________________
૧૯૭
વૈરાગ્યભેદાધિકાર કહી શકાય, પરંતુ જે ભાવોનો અભાવ છે=વ્યતિરેક છે, તે ભાવો તો પરના પર્યાયો છે; તેથી પરના પર્યાયો પ્રસ્તુત પદાર્થના છે એમ કેવી રીતે કહી શકાય ? કારણ કે આમ કહેવાથી એમ પ્રાપ્ત થાય છે કે, કોઇપણ પદાર્થ સ્વપર્યાયથી સંબદ્ધ છે અને પરપર્યાયથી પણ સંબદ્ધ છે. અને પદાર્થને પરપર્યાયથી સંબદ્ધ માનવું વિરોધી લાગે, તેથી આ પ્રકારના વિરોધના નિવારણ માટે પરપર્યાયો પણ કઇ અપેક્ષાએ સ્વપર્યાયો છે તે બતાવવા માટે કહે છે –
ये नाम परपर्यायाः, स्वास्तित्वायोगतो मताः ।
स्वकीया अप्यमी त्यागस्वपर्यायविशेषणात् ।।२५।। અન્વયાર્થ :
स्वास्तित्वायोगतः स्वमस्तित्वना भयोगथी ये नाम परपर्यायाः मता: ठे પરપર્યાયો મનાયેલા છે, ૩૧મી એ=પરપર્યાયો ત્યારવપથવિશેષપતિ ત્યાગરૂપે સ્વપર્યાયરૂપ વિશેષણ હોવાથી સ્વવેદીયા ૩પ સ્વકીય પણ છે. II૬-૨પા
* જેમ “જે” અને “તે' નો સંબંધ હોય છે, તેમ અહીં “એ” અને “૩મી નો સંબંધ છે.
* ‘ત્યારપર્યાવિશેષUT' પદમાં “ત્યાગરૂપે સ્વપર્યાય” એ રીતે સ્વરૂપ અર્થક તૃતીયા તપુરુષ સમાસ કરવાનો છે. શ્લોકાર્ચ -
સ્વઅસ્તિત્વના અયોગથી જે પરપર્યાયો મનાયેલા છે, એ પરપર્યાયો ત્યાગરૂપે સ્વપર્યાયરૂપ વિશેષણ હોવાથી સ્વકીય પણ છે. II૬-રપા ભાવાર્થ :
દરેક પદાર્થ સ્વ-પરપર્યાયમય છે. કોઇ વિવક્ષિત દ્રવ્યમાં જે પર્યાયોના અસ્તિત્વનો અયોગ છે, તેને પરપર્યાયો પર દ્રવ્યના પર્યાયો, કહેવાય છે. જેમ ઘટમાં પટવાદિ ધર્મના અસ્તિત્વનો અયોગ છે, તેથી પટવાદિ એ ઘટ માટે પરપર્યાયો છે, પણ ઘટના સ્વપર્યાયો નથી. વળી ઘટવાદિ પર્યાયોનો ઘટમાં અસ્તિત્વનો યોગ છે, તેથી તે ઘટના પર્યાયો છે, આથી જ તેને ઘટના સ્વપર્યાયો કહેવાય છે. અહીં કહે છે કે પટવાદિ જે પરપર્યાયો છે તે પણ સ્વકીય છે, અર્થાત્ તે પણ ઘટના
G-૧૫