________________ 19 રમમાં સ્ત્રીઓ પરત્વે સાર્વજનિક અભિપ્રાય વધારે વિશુદ્ધ હતા. પ્રજાતંત્ર કાળમાં સ્ત્રીઓની પદવી ઘણું માનવંતી હતી. પરંતુ તે કાળના આખર સમયમાં લેકેની રીતભાત ભ્રષ્ટ થઈ ગઈ, અને ઘણાં કારણેને લીધે લેકેને લગ્ન પ્રત્યે અરૂચિ થવા લાગી. પછી સ્ત્રીઓને સ્વતંત્ર કરવાના કાયદા થવા લાગ્યા અને લ શ્કેદની અત્યંત શૂટ થઈ. તેનું પરિણામ બહુ બુરું આવ્યું; અને સ્ત્રીઓ કેવળ ભ્રષ્ટ અને નિર્લજજ બની ગઈ; છતાં સ્ત્રીઓને સદાચાર છેક નષ્ટ થઈ ગયો નહોતો, અને તે કાળમાં પણ સદાચારી સ્ત્રીઓના ઘણા દાખલા છે. સ્ત્રીઓને પરાણે સદાચાર પળાવવા પછી કાયદા રચાવા લાગ્યા. નીતિશાસ્ત્રવેત્તાઓ પણ ઉપદેશ કરવા લાગ્યા કે લગ્ન પરત્વે નૈતિક ઇધન અરસપરસ સ્ત્રી પુરૂષને સરખું છે, અને વેશ્યાવૃત્તિ અધમ છે. વળી નવીન પ્લેટમતાદિની અસરથી લોકમતમાં પાતિવત્યનો મહીમા વધવા લાગે હતે. આ લેકમતમાં ખ્રિસ્તિધર્મ પિતાનું વજન ઉમેર્યું અને તેવા ગુન્હા કરનારને તે ધર્મ ધાર્મિક સજા કરવા લાગ્યો. ઉપરાંત ખ્રિસ્તિ શહેનશાહ કાયદા પણ કરવા લાગ્યા. વળી તપોવૃત્તિ પ્રત્યે લોકોને ભાવ ઉપજતાં નીતિની આ બાબતને ઘણું પ્રેત્સાહન મળ્યું. તેથી અનેક સ્ત્રીઓએ સંતની પદવી પ્રાપ્ત કરી ધર્મ-વીરત્વ તેઓ દાખવવા લાગી. તે સંબંધમાં અનેક કથાઓ પણ પ્રચલિત થઈ. પરંતુ તવૃત્તિએ લગ્ન-સંસ્થાને જબરો કટકે માર્યો, કારણકે તપવૃત્તિને મૂળે લગ્નને જ અણગમે હતે. તેથી પાદરીઓએ કુંવારા રહેવું એ ધર્મમાં મત ઉભો થયો, અને તેના પરિણામમાં પાદરી વર્ગ ભ્રષ્ટ થવા માંડ્યો. સારાંશ કે તપવૃત્તિના સમયમાં સ્ત્રીઓની ગણના બહુ હલકી થતી હતી. દરમ્યાન જંગલીઓએ રોમ સર કર્યું, અને તેમનામાં સ્ત્રીઓની ગણુના બહુ ઉંચા પ્રકારની થતી હતી. પરંતુ તેમના રાજાઓમાં બહુ સ્ત્રી