Book Title: Adhyatmasar Shabdasha Vivechan Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 272
________________ ૨૫૩ વૈરાગ્યવિષયાધિકાર યોગિન: શુદ્ધ મતિ વડે સ્થિરીકૃત–સ્થિર કર્યો છે, અપરવૈરાગ્યનો રસ જેણે એવા યોગીઓને રવીપુ સ્વગુણોમાં વિસ્તૃMતિવિહં પરવૈરાયમ્ ૩પ પ્રવર્તતે વિતૃષ્ણાને લાવનાર એવો પરવૈરાગ્ય પણ પ્રવર્તે છે. II૭-૨શા નોંધ : - “રામ” – આવા યોગીઓને અપરવૈરાગ્ય તો પ્રવર્તે જ છે, પરંતુ પરવૈરાગ્ય પણ પ્રવર્તે છે. એમ ‘”િ થી સમુચ્ચય કરવાનો છે. શ્લોકાર્ય : પૂર્વશ્લોકોમાં કહ્યું કે, યોગીઓને આ લોકના પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં, તેમ જ પરલોકનાં દેવલોકનાં સુખોમાં રતિ હોતી નથી, પરંતુ મોક્ષના ઉપાયોમાં જ રતિ હોય છે, એ રીતે, શુદ્ધ મતિ વડે સ્થિર કર્યો છે અપરવેરાગ્યનો રસ જેણે એવા યોગીઓને, સ્વગુણોમાં વિતૃષ્ણાને લાવનાર એવો પરવૈરાગ્ય પણ પ્રવર્તે છે. l૭૨શા ભાવાર્થ પૂર્વશ્લોકોમાં વર્ણવ્યું એ રીતે, યોગીઓ પદાર્થનું ચિંતવન કરીને પાંચેય ઈન્દ્રિયોના વિષયોમાં અને દેવલોકનાં સુખોમાં પણ નિઃસ્પૃહી બને છે, અને અંતરંગ ગુણસંપત્તિ પ્રત્યે આકર્ષિત બને છે. આ પ્રકારની શુદ્ધ મતિ વડે વિચારણા કરવાથી જ્યારે યોગીઓને અપરવૈરાગ્ય સ્થિર થાય છે ત્યારે, સ્થિર થયેલા અપરવૈરાગ્યવાળા યોગીઓ ક્રમે કરીને સ્વગુણોમાં પણ તૃષ્ણા વગરના બને છે. તે વખતે તેઓને પરવૈરાગ્ય પ્રગટ થાય છે. અહીં વિશેષ એ છે કે, પ્રથમ ભૂમિકામાં સંસારનું સ્વરૂપ ચિંતવન કરવાથી . વૈરાગ્ય પ્રગટે છે. ત્યાર પછી ચિત્તમાં પાંચ ઈન્દ્રિયોના વિષયોની સામે અનાહત નાદ આદિ ભાવો પેદા થાય છે, અને એ રીતે શુદ્ધ મતિથી વિચારવાથી તે પ્રગટ થયેલ વૈરાગ્ય સ્થિર થાય છે. મોક્ષના અર્થી જાણે છે કે, મોક્ષ એ સર્વત્ર ઈચ્છાના અભાવ સ્વરૂપ છે. તેથી વિષયોની ઈચ્છાના ઉચ્છેદરૂપ વૈરાગ્ય સ્થિર થયા પછી તેમને ગુણોની પ્રાપ્તિની જે ઈચ્છા વર્તતી હોય છે તેના પણ ઉચ્છેદને અનુરૂપ યત્ન કરે છે, અને એ રીતે તેમને પરવૈરાગ્ય પ્રગટે છે. આમ, ગુણો વિષયક બળવાન ઈચ્છાને કારણે યોગીનું ચિત્ત વિષયોથી સર્વથા પરાક્ષુખ બને છે, અને અંતે તો ગુણો પ્રત્યેની તૃષ્ણાને પણ છોડીને

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280