર ઇચ્છા છે. એમ કહી એક આચાર્યશ્રી પાસે દીક્ષા લઈ ગિરનાર પર્વત પર જઈ બે માસનું અનસન કરી કાળ કરીને દેવલોકે ગયો. મરણ વખતે મંત્રીશ્વરે બીજી જે ત્રણ ઇચ્છાઓ કહેલી તે પાટણ આવ્યા પછી બાહડમંત્રીએ પૂરી કરી. Page #334 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦૫ | શૈલક રાજર્ષિ અને પંથક મુનિ | ૧૦૨. શૈલકરાજર્ષિ પાંચસો શિયોની સાથે વિચરતા હતા. જ્ઞાન, બાન સાથે તે ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. સતત આયંબીલ ત૫ કરતા હોવાથી અને લૂખું સૂકું ભોજન કરવાથી, તેમના શરીરમાં ઘણજવરનો રોગ થયો પરંતુ તેઓને શરીર પર મમત્વ જ ન હતું. રોગ હોવા છતાં તેઓ દવા કરાવતા ન હતા. પાંચસો શિષ્યોના પરિવાર સાથે તેઓ શેલકપુર પધાર્યા, જ્યાં રાજા મંડુક રાજ્ય કરતા હતા.તેઓ આચાર્યનાં દર્શન કરવા આવ્યા.દર્શન વંદન કરી તેઓએ આચાર્યદેવની કુશળતા પૂછી. અને જાણી લીધું કે, ગુરુદેવ દાહજવરથી પીડાય છે અને શરીર સાવ કૃશ બની ગયું છે. રાજાએ આચાર્યશ્રીને વિનંતી કરી કે, હે કૃપાવંત ! આપ અહીં સ્થિરતા કરો. રોગની ચિકિત્સા કરવાનો મને લાભ આપો. આપ નીરોગી હશો તો અનેક જીવોને ઉપદેશ દ્વારા ઉપકારી થશો. માટે મારી પ્રાર્થના સ્વીકારો.” મંડુ રાજાની આગ્રહપૂર્વકની વિનંતીશૈલકાચાર્યે સ્વીકારી અને રાજાનીયાનશાળામાં સ્થિરતા કરી. (રથ વગેરે મૂકવાની જગ્યાને યાનશાળા કહેવાય છે.) કુશળ વૈદ્યો દ્વારા આચાર્યશ્રીની ચિકિત્સા શરૂ થઈ. પણ થોડા દિવસમાં રોગમાં કંઈ ફાયદો ન જણાયો તેથી વૈદ્યોએ મુનિઓને કદી ન ખપે છતાં પણ રોગના નિવારણ માટે 'મદ્યપાન કરવા કહ્યું. દરેક નિયમને અપવાદ હોઈ શકે એમ સમજી આચાર્યશ્રીએ દવાઓ સાથે મદ્યપાન કરવાનું શરૂ કર્યું. શરીર નીરોગી બનતું ગયું. પણ અશક્તિ હતી જ. રાજરસોડની ઘી-દૂધ સાથેની પુષ્ટિકારક વાનગીઓ આવવા લાગી. મદ્યપાન સાથે આ સ્વાદિષ્ટ વાનગીઓથી અને પૂર્ણ આરામને લીધે શરીર આળસુ બનતું ગયું. ધીરે ધીરે પ્રતિક્રમણ પડિલેહણ પણ ત્યજાતું ગયું. સ્વાદિષ્ટ વાનગીઓ ખાવી, મદ્યપાન કરવું અને આળસને લીધે ઊંઘવું આવો નિત્યક્રમ શૈલકાચાર્યનો થઈ ગયો. ખરેખર મદ્યપાન ભલભલાનું પતન કરાવે છે. આચાર્ય એ ભૂલી ગયા કે, હું સાધુ છું. હું પાંચસો શિષ્યોનો ગુરુ છે. એય ભૂલી ગયા કે હું જૈન ધર્મના આચાર્ય છું. શિયો બધા વિચારવા લાગ્યા કે શું કરવું? સાધારણ સંયોગોમાં ગુરુને ઉપદેશ આપી ન શકાય. કદાચ બે અક્ષર કહે તો આ નશામાં ચકચૂર ગુરુ કંઈ સાંભળે તેમ ન હતા. આસ્તે ૨૦ Page #335 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૩૦૬ આસ્તે શિષ્યો ગુરુને ત્યાગી બીજા આચાર્યો પાસે જતા રહ્યા. એમને એમનું ચારિત્ર સાચવવું હતું. પણ એક શિષ્ય પંથકમુનિએ ગુરુને કોઈ પણ રીતે પાછા સન્માર્ગે લાવવાની આશાથી ગુરુનો ત્યાગ ન ર્યો. એ પંથ ભૂલેલા ગુરુને પણ વળગી રહ્યા. તેમની સેવા-સુશ્રુષા ચાલૂ રાખી. “ગુરુ પરમ ઉપકારી છે. અત્યારે એમનો પાપોદય છે. પણ આવા વખતે મારે ગુરુનો ત્યાગ કરવો ઠીક નથી. એકદિવસ જરૂર તેમનો આત્મા જાગશે અને પુનઃસંયમમાં સ્થિર થશે.” આમ ને આમ કેટલાક માસ વીતી ગયા પંથકમુનિ ગુરુની વૈયાવચ્ચ બરાબર કરે છે. એમ કરતાં ચાતુર્માસ પૂર્ણ થયું. શૈલકાચાર્યની સ્થિતિ એ જ રહી. ખાવું, પીવું અને ઊંઘવું. ચૌમાસિક પ્રતિક્રમણનો સમય થયો. પંથક મુનિવરે સમયસર પ્રતિક્રમણ શરૂ કર્યું. પ્રતિકમણની ક્ષિામાં જ્યારે ગુરુમહારાજને ખાવાની ક્રિયા આવી ત્યારે પંથક મુનિએ ધરિથી ગુરુદેવનાં ચરણે હાથ મૂક્યો. શૈલકાચાર્ય ચીડાયા કેમ મને જગાડ્યો? કેમ હેરાન કરે છે?' - ગુરુદેવ ! ક્ષમા ચાહું છું. હું અવિનીત છું. મેં આપની નિદ્રામાં ખલેલ પાડી આજે ચોમાસી ચૌદસનું પ્રતિક્રમણ કરતાં આપને ખમાવવા આપના ચરણે હાથ મૂક્યો.' ચોમાસી પ્રતિક્રમણનું નામ સાંભળી. ગુરુદેવ ચોંક્યા, હૈ? આજે ચોમાસી ચૌદસ? ચાતુર્માસ પૂર્ણ થઈ ગયું." રાજર્ષિ ઊભા થઈ ગયા. પંથકમુનિને ખમાવ્યા.તરત જ પ્રતિક્રમણ કરવા બેસી ગયા. આત્મસાક્ષીએ ખૂબ આત્મનિંદા કરીને પ્રતિક્રમણ કર્યું. બીજે દિવસે રાજા મંડુકને કહી શૈલકાચાર્યે મુનિ પંથકની સાથે વિહાર કર્યો. પંથક મુનિને બહુ હર્ષ થયો. ભૂલા પડેલા ગુરુદેવ પાછા મોક્ષમાર્ગે ચઢી ગયા. વિહાર કરતાં કરતાં ૪૯૯ શિષ્યો આસ્તે આસ્તે શૈલકાચાર્ય પાસે આવી ગયા. પુન:પુનઃએકબીજાને ક્ષમાપના કરી. સહુએ પંથક મુનિવરને લાખ લાખ અભિનંદન આપ્યાં. સારી રીતે સંયમની આરાધના કરી, શૈલકાચાર્ય શત્રુંજ્ય ગિરિરાજ પર પહોંચ્યા. એક મહિનાનું અનશન કર્યું. સર્વ કર્મનો ક્ષય કર્યો. સર્વે નિર્વાણ પામ્યા. ધન્ય પ્રમાદ ત્યાગી ગુરુ. ધન્ય શિષ્ય પંથક. Page #336 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦૭ ક્ષુલ્લક શિષ્ય વસંતપુરમાં દેવપ્રિય નામે શ્રેષ્ઠી રહેતો હતો. યુવાવસ્થામાં તેની સ્ત્રી મરણ પામી તેથી તેને વૈરાગ્યે થયો. આથી પોતાના આઠ વર્ષના પુત્ર સહિત તેણે દીક્ષા ગ્રહણ કરી. દેવપ્રિય બહુ સારી રીતે ચારિત્ર પાળતા હતા પણ બાળક કે જેનું નામ લુલ્લક હતું, તે જૈન આચારો પાળવામાં શિથીલ હતો. તે પરીષહોને સહન કરી શકતો ન હતો. જોડા વિના ચાલવું તેને મુશ્કેલ લાગતું હતું, તેથી એકદા પોતાના સાધુ પિતાને તેણે કહ્યું કે, બ્રાહ્મણોનું દર્શન શ્રેષ્ઠ લાગે છે કે જેમાં પગના રક્ષણ માટે જોડા પહેરવાની વિધિ છે.' આ સાંભળી દેવપ્રિય મુનિએ, ક્ષુલ્લક તો બાળક છે. અને કંઈક અંશે પુત્ર પ્રત્યે રાગને લીધે તેને જોડા પહેરવાની છૂટ આપી. થોડા દિવસ બાદ પાછું લુલ્લકે પોતાના ગુરુ પિતાને કહ્યું, હે પિતા ! તડકામાં બહાર નીકળતાં મારું માથું તપી જાય છે. તાપસીનો ધર્મ સારો છે કે તેઓ માથે છત્ર રાખે છે. આ સાંભળી ગુરુએ આ ક્ષુલ્લકમાં પરિપકવતાની ખાડી છે અને જો છત્રી વગેરે તેની જરૂરિયાત માટે રજા નહીં આપું તો કદાચ દીક્ષા છોડી દેશે - એમ સમજી કેટલાક શ્રાવકોને કહી તેને છત્રી અપાવી. કેટલાક મહિના બાદ વળી ક્ષુલ્લકે કહ્યું, “ગૌચરી માટે ઘરે ઘરે ફરવું બહુ મુશ્કેલ મને લાગે છે. પંચાગ્નિ સાધન કરનારો આચાર મને શ્રેષ્ઠ લાગે છે. કેમ કે ઘણા લોકો સામે આવીને તેમને ભિક્ષા આપી જાય છે." ગુરુએ પૂર્વની જેમ વિચારી તેને ભિક્ષા લાવી પોતે આપવા માંડી, તેથી ક્ષુલ્લક મુનિએ ગોચરી માટે જવાનું બંધ કર્યું. અન્યથા એક સવારે ઊઠી ક્ષુલ્લક મુનિએ શાક્યમતની પ્રશંસા કરી કહ્યું કે, "પૃથ્વી પર સંથારો કરવાથી મારું શરીર દુઃખે છે. માટે સૂવા માટે પલંગ હોય તો સારું.” આથી ગુરુએ તેને લાકડાની પાટ સૂવા માટે ઉપાશ્રયમાંથી આપી. પછી સ્નાન ક્ય વગર પુત્ર મુનિને ઠીક ન લાગ્યું, એટલે તેણે શૌચમૂળ ધર્મની પ્રશંસા કરી ત્યારે પિતાએ ઉકાળેલ પાણી લાવીને તેનાથી સ્નાન કરવાની અનુજ્ઞા આપી. વખત જતાં લોચને સહન નહીં કરવાથી અસ્ત્રાથી મુંડન કરવાની પણ રજા આપી. આમ કરતાં કરતાં ક્ષુલ્લક મુનિ યુવાવસ્થાએ પહોંચ્યો. એકદા તેને ગુરપિતાને કહ્યું, 'ગુરુજી ! હું બ્રહ્મચર્ય પાળવા સમર્થ નથી. એમ કહીને તેણે ગોપી અને કૃષ્ણ Page #337 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૩૦૮ લીલાની પ્રશંસા કરી. એ સાંભળીને પિતાએ વિચાર્યું કે, “ખરેખર, આ પુત્ર સર્વથા ચારિત્ર પાળવા અસમર્થ છે. મોહ વશ આટલા વખત સુધી તો તેણે જે માગ્યું તે આપ્યું. પણ આ માગણી તેની કોઈ રીતે કબૂલ ન રાખી શકાય. આ જો હું કબૂલ રાખી તેને રજા આપું તો એ તો નર્કમાં જાય, પણ હું યે નર્કમાં જાઉં." - આ જીવે અનંતા ભવોમાં અનંતા પુત્રો થયા છે તો આના પર શા માટે મોહ રાખવો જોઈએ ? ઇત્યાદિ વિચારીને કુલ્લક મુનિને તેણે ગચ્છ બહાર કાઢ્યો. આમ પિતાથી દૂર થતાં તે મરજી મુજબ જીવન જીવવા લાગ્યો. અનુક્રમે મૃત્યુ પામી બીજા ભવે પાડો થયો અને તેના પિતા મુનિ સ્વર્ગલોકમાં દેવતા થયા. તે દેવતાએ અવધિજ્ઞાન વડે પુત્રને પાડો થયેલો જાણીને સાર્થવાહનું રૂપ ધારણ કરી તે પાવને ખરીદ કર્યો અને તેના ઉપર પાણીની પખાળ ભરી લાવવા ઉપયોગ કરવા લાગ્યો. ઊંચા-નીચા રસ્તા ઉપર ચાલતાં પાવે ઊભો રહેતો ત્યારે જોરથી સાર્થવાહ કોરડા વડે માર મારતો નેથી પાડો જોરથી બરાડા પાડતો ત્યારે સાર્થવાહ પણ જોરથી બોલતો, અરે, કેમ બરાવ પાડે છે ? પૂર્વ જન્મમાં હું આમ કરવા શક્તિમાન નથી, હું તેમ કરવા શક્તિમાન નથી, એમ વારંવાર સંભળાવવા લાગ્યો." અને કહે, હવે ભોગવ તારા કર્મનાં ફળો. એમ કહેતા કહેતા કોરડા માર્યા. કોરડાનો માર અને સાર્થવાહનાં આવાં વચનો સાંભળી પાડાને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વ ભવ નજર સમક્ષ આવ્યો અને નેત્રમાંથી અશ્રુપાત કરતો વિચારવા લાગ્યો કે, પૂર્વભવે પિતાના કહેવા પ્રમાણે મેં ચારિત્ર પાળ્યું નહીં અને મહામુશ્કેલીએ મળેલ માનવભવ મેં ગુમાવી દીધો. ધિક્કાર છે મને. મારા કર્મો હું પાડો થયો. આ પાડાને થયેલ જ્ઞાનને જાણી દેવતાએ કહ્યું કે, હું તારો પૂર્વ ભવનો પિતા છું અને તેને પૂર્વભવનું સ્મરણ કરાવવા આવ્યો છું. હજી પણ જો તારે શુભગતિની ઇચ્છા હોય તો અનશન ગ્રહણ કર." તે સાંભળી પાડાએ અનશન ગ્રહણ કર્યું અને ત્યાંથી મરીને વૈમાનિક દેવતા થયો. માટે લીધેલ વ્રત શુદ્ધ રીતે પાળવું અને શુલ્લક મુનિની જેમ બીજા દર્શનના આચાર દેખી તેવી આકાંક્ષા કરવી નહીં. શ્રી જિનેશ્વર ભગવાને પ્રરૂપેલ તે જ સત્ય છે. તેમાં કોઈ જાતની શંકા કરવી નહીં. Page #338 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૦૯ શ્રી કરગડુ મુનિ | ૧૦૪. એક દ્રષ્ટિવિષ સર્પ હતો. તેને જે કોઈ બાજુથી જુવે તેનું મોત થાય તેવું વિષવાળું તેનું શરીર હતું. તેણે પૂર્વ ભવે કરેલ પાપો જાતિસ્મરણ જ્ઞાન થવાથી યાદ આવ્યાં અને તેથી તે તેનું મોટું દરમાં જ રાખવા લાગ્યો. મોં બહાર કાઢે અને કોઈ જુએ તો ઘણા લોકોનું મોત થાય. એવું મારે ન કરવું જોઈએ, એમ સમજી ફક્ત તેનું પૂછડું જ દરની બહાર રહે તેમ રહેવા લાગ્યો. એવામાં કુંભ નામના રાજાના પુત્રને કોઈક સર્ષે ડંખ માર્યો જેથી તે તરત જ મૃત્યુ પામ્યો. આ કારણથી સર્પની જાતિ ઉપર કુંભરાજા બહુ શ્વેધ ભરાયા અને તેણે હુકમ બહાર પાડ્યો કે જે કોઈ પણ સર્પને મારીને તેનું મડદું લઈ આવશે તેને દરેક મુડદા દીઠ એકેક સોનામહોર ઇનામ આપવામાં આવશે. આવા ઢંઢેરાથી લોકો ખોળી ખોળી સાપ મારીને તેનું મૃત શરીર લઈ આવવા લાગ્યા. એક જણે પેલા દૃષ્ટિવિષ સાપનું પૂછડું જોયું તેને જોરથી પૂંછડું ખેંચવા માંડ્યું પણ પૂંછડું ખેંચવા છતાં દયાળુ સાપ બહાર ન નીકળ્યો. પૂંછડું તૂટી ગયું. સાપ આ વેદના સમતાથી સહન કરી રહ્યો હતો. વળી તૂટી ગયેલા પૂંછડાનો થોડો ભાગ દેખાતાં પેલા માણસે કાપી લીધું. આમ શરીરના છેદન-ભેદન થતા હતા તે વખતે સર્પ વિચારતો હતો કે, ચેતન, તું એમ ન સમજ કે આ મારું શરીર જ કપાય છે પણ એમ સમજ કે આ શરીરના કપાવવાથી તારાં પૂર્વે કરેલાં કર્મો કપાય છે. જો તેને સમતાથી સહન , કરીશ તો આ દુઃખ ભવિષ્યમાં તારું ભલું કરનારા થશે. આમ વિચારીને આખરે મૃત્યુ પામ્યો. - એક રાત્રે પેલા કુંભ રાજાને રાત્રે સ્વપ્ન આવ્યું કે તારે કોઈ પુત્ર નથી એની સતત ચિંતા તું કરે છે. જો તું હવેથી કોઈ પણ સર્પને નહીં મારું એવી પ્રતિજ્ઞા લે તો તને પુત્રરત્નની પ્રાપ્તિ થશે. આથી કુંભ રાજાએ હવેથી સર્પ ન મારવાની કોઈ આચાર્ય પાસે પ્રતિજ્ઞા કરી. ષ્ટિવિલ સર્પ મરીને આ કુંભરાજાની રાણીની કુક્ષીએ અવતર્યો. તેનું નામ નાગદત્ત રાખ્યું. યૌવન અવસ્થાએ પહોંચતાં એક વખત પોતાના ગોખમાં ઊભા ઊભા નીચે જૈન મુનિઓને જતા જોયા અને વિચારતા વિચારતાં તેને જાતિસ્મરણ થતાં પૂર્વ સર્પનો ભવ યાદ આવ્યો. તેથી તે નીચે ઊતરી સાધુ મહારાજને વંદન કરી વૈરાગ પામેલ હોવાથી દીક્ષા લેવા તૈયાર થયો. માતાપિતાએ તેને ઘણો સમજાવ્યો છતાં કોઈનું ન માનતાં, મહા મહેનતે તેમની આજ્ઞા લઈ તેણે સદગુરની પાસે દીક્ષા અંગીકાર કરી તે તિર્યંચ યોનિમાંથી આવેલો હોવાથી અને તેને વેદનીય કર્મનો ઉદય હોવાથી ભૂખ સહન કરી શકતો ન હતો. તેથી એક પોરસી માત્રનું પણ પચ્ચકખાણ કરી શકાતું ન હતું. આવી તેની પ્રકૃતિ હોવાથી ગુરુ મહારાજે તેની Page #339 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧૦ યોગ્યતા જાણી એવો આદેશ આપ્યો કે,'જો તારાથી તપશ્ચર્યા થઈ શક્તી નથી તો તારે સમતા અંગીકાર કરવી એથી તને ઘણો લાભ થશે. તે દીક્ષા સારી રીતે પાળવા લાગ્યો, પણ દરરોજ સવારમાં ઊઠી એક ગડુઆ (એક જાતનું વાસણ) ભરીને કુર (ભાત) લાવીને જ્યારે વાપરે ત્યાં જ તેને હોશકોશ આવે. આમ દરરોજ કરવાથી તેમનું નામ કુરગડું પડી ગયું. જે આચાર્યશ્રી પાસે કરગડએ દીક્ષા લીધી હતી તેમના ગચ્છમાં બીજા ચાર સાધુઓ મહાતપસ્વી હતા. એક સાધુ એક માસના લાગેટ ઉપવાસ કરતા. બીજાં સાધુ બે માસનાં લાગટ ઉપવાસ કરતાં, ત્રીજા સાધુ ત્રણ માસના ઉપવાસે પારણું કરતા અને ચોથા સાધુ ચાર માસના લાગેટ ઉપવાસ કરી શક્તા. આ ચારે સાધુ મહારાજ આ કુરગડુ મુનિને નિત્ય ખાઉં એમ કહી તેની દરરોજ નિંદા કરતા હતા. પણ કુરગડુ મુનિ સમતા રાખી સાંખી લેતા હતા. તેમના ઉપર તલ માત્ર ષ કરતા ન હતા. એક વખત શાસન દેવીએ આવીને કુરગ મુનિને પહેલા વાંઘા. આ જોઈ તપસ્વી મુનિએ કહ્યું, "તે પહેલાં આ તપસ્વી મુનિને ન વાંદતાં આ તુચ્છ મુનિને કેમ વાંઘા?" ત્યારે શાસનદેવીએ આ કુરગડુ મુનિની સ્તુતિ કરતાં બોલ્યા કે, “હું દ્રવ્ય તપસ્વીઓને વાંદતી નથી મેં ભાવ તપસ્વીને વાંઘા છે." એક મહાપર્વના દિવસે સવારે ફરગડ મુનિ ગોચરી વહોરી લાવ્યા અને જૈન આચાર પ્રમાણે તેમણે દરેક સાધુને બતાવી કહ્યું, "આપને જો આમાંથી કંઈક વાપરવાની અભિલાષા હોય તો વાપરો" આટલું સાંભળતાં જ તપસ્વી મુનિઓ બેધાયમાન થઈ જેમ તેમ બોલવા લાગ્યા અને કહ્યું, "આવા પર્વના દિવસે પણ તમે તપ કરતા નથી. ધિક્કાર છે તમને, અને અમોને પાછું વાપરવાનું કહો છો?" આમ લાલપીળા થઈ ોધથી હાથું એમ કહી મોંએથી બળખા કાઢી તેમના પાતરામાં થૂક્યા.આમ થવા છતાં પણ કુરગડુને બીલકુલ ગુસ્સો આવ્યો નહીં અને મનથી વિચારવા લાગ્યા, હું પ્રમાદમાં પડેલો છું. નાનું સરખું તપ પણ હું કરી શકતો નથી. ધિક્કાર છે મને. આવા તપસ્વી સાધુઓની યોગ્ય વૈયાવચ્ચ પણ કરતો નથી. આજે તેમના બેધનું સાધન હું બન્યો." ઇત્યાદિક આત્મનિંદા કરતાં પાત્રામાં રહેલો આહાર નિઃશંકપણે વાપરવા લાગ્યા અને શુક્લધ્યાનમાં ચડી જતાં તરત જ કેવળજ્ઞાન પામ્યા. દેવતાઓ તરત જ દોડી આવ્યા અને સુવર્ણ સિંહાસન ઉપર તેમને સ્થાપી. કેવળજ્ઞાન મહોત્સવ ઊજવવા લાગ્યા. ચારે તપસ્વી મુનિઓ અચંબામાં પડી ગયા અને ઓહો, આ સાચા ભાવ તપસ્વી છે. અમો ફક્ત દ્રવ્ય તપસ્વીઓ જ રહ્યા. એ તરી ગયા. ઓહો, ધન્ય છે તેમના આત્માને. એમ કહી કેવળજ્ઞાની કુરગ મુનિને ખમાવવા લાગ્યા. એમ ત્રિકરણ શુદ્ધિએ તેમને સાચા ભાવથી ખમાવતા તે ચારે પણ કેવળજ્ઞાનને પામ્યા. Page #340 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧૧ | જીરણ શેઠ |૧૦૫. વિશળા નગરીમાં એક શ્રેષ્ઠી રહેતા હતા. તે પરમહંત શ્રાવક હતા. એક વખત ભગવાન મહાવીર ચોમાસી તપ કરી આ નગરીના ઉપવનમાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા હતા. તેણે પ્રભુ અહીં પધાર્યા છે એમ જાણી ત્યાં આવી પ્રભુને વિંદના કરી કહ્યું, “સ્વામી ! આજે મારે ઘેર પારણું કરવા (વહોરવા) તમે પધારજો.” એમ કહી પોતાને ઘેર ગયો. પણ પ્રભુ તો તેને ઘેર આવ્યા નહીં. તેથી બીજે દિવસે ત્યાં આવી છઠ તપ" હશે એમ ધારી પ્રભુ પ્રત્યે એવી અરજ કરી કે, કૃપાવતાર આજે મારે ઘેર પધારી મારું આંગણું પવિત્ર કરજો. એમ કહીને ઘેર ગયો. પણ ભગવંતે તો કંઈ હા કે ના - નો ઉત્તર આપ્યો નહીં. એમ દરરોજ નિમંત્રણા કરતાં ચાર માસ વહી ગયા. ચોમાસી પારણાના દિવસે તે મનમાં વિચારવા લાગ્યો કે આજે તો અવશ્ય પ્રભુને પારણું હશે જ, તેથી પ્રભુ પાસે આવી બોલ્યો કે, “દુર્વાર સંસારમય ધવંતરી (દુ:ખો જેમાંથી દૂર ન કરી શકાય એવા સંસારરૂપી રોગને દૂર કરવામાં સાક્ષાત્ ધન્વતરી વૈદ્ય) જેવા હે પ્રભુ! કૃપામય ! આ આપનાં લોચનથી મને જોઈ, આપ મારી અરજ અવશ્ય સ્વીકારશો. એમ કહી પોતાના ઘરે ગયો. વખત થતાં મધ્યાહન કાળે હાથમાં મોતીનો ભરેલો થાળ લઈ પ્રભુને વધાવવા માટે ઘરના દરવાજા આગળ ઊભો રહી વિચાર કરે છે કે, “આજે જરૂર જગતબધું પધારશે, ત્યારે હું તેમને પરિવાર સહિત વંદન કરીશ. ઘરમાં બહુમાન સહિત લઈ જઈશ, ઉત્તમ પ્રકારનાં અન્નપાણી વહોરાવીશ, વહોરાવતાં શેષ વધેલું અન્ન હું મારા આત્માને ધન્ય માનતો ખાઈશ.” આવી રીતે મનોરથની ઉચ્ચ શ્રેણી પર ચડતો ગયો તેથી તેણે બારમા દેવલોકને યોગ્ય કર્મ ઉપાર્જન કર્યું. એ વખતે શ્રી મહાવીર પ્રભુ અભિનવ નામના એક શ્રેષ્ઠીને ઘેર જઈ ચડ્યા. તે વખતે તેણે નોકર પાસે ભગવાનને આહાર - પાણી અપાવરાવ્યાં. આ ઘનના પ્રભાવથી ત્યાં પાંચ દિવ્ય પ્રગટ થયાં (કૂલની વૃષ્ટિ-વસ્ત્રની વૃષ્ટિ - સોનામહોરોની વૃષ્ટિ તથા દેવદંભી વાગે અને અહોદાન અહોદન એમ દેવતા આકાશમાંથી બોલે એ પાંચ દિવ્ય કહેવાય) અહીં જીર્ણ શ્રેષ્ઠીએ ભાવના ભાવતાં દેવ Page #341 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧૨ દુંદુભિ સાંભળી તેથી તેણે વિચાર્યું કે ધિક્કાર છે મને, હું અધન્ય છું, અભાગીઓ છું તેથી પ્રભુ મારે ઘેર ન પધાર્યા આથી ધાન ભંગ થયો અને મનદુ:ખ સાથે ભોજન કર્યું. - ત્યાર બાદ કોઈ જ્ઞાની ગુરુ તે નગરે આવ્યા. તેમને વંદન કરી રાજાએ કહ્યું કે, મારું નગર વખાણવા લાયક છે કેમ કે પ્રભુ મહાવીર સ્વામીએ ચોમાસી પારણું કરાવનાર મહા ભાગ્યશાળી અભિનવ શ્રેષ્ઠી અહીંયા જ રહે છે. એવા પુણ્યાત્માથી મારું નગર શોભે છે. જ્ઞાની ગુરુ બોલ્યા કે, એમ કહેવું યોગ્ય નથી. કેમ કે અભિનવ શેઠે તો દ્રવ્યભક્તિ કરી, પણ ભાવભક્તિ તો જીરણ શ્રેષ્ઠીએ કરી છે. તેથી તેણે અધિક પુણ્યવંત ગણવો જોઈએ. જીરણ શેઠે દેવદુંદુભીનો અવાજ જો થોડીક વાર સુધી સાંભળ્યો ન હોત તો એવી શ્રેણીએ પહોંચ્યો હતો કે તેને તરત જ કેવળજ્ઞાન થાત. રાજાએ આથી જીરણ શેઠની ભૂરી ભૂરી અનુમોદના કરવા લાગ્યા અને જીરણ શેઠ કાળ કરી બારમા દેવલોકવાસી દેવ થયા. ત્યાંથી આવી અનુક્રમે મોક્ષસુખ પામશે. બ્રહ્મચર્ય