________________
અધ્યાત્મસાર
૨૩૬
રુચિ નથી હોતી. તેથી તે સુંદર ધ્વનિ તેમને વૈરાગ્યમાર્ગમાં અલના માટે બનતો નથી. ૭-પા
सततं क्षयि शुक्रशोणित-प्रभवं रूपमपि प्रियं न हि ।
अविनाशिनिसर्गनिर्मल-प्रथमानस्वकरूपदर्शिनाम् ।।६।। અન્વયાર્થ :
વિનાશનિસનિર્મતપ્રથમાનસ્વરૂપનામ્ અવિનાશી વિનાશ નહીં પામનારું, અને નિસર્ગ સ્વાભાવિક, નિર્મળ એવા પ્રથમાન=પ્રગટ થતા, પોતાના રૂપને જોનારા એવા યોગીઓને, સતતં ક્ષય સતત ભય પામનારું, શુષ્ણતામવરૂપમા શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું એવું રૂપ પણ પ્રિયં ન હિ પ્રિય નથી જ. Iછ-કા નોંધ :
“મા” માં “ગ” થી એ કહેવું છે કે, અન્ય વિષયો તો પ્રિય નથી જ, પરંતુ ચક્ષુનો વિષય એવું રૂપ પણ પ્રિય નથી.
* અહીં “દિ એ “ર કાર અર્થમાં છે. શ્લોકાર્ધ :
અવિનાશી અને સ્વાભાવિક નિર્મળ એવા પ્રગટ થતા પોતાના રૂપને જોનારા એવા યોગીઓને સતત ક્ષય પામનારું, શુક્ર અને શોણિતથી ઉત્પન્ન થયેલું એવું રૂપ પણ પ્રિય નથી જ. II૭-કા ભાવાર્થ :
'આમાનું શુદ્ધ સ્વરૂપ અવિનાશી છે, ફક્ત સંસાર અવસ્થામાં તે શુદ્ધ સ્વરૂપ કર્મથી ઢંકાયેલું છે. વળી તે શુદ્ધ સ્વરૂપ સ્વભાવથી જ નિર્મળ છે અને યોગસાધનાથી પોતાનામાં તે પ્રગટ થઈ રહ્યું છે, તેવું યોગીઓ જોઈ શકે છે. તેથી આત્માના સ્વરૂપથી ઠીક ઊંધા શરીરનું રૂપ કેવું છે ? તે બતાવે છે –
શરીરનું રૂપ યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થામાં જતાં ધીરે ધીરે ક્ષય પામતું હોય છે, તેથી તે રૂપ ક્ષયી છે. વળી, આ શરીર શુક્ર અને શોણિતમાંથી ઉત્પન્ન થયેલું છે. તેથી યોગીને વિનાશ પામતા અને અસાર એવા પુદ્ગલોમાંથી નિષ્પન્ન થયેલા રૂપનું કોઈ મહત્ત્વ હોતું નથી. ૭-કા