Book Title: Adhyatmasar Shabdasha Vivechan Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 252
________________ ૨૩૩ વૈરાગ્યવિષયાધિકાર ચિત્તવાળાને વિકારી થતા નથી, ત્યાં પ્રથમ કર્મેન્દ્રિયના વિષયમાં વિકાર કેમ થતો નથી ? બતાવે છે - सुविशालरसालमञ्जरी-विचरत्कोकिलकाकलीभरैः ।। किमु माद्यति योगिनां मनो, निभृतानाहतनादसादरम् ।।३।। અન્વયાર્ચ : નિમૃતાનીહતનસિદ્ધિ વિનાં મન:નિભૂત=ભરાયેલા, અનાહત નાદના આદરવાળું એવું યોગીઓનું મન સુવિશાતરસન્નમજ્જરીવરત્નાવસ્તીમઃ સુવિશાળ, રસાળ એવી મંજરીમાં વિચરતી એવી કોકિલની કાકલીભર એવી વાણી વડે વિમુ માથતિ શું ઉન્માદને પામે ? અર્થાત્ ન જ પામે. ll૭-૩ યોગીઓનું મન અનાહત નાદથી ભરાયેલું છે. “અનાહત નાદ એટલે અંતરંગ ચિત્તમાં વીતરાગતાનો શ્રેષ્ઠ નાદ સતત ગુંજતો હોય તેવો હણાયા વગરનો નાદ. શ્લોકાર્ચ : ભરાયેલા અનાહત નાદના આદરવાળું એવું યોગીઓનું મન સુવિશાળ, રસાળ એવી મંજરીમાં વિચરતી એવી કોકિલની કાકલીભર એવી વાણી વડે શું ઉન્માદને પામે ? અર્થાત્ ન જ પામે. ll૭-૩ના ભાવાર્થ : યોગીઓ તત્ત્વનું પર્યાલોચન કરવાને કારણે આત્માના વીતરાગભાવ સ્વરૂપ તત્ત્વના મર્મને સૂક્ષ્મ પ્રજ્ઞાથી જોઈ શકતા હોય છે. તેથી તેમના મનમાં વીતરાગતાનો અનાહત નાદ સતત ગુંજારવ કરતો હોય છે. આને કારણે વિશાળ અને રસાળ મંજરી ઉપર વિચરતી કોયલ પોતાની ખુશાલીની અભિવ્યક્તિરૂપે જે મધુર ટહુકાઓ કરતી હોય છે, તેનાથી પણ યોગીઓનું મન આકર્ષાતું નથી, મનમાં ઉન્માદ પેદા થતો નથી. યોગીના અંતરંગ ચિત્તમાં સ્કુરાયમાન થતો વીતરાગતાનો અનાહત નાદ અર્થાતું હણાયા વગરનો સતત નાદ જ, તેમના ચિત્તના આકર્ષણનું સ્થાન છે. આવી ભૂમિકાવાળા યોગીને વિષયવિષયક વૈરાગ્ય છે, પરંતુ ગુણનું અત્યંત આકર્ષણ હોવાથી ગુણવિષયક વૈરાગ્ય નથી. II૭-રા

Loading...

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280