________________
२४६
साधुचतुर्भङ्गी ।
चतुर्थो भङ्गः । एतेषां चतूर्णां भङ्गानामयं भावार्थ: । सिंहः सत्त्वशाली भवति । स स्वपराक्रमेणैव पशून्हत्वा स्वोदरं पूरयति । सोऽन्यस्य कस्यचिदपि साहाय्यं नाऽपेक्षते । शृगालः सत्त्वहीनो भवति । परैर्हतानामर्धखादितानां पशूनां मांसं स भुङ्क्ते । स स्वपराक्रमं न स्फोरयति । अल्पायासेन बहुलाभार्जनमिति तस्य चित्तवृत्तिरस्ति । सङ्क्षेपेणेदं कथितं भवति - सिंहः सात्त्विकतायाः प्रतिकोऽस्ति शृगालश्च सत्त्वहीनतायाः । प्रथमभङ्गवर्तिसाधुः सिंहवत्प्रव्रज्य शृगालवत्प्रव्रज्यां पालयति । स तीव्रवैराग्येण प्रव्रजति, प्रारम्भिकजीवने तस्य सर्वाऽऽराधना यथाविध्युत्कृष्टतमा च भवति । परन्तु शनैः शनैस्तस्य वैराग्यरागो हरिद्रारागवदपगच्छति । ततः स संयमे शिथिलीभवति । स सर्वा आराधनाः राजविष्टिवद्यथाकथञ्चित्करोति । अत्र कण्डरिकमुनिरुदाहरणरूपो ज्ञेयः । द्वितीयभङ्गवर्त्तिसाधुः शृगालवत्प्रव्रज्य सिंहवत्प्रव्रज्यां पालयति । प्रारम्भिकजीवने तस्य वैराग्यं मन्दं भवति । सर्वाः क्रियाः स यथाकथञ्चित्करोति । शनैः शनैः सहवर्त्तिसाधुक्रियादर्शनशास्त्राभ्यासगुरुदत्तवाचनादिभिस्तस्य वैराग्यरागः कृमिरागवद्दृढतमो जायते । तस्य सर्वाऽऽराधना यथाविध्युत्कृष्टतमा च जायते । अत्र मेतार्यमुनिमारकसुवर्णकारज्ञातं ज्ञेयम् । तृतीयभङ्गवर्त्तिसाधुः शृगालवत्प्रव्रज्य
લઈ સિંહની જેમ તેને પાળનારા. આ ચોથો ભાંગો. આ ચાર ભાંગાઓનો ભાવાર્થ આવો છે - સિંહ સત્ત્વશાળી હોય છે. તે પોતાના પરાક્રમથી જ પશુઓને હણીને પોતાનું પેટ ભરે છે. તે બીજા કોઈની મદદની અપેક્ષા રાખતો નથી. શિયાળ સત્ત્વહીન હોય છે. બીજાએ મારેલા અને અડધા ખાધેલા પશુઓનું માંસ તે ખાય છે. તે પોતાનું પરાક્રમ ફોરવતો નથી. થોડી મહેનતથી ઘણું મેળવવાની તેની મનોવૃત્તિ હોય છે. ટૂંકમાં કહીએ તો સિંહ એ સાત્ત્વિકતાનું પ્રતીક છે અને શિયાળ સત્ત્વહીનતાનું પ્રતીક છે. પહેલા ભાંગાવાળો સાધુ સિંહની જેમ દીક્ષા લઈ શિયાળની જેમ તેને પાળે છે. તે તીવ્ર વૈરાગ્યથી દીક્ષા લે છે. શરૂઆતના સંયમજીવનમાં તેની બધી આરાધના વિધિપૂર્વકની અને ઉત્કૃષ્ટ હોય છે. પણ ધીમે ધીમે તેનો વૈરાગ્યનો રંગ હળદરના રંગની જેમ ઊડી જાય છે. તેથી તે સંયમમાં શિથિલ થાય છે. તે બધી આરાધનાઓ રાજાની વેઠની જેમ જેમ તેમ કરે છે. અહીં ઉદાહરણ તરીકે કંડરિક મુનિ જાણવા. બીજા ભાંગાવાળો સાધુ શિયાળની જેમ દીક્ષા લઈ સિંહની જેમ ચારિત્ર પાળે છે. શરૂઆતના સંયમજીવનમાં તેનો વૈરાગ્ય મંદ હોય છે. બધી ક્રિયાઓ તે જેમ-તેમ કરે. ધીમે ધીમે સાથે રહેલા સાધુઓની ક્રિયા જોઈને, શાસ્ત્રોનો અભ્યાસ કરીને, ગુરુએ આપેલી વાચના વગેરે વડે તેનો વૈરાગ્ય કિરમજના રંગની જેમ દૃઢ બને છે. તેની બધી આરાધના વિધિપૂર્વકની અને ઉત્કૃષ્ટ થાય છે. અહીં મેતારજ મુનિને મારનારા સોનીનું દષ્ટાન્ત જાણવું. ત્રીજા ભાંગામાં રહેલ સાધુ શિયાળની