________________
અધ્યાત્મસાર
૨૫૪ સર્વત્ર સમવૃત્તિને કેળવવા યોગી યત્ન કરે છે. તેથી તેને પરવૈરાગ્ય પણ વર્તે છે. I૭-૨શા
विपुलर्द्धिपुलाकचारण- प्रबलाशीविषमुख्यलब्धयः ।
न मदाय विरक्तचेतसा- मनुषगोपनता: पलालवत् ।।२३।। અન્વયાર્થ :
પતાવત્ ઘાસની જેમ ૩નુષપાતાઅનુષંગથી પ્રાપ્ત થયેલી વિપુદ્ધિપુનાવાર પ્રવર્તાશવિમુચ્ચત્તરંધય: વિપુલ ઋદ્ધિ, પુલાક, ચારણ અને પ્રબલ આશીવિષ વગેરે લબ્ધિઓ વિરત સામ્ વિરક્ત ચિત્તવાળાઓને મરાય ન મદ માટે થતી નથી. l૭-૨વા શ્લોકાર્થ :
ઘાસની જેમ અનુષંગથી પ્રાપ્ત થયેલી વિપુલ ઋદ્ધિ, પુલાક, ચારણ અને પ્રબલ આશીવિષ વગેરે લબ્ધિઓ વિરક્ત ચિત્તવાળાઓને મદ માટે થતી નથી. I૭
૨૩i
ભાવાર્થ :
ખેતી કરતા ખેડૂતને જેમ ધાન્યની સાથે અનુષંગથી ઘાસની પણ પ્રાપ્તિ થાય છે, તેમ મોક્ષ માટે પ્રયત્નશીલ અને સર્વ વિષયો પ્રત્યે વિરક્ત ચિત્તવાળા તથા તપ-સંયમમાં યત્ન કરતા મુનિને લબ્ધિની કોઈ આકાંક્ષા નહીં હોવા છતાં, અનુષંગથી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. પરંતુ વિષયોથી વિરક્ત ચિત્તવાળા મહાત્માને આ લબ્ધિઓ મદ માટે થતી નથી અર્થાત્ હું લબ્ધિવાળો છું એવો ગર્વ થતો નથી, એવી બુદ્ધિમાત્ર તેઓ કરતા નથી. વળી, વિશિષ્ટ એવી શાસનપ્રભાવના કે સંયમરક્ષાનું કારણ ન હોય તો તે લબ્ધિઓનો ઉપયોગ પણ કરતા નથી, અને અન્ય લોકો સમક્ષ લબ્ધિઓ રજૂ કરવાનું પણ તેમને પ્રયોજન નથી. વળી, પોતાને પ્રાપ્ત થયેલ લબ્ધિની કસોટી કરવા પણ ઉપયોગ કરે તો તેનું પ્રાયશ્ચિત કરવું પડે, અને એ રીતે પોતાને કેટલી લબ્ધિ મળી છે, તે ચકાસવા માટે પણ તેઓ લબ્ધિઓનો ઉપયોગ કરતા નથી.
(૧) વિપુલઋદ્ધિલબ્ધિ એ છે કે, જેના ઉપયોગથી ઈન્દ્ર જેવી વિપુલ સમૃદ્ધિને ભોગવી શકાય.