________________
गुर्वनिवेदकस्य गुरुगोपकस्य च गुरुकुलवासेन न कोऽपि लाभः ।
२५७ गुरुः शिष्यं पृच्छेत् । ३) कदाचित् शिष्यो गुरुनिवेदनं विस्मरेत् । ततस्तस्य निवेदनसामाचारीस्मारणार्थं गुरुः पृच्छेत् । शिष्यप्रच्छनस्यैवमादिकमन्यदपि कारणं स्वधियाऽभ्यूह्यम् ।
एवं गुरुणा पृष्टे सति विस्मरणशीलः शिष्यो गुरुं सर्वं निवेदयति । परन्तु मायावी शिष्यो गुरोर्गोपायति । गुरुणा पृष्टे सति सोऽन्योत्तरं ददाति, स्वकृतकार्यं तु गुरोः पुरो न प्रकटयति । अत्र गुरुगोपने कारणानि पूर्वोक्तगर्वकथनवत्स्वधियाऽभ्यूह्यानि । गुरुगोपको धृष्टतरो भवति । यतः स द्विगुणं पापं करोति । प्रथमं गुर्वकथनरूपम्, द्वितीयञ्च गुरुणा पृष्टे सत्यपि गुरुगोपनरूपम् । ततो गुर्वकथनगुरुगोपने द्वेऽपि सर्वथा त्याज्ये । एवमेवाऽऽराधनामार्गे प्रगतिर्भवति । अन्यथा गुरुकार्ये कृते सत्यपि वास्तविको लाभो न जायते, गुरुकार्यकरणद्वारेण बाह्यव्यहारेण शिष्येण शासनाऽऽराधनायां कृतायां सत्यामपि गुर्वनिवेदनेन निश्चयतः सामाचारीविराधनेन तेन शासनविराधनाया एव कृतत्वात् ।
ये गुर्वनिवेदका गुरुगोपकाश्च भवन्ति तेषां गुरुकुलवासेन कोऽपि लाभो न भवति ।
ગુરુ તેને પૂછે. ૩) કદાચ શિષ્ય ગુરુને જણાવવાનું ભૂલી જાય. તેથી તેને નિવેદન સામાચારી યાદ કરાવવા ગુરુ તેને પૂછે. શિષ્યને પૂછવાના આવા બીજા પણ કારણો પોતાની બુદ્ધિથી વિચારવા.
આમ ગુરુ પૂછે ત્યારે જે શિષ્ય ભૂલી ગયો હોય તે બધું જણાવે, પણ માયાવી શિષ્ય ગુરુથી છુપાવે. ગુરુ પૂછે ત્યારે તે બીજા જવાબ આપે, પોતે કરેલું કાર્ય ગુરુને ન જણાવે. અહીં ગુરુથી છુપાવવાના કારણો પણ પૂર્વે કહેલા ગુરુને નહીં કહેવાના કારણોની જેમ પોતાની બુદ્ધિથી સમજી લેવા. ગુરુથી કાર્ય છુપાવનાર વધુ ધિક્રો છે. કેમકે તે બમણું પાપ કરે છે. પહેલું ગુરુને ન કહેવારૂપ અને બીજું ગુરુએ પૂછવા છતાં એમનાથી છુપાવવારૂપ. માટે ગુરુને નહીં કહેવું અને ગુરુથી છુપાવવું આ બન્ને સર્વથા ત્યજવા. આ રીતે જ આરાધનાના માર્ગમાં પ્રગતિ થાય છે. જો ગુરુને ન જણાવે કે તેમનાથી છુપાવે તો મોટું કાર્ય કરવા છતાં સાચો લાભ ન થાય. કેમકે મોટું કાર્ય કરવાથી બાહ્ય વ્યવહારથી શિષ્ય શાસનની આરાધના કરી હોવા છતાં પણ ગુરુને નહીં જણાવવાથી નિશ્ચયથી સામાચારીની વિરાધના કરીને તેણે શાસનની વિરાધના જ કરી
જેઓ ગુરુને કાર્ય જણાવતા નથી કે ગુરુથી તે છુપાવે છે તેમને ગુરુકુળવાસથી કોઈ લાભ થતો નથી.