________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૨૧૭
તે સાંભળીને સ્થૂળભદ્ર બોલ્યા, “જો હું મુનિ થયો છું. મારાથી છેટી રહીને જે વાત કરવી હોય તે કરજે. હું તારે ત્યાં ચોમાસું કરવા આવ્યો છું. મને ઊતરવાનું સ્થાન બતાવ. કોશા તો મનમાં અકળાઈ, પરંતુ મુનિને ચલિત કરવા માટે કામશાસ્ત્રને અનુસારે બનાવેલી ચિત્રશાળા ચાર માસ સુધી સાફ કરીને રહેવા આપી. ત્યાં મુનિ સમાધિ ધારણ કરીને રહ્યા. કોશાએ આપેલો કામદેવને પ્રદીપ્ત કરનાર પરસયુક્ત આહાર કરીને પણ મુનિ સ્થિર મન રાખીને રહ્યા. કોશા સુંદર વસ્ત્રાભૂષણ પહેરીને અનેક પ્રકારના હાવભાવ કરતી મુનિને ક્ષોભ પમાડવા તેમની પાસે આવી તે વખતે મુનિએ કહ્યું કે, “સાડા ત્રણ હાથ દૂર કરીને તારે નૃત્ય વગેરે જે કરવું હોય તે કરવું પછી તે કોશા સાડા ત્રણ હાથ દૂર રહીને કટાક્ષથી મુનિ સામું જોવા લાગી. લજજાનો ત્યાગ કરીને પૂર્વે કરેલી ડાનું સ્મરણ કરાવવા લાગી અને ગાત્રને વાળવાની ચતુરાઈથી ત્રિદંડી વડે સુંદર એવો મધ્ય ભાગ દેખાડતી, તથા વસ્ત્રની ગાંઠ બાંધવાના મિષથી ગંભીર નાભિરૂપી કૂપને પ્રગટ કરતી કોશા તેમની સમક્ષ વિશ્વને મોહ પમાડનારું નાટક કરવા લાગી; તો પણ સ્થૂળભદ્દે આંખ ઊંચી કરીને એની સામે જોયું પણ નહીં અને જરા પણ ક્ષોભ પામ્યા નહીં
પછી તે કોશા પોતાની સખીઓને લઈને આવી. તેમાંથી એક નિપુણ સખી બોલી કે, હે પૂજ્ય ! કઠિનતાનો ત્યાગ કરીને ઉત્તર આપો, કેમ કે મુનિઓનું મન હંમેશાં કરુણાએ કરીને કોમળ હોય છે, ભાગ્યહીન પુરુષો જ પ્રાપ્ત થયેલા ભોગને ગુમાવે છે. માટે હે પાપરહિત મુનિ ! આપના વિયોગથી કશ થયેલી અને આપને જ માટે મરવાને તૈયાર થયેલી તમારી કામાતુર પ્રિયાના મનોરથને સફળ કરો. ફરીથી આ તપસ્યા તો સુખ પ્રાપ્ત થશે, પણ આવી પ્રેમી યુવતી ફરીથી મળશે નહીં. તે સાંભળીને મુનિએ કોશાને કહ્યું કે, "અનંત વાર અનેક ભવમાં કામક્રીડાદિ કરેલ છે, તો પણ હજુ સુધી શું તેની જ ઇચ્છા કરે છે? શું હજુ તને તૃમિ થઈ નથી કે જેથી મારી સન્મુખ આ નૃત્યાદિક પ્રયત્નો કરે છે? જો કદાચ આવું જ નૃત્ય પ્રશસ્ત ભાવ વડે પરમાત્માની સ્તુતિપૂર્વક તેમની પાસે કર્યું હોય તો સર્વ સફળ થાય; પરંતુ તું તો ભોગની ઇચ્છાથી દીનવાણી બોલે છે અને સખીઓને લાવીને ભોગપ્રાપ્તિને માટે પ્રયત્ન કરે છે, પરંતુ તું શા માટે આ જન્મ તથા જીવનને વૃથા ગુમાવે છે ? તે બુદ્ધિશાળી કોશા ! તું સર્વ પ્રયત્ન પોતાના આત્માના હિતને વિષે જ કર."
આ પ્રમાણેનાં સ્થૂળભદ્રમુનિનાં વચનો સાંભળીને કો: એ વિચાર્યું કે, આ મુનિનું જિનેન્દ્રિયપણું મારા જેવી અસંખ્ય ચતુર નારીઓથી પણ જીતી શકાય તેવું