________________
देवपूजा।
१०३ स्वगुरुर्गुणसम्पन्नो मन्तव्यः। सर्वैः शिष्यैः स्वगुरुः श्रीगौतमस्वामितुल्यो मन्तव्यः । गुरुं सर्वगुणसम्पन्नं श्रीगौतमस्वामितुल्यं च मत्वा शिष्येण तद्भक्तावप्रमत्तेन भाव्यम् । __ अन्यच्च देवं सर्वेऽपि सर्वगुणयुक्तं मन्यन्ते । तस्मिन्दोषलेशस्य शङ्काऽपि कस्यचिन्न जायते । सर्वेऽतिप्रयत्नेन तद्भक्तिं कर्वन्ति तदाशातनाञ्च वर्जयन्ति । कदाचिदनाभोगेन तदविनये जातेऽपि तीव्रतरं पश्चात्तापं कुर्वन्ति, मिथ्यादुष्कृतं ददति, यथोचितं प्रायश्चित्तं गृह्णन्ति सम्पादयन्ति च । देवभक्तिरुत्तमोत्तमद्रव्यैः क्रियते, अल्पमूल्यानि हीनानि च द्रव्याणि न तद्भक्तौ प्रयुज्यन्ते । देवस्याऽग्रे स्तुतिस्तवनादिकं भावपूर्वकं गीयते । देवविषयकोऽवर्णवादः स्वयं तु नैव क्रियते, यदि कश्चिदपरः करोति तर्हि सोऽपि प्रयत्नपूर्वकं निवार्यते । यदि स न विरमति तहि स्वजीवनमपि पणीकृत्य स निवार्यते । तत एव स्वस्थीभूयते । देवसम्बन्धि सर्वं कार्यं स्वयमेव क्रियते, नान्यस्य कस्यचित्सन्दिश्यते। तथाकरणानन्तरमपि स्वमुपकृतं मन्यते, न तूपकारिणम् । देवसेवाप्राप्त्यर्थं सर्वेऽहमहमिकया धावन्ति । देवसेवार्थं प्रभूतो द्रव्यव्ययः क्रियते ।।
देवसम्बन्धिन एते सर्वे विशेषा गुरुविषयेऽपि समानरीत्या प्रयोक्तव्या । तदैव गुरोर्देवतातुल्या पूजा भवति। इयं तु तदैव कर्तुं शक्यते यदा गुरुः साक्षात्परमात्मैव બધા શિષ્યોએ પોતાના ગુરુને ગૌતમસ્વામીતુલ્ય માનવા. ગુરુને બધા ગુણોથી યુક્ત અને ગૌતમસ્વામી તુલ્ય માની તેમની ભક્તિમાં અપ્રમત્ત થવું.
બીજુ, ભગવાનને બધા સર્વગુણસંપન્ન માને છે. તેમનામાં થોડા પણ દોષની શંકા પણ કોઈને થતી નથી. બધા પ્રયત્નપૂર્વક તેમની ભક્તિ કરે છે અને આશાતના વર્જે છે.
ક્યારેક ભૂલથી તેમનો અવિનય થઈ જાય તો પણ ખૂબ પશ્ચાત્તાપ કરે છે, મિચ્છામિ દુક્કડું આપે છે, ઉચિત પ્રાયશ્ચિત્ત લે છે અને તેને કરે છે. ભગવાનની ભક્તિ ઉત્તમોત્તમ દ્રવ્યથી કરાય છે, હલકા દ્રવ્યો તેમની ભક્તિમાં વપરાતા નથી. ભગવાન સામે ભાવપૂર્વક સ્તતિસ્તવન ગવાય છે. ભગવાનની નિંદા પોતે નથી જ કરતા. પણ બીજા કરતા હોય તો તેને પણ અટકાવે છે. જો તે ન અટકે તો પોતાના જીવનને જોખમમાં મૂકીને પણ તેને અટકાવે છે. પછી જ સ્વસ્થ થાય છે. ભગવાનની બધી સેવા પોતે જ કરે છે, બીજાને નથી સોંપતા. તેમ કર્યા પછી પણ પોતાની ઉપર ઉપકાર થયો એમ માને છે, પોતાને ઉપકારી ન માને. ભગવાનની સેવા પામવા બધા “વહેલો તે પહેલો” ના ધોરણે દોડે છે. ભગવાનની સેવા માટે ઘણું ધન ખર્ચે છે.
ભગવાનસંબંધી આ બધા વિશેષો ગુરુ વિષે પણ સમાન રીતે કરવા. તો જ ગુરુની ભગવાન તુલ્ય પૂજા થાય. આ ત્યારે જ કરી શકાય જયારે ગુરુ સાક્ષાત્ પરમાત્મા લાગે.