Book Title: Adhyatmasar Shabdasha Vivechan Part 01
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 233
________________ અધ્યાત્મસાર ૨૧૪ કર્મના પ્રાબલ્યથી સંભવે, પરંતુ તે યથાર્થ રુચિ તેવી અનુચિત પ્રવૃત્તિની અનુબંધશક્તિનો નાશ કરે છે. જ્યારે અસટ્ટાવાળાની ઘણી ઉચિત પ્રવૃત્તિ પણ અયથાર્થ રુચિવાળી એવી અનુબંધ શક્તિયુક્ત હોવાથી ભાવિમાં અનુચિત પ્રવૃત્તિનું કારણ બને છે. તેથી જ તેઓનું દ્રવ્યચારિત્ર અનુબંધશક્તિ વગરનું હોવાથી મોક્ષનું કારણ નથી. તાત્પર્ય એ છે કે, સમ્યગ્દષ્ટિને યથાર્થ રુચિ હોવાને કારણે તેની અનુચિત પ્રવૃત્તિ પણ અનુબંધશક્તિ વગરની હોય છે, અને તેથી તે પણ યથાર્થ રુચિને કારણે મોક્ષમાર્ગમાં સંસ્થિત છે. કારણ કે યથાર્થ રુચિ ધીરે ધીરે યથાર્થ પ્રવૃત્તિ નિષ્પન્ન કરીને મોલમાં વિશ્રાન્ત થઈ શકે, જ્યારે અનિવર્તનીય અયથાર્થ રુચિથી યુક્ત યત્કિંચિત્ યથાર્થ આચરણા પણ મોક્ષ સાથે લેશ પણ સંબંધ વગરની બને છે, અને અપુનબંધક જીવની અયથાર્થરુચિ નિવર્તનીય છે, તેથી દોષરૂપ હોવા છતાં જીવ ગુણને અભિમુખ છે. I૬-૩૪ અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે વિરક્ત પણ જેનાભાસનો એકાંતથી કુગ્રહ છે તે પાપરૂપ છે. હવે તે એકાન્ત ક્યા કયા વિષયમાં હોય છે કે જેના કારણે તે જૈનશાસનના આચાર પાળતો જ્ઞાનગર્ભ વૈરાગ્યવાળો બનતો નથી, પરંતુ મોહગર્ભિત વૈરાગ્યવાળો બને છે, તે બતાવે છે – उत्सर्गे वाऽपवादे वा, व्यवहारेऽथ निश्चये । ज्ञाने कर्माणि वाऽयं चे-न तदा ज्ञानगर्भता ।।३५।। અન્વયાર્થ : ૩ વ ૩પવાટે વા ઉત્સર્ગમાં કે અપવાદમાં, વ્યવહારે ૩થ નિરાશે વ્યવહારમાં કે નિશ્ચયમાં, જ્ઞાને જ વા જ્ઞાનમાં કે ક્રિયામાં વેત્ ૩થે જો આ=એકાંતથી આગ્રહ હોય તેવા જ્ઞાનર્મિતા ન તો (તેના વૈરાગ્યમાં) જ્ઞાનગર્ભતા નથી. II૬-૩પા શ્લોકાર્ધ : ઉત્સર્ગમાં કે અપવાદમાં, વ્યવહારમાં કે નિશ્ચયમાં, જ્ઞાનમાં કે ક્રિયામાં જો એકાત્તથી આગ્રહ હોય તો તેના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભતા નથી. I૬-૩પા

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280