________________
३४४
गराधनैव तात्त्विकममृतम् । मरणनिवारकः। अमृतं तु काल्पनिकमेवास्ति । ___ तात्त्विकममृतं तु तदेव कथ्यते येन कदापि मरणं न भवेत् । आत्यन्तिको मरणाभावो मोक्षे एवाऽस्ति । संसारे तु सर्वत्र मरणमनिवार्यम् । अस्मिन्जगति जातः स कोऽपि जीवो नास्ति यो न म्रियते । यदि गुर्वाराधना क्रियते तर्हि कर्माणि निर्जरन्ति । गुर्वाराधनयाऽधिकाधिकाराधनाऽनुकूलसंयोगाः प्राप्यन्ते । ततश्चाऽधिकाधिकाऽऽराधनयाऽधिकाधिकनिर्जरा भवति । एवं परम्परया सर्वकर्मनिर्जरा भवति । ततश्च मोक्षो भवति । तत्र च मरणस्य सर्वथाऽभावो भवति । एवं गुर्वाराधना मरणस्य सर्वथाऽभावं करोति । ततः सैवाऽमृतमस्ति । अन्यत्किमप्यमृतं नास्ति, मरणाभावाऽकारित्वात् । पूर्वश्लोके ग्रन्थकृता गुराधनाया आनुषङ्गिकं फलं प्रदर्शितम् । अस्मिन्श्लोके पूर्वार्धे तेन तस्या मुख्यं फलं प्रदर्शितम् । केचन नरा अमृतप्राप्त्यर्थं विविधान्देवानुपासन्ते विविधाश्च प्रयोगान्कुर्वन्ति । तेऽप्येतत्श्लोकपूर्वार्धेन ग्रन्थकृतैवं शिक्षिताः - किमर्थं यूयमन्यदेवोपासनां कुरुथ, किमर्थं च नानाप्रयोगान्कुरुथ । एतत्सर्वं कायक्लेशरूपम् । गुर्वाराधना तु निश्चितं
તેનાથી મરણ દૂર નથી થતું. અમૃત તો કાલ્પનિક જ છે.
સાચું અમૃત તો તે જ કહેવાય જેનાથી ક્યારેય મરણ ન આવે. કાયમ માટેનો મરણનો અભાવ મોક્ષમાં જ છે. સંસારમાં બધે મરણ અવશ્ય આવે છે, તે નિવારી શકાતું નથી. આ જગતમાં જન્મેલો એવો કોઈ પણ જીવ નથી જે મરે નહીં. જો ગુરુની આરાધના કરાય તો કર્મોની નિર્જરા થાય. ગુરુની આરાધનાથી વધુ ને વધુ આરાધના કરવાના અનુકૂળ સંયોગો મળે. તેથી વધુ ને વધુ આરાધનાથી વધુ ને વધુ નિર્જરા થાય. આમ પરંપરાએ બધા કર્મોની નિર્જરા થાય. તેથી મોક્ષ થાય. ત્યાં મરણનો સર્વથા અભાવ હોય છે. આમ ગુરુની આરાધના મરણનો સર્વથા અભાવ કરે છે. તેથી તે જ અમૃત છે, બીજું કંઈ અમૃત નથી, કેમકે એનાથી મરણ અટકતું નથી. ગયા શ્લોકમાં ગ્રંથકારે ગુરુની આરાધનાનું આનુષંગિક ફળ બતાવ્યું. આ શ્લોકમાં પૂર્વાર્ધથી તેમણે તેનું મુખ્ય ફળ બતાવ્યું. કેટલાક મનુષ્યો અમૃત પામવા માટે વિવિધ દેવોની ઉપાસના કરે છે અને વિવિધ પ્રયોગો કરે છે. તેમને પણ ગ્રંથકારે આ શ્લોકના પૂર્વાર્ધથી શિખામણ આપી છે – ‘શા માટે તમે બીજા દેવોની ઉપાસના કરો છો અને શા માટે વિવિધ પ્રયોગો કરો છો ? આ બધું કાયક્લેશરૂપ છે. ગુરુની આરાધના અવશ્ય મોક્ષ આપે છે. ત્યાં હંમેશ