વિશે સુભાષિત નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન: ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ: એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ. એક વિષયને જીતતાં, જીત્યો, સાં સંસાર: નૃપતિ જીતતાં જીનિયે, દળ, પુર ને અધિકાર. વિષયરૂપ અંકુરથી, ટળે સાન ને ધાન: લેશ મદિરાપાનથી, છાકે જયમ અશાન. જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ: ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. સુંદર શિયળ સુરતરુ, મન વાણી ને દેહદ જે નરનારી સેવશે, અનુપમ ફળ લે નેહ, પાત્ર વિના વસ્તુ ન રહે, પાને આત્મિક શાન: પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. કરી કરી Page #342 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧૩ | મહારાજા શ્રેણિક " ||૧૦૬. ભગવાન મહાવીરના સમયમાં મગધ દેશમાં રાજા શ્રેણિક રાજ્ય કરતા હતા. શરૂ શરૂમાં જ્ઞાન ન હોવાના કારણે તેમને શિકાર કરવાનો ખાસ શોખ હતો. શિકાર કરવામાં તેમને મઝા આવતી. એક દિવસ શ્રેણિક જંગલમાં શિકાર કરવા ગયા. તેમણે દૂરથી એક હરણીને જોઈ. તેમણે પોતાનો ઘોડો તે તરફ દોડાવ્યો. ધનુષ્ય પર બાણ ચડાવ્યું. ઘોડો દોડી રહ્યો છે. હરણી પણ દોડી રહી છે. બરાબર નિશાન તાકી શ્રેણિકે તીર છોડ્યું . તીર હરણીના પેટમાં ખૂંપી ગયું. તેનું પેટ ફાટી ગયું. પેટમાંથી મરેલું બચ્ચું બહાર પડી ગયું. હરણી પણ મરી ગઈ. શ્રેણિક ઘોડા ઉપરથી ઊતરીને મરેલી હરણી પાસે આવ્યો. જોઈને એ ખૂબ જ ખુશ થયો. ગર્વથી બોલ્યો, 'મારા એક જ તીરથી બબ્બે પશુ મરી ગયાં ! હરણી અને તેનું બચ્ચું પણ ! શિકાર આને કહેવાય. શ્રેણિકનો આનંદ સમાતો નથી, હર્ષથી તે ઝૂમી ઊઠ્યો અને શ્રેણિક રાજાએ ત્રીજી નરક ગતિનું કર્મ બાંધી દીધું." ત્યાર પછી શ્રેણિક કાળક્રમે અને ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત થતાં ભગવાનના પરમ ઉપાસક બન્યા. એક વાર ભગવાનને પોતાની ગતિ પૂછી. ભગવાન મહાવીરના પરિચયમાં આવ્યા. ત્યારે સર્વજ્ઞ ભગવાને કહ્યું કે, શ્રેણિક ! મરીને તું ત્રીજી નરકે જઈશ." શ્રેણિક ગભરાયા. તે બોલ્યા : 'પ્રભુ ! હું આપનો પરમ ભક્ત અને હું નરકે જઈશ ? ભગવાને કહ્યું કે, 'શ્રેણિક ! તેં શિકાર કરીને ખૂબ હર્ષ કર્યો હતો. આથી તારું નરકગતિનું આયુષ્ય બંધાઈ ગયું છે. તારું એ પાપકર્મ નિકાચિત હતું. એ કર્મ ભોગવવું જ પડે. અમે પણ તે અન્યથા કરવાને સમર્થ નથી" હે રાજન ! આ નરકની વેદના તારે ભોગવવાની છે પણ તું જરા પણ ખેદ કરીશ નહીં કારણ કે ભાવિ ચોવીશીમાં તું પદ્મનાભ નામે પહેલો તીર્થંકર થઈશ." શ્રેણિક બોલ્યો કે, હે નાથ ! એવો કોઈ ઉપાય છે કે જેથી અંધકૂપમાંથી આંધળાની જેમ નરકમાંથી મારી રક્ષા થાય ?" Page #343 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧૪ પ્રભુ બોલ્યા, હે રાજન ! કપિલા દાસી પાસે જો સાધુઓને હર્ષથી ભિક્ષા અપાવે અને જો કાળસૌરિકની પાસે કસાઈનું કામ મુકાવે તો નરકથી તારો મોક્ષ થાય. તે સિવાય થાય તેમ નથી" આ ઉપદેશ સાંભળી શ્રેણિક પોતાના સ્થાને ગયો. પછી શ્રેણિકે ગામમાંથી કપિલાદાસીને બોલાવી અને તેની પાસે માગણી કરી કે, “હે ભદ્ર ! તું સાધુઓને શ્રદ્ધથી ભિક્ષા આપ. હું તને ધનની રાશિ આપીને ન્યાલ કરી દઈશ કપિલા બોલી કે, કદી મને બધી સુવર્ણમય કરો અથવા મને મારી નાખો તો પણ હું એ કૃત્ય નહીં કરું. પછી રાજાએ કાળસૌરીકને બોલાવીને કહ્યું કે, જો તું આ કસાઈપણું છોડી દે તો હું તને ઘણું દ્રવ્ય આપું, કેમ કે તું પણ ધનના લોભથી કસાઈ થયો છું. કાળસૌરિક બોલ્યો કે, આ કસાઈના કામમાં શો દોષ છે? જેનાથી અનેક મનુષ્યોનાં પેટ ભરાય છે, તેવા કસાઈના ધંધાને હું કદી પણ છોડીશ નહીં. આ સાંભળી રાજાએ તેને એક રાત્રિ - દિવસ કૂવામાં પૂરી રાખ્યો અને કહ્યું કે, હવે તું કસાઈનો વ્યાપાર શી રીતે કરીશ ?" પછી રાજા શ્રેણિકે ભગવંતની આગળ જઈ કહ્યું કે, “હે સ્વામી ! મેં કાળસૌરીકને એક રાત્રી - દિવસ સુધી કસાઈનું કામ છોડાવ્યું છે." પ્રભુ બોલ્યા કે, હે રાજન ! તેણે અંધકૂપમાં પણ કોલસાથી પાડા ચીતરી પાંચસો પાડ માર્યા છે.” તત્કાળ શ્રેણિકે જઈને જોયું તો તે પ્રમાણે જ હતું. એટલે તેને ઘણો ઉદ્વેગ થયો કે, “મારા પૂર્વ કર્મને ધિકાર છે. તેવા દુષ્કર્મના કારણે ભગવાનની વાણી અન્યથા થશે નહીં.” કાળક્રમે શ્રેણિક રાજા વૃદ્ધ થયા. તેમના પુત્ર અભયકુમારે દીક્ષા લીધી. આથી લાગ સારો મળ્યો છે, એમ સમજી શ્રેણિકના બીજા પુત્ર કૃણિકે પોતાના કાળ વગેરે દશ બંધુઓને એકઠા કરી કહ્યું કે, પિતા વૃદ્ધ થયા તો પણ હજુ રાજ્ય છોડતા નથી. આપણા જયેષ્ઠ બંધુ અભયકુમારને ધન્ય છે કે જેણે યુવાન છતાં રાજ્યલક્ષ્મીને છોડી દીધી, પરંતુ આપણા વિષયાંધ પિતા તો હજુ રાજ્ય ભોગવતાં કાંઈ પણ જોતા જ નથી. માટે આજે એ પિતાને બાંધી લઈને આપણે સમયને યોગ્ય રાજ્ય ગ્રહણ કરીએ." આમ વિચારી તેણે પિતાને એકદમ દોરડાથી બાંધી તેને પાંજરામાં પૂરી દીધા. વિશેષમાં તેને ખાનપાન પણ આપતો નહીં. ઊલટો તે પાપી વૃણિક પ્રતિદિન સવારે અને સાંજે સો સો ચાબુકના પ્રહારો મારતો. કૃણિક શ્રેણિકની પાસે કોઈને જવા દેતો નહીં. ફક્ત માતા ચેલ્લાણાને તે રોકી શકતો નહીં. રાણી ચેલ્લણા માથાના વાળ સારી રીતે ધોઈ Page #344 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ B ૩૧૫ તેમાં પુષ્પના ગુચ્છાની જેમ અડદનો એક પિંડ ગોપવી લઈ જતી અને શ્રેણિક તે પિંડ દિવ્ય ભોજન સમજી ખાતો અને પ્રાણરક્ષા કરતો. કેટલાક વખતે માતા ચેલ્લણાના કેટલાક ખુલાસાથી કૂણિકને સબુદ્ધિ આવી અને "ઓહ ! અવિચારિત કાર્ય કરનારા એવા મને ધિક્કાર છે ! હવે જેમ થાપણ રાખેલી પાછી સોંપે તેમ હું મારા પિતાને રાજ્ય પાછું આપી દઉં." આ પ્રમાણે અધું. ભોજન કરેલ તેવી સ્થિતિમાં જ પૂરું ભોજન કરવા ન રોકાતાં તરત જ પિતાને પહેરાવેલ લોખંડની બેડીઓ તોડવા એક લોહદંડ ઉપાડીને તે શ્રેણિકની પાસે જવા દોડ્યો. કૂણિકે શ્રેણિક પાસે રાખેલા પેહેરેગીરો