________________
૨૦૫
વૈરાગ્યભેદાધિકાર ત્યારે જ એક દ્રવ્યનું પરિપૂર્ણ જ્ઞાન થાય છે, અને એક દ્રવ્યનું પરિપૂર્ણ જ્ઞાન તેને જ છે કે જેને સર્વદ્રવ્યના સર્વપર્યાયોનું પરિપૂર્ણ જ્ઞાન છે.
તાત્પર્ય એ છે કે, એકનું પરિપૂર્ણ જ્ઞાન તેમાં વર્તતા સર્વપર્યાયોનું જ્ઞાન થાય ત્યારે થઇ શકે છે, અને દરેક પદાર્થોમાં અનંતા સ્વપર્યાયો છે અને અનંતા પરપર્યાયો છે. આ અનંતા પરપર્યાયો એ છે કે, તેનાથી અન્ય સર્વપદાર્થોનો તે પદાર્થમાં જે અભાવ વર્તે છે, તે અભાવરૂપે પરના પર્યાયો તેમાં છે. તેથી એક પદાર્થનું પરિપૂર્ણ જ્ઞાન કરવા માટે જેમ તેમાં વર્તતા સ્વપર્યાયોનું જ્ઞાન આવશ્યક છે, તેમ તેનાથી અન્ય સર્વપદાર્થોના પર્યાયોનું જ્ઞાન પણ આવશ્યક છે. કેમ કે તેનાથી અન્ય સર્વપદાર્થોના અભાવનું જ્ઞાન કરવા માટે તેનાથી અન્ય પદાર્થોનું જ્ઞાન જરૂરી છે, અને તે થાય તો જ તેના અભાવનું જ્ઞાન પ્રસ્તુત દ્રવ્યમાં થઈ શકે. તેથી તે પદાર્થને પરિપૂર્ણ જાણવા માટે સર્વપદાર્થનું જ્ઞાન આવશ્યક રહે છે, અને આથી કરીને આગમમાં એમ કહેવાયું છે કે એકને સંપૂર્ણ જાણતો સર્વ પદાર્થોને જાણે છે, અને સર્વ પદાર્થોને જાણનારો જ એકને સંપૂર્ણ જાણે છે. II૬-૨૯ી. અવતરણિકા -
આ રીતે પૂર્વશ્લોકમાં સિદ્ધ કર્યું કે દરેક પદાર્થ સ્વપરપર્યાય સ્વરૂપ છે. તેથી પ્રશ્ન થાય કે કોઇ એક પર્યાયને આશ્રયીને પદાર્થમાં થતો વ્યવહાર અપ્રામાણિક થશે. તેથી કહે છે –
आसत्तिपाटवाभ्यास-स्वकार्यादिभिराश्रयन् ।
पर्यायमेकमप्यर्थं, वेत्ति भावाद् बुधोऽखिलम् ।।३०।। અન્વયાર્થ :
૩ત્તિપાદવાણ્યાસરામિક આસત્તિ, પાટવ, અભ્યાસ અને સ્વકાર્યાદિ વડે પૂર્વમાં પર્યાયમ્ શત્ એક પણ પર્યાયને આશ્રય કરતો એવો સુધ બુદ્ધિમાન પુરુષ માવત્ ભાવથીકતત્ત્વથી ૩દ્વિતમ્ ૩W અખિલ સમગ્ર, અર્થને વેત્ત જાણે છે. I૬-૩૦ નોંધ :
“જિ” માં ઉપ' થી એમ જણાવવું છે કે બે, ત્રણ કે સર્વ પર્યાયોનો આશ્રય કરતો હોય, ત્યારે તો સંપૂર્ણ અર્થને જાણે છે, પરંતુ એક પર્યાયનો આશ્રય