Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 368
________________ ३१४ गुरुसम्बन्धि दुष्टं न जल्पनीयम् । तमश्लोके निगमनं कृतम् । अधुनैतत्श्लोके गुरुविषयककुजल्पननिषेधं करोति । पूर्वं गुरुविषयकशिष्यकर्तृकशुभमनोवाक्कायप्रवृत्तिरूपा त्रिविधा गुरुभक्तिरुक्ता । एवं गुरुविषयकशिष्यकर्तृकाऽशुभमनोवाक्कायनिरोधरूपाऽपि त्रिविधा गुरुभक्तिर्भवति । तद्यथा - ૨) ગુરુવિષયવિરુત્પડિવિન્તને માનસિક્કી ગુરુ: | ૨) ગુરુવિષયऽशुभजल्पननिरोधो वाचिकी गुरुभक्तिः । ३) कायेन गुरोरशुभस्याऽकरणं कायिकी गुरुभक्तिः । आभ्यो वाचिकीगुरुभक्तिरत्र श्लोक उपन्यस्ता । मनसाऽप्यशुभं न चिन्तनीयम् । यतस्तेनाऽपि पापकर्म बध्यते । प्रसन्नचन्द्रराजर्षिणा मनसा संग्रामः कृतः । ततः सप्तमनरकपृथ्वीगमनयोग्यं कर्म बद्धम् । तन्दुलिको मत्स्योऽपि मनःकुविकल्पैः पापकर्म निबध्य सप्तमनरकपृथ्वीं गच्छति । अतोऽशुभचिन्तनप्रवृत्तं मनो निरोद्धव्यम् । मनसा कृतं पापं तु मिथ्यादुष्कृतदानेनैव शुध्यति । वचसा कृतं पापमपि घोरविपाकं भवति प्रायश्चित्ताऽऽचरणेनैव च विशुध्यति । अतो वचसाऽप्यशुभं न जल्पनीयम् । गुरुविषयकाऽशुभजल्पनं तु सर्वथा त्याज्यम् । यतो गुरुः परमोपकार्यस्ति । तस्याऽऽशातना महानर्थकारिणी भवति । કહ્યું. ૨૩મા શ્લોકમાં તેનો ઉપસંહાર કર્યો. હવે આ શ્લોકમાં ગુરુ સંબંધી ખરાબ નહિં બોલવાનો ઉપદેશ આપે છે. પૂર્વે ગુરુ સંબંધી શિષ્યની શુભ મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ ત્રણ પ્રકારની ગુરુભક્તિ કહી. એ જ રીતે ગુરુ સંબંધી શિષ્ય પોતાના અશુભ મન-વચન-કાયાનો નિરોધ કરવારૂપ પણ ત્રણ પ્રકારની ગુરુભક્તિ થાય છે. તે આ રીતે - ૧) ગુરુ સંબંધી ખરાબ વિચારો ન કરવા એ ગુરુની માનસિક ભક્તિ છે. ૨) ગુરુ સંબંધી ખરાબ ન બોલવું એ ગુરુની વાચિક ભક્તિ છે. ૩) કાયાથી ગુરુનું ખરાબ ન કરવું એ ગુરુની કાયિક ભક્તિ છે. આમાંથી આ શ્લોકમાં વાચિકભક્તિની વાત કરી છે. મનથી પણ ખરાબ વિચારવું ન જોઈએ, કેમકે તેનાથી પણ પાપકર્મ બંધાય છે. પ્રસન્નચંદ્રરાજર્ષિએ મનથી યુદ્ધ કર્યું તો સાતમી નરકમાં જવા યોગ્ય કર્મ બાંધ્યું. તંદુલિયો માછલો પણ મનના ખરાબ વિચારોથી પાપકર્મ બાંધીને સાતમી નરકમાં જાય છે. માટે ખરાબ ચિંતનમાં પ્રવર્તેલા મનને અટકાવવું. મનથી કરેલું પાપ તો મિચ્છામિદુર્ડ આપવા માત્રથી જ ધોવાઈ જાય છે. વચનથી કરેલું પાપ પણ ભયંકર ફળ આપે છે. વચનથી કરેલું પાપ પ્રાયશ્ચિત્ત કરવાથી જ શુદ્ધ થાય છે. માટે ખરાબ વચન ન બોલવા. ગુરુ સંબંધી ખરાબ બોલવાનું તો સર્વથા ત્યજવું, કેમકે ગુરુ પરમ ઉપકારી છે. તેમની આશાતના મહા અનર્થન કરનારી છે.

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443