________________
गौतमस्वामिनाऽक्षीणमहानसलब्ध्या तापसमुनीनां पारणं कारितम्।
१६३ तपस्विनाम् ॥१८७॥ तृतीयोऽष्टमकृत्प्राप शुष्कसेवालपारणः । तृतीयां मेखलां सार्धं पञ्चशत्या तपस्विनाम् ॥१८८॥ ऊर्ध्वमारोढुमसहास्ते तस्थुर्यावदुन्मुखाः । ददृशुर्गौतमं तावत् स्वर्णाभं पीवराकृतिम् ॥१८९॥ ते मिथः प्रोचिरे शैलं वयमेतं कृशा अपि । न रोढुमीश्महे स्थूल आरोक्ष्यत्येष तत्कथम् ॥१९०॥ एवं तेषु ब्रुवाणेषु गौतमस्तं महाचलम् । समारुरोह जज्ञे चादृश्यः सुर इव क्षणात् ॥१९१॥ तेऽन्योन्यं जगदुः शक्तिर्महर्षेरस्य काऽप्यसौ । यद्यायास्यत्यसौ शिष्यीभविष्यामोऽस्य तद्वयम् ॥१९२॥ निश्चित्यैवं तापसास्ते प्रत्यायान्तं स्वबन्धुवत् । आबद्धरणरणकाः प्रतीक्षन्ते स्म सादरम् ॥१९३॥....एवं देशनया स्वामी गौतमोऽतीत्य तां निशाम् । प्रभाते चोत्तरन् शैलात्तापसैस्तैरदृश्यत ॥२४१॥ तापसास्तं प्रणम्योचुर्महात्मंस्तपसां निधे ! तव शिष्यीभविष्यामस्त्वमस्माकं गुरुर्भव ॥२४२॥ तानूचे गौतमस्वामी गुरुर्मे परमेश्वरः । सर्वज्ञोऽर्हन्महावीरः स एव गुरुरस्तु वः ॥२४३॥ अथ तानाग्रहपरान् दीक्षयामास गौतमः । सद्यो देवतया तेषां यतिलिङ्गं समर्पितम् ॥२४४॥ गौतमेन समं चेलुर्गन्तुं ते स्वामिनोऽन्तिके । सह यूथाधिपतिना विन्ध्याद्रौ कुञ्जरा इव
પહોંચ્યો. અટ્ટમના પારણે અટ્ટમ કરતો, પારણે સુકી સેવાળ વાપરતો ત્રીજો તાપસ પાંચસો તાપસીની સાથે ત્રીજી મેખલા સુધી પહોંચ્યો. ઉપર ચઢવા અસમર્થ એવા તેઓ ઊંચુ મુખ રાખીને ઊભા હતા. એટલામાં તેમણે સોના જેવી આભાવાળા અને હૃષ્ટપુષ્ટ એવા ગૌતમસ્વામીને જોયા. “અમે પાતલા હોવા છતાં આ પર્વત ઉપર ચઢી નથી શકતા તો આ આટલા જાડા શી રીતે પર્વત પર ચઢશે ?' એમ તેઓ કહેતા હતા ત્યાં ગૌતમસ્વામી તે પર્વત ઉપર ચઢી ગયા અને દેવની જેમ એક ક્ષણમાં અદશ્ય થઈ ગયા. તેઓ પરસ્પર કહેવા લાગ્યા - “આ મહર્ષિની કેવી શક્તિ છે ! જો તે પાછા આવશે તો આપણે તેમના શિષ્ય થઈશું.” આમ નક્કી કરીને તે તાપસી પોતાના ભાઈની જેમ પાછા આવતા તેમની અતિઉત્કંઠાપૂર્વક રાહ જોવા લાગ્યા....એમ દેશના આપીને ગૌતમસ્વામીએ તે રાત્રી પસાર કરી. સવારે ઉતરતા તેમને તાપસોએ જોયા. તાપસોએ તેમને પ્રણામ કરીને કહ્યું – “હે તપોનિધિ ! અમે તમારા શિષ્ય બનીશું, તમે અમારા ગુરુ થાવ.' ગૌતમસ્વામી બોલ્યા - “મારા ગુરુ સર્વજ્ઞ પરમેશ્વર શ્રી મહાવીરસ્વામી છે. તે જ તમારા ગુરુ થાવ.” તેમણે આગ્રહ કર્યો એટલે ગૌતમસ્વામીએ તેમને દીક્ષા આપી. દેવતાએ તરત તેમને સાધુવેષ આપ્યો. જેમ વિધ્યપર્વત ઉપર હાથીઓ યુથાધિપતિની સાથે જાય તેમ તેઓ ગૌતમસ્વામી સાથે પ્રભુ પાસે જવા ચાલ્યા. રસ્તામાં ભિક્ષાસમયે