________________
૨પપ
વૈરાગ્યવિષયાધિકાર (૨) પુલાકલબ્ધિ એ છે કે, જેના બળથી ચક્રવર્તીના સૈન્યનો પણ ચૂરો કરી શકાય.
(૩) ચારણલબ્ધિ એ છે કે, આકાશમાં ઊડીને એક પગલું જ ભરીને અહીંથી સીધા નંદીશ્વરદ્વીપમાં જઈ શકાય.
(૪) પ્રબળ આશીવિષલબ્ધિથી અતિ ભયંકર એવા સાપના ઝેરને પણ નિવારી શકાય.
જે મુનિઓને સર્વથા અનિચ્છા સ્વરૂપ મોક્ષ જ ઈચ્છાનો વિષય હોય, તેવા પરવૈરાગ્યવાળા મુનિને ધીરે ધીરે મોક્ષની ઈચ્છા પણ વિલીન થવા માંડે છે, ત્યારે મોક્ષની આગળ તુચ્છ એવી લબ્ધિઓ તો તેમની ઈચ્છાનો વિષય બને જ કેવી રીતે ? તેથી તે લબ્ધિની પ્રાપ્તિથી પોતાને કાંઈક પ્રાપ્ત થયું છે, તેવી બુદ્ધિ પણ તેમને સંભવતી નથી. II૭–૨૩.
कलितातिशयोऽपि कोऽपि नो, विबुधानां मदकृद्गुणव्रजः । अधिकं न विदन्त्यमी यतो, निजभावे समुदञ्चति स्वतः ।।२४।। અન્વયાર્થ:
નિતતિશયોજિ છોડનિ મુદ્રન: (લોકો દ્વારા) કલિત=જણાયેલ અતિશયવાળો એવો પણ કોઈક ગુણનો સમુદાય વિવુધાના મન્ નો વિબુધોને મદ કરનાર થતો નથી. યતિઃ જે કારણથી ૩૧મી આ=વિબુધો નિગમવે સમુદ્રષ્યતિ નિજભાવ=જ્ઞાતાદૃષ્ટાભાવ, પ્રગટ થયે છતે સ્વતઃ ૩fધવં ન વિત્તિ પોતાનાથી અધિક જાણતા નથી=નિજભાવથી અધિક માનતા નથી. I૭-૨૪ll નોંધ :
(૧) “કલિત અતિશય એટલે એવો અતિશય કે જે અતિશય સામાન્યથી જીવોમાં ક્યાંય ન દેખાતો હોય અને જેને જોવાથી લોકોને ચમત્કાર જેવું જણાય તેવો કોઈ ગુણ, જેમ એક ઈન્દ્રિયથી સર્વ ઈન્દ્રિયોનું જ્ઞાન યોગીઓ કરી શકે તે.
(૨) નિતાતિશયો”િ માં “ઘ' થી એ કહેવું છે કે, લોકો દ્વારા અતિશયરૂપે નહીં જણાયેલ એવો સામાન્ય ગુણ તો મદને કરનાર નથી, પરંતુ લોકો દ્વારા જણાવેલ અતિશયવાળો પણ ગુણનો સમુદાય મદને કરનાર નથી.