________________
૧૧
અધ્યાત્મમાહાભ્યાધિકાર શ્લોકાર્ય :
અધ્યાત્મશાસ્ત્રનું સુરાજ્ય પ્રવર્તતે છતે ધર્મનો માર્ગ સારી સ્થિતિવાળો થાય, પાપરૂપી ચોર પલાયન થાય અને કોઈપણ ઉપદ્રવ રહે નહિ. I૧-૧૩ ભાવાર્થ :
કોઈ જીવ અધ્યાત્મશાસ્ત્રનું સમ્યફ રીતે અવગાહન કરીને તેનાથી આત્માને ભાવિત કરે, તો તેના ચિત્તમાં અધ્યાત્મશાસ્ત્રનું સુરાજ્ય પ્રવર્તે છે; અને તેને કારણે ધર્મના માર્ગમાં તે સારી રીતે પ્રવૃત્તિ કરી શકે છે અને ચિત્તમાંથી પાપવૃત્તિ પલાયન થાય છે, તેથી તેનું ચિત્ત ઉપદ્રવ વગરનું બને છે. ll૧-૧all
येषामध्यात्मशास्त्रार्थ-तत्त्वं परिणतं हृदि ।
कषायविषयावेश-क्लेशस्तेषां न कर्हिचित् ।।१४।। અન્વયાર્થ -
પામ્ ઃ જેઓના હૃદયમાં ધ્યાત્મિશાસ્ત્રાર્થતત્ત્વ પરિણત અધ્યાત્મશાસ્ત્રના અર્થરૂપ તત્ત્વ પરિણમન પામ્યું છે, તેવામ્ તેઓને વર્ષાવિષયાવેશવત્વેશ: કષાયવિષયના આવેશરૂપ કલેશ ન વર્કિંચિત્ ક્યારેય પણ થતો નથી. ll૧-૧૪ શ્લોકાર્ચ -
જેઓના હૃદયમાં અધ્યાત્મશાસ્ત્રના અર્થરૂપ તત્ત્વ પરિણમન પામ્યું છે, તેઓને કષાયવિષયના આવેશરૂપ ક્લેશ ક્યારેય પણ થતો નથી. II૧-૧૪મા ભાવાર્થ -
- અધ્યાત્મશાસ્ત્ર જીવાદિ તત્ત્વોની વ્યવસ્થા બતાવે છે, અને અજીવના સંસર્ગને કારણે જીવને જે પરિણામો થાય છે તે જીવની વિકૃતિ છે, અને તે વિકૃતિને કાઢવા માટે જ ઉચિત પ્રયત્નરૂપ અધ્યાત્મની ક્રિયાઓ કરવાનો ઉપદેશ અધ્યાત્મશાસ્ત્ર આપે છે. વળી તે ઉપદેશ એ જ ભાવમાં જેની બુદ્ધિને સ્પર્શે છે તેને જ અધ્યાત્મશાસ્ત્રનું તત્ત્વ પરિણમન પામેલું છે, અને અધ્યાત્મશાસ્ત્રના તત્ત્વનું સમ્યક્ પર્યાલોચન કરવાથી તેના પારમાર્થિક ભાવ જ્યારે હૈયામાં પરિણમન પામે છે, ત્યારે જીવને કષાય અને વિષયના આવેશથી થનારો ક્લેશ ક્યારેય થતો નથી.