________________
३५४
गुरुभक्तिभावप्रादुर्भावाऽभावे शिष्याऽयोग्यतैव हेतुः । तात्त्विकमोक्षमार्गज्ञापनार्थं रचितः । ग्रन्थका हार्दिकभावेनैतत्कुलकं रचितम् । अत एतत्कुलकं न केवलं शिष्याणां श्रोत्राण्येव मोदयिष्यति, परन्तु तेषां हृदयमप्यानन्दयिष्यति । न केवलं तद्धृदयानन्दं करिष्यति, परन्तु तद्धृदये गुरुभक्तिं प्रादुर्भाव्य तेषां सिद्धिमासन्नभाविनी करिष्यति । एवमेतत्कुलकं शिष्यहृदये निर्मलगुरुभक्तिभावप्रादुर्भावं न व्यभिचरति । येनैतत्कुलकं श्रुतं तस्य जीवनमवश्यं निर्मलगुरुभक्तिभावभावितं भवति । __यदि शिष्योऽतीवाऽयोग्यः स्यात्तखें वैतत्कुलक श्रवणानन्तरं तद्धृदये निर्मलगुरुभक्तिभावप्रादुर्भावो न भवति । परन्तु तत्र तस्य शिष्यस्याऽयोग्यत्वमेव कारणभूतं ज्ञेयम्, न त्वेतत्कुलकस्य कोऽपि दोषो मन्तव्यः । सूर्यः स्वभावेनैव जगत् प्रकाशयति । सर्वे प्राणिनो भास्वत्प्रकाशे पश्यन्ति, केवलं घूक एव न पश्यति । तत्र भानोर्न कोऽपि दोषोऽस्ति । स तूद्योतशील एवाऽस्ति । घूकस्याऽयोग्यतैव तत्र दोषरूपा ज्ञेया । सैव घूकाय दिवा द्रष्टुं न ददाति । एवं सूर्यकल्पमेतत्प्रकरणं स्वभावेनैव शिष्यहृदये गुरुभक्ति प्रादुर्भावयति । एतत्कुलकश्रवणानन्तरं सर्वशिष्याणां हृदये गुरुभक्तिः प्रादुर्भवति । यदि कस्यचिच्छिष्यस्य हृदये एतत्कुलकश्रवणानन्तरमपि गुरुभक्तिर्न प्रादुर्भवति तस्य कुलकस्य न कोऽपि दोषोऽस्ति । दोषस्तु तच्छिष्याऽयोग्यताया एव ज्ञेय या तद्धृदये गुरुभक्तिप्रादुर्भावं
અને નવા શિષ્યોને સાચો મોક્ષ માર્ગ બતાવવા રચ્યો છે. ગ્રંથકારે હૃદયના ભાવથી આ કુલક રચ્યું છે. માટે આ કુલક માત્ર શિષ્યોના કાનોને જ ખુશ નહીં કરે પણ તેમના હૃદયને પણ આનંદિત કરશે. માત્ર તેમના હૃદયને આનંદિત નહીં કરે પણ તેમના હૃદયમાં ગુરુભક્તિને પ્રગટાવીને તેમનો મોક્ષ નજીક બનાવશે. આમ આ કુલક શિષ્યના હૃદયમાં નિર્મળ ગુરુભક્તિભાવને અવશ્ય પ્રગટ કરે છે. જેણે આ કુલક સાંભળ્યું તેનું જીવન અવશ્ય નિર્મળ ગુરુભક્તિભાવથી ભાવિત બને છે.
જો શિષ્ય ખૂબ જ અયોગ્ય હોય તો જ આ કુલક સાંભળ્યા પછી તેના હૃદયમાં નિર્મળગુરુભક્તિભાવ થતો નથી. પણ તેમાં શિષ્યનું અયોગ્યપણું જ કારણરૂપ જાણવું, આ કુલકનો કોઈપણ દોષ ન માનવો. સૂર્ય સ્વભાવથી જ વિશ્વને પ્રકાશ આપે છે. બધા પ્રાણીઓ સૂર્યના પ્રકાશમાં જુવે છે, માત્ર ઘુવડને જ તેમાં નથી દેખાતું. તેમાં સૂર્યનો કોઈપણ દોષ નથી. તેનો સ્વભાવ તો પ્રકાશ આપવાનો જ છે. ઘુવડની અયોગ્યતા જ ત્યાં કારણરૂપ જાણવી. તે જ ઘૂવડને દિવસે જોવા નથી દેતી. એમ સૂર્ય જેવું આ કુલક સ્વભાવથી જ શિષ્યના હૃદયમાં ગુરુભક્તિને પ્રગટાવે છે. આ કુલક સાંભળ્યા પછી બધા શિષ્યોના હૃદયમાં ગુરુભક્તિ પ્રગટે છે. જો કોઈ શિષ્યના હૃદયમાં આ કુલક સાંભળ્યા પછી પણ ગુરુભક્તિ નથી પ્રગટતી તો આ કુલકનો કોઈપણ દોષ નથી, દોષ તો તે શિષ્યની અયોગ્યતાનો જ જાણવો, જે તેના હૃદયમાં ગુરુભક્તિને પ્રગટતા અટકાવે છે. આ જ વાતને ગ્રંથકારે