Book Title: Adhyatmasar Shabdasha Vivechan Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 254
________________ ૨૩૫ વૈરાગ્યવિષયાધિકાર તો તત્ત્વના પર્યાલોચનને કારણે સ્ત્રી પ્રત્યેના આકર્ષણવાળા હોતા નથી, અને સ્ત્રીઓના હાથના કંકણનો ધ્વનિ, ધ્વનિ પરિણામરૂપે સમાન સ્વરૂપવાળો છે, તેથી યોગીઓને તે સંભળાવવા છતાં આનંદનું કારણ બનતો નથી. કારણ કે, તેમનું ચિત્ત તત્ત્વ પ્રત્યે આવર્જિત હોવાથી અધ્યાત્મના પ્રિય શ્લોકો જ તેમના હૈયામાં સતત ગુંજતા હોય છે, તેથી અધ્યાત્મની અનુભૂતિરૂપ સંગીતમાં જ તેઓ રત હોય છે. ll૭-જા स्खलनाय न शुद्धचेतसां, ललनापञ्चमचारुघोलना । यदियं समतापदावली- मधुरालापरतेन रोचते ।।५।। અન્વયાર્થ : તના પંચમવારુષોતના સ્ત્રીઓના પંચમ સ્વરનો મધુર નાદ શુદ્ધચેતન શુદ્ધ ચિત્તવાળા યોગીઓને રતનાચ ન સ્કૂલના માટે થતો નથી. ય જે કારણથી સમતાપરાવનીમપુરાનાપરઃ સમતાની પદાવલીના મધુર આલાપમાં રતિ હોવાના કારણે રૂાં આ=પંચમ સ્વરનો મધુર નાદ ન રોતે (તેઓને) રુચતો નથી. II૭–પા શ્લોકાર્થ : - સ્ત્રીઓના પંચમ સ્વરનો મધુર નાદ શુદ્ધ ચિત્તવાળા લોગીઓને સ્કૂલના માટે થતો નથી. જે કારણથી સમતાની પદાવલીના મધુર આલાપમાં રતિ હોવાના કારણે પંચમ સ્વરનો મધુર નાદ તેઓને રુચતો નથી. II૭-પા ભાવાર્થ : તત્ત્વના પર્યાલોચનથી જેનું ચિત્ત સ્ત્રી પ્રત્યેના આકર્ષણ વગરનું છે, એવા શુદ્ધ ચિત્તવાળા યોગીને સ્ત્રીના પંચમ સ્વરની સુંદર ઘોલના અર્થાત્ પંચમ સ્વરનું સુંદર ઘૂંટણ, આકર્ષણનું કારણ નથી બનતું. કારણ કે સમતાના વાચક એવા શાસ્ત્રોના પદોની આવલિના મધુર આલાપમાં જ તેઓને રતિ હોય છે. તેથી આ ઘોલના તેઓને રુચતી નથી. અહીં વિશેષ એ છે કે, યોગીનું ચિત્ત સમતા પ્રત્યે અત્યંત આવર્જિત હોવાથી સમતાને કહેનારાં અધ્યાત્મપદો તેને અત્યંત પ્રિય હોય છે. તેથી તે પદો બોલવામાં જ તેને રતિનો અનુભવ થાય છે, સ્ત્રીના સુંદર ધ્વનિમાં તેને

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280