પૂર્વના પરિચયથી શ્રેણિક પાસે દોડતા આવ્યા અને કૃણિકને લોહદંડ સાથે આવતો જોઈને બોલ્યા, “અરે રાજન ! સાક્ષાત્ યમરાજની જેમ લોહદંડને ધારણ કરી તમારો પુત્ર ઉતાવળો આવે છે. તે શું કરશે ? તે કાંઈ અમે જાણતા નથી." તે સાંભળી શ્રેણિકે વિચાર્યું કે, "આજે તો જરૂર મારા પ્રાણ જ લેશે, કારણ કે આજ સુધી તો તે હાથમાં ચાબુક લઈને આવતો હતો અને આજે તે લોહદંડ લઈને આવે છે. વળી હું જાણી શકતો નથી કે તે મને કેવા સખત મારથી મારી નાખશે ! માટે તે અહીં આવી પહોંચે તે પહેલાં મારે જ મરણનું શરણ કરવું યોગ્ય છે." આવું વિચારી તેણે તત્કાળ તાળપુટ વિષ જિવા ઉપર મૂક્યું, જેથી તેના પ્રાણ તત્કાળ ચાલ્યા ગયા. કૃણિક નજીક આવ્યો ત્યાં તો તેણે પિતાને મૃત્યુ પામેલા જોયા. તેથી તત્કાળ તેણે છાતી કૂટીને પોકાર કર્યો કે, “હે પિતા ! હું આવા પાપકર્મથી આ પૃથ્વીમાં અદ્વિતીય પાપી થયો છું. વળી, હું જઈ પિતાને ખમાવું" આવો મારો મનોરથ પણ પૂર્ણ થયો નહીં, તેથી હમણાં તો હું અતિ પાપી છું. પિતાજી ! તમારા પ્રસાદનું વચન તો દૂર રહ્યું પણ મેં તમારું તિરસ્કાર ભરેલું વચન પણ સાંભળ્યું નહીં. મને મોટું દુર્દેવ વચમાં આવીને નડ્યું. હવે ગમે તેમ કરી મારે મરવું તે જ યોગ્ય છે." આ પ્રમાણે અતિ શોકમાં ગ્રસ્ત થયેલો કૂણિક મરવાને તૈયાર થયો, પણ મંત્રીઓએ તેને સમજાવ્યો એટલે તેણે શ્રેણિકના દેહનો અગ્નિસંસ્કાર કર્યો. મહારાજા શ્રેણિકનો આત્મા ત્રીજી નરકે ગયો. કાળે કરીને આવતી ચોવીસીમાં પહેલા તીર્થંકર થશે. Page #345 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ | ૩૧૬ શ્રી કૂણિક શ્રેણિક પુત્ર કૂણિકે શ્રેણિક રાજાને બંદીવાન બનાવી પાંજરામાં પૂરી રાખ્યા હતા અને રોજ બે વખત સોસો ચાબખાનો માર મરાવતો હતો. ૧૦૭. ઉગ્રપણે રાજ્ય કરતા કૂણિકને પદ્માવતી નામની રાણીથી એક પુત્ર થયો. તેનું ઉદાયી એવું નામ રાખ્યું. આ પુત્ર ઉપર કૂણિકને અનહદ પ્રેમ હતો. એક વખતે પુત્ર વત્સલ કૂણિક પોતાના ડાબા સાથળ ઉપર પુત્રને બેસાડીને જમતો હતો. તેણે અર્ધું ભોજન કર્યું હતું તેવામાં તે બાળકે મૂત્રોત્સર્ગ કર્યો એટલે મૂત્રની ધારા ભોજનથાળમાં પડી. પુત્રના પેશાબના વેગનો ભંગ ન થાઓ' એવું ધારી કૂણિકે પોતાનો સાથળ હલાવ્યો પણ નહીં. મૂત્રથી બગડેલી થાળી દૂર ન કરતાં પુત્ર વાત્સલ્યને કારણે થોડું ખરાબ અન્ન દૂર કરી એ જ થાળીમાં ફરીથી તે ખાવા લાગ્યો. આ સમયે તેની માતા ચેલ્લણા તેણી પાસે બેઠી હતી. તેને કૂણિકે પૂછ્યું કે, "હે માતા ! કોઈને પોતાનો પુત્ર આવો પ્રિય હતો ? કે અત્યારે હશે ?" ચેલ્લણા બોલી : "અરે પાપી ! અરે રાજકુળાધમ ! તું તારા પિતાને આના કરતાં પણ અધિક વહાલો હતો તે શું તું નથી જાણતો ? મને દુષ્ટ દોહદ થવા વડે તું જન્મ્યો છે અને તેથી જ તું તારા પિતાનો વૈરી થયો છે, સગર્ભા સ્ત્રીઓને ગર્ભ પ્રમાણે જ દોહદ થાય છે” ગર્ભમાં રહેલો તું તારા પિતાનો વૈરી છે, એવું જાણી મેં પતિના કલ્યાણની ઇચ્છાથી ગર્ભપાત કરવા પ્રયત્ન કર્યા હતા. તથાપિ તું તે તે ઓષધોથી નાશ ન પામતાં ઊલટો પુષ્ટ થયો હતો. 'બળવાન પુરુષોને સર્વ વસ્તુ પથ્ય થાય છે' તારા પિતાએ હું પુત્રનું મુખ ક્યારે જોઉં ? એવી આશાથી મારા નઠારા દોહલાને પણ પૂર્ણ કર્યા હતા. પછી જ્યારે તું જન્મ્યો ત્યારે તને તારા પિતાનો વૈરી જાણી મેં તજી દીધો હતો. પણ તારા પિતા પોતાના પ્રાણોની જેમ તને પાછો લઈ આવ્યા હતા. તને તજી દીધો તે વખતે ટુકડીના કરડવાથી તારી એક આંગળી વીંધાઈ ગઈ હતી. તે પાકી જવાથી તને અત્યંત પીડા થતી હતી. તે વખતે તારી તે આંગળીને પણ તારા પિતા પોતાના મુખમાં રાખતા હતા અને તે જ્યાં સુધી મુખમાં રાખતા હતા ત્યાં સુધી તને દુ:ખ ટળતું હતું એટલે એટલો વખત તું ન રોતાં શાંત રહેતો હતો. અરે અધમ ! આવી રીતે જે પિતાએ તને મહા કષ્ટ ભોગવી લાલિતપાલિત કર્યો હતો તેના બદલામાં અત્યારે તેવા ઉપકારી પિતાને તેં કારાગૃહમાં નાખેલા છે.” આ વખતે કૂણિકે Page #346 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧૭ એક જૂની વાત યાદ કરીને પૂછ્યું "માતા ! મારા પિતાએ મને ગોળના મોદક મોકલ્યા અને હલ્લ વિહલ્લને ખાંડના મોકલ્યા તેનું શું કારણ?” ત્યારે ચેલ્લણાએ જવાબ આપ્યો કે, “હે મૂઢ! તું તારા પિતાનો દ્રષી છું એવું જાણી મને અનિષ્ટ થયો હતો તેથી ગોળના મોદક તો મેં મોકલ્યા હતા. આ પ્રમાણે ખુલાસો થવાથી કૃણિક બોલ્યો કે, "ઓહો મને ધિક્કાર છે. અવિચારી કાર્ય મેં કર્યું છે પણ હવે થાપણ રાખેલી પાછી સોંપે તેમ હું મારા પિતાને રાજ્ય પાછું આપી દઉ છું એમ કહી, અર્ધ કરેલ ભોજન બાજુમાં મૂકી, ધાત્રીને પુત્ર સોંપી પિતાને મુક્ત કરવા એક લોહદંડ બેડીઓ તોડવા માટે લઈ ઘેડ્યો. પણ તે શ્રેણિક પાસે પહોંચે તે પહેલાં શ્રેણિકે આ મને લોહદંડથી મારી મારો ઘાત જ કરશે એમ માની પોતાની જિવા ઉપર તાળપુટ વિષ મૂકી પ્રાણ છોડી દીધા. ત્યાર બાદ ચક્વર્તી થવા માટે કેટલીક ખૂનખાર લડાઈ લડ્યા બાદ કોઈની વાત ન સાંભળતાં પોતાને તેરમો ચકવર્તી ગણાવતાં કૃતપાળ દેવે તેને બાળીને ભસ્મ કરી નાખ્યો અને કૂણિક મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગયો. ક વીરનાં વચન છે : ; ; ; '' વીરનાં વચન છે, ત્રિપદી લોચન છે. અણમૂલાં રતન, એવાં વીરનાં વચન છે. ધર્માનું ધન છે, વિવેકનું વન છે. પાપનું પતન એવાં, વીરનાં વચન છે. દોષનું દમન છે, રોષનું વમન છે, ભવ દુઃખ ભંજન એવાં, વીરનાં વચન છે. જાણે તેનો ધર્મ છે, ધારે તેનો ધર્મ છે, પાળે તેને ધન્ય ધન્ય, વીરનાં વચન છે. સમજી લેવું શાનમાં, રાખ ઝવેરી ધ્યાનમાં, ઉત્તમના ઉપદેશમાં, વીરનાં વચન છે. નમોથી તેની સધાય છે. અરિહંત પ્રમોદ અને કાર્યનું પ્રતીક છે. તાણ, માધ્યસ્થ સાધી આપે છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧૮ ગુરુ ગૌતમ વામી || ૧૦૮. મગધદેશમાં ગોબર નામના ગામમાં વસુભૂતિ નામે એક ગૌતમ ગોત્રી બ્રાહ્મણ રહેતો હતો. તેને પૃથ્વી નામની સ્ત્રીથી ઇંદ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે ત્રણ પુત્રો થયા હતા. અપાપા નગરીમાં સોમિલ નામના એક ધનાઢ્ય બ્રાહ્મણે યજ્ઞકર્મમાં વિચક્ષણ એવા આ ત્રણ ગૌતમ ગોત્રી બ્રાહ્મણો અને એ વખતે બ્રાહ્મણોમાં મહાજ્ઞાની ગણાતા બીજા આઠ દ્વિજોને યજ્ઞ કરવાને બોલાવ્યા હતા. સૌથી મોટા ઈંદ્રભૂતિ ગૌતમ ગોત્રી હોવાથી ગૌતમ નામે પણ ઓળખાતા હતા. યજ્ઞ ચાલતો હતો તે વખતે શ્રી વીર પ્રભુને વાંદવાની ઇચ્છાથી આવતા દેવતાઓને જોઈ ગૌતમે બીજા બ્રાહ્મણોને કહ્યું, “આ યજ્ઞનો પ્રભાવ જુઓ ! આપણે મંત્રોથી બોલાવેલા આ દેવતાઓ પ્રત્યક્ષ અહીં યજ્ઞમાં આવે છે." તે વખતે યજ્ઞનો વાડો છોડીને દેવતાઓને સમવસરણમાં જતા જોઈ લોકો કહેવા લાગ્યા : હે નગરજનો ! સર્વજ્ઞ પ્રભુ ઉદ્યાનમાં સમવસર્યા છે. તેમને વાંદવાને માટે આ દેવતાઓ હર્ષથી જાય છે." સર્વજ્ઞ એવા અક્ષરો સાંભળતાં જ જાણે કોઈએ વજપાત હોય તેમ ઇંદ્રભૂતિ કોપ કરી બોલ્યા : “અરે ! ધિક્કાર ! ધિક્કાર ! મરૂદેશના માણસો જેમ આંબાને છોડીને કેર પાસે જાય તેમ લોકો મને છોડીને એ પાખંડીની પાસે જાય છે. શું મારી આગળ કોઈ બીજો સર્વજ્ઞ છે? સિંહની આગળ બીજો કોઈ પરાક્ની હોય જ નહીં. કદી મનુષ્યો તો મૂર્ખ હોવાથી તેની પાસે જાય, તો ભલે જાય, પણ આ દેવતાઓ કેમ જાય છે? તેથી તે પાખંડીનો દંભ કોઈ મહાન લાગે છે. પરંતુ જેવો તે સર્વજ્ઞ હશે તેવા જ આ દેવતાઓ લાગે છે, કેમ કે જેવો યજ્ઞ હોય તેવો જ બલિ અપાય છે. હવે આ દેવો અને માનવોના દેખતાં હું તેના સર્વજ્ઞપણાનો ગર્વ હરી લઉં. આ પ્રમાણે અહંકારથી બોલતો ગૌતમ પાંચસો શિષ્યોની સાથે જ્યાં શ્રી વીર પ્રભુ સુરનરોથી વિંટળાઈને બેઠા હતા ત્યાં સમવસરણમાં આવ્યો. પ્રભુની સમૃદ્ધિ અને ઝગમગતું તેજ જોઈ “આ શું?" એમ આશ્ચર્ય પામી ઇંદ્રભૂતિથી બોલાઈ ગયું. એવામાં તો હે ગૌતમ ! ઇંદ્રભૂતિ ! તમને સ્વાગત છે." આ પ્રમાણે Page #348 -------------------------------------------------------------------------- ________________ વિતHસ્વામી ગૉનમવામીવિલાપ, Page #349 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ સ્વામી વિલાપ ૧. ગૌતમ સ્વામી ચરમ શાસનપતિ મહાવીર દેવના પ્રથમ શિષ્ય હતા. સાથોસાથ પરમાત્મા પ્રત્યે અનહદ ભક્તિ-રાગ હતો. નિર્મલ જ્ઞાન વડે પરમાત્માએ મોક્ષ સમય નજીક આવતો જોઈને ગૌતમ સ્વામીને દેવશર્મા પાસે પ્રતિબોધ આપવા મોકલ્યા. આ બાજુ પરમાત્મા અપાપાપુરીમાં હસ્તિપાલ રાજાની સભામાં નવમલ્લી અને નવલચ્છિ દેશ એવા અઢર દેશના રાજન નિર્જલ છઠ્ઠ તપની સાથે પૌષધ લઈને ૧૬ પ્રહરની દેશના સાંભળવા બેઠા. ૬૪ ઇન્દ્ર કરોડ દેવતાઓ આદિ ૧ર પર્ષદની સામે અખંડવધાર દેશના આપી અને દિપાવલીના દિવસે નિર્માણ પામ્યા. ૩. ગૌતમ સ્વામીને આ ખેદપ્રદ સમાચાર પાછા ફરતી વેળા માર્ગમાં, દેવોને શોકાતુર, આંસુથી છલકાતી આંખોવાળ જોઈને મળી ગયા. ત્યારે હાય ! વીર કહેતાં જ ઢળી પડ્યા. આવા વજાઘાત સમાન સમાચારથી તેઓ આકુળવ્યાકુળ થઈ ગયા. બેશુદ્ધ અવસ્થામાંથી જયારે ઊઠ્યા, તો હે વીર હે વીર... કલ્પાંત કરતા વિલાપ કરવા લાગ્યા. ભારે રુદન કરતાં બોલી રહ્યા : “હા..હા...વીરને આ શું કર્યું? એમની આ વિલાપની ભયંકર અવસ્થામાં એમને વિશેષ જ્ઞાન થયું. Page #350 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકના હીરાઓ [ ૩૧૯ જગદ્ગુરુએ અમૃત જેવી મધુર વાણી વડે કહ્યું. તે સાંભળી ગૌતમ વિચારમાં પડ્યો કે, શું આ મારા ગોત્ર અને નામને પણ જાણે છે? હું ! જાણે જ ને, મારા જેવા જગપ્રસિદ્ધ માણસને કોણ ન જાણે, પણ જો મારા હૃદયમાં રહેલા સંશયને તે જણાવે અને તેને પોતાની જ્ઞાન સંપત્તિ વડે છેદી નાખે તો તે ખરા આશ્ચર્યકારી છે. એમ હું માનું" આ પ્રમાણે હૃદયમાં વિચાર કરતા એવા સંશયધારી ઈંદ્રભૂતિને પ્રભુએ કહ્યું કે, “હે વિપ્ર ! જીવ છે કે નહીં? એવો તારા હૃદયમાં સંશય છે, પણ હે ગૌતમ ! જીવ છે, તે ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વગેરે લક્ષણોથી જાણી શકાય છે. જો જીવ ન હોય તો પુણ્ય-પાપનું પાત્ર કોણ ? અને તારે આ યજ્ઞ-દાન વગેરે કરવાનું નિમિત્ત પણ શું ?" આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળીને તેણે મિથ્યાત્વની સાથે સંદેહને ત્યજી દીધો અને પ્રભુનાં ચરણમાં નમસ્કાર કરીને બોલ્યા કે, હે સ્વામી ! ઊંચા વૃક્ષનું માપ લેવાને વામણા પુરુષની જેમ હું દુર્બુદ્ધિ તમારી પરીક્ષા લેવાને અહીં આવ્યો હતો, તે નાથ ! હું દોષયુક્ત છું. તે છતાં તમે આજે મને સારી રીતે પ્રતિબોધ આપ્યો છે. તો હવે સંસારથી વિરક્ત થયેલા એવા મને દીક્ષા આપો. પ્રભુએ તેને પોતાના પહેલા ગણધર થશે, એવું જાણીને પાંચસો શિષ્યો સાથે પોતે જ દીક્ષા આપી. તે સમયે કુબેર દેવતાએ ચારિત્ર ધર્મનાં ઉપકરણો લાવી આપ્યાં અને પાંચસો શિષ્યોની સાથે ઈંદ્રભૂતિએ દેવતાઓનાં અર્પણ કરેલાં ધર્મનાં ઉપકરણો ગ્રહણ કર્યો. ઈંદ્રભૂતિની માફક અગ્નિભૂતિ વગેરે બીજા દશે દ્વિજો વારાફરતી આવી પોતાનો સંશય પ્રભુ મહાર્વરે દૂર કર્યાથી તેઓના શિષ્યોની સાથે દીક્ષા ગ્રહણ કરી. વીર પ્રભુ વિહાર કરતા કરતા ચંપાનગરી પધાર્યા. ત્યાં સાલ નામના રાજા તથા મહાસાલ નામે યુવરાજ પ્રભુને વાંદવા આવ્યા. પ્રભુની દેશના સાંભળી ને બને પ્રતિબોધ પામ્યા. તેમણે તેમના ભાણેજ ગાગલીનો રાજ્ય ઉપર અભિષેક કરી બન્નેએ વીર પ્રભ પાસે દીક્ષા ગ્રહણ કરી. પ્રભુની આજ્ઞા લઈ ગૌતમ સ્વામી સાલ અને મહાસાલ સાધુની સાથે પૃષ્ઠ ચંપાનગરીએ ગયા. ત્યાં ગાગલી રાજાએ ભક્તિથી ગૌતમ ગણધરને વંદના કરી. ત્યાં દેવતાએ રચેલા સુવર્ણના કમળ ઉપર બેસીને ચતુર્દાની ગૌતમ સ્વામીએ ધર્મદેશના આપી. તે સાંભળી ગાગલી પ્રતિબોધ પામ્યો. એટલે પોતાના પુત્રને રાજયસિંહાસન સોંપી પોતાનાં માતાપિતા સહિત તેણે ગૌતમ સ્વામીની પાસે દીક્ષા લીધી. તે નવા ત્રણ મુનિઓ અને સાલ, મહાસાલ એમ પાંચે જણ ગુરુ ગૌતમ સ્વામીની પાછળ પાછળ પ્રભુ મહાવીરને વાંદવા જતા હતા. માર્ગમાં શુભ ભાવનાથી તે પાંચેને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સર્વજ્ઞ પ્રભુ મહાવીર સ્વામી જ્યાં બિરાજતા હતા Page #351 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૩૨૦ ત્યાં આવી પ્રભુને પ્રદક્ષિણા કરી અને ગૌતમ સ્વામીને પ્રણામ કર્યા પછી તીર્થને નમીને તે પાંચે કેવળીની પર્મદામાં ચાલ્યા, ત્યારે ગૌતમે કહ્યું કે, 'પ્રભુને વંદના કરો.' પ્રભુ બોલ્યા કે 'ગૌતમ ! કેવળીની આશાતના કરો નહીં. તત્કાળ ગૌતમે મિથ્યા દુષ્કૃત આપી તે પાંચેને ખમાવ્યા. પછી ગૌતમ ખેદ પામીને ચિંતવવા લાગ્યા કે, શું મને કેવળજ્ઞાન ઉત્પન્ન નહિ થાય ? શું હું આ ભવમાં સિદ્ધ નહીં થાઉં ? આવો વિચાર કરતા કરતા તેમને પ્રભુએ દેશનામાં એક વાર કહેલ કે, "જે અષ્ટાપદ ઉપર પોતાની લબ્ધિ વડે જઈ ત્યાં રહેલા જિનેશ્વરને નમી એક રાત્રી ત્યાં રહે, તે તે જ ભવમાં સિદ્ધિને પામે." તે સંભારતાં તત્કાળ ગૌતમ સ્વામીએ અષ્ટાપદ ઉપર રહેલા જિનબિંબોનાં દર્શન માટે ત્યાં જવાની ઇચ્છા કરી. ત્યાં ભવિષ્યમાં તાપસોને પ્રતિબોધ થવાનો છે તે જાણી પ્રભુએ ગૌતમને અષ્ટાપદ તીર્થ તીર્થંકરોને વાંદવા જવાની આજ્ઞા આપી. આથી ગૌતમ ઘણા જ હરખાયા અને ચરણલબ્ધિથી વાયુ જેવા વેગ વડે ક્ષણમાં અષ્ટાપદ સમીપે આવી પહોંચ્યા. એ અરસામાં, કૌડિન્ય, દત્ત અને સેવાલ વગેરે પંદરસો તપસ્વીઓ અષ્ટાપદને મોક્ષનો હેતુ સાંભળી, તે ગિરિ ઉપર ચડવા આવ્યા હતા તેમાં પાંચસો તપસ્વીઓએ ચતુર્થ તપ કરી આર્દ્રકંદાદિનું પારણું કરવા છતાં અષ્ટાપદની પહેલા પગથિયા સુધી આવ્યા હતા. બીજા પાંચસો તાપસો છઠ્ઠ તપ કરી સૂકાં કંદાદિનું પારણું કરી બીજા પગથિયા સુધી આવ્યા હતા. ત્રીજા પાંચસો તાપસો અઠ્ઠમનું તપ કરી સૂકી સેવાલનું પારણું કરી ત્રીજા પગથિયા સુધી આવ્યા હતા. ત્યાંથી ઊંચે ચડવાને અશક્ત હતા. તે ત્રણે સમૂહ પહેલા, બીજા ને ત્રીજા પગથિયે અટકી રહ્યા હતા. તેવામાં સુવર્ણ જેવી કાંતિવાળા અને પુષ્ટ આકૃતિવાળા ગૌતમને તેમણે ત્યાં આવતા દીઠા. તેમને જોઈને તેઓ આપસમાં વાત કરવા લાગ્યા કે આપણે દૃશ થઈ ગયા છીએ, તથાપિ અહીંથી આગળ ચડી શકતા નથી, તો આ સ્થૂળ શરીરવાળા મુનિ કેમ ચડી શકશે ? આ રીતે તેઓ વાતચીત કરે છે, તેવામાં તો ગૌતમ સ્વામી સૂર્યકિરણનું આલંબન લઈને તે મહાગિરિ પર ચડી ગયા અને ક્ષણમાં દેવની જેમ તેમનાથી અદૃશ્ય થઈ ગયા. પછી તેઓ પરસ્પર બોલ્યા કે, “આ મહર્ષિની પાસે કોઈ મહા શક્તિ છે, તેથી જો તેઓ અહીં પાછા આવશે તો આપણે તેમના શિષ્યો થઈશું.' આવો નિશ્ચય કરી તે તાપસો એક ધ્યાને તેમની પાછા આવવાની રાહ જોવા લાગ્યા. અષ્ટાપદ પર્વત ઉપર ચોવીશ તીર્થંકરોનાં અનુપમ બિંબોને તેમણે ભક્તિથી વંદના કરી. પછી ચૈત્યમાંથી નીકળીને ગૌતમ ગણધર એક મોટા અશોકવૃક્ષ નીચે બેઠા. Page #352 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૩૨૧ ત્યાં અનેક સુર-અસુર અને વિદ્યાધરોએ તેમને વંદના કરી. ગૌતમ ગણધરે તેમને યોગ્ય દેશના આપી. પ્રસંગોપાત તેમણે જણાવ્યું કે, સાધુઓ શરીરે શિથિલ થઈ ગયા હોય છે, અને તેઓ ગ્લાનિ પામી જવાથી જીવસત્તા વડે જતા ધૃજતા ચાલે એવા થઈ જાય છે. તેમનાં આવાં વચન સાંભળી, વૈશ્રવણ (કબેર) તેમના શરીરની સ્થૂળતા જોઈ તે વચન તેમનામાં જ અઘટિત જાણી, જરા હસ્યો. તે વખતે મન:પર્યવજ્ઞાની ઇંદ્રભૂતિ તેના મનનો ભાવ જાણી બોલ્યા કે, મુનિપણામાં કાંઈ શરીરની કૃશતાનું પ્રમાણ નથી. પણ શુભધ્યાનપણે આત્માનો નિગ્રહ કરવો તે પ્રમાણ છે. તે વાતના સમર્થનમાં તેમણે શ્રી પુંડરીક અને કંડરીકનું ચરિત્ર સંભળાવી તેમનો સંશય દૂર ર્યો. આ પ્રમાણે ગૌતમ સ્વામીએ કહેલું પુંડરીક-કંડરીકનું અધ્યયન પાસે બેઠેલા વૈશ્રવણ દેવે એકનિષ્ઠાથી શ્રવણ કર્યું અને તેણે સમક્તિ પ્રાપ્ત કર્યું." આ પ્રમાણે દેશના આપી બાકીની રાત્રી ત્યાં જ પસાર કરી ગૌતમ સ્વામી પ્રાત:કાળે તે પર્વત ઉપરથી ઉતરવા લાગ્યા, એટલે રાહ જોઈ રહેલા પેલા તાપસીના જોવામાં આવ્યા. તાપસોએ તેમની પાસે આવી હાથ જોડીને કહ્યું કે, હું તપોનિધિ મહાત્મા ! અમે તમારા શિષ્યો થઈએ અને તમે અમારા ગુરુ થાઓ.” ગૌતમ સ્વામી બોલ્યા કે, “સર્વજ્ઞ પરમેશ્વર મહાવીર પ્રભુ છે તે જ તમારા ગુરુ થાઓ.” પછી તેઓએ ઘણો જ આગ્રહ કર્યો એટલે ગૌતમે તેઓને ત્યાં જ દીક્ષા આપી. દેવતાઓએ તરત જ તેઓને યતિલિંગ આપ્યું. પછી તેઓ ગૌતમ સ્વામીની પાછળ પાછળ પ્રભુ મહાવીર પાસે જવા માટે ચાલવા લાગ્યા. માર્ગમાં કોઈ ગામ આવતાં ભિક્ષાનો સમય થયો એટલે ગૌતમ ગણધરે તાપસ મુનિઓને પૂછયું કે, તમારા માટે પારણું કરવા માટે શું ઈષ્ટ વસ્તુ લાવું ?” તેમણે કહ્યું કે, પાયસ લાવજો” ગૌતમ સ્વામી પોતાના ઉદરનું પોષણ થાય એટલી ખીર એક પાત્રમાં લાવ્યા. પછી ઈંદ્રભૂતિ યાને ગૌતમ સ્વામી બોલ્યા કે, હે મહર્ષિઓ ! સૌ બેસી જાઓ અને પાયસાનથી સર્વે પારણું કરો." એટલે એટલા પાયસાનથી શું થશે?" એમ સર્વના મનમાં આવ્યું. તથાપિ આપણા ગુરુની આજ્ઞા આપણે માનવી જોઈએ." એવું વિચારી બધા એક સાથે બેસી ગયા. પછી ઈંદ્રભૂતિએ અક્ષણ મહાનસ લબ્ધિ વડે તે સર્વને પેટ ભરીને પારણાં કરાવ્યાં અને તેમને વિસ્મય પમાડીને તેઓ પોતે આહાર કરવા બેઠા. જ્યારે તાપસી ભોજન કરવા બેઠા હતા ત્યારે આપણા પૂરા ભાગ્યયોગથી શ્રી વીર પરમાત્મા જગદ્ગુરુ આપણને ધર્મ ગુરુ તરીકે પ્રાપ્ત થયા છે, તેમ જ પિતા જેવા Page #353 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ D ૩રર આવા મુનિ બોધ કરનાર મળવા તે પણ બહુ જ દુર્લભ છે. માટે આપણે સર્વથા પુણ્યવાન છીએ." આ પ્રમાણે ભાવના શુષ્ક સેવાળ ભલી પાંચસો તાપસોને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દર વગેરે બીજા પાંચસો તાપસોને દૂરથી પ્રભુના પ્રાતિહાર્ય જોતાં ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેમ જ કૌડીય વગરે બાકીના પાંચસો તાપસોને ભગવંતનાં દર્શન દૂરથી થતાં કેવળજ્ઞાન થયું. પછી તેઓએ શ્રી વીર પ્રભુની પ્રદક્ષિણા કરી કેવળીની સભા તરફ ચાલ્યા, એટલે ગૌતમ સ્વામી બોલ્યા કે, આ વીર પ્રભુને વંદના કરો. પ્રભુ બોલ્યા કે, “ગૌતમ કેવળીની આશાતના કરો નહીં" ગૌતમે તરત જ મિથ્યા દુષ્કૃત આપી તેઓને ખમાવ્યા. તે વખતે ગૌતમે ફરીથી ચિંતવ્યું કે, જરૂર હું આ ભવમાં સિદ્ધિને પામીશ નહીં. કારણ કે હું ગુરુકર્મી છું. આ મહાત્માઓને ધન્ય છે કે જેઓ મારા દીક્ષિત છતાં જેમણે ક્ષણમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આવી ચિંતા કરતા ગૌતમ પ્રતિ શ્રી વીર પ્રભુ બોલ્યા કે, હે ગૌતમ ! તીર્થંકરોનું વચન સત્ય કે બીજાઓનું ?" ગૌતમે કહ્યું કે, “તીર્થકરોનું ત્યારે પ્રભુ બોલ્યા. હવે અવિર્ય રાખશો નહીં. ગુરૂનો સ્નેહ શિયોની ઉપર દ્વિદળની ઉપરના ફોતરા જેવો હોય છે. તે તત્કાળ દૂર થઈ જાય છે અને ગુરુ ઉપર શિવનો હોય તેમ તમારો સ્નેહ ઉનની કડાહ જેવો ત્ર છે. ચિરકાળના સંસર્ગથી અમારી ઉપર તમારો સ્નેહ બહુ ઢ થયેલો છે, તેથી તમારું કેવળજ્ઞાન રંધાયું છે. તે સ્નેહનો જ્યારે અભાવ થશે ત્યારે કેવળજ્ઞાન ચોક્કસ પામશો.” આમ પ્રભુ પાસે દીક્ષા લીધા બાદ ત્રીશ વર્ષે એક દિવસે પ્રભુએ પોતાનો મોક્ષ એ રાત્રે જાણી વિચાર્યું કે, 'અહો ! ગૌતમને મારા ઉપર અત્યંત સ્નેહ છે અને તે જ તેમને કેવળજ્ઞાન મેળવવામાં અંતરાય કરે છે, તેથી તે સ્નેહને મારે છેદી નાખવો જોઈએ એટલે તેમણે ગૌતમ સ્વામીને પાસે બોલાવી કહ્યું : “ગૌતમ ! અહીંથી નજીકના બીજા ગામમાં દેવશર્મા નામે બાઢાણ છે, તે તમારાથી પ્રતિબોધ પામશે, માટે તમે ત્યાં જાઓ તે સાંભળી જેવી આપની આજ્ઞાં" એમ કહી ગૌતમસ્વામી પ્રભુને નમીને તરત જ ત્યાં ગયા અને પ્રભુનું વચન સત્ય કર્યું, અર્થાત્ દેવશર્માને પ્રતિબોધ પમાડ્યો. અહીં કાર્તિક માસની અમાવાસ્યાની (આપણા દેશના રિવાજ પ્રમાણે આસો વદિ અમાવાસ્યાએ) પાછલી રાત્રે ચંદ્ર સ્વાતિ નક્ષત્રમાં આવતાં છઠ્ઠનું તપ કરેલું છે એવા શ્રી વીરપ્રભુએ છેલ્લું પ્રધાન નામે અધ્યયન કહેવા માંડ્યું. તે સમયે આસન કંપથી પ્રભુનો મોક્ષ સમય જાણી સુર અને અસુરના દ્રો પરિવાર સહિત ત્યાં આવ્યા. પછી શદ્દે પ્રભુને અંજલિ જોડીને સંભ્રમ સાથે આ પ્રમાણે કહ્યું, “નાથ ! તમારા ગર્ભ, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન હસ્નોત્તરી Page #354 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૨૩ નક્ષત્ર થયા છે, આ વખતે સ્વાતિ નક્ષત્રમાં મોહ્ન થશે પરંતુ આપની જન્મ રાશિ ઉપર ભસ્મ ગ્રહ સંવંત થવાનો છે, જે તમારાં સંતાનોને (સાધુ-સાધ્વી) બે હજાર વર્ષ સુધી બાધા ઉત્પન્ન કરશે માટે તે ભસ્મક ગ્રહ આપના જન્મ નક્ષેત્રે સંક્રમે ત્યાં સુધી આપ રાહ જુઓ, માટે પ્રસન્ન થઈને ક્ષણ વાર આયુષ્ય વધુ ટકાવો કે જેથી તે દુગ્રહનો ઉપશમ થઈ જાય. પ્રભુ બોલ્યા, હે શદ્ર ! આયુષને વધારવાને કોઈ પણ સમર્થ નથી” એમ કહી સમુચ્છિન્ન યિ ચોથા શુક્લ ધાનને ધારણ કર્યું અને યથા સમય જુ ગતિ વડે ઊર્ધ્વગમન કરી મોક્ષને પ્રાપ્ત થયા" શ્રી ગૌતમ ગણધર દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબોધ પમાડીને પાછા ફર્યા એટલે માર્ગમાં દેવતાઓની વાર્તાથી પ્રભુના નિર્વાણના ખબર સાંભળ્યા અને એકદમ ધ્રાસકો પડ્યો અને પુષ્કળ દુ:ખ થયું. પ્રભુના ગુણ સંભારીને “વીર ! હો વીર!" એમ વલવલાટ સાથે બોલવા લાગ્યા અને હવે હું પ્રશ્ન કોને પૂછીશ. મને કોણ ઉત્તર આપશે. અહો પ્રભુ ! તેં આ શું કર્યું? આવા તમારા નિર્વાણ સમયે મને કેમ દૂર ર્યો ? શું તમને એમ લાગ્યું કે આ મારી પાસે કેવળજ્ઞાનની માગણી કરશે? કે બાળક અણસમજથી માની કેડે પડે તેમ હું શું તેમની કેડે પડવાનો હતો ? પણ પણ હા પ્રભુ ! હવે હું સમજ્યો. અત્યાર સુધી મેં ભ્રાંત થઈ નિરાગી અને નિર્મોહી એવા પ્રભુમાં એ રાગ અને મમતા રાખી. તે રાગ અને દ્વેષ એ તો સંસાર ભ્રમણના હેતુ છે. તેનો ત્યાગ કરવા માટે જ એ પરમેષ્ઠીએ મારો ત્યાગ કર્યો હશે. માટે એવા મમતારહિત પ્રભુમાં મમતા રાખવાની મેં ભૂલ કરી, કેમ કે મુનિઓને તો મમતાળુમાં પણ મમત્વ રાખવું યુક્ત નથી." આ પ્રમાણે શુભધ્યાન પરાયણ થતાં ગૌતમ ગણધર ાપક શ્રેણીને પ્રાપ્ત થયા તેથી તત્કાળ ઘાતિ કર્મનો ક્ષય કરી તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. બાર વર્ષ કેવળજ્ઞાન પર્યાય સાથે બાણ વર્ષની ઉમરે રાજગૃહી નગરીએ એક માસનું અનસન કરી બધાં કર્મો ખપતાં તે અક્ષય સુખવાળા મોક્ષપદને પામ્યા. મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ, મંગલ સ્યુલિભદ્રાથા, જિન ધર્મોસ્તુ મંગલં. શિવમસ્તુ સર્વ જગત: પરહિત નિરતા ભવતુ ભૂતગામ ઘષાઃ પ્રથાનું નામ, સર્વન સુખી ભવતુ લોકો. Page #355 -------------------------------------------------------------------------- ________________ · શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પર્વ ૧ થી ૧૦ • ઉપદેશ પ્રાસાદ ભાષાન્તર ભાગ ૧-૨-૪-૫ • પ્રાચીન સાય મહોદધિ ભાગ ૧-૨ • આચાર્ય શ્રી ભદ્રગુપ્ત વિજ્યજીના ગ્રંથો જેવાં કે જીવન અંજલિ થાજો, ભવના ફેરા, શ્રદ્ધાની સરગમ વગેરે ભરતેશ્વર બાહુબલી ભાગ ૨-૩ પંન્યાસ શ્રી ચિદાનંદમુનિ કૃત પંન્યાસજી મ. શ્રી કનકવિજ્યજી ગણીધર કૃત વીતી રાત ને પ્રગટ્યું પ્રભાત. · આધાર ગ્રંથો • Page #356 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ચમકતા હીંગ સંપાદક : વરજીવનદાસ વાડીલાલ શાહ નિરીઢણ : મહારાજશ્રી જયસુંદર વિજયજી 4 જૈનધર્મ સાર અહંતોને નમસ્કાર. સિદ્ધોને નમસ્કાર. આચાર્યોને નમસ્કાર. ઉપાધ્યાયોને નમસ્કાર. લોકવર્તી સર્વ સાધુઓને નમસ્કાર. આ પંચ નમસ્કાર મંત્ર તમામ પાપોનો વિનાશ. કરનાર છે અને તમામ મંગલોમાં પ્રથમ મંગલ છે. અહંત મંગલ છે. સિદ્ધ મંગલ છે. સાધુ મંગલ છે. કેવલિ પ્રણીત ધર્મ મંગલ છે. અહંત લોકોત્તમ છે. સિદ્ધ લોકોત્તમ છે. સાધુ લોકોત્તમ છે. કેવલિ પ્રણીત ધર્મ લોકોત્તમ છે. અહંતોનું શરણ લઉં છું. સિદ્ઘનું શરણ લઉં છું. સાધુઓનું શરણ લઉં છું. કેવલિ પ્રણીત ધર્મનું શરણ લઉં છું. પ્રકાશક : હરજીવનદાસ વાડીલાલ શાહ મશીન ટુલ્સ ટ્રેડર્સ 41, નરશીહ મહારાજા રોડ, બેંગલોર પ૬૦ ૦ર ટે. નં. 239580