________________
२८०
गुरुबहुमानभावरिक्थं प्रयत्नेन रक्षणीयम् । यत् शिष्याः समस्वभावा न सन्ति । अयं नियमः सर्वैः शिष्यैः स्वमनसि धारणीयः पुनः પુનઃ સ્મરણીયa |
एवं कृते सति गुरौ खेदो न भवति । गुरावित्यत्र विषयसप्तमी ज्ञेया, न त्वधिकरणसप्तमी। यतो खेदो मनसि भवति, गुरुं प्रति च भवति । ततो खेदस्याऽधिकरणं मनो भवति विषयश्च गुरुर्भवति । ततोऽयमर्थो भवति- मनसि गुरुविषयको खेदो न कार्यः । शिष्यो गुरुप्रवृत्तिमन्यथाकर्तुं न शक्नोति । परन्तु स स्वमनोऽन्यथाकर्तुं शक्नोति । यदि गुरुः कस्मैचित् शिष्याय विशेषसन्मानादि ददाति तर्हि शिष्यस्तथाकरणाद्गुरुं निवारयितुं न शक्नोति परन्तु स्वमनोऽशुभविचारेभ्यो निवारयितुं शक्नोति ।
शुभभावाः शिष्यस्य रिक्थम् । बाह्यक्रियाकलापेनाऽपि शुभभावा एवाऽर्जनीयाः । शुभभावाऽनिर्वर्त्तको बाह्यक्रियाकलापः कायक्लेशरूप एव भवति । अतो बाह्यविषमतायां सत्यामपि शिष्येण समतया स्वमनोगतशुभभावा रक्षणीया वर्धनीयाश्च । गुरुबहुमानोऽप्युत्कृष्टशुभभाव एव । अतः स प्रयत्नेन रक्षणीयः । ततो गुरुदत्तसन्मानादिविशेषे सत्यपि स्वमनोगतगुरुबहुमानभावो न मलिनीकर्त्तव्यः । गुरुय॑स्मै शिष्याय विशेषसन्मानादि ददाति
તેમના સ્વભાવ જુદા હોય એ સ્વાભાવિક છે. માટે અહીં આવો નિયમ છે કે શિષ્યોના સ્વભાવ સરખા ન હોય. બધા શિષ્યોએ આ નિયમ મનમાં ધારવો અને વારંવાર યાદ કરવો.
એમ કરવાથી ગુરુ ઉપર ખેદ નહીં થાય. અહીં “ગુરુ” શબ્દને સાતમી વિભક્તિ લગાડી છે તેનો અર્થ વિષય કરવો, અધિકરણ નહીં, કેમકે ખેદ મનમાં થાય છે અને ગુરુ પ્રત્યે થાય છે. માટે ખેદનું અધિકરણ મન છે અને વિષય ગુરુ છે. તેથી અર્થ આવો થયો - મનમાં ગુરુ પ્રત્યે ખેદ ન કરવો. શિષ્ય ગુરુની પ્રવૃત્તિને બદલી નથી શકતો. પણ તે પોતાનું મન બદલી શકે છે. જો ગુરુ કોઈ શિષ્યને વધુ સન્માનાદિ આપે તો શિષ્ય ગુરુને તેમ કરતા અટકાવી નથી શકતો, પણ પોતાના મનને અશુભ વિચારોથી અટકાવી શકે છે.
શુભભાવ એ શિષ્યની મૂડી છે. બાહ્ય ક્રિયાઓ પણ શુભ ભાવ માટે જ કરવાની હોય છે. માટે બહારની વિષમતા હોવા છતાં પણ શિષ્ય સમતાથી પોતાના મનના શુભ ભાવોનું રક્ષણ કરવું અને તે વધારવા. ગુરુબહુમાન એ પણ ઉત્કૃષ્ટ શુભભાવ જ છે. માટે તેનું પ્રયત્નપૂર્વક રક્ષણ કરવું. માટે ગુરુએ આપેલ સન્માનાદિ ઓછા-વધુ હોય તો પણ પોતાના મનમાં રહેલો ગુરુબહુમાનભાવ મલિન ન કરવો. ગુરુ જે શિષ્યને વધુ