________________
૩ ૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
જન્મ-મૃત્યુ-ભયે પૂર્ણ સંસારે ભમ, ભાઈ, ના;
ભોગેચ્છા બંધનો તોડી, અભોગી, મુક્ત થા સદા. ૫૧ અર્થ :- જન્મ અને મૃત્યુના ભયથી પૂર્ણ એવા આ સંસારમાં હે ભાઈ! હવે તું ભમ મા, અર્થાત્ ભટકવાનું મૂકી દે. ભોગની ઇચ્છાના બંઘનોને તોડી અભોગી બનીને સદા દુઃખરૂપ આ સંસારથી હવે મુક્ત થા. //૫૧ાા.
ભીની માટી તણો ગોળો ભીંતે ચોટે, ન જો ટૂંકો;
વૈરાગી તેમ ચોટે ના સંસારે, વાસના મેંકો.”પર અર્થ - ભીની માટીનો ગોળો ફેંકવાથી તે ભીંતે ચોંટી જાય પણ જો તે સૂકો હોય તો ચોંટે નહીં. તેમ વૈરાગી જીવ સંસારમાં આસક્ત થાય નહીં. માટે સંસારની અનાદિની વાસનાને હવે મૂકો. | પરા
વિજયઘોષ દીક્ષા લે સાંભળી મુનિબોઘ આ;
તપસ્યા-સંયમે બન્ને મોક્ષે કર્મક્ષયે ગયા. પ૩ અર્થ :- આ પ્રમાણે મુનિનો બોઘ સાંભળીને વિજયઘોષે પણ દીક્ષા ગ્રહણ કરી. બન્ને ભાઈ તપશ્ચર્યા તથા સંયમને સમ્યક પ્રકારે આરાધી કર્મક્ષય કરીને મોક્ષે પઘાર્યા. આપવા
મોક્ષમાર્ગ ઘરે ઉરે, જનોઈઘાર તે ખરા,
નવ ગુણો વિના ઘારે ઘર્મલોપક વાનરા. ૫૪ અર્થ :- રાગ દ્વેષ જેથી ક્ષય થાય એવા સાચા મોક્ષમાર્ગને જે હૃદયમાં ધારણ કરે તે ખરા જનોઈધારી બ્રાહ્મણ જાણવા. પણ નવ ગુણો વિના જે જનોઈને ઘારણ કરે તે ઘર્મનો લોપ કરનાર નર નહીં પણ વાનર સરખા જાણવા. //પ૪
"ક્ષમા, વિજ્ઞાન, સંતોષ અદત્તત્યાગ, "સક્રિયા,
અષ્ટમૂળગુણો, ત્યાગ, ‘સમિતિ, ‘શીલ લેખિયા. પપ તે નવ ગુણો આ પ્રમાણે છે :
અર્થ :- (૧)ક્ષમા, (૨વિજ્ઞાન, (૩સંતોષ (૪)અદત્તયાગ, (૫)સક્રિયા, અષ્ટમૂળગુણો : મધ, માંસ, મદિરા, વડના ટેટા, પીપળાના ટેટા, પીંપળના ટેટા, ઉમરડા અને અંજીર એ આઠેયના ત્યાગને શ્રાવકના મૂળ ગુણ કહ્યા છે. (૭)ત્યાગ, (૮)સમિતિ, અને (૯)શીલ એને લેખિયા એટલે ભેગા ગણવાથી નવ થયા છે. પપા
યજ્ઞોપવીત માટે આ નવે ગુણો જરૂરના,
દુર્ગતિહેતુ નિન્દી ને હાંસીને પાત્ર તે વિના. ૧૬ અર્થ :- યજ્ઞોપવીત એટલે જનોઈને ઘારણ કરવાવાળા માટે ઉપર કહ્યાં એ નવ ગુણો જરૂરના છે. એ ગુણો વિના જનોઈ ઘારણ કરીને સાચું બ્રાહ્મણપણું જગતના જીવોને બતાવવું તે દુર્ગતિનું કારણ છે, તેમજ નિંદા અને હાંસીને પાત્ર છે. પકા
સાપ પાળે વિના મંત્ર, જડીબુટ્ટી ન જાણતો, મે'માન મૃત્યુનો થાશે; ગુણો એ જડ-મંત્ર જો. ૫૭