________________
१५०
जिनवचनस्वरूपम् । सामान्यपात्रस्याऽशुभकरणेन सामान्यमशुभफलं प्राप्यते । विशिष्टगुणवत्पात्रस्याऽशुभकरणेन विशिष्टमशुभफलं प्राप्यते । गुरुर्विशिष्टगुणवत्पात्रमस्ति । ततस्तत्सम्बन्धिशुभकृत्यकरणेन विशिष्टं शुभफलं प्राप्यते । तत्सम्बन्ध्यशुभकृत्यकरणेन विशिष्टमशुभफलं प्राप्यते । अत्राऽपि पूर्वोक्तभाववृद्ध्यनुसारिफलवृद्धिनियमस्तु विद्यत एव । गुरुगुणस्तुतिर्गुरुसम्बन्धिशुभकार्यम् । गुरुनिन्दा गुरुसम्बन्ध्यशुभकार्यम् । ततः सामान्यभावेन गुरुनिन्दाकारी सामान्यानानि प्राप्नोति। तीव्रभावेन गुरुनिन्दाकारी तीव्रानर्थानि प्राप्नोति । एवं गुरुनिन्दक इहभव एवाऽनर्थं प्राप्नोति । ___ गुर्ववर्णवादी परत्राऽपि दुःखी भवति । जिनेन्द्रवचनं तेन न प्राप्यते । तच्च मोहविषपरममन्त्ररूपं दुःखाग्निशामकजलकल्पं प्रमादनिद्राप्रत्यूषसमयतुल्यं कर्मविटप्युन्मूलनहस्तिसमं विश्वकमलाकरभास्करं विश्वभव्यजनारामकुल्यासमानमनेकान्तमताम्भोधिसमुल्लासनचन्द्रं स्याद्वादामृतनिःस्यन्दि सुरासुरनरपूज्यं त्रिजगच्चेतोजलनैर्मल्यहेतुकतक
શુભફળ મળે છે. સામાન્ય પાત્રનું ખરાબ કરવાથી સામાન્ય ખરાબ ફળ મળે. વિશિષ્ટ ગુણવાન પાત્રનું ખરાબ કરવાથી વિશિષ્ટ અશુભફળ મળે. ગુરુ વિશિષ્ટ ગુણવાન પાત્ર છે. તેથી તેમનું શુભકાર્ય કરવાથી વિશિષ્ટ શુભફળ મળે છે. તેમનું અશુભ કાર્ય કરવાથી વિશિષ્ટ અશુભ ફળ મળે છે. અહીં પણ પૂર્વે કહેલો ભાવવૃદ્ધિ પ્રમાણે ફળવૃદ્ધિનો નિયમ તો છે જ. ગુરુના ગુણાનુવાદ એ ગુરુનું શુભકાર્ય છે. ગુરુની નિંદા એ ગુરુનું અશુભ કાર્ય છે. તેથી સમાન્યભાવથી ગુરુની નિંદા કરનાર સામાન્ય નુકસાનો પામે છે. તીવ્રભાવથી ગુરુની નિંદા કરનાર ભયંકર નુકસાન પામે છે. આમ ગુરુની નિંદા કરનાર આભવમાં જ નુકસાનીમાં ઉતરે છે.
ગુરુની નિંદા કરનાર પરભવમાં પણ દુઃખી થાય છે. ભગવાનનું વચન તેને ના મળે. ભગવાનનું વચન મોહનું ઝેર ઉતારવા શ્રેષ્ઠ મ7 સમુ છે, દુઃખના અગ્નિને ઠંડો પાડવા પાણી જેવું છે, પ્રમાદની નિદ્રામાંથી ઉઠાડવા પ્રભાત સમાન છે, કર્મના ઝાડને ઉખેડવા હાથી તુલ્ય છે, વિશ્વરૂપી કમળોના સમૂહને વિકસિત કરવા સૂર્યસમાન છે, વિશ્વના ભવ્ય જીવોરૂપી બગીચાને લીલોછમ રાખવા નીક સમાન છે, સ્યાદ્વાદરૂપી સમુદ્રને ઉલ્લસિત કરવા ચન્દ્ર સમાન છે, સ્યાદ્વાદરૂપી અમૃતને ઝરનારું છે, દેવો, અસુરો અને મનુષ્યોથી પૂજાયેલું છે, ત્રણ જગતના જીવોના મનરૂપી જળને સ્વચ્છ કરવા ફટકડીના