SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૩૧ પંખી લાગે છે કારણ કે પંખીનો આટલો બધો ભાર સંભવે નહીં આમ પરિવાર અને નગરજનો વગેરે કહેતા હતા ત્યારે મુગટ, ફંડળ તથા માળા ધારણ કરેલ કોઈ દેવતા જાણે તેજનો કોઈ રાશિ હોય તેવો પ્રગટ થયો અને બોલ્યો, હે નૃપતિ!. તમો ખરેખર મેરુ પર્વત જેવા છો. સ્વસ્થાનથી જરાયે ચલિત થયા નહીં. ઇશાને પોતાની સભામાં તમારી પ્રશંસા કરી તે મારાથી સહન ન થતાં તમારી પરીક્ષા કરવા આવ્યા હતા. અમારો આ અપરાધ ક્ષમા કરો. એ પ્રમાણે કહી, રાજાને સાજામાજા કરી તે દેવ સ્વર્ગમાં ગયા. ત્યાર બાદ મેઘરથ રાજાએ સંયમ લીધો અને વિશસ્થાનકનું વિધિપૂર્વક તપ કરી તીર્થંકર ગોત્ર બાંધી એક લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી તેમના બારમા ભવે અચિરાજીની કુખે અવતરી શ્રી શાંતિનાથ નામે સોળમા તીર્થંકર થયા. છે. દર - :-:-::-* : : : : : અતિ પણે ન તાણીએ, તાણે તૂટી જાય; ય: - તૂટયા પછી જો સાંધીયે, ગાંઠ પડે વચમાંય, | આટલું તો આપજે ભગવંત આટલું તો આપજે ભગવાન ! મને છેલ્લી ઘડી; ના રહે માયા તણાં બંધન, મને છેલ્લી ઘડી. (ટક) આ જિંદગી મોંધી મળી, પણ જીવનમાં જાગ્યો નહિ, અંત સમયે મને રહે, સાચી સમજ છેલ્લી ઘડી. આટલું જ્યારે મરણશયા પરે, મિચાય છેલ્લી આંખડી: તું આપજે ભારે પ્રભુમય મન, મને છેલ્લી ઘડી. આટલું હાથ પગ નિર્બળ બને ને, શ્વાસ છે સંચરે; ઓ દયાળુ ! આપજે દર્શન, મને છેલ્લી ઘડી. આટલુંટ હું જીવનભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં; તું આપજે શાંતિભરી, નિદ્રા અને છેલ્લી ઘડી. આટલું અગણિત અધમોં મેં કર્યા, તન-મન-વચન યોગે કરી: હે સમાસાગર ! સમા, મને આપજે છેલ્લી ઘડી. આટલું અંત સમયે આવી મુજને, ના દમે પટ મનોજ જાગ્રતપણે મનમાં રહે, તારું સ્મરણ છેલ્લી ઘડી. આટલું
SR No.032071
Book TitleJain Shasanna Chamakta Hira
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year1993
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy