________________
૨૦૩
વૈરાગ્યભેદાધિકાર યશોવિજયજી મ. સા. કહે છે કે, ત્યાગથી પટવ પર્યાય પણ ઘટમાં છે, માટે પટવ પર્યાય પણ ઘટનો પર્યાય છે, એમ સ્વીકારવામાં દોષ નથી.
નૈયાયિકની માન્યતા આ પ્રમાણે છે –
૧. ઘટ અને ઘટનું રૂપ એ બંને વચ્ચે સમવાયસંબંધ છે, તેથી “પવાનું ઘર', એમ પ્રયોગ થાય છે.
૨. ભૂતલ ઉપર જ્યારે ઘડો પડ્યો હોય ત્યારે “ઘરવત્ ભૂતન એ પ્રકારે પ્રયોગ થાય છે, ત્યાં સંયોગસંબંધથી ભૂતલમાં ઘડો રહેલો છે.
૩. ભૂતલ ઉપર જ્યારે ઘડો નથી ત્યારે “પટમાવત્ મૂતમ્ એ પ્રકારે પ્રયોગ થાય છે; અને અભાવને નૈયાયિક સ્વતંત્ર પદાર્થ માને છે, તેથી તે ઘટાભાવ અને ભૂતલ વચ્ચે સ્વરૂપસંબંધ સ્વીકારે છે. અને તેમ સ્વીકારવામાં તૈયાયિકનો આશય એ છે કે ઘટાભાવ અને ભૂતલ એ બેથી અતિરિક્ત કોઈ સંયોગરૂપ કે સમવાયરૂપ સંબંધ નથી, પરંતુ ઘટ પ્રતિયોગિક ભૂતલ અનુયોગિક સ્વરૂપસંબંધથી ઘટાભાવવિશિષ્ટ ભૂતલ છે. જેમાં ઘટાભાવ રહે છે તેને અનુયોગી કહેવાય તેથી ભૂતલ અનુયોગી છે, અને ભૂતલમાં જે રહે તેને પ્રતિયોગી કહેવાય તેથી ઘટાભાવ એ પ્રતિયોગી છે. તેથી એ પ્રાપ્ત થાય કે ભૂતલમાં આધારતા રહેલી છે, અને ઘટાભાવમાં પ્રતિયોગિતા રહેલી છે. તે ઉભય સ્વરૂપ જ અર્થાત્ ઘટપ્રતિયોગિક ભૂતલ અનુયોગી સ્વરૂપ જ, ઘટાભાવ અને ભૂતલ વચ્ચે સંબંધ છે. તેથી ઘટાભાવ અને ભૂતલથી અતિરિક્ત બીજો કોઈ સંબંધ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે ઘટાભાવ અને ભૂતલ વચ્ચે તે બેથી અતિરિક્ત કોઇ જોડાણ નથી, છતાં ‘પદમાવવત્ ભૂતનમ્ એ પ્રકારના પ્રયોગની સંગતિ માટે તૈયાયિક ઘટાભાવ અને ભૂતલ વચ્ચે સ્વરૂપસંબંધ માને છે.
તે જ રીતે પટ–પર્યાય પટમાં છે અને ઘટત્વપર્યાય ઘટમાં છે. આમ છતાં, ઘટ એ પટ નથી એ પ્રકારની પ્રતીતિના બળથી “દન ઘો નારિત’ એ પ્રકારનો પ્રયોગ થાય છે. તેથી જેમ ઘટાભાવ વિશિષ્ટ ભૂતલ સ્વીકારવામાં તૈયાયિકને દોષ નથી તેમ, પરપર્યાયોનો ઘટમાં સંબંધ નહીં હોવા છતાં નાસ્તિત્વસંબંધથી પરપર્યાયવિશિષ્ટ ઘટને સ્વીકારવામાં કોઈ દોષ નથી. II૬-૨૮II અવતરણિકા -
આ રીતે પૂર્વના શ્લોકમાં પરપર્યાયો પણ સ્વકીય છે એ સ્થાપન કર્યું. હવે તેની પુષ્ટિ કરવા માટે કહે છે -