________________
૨૫૬
અધ્યાત્મસાર શ્લોકાર્ચ -
લોકો દ્વારા જણાવેલ અતિશયવાળો એવો પણ કોઈક ગુણનો સમુદાય વિબુધોને મદ કરનાર થતો નથી. જે કારણથી વિબુધો જ્ઞાતાદષ્ટાભાવ પ્રગટ થયે છતે નિજભાવથી અધિક માનતા નથી. II૭-૨૪ ભાવાર્થ -
તપ-સંયમમાં યત્નને કારણે ઉદાસીન ચિત્તવાળા મુનિઓને કલિત અતિશયવાળા ગુણોનો સમુદાય પ્રગટ થાય છે, તો પણ આવા બુદ્ધિમાન પુરુષોને મદ થતો નથી; કારણ કે, તપ-સંયમમાં યત્ન કરવા દ્વારા તેઓ સંસારના સર્વ ભાવો પ્રત્યે ઉદાસીન થયા હોય છે, તેથી તેઓને નિજભાવ પ્રગટ થાય છે, અર્થાતુ પોતાનો જ્ઞાતાદૃષ્ટા ભાવ પ્રગટ થાય છે. આથી જ તેઓ લબ્ધિ આદિ રૂપ ગુણસમુદાયને પોતાના જ્ઞાતાદૃષ્ટારૂપ ઉત્તમ ભાવથી અધિક માનતા નથી.
અહીં વિશેષ એ છે કે, તપ-સંયમમાં યત્ન કરનારને જેમ લબ્ધિઓ પ્રગટ થાય છે, તેમ અવધિજ્ઞાનાદિ જ્ઞાનો પણ પ્રગટે છે. વળી, તેમને મહાસત્ત્વ અને દેવો પણ ચલિત ન કરી શકે તેવું મહાધૈર્ય પ્રગટે છે. કલિત અતિશયવાળો આવો અનેક ગુણોનો સમુદાય પ્રગટ થવા છતાં તેમને પોતાનો ઉદાસીનતારૂપ જે ભાવ વર્તતો હોય છે, તેનાથી આ ગુણો અધિક દેખાતા નથી; તેથી જ પોતાને પ્રાપ્ત થયેલ શક્તિના વિચાર દ્વારા મદ પણ થતો નથી. આ જ તેમનો પરિવૈરાગ્ય છે. II૭-૨૪
हृदये न शिवेऽपि लुब्धता, सदनुष्ठानमसङ्गमङ्गति ।
पुरुषस्य दशेयमिष्यते, सहजानन्दतरङ्गसङ्गता ।।२५।। અન્વયાર્થ :
સરનુષ્ઠાનમસંમતિ સદનુષ્ઠાન અસંગઅવસ્થાને પ્રાપ્ત કરે છતે હૃદયે ડિવિ હૃદયમાં મોક્ષવિષયક પણ સુધ્ધતા ન લુબ્ધતા નથી. પુરુષરી રૂયમ્ વશ પુરુષની આ દશા સહેગાનતરસતા રૂથને સહજ આનંદના તરંગથી સંગત ઈચ્છાય છે= કહેવાય છે. li૭-૨પા.