________________
( ૧૮૪ ) તેમ ગુરૂ આશાતનાથી સંસાર વૃદ્ધિ થાય છે, કદાચ મંત્ર ઉપચારથા તે ત્રણથી બચે, પણ ગુરૂ હિલનાથી તો મેક્ષ નજ થાય, દશવૈકાલિક
કોઈક પ્રભાવિક અતિશયના બળે માથાથી પર્વતને તેડે, સુતા સિંહને જગાડે, તરવારની ધારાપર હાથ પછાડે, તે પણ તેવાને ગુરૂ આશતનાથી તે ક્ષે ન જ થાય. દશવૈકાલિક
અપ્રસન્ન ગુરૂના સોધના અભાવે, મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. માટે શાશ્વત સુખના અભિલાષીએ, જેમ ગુરૂ પ્રસન્ન રહે તેમ વર્તવું. દશવૈકાલિક
જેમ વિનયથી સાધુઓ કીર્તિ, શ્રુત, જ્ઞાન, અને પ્રશંસવા લાયક વસ્તુને પામે છે, તેમ મેક્ષ ને પણ મેળવે છે, તો તે વિનયનું બરોબર સેવન કરો, દશવૈકાલિક
અધ્યાત્મ આશ્રી–મેહ વિકલતા રહિત પુરૂષો આત્મ શુદ્ધિને અર્થે જ શુદ્ધ નિર્દોષ ક્રિયા કરે છે, તેજ અધ્યાત્મ છે, એમ વીતરાગ પ્રભુ ઉપદેશે છે. પ્રશમરતિ.
જેમ સર્વ પ્રકારના ચારિત્રમાં સામાયિક સહગત રહે છે, તેમ સર્વ પ્રકારના મેક્ષ માર્ગમાં અધ્યાત્મ સહગતજ રહે છે. પ્રશમરતિ,
ચોથા ગુણ સ્થાનથી માંડીને ચાદમાં ગુણ સ્થાનક સુધી કમે કરીને વધારે વધારે શુદ્ધિવાળી ક્રિયા અધ્યાત્મમય હોય છે. પ્રશમરતિ.
શાંત દાંત વ્રત નિયમમાં સદા સાવધાન અને વિશ્વવત્સલ એ. મોક્ષાથી જીવ જે જે નિર્દભ, નિષ્કપટ, ક્રિયા કરે છે, તે અધ્યાત્મ ગુણની વૃદ્ધિ માટે થાય છે. પ્રશમરતિક
મહારથના બને ચકોની પરે વા પંખીની બને પાંખની પરે શુદ્ધ અવિકારી જ્ઞાન અને શુદ્ધ કિયા એ બને શુદ્ધ અંશે અધ્યાત્મમાં સાથે મળેલા સમજવા, અર્થાત શુદ્ધ જ્ઞાન યુકત શુદ્ધ કિયા ગેજ યથાર્થ અધ્યાત્મ હોઈ શકે. પ્રશમરતિo
ખાન, પાન, ઉપાધિ, માન, મહત્વરિદ્ધિ અને ગૌરવને માટે ભવાભિનંદીજીવજે કિયા કરે છે, તે અધ્યાત્મને લેપ કરનારી થાય છે. પ્રશમરતિ.
શુદ્ર, લોભી, લાલચું, દીન, અદેખે, ભયવાન, શઠ, મૂર્ખ અને નકામા પાપારંભને સેવનાર, ભવાભિનંદી કહેવાય છે પ્રશ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org