________________
सदा पृच्छकेन भाव्यम् ।
२३९ एवं शिष्यो मुक्तिमार्गानभिज्ञोऽस्ति, गुरुस्तु मार्गज्ञोऽस्ति । यदि शिष्यो गुरुं पृष्ट्वा कार्याणि करोति तर्हि स शीघ्रं मुक्तिं प्रयाति, यदि स गुरुं न पृच्छति तर्हि कदाचिच्चिरेण मुक्तिं प्राप्नोति, कदाचिच्च दीर्घ संसारं भ्रमति । अतोऽध्यात्ममार्गपथिकेन शिष्येणाऽपि सदा पृच्छकेन भाव्यम् । यदि स पृच्छति तर्हि संसारं तरति, यदि न पृच्छति तर्हि संसारे निमज्जति ।
एवमस्मिन्वृत्ते 'शिष्येण सर्वकार्येषु गुरुः प्रष्टव्यः' इति कथनेनेदं सूचितं यत् शिष्यस्य सर्वाः प्रवृत्तयो गुरुणा ज्ञाता एव स्युः । शिष्यो गुरोः प्रच्छन्नं किमपि न कुर्यात् । शिष्यः किं पठति, कुत्रोपविशति, कुत्र गच्छति, कदा गच्छति, केन सह संलपति, कदा प्रत्यागच्छति, किं भुङ्क्ते, कदा स्वपिति, किं तपः करोतीत्यादिकं सर्वं गुरुणा विदितमेव स्युः । यदि शिष्यो गुरोः प्रच्छन्नं किमपि कुर्यात्तर्हि सा माया भवेत् । सा च कटुविपाकेति पूर्वमुक्तमेव । ततोऽयमत्र रहस्यार्थः - शिष्येण गुरोः किमपि न गोपनीयम् । स्वजीवनस्य सूक्ष्माऽपि प्रवृत्तिस्तेन गुरोर्ज्ञापनीया । रोगी वैद्यात्किमपि न गोपायति, स तस्मै सर्वं कथयति, यतः स रोगमुक्तिं काङ्क्षते वैद्यं च रोगमोचकत्वेन श्रद्दधाति । एवं शिष्योऽपि भवरोगमुक्तिमभिलषति, गुरुर्भवरोगमोचकोऽस्ति । ततः शिष्येण
એમ શિષ્ય મુક્તિનો માર્ગ નથી જાણતો. ગુરુ માર્ગના જાણકાર છે. જો શિષ્ય ગુરુને પૂછીને કાર્યો કરે તો તે જલ્દીથી મુક્તિ પામે. જો તે ગુરુને ન પૂછે તો ક્યારેક લાંબા સમયે મોક્ષે પહોંચે અને ક્યારેક દીર્ઘ સંસારમાં ભટકે. માટે અધ્યાત્મમાર્ગના મુસાફર શિષ્ય પણ હંમેશા પૂછતા રહેવું. જો તે પૂછે તો સંસારને તરે, જો ન પૂછે તો સંસારમાં ડૂબે.
આમ આ શ્લોકમાં ‘શિષ્ય બધા કાર્યોમાં ગુરુને પૂછવું” એમ કહેવા વડે એ સૂચવ્યું કે શિષ્યની બધી પ્રવૃત્તિઓ ગુરુ જાણતા જ હોય. શિષ્ય ગુરુથી છૂપી રીતે કંઈ પણ ન કરે. શિષ્ય શું ભણે છે, ક્યાં બેસે છે, ક્યાં જાય છે, ક્યારે જાય છે, કોની સાથે વાત કરે છે, ક્યારે પાછો આવે છે, શું વાપરે છે, ક્યારે સુવે છે, શું તપ કરે છે વગેરે બધું ગુરુ જાણતા જ હોય. જો શિષ્ય ગુરુથી છૂપી રીતે કંઈ પણ કરે તો તે માયા છે. માયાના ફળ કડવા છે તે પૂર્વે કહ્યું છે. તેથી અહીં રહસ્યાર્થ આવો છે – શિષ્ય ગુરુથી કંઈ પણ છૂપાવવું નહી. પોતાના જીવનની નાનામાં નાની પ્રવૃત્તિ પણ તેણે ગુરુને જણાવવી. રોગી વૈદ્યથી કંઈ છુપાવતો નથી. તે તેને બધું કહે છે. કેમકે તેને રોગમાંથી મુક્ત થવું છે અને વૈદ્ય રોગને દૂર કરશે એવી એને શ્રદ્ધા છે. એમ શિષ્ય પણ સંસારરૂપી રોગમાંથી મુક્ત થવા ઇચ્છે છે. ગુરુ સંસારરોગને દૂર કરનાર છે. માટે શિષ્ય