________________
८४
चण्डरुद्राचार्यशिष्यदृष्टान्तः ।
कादवसेयम्। स च महोपाध्यायश्रीभावविजयकृतोत्तराध्ययनसूत्रप्रथमाध्ययनत्रयोदशश्लोकवृत्तावेवं दृश्यते
-
'उज्जयिन्यां पुरि स्नात्रोद्याने नन्दनसन्निभे । चंडरुद्राभिधः सूरिः सगच्छ: समवासरत् ॥१॥ ऊनाधिकक्रियादोषान्, स्वगच्छीयतपस्विनाम् । दर्शं दर्शं स चाकुप्यत्, प्रकृत्याप्यतिरोषणः ॥ २॥ भूयसां वारणं ह्येषां मयैकेनातिदुष्करम् । परं रोषातिरेकान्मे, स्वहितं न हि जायते ॥३॥ ध्यात्वेति सूरिरेकान्ते, तस्थौ सद्ध्या ततिं विहाय शिष्याणां, स्वाध्यायध्यानतत्परः ॥४ ॥ ॥ युग्मम् ॥ इतश्चोज्जयिनीवासी, व्यवहारिसुतो युवा । आगात्कुङ कुमलिप्तांगो, नवोढस्तत्र मित्रयुक् ॥ ५ ॥ साधून् दृष्ट्वा परीहासपूर्वकं तान् प्रणम्य च । सोऽवादीद्भगवन्तो मे, धर्मं ब्रूत सुखाकरम् ॥६॥ वैहासिकोऽयमिति ते, ज्ञात्वा नो किञ्चिदूचिरे । ततो भूयः स निर्ग्रन्थान्, सोपहासमभाषत ॥७॥ दौर्भाग्याद्भार्यया त्यक्तो, विरक्तोऽहं गृहाश्रमात् । तत् प्रद्य भवाम्भोधितारकं दत्त मे व्रतम् ॥८॥ धूर्त्तः प्रतारयत्यस्मान्नर्मवाक्यैर्मुहुर्मुहुः ॥ तद्दृष्यतामसौ सम्यक्, चिन्तयित्वेति ते जगुः ॥ ९ ॥ गुरोरधीना न वयं, स्वयं दीक्षादि दद्महे । तदाश्रय व्रताय त्वमस्मद्गुरुमितः स्थितम् ॥१०॥ श्रुत्वेति
જાણવું. તે ઉત્તરાધ્યયનસૂત્રના પહેલા અધ્યયનના ૧૩મા શ્લોકની મહોપાધ્યાય શ્રીભાવવિજયજી કૃત ટીકામાં આ પ્રમાણે દેખાય છે
ઉજ્જયિની નગરીમાં સ્નાત્ર ઉદ્યાનમાં ચંડરુદ્રાચાર્ય ગચ્છ સાથે આવ્યા. તે ગુસ્સાના સ્વભાવવાળા હતા. પોતાના ગચ્છના સાધુઓના ઓછી-વત્તી ક્રિયા કરવારૂપ દોષોને જોઈ જોઈને તેઓ ગુસ્સે થતા. ‘હું એકલો આ બધાને અટકાવી શકું તેમ નથી. પણ ગુસ્સાથી મારું હિત નથી થતું.' આમ વિચારી તેઓ શિષ્યોની ચિંતા છોડી ધ્યાન માટે એકાંતમાં બેઠા. આ બાજુ તે જ નગરીમાં રહેનારો એક વેપારીનો દીકરો જેના તાજા લગ્ન થયેલા હતા તે મિત્રો સાથે ઉપાશ્રયમાં આવ્યો. સાધુઓને જોઈ મશ્કરીપૂર્વક વંદન કરી તે બોલ્યો, ‘હે ભગવંત ! મને ધર્મ કહો.’ ‘આ મજાક કરે છે’ એમ જાણીને સાધુઓ કંઈ બોલ્યા નહીં. તેથી ફરીથી મજાકમાં તે બોલ્યો, ‘કમભાગી એવા મને મારી પત્ની છોડીને જતી રહી છે. મને વૈરાગ્ય થયો છે. માટે કૃપા કરી મને દીક્ષા આપો.' સાધુઓએ વિચાર્યું, ‘આ અમને ઠગે છે. માટે એને એનું બરાબર ફળ મળો.’ તેમણે કહ્યું, ‘અમે ગુરુને આધીન છીએ. માટે તું ગુરુમહારાજને મળ.' તે સાંભળી તે સૂરિજી પાસે