SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૫૪ ખબર પડે છે? તને કંઈ જ્ઞાન થયું છે? તેણીએ કહ્યું કે, હે પૂજ્ય ! જે જેની પાસે રહેતા હોય તે તેના સહવાસથી તેના વિચારને કેમ ન જાણી શકે? (પણ મને કેવળજ્ઞાન થયું છે તેમ જણાવ્યું નહીં. કારણ કે તે જાણીને તો આચાર્ય તેણીની પાસે આહાર પાણી મંગાવે નહીં) એક વખતે વરસાદ વરસતાં આહાર પાણી લઈ આવી તેથી આચાર્યે કહ્યું કે, લ્યાણી ! તું શ્રુતસિદ્ધતના જ્ઞાનથી આહાર-પાણી લાવવાના આચારને જાણવા છતાં વરસાદ વરસતાં આહાર-પાણી કેમ લાવી ? તેણીએ કહ્યું કે, જ્યાં જ્યાં અપકાય અચિત વર્ષ છે તે તે પ્રદેશમાં રહીને આહાર લાવી છું, માટે આ આહાર અશુદ્ધ નથી. ગુરુએ પૂછ્યું કે, તેં અચિત પ્રદેશ કેમ જાણ્યો? તેણીએ કહ્યું કે, જ્ઞાનથી આચાર્યે પૂછ્યું કે, ક્યા જ્ઞાનથી; પ્રતિપાતી ? (આવ્યા પછી જતું રહે) કે અપ્રતિપાતી? (આવ્યા પછી જાય નહીં) તેણીએ ઉત્તર વાળ્યો કે, આપના પસાયથી અપ્રતિપાતી (કેવળ) જ્ઞાન વડે જાયું. આચાર્ય મહારાજે, “અહો ! મેં કેવળીની આશાતના કરી" એમ કહી તેણીને ખમાવી મિચ્છામી દુક્કડં દીધું. પછી પુષ્પચૂલાને પૂછ્યું કે, મને કેવળજ્ઞાન થશે કે કેમ? કેવલીએ કહ્યું, હા, તમને ગંગા નદીની પેલી પાર ઊતરતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. કેટલાક વખત પછી તે આચાર્યને કેટલાક લોકોની સાથે ગંગા નદી ઊતરતાં જે તરફ આચાર્ય બેસે તે તરફની નાવડીનો ભાગ નમવા લાગ્યો. વચમાં બેસવા માંડ્યું એટલે આખી નાવડી ડૂબી જતી દેખી સર્વ લોકોએ તેમને ઉપાડી નદીમાં નાખી દીધા. આચાર્યે પૂર્વભવમાં અપમાન કરેલી પૂર્વભવની સ્ત્રી વંતરી થઈ હતી તે નાવડી ડૂબાડતી હતી. પેલા નદીમાં નંખાયેલા આચાર્ય પાણીમાં પડતાં એક શૂલી ઊભી કરેલી હોવાથી તેના પર પડતાં તે લોહીલુહાણ થઈ ગયા, છતાં પણ હા હા ! આ મારા લોહીથી અપકાય જીવની વિરાધના થાય છે એમ વિચારતાં વિચારતાં તેમને ત્યાં જ કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી અંતગડ કેવળી થઈ મોક્ષે ગયા. કેવળજ્ઞાન પામ્યા પછી થોડા જ વખતમાં મોક્ષે જાય તે અંતગડ કેવળી કહેવાય છે.) તેની પાસે દેવતાઓએ તેમનો કેવળ મહોત્સવ કરવાથી ત્યાં પ્રયાગ એવા નામનું તીર્થ પ્રવૃત્ત થયું. મહેશ્વરી લોકો પોતાનાં અંગ ઉપર કૈલાસ પામવા માટે કે અભીષ્ટ મેળવવા માટે ત્યાં કરવત મુકાવે છે. પુષ્પચૂલા કેવલી પૃથ્વી પર વિચરતાં ઘણા લોકોને બોધ અને લાભ આપી છેવટે સર્વ કર્મ ક્ષય કરી મોક્ષે ગયાં. આ પૂષ્પચૂલાનું ગુણોથી પવિત્ર એવું ચરિત્ર સાંભળીને જે ભવ્યો પોતાના ગુરુના ચરણકમલ સેવવામાં તત્પર રહે છે, તે શાશ્વત સ્થાન પામે છે.
SR No.032071
Book TitleJain Shasanna Chamakta Hira
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year1993
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy