________________
૨૫૯
વૈરાગ્યવિષયાધિકાર પછી લબ્ધિ આદિ ગુણો પણ પ્રગટે તો તેને ક્ષણભર પ્રમોદ પણ થાય છે, કારણ કે, હવે પોતે ગુણને આવિર્ભાવ કરી શકે તેવી બુદ્ધિ હોવાથી તે સમૃદ્ધિનો મદ તેને લેશ પણ થઈ શકે. પરંતુ જ્યારે વિષયોનો વૈરાગ્ય સ્થિરભાવને પામે છે, અને ત્યાર પછી તે મહાત્મા પરવૈરાગ્ય માટે યત્નશીલ બને છે, ત્યારે પ્રથમ લબ્ધિઓ અને અતિશયતાવાળા એવા જ્ઞાનાદિ ભાવો પ્રત્યે નિઃસ્પૃહતા કેળવવા યત્ન કરે છે. જ્યારે સંસારના સર્વ વિષયો, લબ્ધિઓ વગેરે સર્વ પદાર્થો પ્રત્યે તેનું ચિત્ત ઉદાસીન થાય છે, ત્યારે પણ મોક્ષ પ્રત્યે તીવ્ર રાગ વર્તતો હોય છે; કારણ કે, તેના પ્રત્યેના તીવ્ર રાગના બળથી જ અન્યત્ર ઉદાસીનભાવ તે પ્રાદુર્ભાવ કરે છે.
અને છેવટે અંતમાં મોક્ષની ઈચ્છાને પણ વિશ્રાંત કરવા તે યત્ન કરે છે. કારણ કે, સર્વત્ર ઈચ્છાની વિશ્રાંતિ થયા પછી, મોક્ષની ઈચ્છા પણ રાગ સ્વરૂપ છે અને મોક્ષ વીતરાગભાવ સ્વરૂપ છે તેથી, જીવના સ્વરૂપના સમ્યગુ પર્યાલોચન દ્વારા તે ઈચ્છાનો પણ ઉચ્છેદ કરે છે, અને ત્યારે અસંગદશા પ્રાપ્ત થાય છે.
આવો મુનિ પરવૈરાગ્યવાળો કહેવાય છે, અને આ પરવૈરાગ્ય જ પ્રકર્ષને પામીને કેવળજ્ઞાનનું કારણ બને છે.
|| ચધ્યભરનારે વૈરાથવિધિવETI૭ll
इति श्रीनयविजयगणिशिष्यन्यायविशारदश्रीयशोविजयोपाध्याय
विरचितेऽध्यात्मसारप्रकरणे द्वितीयः प्रबन्धः।।