________________
અધ્યાત્મસાર
૧૨૪
અવતરણિકા -
વિષયસુખના ભોગવટાથી ભોગેચ્છા શાંત થવાને કારણે વૈરાગ્ય થાય છે, એ પ્રકારની પૂર્વપક્ષીની યુક્તિનું નિરાકરણ કરવા અર્થે દૃષ્ટાંત દ્વારા વિષયના સેવનથી ભોગની ઈચ્છા વૃદ્ધિ પામે છે, તે બતાવવા માટે કહે છે -
विषयैः क्षीयते कामो, नेन्धनैरिव पावकः ।
प्रत्युत प्रोल्लसच्छक्ति-भूय एवोपवर्द्धते ।।४।। અન્વયાર્થ:
સુન્ધઃ પાવ રૂા ઈંધન વડે અગ્નિ જેમ (ક્ષય પામતો નથી, ઊલટો વૃદ્ધિ પામે છે) તેમ વિષઃ રામ: વિષયો વડે કામ ર ીય ક્ષય પામતો નથી. પ્રત્યુત ઊલટો પ્રોત્તર (વિષયોના ભોગવટાથી) ઉલ્લસિત થયેલી શક્તિવાળો (કામ) મૂય: પુર્વ અત્યંત જ ૩૫ વર્ખતે વૃદ્ધિ પામે છે. પ-જા શ્લોકાર્ચ - ---
ઇંધન વડે અગ્નિ જેમ ક્ષય પામતો નથી ઊલટો વૃદ્ધિ પામે છે, તેમ વિષયો વડે કામ ક્ષય પામતો નથી, ઊલટો વિષયોના ભોગવટાથી ઉલ્લસિત થયેલી શક્તિવાળો કામ અત્યંત જ વૃદ્ધિ પામે છે. પ-જા ભાવાર્થ :
ક્યારેક કોઈક જીવને વિષયોના સાંનિધ્યથી તત્કાળ વિષયની ઈચ્છા શાન્ત થઈ જાય તેવું બની શકે, તેમાં તો તે જીવની તથાવિધ રાગાદિની અલ્પતા જ કારણભૂત હોય છે. પરંતુ મોટા ભાગના જીવોને વિષયોના ભોગવટાથી ઈચ્છા ક્ષય પામવાને બદલે કામેચ્છાના સંસ્કારો દઢ થાય છે, અને વિષયોના ભોગથી થતા સુખના અનુભવના સંસ્કારો પણ દઢ થાય છે. તેથી વિકસિત શક્તિવાળો કામનો પરિણામ ફરી ફરી વૃદ્ધિ પામતો રહે છે.
આથી વિષયોની ઈચ્છાની નિવૃત્તિ માટે વિષયોનાં સુખોને ભોગવવાં એ . ઉપાય નથી, તેમ જ તે વિષયોને છોડી દેવા એ પણ ઉપાય નથી; પરંતુ વિષયસુખથી દૂર રહીને ભવના સ્વરૂપનું સભ્યનું ચિંતવન કરવું એ જ ઉપાય છે. જોકે વિષયસુખના ભોગોને દૂર કર્યા વગર કેવળ ભવસ્વરૂપનું ચિંતવન કરીને