________________
(૫) સાચું બ્રાહ્મણપણું
૩ ૯
અર્થ - જેમ કોઈ સાપ પાળે પણ તેને વશ કરવાનો મંત્ર જાણતો નથી અથવા તે ઝેરને ઉતારનારી જડીબુટ્ટીને જાણતો નથી તો તે કોઈ સમયે ઝેર ચઢી જવાથી મૃત્યુનો મહેમાન થશે. તેમ ઉપર કહેલા નવગુણોને સંસારરૂપી સાપના ઝેરને મારવા માટે જડીબુટ્ટી કે મંત્ર સમાન જાણવા. પગા
મહાપુરાણમાં ભાખ્યો વિસ્તારે અધિકાર આ;
પાંચમા વેદમાં વ્યાસે સાતમા પર્વમાં કહ્યા – ૫૮ અર્થ - મહાપુરાણ ગ્રંથમાં આ અધિકારને વિસ્તારથી કહ્યો છે. તેમજ પાંચમા વેદના સાતમા પર્વમાં વ્યાસજીએ પણ સાચા બ્રાહ્મણનું સ્વરૂપ વર્ણવ્યું છે તે નીચે પ્રમાણે – I૫૮ાા
ગુણો બ્રાહ્મણના જોજો: “શીલ તો શણગાર છે.
સ્વાત્મતુલ્ય ગણે સૌને દયાના ઘરનાર તે; ૫૯ અર્થ - સાચા બ્રાહ્મણના ગુણોમાં પ્રથમ શીલ એટલે સદાચાર છે. તે જ તેનો શણગાર અર્થાત્ તેની શોભા છે. તે દયાના ઘરનાર હોવાથી સર્વ જીવોને પોતાના આત્મા સમાન ગણે છે. પલા
વેશ વૈરાગ્યને પોષે; નહીં મોહ ઉરે ઘરે;
બેફિકર બનીને ના દુષ્ટ આચાર આચરે. ૬૦ અર્થ - જેનો વેષ પણ વૈરાગ્યને પોષે એવો હોય છે. જે મોહભાવને હૃદયમાં ઘારતા નથી. જે શુદ્ધ આચારના બળે બેફિકર બનીને કદી દુષ્ટ આચરણને સેવતા નથી. //૬૦ાા
કામી ને વિષયી પેઠે વિષયોમાં ન લીન તે;
લંપટી-કામીને મુખે સ્ત્રીવાર્તા સુણી ના રીઝે. ૬૧ અર્થ :- કામી અને વિષયી જીવોની પેઠે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં લીન રહેતા નથી તથા લંપટી એવા કામીના મુખે સ્ત્રીવાર્તા સાંભળીને જે રાજી થતા નથી. II૬૧ના
પોતે સ્ત્રીનાં કૂંપાદિની નહીં કામકથા કહે;
પરંતુ બોઘ દે તેથી કામ-ક્રોથાદિ સૌ દહે. ૬૨ અર્થ - પોતે સ્વયં સ્ત્રીના રૂપાદિની કામકથા કહે નહીં, પણ તેથી વિપરીત એવો બોધ આપે કે જેથી બીજાના પણ કામ ક્રોધાદિ ભાવો બળીને ભસ્મ થઈ જાય. કરા.
શરીર શણગારે ના, વાહનો વાપરે ન તે,
દયાના કારણે ચાલે, ચાલતાં ભૂમિ નીરખે. ૬૩ અર્થ :- જે શરીરનો શણગાર કરતા નથી. વાહનનો ઉપયોગ કરતા નથી; પણ દયાના કારણે ચાલીને વિહાર કરે છે. તેમજ ચાલતા પણ ભૂમિને નીરખે છે. I૬૩ાા
કરે ના દાતણો લીલાં, સન્ક્રિયા સઘળી કરે,
સાચવે બ્રહ્મચર્યાદિ : બ્રહ્મપદવી તે ઘરે. ૬૪ અર્થ :- જે લીલા દાતણો વગેરે કરે નહીં પણ સન્ક્રિયાઓ સઘળી કરે છે. જે બ્રહ્મચર્યાદિ ગુણોને સંપૂર્ણ સાચવે તે જ સાચી બ્રહ્મપદવી એટલે આત્મજ્ઞાનીની પદવીને પામે છે. ૬૪