________________
અધ્યાત્મસાર
૨૧૪ કર્મના પ્રાબલ્યથી સંભવે, પરંતુ તે યથાર્થ રુચિ તેવી અનુચિત પ્રવૃત્તિની અનુબંધશક્તિનો નાશ કરે છે. જ્યારે અસટ્ટાવાળાની ઘણી ઉચિત પ્રવૃત્તિ પણ અયથાર્થ રુચિવાળી એવી અનુબંધ શક્તિયુક્ત હોવાથી ભાવિમાં અનુચિત પ્રવૃત્તિનું કારણ બને છે. તેથી જ તેઓનું દ્રવ્યચારિત્ર અનુબંધશક્તિ વગરનું હોવાથી મોક્ષનું કારણ નથી.
તાત્પર્ય એ છે કે, સમ્યગ્દષ્ટિને યથાર્થ રુચિ હોવાને કારણે તેની અનુચિત પ્રવૃત્તિ પણ અનુબંધશક્તિ વગરની હોય છે, અને તેથી તે પણ યથાર્થ રુચિને કારણે મોક્ષમાર્ગમાં સંસ્થિત છે. કારણ કે યથાર્થ રુચિ ધીરે ધીરે યથાર્થ પ્રવૃત્તિ નિષ્પન્ન કરીને મોલમાં વિશ્રાન્ત થઈ શકે, જ્યારે અનિવર્તનીય અયથાર્થ રુચિથી યુક્ત યત્કિંચિત્ યથાર્થ આચરણા પણ મોક્ષ સાથે લેશ પણ સંબંધ વગરની બને છે, અને અપુનબંધક જીવની અયથાર્થરુચિ નિવર્તનીય છે, તેથી દોષરૂપ હોવા છતાં જીવ ગુણને અભિમુખ છે. I૬-૩૪ અવતરણિકા :
પૂર્વશ્લોકમાં કહ્યું કે વિરક્ત પણ જેનાભાસનો એકાંતથી કુગ્રહ છે તે પાપરૂપ છે. હવે તે એકાન્ત ક્યા કયા વિષયમાં હોય છે કે જેના કારણે તે જૈનશાસનના આચાર પાળતો જ્ઞાનગર્ભ વૈરાગ્યવાળો બનતો નથી, પરંતુ મોહગર્ભિત વૈરાગ્યવાળો બને છે, તે બતાવે છે –
उत्सर्गे वाऽपवादे वा, व्यवहारेऽथ निश्चये ।
ज्ञाने कर्माणि वाऽयं चे-न तदा ज्ञानगर्भता ।।३५।। અન્વયાર્થ :
૩ વ ૩પવાટે વા ઉત્સર્ગમાં કે અપવાદમાં, વ્યવહારે ૩થ નિરાશે વ્યવહારમાં કે નિશ્ચયમાં, જ્ઞાને જ વા જ્ઞાનમાં કે ક્રિયામાં વેત્ ૩થે જો આ=એકાંતથી આગ્રહ હોય તેવા જ્ઞાનર્મિતા ન તો (તેના વૈરાગ્યમાં) જ્ઞાનગર્ભતા નથી. II૬-૩પા શ્લોકાર્ધ :
ઉત્સર્ગમાં કે અપવાદમાં, વ્યવહારમાં કે નિશ્ચયમાં, જ્ઞાનમાં કે ક્રિયામાં જો એકાત્તથી આગ્રહ હોય તો તેના વૈરાગ્યમાં જ્ઞાનગર્ભતા નથી. I૬-૩પા