________________
असारस्याऽऽडम्बरो महान् ।
तच्चिन्तितकार्याणि निष्फलीकरोति । यतः कर्मसाम्राज्ये सूक्ष्मस्याऽपि शुभाशुभस्य फलं प्राप्यते एव । कदाचिद्गुरुभक्तिभावनिर्भरहृदयस्य वचनान्याडम्बररहितानि स्युः तथापि तस्य वचनेषु गुरुभक्तिभाव: स्पष्टं दृश्यते एव ।
१९२
सारभृतान्निःसारस्याऽऽडम्बर: प्रायो महान्भवति । सुवर्णात्कांस्यस्य शब्दो महान्भवति । महानपि स शब्दो नि:स्सारो भवति । सुवर्णस्य लघुरपि शब्दो सारभृतो भवति । यदुक्तं श्रीकल्पसूत्रस्य महोपाध्यायश्रीविनयविजयरचितसुबोधिकानामटीकायां पञ्चमे व्याख्याने
'असारस्य पदार्थस्य, प्रायेणाडम्बरो महान् । न हि स्वर्णे ध्वनिस्तादृग्, यादृक् कांस्ये प्रजायते ॥' श्रवणमात्रेण तयोर्भेदो ज्ञायते । लघुमहत्शब्दाभ्यां तयोर्मूल्यं न भवति, सारासारशब्दाभ्यामेव तयोर्मूल्यं भवति । एवमेव चाट्वचाटुवचनाभ्यां शिष्यहृदयस्थगुरुभक्तिभावो न ज्ञायते सारासारवचनाभ्यामेव स ज्ञायते । वचनानां सारासारत्वे न कृत्रिमे भवतः । तद्युक्तवचनानि हृदयगतगुरुभक्तिभावतच्छून्यत्वप्रेरितानि स्वाभाविकान्येव निःसरन्ति । अतः शिष्येण चाटुवचनमात्रेण गुरुप्रसादनाय न यतनीयम्, किन्तु
કાર્યોને નિષ્ફળ કરે છે, કેમકે કર્મના સામ્રાજ્યમાં નાના પણ સારા કે નરસા કાર્યનું ફળ અવશ્ય મળે જ છે. કદાચ ગુરુભક્તિભાવથી ભરપૂર હૃદયવાળા શિષ્યના વચનો આડંબર રહિત હોય તો પણ તેના વચનોમાં ગુરુભક્તિભાવ સ્પષ્ટ દેખાય જ છે.
સારવાળા કરતા સાર વિનાનાનો આડંબર પ્રાયઃ વધુ હોય છે. સોના કરતા કાંસાનો અવાજ મોટો હોય છે. મોટો પણ તે અવાજ સારરહિત હોય છે. સોનાનો નાનો અવાજ પણ સારવાળો હોય છે. કલ્પસૂત્રની ટીકામાં મહોપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજે પાંચમા વ્યાખ્યાનમાં કહ્યું છે “અસાર પદાર્થનો આડંબર પ્રાયઃ વધુ હોય છે. જેવો અવાજ કાંસામાં થાય છે તેવો સોનામાં નથી થતો.” સાંભળવા માત્રથી તે બન્નેનો ભેદ જણાય જાય છે. નાના-મોટા અવાજથી તેમની કિંમત નથી થતી, સારવાળા અને સાર વિનાના શબ્દોથી જ તેમની કિંમત થાય છે. એમ મીઠા કે મીઠાશ વિનાના વચનોથી શિષ્યના હૃદયમાં રહેલો ગુરુભક્તિભાવ નથી જણાતો, સારવાળા અને સાર વિનાના વચનોથી જ તે જણાય છે. સારવાળા અને સાર વિનાના વચનો કૃત્રિમ નથી હોતા. હૃદયમાં રહેલા ગુરુભક્તિભાવથી અને તેના શૂન્યપણાથી પ્રેરાયેલા તે વચનો સ્વાભાવિક રીતે જ નીકળે છે. માટે શિષ્યે માત્ર મીઠા વચનો બોલીને ગુરુને ખુશ કરવા પ્રયત્ન ન કરવો પણ ભાવપૂર્વક ગુરુની
-