________________
साधुचतुर्भङ्गी।
२४५ स्वात्मनश्च गुरुभक्तत्वयश:रक्षणीयमिति भावो वर्तते । एवंकरणेन स गुरुं वञ्चयति । वस्तुतस्तु तेन स्वात्मैव वञ्च्यते । यतो यथोक्तरीत्या सामाचारीपालनेन तस्य कर्मनिर्जरारूपो महान्लाभोऽभविष्यत् । तं त्यक्त्वा तेन गुरुवञ्चनजायमानकर्मबन्धः स्वीकृतः । कथञ्चित्सामाचारिपालनेऽपि वस्तुतस्तेन सामाचारी विराद्धैव । अतः शिष्येण प्रत्येकं कार्य गुरुं पृष्ट्वा कर्त्तव्यम्, न तु सकृत्पृष्ट्वाऽनेककार्याणि कर्त्तव्यानि । सुविहितसाधवः सूक्ष्ममपि कार्यं गुरुं पृष्ट्वैव कुर्वन्ति ।
अत्र साधुशब्दपूर्ववर्तिसूपसर्गेणेदं ज्ञाप्यते यच्चतुर्थभङ्गवत्तिसाधूनामेवेयं सामाचारी यत्सूक्ष्मेष्वपि कार्येषु गुरुः प्रष्टव्यः । ननु भवता साधुसम्बन्धिनी न काऽपि चतुर्भङ्गी प्रदर्शिता, तत्कोऽयं चतुर्थो भङ्गः कीदृशाश्च तद्वर्तिसाधवः? इति चेत्, धीरो भव, मा त्वरस्व, शृणु, साधवश्चतुर्विधाः सन्ति - १) सिंहवत्प्रव्रज्य शृगालवत्प्रव्रज्यापालका इति प्रथमो भङ्गः। २) शृगालवत्प्रव्रज्य सिंहवत्प्रव्रज्यापालका इति द्वितीयो भङ्गः । ३) शृगालवत्प्रव्रज्य शृगालवत्प्रव्रज्यापालका इति तृतीयो भङ्गः । ४) सिंहवत्प्रव्रज्य सिंहवत्प्रव्रज्यापालका इति
ગુરુને પૂછીને ગુરુએ નહીં જાણેલા અનેક કાર્ય કરવા અને પોતે ગુરુભક્ત છે એવો યશ ફેલાયેલો રાખવો’ આવો ભાવ છે. આમ કરવાથી તે ગુરુને ઠગે છે. હકીકતમાં તે પોતાની જાતને જ ઠગે છે. કેમકે શાસ્ત્રમાં કહ્યા મુજબ સામાચારી પાળી હોત તો તેને ઘણી કર્મનિર્જરા થઈ હોત. તેને છોડીને તેણે ગુરુને ઠગવાથી થતો કર્મબંધ સ્વીકાર્યો. કોઈક રીતે સામાચારી પાળવા છતાં વાસ્તવમાં તેણે સામાચારીની વિરાધના જ કરી છે. માટે શિષ્ય દરેક કાર્ય ગુરુને પૂછીને કરવું, એકવાર પૂછીને અનેક કાર્ય ન કરવા. કેમકે સુવિહિત સાધુઓ નાનું પણ કાર્ય ગુરુને પૂછીને જ કરે છે.
અહીં સાધુ શબ્દની આગળ રહેલો “સુ” ઉપસર્ગ જણાવે છે કે ચોથા ભાંગાના સાધુઓની જ આ સામાચારી હોય છે કે નાના કાર્યોમાં પણ ગુરુને પૂછવું.
પ્રશ્ન - તમે સાધુની કોઈ ચતુર્ભાગી બતાવી નથી. તેથી આ ચોથો ભાંગો કયો અને તેમાં રહેલા સાધુઓ કેવા ?
જવાબ - ધીરજ રાખ, ઉતાવળ ન કર, સાંભળ. સાધુઓ ચાર પ્રકારના હોય છે. ૧) સિંહની જેમ દીક્ષા લઈ શિયાળની જેમ તેને પાળનારા. આ પહેલો ભાંગો. ૨) શિયાળની જેમ દીક્ષા લઈ સિંહની જેમ તેને પાળનારા. આ બીજો ભાંગો. ૩) શિયાળની જેમ દીક્ષા લઈ શિયાળની જેમ તેને પાળનારા. આ ત્રીજો ભાંગો. ૪) સિંહની જેમ દીક્ષા