________________
रत्नपरीक्षकदृष्टान्ताऽज्ञः शिष्यो भवे बम्भ्रमीति ।
३०५
सामग्रीप्रापकं पुण्यं बद्धव्यम् । तत्कृते च शुभभावपूर्वकं धर्मसाधनाऽवश्यं कर्त्तव्या । तदैव स परलोकमसाधयदिति कथ्यते । यदीहभवे स धर्मसाधनां न करोति तर्हि तस् पुण्यबन्धो न भवति । ततश्च परभवेऽनुकूलसामग्रीं न प्राप्नोति । ततश्च दुःखी भवति । तदा तेन परलोको नाऽसाध्यतेत्युच्यते । यः परलोकं साधयति सोऽचिरान्मुक्ति प्राप्नोति । यः परलोकं न साधयति सोऽस्यां घोरायां भवाटव्यां दीर्घकालं भ्रमति ।
ये शिष्या द्वाविंशतितमश्लोकोक्तज्ञातं न जानन्ति ते गुरुमनोगतभावज्ञानरहिताः सन्ति । ततश्च ते केवलं बाह्यव्यवहारमेव पश्यन्ति । ततो मनसि ते गुरुविषयकान्कुविकल्पाँश्चिन्तयन्ति, गुरुदोषाँश्चिन्तयन्ति, गुरुं रक्तं द्विष्टं मूढं पक्षपातिनमसमर्थं शिथिलञ्च मन्यन्ते । ततो स्वमनोगतगुरुबहुमानभावं हापयन्ति । ततस्तेषां प्रकृष्टाऽप्यन्या साधनैकसङ्ख्यारहितशतशून्यतुल्या भवति । ततो विशिष्टपुण्यबन्धमकृत्वैव स परभवं प्रयाति । तत्राऽपि विशिष्टपुण्योदयाऽभावेन स धर्मसामग्रीं न प्राप्नोति । ततश्च स पापबन्धमेव करोति । तदुदये पुनरपि पापमेव बध्नाति । सर्वभवेषु पापोदयेन स दुःखी भवति । एवं चक्रव्यूहतुल्यभवकानने स चिरं भ्रमति । एवं स दीर्घकालमतिवाहयति । सर्वोऽपि स कालस्तस्य मोघीभवति ।
પુણ્ય બાંધવું જોઈએ. તેની માટે શુભભાવપૂર્વક ધર્મસાધના અવશ્ય કરવી જોઈએ. તો જ તેણે પરલોક સાધ્યો એમ કહેવાય. જો આ ભવમાં તે ધર્મની આરાધના ન કરે તો પુણ્ય ન બંધાય. તેથી તેને પરભવમાં અનુકૂળ સામગ્રી ન મળે. તેથી તે દુઃખી થાય. ત્યારે તેણે પરલોક સાધ્યો એમ ન કહેવાય. જે પરલોકને સાધે છે તે ટુંક સમયમાં મુક્તિ પામે છે. જે પરલોકને નથી સાધતો તે આ ભયંકર ભવઅટવીમાં લાંબો સમય ભમે છે.
જે શિષ્યો ૨૨મા શ્લોકમાં કહેલ દૃષ્ટાંત નથી જાણતા તેઓ ગુરુના મનના ભાવ જાણી નથી શકતા. તેથી તેઓ માત્ર બહારના વ્યવહારને જ જુવે છે. તેથી મનમાં ગુરુ સંબંધી કુવિકલ્પો વિચારે છે, ગુરુના દોષો વિચારે છે, ગુરુને રાગી-મૂઢ-પક્ષપાત કરનારઅસમર્થ અને શિથિલ માને છે. તેથી પોતાના મનમાં રહેલ ગુરુબહુમાનભાવને ઘટાડે છે. તેથી તેમની ઊંચી બીજી સાધનાઓ એકડા વિનાના સો મીંડા જેવી બને છે. તેથી વિશિષ્ટ પુણ્યબંધ કર્યા વિના જ તે પરભવમાં જાય છે. ત્યાં પણ વિશિષ્ટ પુણ્યોદય ન હોવાથી ધર્મસામગ્રી મળતી નથી. તેથી તે પાપ જ બાંધે છે. તેના ઉદયે ફરી પાપ જ બાંધે છે. બધા ભવોમાં પાપના ઉદયથી તે દુ:ખી થાય છે. આમ ચક્રવ્યૂહ જેવા સંસારજંગલમાં તે લાંબો કાળ ભમે છે. આમ તે લાંબો કાળ પસાર કરે છે. તેનો તે બધો સમય નિષ્ફળ જાય છે.