________________
गुरोः प्रत्युपकारो वस्तुतः शिष्यस्योपकाररूपः।
१७५ भववारिनिधितारकगुरोर्दुष्प्रत्युपकार्यत्वे इदमपरं कारणं ज्ञेयम् - यथा यथा शिष्यः संसारसमुद्रतारकगुरुं प्रत्युपकर्तुं यतते तथा तथा गुरुकृतोपकारवर्धनेन कदापि सम्पूर्णतया गुरूपकारः प्रत्युपकृतो न भवति, शिष्यकर्तृकगुरुविषयकप्रत्युपकारस्य वस्तुतो गुरुकर्तृकशिष्यविषयकोपकाररूपत्वात् । गुरुप्रत्युपकरणेन शिष्यस्य प्रगतिर्भवति । सा तु परम्परया गुरुकृतैव । यतो यदि गुरुर्धर्मं नाऽबोधयिष्यत्तर्हि तत्प्रत्युपकरणेन शिष्यः स्वात्मप्रगतिमपि नाऽकरिष्यत् ।
ननु यदि गुरुरतिदुष्प्रत्युपकार्यो भवति तर्हि तत्प्रत्युपकारस्याऽशक्यानुष्ठानत्वान्न तद्भक्तौ शिष्यैर्यतनीयम् । यतः प्रेक्षापूर्वकारिणस्तदेव कार्यमनुतिष्ठन्ति यत्स्वकृतिसाध्यं भवति । स्वकृत्यसाध्यं कार्यं ते नैव प्रारभन्ते, प्रेक्षापूर्वकारित्वक्षतेः । यत उक्तं -
'सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् । वृणुते हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव सम्पदः ॥'
સંસારસમુદ્રથી તારનારા ગુરુના ઉપકારનો બદલો વાળી ન શકવાનું આ બીજું કારણ સમજવું – જેમ જેમ શિષ્ય ગુરુના ઉપકારનો બદલો વાળવા પ્રયત્ન કરે તેમ તેમ ગુરુએ કરેલો ઉપકાર વધતો જાય. તેથી ક્યારેય સંપૂર્ણ રીતે ગુરુના ઉપકારનો બદલો વાળી નથી શકાતો. કેમકે શિષ્ય કરેલો ગુરુ ઉપરનો પ્રત્યુપકાર હકીકતમાં ગુરુએ કરેલો શિષ્ય ઉપરનો ઉપકાર જ છે. ગુરુના ઉપકારનો બદલો વાળવાથી શિષ્યની પ્રગતિ થાય છે. તે પરંપરાએ ગુરુએ જ કરેલી છે. કેમકે ગુરુએ જો ધર્મ ન પમાડ્યો હોત તો ઉપકારનો બદલો વાળવા વડે શિષ્ય પોતાની પ્રગતિ પણ ન કરી શકત.
પ્રશ્ન - જો ગુરુના ઉપકારનો બદલો વાળી શકાતો ન હોય તો તે અશક્ય અનુષ્ઠાન રૂપ હોવાથી શિષ્યોએ ગુરુની ભક્તિમાં યત્ન ન કરવો જોઈએ. કેમકે વિચારીને કાર્ય કરનારા તે જ કાર્ય કરે છે જે પોતાનાથી થઈ શકે. પોતાનાથી થઈ ન શકે તેવું કાર્ય તેઓ શરૂ કરતા જ નથી, કેમકે તેમ કરવાથી તેમની બુદ્ધિમત્તાની હાનિ થાય. કેમકે કહ્યું છે - “એકાએક ક્રિયા ન કરવી, કેમકે અવિવેક આપત્તિઓનું શ્રેષ્ઠ પદ છે, વિચારીને કરનારાને ગુણથી લોભાયેલી સંપત્તિઓ સ્વયે વરે છે.” “ગુણવાળા કે ગુણ