________________
रत्नपरीक्षकदृष्टान्तं जानन् शिष्यः परलोकं साधयति ।
३०३ दण्डान्वयः - एयं जाणमाणा चिय ते सीसा परलोयं साहयंति, अवरे उयरं भरिउं महिवलए कालं वोलिंति ॥२३॥
हेमचन्द्रीया वृत्तिः - एतत् - उपर्युक्तम्, ज्ञातमिति गम्यम्, जानन्तः - अवगच्छन्तः, एव अवधारणार्थे, उपर्युक्तदृष्टान्तमजानतां शिष्याणां व्यवच्छेदार्थम्, ते - पूर्वोक्ताः, शिष्याः - स्वाध्यायसंयमरताः, परलोकं - परः - आगामी, स चासौ लोकः - भवश्चेति परलोकः, तमिति परलोकम्, साधयन्ति - परभवे सद्गतिं परम्परया सिद्धिञ्च निश्चिन्वन्ति, अपरे - उपर्युक्तं दृष्टान्तमजानन्तः, शिष्या इति गम्यम्, उदरं - तुन्दं, भृत्वा - पूरयित्वा, प्रभूतं कालमित्यर्थः, महिवलये - महिः - पृथ्वी, तस्या वलयः - मण्डलमिति महिवलयः, तस्मिन्निति महिवलये, कालं - समयं, अतिक्रामन्ति - गमयन्ति ।
अयं सङ्क्षेपार्थः । अधुना तद्विस्तरः - पूर्वश्लोकोक्तं दृष्टान्तं जानन्तः शिष्या गुरौ परमश्रद्धालवो भवन्ति । त इदं जानन्ति यद्गुरुदत्तसन्मानादिविशेषस्य केनापि रहस्यभूतेन कारणेन भवितव्यम् । गुरुरेवमेव वितथं पक्षपातं न कुर्यात् । एवं ज्ञात्वा ते स्वमनसि न कमपि कुविकल्पं कुर्वन्ति । ते स्वहृदयस्थगुरुबहुमानभावरक्षणवर्धनार्थमेव यतन्ते । ततश्च गुरुबहुमानभावसहितां प्रकृष्टां साधनां कृत्वा विपुलकर्मनिर्जरां कुर्वन्ति प्रभूतञ्च पुण्यानुबन्धिनं पुण्यमर्जयन्ति । ततश्च परभवे तेषां सद्गतिनिश्चिता भवति । तत्राऽपि तेऽधिकतर
શબ્દાર્થ - આ જાણનારા જ તે શિષ્યો પરલોકને સાધે છે. બીજાઓ પેટ ભરીને પૃથ્વી ઉપર કાળ પસાર કરે છે. (૨૩)
હેમચન્દ્રીય વૃત્તિનો ભાવાર્થ - શિષ્યો સ્વાધ્યાયમાં અને સંયમમાં રત હોય. આ રત્નપરીક્ષકના દૃષ્ટાન્તને જાણનારા શિષ્યો જ પરભવમાં સદ્ગતિને અને પરંપરાએ મોક્ષને નક્કી કરે છે. જેઓ આ દૃષ્ટાન્ત નથી જાણતા તેઓ આ પૃથ્વી ઉપર ઘણો કાળ પસાર કરે છે.
આ સંક્ષેપ અર્થ છે, હવે તેનો વિસ્તાર કરીએ છીએ
પૂર્વશ્લોકમાં કહેલ દષ્ટાંતને જાણનારા શિષ્યો ગુરુ ઉપર પરમ શ્રદ્ધાવાળા હોય છે. તેઓ જાણતા હોય છે કે ગુરુએ આપેલા ઓછા-વધુ સન્માનાદિનું કોઈ છૂપું કારણ હોવું જોઈએ. ગુરુ એમ જ કારણ વિના પક્ષપાત ન કરે. આમ વિચારી તેઓ પોતાના મનમાં કોઈ પણ ખરાબ વિચાર નથી કરતા. તેઓ પોતાના હૃદયમાં રહેલા ગુરુબહુમાનભાવની રક્ષા માટે અને તેને વધારવા માટે જ પ્રયત્ન કરે છે. તેથી ગુરુબહુમાનભાવસહિતની પ્રકૃષ્ટ સાધના કરીને પુષ્કળ કર્મનિર્જરા કરે છે અને ઘણું પુણ્યાનુબંધી પુણ્ય ભેગુ કરે છે. તેથી પરભવમાં તેમની સદ્ગતિ નિશ્ચિત થાય છે. ત્યાં પણ તેઓ વધુ સાધનાની સામગ્રી