________________
(૫૬ ) છ દ્રવ્યને વધુ ખુલાસે. છ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલ તે બે દ્રવ્ય પરિણામી છે ને બાકીના ચાર દ્રવ્ય અપરિણામી છે. અહીં પરિણમીને ભાવ જાણે, પણ સ્વભાવે તે છ દ્રવ્ય પરિણામી છે, પરિણામી એટલે મૂળ સ્વરૂપ છોડ્યા સિવાય કાંઈક રૂપાંતર થવું તે.
છ દ્રવ્યમાં એક જીવદ્રવ્ય જીવ છે, બાકીના પાંચે અજીવ છે.
છ દ્રવ્યમાં એક પુદ્ગલ મૂર્તિવંત રૂપી છે, બાકીના પાંચે અરૂપી છે.
છ દ્રવ્યમાં પાંચ દ્રવ્યે સ્વપ્રદેશી છે, અને કાળ અપ્રદેશ છે.
છ દ્રવ્યમાં ધર્મ, અધર્મ અને આકાશ ત્રણે એક છે, બાકીનાં અનેક છે.
છ દ્રવ્યમાં આકાશક્ષેત્ર છે, બાકીનાં પાંચ ક્ષેત્રી છે (સ્થાન ક્ષેત્ર અને વસનાર ક્ષેત્રી).
છ દ્રવ્યમાં જીવ અને પુગલ સક્રીય છે (સારી ખોટી કિયા કરે તે.) ને બાકીનાં ચાર અકિય છે.
છ દ્રવ્યમાં જીવ અને પુદ્ગલ બે અનિત્ય છે ને બાકીના ચાર નિત્ય છે જે કે ઉત્પાદ, વ્યય, ધ્રુવપણે તે છ દ્રવ્ય નિત્યનિત્ય છે, પણ ધર્માદિ ચાર સદા રિથર હોવાથી નિત્ય કહ્યા છે.
છ દ્રવ્યમાં ધર્માદિક પાંચ દ્રવ્ય કારણ છે (કાર્યમાં સહાય કરનાર)ને એક જીવ અકારણ રૂપ છે.
છ દ્રવ્યમાં જીવ તો છે (કાર્ય કરનાર)ને બાકીનાં પાંચ અકર્તા છે.
છ દ્રવ્યમાં આકાશ લેકાલોક વ્યાપી હોવાથી સર્વગત છે, અને બાકીના પાંચ માત્ર લેક વ્યાપી હોવાથી અસર્વગત છે, કેમકે આકાશની જેમ કોઈ પણ દ્રવ્ય અન્ય દ્રવ્યમાં તદરૂપપણે મળી જતું નથી માટે પ્રવેશ રહિત છે.
૧ (બંધ, દેશ, પ્રદેશ, પરમાણું ) શબ્દ, અંધકાર, ઉદ્યોત, કાંતિ, છાયા, ટાઢ, તડકો એ સર્વે મુદ્દગલો છે. જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હેય તે પુદગલાસ્તિકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org