________________
गुर्ववर्णवादकशिष्येभ्यो हितशिक्षा ।
३१७
पश्यन्ति, ततश्च पक्षपातं कुर्वन्ति । स्वाभाविकचक्षुर्भ्यां द्रष्टा सर्वं यथास्थितमेव पश्यति । यदि स रक्तकाचात्पश्यति तर्हि सर्वं रक्तमयं पश्यति, यदि स कृष्णकाचात्पश्यति सर्वं कृष्णवर्णं पश्यति । तत्र दृश्यमानवस्तूनां न कोऽपि दोषोऽस्ति दोषस्तु द्रष्टुरेवास्ति । एवमत्राऽपि यदि गुरुर्मध्यस्थो भूत्वा विचारयति तर्हि सर्वं यथास्थितमवगच्छति । परन्तु साम्प्रतकालिना गुरवः पक्षपातग्रस्तहृदयेन सर्वं विचारयन्ति । ततश्च न यथास्थितमवगच्छन्ति । तत: साम्प्रतीना गुरव न सुगुरवः । अतो न सेव्याः । ' एवमादिकमन्यदप्यालजालं कुशिष्या वदेयुः ।
एतेभ्यः शिष्येभ्यो ग्रन्थकारोऽनेन श्लोकेन हितशिक्षां ददाति । 'भोः शिष्या ! एवं मा जल्पत । वर्तमानकालेऽपि मध्यस्था गुरवः सन्ति । ते शास्त्रानुसारेण गीतार्थमत्या सर्वं यथावस्थितं विचारयन्ति । ते दृढसंयमाः सन्ति । लाभालाभौ दृष्ट्वैव शिष्ययोगक्षेमौ कुर्वन्ति । ततो युष्माभिर्दुर्भाषणं न कर्तव्यम् । परन्तु गुरुवर्णवादे एव प्रयतनीयम् ।'
केचन स्वमतिकल्पितोन्मार्गप्ररूपकाः जैनाभासा आधुनिका वदन्ति 'सम्प्रति देवधर्मतत्त्वे स्तः, गुरुतत्त्वं नास्ति । जिनवचनानुसारिसुगुरवः साम्प्रतं न सन्ति । सर्वे लिङ्गमात्रोपजीविनः सन्ति । ते वेषमात्रेण जनान्विप्रतार्य स्वाऽऽजीविकामर्जयन्ति । अतः
તેઓ તટસ્થ હૃદયથી શિષ્યોને જોતા નથી. તેથી પક્ષપાત કરે છે. સ્વાભાવિક આંખોથી જોનારો બધુ બરાબર જુવે છે. જો તે લાલ કાંચમાંથી જુવે તો તેને બધું લાલ દેખાય. જો તે કાળા કાંચમાંથી જુવે તો તેને બધું કાળું દેખાય. તેમાં દેખાતી વસ્તુઓનો કોઈ દોષ નથી. દોષ તો જોનારાનો જ છે. એમ અહીં પણ જો ગુરુ મધ્યસ્થ થઈને વિચારે તો બધું બરાબર સમજાય. પણ હાલના ગુરુઓ પક્ષપાતવાળા હૃદયથી બધું વિચારે છે. તેથી તેઓ સાચું નથી જાણતા. માટે હાલના ગુરુઓ સુગુરુ નથી. માટે તેમની સેવા ન કરવી જોઈએ.’ આવું બીજું પણ કુશિષ્યો જેમ તેમ બોલે.
આવા શિષ્યોને ગ્રંથકાર આ શ્લોકથી હિતશિક્ષા આપે છે - ‘હે શિષ્યો ! આમ ન બોલશો. હાલમાં પણ મધ્યસ્થ ગુરુઓ છે. તેઓ શાસ્ત્રોને અનુસારે ગીતાર્થ બુદ્ધિથી બધું બરાબર વિચારે છે. તેઓ સંયમમાં દઢ હોય છે. લાભાલાભ જોઈને જ શિષ્યના યોગ-ક્ષેમ
કરે છે. માટે તમારે દુર્ભાષણ ન કરવું. પણ ગુરુના ગુણાનુવાદ કરવામાં જ પ્રયત્ન કરવો.’
પોતાની બુદ્ધિથી વિચારી ઉન્માર્ગની પ્રરૂપણા કરનારા જૈન જેવા દેખાતા કેટલાક આધુનિકો કહે છે કે, ‘હાલ દેવતત્ત્વ અને ધર્મતત્ત્વ છે, ગુરુતત્ત્વ નથી. જિનવચનને અનુસરનારા સુગુરુઓ હાલ નથી. બધા માત્ર વેષધારી છે. માત્ર વેષથી લોકોને ઠગીને પોતાની આજીવિકા