SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૬૮ દોહલો થયો. ગોભદ્ર શેઠે તે દોહલો પૂર્ણ કર્યો. સમયપૂર્ણ થતાં ભદ્રાએ પુત્ર રત્નને જન્મ આપ્યો. જોયેલા સ્વપ્નને અનુસાર માતાપિતાએ શુભ દિવસે તેનું શાળિભદ્ર નામ પાડ્યું. તે આઠ વર્ષનો થયો ત્યારે તેને પિતાએ નિશાળે મૂકીને બધી કળાઓ ભણાવી. યૌવન વય પ્રાપ્ત થતાં સમાન વયના મિત્રોની સાથે રમવા લાગ્યો. તેનગરના શ્રેષ્ઠીઓએ પોતપોતાની બત્રીસ કન્યાઓ શાળિભદ્રને આપવાને ગોભદ્ર શેઠને વિજ્ઞપ્તિ કરી. ગોભદ્ર શેઠે હર્ષ પામી તેનો સ્વીકાર ર્યો અને સર્વલક્ષણ સંપૂર્ણ બત્રીશ કન્યાઓ શાળિભદ્રને પરણાવી. પછી વિમાનના જેવા રમણીય પોતાના મંદિરમાં સ્ત્રીઓની સાથે શાળિભદ્ર વિલાસ કરવા લાગ્યો. માતાપિતા તેને ભોગસામગ્રી પૂરી પાડતા હતા. અન્યથા ગોભદ્ર શેઠે શ્રી વીર પ્રભુની પાસે દીક્ષા લીધી અને વિધિપૂર્વક અનશન કરીને તે દેવલોક ગયા. ત્યાંથી અવધિજ્ઞાન વડે પોતાના પુત્ર શાળિભદ્રને જોઈ તેના પુણ્યથી વશ થઈને તે પુત્રવાત્સલ્યમાં તત્પર થયા અને કલ્પવૃક્ષની જેમ તેને અને તેની બત્રીસ સ્ત્રીઓને પ્રતિદિન દિવ્ય વસ્ત્ર અને નેપથ્ય વગેરે પૂરવા લાગ્યા. અહીં પુરુષને લાયક જે જે કાર્ય હોય તે ભદ્રામાતા કરતી હતી અને શાળિભદ્ર તો પૂર્વદાનના પ્રભાવથી કેવળ ભોગોને જ ભોગવતો હતો. એકદા કોઈ પરદેશી વેપારીરત્ન કંબળ લઈને શ્રેણિક રાજા પાસે વેચવા આવ્યા. પણ તેની કિંમત બહુ વિશેષ હોવાથી શ્રેણિક તે ખરીદી નહીં. એટલે તેઓ હતાશામાં ફરતા ફરતા ભદ્રાના બોલાવવાથી શાળિભદ્રને ત્યાં જઈ પહોંચ્યાં. ભદ્રા માતાએ મોં માગ્યું મૂલ્ય આપીને તે સર્વ કાંબળ ખરીદી લીધી. શ્રેણિકની રાણી ચેલણાએ તે જ દિવસે શ્રેણિકને કહ્યું કે, મારે યોગ્ય એક રત્ન કંબળ લાવી આપો. એટલે શ્રેણિક રાજાએ એક રત્ન કંબળ ખરીદવા તે વ્યાપારીને પાછો બોલાવ્યો. વેપારીએ કહ્યું કે રત્ન કંબળો તો બધી જ ભદ્રાએ ખરીદી લીધી છે. તેથી શ્રેણિક રાજાએ એક ચતુર પુરુષને મૂલ્ય આપીને રત્નકંબળ લેવા સારુ ભદ્રાની પાસે મોકલ્યો. તેણે આવી રત્ન કંબળ માગ્યું. એટલે ભદ્રા બોલી કે, શાળિભદ્રની સ્ત્રીઓને પગ લૂછવાને માટે રત્ન કંબળના કકડા કરીને મેં આપી દીધા છે, તેથી જો જીર્ણ રત્ન કંબળોથી કાર્ય થતું હોય તો રાજા શ્રેણિકને પૂછીને આવો અને લઈ જાઓ. ચતુર પુરુષે એ વૃત્તાંત રાજાને કહ્યો. તે સાંભળીને ચેલણા રાણી બોલી કે, જુઓ! તમારામાં ને એ વણિકમાં પિત્તળ અને સુવર્ણના જેટલું અંતર છે. પછી રાજાએ કૌતુકથી તે જ પુરુષને મોકલી શાળિભદ્રને પોતાની પાસે બોલાવ્યો. ત્યારે ભદ્રાએ રાજા પાસે આવી કહ્યું કે, મારો પુત્ર કદી પણ ઘરની બહાર નીકળતો નથી, માટે આપ મારે ઘેર પધારવાની કૃપા કરો. શ્રેણિકે કૌતુક ખાતર તેમ કરવા કબૂલ કર્યું. એટલે ક્ષણ વાર પછી આવવાનું આમંત્રણ આપી ભદ્રા ઘેર ગઈ અને તેટલા વખતમાં સુંદર વસ્ત્રો અને રત્નો વડેરાજમાર્ગની શોભા રાજમહેલથી પોતાના ઘર સુધી અતિ સુંદર કરાવી. વખત થતાં શ્રેણિક રાજા માર્ગની
SR No.032071
Book TitleJain Shasanna Chamakta Hira
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year1993
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy