Book Title: Adhyatmasar Shabdasha Vivechan Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 261
________________ ૨૪૨ અધ્યાત્મસાર મનં અનવમ=નિષ્પાપ એવા, નવમા રસમાં=શાંતરસમાં, મગ્ન છે, તો રમ્ સ્પષ્ટ જણાતા એવા, વિષમતિમ વિષમ આયતિવાળા=ભયંકર ભાવિ ફળવાળા, ૩પતિસુદ આપાત સ્થૂલદષ્ટિથી દેખાતા સુખવાળા, વિરમ: વિકારી એવા રરઃ વિંદ ? રસો વડે શું? J૭-૧રા * અહીં “ગુ વિતર્કના અર્થમાં યોજાયેલ છે. શ્લોકાર્થ : જો મન સતત અવિકારી, નિષ્પાપ એવા શાંતરસમાં મગ્ન હોય છે, તો સ્પષ્ટ જણાતા એવા, ભયંકર ભાવિ ફળવાળા, સ્થૂલદષ્ટિથી દેખાતા સુખવાળા, વિકારી એવા રસો વડે શું? ll૭-૧રા ભાવાર્થ : રસનેન્દ્રિયના વિષયભૂત એવો આહાર, ખાધા પછી સાત ધાતરૂપે પરિણમન પામે છે, જે સાત ધાતુનું સ્વરૂપ આંખને ગમે તેવું નથી હોતું, તેથી રસનેન્દ્રિયના વિષયો વિષમ ફળવાળા છે. વળી તે રસોને ભોગવવાથી ક્યારેક શરીરમાં રોગાદિ પણ થાય છે, જે જીવને અશાતારૂપ ફળનું કારણ બને છે, તેથી પણ તે વિષમ ફળવાળા છે. વળી, સંસારમાં ભૌતિક પદાર્થોના સેવનમાં જે રાગાદિ ભાવો થાય છે, તેનાથી કર્મબંધ અને ભાવિમાં રાગાદિ ભાવ પેદા થાય છે, તેથી પણ તે ભાવિના વિષમ ફળવાળા છે. આ રીતે રસનેન્દ્રિયના ભોગોનું ભાવિના ફળને આશ્રયીને કુત્સિત સ્વરૂપ બતાવ્યું. હવે તત્કાળમાં પણ મધુર રસો સુખરૂપ દેખાય છે, તે પણ કેવા છે, તે બતાવતાં કહે છે કે, રસનેન્દ્રિયના ભોગો જીવને વિકાર પેદા કરે છે, જે માનસિક તથા ઈન્દ્રિયોના વિકારરૂપ પણ છે; અને તેનાથી થતું સુખ પણ વાસ્તવિક સુખ નથી, પરંતુ સ્થૂળ દૃષ્ટિથી દેખાતું જ સુખ છે. આ વાત તત્ત્વના જાણનારાઓને સ્પષ્ટ જણાય છે. તે સુખ સ્થૂળથી કેમ છે ? એવી કોઈને શંકા થાય, તેથી કહ્યું કે, તે સુખ આત્માનું મૂળ સુખ નથી, વિકારી સુખ છે. અને વિકારી સુખ એ સ્થૂળથી જ સુખ કહી શકાય, વાસ્તવિક સુખ કહી શકાય નહીં. જેમ ખણજ મટવાથી પણ સુખ થાય છે, અને ખણકાળમાં ખણજ કરવાથી પણ સુખ થાય છે; પરંતુ ખણજ કરવાથી થતું સુખ વિકારી સુખ છે, તેથી

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280