________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૨૩૧
નામ શ્રીકાંત છે. તે સાંભળીને શ્રેણિક તથા અભયકુમાર આશ્ચર્ય પામ્યા કે, “ચાર આવી રીતે સાચું કહે નહીં,” માટે આ ચોર જણાતો નથી.” પછી તેઓ આગળ ચાલ્યા. પાછા વળતાં પેલો શ્રીકાંત રાજાના ભંડારમાંથી પેટી લઈને જતો હતો. તેને પાછી શ્રેણિક તથા અભયકુમાર મળ્યા. તેણે પૂછ્યું કે, “આ શું લીધું છે ?" શ્રીકાંતે કહ્યું કે, રાજાના ભંડારમાંથી આ રત્નની પેટી લઈને ઘેર જાઉં છું." આવું તેનું વાક્ય સાંભળી તેઓ રાજમહેલમાં ગયા. પ્રાત:કાળે ભંડારીએ ભંડારમાં ચોરી થયેલી જાણી, બીજી પણ કેટલીક વસ્તુઓ આઘીપાછી કરીને પછી પોકાર કરી કોટવાલને તિરસ્કાર સાથે ભંડારમાં ચોરી થયાનું કહ્યું. તે વાતની રાજાને ખબર થઈ એટલે તેણે ભંડારીને બોલાવીને કહ્યું કે, "કોશમાંથી શું શું ગયું છે?” ભંડારીએ કહ્યું કે, "રત્નની દશ પેટીઓ ગઈ છે." પછી રાજાએ મંત્રી સામું જોઈ પેલા શ્રીકાંતને બોલાવ્યો અને પૂછ્યું કે, રાત્રે તેં શું ચોર્યું છે? તે પૂછતાં જ શ્રીકાંતે જાણ્યું કે રાત્રે જે બે જણ મળ્યા હતા તે જ આ છે. તેથી તેણે કહ્યું કે, સ્વામિન્ ! તમે શું ભૂલી ગયા, તમારા દેખતાં જ હું મારી આજીવિક માટે એક પેટી લઈને જતો હતો.” શ્રેણિક રાજાએ કહ્યું કે, “અરે ચોર ! તું મારી પાસે પણ સાચું બોલતાં કેમ ભય પામતો નથી ?" શ્રીકાંત બોલ્યો કે, "મહારાજ ! પ્રાજ્ઞ પુરુષોએ પ્રમાદથી પણ અસત્ય ન બોલવું જોઈએ, કેમ કે અસત્ય બોલવાથી પ્રચંડ પવન વડે વૃક્ષની જેમ કલ્યાણ (સુકૃત)નો ભંગ થઈ જાય છે. વળી તમે ઘેધ પામો તો આ લોકમાં એક ભવના સુખનો નાશ કરો, પણ જો સત્ય વ્રતનો ભંગ કરું તો અનંત ભવમાં મને દુઃખ પ્રાપ્ત થાય." આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળી રાજા શ્રેણિકે તેને શિક્ષા દીધી કે, "જેવું આ બીજું સત્ય વ્રત પાળે છે, તેવી રીતે બીજાં વ્રત પણ પાળ" શ્રીકાંતે તે સ્વીકાર્યું. એટલે રાજાએ જૂના ભંડારીને રજા આપીને તે પદવી ઉપર શ્રીકાંતને રાખ્યો. અનુકમે તે મહાવીર સ્વામીના શાસનનો શ્રાવક થયો.
આ પ્રમાણે શ્રીકાંત ચોરે જિનદાસ શ્રાવકના વાક્યથી ઢતા વડે સત્ય વચનરૂપ બીજું વ્રત લીધું તેવું પાળ્યું તો તેથી આ લોકમાં જ ઇષ્ટફળ પ્રાપ્ત કર્યું તેથી ભવ્ય પ્રાણીઓએ જરૂર સત્યવ્રત ગ્રહણ કરવું.
જો રાગ અને દ્વેષ હોય તો જ અસત્ય બોલાય છે.
સત્ય વચન વખતે તે બંનેનો અભાવ છે.