________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૩૭
અને પહેરામણી વગેરે કરીને શ્રી સંઘનો સત્કાર કર્યો. માટે તે દંપતીનાં જેવાં બાળ બ્રહ્મચારી અમે તો કોઈ પણ સાંભળ્યાં નથી."
આ પ્રમાણેનું વૃત્તાંત સાંભળીને શિવશંકર આ જિનઘસ અને સૌભાગ્યદેવીની વિશેષ પ્રકારે સેવાભક્તિ કરીને પોતાને ગામ ગયો, અને આવાં શીલવાન દંપતીની ભોજનાદિક ભક્તિનો લાભ મળ્યો તે માટે આ રાહ દેખાડનાર ધર્માસ મુનિને પરમ ઉપકારી ગયા.
હે ભગવાન હું બહું ભૂલી ગયો
હે ભગવાન ! હું બહું ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનોને લક્ષમાં લીધાં નહીં. મેં તમારાં કહેલાં અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારું કહેલાં દયા, શાંતિ, સમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં. હે ભગવાન ! હું ભૂલ્યો, આથડો, રઝળ્યો અને અનંત સંસારની વિટખૂનામાં પડયો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મ રજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલા તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડયો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાજ છું. નિરાગી પરમાત્મા ! હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ છે તે સર્વ પાપથી મુક્ત થઉ એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારાં તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી નિર્વિકારી સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને વૈલોક્ય-પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્ત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવન ! તમને હું વિશેષ શું કરું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું.
* શાંતિ: શાંતિ: શાંતિ: