________________
विनयबहुमानचतुर्भङ्गी। इति ।' अत्र भङ्गक्रमविपर्यासस्त्वकिञ्चित्करः । अत्र प्रथमो भङ्गो बाह्यसेवाकर्तुरान्तरप्रीतिमतः शिष्यस्य भवति, गौतमस्वामिवत् । द्वितीयो भङ्गो गुरुमनोरञ्जनार्थं बाह्यसेवाकर्तुरान्तरभावशून्यस्य मायाविनोऽज्ञानिनो वा शिष्यस्य भवति, विनयरत्नस्येव । तृतीयो भङ्गो बाह्यप्रतिपत्तिं कर्तुमसमर्थस्य हार्दिकभावसम्पन्नस्य गलानस्य शिष्यस्य भवति, रोगग्रस्ततथाविधमुनिवत् । सोऽपि यथाशक्ति विनयन्तु प्रयुक्त एव । चतुर्थो भङ्गो बाह्यभक्त्यान्तरप्रीतिशून्यस्याकिञ्चित्करस्य शिष्यस्य भवति, कूलवालकमुनिवत् । वस्तुतस्तु स शिष्य एव न भवति, किन्तु शिष्याभास एव सः । अत्र प्रथमो भङ्गः शुद्धः । कारणे तृतीयोऽपि भङ्गः शुद्धः । द्वितीयचतुर्थौ तु भङ्गावशुद्धावेव । तत्रापि चतुर्थो भङ्गः सम्पूर्णतयाऽशुद्धः । द्वितीयभङ्गवर्तिसाधुस्तु बहुमानरहितविनयकरणेन स्वल्पं पुण्यमुपार्जयति, परन्तु विशिष्टपुण्यकर्मनिर्जरे तु स नाप्नोति । तृतीयभङ्गवर्तिसाधुर्यद्यपि शारीरिकासामर्थ्येन बाह्यविनयं न करोति तथापि विनयकरणस्य तस्य हार्दिकभावस्त्वखण्डित एव । ततः सोऽपि प्रथमभङ्गवर्त्तिसाधुतुल्यमेव फलमवाप्नोति । यतः सर्वत्र भाव एव प्रधानः ।
પણ ન હોય.” અહીં ભાંગાના ક્રમમાં જે ફેરફાર છે તે બહુ મહત્ત્વનો નથી. અહીં પહેલો ભાંગો ગુરુની બાહ્ય સેવા કરનારા અને અંદરમાં ગુરુ પ્રત્યે પ્રેમવાળા શિષ્યને હોય છે. દા.ત. ગૌતમસ્વામી. ગુરુ મહારાજને ખુશ કરવા માટે બાહ્ય સેવા કરનારા પણ અંદરમાં ભાવ વિનાના માયાવી અથવા અજ્ઞાની શિષ્યને બીજો ભાંગો હોય છે. દા.ત. વિનય રત્નસાધુ. બાહ્ય ભક્તિ કરવા માટે અસમર્થ પણ હૃદયના ભાવવાળા માંદગીમાં રહેલા શિષ્યને ત્રીજો ભાંગો હોય છે. દા.ત. રોગથી ઘેરાયેલા તેવા મુનિ. તે પણ પોતાની શક્તિ પ્રમાણે તો વિનય કરે જ. બાહ્ય સેવા અને અંદરના પ્રેમ વિનાના કંઈ ન કરનારા શિષ્યને ચોથો ભાંગો હોય છે. દા.ત. કૂલવાલકમુનિ. હકીકતમાં તે શિષ્ય જ નથી પરંતુ શિષ્યાભાસ જ છે. (એટલે કે બહારથી શિષ્ય જેવો દેખાય છે.) અહીં પહેલો ભાંગો શુદ્ધ છે. કારણસર ત્રીજો ભાંગો પણ શુદ્ધ છે. બીજા અને ચોથો ભાંગો તો અશુદ્ધ જ છે. તેમાં પણ ચોથો ભાંગો સંપૂર્ણ રીતે અશુદ્ધ છે. બીજા ભાંગાવાળો સાધુ બહુમાનરહિતવિનય કરવા વડે થોડું પુણ્ય બાંધે છે, પરંતુ તે વિશિષ્ટ પુણ્યબંધ અને કર્મનિર્જરા નથી કરી શકતો. ત્રીજા ભાંગાવાળો સાધુ જો કે શારીરિક અસ્વસ્થતાના કારણે બાહ્ય વિનય નથી કરી શકતો છતા પણ વિનય કરવાનો તેનો હાર્દિકભાવ તો અખંડ જ છે. તેથી તે પણ પહેલા ભાંગાવાળા સાધુ જેટલું જ ફળ પામે છે. કેમકે બધે ભાવ જ પ્રધાન છે.