________________
૧૯૯
શ્લોકાર્થ :
વૈરાગ્યભેદાધિકાર
ધનના સ્વત્વની જેમ વ્યવહારમાં ઉપયોગ હોવાથી અતાદાત્મ્યમાં પણ સૂક્ષ્મ બુદ્ધિથી ૫૨૫ર્યાયોનો સંબંધ વ્યક્ત થાય છે. ||૬-૨||
ભાવાર્થ :
ધનનો જીવની સાથે તાદાત્મ્ય સંબંધ નથી, છતાં ‘આ ધન દેવદત્તનું છે’ એ પ્રકારનો વ્યવહાર થાય છે. તેથી વ્યવહારના ઉપયોગને કારણે ‘આ ધન દેવદત્તના સંબંધવાળું છે’ એમ કહેવાય છે, અને દેવદત્તને પણ પોતાના ધનમાં સ્વત્વની બુદ્ધિ થાય છે. તે જ રીતે પટમાં વર્તતા પટત્વાદિ પર્યાયોનું ઘટમાં તાદાત્મ્ય નહીં હોવા છતાં સૂક્ષ્મબુદ્ધિથી વિચારીએ તો આ પટના પર્યાયો ઘટના પણ છે તેમ જણાય છે, તે આ રીતે -
પટત્વધર્મ તાદાત્મ્ય સંબંધથી પટમાં વર્તે છે, અને પટત્વ ધર્મ જ ત્યાગરૂપે ઘટમાં વર્તે છે, તેથી જ ઘટને જોઇને આ પટ નથી એવો બોધ થાય છે. અને ‘આ પટ નથી' એ પ્રકારના પ્રામાણિક વ્યવહા૨ને સંગત કરવા માટે સ્વીકારવું પડે કે, પટત્વધર્મનું ત્યાગરૂપે ઘટમાં અસ્તિત્વ છે; તેથી જ પુરોવર્તી ઘટને જોઈને ત્યાં પટત્વધર્મનો અભાવરૂપે અથવા પટત્વધર્મનો ત્યાગરૂપે બોધ થાય છે. અને આ બોધ સ્યાદ્વાદની સૂક્ષ્મબુદ્ધિવાળાને જ થઈ શકે છે; સ્થૂલબુદ્ધિવાળાને તો પટત્વપર્યાયનું તાદાત્મ્ય પટમાં છે, માટે તે પટનો જ પર્યાય છે, ઘટનો નહિ; એમ જ લાગે છે. પરંતુ સૂક્ષ્મબુદ્ધિથી વિચારીએ તો કોઈપણ પદાર્થને જોઈને તે પદાર્થનો બોધ થાય છે તેનું કારણ તેમાં વર્તતો સ્વ-૫૨૫ર્યાય બંનેનો ભાવ છે.
જેમ ઘટમાં વર્તતા ઘટના રૂપને જોઇને ‘આ ઘટ રૂપવાન છે' તેમ પ્રતીતિ થાય છે, તે જ રીતે ઘટને જોઈને જ ‘આ પટ નથી' એ પ્રતીતિ ઘટમાં ત્યાગરૂપે વર્તતા પટત્વના કારણે થાય છે. તેથી જ પ્રામાણિક વ્યવહાર થાય છે કે ‘આ પટ નથી.' જો ઘટમાં ત્યાગરૂપે પટત્વપર્યાય ન હોય તો વિચારકને પુરોવર્તી ઘટને જોઇને ‘આ ઘટ છે' એટલો જ બોધ થઇ શકે, અને ‘આ પટ નથી' એવો બોધ ન થાય. પરંતુ ઘટમાં ત્યાગરૂપે પટત્વ પર્યાય છે, તેથી આ પટ નથી તેવો બોધ થાય છે.
જેમ દેવદત્તના ધનમાં દેવદત્તનું સ્વત્વ ન હોય તો ‘આ ધન દેવદત્તનું છે’ એ પ્રકારનું કથન થઈ શકે નહિ, તેથી પ્રામાણિક વ્યવહારના બળથી દેવદત્તના