________________
: ૫૮ : ન થતું હોય તે પણ દાતાને વશ થાય છે. રીસાયેલું મનાય છે, અપવાદ બોલનાર પણ સ્તુતિ કરે છે.
૧ દાન કુલક ભાવાર્થ. સમસ્ત રાજ્ય ઋદ્ધિને અનાદર કરીને સંયમ સંબંધી અતિ ઘણે ભાર જેમણે ઉપાડ્યો છે અને ઇંદ્રમહારાજે દીક્ષા સમયે સ્કંધ ઊપર સ્થાપેલું દેવદુષ્ય વસ્ત્ર પણ જેમણે પછાડી લાગેલા વિપ્રને આપી દીધું, તે શ્રી વીરપ્રભુ જયવંતા વર્તો.
ધર્મદાન, અર્થદાન, અને કામ દાન એમ ત્રણ પ્રકારનાં દાન દુનિયામાં પ્રસિદ્ધ છે, તે પણ જિનેશ્વર પ્રભુની આજ્ઞાના રસિક મુનિએ ધાર્મિક દાનને જ પ્રશસે છે.
દાન સુખ સૌભાગ્યકારી છે, પરમ આરોગ્યકારી છે, પુણ્યનું નિધાન છે, એટલે ભાગ ફળકારી છે, ને અનેક ગુણ ગણેનું ઠેકાણું છે.
દાનવડે કીર્તિ વધે છે, દાનથી નિર્મળ કાંતિરૂપ લાવણ્ય સુખ સૌભાગ્ય વધે છે, અને દાનથી વશ થયેલા હૃદયવાળે દુશ્મન પણ દાતારના ઘરે પાછું ભરે છે.
ધનશાર્થવાહના ભવમાં સુસાધુજનેને જે ઘીનું દાન દીધું હતું, તે પુણ્યના પ્રભાવથી ગષભદેવ ભગવાન્ ત્રણ લોકના પિતામહ (નાથ) થયા.
પાછલા ભવમાં કરૂણાવડે પારેવાને અભયદાન આપ્યું અને પુણ્ય કિરીયાણું ખરીદી લીધું, તેથી શાંતિનાથજી તીર્થકર અને ચકવતીની ઋદ્ધિ પામ્યા.
પાંચસે સાધુઓને ભેજન દાન આપવાવડે જેણે બહુ ભારે પુણ્ય પેદા કર્યું છે, એથી અને આશ્ચર્યકારક ચારિત્રથી ભરેલે એ ભરત આ ભરતક્ષેત્રને નાયક-ચકવતી થયે.
ગ્લાન (માંદા) મુનિને વાપરવા યોગ્ય વસ્તુઓ વગર મૂલ્ય આપવાથી રત્નકંબળ અને બાવનાચંદનને વ્યાપારી વાણી વણિક તેજ ભવમાં સિદ્ધિપદ પામે.
તપસ્યાવડે શેષિત દેહવાળા સાધુ મુનિરાજને ક્ષીરનું દાન દેવાથી તત્કાળ સહુ કેઈને ચમત્કાર ઉપજાવે એ ઋદ્ધિપાત્ર શાલિભદ્ર કુમાર થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org