________________
३००
रत्नपरीक्षकदृष्टान्तोपनयः । विचिन्त्य यदि सर्वेऽपि ग्रामेयकाः सम्मील्य रत्नपरीक्षां कुर्वन्ति तद्यपि ते सर्वे रत्नगतविशेषान्निश्चेतुं न शक्नुवन्ति, सर्वेषामपि रत्नपरीक्षाज्ञानशून्यत्वात् । तैलं तु तिलेभ्य एव निर्गच्छति नैकस्मात्सिकताकणान्नापि प्रभूतसिकताकणेभ्यः । इत्थं समानकान्त्यादिभिः सदृशानां रत्नानां विशेषारत्नपरीक्षका एव जानन्ति, न तु ग्रामेयका इति कथितम् । अयं तु दृष्टान्त उक्तः ।
अधुनोपनय उच्यते । रत्नस्थानीया गुरवो ज्ञेया । बाह्याऽऽकारादिस्थानीया गुरोर्बाह्यस्वभावा ज्ञेयाः । अन्तरङ्गविशेषस्थानीया गुरोराभ्यन्तरस्वभावा अवसेयाः । रत्नपरीक्षकतुल्यो गुरुसमर्पितशिष्यो ज्ञेयः । ग्रामेयकतुल्या अन्ये शिष्या बोध्याः ।
समर्पितशिष्यो नित्यं गुरुसमीपे वसति । ततः स गुरोर्बाह्यान्तरङ्गान्सर्वस्वभावान्जानाति । गुरुदत्तसन्मानादिविशेषस्य कारणमपि सोऽवगच्छति । बाह्यस्वभाववर्त्तनाऽऽचारादिभिः सर्वगुरूणां तुल्यत्वेऽपि स स्वगुरुगतविशेषान्जानाति । ततश्च स स्वगुरुमन्यगुरुभ्योऽधिकं मनुते । तस्य हृदयेऽन्यगुरुबहुमानात्सकाशात्स्वगुरावधिको बहुमानो विद्यते । स न केवलं गुरोर्बाह्यव्यवहारं पश्यति । परन्तु गुरुमनोगतभावमपि जानाति । ततस्तस्य मनसि कदापि
બધા ય ગામડીયા ભેગા થઈને રત્નની પરીક્ષા કરે તો પણ તેઓ બધા રત્નમાં રહેલા વિશેષોને નક્કી ન કરી શકે, કેમકે તેઓ બધાને રત્નની પરીક્ષાનું જ્ઞાન નથી. તેલ તો તલમાંથી જ નીકળે છે, રેતીના કણમાંથી કે કણોમાંથી નહીં. આમ કાંતિ વગેરેથી સમાન એવા રત્નોનો ભેદ રત્નપરીક્ષક જ જાણે છે, ગામડીયા નહીં - એ કહ્યું. આ તો દષ્ટાંત કહ્યું. હવે ઉપનય કહેવાય છે.
રત્ન જેવા ગુરુ સમજવા. બહારના આકાર વગેરે જેવા ગુરુના બહારના સ્વભાવ જાણવા. અંદરના વિશેષ જેવા ગુરુના અંદરના સ્વભાવ જાણવા. રત્નપરીક્ષક સમાન ગુરુને સમર્પિત શિષ્ય સમજવો. ગામડીયા જેવા બીજા શિષ્યો જાણવા.
સમર્પિત શિષ્ય સદા ગુરુની બાજુમાં રહે છે. તેથી તે ગુરુના બહારના અને અંદરના બધા સ્વભાવો જાણે છે. ગુરુએ આપેલા ઓછા-વધુ સન્માનાદિનું કારણ પણ તે જાણે છે. બહારના સ્વભાવ, વર્તન, આચાર વગેરેથી બધા ગુરુ સરખા હોવા છતાં પોતાના ગુરુમાં રહેલા વિશેષો તે જાણે છે. તેથી તે પોતાના ગુરુને બીજા ગુરુઓ કરતા અધિક માને છે. તેના હૃદયમાં બીજા ગુરુના બહુમાન કરતા પોતાના ગુરુ ઉપર વધુ બહુમાન હોય છે. તે માત્ર ગુરુના બાહ્ય વ્યવહારો નથી જોતો, પણ ગુરુના મનના ભાવોને પણ જાણે છે. તેથી તેના મનમાં ક્યારેય ગુરુ પ્રત્યે ખેદ થતો નથી. તેના