Book Title: Adhyatmasar Shabdasha Vivechan Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 256
________________ ૨૩૭ વૈરાગ્યવિષયાધિકાર परदृश्यमपायसङ्कुलं, विषयो यत्खलु चर्मचक्षुषः । न हि रूपमिदं मुदे यथा, निरपायानुभवैकगोचरः ।।७।। અન્વયાર્થ : યથા નિરપાયાનુમવૈવગોવર: મુદ્દે જે પ્રમાણે નિરપાય એવા અનુભવનો એક વિષય યોગીના આનંદ માટે થાય છે, તે પ્રમાણે) વસ્ત્રનુ વર્મચક્ષુ: વિષય: જે ખરેખર ચર્મચક્ષુનો વિષય છે, પરફ્યુમપાયસન્ન રૂટું i પરથી દશ્ય, અપાયથી સંકુલ= આપત્તિથી ભરેલું, એવું આ રૂપ ર દિ (આનંદ માટે) નથી જ. II૭-ગાં શ્લોકાર્થ : જે પ્રમાણે નિરપાય એવા અનુભવનો એક વિષય યોગીના આનંદ માટે થાય છે, તે પ્રમાણે જે ખરેખર ચર્મચક્ષુનો વિષય છે, પરથી દૃશ્ય, અપાયથી સંકુલ એવું આ રૂપ આનંદ માટે નથી જ. II૭-૭I ભાવાર્થ : આત્માનું સ્વરૂપ સર્વ ઉપદ્રવ વગરનું છે, તેથી નિરપાય છે. વળી, પોતે જ પોતાના સ્વરૂપનો અનુભવ કરી શકાય તેવું છે, પરંતુ બાહ્યરૂપની જેમ પરથી દશ્ય નથી, અર્થાત્ બીજાને દેખાય તેવું નથી; તેથી યોગીઓને તે રૂપ.અતિ આનંદનું કારણ બને છે, માટે એ રૂપથી વિપરીત એવું સ્ત્રીનું રૂપ યોગીઓને આનંદ આપી શકતું નથી. જ્યારે ચર્મચક્ષુથી દેખાતું આ સ્ત્રીનું રૂપ પરથી દશ્ય છે અર્થાત્ બીજા પણ જોઈ શકે છે. વળી તે રૂ૫ વિનાશ પામી શકે છે, અને સતી સ્ત્રીઓને પોતાના રૂપ પર અન્યની દૃષ્ટિ પડવાથી ઘણા અનર્થની પ્રાપ્તિ થાય છે; તેથી તે અનર્થરૂપ અપાયોથી ભરેલું છે. ક્યારેક રૂપને કારણે રાગાદિ ઉદ્ભવવાથી જીવ કદર્થના પામે છે. વળી રૂ૫ ચર્મચક્ષુનો વિષય છે, પણ અનુભવનો વિષય નથી. તેથી જ યોગીઓને આવું બાહ્ય રૂપ આનંદનું કારણ નથી બનતું. આમ, પરથી દૃશ્ય અને ચર્મચક્ષુના વિષયસ્વરૂપ બાહ્ય રૂપ અપાયોથી યુક્ત છે, તેથી યોગીઓને તેમાં આનંદ નથી. પરંતુ માત્ર અનુભવના વિષય સ્વરૂપ અંતરંગ રૂપ જે ઉપદ્રવોથી રહિત છે, તે જ યોગીઓ માટે આનંદદાયક છે. II૭-૭ી.

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280