________________
અધ્યાત્મસાર
૨૪૬ આનંદ માટે થતી નથી. સદા વિમલપણાને પ્રાપ્ત કરેલા યોગીઓને પાણીથી સ્નાનની ક્રિયા પણ નિષ્ફળ છે. ll૭-૧પ ભાવાર્થ -
યોગીઓના હૃદયમાં તત્ત્વની ભાવનાને કારણે નિર્વાણનો જ પરિણામ વર્તતો હોય છે. તેથી સંસારના ભાવોથી નિવૃત્ત થઈ બાહ્ય વિષયો પ્રત્યે તેમના ચિત્તમાં નિર્લેપ ભાવો વર્તતા હોય છે. તે કારણે જ યોગીઓને તુચ્છ એવા ચંદનના લેપની ક્રિયામાં રસ હોતો નથી.
વળી, સંયમના પાલનને કારણે હંમેશાં વિમલપણાને તેઓ પ્રાપ્ત કરતા હોય છે. તેથી શરીરની નિર્મળતાના કારણભૂત એવી સ્નાનની ક્રિયા પણ તેમને માટે નિષ્ફળ છે; કારણ કે, આત્માની નિર્મળતા જ તેઓને અત્યંત પ્રિય હોય છે. આમ, આત્માના નિર્મળભાવને સ્પર્શતા એવા યોગીને સ્નાનરૂપ ક્રિયાની પણ આકાંક્ષા રહેતી નથી. II૭-૧પ
गणयन्ति जनुः स्वमर्थव- त्सुरतोल्लाससुखेन भोगिनः।
मदनाहिविषोग्रमूर्छना- मयतुल्यं तु तदेव योगिनः।।१६।। અન્વયાર્થ :
મોગના ભોગીજનો સુરતીન્જીસસુઝેન સુરતના ઉલ્લાસના સ્ત્રીના ભોગના સુખ વડે રવમ્ નનુ પોતાનો જન્મ ૩૫ર્યવત્ સાત્તિ અર્થવત્ ગણે છે = સફળ માને છે. યોનિઃ તુ પરંતુ યોગીઓ તવ તેને જ=ભોગવિલાસયુક્ત જન્મને જ મનાવવોઝમૂર્છાનામતુત્યંમદન=કામરૂપ, સર્પના વિષની ઉગ્ર મૂચ્છમય મૂર્છાથી વ્યાપ્ત, (હોય તેના) તુલ્ય (માને છે.) II૭-૧છા શ્લોકાર્ચ -
ભોગીજનો સ્ત્રીના ભોગના સુખ વડે પોતાનો જન્મ સફળ માને છે, પરંતુ યોગીઓ ભોગવિલાસયુક્ત જન્મને જ કામરૂપી સર્પના વિષની ઉગ્ર મૂર્છાથી વ્યાપ્ત હોય તેના જેવો માને છે. II૭-૧ાા ભાવાર્થ -
ભોગી જીવને સંસારમાં ભોગો જ સારભૂત લાગે છે. તેથી સ્ત્રીના ભોગના